Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૪૧૨
આત્મતત્વવિચાર
રાપણું સૂચવવા માટે શાસ્ત્રમાં યોગસ્થાનક” શબ્દનો ઉપયોગ થયેલ છે, આજે કોઈ પણ મશીનનું બળ બતાવવું હોય તે હોર્સપાવરની સંજ્ઞાને ઉપયોગ થાય છે. જેમ કે આ મશીનમાં ૫૦ હે સંપાવરનું બળ છે, ૧૦૦ હેર્સપાવરનું બળ છે, વગેરે. વીજળીનું બળ બતાવવા માટે વોટની સંજ્ઞાનો ઉપયોગ થાય છે. જેમકે-અહીં વીજળીનું દબાણ ૪૦૦ લ્ટ છે, ૬૦૦ વેટ છે, વગેરે, યોગસ્થાનક એ ભેગનું બળ બતાવનારી સંજ્ઞા છે.
યોગબળનું પ્રમાણ અનેક-અસંખ્ય પ્રકારનું હાઈ વેગ સ્થાનકે પણ અસંખ્ય પ્રકારના સંભવે છે.
પ્રદેશબંધ આ પરથી એમ સમજવાનું કે દરેક સમયે આત્મામાં કોઈ પણ એક પ્રકારનું સ્થાન અવશ્ય હોય છે અને આત્મા તે ગસ્થાનક પ્રમાણે જ કાર્મ વગણા ગ્રહણ કરે છે. જે યોગસ્થાનક મંદ હોય તો આત્મા ઓછી કામણવર્ગણા ગ્રહણ કરે અને તીવ્ર, તીવ્રત, તીવ્રતમ હોય તે તે પ્રમાણે વધારે કામ વગણ ગ્રહણ કરે, કાપડનો કોઈ સં ધીમી ગતિએ ચાલતો હોય તે ઓછું કાપડ વણે અને ઝડપથી ચાલતું હોય તે વધારે કાપડ વણે, એ તમે જાણે છે.
કામણવર્ગણાઓ ગ્રહણ થતાં જ તે આમપ્રદેશે સાથે ભળી જાય છે તથા પૂર્વનાં કર્મો સાથે ચેટી જાય છે. તમે પૂછશે કે નવાં કમેં પૂર્વનાં કર્મો સાથે શા માટે ચૂંટી જાય? એટલે જણાવીએ છીએ કે નવાં કર્મનાં પરમાણુઓમાં ચીકાશ હોય છે, એટલે તે પૂર્વનાં કર્મો સાથે ચેટી જાય છે.