Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતરવવિચાર
ડૉકટરની સ્ત્રીનું પેટ વધ્યું. ડોકટરે માન્યું કે તે ગાંઠ છે. અમદાવાદના સારા સારા ડૉકટરોને લાવવામાં આવ્યા. બધાએ દર્દીને તપાસીને એકીમતે જાહેર કર્યું કે “આના પેટમાં ગાંઠ છે, તે દૂર કરવા ઓપરેશન કરવું પડશે.”
ઓપરેશનની તૈયારીઓ થઈ. દર્દી સ્ત્રીને ઓપરેશન ટેબલ પર સુવાડવામાં આવી. હવે તે જ વખતે મીરજને એક પ્રખ્યાત ડૉકટર કઈ કામપ્રસંગે અમદાવાદ આવ્ય હતો. તેની ફી એક હજાર રૂપિયા હતી. તેના આવવાની આ ડોકટરને ખબર પડી, એટલે તેને બોલાવીને સલાહ લેવાનું નક્કી કર્યું. પત્ની પર તેને ઘણો પ્રેમ હતું. તે સારી થતી હોય તે હજાર રૂપિયા એ તેને મન મટી વિસાત ન હતી.
તેણે મીરજના ડોકટરને બોલાવ્યું અને એ સ્ત્રીનું પિટ જેયું. પછી તે હસતાં હસતાં કહેવા લાગ્યા કે “તમે
આ શું કરી રહ્યા છે?” પેલા ડોકટરો પણ મનમાં હસવા લાગ્યા, તેઓ વિચાર કરે છે કે, “ કે મૂખે છે? આટલું પણ સમજ નથી?” પછી પ્રકટ રીતે જવાબ આપ્યો કે
ઓપરેશન કરીએ છીએ. ” પેલાએ પૂછ્યું : “શાનું ? ડૉકટરોએ કહ્યું કે “ગાંઠનું” ત્યારે મીરજના ડોકટરે કહ્યું કે “અરે ભાઈઓ! આ ગાંઠ નથી, આ તે ગર્ભ છે.” આમ કહીં તેણે સ્ત્રીનાં પેટ પર ભૂંગળી મૂકી બધાને બતાવ્યું કે બાળક પણ ગર્ભમાં ઝીણું ઝીણું રડે છે.
આ જોઈ અમદાવાદના ડૉકટરે ખસિયાણા પડી ગયા. જે તેઓએ આ સ્ત્રીનું ઓપરેશન કર્યું હોત તો બે જીવની હાની થાત અને વધારામાં પેલા ડૉકટરનું જીંદગી સુધી મહેણું