Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૪૩૮
આત્મતત્ત્વવિચાર
એક રજપૂત સાધુ થયા. તે પૂર્વજીવનમાં માંસાહારી હતા, પણ સાધુ થયા પછી તેા માંસાહારના ત્યાગ જ હોય. આ સાધુને થીશુદ્ધી નિદ્રા આવતી હતી. એક વખત તેણે રસ્તામાં પાડા જોયા. તે ઘણુા મસ્ત હતા, માતેàા હતા, આ પાડાને જોઇને તેને વિચાર આવ્યે કે આવા માતેલા પાડાનું માંસ ખાવા મળે તે કેવું સારું!' પણ સાધુજીવનને કારણે એ વિચાર વિચાર જ રહ્યો,
6
હવે રાત પડી અને તેને થીણુહી નિદ્રાના ઉદય થયા, એટલે તે ઊંઘમાં ને ઊંઘમાં ઉઠયા, તેણે પેલા પાડાને પકડયા અને તેને કાઈ તીક્ષ્ણ શસ્ત્રથી મારી નાખી તેનું માંસ ખાધું અને બાકી વધ્યું તેટલું અગાસીમાં સૂકવવા નાખી, પેાતાના સ્થાને આવીને સૂઈ ગયા.
સવારે કેટલાક સાધુએ અગાસીમાં ગયા, ત્યાં માંસ જોયું અને સ્તબ્ધ થઈ ગયા. આવી પવિત્ર જગામાં માંસ કયાંથી આવ્યું ? તેમણે તપાસ કરવા માંડી તે આ રજપૂત સાધુનાં કપડાં લેાહીથી ખરડાયેલાં દીઠાં. તેને આ સબંધમાં પૂછવામાં આવ્યું તેા જવાબ મળ્યા કે ‘ મને કઈ ખબર નથી,’ પછીથી આસપાસના પૂરાવાઓ ભેગા કરતાં ખબર પડી કે આ રજપૂત સાધુને થીણુદ્ધી નિદ્રા આવે છે અને તેણે જ નિદ્રા દરમિયાન પાડાના વધ કરી આ માંસ અહીં મૂકેલું છે. પછી તે સાધુને કાઢી મૂકયા. કારણ કે થીશુદ્ધી નિદ્રાવાળા ચારિત્રને લાયક ગણાતા નથી.
વત માનકાળે થીશુદ્ધી નિદ્રાના અનેક દાખલાઓ મળે છે