Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માનો ખજાનો
ધનમાલ શું સાથે આવે છે? ઘરેણના દાબડા, નેટના બંડલ અને આલીશાન ઈમારતે બધું યે અહીં જ પડયું રહે છે. આત્મા આ વસ્તુઓના મોહથી દુઃખી થાય છે અને દુર્ગતિમાં જાય છે, એટલે આ બધા સંયોગો આત્માને દુઃખદાયી હોવાથી ત્યાજ્ય છે.
આત્મા એળે આવ્યું અને એક જવાને; એમાં કંઈ ફેર નથી.
આત્માની જ્ઞાનશક્તિ ઘણી મોટી છે. જોકે અણુબ અને અણુશસ્ત્રોની વાત સાંભળીને ચકિત થઈ જાય છે, પણ એ શોધ્યાં કોણે? જ્ઞાને કે બીજા કેઈએ? અલબત્ત, આવા જ્ઞાનને આપણે અજ્ઞાન કહીએ છીએ, કારણ કે તે મિથ્યાત્વથી ચુક્ત છે, પણ એ એક પ્રકારનું જ્ઞાન તે છે જ.
અણુશક્તિમાં પુદગલના અણુનું ફેટન કરવાની ગજબ શક્તિ મનાય છે, પણ આત્મા જ્ઞાનશક્તિ વડે કેડો વર્ષમાં સંચિત થયેલાં કર્મનાં ક્ષણ માત્રમાં ભુક્કા ઉડાડી દે છે. કહ્યું છે કે
જ્ઞાની સામેસાસમેં કરે કમને બેહ; પૂર્વ કેડી વરસા લગે, અજ્ઞાની કરે તેહ.
“અજ્ઞાની જે કર્મને ક્ષય ક્રોડ વર્ષના પરિશ્રમ કરી શકે છે, તે કમનો ક્ષય જ્ઞાની માત્ર શ્વ ચ્છવાસ જેટલા સમયમાં કરી નાખે છે.”
આને કઈ અતિશયોક્તિ ન માનતા. અતિશયોક્તિ કવિઓ કરે. પણ જૈન મહર્ષિએ ન કરે. તેઓ તે જેવું હોય