Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૯૮
આત્મતત્વવિચાર
એ છે કે ભૂતકાલ તે નષ્ટ થયેલ છે અને ભવિષ્યકાળ અવિદ્યમાન છે, તેમ જ વર્તમાનકાળ તે સમય માત્ર છે. એટલે તેમાં પ્રદેશનો સમૂહ સંભવી શકતું નથી.
આત્માનું સ્વરૂપ સારી રીતે સમજવા માટે આ દ્રને સામાન્ય પરિચય મેળવી લે જરૂરી છે, એટલે તે સંબંધી અહીંનું થોડું વિવેચન કરીશું.
(૧) ધર્માસ્તિકાય એટલે ગતિસહાયક દ્રવ્ય. (Medium) of motion ) તે સકલ લોકાકાશમાં વ્યાપેલું છે અને જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાય કરે છે જેમ માછલીમાં તવાની શક્તિ હોવા છતાં તે જળ વિના તરી શકતી નથી, તેમ પુદગલ અને આત્મા ગતિ કરવામાં સમર્થ હોવા છતાં ધરિતકાયની સહાય વિના ગતિ કરી શકતા નથી.
(૨) અધર્માસ્તિકાય એટલે સ્થિતિસહાયક દ્રવ્ય Medium of rest.) તે પણ સકલ લોકાકાશમાં વ્યાપેલું છે અને પદાર્થોને સ્થિતિ થવામાં સહાય કરે છે. જેમ મુસાફરમાં સ્થિર થવાની શક્તિ હોવા છતાં વૃક્ષની છાયા સ્થિર થવામાં ખાસ આલંબનભૂત છે તેમ પુદગલ અને આત્મા સ્થિર થવાને સમર્થ હોવા છતાં અધર્માસ્તિકાયની સહાય વિના સ્થિર થઈ શકતા નથી.
પ્રથમ ઘણું દાર્શનિકે આ ધર્માસ્તિકાય અને અધિ
* જેને ગમનાગમનાદિ ચેષ્ટામાં, ભાષા ગ્રહણમાં, મનેયોગ, વચનગ અને કાયયોગ આદિમાં પણ ધર્માસ્તિકાય કારણ બને છે.
(લે. પ્ર. ૨. ૧૯.)