Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
იიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიი,
' ક'
:
666બબબજાજ
વ્યાખ્યાન ત્રેવીસમું
અધ્યવસાયે મહાનુભાવે !
કર્મના વિષયમાં આપણે આગળ વધી રહ્યા છીએ અને તેની પરિભાષાથી ક્રમશઃ પરિચિત થઈ રહ્યા છીએ. આજે કમ સાહિત્યમાં વારંવાર વપરાતા અધ્યવસાય શબ્દથી તમને પરિચિત કરવા છે.
અધ્યવસાયને અર્થ કઈ સાહિત્યકારને પૂછીએ કે અધ્યવસાયનો અર્થ શું ? તો તે તરત જ કહેશે કે “ પ્રયત્ન, મહેનત કે ઉત્સાહ.” પરંતુ આ જ પ્રશ્ન કોઈ દાર્શનિકને પૂછીએ તે તેને ઉત્તર જુદ મળશે. નૈયાયિક કહેશે કે અધ્યવસાયને અર્થ નિશ્ચય છે, વેદાંતી કહેશે કે અધ્યવસાયનો અર્થ બુદ્ધિધર્મ છે અને સાંખ્ય મતવાળાઓ કહેશે કે અધ્યવસાયનો અર્થ વૃત્તિ કે જ્ઞાન છે. પરંતુ આપણે જેને તે આત્માના પરિકામને સૂચવવા માટે જ તેનો ઉપયોગ કરીએ છીએ. અધ્યવસાય એટલે આત્માના પરિણામ.
અધ્યવસાયની મહત્તા વિચાર, લાગણી, ઈચ્છા એ બધું આત્માના પરિણામ પર અવલંબે છે, એટલે અધ્યવસાયનું સ્થાન જીવનઘડતરમાં બહુ