Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
ખમાસામાં
અયવસાયની સયા, આત્માના અધ્યવસાય બદલાયા કરે છે અને નવા નવા અધ્યવસાયો ઉત્પન્ન થાય છે, એટલે અધ્યવસાયોની સંખ્યા ઘણી મોટી છે. જેમ આકાશના તારા અને પૃથ્વીપટ પરનાં રતીના કણે ગણી શકાતાં નથી તેમ અથવસાયોની સંખ્યા પણ ગણી શકાતી નથી. તાત્પર્ય કે અયવસાયના સ્થાનક અસંખ્યાત છે.
આત્માના અથવસાયો બદલાતા ન હોત ને બધો વખત એક સરખા રહેતા હતા તે ચડતી કે પડતીને અનુભવ થાત નહિ, તેમજ કર્મની સ્થિતિમાં જે ચિધ્ય દેખાય છે, તે પણ દેખાત નહિ.
અધ્યવસાયો કેને કહેવાય. પ્રશ્ન-આત્મા નિગોદમાં જડપ્રાય: અવસ્થામાં હોય છે, ત્યારે તેને અધ્યવસાયો થતા હશે ખરા ?
ઉત્તર-આત્મા નિગોદમાં જડપ્રાયઃ અવસ્થામાં હોય છે, ત્યારે પણ તેને અધ્યવસાચો હોય છે. જે અધ્યવસાય ન હોય તે તેનામાં અને જડમાં ફેર જ શું રહે? અધ્યવસાયનાં કારણે તે તેનું કર્મબંધન ચાલુ રહે છે. અહીં પ્રાસંગિક એ પણ જણાવી દઈએ કે જ્યારે નિગોદ અવસ્થામાં અધ્યવસાય હોય છે, ત્યારે તેનાથી ચડિયાતી સ્થિતિમાં એટલે પ્રત્યેક વનસ્પતિકાય આદિ એકેન્દ્રિય જીવમાં, બેઈન્દ્રિય જીવોમાં, તેઈદ્રિય જીવમાં, ચહારદ્રિય જીવોમાં અને પંચેન્દ્રિય જીમાં પણ અયવસાય હાય એ સ્વાભાવિક છે. માત્ર વીતરાગ દશા ૨૫