Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 533
________________ આમલમવગ્રામ winnivinnumannammmmmmmmm જેના ક૯પનાથી પણ બે ભાગ ન થઈ શકે એવા કાળના સૂક્ષમ ભાગને “સમય” કહેવાય. આવા અસંખ્ય સમય એકઠા થાય ત્યારે આવલિકા કહેવાય. આવી સંખ્યાત આવલિકા ભેગી થાય ત્યારે શ્વાસ કહેવાય. એક શ્વાસોશ્વાસને પ્રાણ કહેવાય અને સાત પ્રાણને તો કહેવાય. એવા સાત સ્તોક ભેગા થાય ત્યારે લવ કહેવાય અને એવા ૭૭ લવ ભેગા થાય ત્યારે એક મુહૂર્ત કહેવાય. આવાં ત્રીશ મુહૂર્ત થી એક અહેરાત્ર બને. (દિવસ અને રાત બે મળીને એક અહોરાત્ર કહેવાય છે. ) આ શબ્દો બરાબર લક્ષમાં રાખશે, કારણ કે શાસ્ત્રોમાં તેનો ઉપયોગ થયેલ છે અને તેથી વસ્તુસ્થિતિ સમજવામાં સરળતા પડશે. પંદર અહોરાત્રને પક્ષ, બે પક્ષનો માસ અને બાર માસનું વર્ષ એ ગણતરી જગતમાં પણ પ્રસિદ્ધ છે. પાંચ વર્ષને યુગ કહેવાય અને આવા ૨૦ યુગની એક શતાબ્દિ કહેવાય. આજે યુગ શબ્દ કાળના બહુ મોટા પ્રમાણ માટે પ્રચલિત છે, પણ તેને આનાથી ભિન્ન સમજવો. દશ શતાબ્દિને સહસ્ત્રાબ્દિ કહેવાય ને આઠ હજાર ચાર સહસ્ત્રાબ્દિને એટલે ૮૪ લાખ વર્ષને એક પૂર્વગ કહેવાય. પૂર્વનું માપ કેટલું મોટું છે, તેને ખ્યાલ આથી આવી શકશે. એક પૂર્વમાં ૭૦૫૬૦ અબજ વર્ષે આવે. - ત્યારપછી ત્રુટિતાંગ, ત્રુટિત, અાંગ, અટટ વગેરે અનેક પ્રકારનાં માપે છે. તેમાં ૧૯૪ અંકની સંખ્યાને શીર્ષ-પ્રહેવિકા કહેવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542