Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 497
________________ આત્મતરવવિયા લાલચને કારણે માણસો જ હું બોલે છે, કપટ કરે છે અને અનીતિ કરવા પ્રેરાય છે. આ બધી વસ્તુથી આત્મા ગુંગળાય છે, તેને ચેન પડતું નથી. જેને શાંત દશાને સાચો અનુભવ હોય તે જ શાંત દશાનું સાચું મૂલ્યાંકન કરી શકે, પરંતુ જે હરદમ અશાંત દશા જ અનુ માવતે હોય તે શાંતિનું મૂલ્ય શું આંકી શકે? જેના જીવનમાં ક્રોધ, માન, માયા અને લેભ ન હોય તેને જ સાચી શાંત દશાને અનુભવ થાય. - આ દુનિયામાં લડાઈ-ઝગડા કરાવનારા કષાયે છે. તે કોઈ જગાએ માન-અભિમાન-અહંકારથી કરાવે છે, કોઈ જગાએ માયા-કપટ-લુચ્ચાઈથી કરાવે છે, તે કઈ જગાએ લોભલાલચથી કરાવે છે. દરેક લડાઈ-ઝઘડામાં મોહનીય કર્મનું કોઈને કોઈ વરૂપ જવાબદાર હોય છે જ. - નરકમાં ગયેલા આત્માને પરમાધામી મારે છે, કાપે છે, તેના શરીરના ટુકડા કરે છે અને તેને અનેક રીતે સતાવે છે. આ રીતે પરમાધામી એક આત્માને અસંખ્યાત વર્ષ સુધી સતાવી શકે, તેથી વધુ નહિ. પરંતુ મોહનીય કર્મજન્ય કષાય આ પરમાધામી કરતાં પણ ભૂંડા છે. તે અનાદિકાળથી આત્માને અશાંતિ કરતા આવ્યા છે, સતાવતા આવ્યા છે, છતાં આપણને આ પરમાધામીની જેટલી બીક છે, તેટલી આ કષાયની નથી, તેનું કારણ શું ? આ વસ્તુનો શાંત ચિત્ત વિચાર કરીએ, તે કષાયની બૂરાઈ ખ્યાલમાં આવી જાય અને કલાને

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542