Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્વવિચાર હાથમાં ખુલ્લી તલવાર હતી અને મુખ ઉપર એક જાતને આવેશ હતો. તેણે આંખનાં ભવાં ઊંચાં કરતાં કહ્યું. “અરે મુસાફરો! તમે કયાં આવ્યા છે, તેનું કંઈ ભાન છે? આ રત્નદીપ નામને બેટ છે અને હું તેની અધિષ્ઠાયિકા - દેવી છું. મારી રજા વિના તમે આ બેટ પર કેમ ઉતર્યા?”
સાર્થવાહના પુત્ર શૂરવીર હતા અને કેઈથી ગાંજ્યા જાય તેમ ન હતા, છતાં સમય ઓળખીને તેમણે કહ્યું: “દેવી ! અમે અહીં આવ્યા નથી, પણ સંગો અમને અહી ઘસડી લાવ્યા છે. એમાં કાંઈ અપરાધ થયે હોય તે માફ કરશે.”
રયણાદેવીએ કહ્યું: “તમારે અપરાધ માટે છે અને પ્રાણદંડને પાત્ર છે, પણ એક શરતે તમને માફી આપું કે તમે મારી સાથે મારા મહેલમાં ચાલે અને મારી સાથે કામક્રીડા કરીને મને આનંદ આપો.”
માગણી વિચિત્ર હતી, છતાં તેને આધીન થયા વિના છૂટકો ન હતા, એટલે બને ભાઈએ ચૂપચાપ તેની સાથે ચાલ્યા અને રત્નજડિત મહેલમાં પહોંચ્યા. ત્યાં ભેગવિલાસની અનુપમ સામગ્રી તેમને સ્વાધીન કરવામાં આવી.
બંને ભાઈઓ ભેગવિલાસમાં મસ્ત બન્યા અને નિરંતર આમોદપ્રમોદ કરવા લાગ્યા. એમ કરતાં તેઓ સ્વજન, સંબંધી, ઘરબાર બધું ભૂલી ગયા. માણસનું મન જ્યારે એક વસ્તુમાં ઓતપ્રોત બને છે, ત્યારે તેને બીજી વસ્તુનું ભાન રહેતું નથી.
કેટલેક કાલ આ રીતે વ્યતીત થયા પછી એક દિવસ રયાદેવીએ કહ્યું કે “શકેન્દ્રની આજ્ઞાથી લવસમુદ્રના અધિ.