Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૧૭૬
આત્મતત્વવિચાર
તેમના બાળકુંવર. માટે તેનો તે સત્કાર કરે જઈએ.” થોડીવારે તેમણે જવાબ આપ્યો કે “મહારાજ! આપને લાત મારનારને સત્કાર કરે જોઈએ
આશય પ્રમાણે જવાબ મળવાથી રાજા ખુશ થયે અને તેણે તરૂણ સેવકોને આ જવાબને હવાલો આપીને કહ્યું કે “હવે તમે જ કહે કે મારે તરુણ નેકરોને નેકરીમાં રાખવા કે કેમ ?”
તરુણ સેવકો શું જવાબ આપે? તેમણે મનથી રાજાની તથા વૃદ્ધોની ઠરેલ બુદ્ધિની પ્રશંસા કરી.
મતિજ્ઞાનનો વિષય અહીં પૂરી થાય છે. હવે શ્રુતજ્ઞાનના ભે વિચારીએ.
શ્રુતજ્ઞાન કોને કહેવાય? તે અમે ગઈ કાલે જણાવ્યું છે. જે જ્ઞાન પુસ્તક વાંચીને, ગુરુને ઉપદેશ સાંભળીને કે શબ્દનાં નિમિત્તથી થાય તે શ્રુતજ્ઞાન કહેવાય છે. આપણું જ્ઞાનને બહુ મોટો ભાગ આ રીતે પ્રાપ્ત થાય છે, એટલે તેનું મહત્તવ ઘણું છે. શાસ્ત્રકારોએ ચાર જ્ઞાનને મૂંગા કહ્યા અને શ્રતને બેલતું કહ્યું, તે આજ કારણે. કેવળી ભગવંતે કેવળજ્ઞાનથી બધું જાણી શકે, પણ તેનું વ્યાખ્યાન તે શબ્દ દ્વારા જ કરે છે.
કૃતજ્ઞાનના ચૌદ ભેદો માનવામાં આવ્યા છે. તેને તમને સામાન્ય પરિચય કરાવી દઈએ આ ભેદ જાણવાથી તમને શ્રુતજ્ઞાનને લગતી પરિભાષા બરાબર સમજાઈ જશે.
વિવિધ પ્રકારની લિપિઓ એટલે અક્ષરો વડે જે જ્ઞાન