Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૧૦૦
આમતરવવિચાર
આ પાંચે દ્રવ્યો જડ એટલે ચિતન્યરહિત છે અને છઠું દ્રવ્ય આત્મા તે ચૈતન્યથી યુક્ત છે. આ આત્મા સંબંધી આપણે કેટલુંક વિવેચન કરવાનું છે, પરંતુ અહીં પ્રાસંગિક એટલું જણાવી દઈએ કે આત્માને ફસાવનાર પુદ્ગલ છે.
આતમાને ફસાવનાર પુદ્ગલ છે. સારે શબ્દ, સારુ રૂપ, સારી ગંધ, સારુ મેં જન, વહાલે સ્પર્શ આત્માને ફસાવે છે, ખરાબ, કડવી કે દુધવાળી વસ્તુ આત્માને ફસાવી શકતી નથી તમને કઈ કઠેર સ્પર્શ વાળા ખાટલામાં સૂવાડે તે સૂએ ખરા? સુકુમારીની વાત તે ઘણી જાણીતી છે. ધનવાનની પુત્રી હોવા છતાં તે કુરૂપ હતી. તેને પરણવા કોઈ તૈયાર ન હતું. અરે! તેની નજીક જવા માટે પણ કોઈની તૈયારી ન હતી. છેવટે ધનિક પિતાએ તેને એક રસ્તે રખડતાં ભીખારી સાથે પરણાવી. એ ભૂખ્યા, બેહાલ, ઘરબાર વિનાના રઝળતા ભીખારીને શેઠે ધન આપ્યું, મકાન-મિલકત આપ્યા, સુંદર જરિયાન વસ્ત્રો પહેરાવ્યાં, પણ જ્યારે તે સુકુમારિકાને ભેટયે, ત્યારે તેને અત્યંત અનિષ્ટ સ્પર્શ ક્ષણ પણ સહી ન શક અને બધું છોડીને ભાગી ગયેલ
ઈન્દ્રિયે ચપળ છે ડા જેવી છે. તેને બહેકાવશે તે તમને કયાંની ક્યાં લઈ જશે! તેને તે જિનેશ્વરના ઉપદેશ
* દ્રૌપદી પૂર્વભવમાં સુકુમારિકા નામની શેઠની પુત્રી હતી. તેની આ કથા છે.