Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
કમબંધ
૪૦૫
~
જેમ વૃક્ષને ફળ આપવાને કાળ હોય છે, તેમ કમને પણ ફળ આપવાને કાળ હોય છે. આ કાળ ઓછામાં ઓછા અંતમુહૂર્તન અને વધારેમાં વધારે સીત્તર કોડાકોડી સાગરોપમનો હોય છે. કર્મ બાંધતી વખતે આ કાળ નિયત થાય છે.
કર્મ બાંધતી વખતે તીવ્ર અથવા મંદ જેવા પરિણામ હેય, તે રસ પડે છે અને જે રસ પડ હોય, તે પ્રમાણે તેનું અતિ તીવ્ર, તીવ્ર, મંદ, મંદતર ફળ ભેગવવું પડે છે.
આત્મા પિતાની સમીપે રહેલાં કર્મ સને યોગનાં કારણે પિતાના ભણી ખેંચે છે અને આત્મ પ્રદેશમાં ઓતપ્રેત બનાવી દે છે, તેને શાસ્ત્રીય પરિભાષામાં પ્રદેશબંધ કહેવામાં આવે છે.
અહીં એ જણાવવું જરૂરનું છે કે જે આકાશ પ્રદેશમાં આમપ્રદેશ અવગાહીને રહેલા છે, તે જ આકાશપ્રદેશમાં કર્મ ચોગ્ય પુદ્ગલધે પણ અવગાહીને રહેલા છે. આવા જ પુદ્. ગલકંધે જીવ ગ્રહણ કરી શકે છે. જે આકાશપ્રદેશને આત્માએ અવગહેલા નથી અને જે કર્મ અધે આત્મપ્રદેશથી દૂર છે તેવા કર્મપુદ્ગલ ગ્રહણ કરવાનું કે તેને કમરૂપે પરિણમાવવાનું . હેતું નથી. આત્માના પ્રદેશ સાથે અવગાઢ કર્મધે પણ સ્થિત અર્થાત્ સિથર હેય, તેને જ જીવ ગ્રહણ કરી શકે છે; અસ્થિર અથવા ચંચળ કર્મ સ્કૉને જીવ ગ્રહણ કરતો નથી. (એટલે કામણ વગણના પુદ્ગલેને )
જીવ કર્મ બંધ બે પ્રકારે કરે છે. નિકાચિત અને અનિકાચિત. કર્મ બાંધતી વખતે જીવ જે કષાયના તીવ્ર પરિણામ