Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્તવિચાર
તાત્પર્ય કે અનેક દીપકોની સાથે રહેવા છતાં તે પોતાને મૂળ પ્રકાશ ગુમાવતે નથી, પિતાનું વ્યક્તિત્વ છોડતા નથી.
રે પિતાની શક્તિથી અનેક જાતનાં રૂપે બનાવી શકે છે, એ હકીકત જાણીતી છે. માને કે તેમણે આ લોકમાં એક રૂપ બનાવ્યું, તે તેઓ પોતાના આત્માને એક ખંડ કે ટુકડો તેમાં મૂકી દેતા નથી, પણ પિતાના આત્મપ્રદેશને
ત્યાં સુધી લંબાવે છે. આ લંબાયેલા આત્મપ્રદેશને કેઈની ટકર લાગતી નથી કે અગ્નિ, વાયુ જળ આદિને ઉપઘાત થતું નથી, કારણ કે સ્વભાવથી એ અખંડ અને અરૂપી છે.
જે જમાનામાં સૂક્ષમદર્શક યંત્રો ન હતાં કે ટેલીસ્કોપ ન હતા, તે જમાનામાં આ બધું કહેવાયું છે, તે શી રીતે કહેવાયું હશે ? સર્વજ્ઞ ભગવંતોએ પોતાનાં જ્ઞાનથી જે જોયું તે આપણને કહ્યું છે અને તે પરમ સત્ય છે. આજના વિજ્ઞાને આ વિષયમાં થોડો ચંચુપાત કર્યો છે, પણ તે જૈન શાસને આપેલાં જ્ઞાનને પહોંચી શકયું નથી. જેના શાસનમાં ભવ્ય તત્વજ્ઞાન ઉપરાંત ગણિત, ખગોળ, ભૂગોળ, ઈતિહાસ વિગેરેને ખજાને ભરેલ છે, ઈટાલિયન વિદ્વાન ડો. ટેસીટોરીએ ઠીક જ કહ્યું છે કે “આધુનિક વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું જાય છે, તેમ તેમ જૈન સિદ્ધાં. તેને જ સાબીત કરતું જાય છે.
કાકાશ એક આત્માના પ્રદેશે લોકાકાશ જેટલા છે, એમ ઉપર કહેવામાં આવ્યું છે, એટલે અહીં કાકાશ સંબંધી પણ