Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્વવિચાર
એક વાર એક બ્રાહ્મણ મિત્રે બ્રહાદત્તને આગ્રહ કર્યો કે આવતી કાલે મારે કુટુંબ સાથે તમારે ત્યાં ભોજન કરવું છે.” બ્રહ્મદે કહ્યું કે “ભાઈ ! મારું ભોજન મને જ પચે એવું છે. તે બીજાથી જીરવી શકાય એવું નથી, માટે મારે ત્યાં જમવું રહેવા દે. પરંતુ બ્રાહાણ-મિત્રે હઠ પકડી, એટલે બ્રહ્મદરે તેનું કહેવું મંજૂર રાખ્યું. બીજા દિવસે બ્રાહ્મણ અને તેનું કુટુંબ રાજમહેલ જમવા ગયું. ત્યાં તેઓ પુષ્કળ તેજાના અને માદક પદાર્થોથી બનાવેલું ભેજન જમ્યા. આથી તેમની સાન ઠેકાણે ન રહી, મનવૃત્તિ ખૂબ ચંચળ બની અને તેઓ ભાન ભૂલીને માતા, ભગિની આદિ અકથ્ય, અગ્ય, અગ્ય કીડા કરવા લાગ્યા. સવારે જ્યારે એ ભજનને કેફ ઉતરી ગયે, ત્યારે એ અકલ, અગ્ય, અયોગ્ય કીડા કરવા માટે તેઓ બહુ શરમાઈ ગયા. બ્રાહ્મણ સમયે કે બ્રહ્મદત્તે ઈરાદાપૂર્વક મને કંઈક ખવડાવી દીધું અને મારી હાલત આવી કરી, તેથી તેને જોઈ લે.
એક બ્રાહ્મણ-ચક્રવર્તીને શું કરી શકે ? એમ તમને લાગશે, પણ નાનકડો મચ્છર હાથીના કાનમાં પેસી જાય છે તે તેને તબાહ પોકારાવે છે કે નાને સખો અગ્નિને તણખ ઘાસની ગંજીમાં પડે છે તે તેને બાળી નાખે છે, એ ભૂલતા નહિ. આ બ્રાહ્મણ વેર લેવાના ઈરાદાથી ત્યાંથી ચાલી નીકળ્યા
હવે તે બ્રાહ્મણ એક જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે તેણે એક ભરવાડને ગલોલ વતી પીપળાનાં પાનામાં કાણાં પાડત જે. તેને લાગ્યું કે આ માણસ મારાં કામને છે, તેથી તેની
લા,