Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્ત્વવિચાર
ઇન્દ્રિયા વડે જ્ઞાન થાય છે, એના અથ તા એ થા
કે ઇન્દ્રિય અને જ્ઞાન એ અને જુદી વસ્તુ છે. દાખલા તરીકે હુથાડા વડે ઘાટ ઘડાય છે.' એમ કહીએ તા હથાડા અને ઘાટ એ એ વસ્તુએ એક ઠરતી નથી, પણુ જુદી જુદી વસ્તુ ઠરે છે. ત્યારે જ્ઞાન એ ઇન્દ્રિયાના અસાધારણ ધર્મ (ગુણુ) ખની જતા નથી. કારણ કે જે જેના અસાધારણ ધર્મ હાય તે તેના વિના રહી શકતા નથી. ઉષ્ણતા વિના અગ્નિ કે આર્દ્રતા વિના જળની કલ્પના કાણુ કરી શકે છે? જ્યારે જ્ઞાન એ ઇન્દ્રિયાના અસાધારણ ધમ નથી, ત્યારે તેને આત્મા શી રીતે માની શકાય ? જ્ઞાન એ આત્માના અસાધારણ ધમ છે, તેથી જ આત્મા આ વસ્તુ આવી છે, આ વસ્તુ તેવી છે.’ એમ જાણી શકે છે અને તેની સ્મૃતિ પણ રાખી શકે છે, જ્યારે ઇન્દ્રિય પાતે કાઈ વસ્તુ જાણી શકતી નથી કે તેના અનુલવ યાદ રાખી શકતી નથી. એ અનુભવ તા ચૈતન્યના લ’ડારમાં જ પડયા રહે છે અને નિમિત્તાનુસાર વ્યક્ત થાય છે.
6
' "
૪૬
6
જો ઇન્દ્રિયા પોતે જ જાણી શકતી હોત તા નિદ્રામાંચે તેનું જાણવાનું ચાલુ રહેત અને મૃતાવસ્થામાં પણ તેની એ પ્રવૃત્તિમાં કોઈ અંતરાય આવ્યા ન હોત; પરંતુ તેમ ખનતું નથી એ વાત સિદ્ધ છે.
ઇન્દ્રિયા વડે જ્ઞાન કેવી રીતે થાય છે ? તે ખરાખર જાણવામાં આવે તે તેને આત્મા માની લેવાની ભૂલ કાઈ કરે નહિ, તેથી એ સ`ખ ધમાં અહીં થોડું વિવેચન કરીશુ.