Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૫૦
આત્મતત્વવિચાર
કહ્યો. તે જ રીતે જેને એક નવીન વસ્તુની શોધ કહેવામાં આવે છે, તેનું મૂળ દ્રવ્ય તે આ વિશ્વમાં અનાદિ કાળથી હતું, માત્ર તેના પર્યાયમાં ફેર પડયા, એટલું જ. તેથી અમે જે કહીએ છીએ કે કોઈ વસ્તુ તદ્દન નવીન બનતી નથી, તે બરાબર છે. એક વસ્તુમાંથી રૂપાંતર પામીને બીજી વસ્તુ બને તેને તદ્દન નવીન કહેવાય નહિ, કારણ કે તેનું મૂળ દ્રવ્ય તે પહેલાં પણ હતું જ એટલે અહીં નવીન શબ્દને જે પ્રયોગ છે, તેને આપેક્ષિક સમજવાને છે..
આજે અણુ શબ્દ પ્રચલિત બન્યું છે. છાપામાં રોજ અણુ બબ, અણુશસ્ત્ર વગેરેની વાત આવે છે, એટલે નાના નાના વિદ્યાર્થીઓ પણ એ શબ્દોને ઉપગ કરતા થઈ ગયા છે, પરંતુ આજે અણુ શબદથી જે વસ્તુ પ્રચારમાં છે, તે વાસ્તવિક રીતે અણુ નથી પણ એક જાતને રકંધ છે. જે એ અણુ હોય તે તેને ફેટ શી રીતે થઈ શકે ? આજના વૈજ્ઞાનિકો કહે છે કે આણુને ફેટ થવાને લીધે તેમાંથી મહાન શક્તિ ઉત્પન્ન થાય છે, પણ જે ખરેખર અણુ હોય તેને સ્ફોટ થઈ શકે નહિ. ફેટ તે સ્કંધને જ થઈ શકે માટે તે અણુ નહિ પણ સ્કંધ જ છે.
જે ધે સૂક્ષમ પરિણામી હોય છે, તે નજરે જોઈ શકાતા નથી. પણ બાદરપરિણમી હોય છે, તે નજરે જોઈ શકાય છે. #છ દ્રવ્યોમાં માત્ર પુદગલ દ્રવ્ય એવું છે કે જે નજરે દેખી
સૂક્ષમતા અને સ્થૂલતાની અપેક્ષાએ યુગલસ્કલ્પના છ પ્રકારે માનવામાં આવ્યા છે. (૧) અતિસ્થલ, (૨) ધૂલ, (૩) થુલસૂમ, (૪) સૂક્ષ્મણૂલ, (૫) સૂમ અને (૬) અતિ સૂક્ષ્મ.