Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/001055/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ soe X [1] BY માઁ It in m દલસુખભાઇ માલવણિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જગમેાહનદાસ કાશ સ્મારક પુસ્તકમાનાર જૈનધર્મચિંતન લેખક દલસુખભાઈ માલવિયા સપાદક રતિલાલ દીપચંદ્ર દેસાઈ : પ્રાપ્તિસ્થાન :ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી રસ્તા : અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં પ્રાપ્તિસ્થાન : (૧) અશાક કાંતિલાલ કારા ૪૮, ગેાવાલિયા ટેંક રેડ, મુંબઈ-૨૬ (૨) મેધરાજ જૈન પુસ્તક ભંડાર ગાડીજી બિલિઁડંગ, પહેલે માળે ૨૦, પાયની, મુંબઈ-ર પહેલી આવૃત્તિ : આગસ્ટ ૧૯૬૫ મહાવીર નિર્વાણુ સંવત ૨૪૯૧ વિક્રમસંવત ૨૦૨૧ કિ`મત : દાઢ રૂપિયા પ્રકાશકઃ અશાક કાંતિલાલ કારા ૪૮, ગેાવાલિયા ટૈંક રોડ, મુંબઈ-૨૬ મુદ્રકઃ કાંતિલાલ મેાતીલાલ દેસાઈ ચંદ્રિકા પ્રિન્ટરી મિર્જાપુર રાડ, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્વરૂપ • પરમપૂજ્ય માતુશ્રીને સાદર –દલસુખ -- Page #5 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જગહનદાસ કેરા સ્મારક પુસ્તકમાળાનાં અન્ય પ્રકાશને ૧. ચાર તીર્થકર ' લેખક-પંડિત શ્રી સુખલાલજી ભગવાન ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીના જીવનને લગતા ચિંતનપૂર્ણ લેખને સંગ્રહ. દાઢ રૂપિયે ૨. ધૂપસુગંધ જુદા જુદા નામાંકિત લેખકોની રસપ્રદ અને સંસ્કારપેક ૧૮ વાર્તાઓને સંગ્રહ. દોઢ રૂપિયો ૩. પદ્મપરાગ લેખકઃ રતિલાલ દીપચંદ દેસાઈ ભ. મહાવીરના જીવનના ૨૧ પ્રેરક પ્રસંગે આલેખતી વાર્તાઓ તેમ જ બીજી ધર્મકથાઓનો સંગ્રહ. દોઢ રૂપિયે ૪. જૈનધર્મને પ્રાણુ લેખક-પંડિત શ્રી સુખલાલજી જૈનધર્મ, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિને સરળ ભાષા અને રોચક શૈલીમાં પરિચય કરાવતા લેખોનો સંગ્રહ. દોઢ રૂપિયે ૫. શ્રી “સુશીલની સંસ્કાર કથાઓ બાર વાર્તાઓને સંગ્રહ. દોઢ રૂપિયા ૬. તિલકમણિ લેખક શ્રી જયભિખ્ખ સેળ રસપૂર્ણ સંસ્કારકથાઓ દોઢ રૂપિયે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક ગમ્મત સાથે જ્ઞાન માટે કે કેવળ વિનોદ ખાતર પણ વાર્તાઓ વાંચવી જાબાલગોપાલ સૌને ગમે છે; એટલે એવું સાહિત્ય પ્રગટ કરવાનું વિશેષ મન થાય એ સ્વાભાવિક છે. પણ અત્યારનો સમય કંઈક સાંસ્કૃતિક સંકટ કે નૈતિક મૂલ્યોની અધોગતિનો કાળ હેય, એમ લાગે છે. એટલે માનવીને જીવન તરફ નજર કરવા, વિચારેને ઉન્નત બનાવવા અને પિતાની જાત કરતાં જનકલ્યાણની ભાવના તરફ વિશેષ ધ્યાન આપવા પ્રેરે એવું સાહિત્ય જનસમૂહને આપવામાં આવે તે બહુ જરૂરી છે. તેથી, આ સાંસ્કૃતિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ પુસ્તકમાળામાં, કથા-વાર્તાનાં પુસ્તકો ઉપરાંત, અવારનવાર ધર્મ-તત્ત્વજ્ઞાનને લગતાં સરળ અને રોચક પુસ્તકો પણ પ્રગટ કરવાનો ક્રમ પહેલેથી જ સ્વીકારવામાં આવ્યો છે. આ પુસ્તકમાળાનું પહેલું પુસ્તક પૂજ્ય પંડિતવર્ય શ્રી સુખલાલજીનું “ચાર તીર્થકર” આવું જ પુસ્તક હતું; એથું પુસ્તક પૂજ્ય પંડિતજીએ જ લખેલ “જૈનધર્મનો પ્રાણ” પણ એ જ કક્ષાનું પુસ્તક હતું. આ બન્ને પુસ્તકની પહેલી આવૃત્તિ શેડા વખતમાં જ ખલાસ થઈ ગઈ હતી, એ જ બતાવે છે કે આ પુસ્તકને કેવો સારો આવકાર મળ્યો હતો. અહીં એ વાત જણાવતાં આનંદ થાય છે કે પૂજ્ય પંડિતજીએ સ્થાપેલ જ્ઞાનોદય ટ્રસ્ટ તરફથી “જૈનધર્મનો પ્રાણ”ની બીજી આવૃત્તિ તાજેતરમાં પ્રગટ થઈ છે; અને ચાર તીર્થકર ”ની પણ બીજી આવૃત્તિ પ્રગટ થવાની છે. ધર્મ–તત્ત્વજ્ઞાનને લગતાં અમારાં પ્રકાશનોનો આવો સત્કાર થયેલો જોઈ એવાં પુસ્તકો પણ સમયે સમયે પ્રગટ કરવાનો અમારો ઉત્સાહ દ્વિગુણિત થાય એ સ્વાભાવિક છે. તેથી આ વર્ષે, આ - પુસ્તકમાળાના સાતમા પુસ્તક તરીકે, અમારા સહૃદય મિત્ર, સૌજન્ય Page #7 -------------------------------------------------------------------------- ________________ મૂતિ શ્રી દલસુખભાઈ માલવણિયાનું “જૈનધર્મચિંતન ” પુસ્તક પ્રગટ કરતાં અમને વિશેષ હર્ષ થાય છે. પિતાની વિપુલ લેખનસામગ્રીમાંથી આ લેખેની પસંદગી કરીને આવું, જૈનધર્મના વિશેષ અભ્યાસ માટે ઉપયોગી થઈ શકે એવું, પુસ્તક તૈયાર કરવાની ઉદારતાપૂર્વક અનુમતિ આપવા બદલ અમે શ્રી દલસુખભાઈનો હાર્દિક આભાર માનીએ છીએ. - આ પુસ્તકમાળાનાં બીજાં પુસ્તકોની જેમ આ પુસ્તકનું સંપાદન પણ અમારા મિત્ર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ કર્યું છે. પણ એમનો આભાર માનવાનો ઉપચાર કરવાની હવે જરૂર નથી. અમારી જેમ એમણે પણ આ કાર્યને પિતાનું જ માન્યું છે. - આ પુસ્તકને માટે અમારા વડીલ સમા, અને આ કાર્ય માટે પૂરેપૂરા અધિકારી એવા પૂજ્ય પંડિતવર્ય શ્રી સુખલાલજીની પ્રસ્તાવના અમે મેળવી શક્યા છીએ અને અમે અમારી મોટી ખુશનસીબી માનીએ છીએ. અમારા પ્રત્યે આવી લાગણી દાખવવા બદલ અમે પૂજ્ય પંડિતજીનો ઉપકાર તો કેમ કરી માની શકીએ? એ લાગણને, અમૂલ્ય મૂડીને જેમ, અમારા હૃદયમંદિરમાં સંઘરી રાખીએ એ જ બરાબર છે. આ પુસ્તકનું સુંદર મુદ્રણકામ સુપ્રસિદ્ધ ચંદ્રિકા પ્રિન્ટરીના સંચાલકેએ ઘણું જ ટૂંકા સમયમાં કરી આપ્યું છે. આ પુસ્તકની સુંદર કવર–ડિઝાઈન જાણીતા ચિત્રકાર શ્રીયુત રજનીભાઈ વ્યાસે એટલી જ ઝડપથી દોરી આપી છે. અને આ પુસ્તકને શણગાર સજાવવાનું કાર્ય શારદા મુદ્રણાલય તથા દીપક પ્રિન્ટરીએ કરી આપ્યું છે : આ બધા પ્રત્યે અમે અમારી ઊંડી કૃતજ્ઞતાની લાગણી પ્રદર્શિત કરીએ છીએ. સ્વાતંત્ર્યદિન, સને ૧૯૬૫, કારક ૪૮, ગોવાલયા ટેક રેડ, મુંબઈ–૨૬ 5 Page #8 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પ્રસાદી પ્રસ્તુત લેખસંગ્રહમાં શ્રીયુત દલસુખભાઈના અનેક લેખાને સંગ્રહ છે. એમાંથી કેટલાક મૂળ હિન્દીમાં લખાયેલા છે. પણ ગુજરાતી જાણનાર સમક્ષ આ લેખસંગ્રહ અનેક ભાતની જ્ઞાનસામગ્રીની પ્રસાદી રજૂ કરે છે. એનું હા` વાચકા પોતપેાતાની કક્ષા પ્રમાણે પકડી શકશે. આમાંના કેટલાક લેખા ઐતિહાસિક દષ્ટિને મુખ્ય રાખી લખાયેલા છે; જ્યારે ખીજા કેટલાક તત્ત્વદષ્ટિને પ્રધાન રાખી લખાચેલા છે. તેથી આ સંગ્રહની સામગ્રી ઇતિહાસરસિકે અને તત્ત્વજિજ્ઞાસુએ બન્નેને એકસરખી ઉપયાગી થઈ પડશે. ૫. શ્રી દલસુખભાઈ સાથેના મારે પરિચય છેક સને ૧૯૩૬થી આજ સુધી અખંડ રહ્યો છે. અને તે ઉત્તરાત્તર વધારે વ્યાપક અને ઊંડા થયેલા મને ભાસે છે. અમારા એ વચ્ચેતા સંબંધ માત્ર વિદ્યામૂલક શરૂ થયેલ, પણ ધીરે ધીરે એ સંબંધ જીવનના ખીજા પ્રદેશેા સુધી વિસ્તર્યું છે. આ દૃષ્ટિએ હું શ્રી દલસુખભાઈ વિષે કાંઈક લખું તે એમને ન જાણનાર અથવા એછું કે ઉપરછલ્લું જાણનારને લાભપ્રદ નીવડશે એમ ધારી ઢૂંકમાં એમનાં આંતર અને ખાદ્ય વલણા વિષે સૂચવવાનું યેાગ્ય લેખું છું. શ્રી દલસુખભાઈ નથી મેટ્રિક કે નથી કોઇ ઉચ્ચ કક્ષાની શાસ્ત્રીય પદવીના ધારક; પણ એમના વિદ્યાવ્યાસંગ એટલા બધા વિશાળ, ઊંડા અને વિવિધવિષયસ્પર્શી પહેલેથી આજ સુધી અખંડપણે ચાલતા મેં નિહાળ્યેા છે કે, એમ કહી શકાય કે, એને પરિણામે જ તે "અનેક ઉચ્ચ વિદ્યાસ્થાનેાને અલંકૃત કરતા આવ્યા છે. કાશી વિશ્વવિદ્યાલયમાં તે લગભગ ૨૫ વષઁ વિદ્યાની સાધના કરતા રહ્યા. તેઓ જૈન આગમ, જૈન દન અને બૌદ્ધ—પાલિ તથા સંસ્કૃત-થાના અધ્યાપક પણ રહ્યા; એટલું જ નહીં, તેમણે ત્યાં રહી અનેક મહત્ત્વ Page #9 -------------------------------------------------------------------------- ________________ . પૂણુ જૈન-બૌદ્ધ દાર્શનિક ગ્રંથાનું સંપાદન પણ કર્યું છે. તેને લીધે તેમની વિદ્યાકીતિ કલકત્તા અને બિહાર જેવા વિદ્વત્પ્રધાન પ્રદેશામાં અને વિશ્વવિદ્યાલયેામાં પણ વિસ્તરી છે. છેલ્લાં પાંચેક વર્ષ થયાં તે અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નામક સંસ્થાના મુખ્ય સંચાલક (ડિરેક્ટર) તરીકે નિયુક્ત છે, અને તેમની આસપાસ એ સંસ્થામાં વિદ્વાન અને સુવિદ્વાનનું એક નાનકડુ શું તેજોમ`ડળ પણ રચાયું છે. શ્રી દલસુખભાઈ જન્મે ઝાલાવાડના; ધમે સ્થાનકવાસી; પશુએમની જન્મસિદ્ધુ સરળતા અને તીક્ષ્ણ દૃષ્ટિએ એમને પંચાતીત અનાવ્યા છે. તેએ જેટલા પ્રમાણમાં જૈન સાહિત્ય આદિનું પરિશીલન કરતા રહ્યા છે, તેટલા જ પ્રમાણમાં બૌદ્ધ અને કેટલીક વૈદિક પર પરાનું પણ પરિશીલન કરતા આવ્યા છે. તેએ સ ંસ્કૃત, પાલિ, પાકૃત, ગુજરાતી, હિન્દી, બંગાળી અને મરાઠી આદિ ભારતીય ભાષાઓમાં લખાયેલ પ્રાચીન અને નવીન વાડ્મયનું સતત અવગાહન કરતા રહ્યા છે. એ વાઙમયમાં અનેક વિષયેા અને શાસ્ત્રોનો સમાવેશ થાય છે. અંગ્રેજીમાં પણ એમણે અપાર સાહિત્ય વાંચ્યું છે, અને હૂજી પણ તેમનો તે યજ્ઞ અખંડપણે ચાલે છે. આને લીધે મારા જેવાને જ્યારે જ્યારે શાસ્ત્રીય વિષયે કે રેફરન્સેસ વિષે જિજ્ઞાસા થાય ત્યારે ત્યારે શ્રી દલસુખભાઈનું વિશાળ વાચન અને તેમની સ્મૃતિ એક વિશ્વકાષની ગરજ સારે છે. વિદ્યાવ્યાસ ંગની તેમની તપસ્યા કેવી રીતે ચાલે છે, એ તે તેમના સીધા પરિચયમાં આવનાર જ ખરી રીતે જાણી શકે. હું મારા. તરફથી એટલું કહી શકું કે મારા ૧૯૩૫ પછીનાં લખાણે! અને સંપાદનામાં શ્રી દલસુખભાઈના ઉદાર હાથ રહેલા છે. શ્રી દલસુખભાઈની વિશેષતા વિદ્યાવ્યાસંગ કરતાંય ખીજી એક સંસ્કારગત પ્રકૃતિમાં છે. મે... આટલાં વર્ષોમાં જોયું છે કે તેઓને Page #10 -------------------------------------------------------------------------- ________________ કોઈ ગમે તે રીતે લલચાવે તાપણુ એવી લાલચથી કદીયે તે અન્યથા ભાણ્યુ કે અન્યથા વન નહીં કરે. જાણે કે તેમનામાં જન્મસિદ્ધ સરળતા છે. જે સરળતા અને અકૃત્રિમતા ધર્મના મૂળ પા ગણાય છે, અને જેને સાધવા અનેક લેાકેાને અનેક પ્રયત્નો કરવા પડે છે, તે વસ્તુ તેમનામાં મેં સાહજિક રીતે ક્રિયાશીલ હોય તેમ જોયું છે. અજાતશત્રુપણું એ એમનો ખીને ગુણુ છે. પણ એથીયે એમનું વિશેષ આકર્ષીક તત્ત્વ એ બીજાઓનુંકાઈ પણ રીતે કંઈક સારું અને ભલું થતું હોયતે। નિરપેક્ષપણે તે કરી આપવામાં છે. તેઓ જ્યાં જ્યાં રહ્યા છે, ત્યાં સત્ર એમની આને લીધે વિશેષ સુવાસ ફેલાયેલી છે; અને છતાં નિયતા એવી કે ગમે તેવા મેોટા મનાતા પુરુષા સમક્ષ પણ તેએ પેાતાને લાગતી સાચી વાત કહેતાં ખમાશે નહી. શ્રી દલસુખભાઇ વિષે થેાડુ લખવું હોય તાપણુ તે બહુ થઈ જાય એવી સ્થિતિ છે. એટલે વાચકા માટે આટલા પરિચય પૂરતા ગણાય. હવે લેખાના વિષયેા વિષે કંઈક નિર્દેશ કરવા જોઈએ. અનુક્રમ અને અતંત મથાળાં ઉપરથી લેખાનો સ્થૂળ પરિ ચય તે.થઈ જાય છે. પણ દરેક લેખના વિષયની ચર્ચાને યાગ્ય રીતે સમજવી હોય તે તે માટે વાચકે પેાતે જ ધીરજપૂર્વક એનું આકલન કરવું જોઇ એ. જ્યારે કાઈ લેખક કોઈ એક વાડા બહારની તટસ્થ દષ્ટિથી લખવા કે ખેાલવા પ્રયત્ન કરે છે, ત્યારે તેને અનેક મુશ્કેલીઓના સામનો કરવા પડે છે. વાચકામાં જે પંચગત સંસ્કારના હૈાય તેને કેટલુંક ન પણ સમજાય, અને સમજાય તેા કેટલુંક રુચે પણ નહીં. 'બીજા કેટલાક વાચકા વિશાળ દૃષ્ટિવાળા હાય તેા એમને એમ પણ લાગવાનો સંભવ ખરા કે આ બધું નિરૂપણ પથાની આસપાસ ચાલે છે. વળી, કેટલાક વગર અભ્યાસે પણુ, એવી ઉતાવળી પ્રકૃતિના હોય છે કે તેમને શાસ્ત્ર, ધર્મ, પંથ આદિની વાતા અને ચર્ચા અસામ Page #11 -------------------------------------------------------------------------- ________________ To યિક લાગે છે. પણ આ લખાણે બે દષ્ટિએ લખાયેલાં છેએક તે. જેઓ ખરા જિજ્ઞાસુ હોય, છતાં પંથ કે વાડાની સાંકડી ગલીથી બહાર ગયા હોય, તેમને તેમની જિજ્ઞાસા સંતોષાય અને તેમની દષ્ટિ વિશાળ અને એ દૃષ્ટિથી; બીજી દષ્ટિ એ છે કે જેઓ જિજ્ઞાસુ હોય, ઉદાર દષ્ટિથી વાંચવા-સમજવાની વૃત્તિવાળા હોય, પણ એક યા બીજે કારણે તેઓ ઈતિહાસ અને શાસ્ત્રીય વહેણોથી વિશેષ પરિચિત ન હોય તેમને એના આધારો પૂરા પાડવા અને તેનું અર્થઘટન પિતાને સમજાયું હોય તે રીતે તેમની સમક્ષ રજૂ કરવું. ઉપર સૂચવેંલ દૃષ્ટિએ જોતાં પ્રસ્તુત લેખસંગ્રહ જૈન કે જૈનેતર દરેકને વિશેષ માર્ગદર્શક અને જિજ્ઞાસાપ્રેરક થઈ પડશે, એમ મને નિઃશંક લાગે છે. તેથી શ્રી જગમોહનદાસ કેરા સ્મારક પુસ્તકમાળા દ્વારા આવા પુસ્તકનું પ્રકાશન થાય એ સમયસરનું છે. સરિતકુંજ, અમદાવાદ– ૧૫મી ઓગસ્ટ, ૧૯૬૫ ૨ ( સુખલાલ Page #12 -------------------------------------------------------------------------- ________________ - લેખકનું નિવેદન જૈનધર્મચિન્તનને નામે મારાં વ્યાખ્યાનો અને લેખોનો સંગ્રહ ચૂંટીને તૈયાર કરવાનું શ્રેય મારા પરમ મિત્ર શ્રી રતિભાઈ દીપચંદ દેસાઈને છે. તેમણે માત્ર લેખોની ચૂંટણું જ નથી કરી, પણ વાક્યરચના અને ભાવપ્રકટનની જે કચાશ હતી તે પ્રતિ પણ મારું ધ્યાન દોરીને તેને મઠાર્યા છે. વળી, જે કેટલાક લેખ હિન્દીમાં હતા તેનું ગુજરાતી ભાષાંતર પણ તેમણે જ કર્યું છે. અને છેવટે મુદ્રણની જવાબદારી પણ તેમણે જ ઉપાડીને આ બાબતમાં મારા ઉપર જરા પણ ભાર નાખે નથી. છતાં આભાર માનવાની હિંમત નથી; તેઓ એટલા બધા નિકટ છે કે આટલો નિર્દેશ જ બસ થશે. આમાંનાં ઘણુંખરાં લખાણ માટે શ્રી પરમાનંદભાઈ કાપડિયા અને તેમણે મુંબઈમાં યોજેલ પયુંષણ વ્યાખ્યાનમાળા નિમિત્ત છે. આથી આ પ્રસંગે, મને આગ્રહ કરી લખતો કરવા બદલ, તેમને આભાર માનવો જરૂરી છે. આમાંના ઘણાખરાં લખાણો “પ્રબુદ્ધ જીવન માં છપાયાં હતાં; તે માટે પણ તેના તંત્રી શ્રી પરમાનંદભાઈ ધન્યવાદને પાત્ર છે. આ સંગ્રહને તેના સંપાદકે “ચિંતન”નું ભારેખમ નામ આપ્યું છે, પણ જે આમાં “ચિંતન” જેવું કોઈને કંઈ દેખાય તો તેનું શ્રેય હું લેવા માગતો નથી. આ પ્રકારનું ચિંતન મને પૂ. પંડિત શ્રી સુખલાલજી પાસેથી વારસામાં મળ્યું છે, એટલે એને હું મારું તો કહી શકું તેમ નથી. અનેક વર્ષોના સતત સંપર્કને લઈને તેમના ચિંતનને જ મોટે ભાગે મેં મારા શબ્દોમાં મૂકી આપ્યું છે, અને ઘણી વાર એમ પણ બન્યું હશે કે ભાષા પણ અજાણતાં તેમની જ આવી ગઈ હોય. આ માટે તેમનો આભાર કયા શબ્દોમાં માનવ એ મને સૂઝતું નથી, પણ આ પ્રકારે ગુરુઋણ થોડું પણ ચૂકવી શકાય તો તે તેમને વિશેષ ગમે એમ માનું છું. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આ સંગ્રહની મર્યાદા એ છે કે તે જુદે જુદે પ્રસંગે અપાયેલાં વ્યાખ્યાના અને લેખાનો સંગ્રહ છે, એટલે આમાં પુનરુક્તિનો દોષ રહેવાનો જ. વળી, જૈનધર્મના આવશ્યક બધાં અગાનું નિરૂપણ આમાં મળવાનું નહિ. છતાં પણ જૈનધમ અને દન વિષે, અન્ય હિન્દુ અને બૌદ્ધધર્મની તુલનામાં, વાચકને નવું કાંઇક જાણવાનું મળશે એમ ધારી આ સગ્રહને પ્રકાશનને ચેાગ્ય લેખ્યા છે. આ પ્રસંગે મારા મિત્ર શ્રી કાંતિભાઈ કારાને! આભાર માનવા જરૂરી છે, કે તેમણે તેમના સ્વસ્થ ભાઈ શ્રી જગમાહનદાસ કારાની સ્મૃતિમાં શરૂ કરેલી ગ્રન્થમાળામાં આ નાનકડા સંગ્રહને સ્થાન આપ્યું અને છાપાંની ફાઈલામાં અન્યથા ખાવાઈ જાત એવા આ લેખાને આ રીતે ઉદ્ઘાર કરવાને અવસર આપ્યા. લેખા કક્યાંથી લેવામાં આવ્યા છે તેના નિર્દેશ દરેક લેખને અંતે કરવામાં આવ્યા જ છે. તેમાં જણાવેલ અન્ય પ્રકાશકેા-સંપાદકાને પણ આભાર માની લઉં છું. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર દલસુખ માલવિયા અમદાવાદ–૯ રક્ષાબંધન પર્વ, વિ. સં. ૨૦૨૧ વિદ્યાવિનાના અવસર જેમ ઉંમર વધે છે, તેમ નવું નવું જાણુવા-સમજવાની જિજ્ઞાસા વધતી હાય એવા કંઈક અનુભવ થાય છે; સામે પક્ષે શરીર મનના વેગ સાથે કદમ મિલાવવાની ના પાડે છે એ તે! જાણે સમજ્યા, પણ મન અને મગજ પણ થાકવા માંડયાં છે : આવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉપરાંત જીવનનિર્વાહ માટેની દોડધામ, વ્યવહારની સાચવણી માટેની પ્રવૃત્તિ અને ઇતર પ્રવૃત્તિઓની ભીડાભીડ સમય અને શક્તિની તાણમાં ઔર ઉમેરા કરે છે. લાગે છે કે આમાં સ્વસ્થ વાચન–મનન કે નિર્દોષ વિદ્યાવિનેદને હવે અવકાશ મળી રહ્યો ! પણ કયારેક, વિદ્યાભ્યાસ'ગની એાસરતી જતી . આશામાં, ગમે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તે રીતે સમય અને શક્તિ શોધીને પણ, માતા સરસ્વતીનું કામ કરવાનું આવી જ પડે છે ત્યારે, જાણે બળબળતા રણમાં મીઠી વીરડી સાંપડી હોય એવો આહલાદ થાય છે. આ પુસ્તકનું સંપાદન કરતાં મેં કંઈક આવો જ મધુર આલાદ અનુભવ્યું છે. સાચે જ, જીવનમાં વિદ્યાવિનોદ માણવાનો એક ધન્ય અવસર સાંપડી ગયે! મારા દિલોજાન દસ્ત પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાના અગાધ પાંડિત્યનો અને સરળતા, સચાઈ અને સુજનતાથી મઘમઘતા એમના વ્યક્તિત્વને વિચાર કરું છું ત્યારે સહેજે પ્રશ્ન થાય છે કે એમનું પાંડિત્ય ચડે કે એમનું વ્યક્તિત્વ ચડે ? સોના અને સુગંધના સુમેળ જેવો અદ્ભુત મેળ શ્રી દલસુખભાઈના જીવનમાં આવા વિરલ પાંડિત્યનો અને આવા ઉમદા વ્યક્તિત્વનો માતા કુદરતે સાધી આપ્યો છે. બીજાઓને માટે જે પ્રયત્નથી પણ સાધ્ય નથી થતું, તે દલસુખભાઈમાં આપમેળે આવી મળેલું જોઈને ખરેખર, અદેખાઈ ઊપજે છે! શ્રી દલસુખભાઈએ સત્યજિજ્ઞાસુની તાલાવેલીથી બધાંય ભારતીય દર્શન અને ધર્મોનો અભ્યાસ કર્યો છે અને એમાં જેટલે ઊંડે અને જેટલે દૂર જ પહોંચી શકાય એટલે પહોંચવાનો એમનો હમેશાં પ્રયાસ રહ્યો છે. આજે પણ એમનો આ પ્રયાસ વણથંભ્ય ચાલુ જ છે, એમ કહેવું જોઈએ. એમના આ પ્રયાસમાં પંડિત શ્રી વિધુશેખર શાસ્ત્રી, પૂજ્ય પંડિત શ્રી સુખલાલજી અને પૂજ્ય પંડિત શ્રી બેચરદાસજી જેવા ઋષિઓ સમા સારસ્વતોની લાંબા સમય સુધી આત્મીયતાભરી પ્રેરણું મળતી રહી : પરિણમે એમની વિદ્વત્તા સેળે કળાએ ખીલી ઊઠી. “ન્યાયતીર્થ” જેવી એકાદ સામાન્ય પદવી; એ સિવાય ન કઈ મોટી પરીક્ષા કે ન કોઈ મોટી પદવી; છતાં તેઓ આજે પી. એચડ.ના અભ્યાસીઓના ગુરુપદને પામ્યા છે, અને કાશી વિશ્વવિદ્યાલય જેવી વિદ્યાસંસ્થામાં ભારે યશ રળીને અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી ગુજરાતની એક માતબર અને ખૂબ આશાપ્રેરક સંશોધન–સંસ્થાના ડિરેક્ટર પદે, કોઈ પણ જાતના Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ** પ્રયત્ન વગર, પહોંચી શકયા છે, એ બીના અત્યારના કેવળ વધુ પડતા ડિગ્રીધેલા સમયમાં વિદ્યાના અથાઓને વિચાર કરવા પ્રેરે 'એવી, અને પ્રશાંત રીતે, નિષ્ઠાપૂર્વક વિદ્યાવ્યાસંગ કરનાર ઉપર માતા સરસ્વતીની કેવી અપાર કૃપા વરસે છે એ બતાવીને બીજાને સાચી વિદ્યા-ઉપાસના કરવાની પ્રેરણા આપે એવી છે. શ્રી દલસુખભાઈ ભારતીય બધાં દાતા અને ધમઁના અભ્યાસી વિદ્રાન હેાવા ઉપરાંત પશ્ચિમના અથવા પરદેશના તત્ત્વજ્ઞાનનું પણ તેમણે યથાશકય આકલન કર્યુ છે. એને લીધે એમની ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિ વધુ વિશદ બની છે. ઉપરાંત ઇતિહાસ અને તુલનાથી પર લેખાતી પ્રાચીન પરપરાનું પણ તેએ એ રીતે મહત્ત્વ કે મૂલ્યાંકન આંકવા ટેવાયેલા છે, અને છતાં એમની દૃષ્ટિ તે હમેશાં વ્યક્તિ અને સમાજ બન્નેને અભ્યુય સાધી શકે એવા સત્ય કે સારને તારવવાની જ રહે છે. કહેવું જોઇ એ કે સહૃદયતાપૂર્ણ, ગુણુશેાધક અને સત્યગ્રાહી વિદ્વત્તાનું જ આ સુપરિણામ છે. જૈન સંસ્કૃતિના તે તેએ વિશિષ્ટ, સિદ્ધહસ્ત અને મજ્ઞ અભ્યાસી છે. જૈનધર્માંના પ્રાણભૂત સમગ્ર આગમગ્રંથેનું અને જૈન દાનના પ્રાણુરૂપ બધા દાર્શનિક ગ્રંથાનું એમણે સમાનભાવે ઊંડુ અધ્યયન કર્યુ છે. આને લીધે જૈન આચાર અને એ આચારના પાયારૂપ જૈન તત્ત્વજ્ઞાનના તેએ એક અધિકૃત વિદ્વાન બની શક્યા છે. જૈનધર્મના એ પ્રાચીન સંપ્રદાયા શ્વેતાંબર અને દિગબર અને ઉત્તરકાલીન અથવા તે કંઈક અર્વાચીન કહી શકાય એવા એ ફિરકાએ સ્થાનકવાસી અને તેરાપથી, તેમ જ ખીજા અવાંતર ક્રિકા-એના તાત્ત્વિક ભેદ તેમ જ મુખ્યત્વે કરીને આચારભેદને પણ તે સારી રીતે જાણે છે. એ કહેવાની જરૂર નથી કે આને લીધે તે સમગ્ર જૈન સાહિત્યના પણુ પંડિત બન્યા છે. જૈન સંસ્કૃતિનું આવું સર્વ સ્પર્શી અધ્યયન એમણે ભારતીય દર્શીતા, ધર્માં અને સાહિમ્ના પ્રવાહાને નજરમાં રાખીને કર્યુ છે, તેને લઈને એમના નિરૂપણમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ વિશેષ સ્પષ્ટતા અને સચોટતા જોવા મળે છે. આ નાના સરખા સંગ્રહમાં આપવામાં આવેલ જૈનધર્મ અને દર્શનને લગતા થોડાક લેખો પણ આ વાતની સાખ પૂરી શકે એમ છે. આ સંગ્રહમાં શ્રી. દલસુખભાઈના ૧૪ લેખે આપવામાં આવ્યા છે; કો લેખ ક્યાંથી લેવામાં આવ્યો છે તેને સ્થળનિર્દેશ તે તે લેખને અંતે કરવામાં આવ્યો છે. આમાંના ૪ સિવાયના બધા લેખે મૂળે ગુજરાતીમાં જ છે; જે ચાર હિન્દી લેખોનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે, તેમાંના “ભગવાન મહાવીર ” નામક દસમા લેખનું ભાષાંતર અમારા મિત્ર શ્રી. શાંતિલાલ વનમાળી શેઠે કરેલું, છપાયેલું તૈયાર મળ્યું છે; બાકીના ત્રણનું ભાષાંતર મેં કર્યું છે. આ બધાં લખાણો તે તે સ્થાનેથી જેમ ને તેમ લઈ લેવામાં આવ્યાં છે, એવું નથી. એ બધાં ઝીણવટથી વાંચીને અને શ્રી દલસુખભાઈની સલાહ-સૂચનાઓને લાભ લઈને, એમાંથી કેટલીક આનુષંગિક કે પ્રાસંગિક બાબતો ગાળી નાખવામાં આવી છે, અને અર્થની સુગમતાની દષ્ટિએ ક્યાંક ક્યાંક મૂળ લખાણમાં ફેરફાર પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, દરેક લેખમાં બને એટલાં વધુ પેટા મથાળાં આપીને વિષયનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. [ આ લેખોની એક વિશેષતા તરફ ધ્યાન દોરવું જરૂરી લાગે છે? આ બધાય લેખો જૈનધર્મ કે તત્ત્વજ્ઞાનને લગતા જ છે. આમ છતાં મોટા ભાગના લેખમાં તે તે વિષયનું નિરૂપણ કેવળ જૈન સંસ્કૃતિને લગતી સામગ્રીને આધારે એકાંગી કરવામાં નથી આવ્યું, પણ હિંદુ અને બૌદ્ધ દર્શન, ધર્મ અને સંસ્કૃતિના પ્રવાહોને નજરમાં રાખીને વ્યાપક રીતે કરવામાં આવ્યું છે. આને લીધે આ લખાણ વિશેષ વિશદ, વાચનક્ષમ, વિચારપ્રેરક અને માહિતી પૂર્ણ બન્યાં છે. આ લખાણમાં પુનરુક્તિ હોવાનું તો શ્રી દલસુખભાઈએ પોતે જ કહ્યું છે. પણ જૈનધર્મ-દર્શન-સંસ્કૃતિ જેવા વ્યાપક વિષયનાં જુદાં જુદાં અંગોને અનુલક્ષીને જુદે જુદે સમયે લખાયેલ લખાણોમાં પુનરુક્તિ આવી જાય. Page #17 -------------------------------------------------------------------------- ________________ અવળી, આ શકે અને એ સ્વાભાવિક છે. એને દૂર કરવા જતાં વિષયનિરૂપણની અખવિવા ખંડિત થઈ જાય એમ હોવાથી એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. વળી, આવા નાના સરખા સંગ્રહમાં જૈનધર્મ—દર્શન અંગે બધું જ્ઞાતવ્ય રજૂ થઈ ન શકે, એ પણ સમજી શકાય એવી વાત છે. આ લેખો વાંચતાં જુદાં જુદાં દર્શન અને ધર્મોને પોતામાં સમાવતી વ્યાપક ભારતીય સંસ્કૃતિની અખંડતાનું અને જુદા જુદા સંસ્કૃતિપ્રવાહો, પોતપોતાની જુદાઈને જાળવવા છતાં, એકબીજા ઉપર કે પ્રભાવ પાડતા રહ્યા છે, તેમ જ એકબીજાથી કેવા પ્રભાવિત થતા રહ્યા છે એનું એક આલાદક ચિત્ર હૃદય સામે ખડું થાય છે. ક્યારેક ક્યારેક વળી કઈ સાંસ્કૃતિક ખામી તરફ પણ દૃષ્ટિ પહોંચી જાય છે. આમાંથી જૈન દર્શન, ધર્મ અને સંસ્કૃતિ અંગે ઘણું ઘણું જાણવાનું મળશે, એ જિજ્ઞાસુઓ અને સત્યપ્રેમીઓને માટે વિશેષ લાભ ની વાત છે. આમાં કેટલીક બાબતો સાવ નવી જાણવા મળતી હોય એવી લાગશે કેટલીક આપણી જૂની જાણકારીનું પરિમાર્જન કરતી હોય એવી લાગશે; અને કોઈ કઈ બાબત તે વળી દઢ થઈ ગયેલી માન્યતાને આધાત કે આંચકો આપનારી પણ લાગશે. જે સત્યના ખપી થવું હોય અને અજ્ઞાન, અંધશ્રદ્ધા અને અહંકારના દૂષણથી મુક્તિ મેળવવી હોય, તે આવી પ્રક્રિયામાંથી પસાર થયા વગર તેમ જ સત્યશોધકની નિર્મળ દૃષ્ટિએ અભ્યાસ કર્યા વગર ન જ ચાલે. આ દષ્ટિએ જૈનધર્મ અને દર્શનનું વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે આ પુસ્તક એક પાઠ્યપુસ્તકની ગરજ સારે એવું છે. આથી વિશેષ તો આ લેખો પિતે જ પિતાને વિષે કહે એ જ બરાબર છે. મારા મિત્ર ભાઈશ્રી કાંતિભાઈ કોરાએ આ કામ મને સોંપીને અલ્પસ્વલ્પ પણ વિદ્યાવિદ માણવાની જે તક આપી છે તેની સાનંદ નોંધ લઈને આ સ્થન પૂરું કરું છું. માદલપુર, અમદાવાદ-૬ રાષ્ટ્રીય મહાપર્વ ૧૫મી ઑગસ્ટ : રતિલાલ દીપચંદ દેસાઈ સને ૧૯૬૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧. જૈનધર્મ ૩-૩૪ (૧) શ્રમણ અને બ્રાહ્મણ: ઈંદ્રને વિજય–૩; બે. સંસ્કૃતિના સમન્વય અને તેને સમય–૫શ્રમના સંપ્રદાયો-૭; બે વચ્ચેનો ભેદ-૮; ભેદની ગૌણુતા–૯; નિકાભેદનું કારણુ-૧૨; (૨) જૈનધર્મને ઇતિહાસ: અનાદિ અને શાશ્વત–૧૪; ઐતિહાસિક પુરાવ-૧૫; (૩) તત્ત્વજ્ઞાન : ઈશ્વરવાદને સ્થાને કર્મવાદ૧૮; જીવોના પ્રકાર અને સાધનાનો માર્ગ–૧૯; જૈન સાધનાની વિશેષતા-૨૦; તીર્થંકર-૨૩; જીવ, કર્મ, નિયતિ અને પુરુષાર્થ—. ૨૩; ચેતન જડ સર્વ વસ્તુઓનું અનેકાંતાત્મક રૂ૫–૨૫; આત્માનું શરીરપરિમાણ7-૨૭; ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ ૨૮; અજીવતત્ત્વ–૨૯; (૪) જનસંઘ અને એને આચાર : આંતરિક અને બાહ્ય બળનું પરિણુમ-૩૧; હિંદુ અને બૌદ્ધધર્મની. પરિવર્તનશીલતા-૩૨; જૈનધર્મની સ્થિતિશીલતા-૩૨. ૨. જૈન દર્શનનાં તત્વે ૩૫-૪૦ તીર્થકરેએ ઉધેલી માનવની શ્રેષ્ઠતા-૩૫; અહિંસા. અને અનેકાંત–૩૬; છ દ્રવ્ય-૩૮; સાત કે નવ તસવ-૩૯. ૩. જૈન સંસ્કૃતિને સંદેશ ૪૧-૪૯ ધર્મ અને શાસ્ત્ર–૪૧; અધ્યાત્મવાદીઓ, જૈન સમાજ અને તીર્થકરો-૪૨; આત્મજ્ઞાન અને અપ્રમાદ ઉપર ભાર–૪૩; અહં અને મમત્વના ત્યાગનો ભગવાન બુદ્ધનો ઉપદેશ–૪૫; જાતિનો. • નહીં પણ તપસ્યાનો મહિમા-૪૬; આત્મદમન : સુખનો સાચો. માર્ગ–૪૬; કષ્ટસહનની જરૂર–૪૮; અપરિગ્રહની જરૂર–૪૯. ૪. શાસ્ત્રજ્ઞાઓને હેતુ , જેન આચારના મૂળ સિદ્ધાંતો - પરે-૬૬ વૈદિક આચારના સ્ત્રોત-પર; બૌદ્ધ આચારનો સ્ત્રોત-પ૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન આચાર દર્શન અને આચાર–પ૬; જેન આચારનું અને કાંતમૂલક ઘડતર–૫૮; આજ્ઞાએ ધર્મ તર્ક અને આચાર-૫૮; જેન આચારના સ્ત્રોતો-૬૦; જૈન આચારના મૌલિક સિદ્ધાંતઃ જ્ઞાન અને ક્રિયા-૬૨; આત્મૌપજ્યદૃષ્ટિ-૬૩; અપ્રમાદ–૬૪; નિવૃત્તિનું પ્રાધાન્ય–૬૪. ૬. દક્ષિણ ભારત અને જૈનધર્મ ૬૭–૭૧ - બિહારની સ્થિતિ–૬૭; ઉત્તરથી પશ્ચિમ અને દક્ષિણ તરફ ફેલાવો-૬૭; પશ્ચિમમાં શ્વેતાંબરનું અને દક્ષિણમાં દિગંબરનું પ્રાધાન્ય–૬૮; આગમરક્ષા પશ્ચિમમાં; દાર્શનિક સાહિત્યનું સર્જન - દક્ષિણમાં–૬૮; પશ્ચિમ અને દક્ષિણનાં જૈન સ્મારકે, દક્ષિણની વિશેષતા-૬૯; પશ્ચિમમાં અને દક્ષિણમાં જૈનોના પ્રભાવની સ્થિતિ –૭૦; દક્ષિણની લેકભાષાના વિકાસમાં જૈનોનો ફાળો-૭૦; દક્ષિણના જૈનોને પંચમવર્ણ જાહેર કર્યા–૭૦; વેતાંબર અને દિગંબરો સાથે કામ કરે–૭૧. ૭. હિંદુધર્મ અને જેનધર્મ ૭૨–૧૦૧ હિંદુધમને વ્યાપક અર્થ–૭૨; વ્યાપક હિંદુધર્મનાં સામાન્ય લક્ષણ-૭૩; ધર્મનું સનાતન સત્ય–૭૪; ઐતિહાસિક અને સાધક –૭૬ પ્રસ્તુત ચર્ચાની મર્યાદા-૭૭; ઇતિહાસની દષ્ટિએ હિંદુધર્મનાં પાંચ રૂપ-૭૭; (૧) વૈદિક ધર્મ–૭૮; (૨) બ્રાહ્મણધર્મ–૭૮; (૩) સંક્રાંતિકાળ-૮૦; (૪) સમન્વયની સાધનાને કાળ-૮૧; સમન્વય –૮૨; ગીતાના આધારે ઘડાયેલ હિંદુધર્મનાં લક્ષણે ? (૧) કૃષ્ણભક્તિ અને વિભૂતિમત તત્ત્વ-૮૨; (૨) જગતની ઈશ્વરભયતા-૮૩; ભક્તિમાર્ગની પ્રતિષ્ઠા-૮૩; (૪) લોકસંગ્રહ-૮૪; જૈનધર્મ–૮૫; અહિંસા અને સંન્યાસ-૮૬; વણું કે સ્ત્રીપુરુષની ભેદના મહત્વને અસ્વીકાર-૮૭; અનેકાંતવાદી દર્શન–૮૭; જૈન સાહિત્યઃ વેદ અને આગમો વચ્ચેનો ભેદ–૮૮; પ્રવર્તક મહાપુરુષો -૯૦; અહિંસામૂલક જૈન આચાર–૯૨; જૈન વિચાર–અનેકાંત હિરા બાતને સતતહાસની પા, Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વાદ-૯૪; સંપ્રદાયો-૯૭તાંબર અને દિગંબર-૯૭; મૂર્તિપૂજાના વિરોધી સંપ્રદાય–૧૦૦. ૮. જૈનધર્મ અને બૌદ્ધધર્મ ૧૦૨–૧૧૫ શ્રમણ પરંપરાનાં સામાન્ય લક્ષણ–૧૦; તીર્થકર અને બુદ્ધ-૧૦૩; મહાવીરનો ધર્મ-પરંપરા પ્રાપ્ત–૧૯૫; બુદ્ધને ધર્મ - અપૂર્વ–૧૦૬; જૈન અને બૌદ્ધધમને પ્રચાર; તેનાં બાહ્ય કારણે . -૧૦૭; પ્રચારનાં આંતરિક કારણો-૧૦૮; જૈન અને બૌદ્ધધર્મમાં બાહ્યાચારનું ઘડતર-૧૦૯; આચરણ અને પ્રચારને સંબંધ-૧૧૧; બુદ્ધ-મહાવીરની પૃથફ સાધના અને તેનું પરિણામ–૧૧૨. ' ૯. ભક્તિમાર્ગ અને જૈનદર્શન ૧૧૬–૧૩૨ • જૈન સાધનાના સિદ્ધાંત : (૧) કેઈ કોઈનો નાથ નહીં– ૧૧૭; (ર) પિતાનાં કર્મને નાશ પોતે જ કરવો જોઈએ—૧૧૭; (૩) મુક્ત જીવોમાં વૈષમ્ય નહીં–૧૧૮; (૪) સિદ્ધો કેઈનું ભલું– ભૂંડું કરતા નાથ-૧૨૮; (૫) ભક્તિ એ પણ એક સાધન છે– ૧૧૯; ભક્તિમાર્ગના મૌલિક સિદ્ધાંત : (૧) ભગવાન સર્વ જીવોના નાથ-૧૧૯; (૨) ઈશ્વરકૃપાથી સર્વસિદ્ધિ-૧૨૨; (૩) મુક્તિમાં પણ વૈષમ્ય મેજૂદ રહે છે-૧૧૬; (૪) ભગવાન જ - જીવનું શરણ છે–૧૨૬; (૫) ભક્તિ એ સાધ્ય છે-૧૨૭; જૈન દષ્ટિએ ભક્તિનું રહસ્ય-૧૩૦. ૧૦. ભગવાન મહાવીર ૧૩૩-૧પ૦ શ્રમણ સંસ્કૃતિ અને ઈશ્વર–૧૩૩; અવતારવાદનો નિષેધ– ૧૩૩; પરિસ્થિતિ–૧૩૪; ધર્મક્રાંતિ–૧૩૫; સંક્ષિપ્ત ચરિત્ર–૧૩૬; તપશ્ચર્યાનું રહસ્ય-૧૩૭; સંયમમાગ–૧૩૮; ભગવાનની સાધના૧૩૯; ઉપદેશ–૧૪૧; સમભાવનો ઉપદેશ–૧૪૨; જૈન સંધ–૧૪૩; ચરિત્રની વિશેષતા-૧૪૪; કર્મવાદ-૧૪૪; જીવ જ ઈશ્વર છે–૧૪૬; ખરે બ્રાહ્મણ–૧૪૫; ખરે યજ્ઞ–૧૪૬; શૌચ–૧૪૬; સુખની નવી કલ્પના-૧૪૭; વૈશ્ય ધમ–૧૪૮; ૮ ધર્મ–૧૪૮; ક્ષત્રિય ધર્મ– . Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૧૪૮; અહિંસક માર્ગ–૧૪૯. ૧૧. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર ૧૫ર્ક જીવનસ્થાના ત્રણ સ્તરે : પ્રથમ સ્તર–૧૫૧; બીજે સ્તર-૧૫૩; ત્રીજે સ્તર–૧૫૫; બન્નેની સમાનતા : (૧) વૈદિક પરંપરાને વિધ–૧૫૬; (૨) બનેના ઉપદેશનું સામ્યઃ (૧) કર્મ-પુનર્જન્મ-૧૫૭; (૨) ઈશ્વરનું નિરાકરણ–૧૫૮; (૪) યોગમાર્ગ–૧૫૮; (૪) સંયમી જીવન–૧૫૮; (૫) તૃષ્ણ અને અજ્ઞાનનો ત્યાગ-૧૫૯; (૬) તપસ્યા-૧૬ ૦; બન્નેની વિશેષતા : (૧) સ્વભાવગત–૧૬૩. (૨) ધર્મગત અને સંધગત–૧૬૬. ૧૨. અનેકાંતવાદ (૧)-જીવન અને વિચાર માટે અનિવાર્ય : સત્યદર્શન માટે અનેકાંતવાદની જરૂર–૧૬૮; ધાર્મિક અસહિષ્ણુતા-૧૭૦; જૈનધર્મની પ્રગતિશીલતા-૧૬૨; (૨) અનેકાંતવાદનું મૂળ અહિંસા: વિચારસંપત્તિનું મૂલ્ય–૧૭૩; સમન્વયની સંજીવની૧૭૫; (૩) અનેકાંત દષ્ટિએ વિવિધ મતનો સમન્વય–૧૭૭; દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય–૧૭૮; વ્યવહારનય–૧૭૮; સંગ્રહનય–૧૮૧; ઋજુસૂત્રનય–૧૮૨; નેગમનય–૧૮૩; અર્થનય અને શબ્દનય-૧૮૪; (૩) આક્ષેપપરિહાર: સંશયાદિ દોષનો પરિહાર૧૮૬; વેદમાં દેવસમન્વય-૧૮૬; બ્રહ્મમાંસમન્વય–૧૮૭; નિર્વિકલ્પ અને સવિક૫–૧૮૮; શ્રી અરવિંદનો સમન્વય–૧૯૦; બૌદ્ધ વગેરે માં અનેકાંતવાદ–૧૯૦. ૧૩. ધર્મની કસોટી ૧૯૨–૧૯૪ કષ-૧૯૨, છેદ-૧૯૨; તાપ-૧૯૨: નિશ્ચય અને વ્યવહારની સમતુલા–૧૯8. ૧૪. અમાવીને અવ–આત્મદીપ અને ૧૯૪–૧૯૬ " મૂચ્છા–મેહને ત્યાગ–૧૯૪; આપણે જ આપણું ઉદ્ધારૂક૧૯૬; આત્મદીપ બનીએ-૧૯૬. Page #22 -------------------------------------------------------------------------- ________________ Page #23 -------------------------------------------------------------------------- ________________ 10 in Education International Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાઈ જગમોહનદાસ કયારેક ઉંમરનાં વર્ષો ગણાય છે, અને નવાવર્ષપ્રવેશ નિમિતે વર્ષગાંઠ ઊજવીને હર્ષ વ્યક્ત કરાય છે, હાર્દિક અભિનંદને અપાય છે; તો ક્યારેક સ્વર્ગવાસનાં વર્ષોની મજલ આગળ વધે છે, અને એ નિમિત્તે સ્મરણુંજલિ કે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. અમારે માટે આ એક અંતરની શ્રદ્ધાંજલિ અર્પવાનો પ્રસંગ છે. કાળ તે નું નાની-મેટી કે કાચી-પાકી ઉમરનો ભેદ કરે છે કે ન જીવનકાર્ય પૂરું થયું કે અધૂરું રહ્યું એની રાહ જુએ છે. એની ગતિ તો સાવ ન્યારી, નિરાળી અને અકળ છે. એમાં જે કામ કરી જાય છે, તે કુતાર્થ બની જાય છે–ભલે પછી ઉંમર એની નાની હોય કે મોટી ભાઈ જગમોહનદાસ, સેવા અને કર્તવ્યપાલનમાં પિતાનાં સમય અને શક્તિનો પૂરો સદુપયોગ કરીને, આ રીતે જ નાની ઉંમરમાં પણ પિતાની કાતિની સુવાસ મૂક્તા ગયા ! * * અમે ચાર ભાઈ અને ચાર બહેનો. ચારે ભાઈઓમાં જેગમેહનદાસ સૌથી નાના પણ અભ્યાસમાં, તેજસ્વિતામાં, ઉત્સાહમાં કર્તવ્યપરાયણતામાં અને લોકપ્રિયતામાં અમારા સૌથી ચડિયાતા ! કે અમારું મૂળ વતન ખેડા, પણ વર્ષોથી અમારું કુટુંબ બહારગામ રહે છે. અમારા પૂજ્ય પિતાશ્રી એન્જિનિયર હતા; અને એમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ગંડળ અને જામનગર હતું. અને અમારા પૂજ્ય કાકા શ્રી છોટુભાઈ કેરા તે એક નિષ્ઠાવાન રાષ્ટ્રસેવક હતા. એમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે મુંબઈ એટલે મુંબઈમાં તો એમના નામની ખૂબ સુવાસ ફેલાયેલી છે. એમના સ્મરણ નિમણે મુંબઈમાં–બેરીવલીમાં પાલતું “કેરા કેન્દ્ર જાણીતું છે. . પિતાશ્રી અને કાકાશ્રીના ઉચ્ચ અભ્યાસ અને સંસ્કારના વારસાના બળે અમે બધાંય ભાઈબહેનો કોલેજની કેળવણુ સુધી પહોંચી Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શક્યાં છીએ. અમારા પિતાશ્રી તે અમારી નાની વયે જ સ્વર્ગવાશી થયા હતા. એટલે અમારા શિક્ષણ અને સંસ્કારની બધી જવાબદારી અમારાં પૂજ્ય ભાતુશ્રીએ અને અમારા પૂજ્ય કક્ષાએ સ્વીકારી લીધી હતી. અમે બધાંય ભાઈભાંડુ એ બન્ને પૂનાં જીવનભર ઋણી છીએ. . : ભાઈ જગમોહનદાસનો જન્મ સૌરાષ્ટ્રમાં જામનગરમાં તા. ૨૪-૧૨-૧૯૨૧ ના રોજ થયો હતો. એમણે મેટ્રિક સુધીનો અભ્યાસ ખેડામાં કર્યો હતો. ત્યાર પછી તેઓએ વિલ્સન કૉલેજમાં અભ્યાસ કરીને મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની અને તે પછી સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાં જોડાઈને એમ. એ. ની ડિગ્રી મેળવી હતી. અને તે ઉપરાંત પોદાર કોલેજ ઓફ કૅમમાં અભ્યાસ કરીને એમણે બી. કેમ.ની પરીક્ષા પણ પસાર કરી હતી. આ રીતે ઉચ્ચ અભ્યાસ દ્વારા એક નિપુણુ અર્થશાસ્ત્રી અને કાબેલ સંચાલક તરીકેની યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ ભાઈ જગમોહનદાસે શરૂઆતમાં મુંબઈની બે વ્યાપારી પેઢીઓમાં સફળતાપૂર્વક કામ કરી બતાવ્યું. આથી એક બાજુ પોતાની સંચાલનશક્તિમાં એમને આત્મવિશ્વાસ આવી ગયે; અને બીજી બાજુ જેમને એમની સાથે. કામ પડયું કે એમને થોડો પણ પરિચય કરવાનો અવસર મળે, એમને એમની વિશિષ્ટ સંચાલનશક્તિની તેમ જ બેયનિષ્ઠા અને કોઈ પણ કામને પહોંચી વળવાની કાબેલિયતની પ્રતીતિ થઈ એમની શક્તિ, નિષ્ઠા અને કાબેલિયત એમને વધારે માન અને જવાબદારીભર્યા સ્થાન તરફ ખેંચી ગઈ. ૩૨ વર્ષ જેટલી યુવાન ઉંમરે તેઓ રાજસ્થાનમાંની ખાણમાંથી પથ્થર કાઢવાનો ઉદ્યોગ ચલાવતી એસોસીએટેડ સ્ટોન (ડેટા) ઇન્ડસ્ટ્રીઝ લિ. કંપનીના મેનેજર અને સેક્રેટરી તરીકેના બેવડી જવાબદારીવાળા પદે નિમાયા. . " આ નવા અને બેવડી જવાબદારીવાળા સ્થાને તો જાણે ભાઈ જગમોહનદાસની શક્તિ અને સહૃદયતા બેવડી રીતે ઝળકી ઊઠી. એક Page #26 -------------------------------------------------------------------------- ________________ બાજુ એમણે પિતાની કાર્યદક્ષતા અને કુશાગ્ર બુદ્ધિ તેમ જ અટપટા પ્રશ્નોમાં પણ ઝડપી નિર્ણય લેવાની શક્તિને લીધે કંપનીના ડાયરે કટરોનાં મન જીતી લીધાં; તો બીજી બાજુ મિલનસાર સ્વભાવ હદયની મીઠાશ તથા સરળતા, વ્યવહારકુશળતા અને માનવતાના સદ્ગણોથી પિતાની કંપનીમાં કામ કરતા મજૂરોનાં દિલ વશ કરી લીધાં. માલિક અને મજૂર બન્નેને રાજી કરીને બન્નેનાં દિલ જીતી લેવાનું કામ કોઈ કાબેલ સંચાલક માટે પણ ભારે મુશ્કેલ હોય છે. ભાઈ જગમોહનદાસે પોતાના વિશિષ્ટ વ્યક્તિત્વથી એ મુશ્કેલ કામને આસાન કરી બતાવ્યું હતું : એ એમની ચિરસ્મરણીય વિશેષતા છે. અને આટલું જ શા માટે ? જે પ્રદેશને એમણે પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું એ રામગંજમંડીની સામાન્ય જનતામાં પણ તેઓ પાણીમાં સાકરની જેમ ભળી ગયા હતા; અને અવસર મળતાં એની પિતાથી બનતી સેવા કરવાનું કદી ચૂકતા ન હતા. તેથી તેઓ એ પ્રદેશની જનતામાં પણ એટલા જ લોકપ્રિય અને આદરપાત્ર બની શક્યા હતા. પણ એક દિવસ અમારું ભાગ્ય રૂઠી ગયું : વિ. સં. ૨૦૧૪ના ચૈત્ર વદી ૧૩, બુધવાર, તા. ૧૬-૪૧૯૫૮ના રોજ તેઓ કંપનીને કામે મોટરમાં ભોપાલ તરફ જતા હતા, ત્યારે વચમાં એમની મોટરને ભયંકર અકસ્માત થયો અને તેઓ સ્વજને, સ્નેહીઓ, મિત્રો અને પ્રશંસકોને વિલાપ કરતાં મૂકીને સદાને માટે વિદાય થઈ ગયા ! આવા અનેક શક્તિઓના પુંજ સમા, કેવળ કુટુંબની જ નહીં પણ જે જે કાર્યક્ષેત્રમાં એમણે પ્રવેશ કર્યો એ કાર્યક્ષેત્રની પણ આશા સમા, અનેક ઉમંગોથી ભરેલા ભાઈનો ૩૬ વર્ષની ભરયુવાન વયે અકાળ સ્વર્ગવાસ એ અમારા કુટુંબને માટે વજપાત કે હોનારત જેવી કારમી ઘટના હતી ! ભાઈ જગમેહનદાસની ખોટ અમારા કુટુંબને માટે તો કદી ન પૂરી શકાય એવી મોટી છે; પણ એમણે સહૃદયતા અને માનવ Page #27 -------------------------------------------------------------------------- ________________ તાની ભાવનાથી પ્રેરાઈને સામાન્ય જનતાની જે કાંઈ થોડી-ઘણી સેવા બજાવી હતી, એને લીધે એમની ખોટ એક સામાજિક બોટ પણું બની ગઈ છે ! " એમને અંજલિ આપવાને રામગંજમંડીના નાગરિકોએ શોક સભા ભરી હતી, અને પોતાના આવા એક હિતચિંતકને કેવળ શબ્દોથી અંજલિ આપીને સંતોષ નહીં માનતાં એમના સ્મરણું નિમિત્તે સારી એવી રકમ ભેગી કરીને, શ્રી. કેરા બાલમંદિરની સ્થાપના કરી છે. આમાં વધારે નોંધપાત્ર બીના તો એ છે કે આ કાર્યની શુભ શરૂઆત કંપનીના મજૂરોએ પિતાની આવકના દસ ટકા એ ફાળામાં આપીને કરી હતી. પ્રભુને પ્યારાં એવાં નાનાં બાળકોની કેળવણીની આ સંસ્થા ભાઈ જગમોહનદાસે પ્રાપ્ત કરેલ સદ્ભાવ અને લેહચાહનાનું સ્મારક બની રહેશે. આ દુઃખદ ઘટના અમારા માટે પ્રેરક બની; અને બંધુશ્મરણથી કેવળ હંમેશાં દુઃખી થવાને બદલે એમના સ્મરણ નિમિત્તે શ્રી જગમેહનદાસ કોરા સ્મારક પુસ્તકમાળાને આ નાનું સરખો સ્મૃતિદીપ પ્રગટાવવાની અમારા અંતરમાં ભાવના જાગી. સ્વર્ગવાસી બંધુનો આ સ્મૃતિદીપ અમને વધુ ને વધુ સત્કાર્યનો પ્રેરક બનો એ જ અભ્યર્થના ! કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ચિંતન Page #29 -------------------------------------------------------------------------- ________________ ! Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ જૈનધર્મીનાં એ રૂપ છે : એક આન્તરિક, નૈૠયિક ·કે વાસ્તવિક અને,ખીજું વ્યાવહારિક, ખાદ્ય કે અવાસ્તવિક. જૈનધમ વિષે વિચાર કરવા હોય ત્યારે આ બન્ને રૂપે! વિષે વિચાર કરવેા પ્રાપ્ત થાય છે. વળી, ભારતીય ધર્માંની એ વિશેષતા છે કે પ્રત્યેક ધર્માંનું એક પાતી દન પણ હોય છે. ધમ' એ આચરણની વસ્તુ છે, પણ એ આચરણુના મૂળમાં જે કેટલીક નિકાએ છે, એને આપણે દર્શન કહીશું. એટલે જૈનધર્મના વિચાર સાથે દનવિચાર પણ આતપ્રાત રહેવાના જ. (૧) શ્રમણ અને બ્રાહ્મણ ઇંદ્રના વિજય જૈનધમ એ જિનેતા ધમ છે, એટલે કે વિજેતાઓને ધમ છે. પ્રાચીન કાળમાં ઇન્દ્ર જેવા દેવાને વિજેતા માનીને તેમની ઉપાસના કરવામાં આવતી. પણ આ જિનવિજેતાઓ અને વિજેતા ઇન્દ્રમાં ઘણા ભેદ છે. ઇન્દ્રે પેાતાના સમયમાં જે કાઈ વિરાધીઓ હતા તે સના નાશ કર્યાં અને મહાન વિજેતાપદને તે પામ્યા, અને આર્યાંના સરદાર અને ઉપાસ્ય બન્યા. આ તેને બાહ્ય વિજય હતાભૂતવિજય હતેા. વિજયને પ્રતાપે તેણે જે પ્રાપ્ત કર્યુ તે ભૌતિક સંપત્તિ હતી. એમાં જ એ મસ્ત હતા અને તેનું ગૌરવ પણ તેમાં જ હતું. આ કાંઈ નવી વાત ન હતી. તે જ રીતે મનુષ્ય અનાદિ કાળથી Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ચિતના શક્તિપૂજક હતા. પણ જ્યારે એક પ્રજા ઉપર બીજી પ્રજાએ વિજય મેળવ્યેા, ત્યારે એ મહાન વિજયના વિજેતા ઇન્દ્રે એક વિશિષ્ટ પ્રકારે મહત્ત્વ પ્રાપ્ત કર્યું, અને એને લીધે ભારતવમાં જે સંસ્કૃતિને વિકાસ થયા, તેને આપણે યજ્ઞસંસ્કૃતિ તરીકે એળખીએ છીએ. એ સંસ્કૃતિના વિકાસમાં મૂળે તે ક્ષાત્રતેજ અથવા શારીરિક બળ હતું.. પણ બુદ્ધિબળે એના ઉપર વિજય મેળવ્યો ત્યારે તે ક્ષત્રિય સસ્કૃતિના નામે નહિ પણ બ્રાહ્મણુસંસ્કૃતિના નામે પ્રસિદ્ધ થઈ. આર્યાં જ્યારે આ પ્રકારના વિજય કરતા કરતા ભારતવષ માં આગળ વધી રહ્યા હતા ત્યારે પણ ભારતવર્ષમાં નગરસંસ્કૃતિના વિકાસ ઠીક ઠીક થઈ ગયેા હતેા. ભ્રમણશીલ આય્યમાં જે ઉત્સાહ અને વીની શારીરિક સૌંપત્તિ હાય તેના કરતાં સ્થિર થયેલ નારિકામાં શારીરિક બળ એઠું અને ખુદ્ધિબળ વધારે હોય, એ સહેજે સમજી શકાય તેવી વાત છે. t શારીરિક બળ સામે બુદ્ધિબળ ટકી શકયું' નહિ અને ઇન્દ્રે અનેક પુરાનગરાના નારા કરી મહાન વિજય મેળવ્યેા અને પુરંદરની પદવી પ્રાપ્ત કરી. આમ એ નગરસંસ્કૃતિને લગભગ નાશ થયા. અનેક મુનિએ–યતિઓના નાશ કરવામાં આવ્યેા, એવા ઉલ્લેખા મળે છે. મેાહન–જો–ડેરા અને હરપ્પામાં અનેક મૂર્તિ એવી મળી છે, જેને આપણે ધ્યાનમુદ્રામાં સ્થિત માની શકીએ છીએ. એટલા ઉપરથી એક અનુમાન તારવી શકીએ કે ભારતીય નગરસંસ્કૃતિના ધાર્મિક નેતાએ યેાગના અભ્યાસ કરતા હશે. ઇન્દ્રે જે મુનિએ કે યતિઓને માર્યાં તે આ જ લેાકેા હશે, એવું અનુમાન પણ તારવી શકાય. લેખિત કાઈ પણ પુરાવાના અભાવ હાઇ એમના ધર્મનું શું નામ હશે તે કહેવું કઠણ છે, પણ મુદ્ઘ અને મહાવીરના સમયમાં એ વિચારધારા સ્પષ્ટ પૃથક્ હતી, જેના નિર્દેશ બૌદ્ધ અને જૈન ગ્રન્થામાં મળે છે. અને 'તે છે-બ્રાહ્મણ અને શ્રમણુ. યજ્ઞસંસ્કૃતિનાં યજ્ઞવિધિવિધાનાથી ભરપૂર જે ગ્રન્થા ઉપલબ્ધ છે, તે બ્રાહ્મણ ’નામથી ઓળખાય Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈનધ છે. એટલે યજ્ઞસંસ્કૃતિને સંબ ંધ ‘બ્રાહ્મણુ’ નામે ઓળખાતી વિચારધારા સાથે છે એ સ્પષ્ટ છે. ત્યારે અર્થાત્ જ સિદ્ધ થાય કે બ્રાહ્મણથી જે પૃથક્ વિચારધારા હતી તેનેા સંબધ શ્રમણ’ સાથે હાવા જોઈએ. એટલે કે, કલ્પી શકાય કે, મુઠ્ઠુ અને મહાવીરના પહેલાં પ્રાચીન કાળમાં ધર્માંના એ સ્પષ્ટ ભેદો હતા—બ્રાહ્મણ અને શ્રમણ. ભૂવિજેતા અથવા બાહ્ય-જગત-વિજેતાની સંસ્કૃતિ તે બ્રાહ્મણુ સંસ્કૃતિ, એ આગળ કહેવાઈ ગયું છે. એટલે તેથી વિરુદ્ધ આત્મવિજેતાની જે સંસ્કૃતિ તે શ્રમણ સંસ્કૃતિ એમ સહેજે ફલિત થાય છે. જેમ ભૂવિજેતા ઇન્દ્રાદિ દેવે પ્રસિદ્ધ છે અને તે બ્રાહ્મણુ પરંપરામાં ઉપાસ્યપદને પામ્યા છે, તેમ શ્રમણ સંસ્કૃતિમાંના જે આત્મવિજેતાએ થયા તે ‘જિન' નામે એળખાતા. મેાહન-જો-ડેશ આદિમાં પ્રાપ્ત ધ્યાનમુદ્રાસ્થિત શિલ્પેશ એમના આત્મવિજયના પ્રયત્નનું સૂચન કરે છે, એમ સહેજે કલ્પી શકાય છે. : ઇન્દ્રમાં ક્ષાત્રતેજ હતું, પણ બ્રહ્મતેજ સામે તે પરાસ્ત થયું અને મૂળમાં ક્ષત્રિયેાનું તેજ હેાવા છતાં એ સંસ્કૃતિ ‘ બ્રાહ્મણ સંસ્કૃતિ ’ને નામે પ્રસિદ્ધ થઈ; જ્યારે શ્રમણામાં એ ક્ષાત્રતેજનું જ રૂપાંતર આભ્યતર તેજમાં-આત્મતેજમાં-થયું. શારીરિક તેજ કે બળ એ ખરું બળ નથી, પણ આભ્યંતર તેજ—આત્મિક બળ–જ ખરું... બળ છે એમ માનીને ક્ષાત્રતેજને જ નવા અથ આપવામાં આવ્યા. અને એ રીતે શ્રમણુ સંસ્કૃતિને વિકાસ ક્ષત્રિયાએ કર્યાં. જ્યાં સુધી ઇતિહાસની નજર પહોંચે છે, ત્યાં સુધી વિચાર કરતાં જણાય છે કે ક્ષત્રિયાએ જ—એટલે કે નવું આધ્યાત્મિક બળ ધરાવતા ક્ષત્રિયાએ જ—શ્રમણસસ્કૃતિને વિકસાવી છે. એ સંસ્કૃતિના સમન્વય અને તેને સમય ઉપનિષદેશમાં આપણે જોઈએ છીએ કે બ્રહ્મવિદ્યા, જે પ્રથમ યુર્વિદ્યા હતી, તે આત્મવિદ્યાને નામે પ્રસિદ્ધ થઈ અને તેના પુર Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ચિંતન સ્કર્તાએ બ્રાહ્મણુ વના લેકે નહિ પણ ક્ષત્રિય વર્ણીના લેાકેા હતા. યજ્ઞવિદ્યામાં કુશળ ઋષિએ પણ એ આત્મવિદ્યાને પ્રાપ્ત કરવા ક્ષત્રિયા પાસે જતા. આ સૂચવે છે કે શ્રમણ પરંપરાને વિજય બ્રાહ્મણા ઉપર શારીરિક બળે નહિ પણ આત્માને બળે થયેા. તે એટલે સુધી કે ઉપનિષદ્ અને ત્યાર પછીના કાળમાં તે। યજ્ઞને બદલે આત્મા જ બ્રાહ્મણુ સંસ્કૃતિમાં પ્રધાન થઈ ગયા. આ કાળ શ્રમણ-બ્રાહ્મણસ`સ્કૃતિના સમન્વયનેા હતા, આય—અનાય સંસ્કૃતિના સમન્વયનેા હતેા. એ કાળ તે ભગવાન મહાવીર અને બુદ્ધને સમય છે. શ્રમણ અને બ્રાહ્મણના સમન્વયના ફળરૂપે શ્રમણાએ બ્રાહ્મણે પાસેથી નવું સ્વીકાર કર્યુ અને બ્રાહ્મણેાએ શ્રમણેા પાસેથી નવું સ્વીકાર કર્યું”. બ્રહ્મને અર્થ, જે પહેલાં યજ્ઞ અને તેના મા કે સ્તાત્રેા થતા હતા, તેને બદલે બ્રહ્મ એટલે આત્મા એમ થવા લાગ્યા. શ્રમણે! પેાતાના શ્રેષ્ઠ પુરુષોને આર્યાંના નામથી એળખવા લાગ્યા; અને પેાતાના ધર્માંતે એમણે આ ધનું નામ આપ્યું. યજ્ઞ એ શ્રમણાએ પણ સ્વીકાર્યાં અને તેના આધ્યાત્મિક અર્થ કર્યાં. તે પેાતાના સંધના શ્રમણાને બ્રાહ્મણના નામથી પણ સોધવામાં ગૌરવ અનુભવ કરવા લાગ્યા. પેાતાના આચારધર્મનું નામ બ્રહ્મચ રાખ્યું, બ્રહ્મવિહાર રાખ્યું. બ્રાહ્મણેામાં બ્રહ્મચર્યના અથ વેદપાનની ચર્યાં એમ હતા તેને બદલે શ્રમણાએ એ જ બ્રહ્મચર્યંતે પોતાની આધ્યાત્મિક સાધનાના આચારરૂપે એળખાવ્યું. બ્રાહ્મણામાં જ્યાં સન્યાસ કે મેાક્ષનું નામ પણ ન હતુ, ત્યાં એ વસ્તુ શ્રમણા પાસેથી લઈને તેમણે આત્મસાત્ કરી દીધી. ભૌતિક બળમાં શ્રેષ્ઠ અને મનુષ્યના પૂજ્ય એવા ઇન્દ્રાદિ દેવાને શ્રમણાએ જિને ના-મનુષ્યના પૂજકસેવકનું સ્થાન આપ્યું અને બ્રાહ્મણાએ એ જ ઇન્દ્રાદિની પૂજાને બદલે આત્મપૂજા શરૂ કરી, અને શારીરિક સંપત્તિ કરતાં આત્મિક સોંપત્તિને મહત્ત્વ આપ્યું. અથવા તે, કહેા કે, ઇન્દ્રને આત્મામાં ફેરવી નાખ્યા. ટૂંકામાં, બ્રાહ્મણધર્મનું રૂપાન્તર બ્રહ્મધર્મ' અર્થાત્ આત્મધર્માંમાં" થયું. Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ આ સમન્વયને કારણે શ્રમણ અને બ્રાહ્મણુ અને સમૃદ્ધ થયા. પણ તેમની ભેદક રેખા વેદશાસ્ત્રમાં મર્યાદિત થઈ. અર્થાત્ એ પેાતાની માન્યતાના મૂળમાં વેદને પ્રમાણભૂત માને છે, તે બ્રાહ્મણ પરંપરામાં ગણાયા અને જેઓ વેદશાસ્ત્રને નહિ પણ સમયે સમયે થનાર જિતેને પ્રમાણભૂત માને છે તેએ શ્રમણે! ગણાયા. શ્રમણેાના સંપ્રદાયા જેમ બ્રાહ્મણ પરંપરામાં અનેક મતાન્તરા છે, તેમ શ્રમણ પરપરામાં પણ અનેક મતાન્તરા છે. એક જ વેદશાસ્ત્રના અમાં મતભેદ થવાથી જેમ બ્રાહ્મણ પરંપરામાં અનેક સંપ્રદાયેા થયા, તેમ અનેક જિતેાના કે તીર્થંકરાના ઉપદેશમાં પાકને કારણે શ્રમણેામાં પણ, અનેક સપ્રદાયેા થયા—જેવા કે આજીવક, નિન્ય, બૌદ્ધ આદિ. એ બધા સંપ્રદાયા જિનના ઉપાસક હાવાથી જૈન કહી શકાય. બૌદ્ધ સંપ્રદાય તે છઠ્ઠી શતાબ્દી સુધી જૈનને નામે આળખાતે, એ ઇતિહાસસિદ્ધ હકીકત છે. આજીવકેને પણ દિગંબર જૈન તરીકે કે ક્ષપક તરીકે ઇતિહાસમાં એળખાવવામાં આવ્યા જ છે એ હકીકત છે. પણ આજે રૂઢિ એવી છે કે ભગવાન મહાવીરના અનુયાયીઓને જ જૈન નામથી એળખવામાં આવે છે. શ્રમણેાના ખીજો સંપ્રદાય, જે ભગવાન બુદ્ધને અનુયાયીવગ છે, તે બૌદ્ધ કહેવાય છે. અને આજે આવકનું અને ભગવાન બુદ્ધ અને મહાવીરકાલીન બીજા શ્રમણસંપ્રદાયાનું તે નામનિશાન પણ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે જૈન નામ એ એક વિશાળ અર્થમાં હોવા છતાં તેને આજે સંકુચિત અથ છે. વિશાળ અર્થાંમાં જિનના ઉપાસકે તે જૈન; છતાં સંકુચિત અથમાં આજે ભગવાન મહાવીરની પરંપરાને અનુસરે તે જૈન છે. જેમ ભગવાન મહાવીર જિન, સુગત, શ્રમણુ, તથાગત, અર્હત, તીકર, બુદ્ધુ એવાં નામેાથી ઓળખાય છે, તેમ ભગવાન બુદ્ધ પણ જિન, સુગત, શ્રમણ, તથાગત, અંત, તીથંકર, બુદ્ધુ એવાં નામેાથી ઓળખાય છે. આ વસ્તુ મૂળે તે શ્રમણપર પરાના બન્ને એક જ Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન છે એ સૂચવવા માટે પૂરતી છે. પણ એક પરંપરાએ આહંત કે જિન શબ્દ ઉપર વધારે ભાર આપે, તેથી તે પરંપરા અત્યારે આહંત પરંપરા કે જૈન પરંપરાને નામે પ્રસિદ્ધ થઈ છે, જ્યારે બીજી પરંપરાએ બુદ્ધ નામ ઉપર વધારે ભાર આપો, તેથી તે પરંપરા બૌદ્ધ પરંપરાને નામે ઓળખાઈ, બે વચ્ચેનો ભેદ બ્રાહ્મણ અને શ્રમણોના પાર્થક્ય અને સમન્વયની ચર્ચાના અનુસંધાનમાં એ જણાવવું જરૂરી છે કે શ્રમણોની આત્મવિદ્યા બ્રાહ્મણોએ સ્વીકાર્યા છતાં શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચે જે એક મોટો ભેદ ઉપનિષદ્ કાળ અને ત્યાર પછી પણ જોવા મળે છે તેના વિષે થોડે વિચાર કરવો અનિવાર્ય છે. બ્રાહ્મણોની રુચિ આત્મવિદ્યા તરફ વધી અને બ્રહ્મજ્ઞ ઋષિઓનું બ્રાહ્મણોમાં બહુમાન થવા લાગ્યું, પણ એ બ્રહ્મજ્ઞ ગણુતા ઋષિઓની ચર્ચા અને લગભગ તે જ કાળે થનાર તીર્થકરોની કે થોડા ઉત્તરકાળે થનાર ભગવાન મહાવીર અને બુદ્ધની ચર્યા તરફ આપણે જોઈએ તો એક મોટો ભેદ સામે તરી આવે છે; તે ભેદ જ્ઞાન અને ક્રિયાનો–ચારિત્રયનો છે. બ્રહ્મર્ષિએ બ્રહ્મજ્ઞાનમાં– તત્ત્વજ્ઞાનમાં પાવરધા હતા પણ ચારિત્ર્યની બાજુ તેમની નબળી હતી. યાજ્ઞવલ્કક્ય જેવા મહાન તત્ત્વજ્ઞ બ્રહ્મર્ષિના જીવનની ઘટનાઓ જુઓ અને બુદ્ધ-મહાવીર કે તેમના પૂર્વના શ્રમણોની ચર્ચા જુઓ તો વીતરાગભાવનું પ્રાધાન્ય શ્રમણોમાં મળશે, બ્રહ્મર્ષિમાં નહીં. બ્રહ્મજ્ઞ તરીકે પ્રસિદ્ધ છતાં યાજ્ઞવલ્કયને ભરી સભામાંથી ઊભા થઈને ગાયે હાંકી જઈ પોતાનું બ્રહ્મજ્ઞાન સર્વશ્રેષ્ઠ છે એમ અભિમાન કરતાં કે એ ગાયોનો પરિગ્રહ સ્વીકાર કરતાં તેમનું બ્રહ્મજ્ઞાન તેમને આડે આવતું નથી; જ્યારે શ્રમણુધર્મને સહેજે પરિચય થતાં બુદ્ધ અને મહાવીર ઘર-બાર અને સમગ્ર પરિગ્રહ છોડી અનગાર બને છે. બ્રહ્મર્ષિ યાજ્ઞવક્યને બ્રહ્મષિ છતાં બે પત્નીઓ હતી, અને પિતાની સંપત્તિની વહેંચણીનો પ્રશ્ન તેમની સામે હતો. આ પ્રકારના પરિગ્રહધારીને Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ શ્રમણેામાં કદી પણ આત્મજ્ઞતી કે બ્રહ્મનની ઉપાધિ મળી શકે નહિ. આ મેટા ભેદ શ્રમણ અને બ્રાહ્મણમાં હતા અને આજે પણું છે. સંન્યાસને એક આશ્રમ તરીકે સ્વીકાર્યા છતાં બ્રાહ્મણ પરંપરામાં મહત્ત્વ તે ગૃહસ્થાશ્રમનું જ સર્વાધિક રહ્યું છે, જ્યારે શ્રમણાની સંસ્થા એકાશ્રમ સંસ્થા છે. તેમાં સંન્યાસને જે મહત્ત્વ અપાયું છે, તે ખીજા કાઈ પણ આશ્રમને નથી અપાયું. ગૃહસ્થાશ્રમ સન્યાસની પૂર્વ તૈયારી તરીકે પણુ અનિવાય નથી મનાયા; એ તા ત્યાજ્ય જ છે. આ ભેદમાંથી જ શ્રાદ્ધાદિની કલ્પના અને સતાનેાત્પત્તિની અનિવાતા બ્રાહ્મણુ ધમમાં મનાઈ, જ્યારે શ્રમણેામાં એવી કશી જ કલ્પનાને સ્થાન નથી. ' બ્રાહ્મણેામાં યજ્ઞસંસ્થાના પ્રાધાન્ય સાથે જ પુરાહિત સંસ્થાને ઉદ્ભવ થયા અને પરિણામે બ્રાહ્મણ વણુ શ્રેષ્ઠ અને ખીજા હીન એવી ભાવના પ્રચારમાં આવી. એટલે સમાજમાં જાતિગત ઉચ્ચનીચતા થઈ અને તેણે ધક્ષેત્રમાં પેાતાને પગ જમાવ્યેા, અને મનુષ્યસમાજના ભાગલા પડયા. આથી ઊલટુ, શ્રમણેામાં આવી કેાઈ પુરાહિત સંસ્થાના ઉદ્ભવને અવકાશ જ હતા નહિ. આમ છતાં પણ બ્રાહ્મણ-શ્રમણના મિલનનું એક પરિણામ એ આવ્યું કે શ્રમણામાં જાતિગત ઉચ્ચ-નીચતા, જેના તેમના સિદ્ધાન્ત સાથે કોઇ મેળ નથી, તેના શ્રમણાએ બહુજનસમાજમાં સ્વીકાર કર્યાં. જોકે શ્રમણ સંધમાં એવા કેાઇ ભેદને પ્રાચીન કાળમાં સ્થાન ન હતું, પણ આજે આપણે જોઈએ છીએ કે એ શ્રમણ સંધ પણ જાતિવાદના ભૂતથી ગ્રસ્ત થયેલ છે. આથી ઊલટુ, બ્રાહ્મણ પરપરામાં મધ્યકાળમાં એવા સંપ્રદાયા અને સતા થયા છે, જેમણે જાતિગત ઉચ્ચ-નીચ ભાવને કોઈ મહત્ત્વ આપ્યું નથી : આ શ્રમણ ભાવનાનેા વિજય ગણી શકાય. ભેદની ગૌણતા શ્રમણ અને બ્રાહ્મણના એક મેાટા ભેદ નિવૃત્તિ અને પ્રવૃત્તિને કારણે છે. શ્રમણાના સમગ્ર આચાર નિવૃત્તિપ્રધાન હતા અને બ્રાહ્મણાને Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન સમગ્ર આચાર પ્રવૃત્તિપ્રધાન હતા. બ્રાહ્મણોની યજ્ઞસંસ્થા અને સમગ્ર કર્મકાંડો અને તેના ફળાફળની ચર્ચા કરીએ તો સ્પષ્ટ થશે કે એ દ્વારા સ્વર્ગસુખની પ્રાપ્તિ કરવાનો એ પ્રયત્ન હતો. તેમાં નિવૃત્તિને નહિ, પણ પ્રવૃત્તિને સ્થાન હતું. આથી ઊલટું, શ્રમણોને મન પ્રવૃત્તિ એ સર્વથા ત્યાજ છે. તેમને મન ક્રિયાકાંડ પણ ત્યાજ્ય જ છે; “કરવા” કરતાં “ન કરવું એ જ એમને મન મહત્ત્વની વસ્તુ છે. બ્રાહ્મણ કર્મકાંડના રહસ્યનો વિચાર કરીએ તો તેમાં એ કર્મકાંડ કેવળ વ્યક્તિપ્રધાન નથી પણ સામૂહિક છે. એટલે બ્રાહ્મણ ધર્મ વ્યક્તિને ધર્મ નહીં પણ સમાજને ધર્મ સિદ્ધ થાય છે. એટલી ઊલટું, શ્રમણ ધર્મ એ નિવૃત્તિપ્રધાન હોઈ તે કેવલ વ્યક્તિને ધર્મ છે. એકલી વ્યકિત પણ, કેઈની પણ સહાયતા વિના, એ ધર્મનું આચરણ કરી શકે અને કરવું જોઈએ એ અપેક્ષાથી એમાં સમગ્ર આચારની ગોઠવણ છે. આવી એકાન્તિક નિવૃત્તિમાં પરસ્પરોપકારની ભાવનાને અથવા તો મહાકણું કે કરુણાને વિશેષ અવકાશ નથી રહેતે; જ્યારે બ્રાહ્મણ ધર્મ પ્રવૃત્તિપ્રધાન ધર્મ હાઈ અને ફળાફળની સમગ્ર જવાબદારી કેઈ ઉપાસ્ય ઉપર હાઈ તેમાં મહાકસણું કે કરણને અવકાશ રહે છે. આથી પરસ્પરોપકારને પણ સમાજમાં અવકાશ મળે છે. જ્યારે આ બન્ને પરંપરાને સમન્વય થયે ત્યારે બ્રાહ્મણોએ સંન્યાસ આશ્રમરૂપે શ્રમણોની નિવૃત્તિને પ્રશ્રય આ અને શ્રમણએ બ્રાહ્મણ પાસેથી કરુણુ અને મહાકણું લીધી; અને બીજા છ કરતાં તીર્થકર–જિનોની એ મહાકરણને કારણે જ વિશેષતા સ્વીકારી. આ પ્રમાણે બ્રાહ્મણો અને શ્રમણોના જીવનમાં જે એકાન્તિતા હતી તેને બદલે સમન્વય થયે અને પરિણામે તે બન્ને પરંપરાઓ બહુ જ નજીક આવી. આથી બ્રાહ્મણોએ અને શ્રમણોએ બન્નેના ઉપાસ્યોને તત્ત્વતઃ એક સ્વીકારવા સુધીની દલીલ આપવા માંડી. બ્રાહ્મણોના અનેક કર્મકાંડનું રૂપાન્તર શ્રમણએ કરી નાખ્યું અને પિતાને અનુકૂળ બનાવી તે સ્વીકારી લીધા; એ જ પ્રમાણે બ્રાહ્મ એ પણ શ્રમણના આચારોને સ્વીકારી લીધા. આ રીતે બન્ને Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ૧૧ પરંપરાના જે તત્ત્વતઃ ભેદ હતા એ ગૌણ બની ગયા અને બન્ને એક જેવા થઈ ગયા, જેને આપણે આજે હિન્દુ સંસ્કૃતિના નામે ઓળખીએ છીએ. આમ છતાં બન્નેના આંતર પ્રવાહેા કદી એક થયા નથી, એ ભૂલવું ન જોઈએ. બહુજનસમાજમાં નાગેા, નિજ, મેતર ( મહત્તર-ભ’ગી ) આદિ શબ્દો બહુમાનસૂચક નથી રહ્યા. શ્રમણાની દૃષ્ટિએ નમ્ર રહેવું એ બહુ મેટી વાત છે, લજ્જાને જીતવી એ બહુ. મારુ કાય છે. છતાં નાગા, નિર્લજ્જ એ શબ્દો નિન્દા–સૂચક બની ગયા છે. તે જ પ્રમાણે ‘ ભામટા ' એ બ્રાહ્મણનું જ રૂપાન્તર છતાં નિન્દાસૂચક શબ્દ બની ગયા છે. બન્ને પરંપરાના વૈરમૂલક વ્યવહારમાંથી આવા રામ્દોની સૃષ્ટિ થયેલી છે. અને અશેક જેવાની દેવાનાં પ્રિય ’ એ બહુજનસંમત પદવીને બ્રાહ્મણેાએ ‘મૂખ પશુ' અ કર્યાં જ છે અને એ જ અથમાં એ શબ્દને પ્રચલિત પણ કર્યાં છે. ' ( વૈદિક નિષ્ઠા બધા વેના સંબંધ એક ’ સાથે માનતી હાઈ સમાજજીવન ઉપર વધારે ભાર આપે છે અને તેથી પણ સામાજિક નીતિનું ઘડતર તેમાં છે. જે વ્યક્તિ સમાજના એકમ તરીકે પેાતાને સ્વીકારે તેનું જીવન સમાજને પ્રતિકૂળ સંભવે જ નહિ. અને તે જ કારણે તેમાં સમાજશાસ્ત્રની રચના છે. અને એક સામાજિક પ્રાણીને જીવન–વ્યવહાર અને રીતિનીતિ જેવી હોવી જરૂરી છે, તેથી વિપરીત, જેમને મતે, સમાજને બદલે વ્યક્તિનિષ્ઠા હોય તેની રીતિનીતિ તદ્દન જ અલગ હોય તે સ્વાભાવિક છે. તેથી શ્રમણેામાં સમાજવ્યવસ્થા માટે સ્મૃતિએ નથી. પણ કેવળ વ્યક્તિનિષ્ઠા માનવામાં આવે તે. જીવનવ્યવહાર જ સંભવે નહીં. એટલે શ્રમણાના પણ સધેા બન્યા અને તેવા સંધને વ્યવસ્થિત કરવા આચાર અને વિનયના નિયમેા પણ બન્યા. એટલે કે ઉક્ત પ્રકારે પરસ્પર સમન્વય થયેા છે, છતાં બન્નેની ભેદક રેખા-વેદમાન્યતા અને અમાન્યતા એ કાયમ હાઈ તેમાં સર્વાશે એકતા કદી આવી નથી અને આવવા સ ંભવ પણુ નથી. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જૈનધમ ચિંતન કારણ, બન્નેની મૂળ નિષ્ઠામાં જ ભેદ છે: એનું નિવારણ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ એકતાને સંભવ નથી. નિષ્ઠાભેદનું કારણ ત્યારે હવે એ વિચારવું પ્રાપ્ત થાય છે કે એ મૂળ નિષ્ઠા બન્નેની કેમ જુદી રહે છે? તેમાં ઐકયને જે અવકાશ નથી મળતે તેનું કારણ શું છે? સમગ્ર વિશ્વના મૂળમાં કેાઈ એક જ પરમ તત્ત્વ છે, તેમાંથી જ આ વિશ્વપ્રપંચની સૃષ્ટિ છે...આ છે વૈદિક નિષ્ઠા. એ તત્ત્વને બ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર આદિ વિવિધ નામે એળખાવવામાં આવે છે. આ મૂળ નિષ્ઠાને કાયમ રાખીને જ બધી પરંપરાઓમાં જુદા જુદા નામે એ પરમતત્ત્વની ઉપાસનાને સ્થાન મળ્યું છે; જોકે એ એક તત્ત્વમાંથી કે એ એક તત્ત્વને આધારે કે નિમિત્તે સમગ્ર વિશ્વસૃષ્ટિની ઉત્પત્તિનું સ્પષ્ટી કરણ કરવા અનેક મતમતાંતર વિવિધ વૈદિક દના રૂપે વિકસ્યાં છે, પણ એ બધામાં એક' ઉપરની નિષ્ઠા કાયમ છે. તેથી ઊલટુ, શ્રમણ પરપરામાં એવું કેઈ એક તત્ત્વ સ્વીકારાયું નથી, જે સમગ્ર વિશ્વપ્રપંચ માટે જવાબદાર હોય. પણ આ સંસારલીલા અનાદિ કાળથી ચાલી આવી છે, અને તેને માટે જવાબદાર જુદા જુદા વે! સ્વયં જ છે, બીજું કેાઈ નહ. એટલે અનાદિ કાળથી એક નહીં, પણ અનેક મૂળ તત્ત્વ છે. એટલે ખરી રીતે વિશ્વસ્રષ્ટા તરીકે કેાઈની ઉપાસનાને સ્થાન નથી. વૈદિક પરંપરામાં પરમ ઉપાસ્યની કરુણા હેાય તે પરમથી છૂટા પડેલા જીવેાને પરમ પેાતાની અંદર સમાવી લે—એટલે જીવેા પરમભાવ પ્રાપ્ત કરવા પરમની ઉપાસના કરે એ સ્વાભાવિક ક્રમ છે. પણ શ્રમણામાં એવું કેાઈ પરમ તત્ત્વ ન હોઈ તેની સાથે મળવાના કે તેમાં સમાઈ જવાનેા પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતા. એટલે શ્રમણેામાં એવા મૌલિક પરમની ઉપાસનાને સ્થાન નથી, પણ અનાદિ કાળથી સંસારનું જે ચક્ર ચાલે છે, એ ચક્રની ગતિને રાકવામાં જ પુરુષાર્થની Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ કૃતાર્થતા છે. એવો પુરુષાર્થ જેણે કર્યો હોય તે આદર્શ વ્યક્તિ બને છે; અને તે પુરુષાર્થ કઈ કરે તો તે એવી વ્યક્તિનું અનુકરણ માત્ર કરે છે, એમ માનવું જોઈએ. પણ શ્રમણેમાં પણ બ્રાહ્મણોની દેખાદેખીએ ઉપાસનાનું તત્ત્વ દાખલ થયું જ છે. પણ મૂળ નિષ્ઠામાં ભેદ હેઈ ઉપાસના છતાં તે એકપક્ષી ઉપાસના છે. ઉપાસ્ય ઉપાસક અથે કશું જ કરવા સમર્થ નથી. માત્ર તે ઉપાસ્ય ધ્રુવ તારે છે, જેને નજર સમક્ષ રાખી ઉપા-- સક પિતાને માર્ગ નકકી કરે છે. એટલે ખરા અર્થમાં આને ઉપાસના કહેવાય જ નહિ. છતાં પણ બ્રાહ્મણ પરંપરાની જેમ શ્રમણ પરંપરામાં મંદિર અને મૂર્તિના આડંબરને જે પૂર્ણ સ્થાન મળ્યું છે તે શ્રમણોના તાત્ત્વિક ધર્મમાં નહિ, પણ બાહ્ય ધર્મમાં સમાવિષ્ટ છે એમ માનવું જોઈએ. આનો ખુલાસો આ પ્રમાણે પણ કરી શકાય કે ઉપાસના. પરમ તત્વની હોય કે પિતાની, પણ તેનો માર્ગ બાહ્ય આચારમાં તો. એક જેવો જ હોઈ શકે. ભેદ જે છે તે એ છે કે એક પરમ તત્વને પ્રાપ્ત કરવા મથે છે, જ્યારે બીજે પોતાને. એકને મતે વસ્તુતઃ પરમ એ ઉપાસકથી પૃથક નથી; જ્યારે બીજાને મને પણ પોતે પણ પોતાથી ભિન્ન નથી. એકને મતે ઉપાસ્ય આદર્શાભૂત પરમ તત્વ મૂળે. એક જ છે અને અંતમાં પણ એક જ છે, પણ બીજાને મતે મૂળમાં અને અંતમાં પિતાથી ભિન્ન નહીં છતાં બીજાથી તો ભિન્ન જ છે. આ. ભેદને કારણે બ્રાહ્મણ અને શ્રમણની નિકામાં જે ભેદ છે તેનો સંપૂર્ણ સમન્વય શક્ય નથી. જેટલી હદે શક્ય હતો તે તે બન્ને સમાજે કરી જ લીધા છે. - જેને આપણે અત્યારે જૈનધર્મને નામે ઓળખીએ છીએ તેનું પ્રાચીન રૂ૫ શ્રમણ ધર્મ હતું તેને ટૂંકે પરિચય આપ્યા પછી હવે આપણે એ જોઈએ કે શ્રમણ ધર્મના એક સંપ્રદાય રૂપે જૈનધર્મને. ઈતિહાસ શું છે? તેની વિશેષતા શી છે? તેનું સ્વરૂપ શું છે ? ww Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪ (૨) જૈનધર્મીના ઇતિહાસ જૈનધમ' એ શ્રમણુ સંપ્રદાય હાઈ ને, તથા તેની અને શ્રમણેાના ખીજા સંપ્રદાયે। વચ્ચે ઘણી બાબતાંમાં સામ્ય હાઈને, પાશ્ચાત્ય વિદ્વાનેમાં એક વખત એવા ભ્રમ હતેા કે બૌધમથી જૈનધમ જુદા નથી. પણ યાકેાખી જેવા વિદ્વાનેએ એ ભ્રમને તે કયારનાય ભાંગી નાંખ્યા છે. ભારતવર્ષના વિદ્વાનેમાં તે એવે ભ્રમ કદી જ થયા પણ નથી, એટલે પણ એ વિષયની ચર્ચા અહી` અસ્થાને છે. જૈનધમ ચિતન જૈનધર્મને ઇતિહાસ છે અને તેનું દન પણ છે. ઇતિહાસ પેાતાની રીતે ખુલાસા કરે છે અને દન એ તેના શાશ્વત સત્યની ચર્ચા કરતું હોઈ એ ઇતિહાસાતીત છે. એટલે જૈનધમના ઇતિહાસ અને તેનું દર્શન જૈનધર્મીની પ્રાચીનતા વિષે જે વિચારેા ઉપસ્થિત કરે તેમાં મતભેદ રહેવાને જ. અનાદિ અને શાત જૈન દર્શીને કરેલા પ્રાચીનતાના ખુલાસાને પ્રથમ ોઈ લઈએ, વૈદિક દનમાં કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિની આદિમાં કાઈ ‘એક ’ તત્ત્વ હતું, તેમાંથી આ સમગ્ર સૃષ્ટિના ઉદ્ભવ થયા છે. પણ વૈદિક -દર્શન પણ એ કેવળ ‘ એક ’ તત્ત્વમાંથી કયારે ’ સૃષ્ટિ થઈ તેને સમય નિશ્ચિત કરી શકતું નથી. એટલે એ અજ્ઞાત કાળને આપણે અનાદિ કહીએ. આમ કહેવું તે જોકે પરસ્પરવરાધ જેવું ભાસે છે, છતાં પણ ખાટું નથી. કારણ, જે વસ્તુના આદિ કાળને આપણે નિશ્ચિત ન કરી શકીએ તેને અનાદે કહ્વા સિવાય ખીજો કોઈ માગ આપણી સામે રહેતા નથી. એ જ પ્રમાણે જૈન દર્શને સ્વીકાર્યુ છે કે સૃષ્ટિ અનાદિ કાળથી ચાલી આવે છે—ન વાચિનીદશોન—જગત એકસરખું છે. પણુ એ સુમહત્ કાળ અનંત ખંડમાં વિભક્ત છે, જેને જેને અવસર્પિણી અને ઉત્સર્પિણી કહે છે. પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ૨૪ તીર્થંકરા થાય છે. અને તેમણે એક જ સદા Page #42 -------------------------------------------------------------------------- ________________ જનધ ૧૫ ઉપદેશ આપ્યા છે કે જીવા કથી બદ્ધ છે; એ કધનાં કારણેા રાગ અને દ્વેષ છે; બંધનાં કારણેાનું નિવારણ કરી જીવ મેાક્ષને પામે છે. આ સામાન્ય વાત એકસરખી રીતે બધા તીય કરેાએ પ્રતિપાદિત કરી છે. આ દૃષ્ટિએ જૈનધમ અનાદિ અને શાશ્વત છે. જ્યારથી જીવે છે ત્યારથી જેમ તેએ બંધનમાં બહુ થવાના પ્રયત્ન કરે છે, તેમ છુટકારાને પણ પ્રયત્ન કરે જ છે. અને છુટકારાનેા પ્રયત્ન એ જ તા જૈનધમ છે. એટલે જો જીવા અનાદિ હોય તા તેનેા ધમ પણ અનાદિ હાવા જોઈએ. આ દર્શને કરેલા તક જૈનધર્મને અનાદિ સિદ્ધ કરે છે. પણ સ્વયં દર્શન એ કાળપ્રવાહમાં બાદમાં આવતુ હાઈ, ઘટનાઓ ઘટી ગયા પછી તેને પેાતાની દૃષ્ટિએ તાત્ત્વિક ખુલાસા કસ્તુ હાઈ, ઇતિહાસ સાથે તેને બહુ લેવાદેવા નથી. એટલે આ ખુલાસાને વિષે અહીં વિશેષ ચર્ચા કરવી અસ્થાને છે. ઐતિહાસિક પુરાવા : પણ હવે ઇતિહાસને જૈનધમની પ્રાચીનતા વિષે શું કહેવાનું છે તે જોઈએ. વેદાદિ બ્રાહ્મણ ગ્રંથેામાં આવતા ‘ અરિષ્ટનેમિ ' શબ્દ તે નામના જૈન તીર્થંકરના સૂચક છે, એમ કેટલાકનું કહેવું છે. જૈતુ પરંપરા પ્રમાણે તે તેમને સબધ શ્રીકૃષ્ણ સાથે છે : આ જૈન પરંપરાનું સમન વેદમાંથી મળતું નથી. એટલું નક્કી કે પ્રાચીન કાળમાં ‘અરિષ્ટનેમિ' નામ પ્રચલિત હતું. તે જૈન તીય કરનું હાય પણ ખરું અને ન પણ હોય. મહાભારતમાં સહદેવે વેશપલટો કરી વિરાટની સભામાં પેાતાને પરિચય આપતા કહ્યું છે કે “ વૈશ્યોમ નામ્નામ્બરિષ્ટનેમિ ’( વિરાટપર્વ, દામે! અધ્યાય, શ્લાક ૫) – હું વૈશ્ય છું અને મારૂં નામ ‘અરિષ્ટનેમિ' છે. અન્યત્ર મહાભારતમાં અરિષ્ટનેમિને જિનેશ્વર પણ કહ્યા છે. આ ઉપરથી એટલું તારવી રાકાય કે અરિષ્ટનેમિના અસ્તિત્વ વિષે સ ંદેહ કરવાને સ્થાન નથી. તેમને જો કૃષ્ણના સમકાલીન માનીએ તે મહાભારત કાળમાં એટલે કે ઈ. પૂ. ૧૪૦૦-૧૫૦૦ માં તેમને સમય કલ્પી શકાય. Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન ભગવાન ઋષભદેવ જેનેના પ્રથમ તીર્થકર છે. ઋષભ શબ્દને ઉલ્લેખ બ્રાહ્મણ સંપ્રદાયના વેદોમાં પણ મળે છે. અને પુરાણમાં તે ઋષભચરિત્ર જે પ્રકારનું આપવામાં આવ્યું છે તે વાંચનારને શંકા રહેતી જ નથી કે જૈન તીર્થકર ઋષભદેવનું જ એ ચરિત્ર છે. બ્રાહ્મણના મતે અષભદેવ એ મનુની પાંચમી પેઢીએ થયેલ છે. એટલે એમનો કાળ એ પૌરાણિક કાળ ગણાય. એટલે એ કાળ ઇતિહાસની નજર બહાર જ લેખાવો જોઈએ. અને જેને પુરાણોમાં પણ તેમના કાળને અત્યંત પ્રાચીન ગણવામાં આવ્યો છે. જૈન અને બ્રાહ્મણ બન્ને ગ્રન્થોના આધારે કહી શકાય કે ઋષભ એક જબરા તપસ્વી હતા. અને તેમના કાળમાં જેને આપણે સંસ્કૃતિ નામથી ઓળખીએ છીએ તેનો ઉદયકાળ શરૂ થયે હતો, અને એ ઉદયમાં ઋષભદેવનો પિતાનો હિસ્સો મોટા પ્રમાણમાં હતો. અને એમાંથી એ પણ જાણવા મળે છે કે તેમના પુત્ર ભરતને નામથી આપણું આ દેશનું નામ ભારતવર્ષ પડયું છે. આ પૌરાણિક વણનેને ઈતિહાસસિદ્ધ કાળમાં ગોઠવી શકાય એમ નથી. છતાં ઋદ કાળમાં ભાઈબહેનના લગ્નની કે સહચારની રૂઢિ અને ઋષભકથામાં આવતી યુગલિયાઓની લગ્નપ્રથાની રૂઢિ એક જેવી છે, જેથી એક સૂચના તે. મળી શકે છે કે ઋષભદેવને કાળ અદથી બહુ દૂર તો નહિ હોય. _ પણ જેને જૈનધર્મના અસ્તિત્વનો અસંદિગ્ધ પુરા કહી શકાય એવા ઉલ્લેખ તો સર્વપ્રથમ પાલિ પિટકોમાં મળે છે. તેમાં ભગવાન મહાવીરનો ઉલ્લેખ નિગ્રન્થ નાથપુત્ર કે નિગ્રન્ય જ્ઞાતપુત્રને નામે મળે છે, એટલું જ નહિ પણ, જૈનધર્મના આગવા કહી શકાય એવા સિદ્ધાન્તોને ઉલ્લેખ પણ સર્વપ્રથમ બૌદ્ધ ગ્રન્થમાં જ મળે છે. અને એવા સિદ્ધાન્તના વિવિધ ઉલ્લેખને આધારે ભગવાન મહાવીર પહેલાંના તીર્થંકર પાર્શ્વનાથના ઉપદેશનું અસ્તિત્વ પણ ડો. યાકેબીએ સિદ્ધ કર્યું જ છે. બૌદ્ધ ગ્રન્થમાં ભગવાન મહાવીરના ઉપદેશમાં ચાતુર્યામને સ્થાન હતું એમ જણાવવામાં આવ્યું છે, પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ ખરી રીતે, જૈન શાસ્ત્ર પ્રમાણે તે, ભગવાન મહાવીરના પાંચ યા છે, જ્યારે ભગવાન પાર્શ્વનાથના, જૈન શાસ્ત્ર પ્રમાણે, ચાર યા હતા. તેમાં જ સુધારે કરીને ભગવાન મહાવીરે પાંચ યાને ઉપદેશ આપ્યો. બૌદ્ધોની આ નાની સરખી ભૂલે ભગવાન પાર્શ્વ નાથના અસ્તિત્વનો એક પુરા પૂરે પાડ્યો છે, અને સ્વયં બુદ્ધના વખતમાં સર્વત્ર તેમને નિગ્રન્થને સામનો કરવો પડ્યો છે; એ સિદ્ધ કરે છે કે બુદ્ધથી પણ પહેલાં નિર્ચન્ય ધર્મને પ્રચાર પૂર્વ દેશમાં થઈ ગયો હતો. એ કહેવાની જરૂર નથી કે બુદ્ધના સમયમાં જેનધર્મનું નામ નિગ્રંન્યધર્મ હતું. આ પ્રમાણે ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર વિષે તે ઇતિહાસની પૂરી સાક્ષી છે. તેમાં ભગવાન મહાવીરને સમય, તેઓ બુદ્ધસમકાલીન હોઈ ઈ પૂ. પાંચમી-છઠ્ઠી શતાબ્દી નિશ્ચિત છે. જૈન પરંપરા પ્રમાણે ભગવાન મહાવીર પહેલાં ૨૫૦ વર્ષ પાર્શ્વનાથનું નિર્વાણ થયું. એટલે કે ઈ પૂર્વ ૮૦૦ માં ભગવાન પાર્શ્વનાયનો સમય મૂકી શકાય. આ બને તીર્થકર પહેલાંના તીર્થકરોમાંથી ભગવાન ઋષભદેવ અને અરિષ્ટનેમિ વિષે પહેલાં કહેવાઈ ગયું છે. આટલી ચર્ચા ઉપરથી આપણે એટલું તો નિશ્ચિત રૂપે કહી • શકીએ કે ઈ. પૂ. ૮૦૦ વર્ષ પહેલાં તો જૈનધર્મો પોતાનું એક જુદું રૂ૫ નક્કી કરી લીધું હતું, અને તે શ્રમણ સંપ્રદાયમાંનો એક ' પ્રતિષ્ઠિત સંપ્રદાય હતે. તે પહેલાં અરિષ્ટનેમિ કે તેથી પણ પહેલાં ઋષભદેવના સમયમાં જૈનધર્મનું શું સ્વરૂપ હતું એ જાણવાને આપણી પાસે જૈન શાસ્ત્રો સિવાય બીજું કશું જ સાધન નથી. અને જૈન શાસ્ત્રો તે ભગવાન મહાવીરના ધર્મ કે . શાસનને જ મહત્ત્વ આપતાં હોઈ શેષ તીર્થકરોએ પણ એવો જ . ઉપદેશ આ હતો તેવી સામાન્ય વાત કહે છે. એને આધારે સુસંવાદી ઇતિહાસ રચી શકાય એમ નથી. એટલે અત્યારે એટલાથી જ સંતોષ માની રહ્યો. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮ (૩) તત્ત્વજ્ઞાન જૈનધર્મીના ઇતિહાસની આટલી ચર્ચા પછી હવે આપણે જોઈ એ કે જૈનધર્મીનું સ્વરૂપ શું છે? અને તેની વિશેષતા શી છે? જૈનધમ ચિંતન ઈશ્વરવાદને સ્થાને કમવાદ જૈનધમમાં જગકર્તા ઈશ્વરને સ્થાન નથી. આવા ઈશ્વરની કલ્પના વિનાના ધર્મને ધર્માં કહી શકાય નહિ, એવી ચર્ચા પશ્ચિમના વિદ્વાનેામાં ચાલી હતી. પણ એ ચર્ચા કરનારા વિદ્વાને સમક્ષ ખ્રિસ્તી ધમ અને તેના જેવા ઈશ્વરવાદી ધર્માં જ હતા. જ્યારે તેમને બૌદ્ધ ધર્મ અને જૈનધર્મોના પરિચય થયા ત્યારે જ તેમણે જાણ્યું કે ઈશ્વર વિનાના પણ ધર્મ હાઈ શકે છે. એટલે તેમણે હવે ની વ્યાખ્યા જ બદલી નાખી અને બૌ–જૈનને પણ સમાવેશ ધર્મોમાં કરવા લાગ્યા છે. જો ઈશ્વર નથી તે પછી સંસારમાં જે એક વ્યવસ્થા છે તેને આધાર શેા છે? ઈશ્વરવાદી ધર્માં તેા કહી શકે છે કે સશક્તિસ ંપન્ન ઈશ્વર જગન્નિયન્તા છે. તે જ બધું વ્યવસ્થિત કરે છે. આ સંસારચક્ર રિ દ્વારા સંચાલિત છે. પણ આ ઈશ્વરના સ્થાનમાં જૈને કને માને છે. જૈનધમની માન્યતા છે કે જીવેાનાં કર્મીને કારંણે જ સંસારચક્ર ગતિમાન છે. અને એમનાં કર્મીને કારણે જ વ્યવસ્થા પણ છે. જૈનેાના આ કમવાદને ઇતર ભારતીય ધ ઉપર પણ એટલે પ્રભાવ પડવો જ છે કે ઈશ્વર માનનાર પણુ, ઈશ્વરની કેવળ મરજી ઉપર બધું ન છેડતાં, જીવાનાં કને આધારે ઈશ્વર કુ લદાયક છે એમ તેએ સ્વીકારતા થઈ ગયા છે. આ રીતે એક પ્રકારે ઈશ્વરની અપેક્ષાએ જૈનેને કમવાદ જ પ્રબળ બને છે. કારણ, શ્ર્વિરકૃત વ્યવસ્થા પણ છેવટે તે કર્માધીન જ છે. જૈનધર્મની જો કાઈ પણ વિશેષતા હોય તે! તે આ કવિવેચનની છે. કને જ્યારે સંસારચક્રના ચાલક બળ તરીકે સ્વીકાયું ત્યારે એને આધારે જ અધી ઘટનાએ અને જવાની વિશેષતાઓને ખુલાસા કરવા જરૂરી Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ હતે, એટલું જ નહિ પણએ કર્મના બળને ઘટાડી આત્મબળ કેમ વધારવું એની પ્રક્રિયા પણ શોધવી જરૂરી હતી. જૈનધર્મો એ ખુલાસો અને એ પ્રક્રિયાની શેર્ધ કર્યા જ છે; અને એમાં જ જૈનધર્મનું સ્વરૂપ સંનિહિત છે. ના પ્રકાર અને સાધનાનો માર્ગ - સંસારના કોઈ પણ ધર્મનું ધ્યેય જીવને તેની વિદ્યમાન સ્થિતિમાં અસંતોષ જન્માવી ઉન્નતિને માર્ગે લઈ જવાનું છે. જૈનધમે ઉન્નતિની પરાકાષ્ઠા સિદ્ધાવસ્થામાં માની છે. એટલે જીના સંસારી અને સિદ્ધ એમ બે પ્રકાર સ્વતઃ ફલિત થાય છે. કર્મોના બંધનથી બદ્ધ એ સંસારી છે અને કર્મોના બંધનથી મુક્ત એ સિદ્ધ છે. સંસારી જવામાં પણ એવા કેટલાક છે, જે સતત ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યા છે, જ્યારે એવા પણ કેટલાક છે, જે અવનતિને ભાગે જઈ રહ્યા છે. આમ સંસારી જીમાં મૂઢ અને અમૂઢ એવા બે ભેદ અથવા તો સંસારાભિનંદી અને સાધક એવા ભેદ કલ્પી શકાય છે. ધર્મનું કાર્ય સંસારાભિનંદીને સાધક બનાવવાનું છે અને સાધકને સાધનાનો માર્ગ ચીંધવાનું છે. એટલે સર્વપ્રથમ સર્વ ધર્મના મૂળમાં વિવેક અથવા સમ્યગ્દષ્ટિને સ્થાન મળ્યું છે. વિવેકનો અર્થ થાય છે પૃથકકરણ. જૈનધમે સ્પષ્ટ કર્યું છે કે આત્મા અને અનાત્મા–કર્મનો ભેદ સમજવામાં આવે તો જીવની મૂઢ દશા નિરસ્ત થાય છે. જીવ અને કર્મનું સ્વરૂપ એક નથી–જીવ ચેતન છે અને કર્મ અચેતન છે– છતાં બન્ને એકમેકમાં એવાં ઓતપ્રોત છે કે જીવને એ ભાન નથી કે પોતાનું ખરું સ્વરૂપ શું છે ? એટલે માર્ગદર્શકનું પ્રથમ કાર્ય એ છે કે જીવને પિતાના સ્વરૂપની પ્રતીતિ કરાવી આપવી. ખાવી પ્રતીતિ થાય એટલે વિવેક દષ્ટિ જાગે. એ વિવેક જાગે એટલે જીવ કર્મ અને કર્મના વિપાકને કારણે થતી અવસ્થાઓને પિતાની માનતા અચકાય. આવો આંચકો લાગે એટલે આત્મા અને શરીર, જે કમજન્ય છે, તે બન્નેને ભેદ એ સમજી જાય અને એ સમજે Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ યિ તન એટલે તેની સાધનાની શરૂઆત થાય છે. આવી સાધના એ ધમ છે. જિનાએ બતાવેલી સાધના એ જૈનધમ છે. અહી જિનને! અ આપણે તીથ કર ભગવાન મહાવીર કરીશું . જૈન સાધનાની વિશેષતા : અહિંસામયતા આત્મ-અનાત્મ-વિવેકની તેા બધા ધર્મોએ વાત કરી જ છે અને તે વિવેક થયા પછીની ધર્મસાધના પણુ સદનેામાં છે જ. તે પછી જૈનધમની આગવી વિશેષતા શી છે? વળી, સર્વ દનામાં રાગ-દ્વેષ એ બે દાષા દૂર કરવા માટે જ સાધના કરવામાં આવે છે; આમાં પણ જૈનધમને કશું જ નવું કહેવાનું નથી. તે પછી એ સાધનાને જૈનધર્મનું નામ કેમ આપવામાં આવે? આ પ્રશ્ન છે. એ સાચું છે કે આત્મ–અનાત્મ વિવેક અને રાગદ્વેષને! ત્યાગ એ સ સાધારણ છે, પણ સાધક કેટલીક નિષ્ઠાએ લઈ ને એવી સાધનામાં પ્રવૃત્ત થાય છે અને એ નિષ્ઠાભેદને કારણે જ આદર્શોમાં ભેદ પડે છે. એ નિષ્ઠાએના વિવેચનમાં જ જૈનધમ બીજા ધર્માંથી જુદા પડે છે અને એને કારણે જ તેનું જુદું અસ્તિત્વ કાયમ થાય છે. એ નિષ્ઠાનું જ નામ જૈન દર્શન છે. જૈન દર્શનની પ્રથમ નિષ્ઠા અહિંસામાં છે. ભગવાન મહાવીરના વખતમાં ધર્માચરણમાં પશુવધને સ્થાન હતું. યજ્ઞમાં પશુના વધ કરી મનુષ્ય પેાતાના સુખની કામના કરતા અને માનતા કે મરનાર પશુ પણ સ્વગે` જાય છે. આથી વિરુદ્ધ ભગવાન મહાવીરે કહ્યું કેઃ— " सव्वे जीवा वि इच्छन्ति जीविउ न मरिज्जिउ । तम्हा पाणिवहं घोरं निग्गंथा वज्जयति य ॥ 39 अप्पियवहा पियजीविणो " सव्वे जीवा सुहसाया, दुक्खपडिकूला जीविकामा । सव्वेसि जीवियं पियं । ', (( तुम सि नाम तं चेत्र ज हन्तव्वं ति मन्नसि । तम्हा न हन्ता न वि घायए 1 ',, અર્થાત્ બધા જીવા જીવવાની ઇચ્છા કરે છે, મરવાનું કઈ ઇચ્છતું નથી; એટલા માટે પ્રાણીઓના વધને ભયંકર સમજી નિચે Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ તેના નિષેધ કરે છે.” “ બધાય જીવે। સુખને અનુકૂળ અને દુઃખને પ્રતિકૂળ સમજે સમજે છે. બધા જીવ જીવવા છે. રક્ષણને પ્રિય અને વધતે અપ્રિય ઇચ્છે છે, જીવનને પ્રિય ગણે છે.” 56 વળી, તમે જેને હુંતમ ગણા છે તે પણ તમે જ છે, એટલા માટે તમે કોઈ ને ભારે નહિ, કાઈને વધ કરેા નહિ.” ૨૧ ધર્માર્થે હિંસા કરનાર બ્રાહ્મણેાને એમણે પૂછ્યુ કે તમને પેાતાને કાઈ મારે તે તમને એ પ્રતિકૂળ છે કે અનુકૂળ ? જો પ્રતિકૂળ હોય તે ખીજાને તમે મારા છે તે પ્રતિકૂળ કેમ ન હોય ? તેમના અહિંસાપ્રચારમાં આત્મૌપમ્યની દૃષ્ટિ હતી. જે બધા આત્માને એક જ માનતા-બ્રહ્માદ્વૈત માનતા, તેમણે તેા વિશેષે હિંસાને ત્યાગ કરવા જોઈએ, કારણ કે જેની હિંસા કરવાનું તે વિચારે છે, તે તેનાથી જુદો તે! નથી જ. એટલે દ્વૈતના હોય કે અદ્વૈતનિષ્ઠા, પણ હિંસા એ જ ધર્મ હાઈ શકે, જીવનમાં નિરપવાદ અહેસાને સ્થાન હેવુ જોઈ એ એવા ભગવાન મહાવીરનેા આગ્રહ હતા. સૂક્ષ્મ વેા સુધ્ધાંની થાડી પણ હિંસા જો પેાતાના પ્રમાદથી થાય તે તે પણ અધર્મનું જ કારણ છે એમ તેમણે સ્પષ્ટ કહ્યું છે. આવી નિરપવાદ અહિંસાને જો સિદ્ધ કરવી હેાય તે જીવનમાં આચરણના નિયમ અતિ કઠાર હોવા જોઈ એ. અને તેથી જ, એવા આગ્રહમાંથી જ, તેમણે પેાતાના જીવનના ઘડતરના અનુભવને આધારે શ્રમણ સાધકે માટેના જે નિયમા ઘડી કાઢયા તે નિયમે જ જૈનધર્મના આચારને બીજા ધર્મના આચારથી પૃથક્ કરે છે, અને તેનું પૃથક્ સ્તિત્વ પણ સિદ્ધ કરે છે. જીવનમાં જે સંપૂર્ણ અહિંસા પાળવી હેય તે તેનાં પૂરક ત્રતા——સત્ય, અચૌય, બ્રહ્મચર્યાં અને અરિગ્રહ—નું પાલન અનિવાય છે જ. તેનું પાલન તે! ખીજા ધર્માંમાં પણ નિર્દિષ્ટ છે જ; પણ એ તેના પાલનને સજીવ કરવુ હોય તે Page #49 -------------------------------------------------------------------------- ________________ સર જૈનધમચિંતન ઝીણી ઝીણી ખામતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. અને જ્યારે આપણે એ વ્રતાના આચારની ઝીણી ઝીણી બાબતાને અંગે નિયમેાપનિયમની હારમાળ જોઈએ છીએ ત્યારે જણાઈ આવે છે કે શ્રમણનિગ્રંથ બીજા શ્રમણથી કયાં જુદો પડે છે. બાહ્ય દેખાવે નગ્ન રૂપે સમાન છતાં એક નાગે! ભિક્ષુ ધૂણી તપાવીને ચીપિયા લઈ ને બેઠા હશે, ત્યારે આ શ્રમણ દિગંબર નિગ્રન્થ જાણે છે કે અગ્નિમાં પણ જીવે છે તે એને સમારંભ મારાથી થાય નહિ. આવું તે પ્રત્યેક બાબતમાં—વિહાર, ભિક્ષા, નિવાસ આદિ બાબતેામાં દેખાઈ આવશે. મતલબ કે નિન્યને આચાર અહિંસામય છે, જ્યારે બીજાને હિંસા–અહિ ંસાને વિવેક પણ હાતા નથી. આ અહિંસાની વિવેચના માટે જીવશાસ્ત્રની રચના કરવી પડી.. મહાવીરના મુખની વાણીનું પાન કરવું હોય તે। આચારાંગ જુએ. ત્યાં સર્વપ્રથમ શસ્ત્રની ચર્ચા કરી છે; એટલે કે જીવની હિંસા શાથી થાય છે એની જ વિવેચના કરી છે. એ વિવેચના કરવી હેાય તે સ્વતંત્ર જીવશાસ્ત્ર પણ રચવું પડે છે. તેમણે કહ્યું છે કે વિશ્વમાં એવું કયું સ્થાન છે, જ્યાં જીવ નથી ? પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ જેવી વસ્તુએ, જ્યાં બીજા લેાકેા જીવની સંભાવના પણ ન કરી શકે, ત્યાં પણ ભગવાન મહાવીરે જીવાનું દર્શન કર્યું, તે પછી દૃશ્ય કીટ-પતંગને અને પશુએ અને મનુષ્યેાને જીવ માનવા વિશે તે કહેવાનું જ ન હોય. આ બધા પ્રકારના જીવાની હિંસા ટાળીને સાધક કેમ જીવન વિતાવે એને વિવેક ભગવાન મહાવીરે બતાવ્યું છે. આમાં જ જૈનધર્મ સમાયેા છે. એક શબ્દમાં કહેવું હોય તે, જીવનમાં સામયિક એક ધર્મ છે, અને તે જ જૈનધમ છે. સામાયિકને સીધે અં સમતા છે. એટલે કે મહાભારતે જે કહ્યું સામન: પ્રતિकूलानि परेषां न समाचरेत् - તે જ સામાયિક છે. સંસારમાં બધા પ્રકારના જીવે પેાતાની ઉન્નતિ ચાહે છે; પતન કેાઈ ચાતું નથી. અધાને જીવવાનો અને ઉન્નત થવાનેા સરખા હક્ક છે. એટલે કે "" - ઃઃ Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ, ૨૩ એ ફલિત થાય છે કે એમની ઉન્નતિમાં બાધક નહિ પણ સાધક થવું એ પ્રત્યેક જીવનું કર્તવ્ય છે. જૈનધર્મની આ મૂળ નિષ્ઠા છે. ભગવાન મહાવીરની, તીર્થકર મહાવીરની આ મૂળ નિકા છે. - તીર્થકર - અહીં તીર્થકર શબ્દ ઉપર ભાર આપું છું તે એટલા માટે જ કે બીજા સામાન્ય સાધક અને સિદ્ધોની અપેક્ષાએ એ જ એમની વિશેષતા છે. સામાન્ય સાધકો તો માત્ર પોતાનું હિત કરીને જ સિદ્ધ થઈ ગયા. તેમણે પિતાની સાધનામાં સ્વકલ્યાણના જેટલું જ પર કલ્યાણને પણ વિશિષ્ટ સ્થાન આપ્યું ન હતું, પણ રાગ-દ્વેષ દૂર કરીને તેઓ વીતરાગ થયા ત્યારે શેષ આયુ ભેળવી તેઓ સિદ્ધ થઈ ગયાપણ તીર્થકરે કે મહાવીર વિષે એમ નથી. તેમના તીર્થકર નામકર્મના ઉપાદાનમાં કરણને અભ્યાસ પ્રથમ અને મુખ્ય કારણ છે. તેથી જ તેમની કરુણું મહાકસણારૂપે પ્રતિષ્ઠિત થઈ અને તેમણે જગતના જીવોના ઉદ્ધાર અર્થે જૈન શાસનને ઉપદેશ આપે અને તીર્થંકરપદને પામ્યા. જીવ, કર્મ, નિયતિ અને પુરુષાર્થ - જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી છે. પણ તે સંબંધ થયો તેમાં પણ શું કારણ છે? શું એ સંબંધ નિયત જ છે કે અનિયત ? અને અનિયત છે તો પછી તેનું કારણ શું ? શ્રમણોનો એક સંપ્રદાય આજીવક જીવ-કર્મના સંબંધને નિયત માનતો. હતો. એનું માનવું હતું કે એ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. તેમાં જીવના પ્રયત્નને કારણે કશું જ નવું થતું નથી. કાળના પરિપાકે, નિયમ પ્રમાણે જે ક્રમ બંધાઈ ગયા છે એ ક્રમે, કર્મો આપોઆપ છૂટાં થઈ જશે અને જીવે એ માટેનો વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. પણ આછવકેની આ નિયતિવાદની નિછા વિરુદ્ધ ભગવાન મહાવીરે માન્યું કે જીવ અને કર્મનો સંબંધ તેના પોતાના Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪ જૈનધમ યિ તન પ્રયત્નનું ફળ છે. જીવતા પુરુષાર્થ જ જેમ તેને કસાથે સંબદ કરે છે, તેમ તેને જ પુરુષાય તેને કમથી વિયુકત પણ કરે છે. આ પ્રકારે ધામિર્માંક ઇતિહાસમાં જ્યાં સુધી આપણી નજર પહેાંચે છે ત્યાં સુધી જોતાં આપણે કહી શકીએ છીએ કે ભગવાન મહાવીર એ પ્રથમ વ્યક્તિ છે, જેમણે મનુષ્યને નિયતિવાદના ચક્રમાંથી અચાવી તેના પેાતાના પુરુષાથ ઉપર ભરેાંસે રાખતા કર્યાં છે. આ કંઈ નાનીસૂની વાત નથી. બધું જ જો નિયત હાય અને એ નિયતિમાં જ નિષ્ઠા હાય તેા પછી સાધના જેવું કશું જ જીવનમાં રહેતું નથી. પણ, આથી વિરુદ્ધ, તે આપણે આપણા પેાતાના પુરુષા માં માનતા થઈ એ તેા, ધાર્યાં મુજબ સફળતા મળે કે ન મળે તેાપણુ, સફળતા માટેને સતત પ્રયત્ન કરવાનું આપણું બળ અને એ બળતા ઝરે। સુકાઈ જતા નથી, જીવનમાં નિરાશાને સ્થાન મળતું નથી, નિરંતર ઉત્સાહ એ જીવનનું અંગ બની જાય છે. ભગવાન મહાવીરના નિયતિવાદના ચક્રમાંથી સ થા છૂટવાને પ્રયત્ન છતાં અને તેમની નિયતિવાદને બદલે પુરુષાવાદમાં નિષ્ઠા છતાં, આજે આપણને જૈન શાસન જે રૂપે ઉપલબ્ધ છે એ મૂળમાં જો મહાવીરના ઉપદેશે! ઉપર જ આધારિત છે એમ માનવાના આપણા આગ્રહ હોય તે, આપણે માનવું જોઈએ કે ભગવાન મહાવીર પણ એ નિયતિવાદથી સર્વથા છૂટી શકયા નથી; અથવા, અનેકાંતની ભાષામાં કહેવું હોય તે, એમ કહી શકાય કે કેટલીક બાબતેામાં તેમણે નિયતિવાદ સ્વીકાર્યાં અને કેટલીક બાબતમાં તેમણે પુરુષાવાદને મહત્ત્વ આપ્યું. જીવના એ ભેદો ‘ ભવ્ય ' અને અભવ્ય ’ ને નિયતિવાદના સ્વીકારમાં મૂકી શકાય. પણ ભવ્ય જીવ જે પુરુષાર્થ કરી છુટકારા પ્રાપ્ત કરે છે તે પુરુષાવાદના સ્વીકારનું દૃષ્ટાંત છે. ભવ્ય જ મેક્ષને અધિકારી છે અને અભવ્ય નહિ જ—આ નિતિવાદ છે. પણ ભવ્ય જો યાગ્ય પુરુષા કરે તે! જ મુક્તિ પાપ્ત કરે છે, અન્યથા નહિ— આ પુરુષાર્થવાદ છે. વળી, શાસ્ત્રોમાં ભગવાન મહાવીરની સજ્ઞતાના , 4 " Page #52 -------------------------------------------------------------------------- ________________ - જેનાધામ સમર્થનમાં જે કેટલાક જીવોના ભાવિ ભવેનું વર્ણન આવે છે એ પણું જૈનધર્મમાં નિયતિચક્ર કેવું કાર્ય કરી રહ્યું છે તેની સૂચના આપી જાય છે. ઉપરાંત, દેશ અને કાળભેદે તીર્થંકરના અસ્તિત્વનાસ્તિત્વની જે માન્યતા છે તેમાં પણ નિયતિવાદ જ કામ કરી રહ્યો છે. અને સર્વજ્ઞતા ઉપર અતિ ભાર આપવાથી પુરુષાર્થવાદને સ્થાને કેવી રીતે નિયતિવાદ જ આવીને ઊભો રહે છે તેની પ્રતીતિ કરવી હોય તો શ્રી કાનજી મુનિનાં પ્રવચન વાંચો એટલે ખાતરી થશે કે - જૈનધર્મમાં નિયતિવાદનાં પણ બીજો સર્વથા નિર્મૂળ નથી થયાં. આ બધું છતાં જેનધામ એ નિયતિવાદી નથી, પણ પુરુષાર્થ વાદી છે એ પણ એટલું જ સાચું છે અને તે એટલા માટે કે - ભગવાન મહાવીરના ઉપદેશને ઝોક જીવના પુરુષાર્થ ઉપર જ છે. કમના બંધનનાં કારણોનું જે વિવેચન તેમણે કર્યું છે તે બતાવે છે કે તેઓ નિયતિને નહિ પણ પુરુષાર્થને મુક્તિ પ્રાપ્ત કરવામાં બળવાને કારણે માને છે. મનુષ્ય સ્વતંત્ર છે કે તે કષાયમાં લિપ્ત થાય કે તેથી છૂટવાનો પ્રયત્ન કરે. ભવ્ય જીવન કષાયથી છૂટવું જ હોય તે એવી કોઈ તાકાતું નથી, જે તેને તેમ કરતાં રોકી શકે. આ જ પુરુષાર્થવાદ છે અને તેનું પૂરું સમર્થન ભગવાન મહાવીરના ઉપદેશ તથા જીવનમાંથી મળી રહે છે. ચેતન-જડ સર્વ વસ્તુઓનું અનેકાંતાત્મક રૂપ જીવોની વિવિધતા અને એમના સૂક્ષ્મ-સ્થૂલ ભેદો તો પ્રત્યક્ષ જેવાં છે, પણ સ્વરૂપે જે બધા જ જીવો સરખા છે અને બધા જ જે અવસર મળે તો સિદ્ધાવસ્થામાં સમાન બનવાની શક્યતા ધરાવે છે, તે આ બધા ભેદનું કારણ શું ? એ કારણ તે કર્મ છે, એ કહેવાઈ ગયું છે. પણ જીવ અને કર્મના એ સંબંધને કેવી રીતે ઘટાવો, કર્મ સાથે સંબંધ થવા માત્રથી જીવ પોતાના સ્વરૂપમાં વૈવિધ્યને કેવી રીતે પ્રાપ્ત કરે છે અને સંસારપ્રપંચની રચના કેવી રીતે થાય Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન છે, આનું સ્પષ્ટીકરણ દાર્શનિકોએ અનેક રીતે કર્યું છે. તે સ્પષ્ટીકરણમાં જૈનોની આગવી નિષ્ઠા છે; અને તેને આપણે અનેકાંતવાદને નામે અગર જૈન દર્શનને નામે ઓળખી શકીએ. - કેટલાક દાર્શનિકે કહેતાં કે જીવ અને શરીરનો સંબંધ થવા છતાં તેથી જીવમાં કશે જ વિકાર નથી થતો. જીવતત્ત્વ શાશ્વત છે. જે કાંઈ વિકારે છે તે જીવસંબદ્ધ અચેતન પ્રકૃતિમાં જ થાય છે. જ્ઞાન. આદિ ગુણો પણ જીવના નહિ પણ પ્રકૃતિના જ છે. પુરુષ-પ્રકૃતિનું ભેદજ્ઞાન કે વિવેકજ્ઞાન થતાં પ્રકૃતિ અલગ થઈ જાય છે અને તે જ પુરુષને મોક્ષ કહેવાય છે. અર્થાત સંસાર અને મોક્ષ એ પ્રકૃતિ-જડ તત્ત્વને જ છે, પણ પુરુષમાં આરેપિત છે. પુરુષ તો અપરિણામી નિત્ય છે. આથી વિરુદ્ધ એવા પણ દાર્શનિક હતા, જેઓ કહેતા કે સંસાર કે મોક્ષ જેવી વસ્તુ જ નથી, જીવ પણ શાશ્વત નથી, જડવસ્તુઓના અમુક પ્રકારના સંમિશ્રણથી જીવની ઉત્પત્તિ થાય છે, અને મૃત્યુની સાથે જ જીવની પણ સમાપ્તિ થાય છે. તો તેના પુનર્જન્મના ચક્ર અર્થાત્ સંસારની વાત જ ક્યાં રહી ? અને જો સંસાર જ નથી તો મોક્ષ કેમ ? આ પ્રકારના બને તો ભગવાન મહાવીરની સામે હતા. તેમણે એ બને મતોમાંથી સારતત્વ લઈ લીધું અને અનેકાંતવાદની નિકા કાયમ કરી તેમણે જોયું કે જીવને એકાંત શાશ્વત માનવા જતાં તેમાં વિકારની સંભાવના જ રહેતી નથી. જે વિકારો દેખાય છે અને જે આત્માના છે એમ અનુભવાય છે, તે બધાને આત્માના નથી એમ કહેવાનો કશો અર્થ નથી. જડપ્રકૃતિ પ્રષાર્થ માટે પ્રવૃત્ત થાય અને પુરુષ કેવલ દ્રષ્ટા બન્યો રહે તો પછી એવા પુરુષને પૃથફ માનવાની આવશ્યકતા પણ શી રહે ? એટલે પુરુષને જ વિકારસંપન્ન–અનિત્ય માનવો રહ્યો. બીજી બાજુ, જન્મ અને મૃત્યુ પર્યત જ જે જીવની સ્થિતિ હોય તો પછી જીવોની આ સંસારમાં જન્મજાત જે વિવિધતા દેખાય છે, તેને ખુલાસો મળી રહેતો નથી. અને એ ખુલાસો કર્મને માનવાથી થઈ Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ જાય છે. તે કર્મ પૂર્વજન્મની વાસનારૂપ છે અને તેને જ કારણે જીવમાં જન્મજાત વૈવિધ્ય દેખાય છે. એટલે જીવને પુનર્જન્મના ચક્રમાં ફસાયેલ માનવો જ જોઈએ. અને એ માનવામાં તેની નિત્યતા પણ સ્વીકારવી આવશ્યક છે. અન્યથા એક જ જીવના નાના: જન્મ-મૃત્યુ નહિ પણ નાના જીવના નાના જન્મ-મૃત્યુ માનવા જતાં. કર્મનો નિયમ ખોટો પડે છે. કમ એકે કયું પણ કરનારને ફળ. મળ્યું નહિ અને જેણે નથી કર્યું તેને ફળ મળ્યું—આવી અવ્યવસ્થા ઊભી થાય. એટલે એથી બચવા જીવમાં નિત્યતા પણ માનવી જોઈએ –આમ વિચારી ભગવાને જીવતત્ત્વને નિત્ય અને અનિત્ય બને રૂપે. માન્યું. છેવદ્રવ્ય નિત્ય છે, જીવપર્યાય અર્થાત જીવપરિણામો-વિકારે. અનિત્ય છે. જે અનિત્ય છે તે કાયમ રહી શકે નહિ, એટલે એવા. વિકારો, જે સ્વાભાવિક નથી પણ કર્મજન્ય છે, તેને જીવથી દૂર કરી શકાય છે, એમ ફલિત થાય. અને એમ ફલિત થતાં મોક્ષપુરુષાર્થને અવકાશ પણ મળે. જે વસ્તુ ભગવાન મહાવીરે એક જીવ વિષે માની તે જ વસ્તુ : સમગ્ર લોક વિષે એટલે કે સંસારના સમગ્ર દ્રવ્ય વિષે–પછી તે જીવ હોય કે અજીવ તે બધાને વિષે–લાગુ કરી. એટલે તેમણે. કહ્યું કે વિશ્વની સમગ્ર વસ્તુઓ અનેકાંતાત્મક છે. જેમ જીવ વિષે તેમ અછવ-કર્મ વિષે પણ કહી શકાય કે જે તે એક જ રૂપ હોય –નિત્ય જ હોય–તે સદા તે જીવ સાથે સંબધુ જ રહે, કદી છૂટું પડે જ નહિ. જે એમ બને તો તો મોક્ષ-પુરુષાર્થ કે ધર્મસાધનાને અવકાશ જ રહે નહિ. એટલે જીવની જેમ કર્મને પણ વિકારી માનવું જ જોઈએ. તેને પણ પરિણામી માનવું જ જોઈએ. એથી એમ સંભવ બને કે આજે જે કમ વસંબદ્ધ હોય તે કાલે છૂટું પણ પડી જાય. આત્માનું શરીરપરિમાણત્વ , જીવ અને કર્મ–એ બન્નેને ઓતપ્રોત માનવાં હોય તો જીવનું પરિમાણ કેવું માનવું એ બાબતમાં ભગવાન મહાવીરની એટલે કે Page #55 -------------------------------------------------------------------------- ________________ -૨૮ જૈનધર્મચિંતન - જૈનધર્મની સ્વતંત્ર નિષ્ઠા છે. વૈદિક નિછા આત્માને વ્યાપક માન- નારી છે. તેથી વિરુદ્ધ ભગવાન મહાવીરે કહ્યું છે કે આત્મા શરીરપરિમાણ છે. આત્માને વ્યાપક માનીએ તો જીવની ગતિ કે પુનર્જન્મ, એ કેવલ ઔપચારિક ઘટનાઓ માનવી પડે; ત્યારે જે આત્માને - શરીરપરિમાણુ માનવામાં આવે તો તેની ગતિ કે પુનર્જન્મ બને ઔપચારિક નહીં પણ મુખ્યરૂપે ઘટી શકે છે. વ્યાપક વસ્તુની ગતિ તો સંભવે જ નહિ. વળી, વ્યાપક આત્મા ફૂટસ્થ નિત્ય મનાત - હોઈ તેમાં વિકારનો તે સંભવ જ નથી. તેથી નવું નવું શરીર સંબદ્ધ થાય. તે જ તેના પુનર્જન્મ કહેવાય. ખરી રીતે તે શરીરે જ જન્મે છે, આત્મામાં તો તેથી કશો જ વિકાર થયો નથી, તો તે તેનો જન્મ કેવી રીતે કહેવાય ? આવા વિચારમાંથી જીવને શરીરપરિમાણુ અને કર્મો સાથે ઓતપ્રોત હોઈ વિકારી માન્ય. એટલે મૃત્યુ થતાં અન્યત્ર તેની ગતિ અને જન્મ અને સંભવી શકે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ જીવની ગતિ અને એનું દેહપરિમાણપણું માનવાને કારણે જ જન દર્શનમાં બે સ્વતંત્ર તોમાં નિકા સ્વીકારવી પડી છે. અને તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. ભારતીય કઈ પણ દર્શનમાં આ બે તત્વોને માનવામાં આવ્યાં નથી. એટલે આ બે તને કારણે પણ જૈન દર્શન બીજાં દર્શનોથી જુદુ પડે છે. જીવની જે ગતિ હોય તો તેને સહાયક એક દ્રવ્ય હોવું જોઈએ: એ તકમાંથી ધર્માસ્તિકાય -અને ગતિ છતાં તે સદા ગતિશીલ જ ન રહે તે માટે અધર્માસ્તિકાયની કલ્પના કરવામાં આવી છે. ધર્મસ્તિકાય એ ગતિસહાયક દ્રવ્ય છે, તો અધર્માસ્તિકાય એ સ્થિતિ સહાયક દ્રવ્ય છે. જીવ ગતિ સ્વભાવ દ્રવ્ય છે અને મુક્તાવસ્થામાં કમ તો નથી, - જે તેની ગતિને દિશા આપતું હતું. ત્યારે પ્રશ્ન સહેજે થાય કે મુક્ત -જીવની ગતિ કયાં થાય ? બંધનબદ્ધની મુક્તિ સમયે સ્વાભાવિક ગતિ Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈન ઊર્ધ્વ હાય છે, એ અનુભવની વાત હતી. પાણીમાં તૂંબડાને માટીને લેપ કરી ડુબાડવામાં આવે તે માટીને લેપ સરી જતાં તે જેમ ઊંચે આવે છે, શીગમાં રહેલ એરંડાનું ખીજ શીંગ ફૂટતાં જેમ ઊંચે ઊડે છે, તેમ જીવનાં કબ ધને! શિથિલ થતાં જીવ પણ સ્વાભાવિક રીતે . ઊંચે ગતિ કરે છે. ગતિમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય છે જ. એટલે તેને વચ્ચે કયાંય રુકાવટ નથી. પણ આમ તે એ સદા ગતિ કર્યાં જ કરે અને સ્થિરતા કયાંય થાય જ નહિ. એટલે સદનસંમત . આકાશને જૈનધર્મીમાં લેાકાકાશ અને અલેાકાકાશ એમ બે પ્રકારનું કલ્પિત કરવામાં આવ્યું અને ધર્માસ્તિકાય. અહિં દ્રવ્યાનું અસ્તિત્વ કેવળ લેાકાકાશમાં જ માનવામાં આવ્યું. અર્થાત જ એમ મનાયું કે સિદ્ધ જીવ લેાકાતે પહોંચી સ્થિર થાય છે. આ માન્યતા પણુ જૈનોની આગવી છે, અને એ પૂર્વાંકત જીવની ગતિશીલતા, ધર્માસ્તિકાય અને લેાકાકાશની જૈન માન્યતાનું તર્કસંગત પરિણામ છે. અથવા એમ કહેવું જોઈએ કે સિદ્ધાલયની કલ્પનાને અનુરૂપ થવા લેાકાકાશની કલ્પના કરવામાં આવી. એ ગમે તેમ હેાય, પણ એટલું નક્કી કે જીવની ગતિશીલતા, શરીરપરિમાણુ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લેાકાકાશ અને સિદ્ધાલય એ બધી દાનિક કલ્પના જૈન દર્શનમાં પરસ્પર અન્વિત છે. એક વિના ખીજી નિરર્થક બને છે, એમાં તે સાય નથી. અને એ જૈન દર્શનની આગવી કલ્પના છે એ પણુ એટલું જ નિશ્ચિત કહી શકાય છે. અજીવતત્ત્વ દર્શનનું પ્રયાજન મેક્ષ છે અને મેક્ષ એ સંસારસાપેક્ષ છે. જીવના સંસાર છે તે મેાક્ષ છે. જો સંસાર જ ન હેાય તે મેક્ષની કલ્પના નિરર્થક બને. વિશ્વમાં કેવળ છવાનું જ અસ્તિત્વ હાય, અને ખીજું કશું જ ન હેાય, તે તેને સ ંસાર ઘટમાન બને ? –આ પ્રશ્નમાંથી જીવ સિવાય પણ બીજું તત્ત્વ માનવાની આવશ્યકતા જણાઈ. ઉપનિષદના ઋષિઓના વિચાર હતા કે જીવની અવિદ્યા જ સસારનું Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈનધમ ચિતન સર્જન કરે છે. અવિદ્યા એ સ્વતંત્ર તત્ત્વ નથી, પણ જીવનું મિથ્યાજ્ઞાન જ છે. આ મિથ્યાજ્ઞાનને લઈ ને જ જીવને આત્મ-અનાત્મ એવા ભેદ દેખાય છે; વસ્તુતઃ આત્મા સિવાય કશું જ નથી. જ્યારે · જીવનું અજ્ઞાન નષ્ટ થાય છે, ત્યારે તેને અદ્વૈતાત્મની પ્રતીતિ થાય છે અને તે વખતે આત્યેતર બીજી કશી જ વસ્તુની પ્રતીતિ થતી નથી. આ જ તેના મેાક્ષ છે. એટલે કે ઉપનિષદના ઋષિઓના મતે વિશ્વમાં આત્મતર કેાઈ વસ્તુ તત્ત્વતઃ નથી. પણ ભગવાન મહાવીરે જોયું કે જીવને સ્વભાવ જે જ્ઞાન હૈાય તે તેને અવિદ્યારૂપ–અજ્ઞાનરૂપ પરિણામ કેમ બને ? એ પરિણામ અકારણ તા હેાય નહીં. આત્માના અવિદ્યાપરિણામનુ જે કારણ તે જ, અને તેનું સ્વરૂપ આત્માથી તે ભિન્ન જ હોવું જોઈ એ. આ પ્રમાણે તેમણે જીવ ઉપરાંત અ પુદ્ગલની કલ્પના કરી. અને જીવ અને અજીવ–કમ પુદ્ગલ–નો સંપક જ જીવમાં અવિદ્યાપરિણામની ઉત્પત્તિ કરવામાં કારણ બને છે. એ સંબંધને દૂર કરવામાં જ મેક્ષપુરુષાર્થની સાકતા છે. આ પ્રમાણે સંસાર–બંધનો ખુલાસા કરવામાં જ અજીવતત્ત્વ હાથ લાગ્યું અને એ અજીવતત્ત્વ-પુદ્ગલથી જ સમગ્ર બાહ્ય પ્રપંચ નિષ્પન્ન છે એમ ભગવાન મહાવીરે સિદ્ધ કર્યુ. પુદ્ગલ-અજીવતત્ત્વવિષેની વિચારણામાં પરમાતત્ત્વ વિષે જૈન દનમાં જે સૂક્ષ્મ ચિંતન મળે છે તે અન્યત્ર દુ`ભ છે. પરમાણુની વિવિધ વ^ણાએનો વિચાર અને એ વણાએ વડે ક, ભાષા, મન, ઇંદ્રિય, શરીર આદિ સૂક્ષ્મ-સ્થૂલ પદાર્થો કેવી રીતે ઉત્પન્ન થાય છે એને સૂક્ષ્મ વિચાર એ જૈન દર્શનની આગવી વસ્તુ છે. અને આજના વૈજ્ઞાનિકા પરમાણુ વિષે જે હદે પહોંચ્યા છે તેથી પણ વધારે સૂક્ષ્મ વિચાર જૈનેાએ પરમાણુ વિષે કર્યાં છે એમ કેટલાક વૈજ્ઞાનિકે પણ માનવા લાગ્યા છે. આ પ્રમાણે અહીં જૈન દર્શનનાં મૌલિક તત્ત્વાની તાર્કિક સંગતિ બતાવવાને આ પ્રયત્ન કર્યાં છે. જૈનધર્મ કે દર્શનનુ Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ, આંતરિક સ્વરૂપે પ્રાપ્ત કરવું હોય તે આ તનું જ્ઞાન આવશ્યક છે. પણ પ્રત્યેક ધર્મનું કેવળ આંતરિક સ્વરૂપ જ હોતું નથી; એનું આવરણ–શરીર પણ એ ધર્મના નામે ઓળખાય છે. તો જનધર્મના એ શરીરને પણ વિચાર કરો આવશ્યક છે. (૪) જૈન સંઘ અને એને પ્રચાર આગળ જે તત્ત્વજ્ઞાનને નિર્દેશ કરવામાં આવ્યું છે એ તત્ત્વજ્ઞાનને જીવનમાં સાક્ષાત્કાર કરવા મથતા સાધકોનો સમુદાય એ જૈન સંધ છે. જૈન સાધના વ્યક્તિગત સાધનાને પ્રાધાન્ય આપે છે, પણ મનુષ્ય એ સામાજિક પ્રાણ હોઈ એકલવિહારી રહી શકે નહિ, એટલે એવા સાધનો સંઘ બન્યો. એ સાધકોએ સ્વના ઉદ્ધાર સાથે જ પરના ઉદ્ધારની પણ પ્રક્રિયા શરૂ કરી, અને એ પ્રક્રિયામાંથી પૂર્વ દેશમાં ઉત્પન્ન થયેલ જૈન સંઘ સમગ્ર ભારતવર્ષમાં અને થોડા અંશે બહત ભારતમાં પણ પ્રચારને પામ્યો. આંતરિક અને બાહ્ય બળનું પરિણામ ભગવાન મહાવીરની તપસ્યા અને ઉત્કટ સાધનાનું અનુકરણ જેટલા પ્રમાણમાં થયું એટલા પ્રમાણમાં જૈનધર્મનો પ્રચાર પોતાના આંતરિક બળે થયો. પણ એ સાધનાને પ્રશંસનારા રાજાઓ અને ધનાઢ્યો પણ મળ્યા, અને તેમણે પ્રચારમાં જે બળ વાપર્યું તે કેવળ આધ્યાત્મિક જ હતું એમ ન કહી શકાય. તે બાહ્ય બળ હતું અને તેમાં મુખ્યત્વે મંદિરો અને મૂર્તિઓનાં નિર્માણ ઉપરાંત અમારિની આજ્ઞાઓ પણુ ગણાવી શકાય. આ બાહ્ય બળની સાથે આંતરિક બળને જ્યાં સુધી સુમેળ રહ્યો, ત્યાં સુધી તો જૈનધર્મ ઉન્નત થતો ગયો; પણ જેટલા પ્રમાણમાં આંતરિક બળ ઘટતું ગયું તેટલા પ્રમાણમાં બાહ્ય બળનો આશ્રય વધારે લેવામાં આવ્યો; અને તેટલા પ્રમાણમાં ખરા જૈનધર્મને નહિ પણ જૈનધર્મના શરીરનો પ્રચાર થયો. આત્મા વિનાના શરીરની જે સ્થિતિ થાય, એવી સ્થિતિ જેનધર્મની પણ થઈ અને બૃહત ભારતમાં તો તેનું નામનિશાન પણ રહ્યું નહિ. Page #59 -------------------------------------------------------------------------- ________________ જેનધર્મચિંતન અને ભારતમાં પણ જે પૂર્વ ભારતમાં તે અંકુરિત થયો અને ફાલ્યોફૂલ્યું હતું, ત્યાં પણ આજે તેનું નામનિશાન નથી. આત્મા વિનાનાં શરીરે આધુનિક મંદિર રૂપે ત્યાં ઊભાં છે, પણ તેને પૂજકો ત્યાં છે. જ નહિ. પશ્ચિમ અને દક્ષિણને જેને જઈ પૂજા કરે છે. ખરી રીતે ભારતવર્ષમાં અશોકના શિલાલેખોની જે સ્થિતિ થઈ હતી, તેવી જ સ્થિતિ પૂર્વભારતમાં જૈનધર્મની આજે પણ છે. હિંદુ અને બૌદ્ધધર્મની પરિવર્તનશીલતા ( હિન્દુધર્મનું બાહ્ય અને આંતરિક સ્વરૂપ જોઈએ તો વૈદિક કાળ અને આજના કાળ વચ્ચે તેમાં ઘણું આંતર-બાહ્ય ઊથલ-. પાથલ માલૂમ પડે છે. વેદવારાનો ધર્મ આજે જડતો નથી. તેનો આંતરિક મૂળ પ્રવાહ કાયમ છતાં તેનાં બાહ્ય અનેક રૂપમાં એ એવો તો પરિવર્તિત થઈ ગયું છે કે જો તેમાં વેદનિષ્ટા કાયમ ન રહી હોત તો એ કહેવું પણ કઠણ થઈ પડી કે આ એ જ ધર્મનાં રૂપાંતરો છે. બૌદ્ધધર્મ વિષે પણ એવું જ બન્યું છે. તેમાં પણ બુદ્ધ-- નિશા જ બધા બૌદ્ધ સંપ્રદાયને એક સૂત્રમાં બાંધી રહી છે. અન્યથા, દાર્શનિક દૃષ્ટિએ કે આચાર દૃષ્ટિએ, બૌદ્ધધર્મમાં જે સંપ્રદાયો થયા છે. તે બધાનું મૂળ એક જ ધમ છે એની ઓળખ કરવી અત્યંત કઠણ. થઈ પડત. જૈનધર્મની સ્થિતિશીલતા પણ જેનધર્મની બાબતમાં તેમ નથી બન્યું. એ ધર્મનું વૈદિક કે બૌદ્ધધર્મની જેમ પ્રગતિશીલતા એ લક્ષણ નથી. એમાં અનેક સંપ્રદાયે. થયા, પણ એ ભેદોએ તેઓમાં કઈ નવું દર્શન જન્માવ્યું નથી. બૌદ્ધોમાં જેટલા સંપ્રદાયો એટલાં દર્શનો છે. વૈદિક ધર્મમાં પણ નાના દર્શને પ્રસિદ્ધ છે. પણ જૈન દર્શન વિકસ્યું છે, છતાં તેમાં નવું દર્શન કદી જગ્યું નથી. દર્શન એનું એ જ, નિકા એની એ જ. બાહ્ય. આચારમાં ભેદ, એ જ મુખ્યતઃ સંપ્રદાયભેદ કે સંધભેદના કારણુ. Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ૩૩ છે. જેના દર્શનની આ સ્થિતિશીલતા જ તેના પ્રચારમાં બાધક રહી હોય તો ના નહિ. કારણ, જ્યારે વૈદિકે અને બદ્ધો નવાં નવા વિચારોને પિતાનામાં સ્થાન આપતા ગયા અને પિતાના તત્ત્વજ્ઞાનને નવું રૂપ આપતા ગયા, ત્યારે જેનેએ પોતાના દર્શનને નવું રૂપ આપવાનો કદી પ્રયાસ કર્યો નથી. મતલબ કે તે તે વખતે થયેલા જૈનેતર દાર્શનિક વિવાદોનો સમન્વય કરીને જેનેએ અનેકાંતવાદને સમૃદ્ધ તો કર્યો, પણ નવા કોઈ દર્શનનું સર્જન કર્યું નહીં. સંભવ છે કે આચાર્યો એમ જ માનતા હતા કે અમારું દર્શન તે પરિપૂર્ણ છે, એમાં પરિવર્તનની આવશ્યકતા જ નથી. અને તેના કારણ રૂપ સર્વને ધરતા હોય. પણ એ દલીલ તો બૌદ્ધો કે વૈદિકે વિષે પણ કરી શકાય. તેઓ પણ વેદ કે બુદ્ધને સર્વજ્ઞ જ માનતા. છતાં તેના નવીનીકરણમાં વેદ કે બુદ્ધ કદી આડે આવ્યા નથી; જ્યારે જૈનોમાં નવીનીકરણ કેમ ન થયું એ એક સમસ્યા છે. આનું કારણ એ હોઈ શકે કે જેના દર્શન એ વાસ્તવાદી–અત્યંત વાસ્તવવાદીરહ્યું છે, એટલે કે એણે કદી માયાવાદને આશ્રય લીધો નથી. અને તેથી તેમાં કાલ્પનિક દર્શનને અવકાશ ન મળે તે સ્વાભાવિક છે. અને જે કલ્પનાનો દોર છૂટો મૂકવાનો અવકાશ જ ન હોય તો દર્શનભેદ • સંભવે ક્યાંથી ? પ્રાચીનતાના મેહને પણ આનું એક કારણ ગણુવી શકાય. પ્રત્યેક સંપ્રદાયને એ પ્રયત્ન રહ્યો છે કે આસપાસનાં જાળાં દૂર કરીને તાત્ત્વિક જૈનધર્મ ઉપર જવાનો પ્રયત્ન કરવો. સમયબળે જૈન ધર્મમાં જે નવી ધારા વહી હોય તે નવી છે માટે જેનધર્મનું અંગ ન હોઈ શકે, જૈનધર્મ તો ભગવાન મહાવીરે જે કંઈ ઉપદેર્યું છે તેના પાલનમાં જ છે, એમાં સુધારને અવકાશ નથી, નવીનીકરણને અવકાશ નથી–આવી ધારણાને ફરી ફરી પ્રચાર કરવામાં આવ્યો છે. એથી, આપણે જોઈએ છીએ કે, સ્થાનકવાસી કે તેરાપંથી સંપ્રદાયે આગમ સિવાયના જૈન સાહિત્યનો વારસો ગુમાવ્યો. અને જેને કળા કે શિલ્પને નામે જે કાંઈ ઓળખાય છે, તીર્થોને નામે Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ચિતન ૩૪ જે પ્રસિદ્ધ છે, એ બધાં સાથે તેમને કાંઈ લેવા દેવા રહી નથી. અને પ્રારભમાં જૈનધર્મની જે સ્થિતિ હતી તેમાં પહોંચવાના પ્રયત્ન કરવામાં આવ્યું છે; આ એક રીતે ઊલટી ગંગા વહાવવા જેવા પ્રયત્ન જ ગણાય. મનુષ્યની બુદ્ધિને ધમાં કે દર્શનમાં કશું જ નવું કરવાને અવકાશ નથી—આવી માન્યતા આના મૂળમાં સ્વીકારવી પડે. પણ આ તે સ્વયં જૈનધમે જ ઉપદેશેલી આત્મનિરતાની જ વિરુદ્ધ ગણાય. હમણાં હમણાં વળી શ્રી કાનજી મુનિને એક નવે। સંપ્રદાય સ્થપાયા છે. અંતે ઉદ્ભવ તા સ્થાનકવાસીમાંથી થયા છે, પણ સ્થાનકવાસીમાંથી નિકળેલ તેરાપથી અને આ નવા સંપ્રદાય એ બન્નેની દિશા તદ્દન જુદી છે. તેરાપંથી અને આ સંપ્રદાય બન્ને કહે છે કે અમે મૂળ માનું અનુસરણ કરવા માગીએ છીએ; પણ એકમાં મૂર્તિને અવકાશ જ નથી, ત્યારે ખીજામાં મૂર્તિને અવકારા છે. વળી, એક પેાતાને શ્વેતામ્બર આમ્નાયમાં સ્વીકારે છે, જ્યારે ખીન્ને પેાતાને દિગમ્બર કહેવરાવે છે. શ્રી કાનજી મુનિના સંપ્રદાયમાં નિશ્ચયનય ઉપર વધારે ભાર હોઈ એમાં જૈનસંમત પુરુષાવાદને સ્થાન નથી. એક બાજુ તેઓ આત્મચિન્તન-મનનને માર્ગ અપનાવે છે અને રૂઢ ક્રિયાકાંડાને વિરાધ કરે છે; અને બીજી બાજુ તેમણે નવા પ્રકારનાં મદિરા ઊભાં કરવા માંડયાં છે, અને તેમાં શ્રી સીમાંધર સ્વામીની પ્રતિષ્ઠા કરાવવામાં આવે છે. આમ ક્રિયાકાંડની નવી નવી રૂઢિઓ ઊભી થતી જાય છે. આમાં રહેલે પરસ્પર વિરેાધ તદ્દન પસ્ટ છે. ઃ ,, પ્રબુધ્ધજીવન તા. ૧ તથા ૧૫ ડિસેમ્બર, ૧૯૫૬; ૧૫ માર્ચ, ૧ તથા ૧૫ એપ્રિલ, ૧૯૫૭, Page #62 -------------------------------------------------------------------------- ________________ જન દર્શનનાં તો જૈનધર્મનું પ્રવર્તન કેઈએક પુરુષને નામે, શૈવ, વૈષ્ણવ આદિની જેમ, નથી ચડ્યું; પણ એ જિન–રાગદ્વેષના વિજેતાઓએ આચરેલ અને ઉપદેશેલ ધર્મનું નામ છે. આથી જૈનધર્મ કેઈ એક વ્યક્તિથી પ્રવર્તિત થયો છે કે કેઈ એક વ્યક્તિને જ તેમાં દેવ તરીકે સ્થાન છે એમ નથી, પણ જે કોઈ રાગ-દ્વેષનો વિજેતા હોય તે જિન છે અને તેમનો ધર્મ તે જૈનધર્મ. આવા જૈનધર્મના અનુયાયીઓ જૈન કહેવાય છે. તીર્થકરેએ ઉદ્દબોધેલી માનવની શ્રેષ્ઠતા તેઓએ કાળક્રમે જેમનામાં રાગ-દ્વેષનો વિજય જે તેમને પિતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા અને એવા વિશિષ્ટ દેવોને “તીર્થકર એવું નામ આપ્યું. આવા તીર્થકરોની સંખ્યા તેમને મતે ઘણું મોટી છે; પણ આ કાળમાં–આ યુગમાં–વિશેષતઃ ઋષભદેવથી માંડીને વર્ધમાન સુધીના ૨૪ તીર્થંકર પ્રસિદ્ધ છે. બીજા ધર્મોની જેમ તેઓ ઈશ્વરના અવતાર નથી કે અનાદિસિદ્ધ ઈશ્વર પણ નથી. પરંતુ સામાન્ય મનુષ્યરૂપે "જન્મેલ છતાં પૂર્વ સંસ્કારને કારણે અને પૂર્વ જન્મમાં વિશેષ પ્રકારની સાધના કરીને તીર્થંકરપદને પામ્યા છે. એટલે કે તીર્થકર એ આપણું મનુષ્યમાંના જ એક છે. અને તેમનો સંદેશ છે કે જે કોઈ તેમની જેમ પ્રયત્ન કરે તે તીર્થંકરપદને પામી શકે છે. મનુષ્યજાતિમાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈનધમ ચિંતન આ પ્રકારના આત્મવિશ્વાસની પ્રેરણા આપનાર એ તીર્થંકરા છે. અન્ય ધર્મોંમાં મનુષ્યથી જુદી જાતિના દેવા પૂજ્યતા પ્રાપ્ત કરે છે, પણ જૈનધમ માં મનુષ્ય એવી શક્તિને મેળવે છે, જેથી દેવેા પણ તેમને પૂજે છે धम्मो मंगलमुकिटं अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ॥ મનુષ્યજાતિનું પદ ઉત્કૃષ્ટ છે એ મતલબનું મહાભારતમાં કહ્યું છે. મૈં માનુષાત્ શ્રેષ્ઠતા ફ્રિ ચિન્વિત ’—( શાંતિપ` ૨૯૯-૨૦) મનુષ્યથી કોઈ શ્રેષ્ઠ નથી. મનુષ્યની આવી પ્રતિષ્ઠા કરવામાં જૈન તીયકરાના કાળા જેવા તેવા નથી. જ્યાં સુધી તીર્થંકરાનેા પ્રભાવ ન હતેા. ત્યાં સુધી ઇન્દ્રાદિ દેવાની પૂજન-પ્રતિષ્ઠા આર્યાં કરતા હતા અને અનેક હિંસક યજ્ઞાનું અનુષ્ઠાન કરી તેમને રીઝવી બદલામાં સંપત્તિ માગતા હતા. તીથ કરેાએ મનુષ્યની એ દીનતાને નિવારીને મનુષ્યનું ભાગ્ય મનુષ્યના જ હાથમાં સોંપ્યું અને ધાર્મિક માન્યતામાં નવજાગરણ આવ્યું; મનુષ્ય પેાતાના સામર્થ્યને એળખતે થયા અને એણે ઇન્દ્રાદ્રિ દેવેાની ઉપાસના છેડી દીધી. પરિણામે વૈર્દિક આર્યમાં પણ રામ અને કૃષ્ણ જેવા મનુષ્યા પૂજાવા લાગ્યા—પછી ભલે કાળક્રમે તેમને અવતારી પુરુષા બનાવી દીધા. પણ મૂળ વાત એટલી સાચી છે કે દેવ કરતાં પણ મનુષ્ય મહાન છે, એ સંદેશ તેા તીથ કરેાએ જ આર્યંને આપ્યા છે. અહિંસા અને અનેકાન્ત < તીથ "કરાએ પ્રવર્તાવેલ ધર્મનું સ્વરૂપ શું છે ? તેનું હૃદય શું છે? –એ એક શબ્દમાં કહેવું હેાય તે! · અહિ ંસા ’ છે. આચારમાં અહિ સાનાં એ રૂપ છે: સયમ અને તપ, સયમમાં સંવર–સકાય આવે છે શરીરના, મનને અને વાણીને. આથી તે નવાં બંધનામાં પડતા નથી; અને તપથી તે જૂનાં ઉપાર્જિત બંધને ને કાપી નાખે છે. આમ એક Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન દશનનાં તો ૩૭ માત્ર અહિંસાના પાલનથી મનુષ્ય મુક્તિ મેળવી શકે છે. • જીવનમાં અહિંસાનું પૂરેપૂરું પાલન કરવું હોય તે વિચારમાં અનેકાંતને અપનાવ્યા વિના ચાલે જ નહિ. આથી અહિંસામાંથી જ જેનધર્મને દાર્શનિક સિદ્ધાંત અનેકાંત ફલિત થયું છે. વિચારનાં દ્વારે ખુલ્લાં રાખો, તમને બધાના વિચારોમાંથી સત્ય જડી આવશે આ છે અનેકાંતનો અર્થ. સત્યના આગ્રહી માટે સર્વપ્રથમ પિતાને એ કદાગ્રહ કે “મારું તે જ સાચું અને બીજું જૂઠું”—એ છોડવો જ પડે; એ ન છોડે ત્યાં સુધી તે બીજાને અન્યાય જ કરશે અને તે જ તે હિંસા છે. આથી અહિંસકને માટે અનેકાંતવાદી થવું અનિવાર્ય છે. આથી જૈનધર્મમાં જે દર્શનનો વિકાસ થયો તે એકાંતવાદી નહીં પણ અનેકાંતવાદી દર્શનનો થયે છે. . અહિંસાને જીવનવ્યવહાર માટે જે આચાર તે જ જૈનધર્મ; અને અહિંસાથી ફલિત થતું દર્શન તે જૈન દર્શન. આથી જૈનધર્મને અનુસરનાર શ્રમણના જીવનવ્યવહારમાં સ્થૂળ જીવની રક્ષાથી આગળ વધીને જે સૂક્ષ્મ જીવો છે, જે નરી આંખે દેખાતા પણ નથી, તેમની રક્ષાની પણ ભાવના છે. અને એ ભાવનાને આધારે જ આચારના વિધિનિષેધોની હારમાળા ઘડાઈ છે. એને સંપૂર્ણતઃ અનુસરવાનો પ્રયત્ન શ્રમણ અને અંશતઃ અનુસરવાનો પ્રયત્ન શ્રાવકે કરે છે. આચારની પાછળ દર્શન ન હોય તો આચારની સાધનામાં નિષ્ઠા આવતી નથી. આથી દરેક ધમે જીવના બંધ અને મોક્ષ તથા જીવન જગત સાથેનો સંબંધ તથા જગતના સ્વરૂપ વિષે અનિવાર્ય રીતે વિચાર કરવો પડે છે. એ અનિવાર્યતામાંથી સમગ્ર જૈન દર્શન ઊભું થયું છે. પ્રથમ કહેવાયું તેમ, જૈન દર્શનના વિચારની એ વિશેષતા છે કે તે સત્યની શોધ માટે તત્પર છે અને આથી જ સકલ દર્શનોના સમૂહરૂપ જૈન દર્શન છે–એવો ઉલ્લેષ આચાર્ય જિનભદ્ર જેવા આચાર્યો કરી ગયા છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈનધર્મચિંતન છ દ્રવ્ય જૈન દર્શનનાં મૂળ તો બે જ છે. જીવ અને અજીવ. એ એને વિસ્તાર પાંચ અસ્તિકાયરૂપે, છ દ્રવ્યરૂપે અથવા સાત તત્ત્વ કે નવ તસ્વરૂપે વર્ણવવામાં આવે છે. ચાર્વાકો કેવળ અજીવને પાંચ ભૂતરૂપે માનનારા હતા; અને ઉપનિષદના ઋષિએ કેવળ જીવન એટલે કે આત્મા –પુરુષ–બ્રહ્મને માનનારા હતા. એ બન્ને મતનો સમન્વય જીવ અને અજીવ માનીને જૈન દર્શનમાં થયું છે. સંસાર અને સિદ્ધિ-નિર્વાણું કે બંધન અને મુક્તિ, એ તો જ ઘટે જે જીવ અને ઈતર હોય. આથી જીવ અને અજીવ બન્નેના અસ્તિત્વની તાર્કિક સંગતિ જેનેએ સિદ્ધ કરી; અને પુરુષ અને પ્રકૃતિનું અસ્તિત્વ માની પ્રાચીન સાંખ્યોએ પણ એ સંગતિ સાધી હતી. વળી, આત્માને કે પુરુષને કેવળ કૂટસ્થ માનવાથી પણુ બંધ-મોક્ષ જેવી વિરોધી અવસ્થાઓ જીવમાં ઘટી શકે નહિ. આથી બધાં દર્શનેથી જુદા પડીને, બૌદ્ધસંમત ચિત્તની જેમ, આત્માને પણ એક અપેક્ષાએ જેનેએ અનિત્ય માન્યો, અને વૈદિકની જેમ નિત્ય માનવામાં પણ જેનોને વાંધો તો છે જ નહિ કારણ કે બંધ અને મેક્ષ અને પુનર્જીવનનું ચક્ર એક જ આત્મામાં છે. આમ આત્મા જૈન મતે પરિણામી નિત્ય માનવામાં આવ્યું. સાંખ્યોએ પ્રકૃતિને–જડતત્વને તો પરિણમી નિત્ય માન્યું હતું, પણ પુરુષને ફૂટસ્થ. પરંતુ જૈનોએ જડ અને જીવ બન્નેને પરિણામી નિત્ય માન્યાં. . આમાં પણ તેમની અનેકાંતદૃષ્ટિ સ્પષ્ટ થાય છે. - જીવન ચૈતન્યનો અનુભવ માત્ર દેહમાં થતો હોઈ જૈન મતે જીવ–આત્મા દેહપરિમાણ છે. નવા નવા જન્મે છવને ધારણ કરવા પડે છે તેથી તેને ગમનાગમન અનિવાર્ય છે. આથી જીવને ગમનમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાયને નામે અને સ્થિતિમાં સહાયક દ્રવ્ય અધર્માસ્તિકાયને નામે–એમ બે અજીવ દ્રવ્ય માનવાં અનિવાર્ય થઈ પડ્યાં. તે જ રીતે જીવને જે સંસાર હોય તો બંધન હોવું જોઈએ. એ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જૈન દર્શનનાં તો બંધન પુદ્ગલ એટલે કે જડ દ્રવ્યનું છે. આથી પુગલાસ્તિકાય રૂપે એક અન્ય પણ અજીવ દ્રવ્ય મનાયું. આ બધાને અવકાશ આપે. એવું જે દ્રવ્ય તે આકાશ; એ પણ જડરૂપ અજીવ દ્રવ્ય માનવું જરૂરી હતું. આ પ્રમાણે જૈન દર્શનમાં છવ, ધર્મ, અધમ, આકાશ અને પુગલ એ પાંચ અસ્તિકાયો માનવામાં આવ્યા છે. પણ જીવાદિ દ્રવ્યની વિવિધ અવસ્થાઓની કલ્પના કાલ વિના થઈ શકે નહિ; આથી એક સ્વતંત્ર કાલદ્રવ્ય પણ અનિવાર્ય હતું. આ રીતે પાંચ અસ્તિકાયને સ્થાને છ દ્રવ્યો પણ થયાં. જ્યારે કાલને સ્વતંત્ર દ્રવ્ય માનવામાં નથી આવતું ત્યારે તેને જીવ અને અજીવ દ્રવ્યના પર્યાયરૂપે જ માનીને કામ ચલાવવામાં આવે છે. સાત કે નવ તત્ત્વ હવે સાત તત્ત્વ અને નવ તત્ત્વ વિશે થોડું સ્પષ્ટીકરણ કરી લઈએ. જૈન દર્શનમાં તત્ત્વવિચાર બે રીતે કરવામાં આવે છે. એક પ્રકાર વિશે આપણે ઉપર જોયું. બીજો પ્રકાર મોક્ષમાર્ગમાં ઉપયોગી થાય એ રીતે તેની ગણતરી કરવાનો છે. આમાં છવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ–એ સાત તત્ત્વોને ગણવાનો એક પ્રકારનું અને તેમાં પુણ્ય અને પાપ ઉમેરીને કુલ નવ તત્ત્વોને ગણવાને બીજો પ્રકાર છે. વસ્તુતઃ જીવ અને અજીવન વિસ્તારરૂપે જ સાત અને નવ તને ગણાવ્યાં છે, કારણ કે મોક્ષમાર્ગના વર્ણનમાં એવું પૃથકકરણ ઉપયેગી થઈ પડે છે. જીવ અને અજીવ વિષેનું સ્પષ્ટીકરણ તો ઉપર કર્યું જ છે. અંશતઃ અજીવ–કમસંસ્કારબંધન–નું જીવથી પૃથફ થવું એ નિર્જરા છે અને સર્વાશે પૃથફ થવું એ મેક્ષ છે. કર્મ જે કારણોએ જીવ સાથે બંધમાં આવે છે તે કારણ આસ્રવ છે અને એને નિરાધ તે સંવર છે. જીવ અને અજીવ -કર્મનું એક જેવા થઈ જવું તે બંધ છે. સાર એ છે કે છવમાં રાગ-દ્વેષ, પ્રમાદ આદિ જ્યાં સુધી છે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જેનધર્મચિંતન ત્યાં સુધી બંધનાં કારણે મેજૂદ હોઈ સંસારવૃદ્ધિ થયા કરે છે. એ કારણોનો નિરોધ કરવામાં આવે તો સંસાર મટી જીવ સિદ્ધિ કે નિર્વાણ અવસ્થાને પામે છે. નિરોધની પ્રક્રિયા સંવર છે, એટલે કે જીવની મુક્ત થવાની સાધના–વિરતિ આદિ, એ સંવર છે; અને કેવળ વિરતિ આદિથી સંતુષ્ટ ન થતાં છવ કર્મથી છૂટવા તપસ્યાદિ આકરાં અનુષ્ઠાન પણ કરે છે તેથી નિર્જરા–આંશિક છુટકારો થાય છે અને અંતે એ મોક્ષ પામે છે. –પંડિત સુખલાલજીકૃત “જૈનધર્મને પ્રાણ”ની ભૂમિકામાંથી. Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિનો સંદેશ આજે આપણે કંઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તે તરત જ આપણને એ વિચાર આવે છે કે આપણે આ પ્રવૃત્તિનું ફળ શું આવશે, બીજા લોકો આપણને શું કહેશે વગેરે. પણ આદિ માનવની સામે આ સવાલ ન હતો; એને તો કેવળ પિતાનું અસ્તિત્વ જ ટકાવી રાખવું હતું. એની સામે હિંસા કે અહિંસાને સવાલ જ ન હતો. પણ જેમ જેમ સમય વીતતો ગયે, માનવી કંઈક સભ્ય-સંસ્કારી બનતો ગયો, અને એણે પોતાના સમાજની રચના કરી ત્યારે એ આ બાબતનો વિચાર કરવા લાગ્યો. ધર્મ અને શાસ્ત્ર એ વખતે માનવીની સામે ન તો ધર્મને સવાલ હતો કે ન તો શાસ્ત્રોનો; ત્યારે તો એની સામે એકમાત્ર સવાલ હતો પોતાના સુખનો. એ સુખ પણ, પોતાની આસપાસના સમાજમાં એક જાતની વ્યવસ્થા ન હોય તો, મળી શકે એમ ન હતું. એણે જોયું કે આ માટે એને કેટલીક બાબતો તજવી જ પડશે, અને કેટલીક અપનાવવી પડશે. એણે પિતાના ભલાની ખાતર જેને સ્વીકાર કર્યો એ જ ધર્મ બની ગયો. અને એ સારી બાબતોની, સાચા નિયમોની જે પરંપરા ચાલી એનાથી શાસ્ત્રો બન્યાં. એટલા માટે જ એ જમાનાનાં શાસ્ત્રોમાં ભૌતિક સુખ-સાધનોનું વર્ણન વિશેષ જોવામાં આવે છે. જે Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ચિંતન પ્રવૃત્તિને.સમાજે પસંદ કરી એ શાસ્ત્રબુદ થઈ ગઈ. આ રીતે માનવીએએ જેમ જેમ, પેાતાની જરૂરિયાત પ્રમાણે, પ્રવૃત્તિઓમાં ફેરફાર અને વિકાર કર્યાં, તેમ તેમ શાસ્ત્ર પણ બનતું અને વિકૃત થતું ગયું. પણ એ વખતે માનવી શાસ્ત્રને ગુલામ ન હતા, પણ શાસ્ત્રો એને અનુસરતાં હતાં. પણ એક સમય એવે આવ્યેા, જ્યારે આ ક્રમ બદલાઈ ગયા. ત્યારે એ શાસ્ત્રોને રચનાર અને એને વિકૃત કરનાર ન રહ્યો. એ તે શાસ્ત્રોને અદશ્ય ક્તિએ મેાલેલાં માનવા લાગ્યા ! અધ્યાત્મવાદીઓ, જૈન સમાજ અને તી કરા ૪૨ આ રીતે શાસ્ત્રો નદીના વહેતાં નીરના બદલે તળાવના પાણીની જેમ ધિયાર થઈ ગયાં; આમ છતાં માનવીનું ભેજું તે આ રીતે અંધિયાર રહે એવુ નથી. એણે જોયું કે અત્યાર લગીમાં જે કંઈ થયું છે તે તે પેાતાની જાતને ખાઈ તે જ થયું છે. માનવી શાસ્ત્રોના ગુલામ શી રીતે બની શકે? એ તે નવાં શાસ્ત્રોની રચના કરશે. એણે વિચાયું, હું આ જે કંઈ કરી રહ્યો છું—ધન ભેગું કરું છું, કુટુંબ વધારું છું, સામ્રાજ્યના વિસ્તાર કરુ છું—-એ બધું તે ઠીક જ છે; પરંતુ છેવટે આ બધું શા માટે ? કાને માટે? હું કોણ છું? મેં આખી બાહ્ય દુનિયા તા જોઈ, પણ મેં મારી પેાતાની જાતને તા જોઈ જ નહીં! શું મારી જાતની પણ ભાળ મળી શકે છે? આ વિચારથી પ્રેરાઈ ને કેટલાક લેાકે, શાંતિને માટે, જગલેામાં જઈને વસવા લાગ્યા, અને પેાતાની જાતની શેાધ કરવા લાગ્યા.. એના પરિણામરૂપે આપણે ભારતમાં આધ્યાત્મિક દર્શનાની અધિકતા જોઈએ છીએ. આ અધ્યાત્મવાદીઓનાં પણ જુદાં જુદાં શાસ્ત્રો અને ક્રિયાકલાપ છે. આ અધ્યાત્મવાદીઓની જ પરપરામાં એક એ સમાજ છે કે જે પેાતાની હસ્તીને આજ લગી ટકાવી રહ્યો છે; અને જેને આજે આપણે “ જૈન સમાજ કહીએ છીએ. ભગવાન ઋષભ-દેવથી લઈ ને વમાન મહાવીર સુધીમાં, જૈનોની પરંપરાગત માન્યતા અનુસાર, ચાવીસ મહાપુરુષા થયા, જેમને તે તી કર કહે છે. એમનું "" Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૩. જૈન સંસ્કૃતિને સંદેશ કહેવું છે કે, તત્ત્વજ્ઞાનની દષ્ટિએ, એ બધાએ એકસરખો જ ઉપદેશ આપ્યો છે. સમય અનુસાર આચારનું બદલાવું અનિવાર્ય હોવા છતાં તત્ત્વજ્ઞાનની બાબતમાં બધાનો એક જ મત રહે છે. સંભવ છે કે આ વાત ઐતિહાસિકેના ગળે ન ઊતરે, પણ આની સત્યાસત્યતા પારખવાનું આપણી પાસે કોઈ સાધન નથી. જૈન વિદ્વાનો આ તીર્થકરોની હયાતીને જે સમય . બતાવે છે એનું પરીક્ષણ કરવાનું પણ આપણી પાસે કોઈ સાધન નથી. આમ છતાં ઋષભદેવ અને નેમિનાથ, આ બે ઈતિહાસકાળ પહેલાંના મહાપુરુષોના અસ્તિત્વમાં શંકાને કેઈ સ્થાન નથી—એમના નિશ્ચિત સમયની બાબતમાં ભલે ને સંદેહ હેય. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના સંબંધમાં તો હવે ઐતિહાસિક લેકે પણ. નિઃસંદેહ બની ગયા છે. પણ જૈન તત્વજ્ઞાન અને આચારના ઉપદેશે રૂપે આજે આપણી સામે જે કંઈ ગ્રંથસ્થ થયેલી સામગ્રી મોજૂદછે, એ તો ભગવાન મહાવીરના ઉપદેશનું જ ફળ છે. ભગવાન મહાવીરે પાર્ધ પરંપરામાંથી ઘણું શીખ્યું અને સમજ્યું હશે, અને પોતાના ઉપદેશની ધારા એ પરંપરાને અનુરૂપ વહેવડાવી હશે. તેથી, આપણે. એટલું તો કહી શકીએ છીએ કે, જોકે પાર્ધનો ઉપદેશ આપણું સામે નથી, તેમ છતાં ભગવાન મહાવીરના ઉપદેશના રૂપમાં આપણી સામે જે કંઈ છે, એમાં ઘણો ખરો પાર્શ્વનો જ ઉપદેશ સમજ જોઈએ—પછી વાણું ભલે ને મહાવીરની હોય. ખરી રીતે ભગવાન મહાવીર પછી એમની વાણીના આધારે એમને ઉપદેશોની જે સંકલન કરવામાં આવી છે, તેમાં ભગવાનના પિતાના શબ્દો કેટલા છે, એ ચોક્કસ રીતે તારવવું મુશ્કેલ છે. આટલી ઐતિહાસિક ભૂમિકા પછી. આપણે જૈનધર્મના ઉપદેશના મુખ્ય સંદેશને જોઈએ. આત્મજ્ઞાન અને અપ્રમાદ ઉપર ભાર આચારાંગ સૂત્રના પહેલા સૂત્રમાં જ એમ કહેવામાં આવ્યું. છે કે “સંસારમાં ઘણુંખરા માણસો એવા છે કે જેમને એ વાતની. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈનધમ ચિંતન કયાંથી આવ્યો છું અને કયાં જવાને છું? ખબર જ નથી કે હું મારા આત્મા પુનર્જન્મ ધારણ કરે છે કે નહીં ? હું કાણુ હતા અને માંરુ શું થવાનું છે ? આવી આવી ખબતાને જે પેાતાની મેળે જાણી લે છે અથવા ખીજા જ્ઞાની પુરુષ પાસેથી સમજી લે છે, તેએ જ આત્મવાદી છે, તેએ જ ક્રિયાવાદી છે, તેઓ જ લેાકવાદી છે અને તે જ કમવાદી છે.” આ એક જ વાકયમાં ભગવાન મહાવીરે પેાતાના સમગ્ર સંદેશ સંભળાવી દીધેા, એમ કહેવામાં આવે તે તે અતિશયેાક્તિ નહીં ગણાય. ભગવાન બુદ્ધે આ જ વાતને પેાતાની રીતે કરી હતી. એમનું કહેવું એવું હતું કે આપણે કેણુ હતા અને શું થશું, એ વાતેાને જાણવાની ફિકર ન કરતાં ફક્ત એટલું જ જાણીએ કે આત્યારે આપણે દુ:ખી છીએ અને એ દુઃખથી મુક્ત થવા ચાહીએ છીએ, તેા એ કયેા મા` છે કે જેના ઉપર ચાલવાથી આપણે દુઃખથી મુક્ત થઈ શકીએ ? ― ભગવાન મહાવીરે નિવાણુની પ્રાપ્તિને માટે આત્મજ્ઞાનને પહેલું સ્થાન આપ્યું છે, કારણ, જો આત્મા જ ન હેાય તે! દુ:ખથી મુકત કાણુ થશે ? એમણે કહ્યું છે કે, એક આત્માને જાણે; એ એક આત્માને જાણવાથી જ બધુંય જાણી શકાય છે. એમણે આત્મજ્ઞાનને જીવવિજ્ઞાનને એટલું આગળ વધાયુ કે એમને સત્ર—પૃથ્વી, પાણી, પવન, અગ્નિ, ` વનસ્પતિ વગેરેમાં—જીવ જ જીવ દેખાયા. એટલે પછી એમણે પેાતાની દલીલને આગળ વધારી કે, આપણી પ્રત્યેક પ્રવૃત્તિ એવી હાઈ જોઈ એ કે જેથી ખીજા જીવાને દુ:ખ ન પહોંચે; કેમ કે આપણી જેમ તે પણ સુખને જ ઇચ્છે છે. કદાચ આપણે પેાતાના તરફથી બધાને સુખી કરવાના પ્રયત્ન ન કરી શકીએ, પણ આપણે આપણી પેાતાની પ્રવૃત્તિને એટલી મર્યાદિત તે અવશ્ય કરી શકીએ છીએ કે જેથી આપણે એ બધામાંથી કાઈ ને માટે દુ:ખના નિમિત્ત ન બનીએ. ગીતામાં બધી પ્રવૃત્તિ કરવાની વાત છે, પણ ભગવાન શ્રીકૃષ્ણે એને માટે આસક્તિને ત્યાગ કરવાને ઉપદેશ આપ્યા છે. ભગવાન મહાવીરે પ્રવૃત્તિને Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિને સંદેશ ૪૫ : મર્યાદિત કરવાને મહત્ત્વપૂર્ણ ઉપદેશ આપે, અને જે પ્રવૃત્તિ અપરિહાર્ય હેય, એને પણ અપ્રમત્ત બનીને કરવાનો ઉપદેશ આપે છે. અનાસક્તિથી બંધન નથી થતું અને અપ્રમાદથી પણ બંધન નથી થતું. આ રીતે જ્યારે માનવી પોતાની પ્રવૃત્તિને મર્યાદિત કરીને બીજાને દુઃખ ન પહોંચે એનો વિચાર કરે છે, ત્યારે એને બધાના ! મિત્ર બનવું પડે છે. અંતમાં એ કલ્યાણમિત્ર કોઈની સાથે સ્વાર્થી . સંબંધ નથી રાખતો; એ કોઈને નથી થતો અને કેઈએનું નથી થતું.. એના મનમાં શત્રુ અને મિત્ર બધા સમાન થઈ જાય છે. તો પછી. એ પોતાના કુટુંબમાં કેવી રીતે ગોંધાઈ રહે? પોતાના રાજ્યમાં કેવી રીતે ફસાઈ રહે ? એ બધાને ત્યાગ કરીને પોતાના આત્મનિરી... ક્ષણને માટે અરણ્યને આશ્રય લે છે. ત્યાં એ ઉગ્ર તપસ્યા કરીને ? પિતાની જાતને કુંદનની જેમ શુદ્ધ કરીને કૃતકૃત્ય થઈ જાય છે. એ જ નિર્વાણ છે. - અહં અને મમત્વના ત્યાગને ભગવાન બુદ્ધને ઉપદેશ ભગવાન બુદ્ધે પોતાને નિર્વાણમાર્ગ આત્મવિજ્ઞાન ઉપર સ્થિર નથી કર્યો; એમનું કહેવું એમ હતું કે આત્મવિજ્ઞાનથી કશે. લાભ નથી. હાં, એટલું તો સ્પષ્ટ છે કે જ્યારે માનવી પોતાના સ્વતંત્ર અસ્તિત્વને “હું છું” એ રીતે સમજી બેસે છે, ત્યારે આ : “હું” થી મમત્વ જન્મે છે. એ સમજવા લાગે છે આ આ મારું "છે, “આ મારું નથી”, “આ મને ગમે છે”, “આ મને પસંદ નથી”. આ રીતે દરેક વસ્તુની એ પિતાના “મટું” ની દષ્ટિએ પરીક્ષા કરે છે, પોતાના રાગદ્વેષને વધારે છે, અને ભૂંડી રીતે સંસારચક્રમાં ફસાઈ જાય છે. તેથી આ ચક્રમાંથી બહાર નીકળવાનો ઉત્તમ ઉપાય એ જ છે કે “હું”ને–આ અહંકારને-નૈરામ્ય-ભાવનાને બળે દૂર કરવામાં આવે. આમ કરીને જ્યારે એ “હું” થી મુક્ત બને છે . ત્યારે એ કલ્યાણમિત્ર બને છે. ન કોઈ એનું છે અને ન એ કેઈન. પછી એ સંસારમાં શા માટે ફસાઈ રહેશે ? એને માટે તો ઘરને. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈનધમ ચિત્તન • ત્યાગ કરવા એ જ ઉચિત છે અને ધ્યાન દ્વારા પેાતાની એ પ્રજ્ઞાને પ્રક સાધીને કૃતકૃત્ય થવુ, એ જ એનું નિર્વાણુ છે. આ રીતે આપણે જોઈએ છીએ કે ભગવાન મહાવીરે જ્યારે આત્મવિજ્ઞાનના વિસ્તારથી નિર્વાણુના માર્ગો બતાવ્યા ત્યારે ભગવાન બુદ્ધે આત્મવિજ્ઞા-નના સ'કાચથી નિર્વાણુ માન્યું. જાતિનેા નહી' પણ તપસ્યાના મહિમા આ આધ્યામિક દૃષ્ટિને લીધે જ બુદ્ધ અને મહાવીર–બન્ને મહાપુરુષાએ પોતાના સમયમાં બ્રાહ્મણ, યતિ, ભિક્ષુ, જરી, મુ’ડી, યજ્ઞ, જાતિ, ભાષા, તી, સ્નાન વગેરે શબ્દોના જે અર્થ જનતામાં પ્રચલિત હતા તેને બદલી નાખ્યા. જૂના શબ્દોના ઉપયાગ કરીને જ એમણે એમના આધ્યામિક દૃષ્ટિએ નવા અથ કર્યાં. આનું પરિણામ એ આવ્યું કે એક ચાંડાલ જાતિના જૈન ભિક્ષુ, ભિક્ષાને કે માટે, બ્રાહ્મણોના યજ્ઞમાં જઈને એમને યજ્ઞના આધ્યામિક અથ સમજાવવામાં સફળ થાય છે. જ્યારે બ્રાહ્મણેાએ કહ્યું કે દાનને માટે સુપાત્ર બ્રાહ્મણુ જ છે, ત્યારે એ ચાંડાલ શ્રમણે તરત જ જવાબ આપ્યા કે તમે કહ્યું એ તે ઠીક છે; પણ શુ જે ક્રોધી છે, પરિગ્રહી છે, જૂટામેાલા છે, ચાર છે, અબ્રહ્મચારી છે, એ બ્રાહ્મણ કહેવાય કે તેએ કે જેઓ આવાં કુકૃત્યથી વિરત છે તે? જેમણે પોપટની જેમ વેદોને ગેાખી રાખ્યા છે તેએ બ્રાહ્મણ છે કે જેમણે શાસ્ત્રની - સારભૂત વાતાને પેાતાના જીવનમાં ઉતારી છે તે બ્રાહ્મણ છે? એ બ્રાહ્મણો શરમાઈ જાય છે અને એ ચાંડાલનું શરણ સ્વીકારે છે અને એકાએક એલી ઊઠે છે કે દુનિયામાં છેવટે તપસ્યાને જ મહિમા છે; જાતિનું કેાઈ મહત્ત્વ નથી. આત્મદ્રુમન : સુખના સાચા માગ ભગવાન મહાવીરે સુખના સાચા મા દર્શાવતાં કહ્યું કે ખીજા- એનું દમન કરવાને બદલે પહેલાં પેાતાની જાતનું જ દમન કરે.. Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિને સંદેશ પિતાની જાતના દમનથી, પિતે જાતે જ ઇંદ્ધિાના વિજેતા બનવાથી, બધાનું દમન થઈ જાય છે, અને એના ફળરૂપે સુખ જ મળે છે. જેણે પિતાની જાતનું દમન કર્યું છે, એનું દમન કોઈ પણ વ્યક્તિ મારઝૂડ કરીને કે એને વધ કરીને નથી કરી શકતી. એટલા માટે જ શ્રેય એમાં જ છે કે પહેલાં પોતાની જાતને સંયમી અને તપસ્વી બનાવીને વિજયી બનાવવામાં આવે. પ્રવજ્યા લેવાને માટે તૈયાર થયેલા નમિરાજને જ્યારે ઇદ્ર એમ કહ્યું કે પહેલાં આપ આપના દુશ્મનને હરાવીને પછી ખુશીથી સંયમ ગ્રહણ કરે, ત્યારે એ રાજર્ષિએ શત્રુનું દમન કરવાનો જે માર્ગ બતાવ્યો તે અત્યારના લોકોને એક ન ઉત્સાહ અને એક નવી દષ્ટિ આપે એવો છે. એમણે કહ્યું : “યુદ્ધમાં જઈને હજારે અને લાખ યોદ્ધાઓ ઉપર વિજય મેળવવો સહેલું છે, પણ પોતાની જાત ઉપર વિજય મેળવવો મુશ્કેલ છે; આત્મજય એ જ પરમ જય છે. આ પરમ જયને છોડીને હું એ તુચ્છ જયની પાછળ શા માટે દેવું ? આધ્યાત્મિક યુદ્ધ–એટલે કે પોતાની જાત સાથેનું પોતાનું યુદ્ધ–જ જ્યારે મારી સામે આવીને ઊભું છે, તો હું આ બાહ્ય યુદ્ધમાં શા માટે ફસાઉં? જે યુદ્ધનો ઉદ્દેશ સુખ જ હોય, અને જે એ સુખ મને મારી પિતાની જાત ઉપર વિજય કરવાથી મળી શકતું હોય, તો હું નાહક શા માટે સૌને મારતો ફરું ? જેમ જેમ હું બીજાઓ ઉપર ક્રોધ કરીશ, બીજાઓને ભારત ફરીશ, તેમ તેમ મારું વેર તે વધતું જ રહેશે, અને છેવટે એ મારે પોતાનો જ નાશ કરી દેશે! તો તો પછી સારું તો એ જ છે કે હું ક્રોધનો અને વેરનો જ નાશ કરવાનો પ્રયત્ન કરું. એમનો નાશ કરવામાં બીજા કિઈને દુઃખ પહોંચાડવાની તો કઈ વાત જ નથી; અને હું સુખી થઈ જાઉં છું”. અત્યારની આ દુનિયા, જે બીજાઓના સંહારમાં રત છે, એને માટે જૈન સંસ્કૃતિનો આ સંદેશ સમયને અનુરૂપ જ લેખ જોઈએ. onal Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન કષ્ટ સહનની જરૂર લોકોમાં જ્યાં લગી કષ્ટોને સહન કરવાની શક્તિ નથી આવતી ત્યાં સુધી પ્રતિહિંસાની જવાળા સળગતી જ રહે છે. જૈન શ્રમણોને માટે, સમભાવપૂર્વક, અનેક પ્રકારનાં કષ્ટ સહન કરવાનો વિધિ ભગવાન મહાવીરે બતાવ્યો છે. એમણે જે કંઈ કહ્યું છે એ કંઈ નરી કલ્પના નથી. એમણે પોતાના સાધક જીવનમાં જે કષ્ટો સહ્યાં હતાં, એનું વર્ણન સાંભળીને આપણું રૂંવાડા ખડાં થઈ જાય છે. આ અનુભવમાં જ એમણે જે કંઈ પ્રાપ્ત કર્યું એ જ શ્રમણોને શીખવ્યું છે. સહનશક્તિ અને ક્ષમાનું ફળ સમજાવતાં એમણે જે કંઈ કહ્યું છે તે ખૂબ ઉત્સાહવર્ધક છે. એમણે કહ્યું કે, જ્યારે કોઈ તમને ગાળ. આપે, પીડા ઉપજાવે અને અંતે તમારી હત્યા કરવાની ચેષ્ટા કરે ત્યારે પણ એમ જ માનજે કે એ તે અજ્ઞાની છે; હું પણ એની જેમ ક્રોધાવેશમાં આવીને એની હત્યા કરવા લાગું તો મારામાં અને એનામાં શું ફેર ? મને મારીને પણ એ મારું શું બગાડી શકવાનો. છે ? આત્માની સાથે જે આ શરીરનું બંધન વળગેલું છે, એ બંધનને જ તો એ હત્યારો છેદી રહ્યો છે ! અરે, આ રીતે મારું બંધન છેદાઈ જાય એના કરતાં રૂડું બીજું શું ? મારા આત્માનો તો નાશ થતો જ નથી, પછી મને ભય કોનો ? મૃત્યુને જીતવાનો આ મહામંત્ર આજની ભયગ્રસ્ત દુનિયાને ફરી શીખવવાની જરૂર છે. અને મહાત્માગાંધી અત્યારે એ જ કામ કરી રહ્યા છે. ' અત્યારની દુનિયામાં યુદ્ધજન્ય તેમ જ બીજાં અનેક પ્રકારનાં કષ્ટો દેખાય છે; એ બધાંય તૃષ્ણમૂલક છે, એ વાતનો ઇનકાર કેણું કરી શકે એમ છે? પ્રાચીન સમયમાં બુદ્ધ અને મહાવીરે તેમ જ એમની પહેલાંના અનેક સંતોએ આ તૃષ્ણાયનો, ભજનો, અને નમ્ર બનવાનો જ ઉપદેશ આપો હતો. Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિના સંદેશ અપરિગ્રહની જરૂર ભગવાન મહાવીરે કહ્યું છે કે જેમ જેમ લાભ થતા જાય છે, તેમ તેમ તૃષ્ણા વધતી જાય છે; એ તેા આકાશના જેવી અનન્ત છે. એક માણસને આખી દુનિયાની સોંપત્તિ આપી દેવામાં આવે તાપણુ અને સ ંતેાષ નહીં થાય. અને જો આ રીતે બધાય તૃષ્ણાવાળા બની જાય તે પછી એનું યુદ્ધ સિવાય બીજું પરિણામ પણ શું આવી શકે? એટલા માટે માનવજાતનું ભલુ એમાં જ છે કે એ અપરિગ્રહનું વ્રત સ્વીકારે. જે અકિચન છે, જેને કાઈ વસ્તુ ઉપર મેાહ નથી, એ બીજાએની સાથે શાને માટે યુદ્ધ કરશે? આ વ્રતને જ સ્વીકાર કરીને મિથિલાના નમિ રાજિષ ભડકે અળસી મિથિલાને જોઈ ને પણ કહી શકયા કે આમાં મારું તે કંઈ બળતું નથી ! જેની પાસે કશું જ નથી એ જ સુખની નીંદ લઈ શકે છે. મૂળ હિન્દી ઉપરથી ] ૪૯ .. —“ વિશ્વવાણી વર્ષ ૨, ભાગ ૪, સંખ્યા ૩. Page #77 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રાજ્ઞાઓને હેતુ . જૈનધર્મ પુરુષપ્રધાન છે. જૈનધર્મના જેટલા પ્રવર્તક થયા તે બધાય મનુષ્ય જ હતા, પણ ભેદ એ જ હતો, કે સાધારણ મનુષ્યોથી તે બધા ઊંચા ઊઠેલ હતા–વીતરાગ હતા. તેમના આદેશ કે ઉપદેશનો સાર એ જ છે કે બધા જીવો જીવવા માગે છે, કોઈ ભરવા માગતું નથી; માટે એવી રીતે જીવવું કે જેથી બીજા જીવને ત્રાસ ન થાય. આ ઉપદેશની આસપાસ જ જૈનધર્મના બધા વિધિ-નિષેધ ગોઠવાયા છે. આચારાંગાદિ શાસ્ત્રોમાં ભગવાનનો ઉપદેશ એકત્ર કરવામાં આવ્યો છે અને આચારાંગ, દશવૈકાલિક, છેદશાસ્ત્રો એ બધા ગ્રંથમાં ક્રમે કરી અપવાદો વધ્યા જ છે, ઘટયા નથી. વિધિનિષેધોમાં પણ ઘટાડો વધારો થયો છે. એ બધું ગમે તેટલું પરિવર્તન થયું હોય છતાં એ બધાનો એકમાત્ર ઉદ્દેશ એ જ છે કે મનુષ્ય એવી રીતે જીવવું, જેથી આત્મહિત તો થાય પણ પરનું અહિત ન થાય; એટલું જ નહીં, પણ આત્મહિતની સાથે સાથે પરહિત પણ થતું રહે. જૈનધર્મનાં શાસ્ત્રોનો ઉદ્દેશ પણ એક જ છે. આદેશે એ મુખ્ય નથી, પણ સાધકનું જીવન મુખ્ય છે. એ જીવનને અનુકૂળ આવે તે આદેશનું જ અનુસરણ કરવાનું છે અને જે આત્મહિતથી પ્રતિકૂળ હોય તે ગમે તે શાસ્ત્રમાં લખ્યું હોય પણ સાધક તેનું અનુસરણ નહિ કરે. ઘણીવાર આપણે ઉપદેશકેના મોઢે “TIU ઘર ” Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શાસ્ત્રજ્ઞાનો હેતુ –ભગવાનની આજ્ઞાના પાલનમાં ધર્મ છે–એવું સાંભળીએ છીએ, પણ ભગવાનની આજ્ઞા કોને ગણવી અને કોને ન ગણવી એનો નિર્ણય તો તે કાળના પુરુષોએ જ કર્યો છે. એવી કોઈ એક ધ્રુવ આજ્ઞા છે જ નહિ, જેના વિષે કઈ પણ અપવાદ ન હોય; એટલે છેવટે આચાર્ય સંઘદાસ ગણું મહત્તર અને આચાર્ય હરિભદ્ર જેવાએ તો કહી દીધું કે ભગવાને આ કરવું કે તે ન કરવું એવું કશું જ કહ્યું નથી. પણ સત્ય માર્ગનું–સંયમમાર્ગનું અનુસરણ કરવું એ ધ્રુવમંત્ર આપી દીધો છે. એટલે ખરી રીતે આજ્ઞાનો એ અર્થ સમજવો જોઈએ કે આત્મા સાક્ષી આપે કે આમાં મારું હિત છે તે જ કરવાનું છે. મહાપુરુષોના દિશાસૂચનને લેકે આજ્ઞા એવું નામ આપી દે છે, પણ ખરી રીતે માર્ગ પોતે જ પસંદ - કરવાનો હોય છે. જ્યાં સુધી મનુષ્ય પોતે પસંદગી કરતો નથી અને માત્ર બીજાના નિર્દેશાનુસાર ચાલે છે, ત્યાં સુધી તેને ધર્મ આત્મસાત્ થતો નથી. અને જ્યાં સુધી ધર્મ આત્મસાત થાય નહિ, ત્યાં સુધી તે ગમે તેટલું અનુષ્ઠાન કરે, પણ તે ધર્મ શુદ્ધ સમ્યકત્વમાં પરિણમતો નથી. એટલે કેવળ બીજાની આજ્ઞાનો સ્વીકાર, એ જ ધર્મ નથી, પણ અંતરાત્માની આજ્ઞાનો સ્વીકાર એ ધર્મ છે. – “અખંડ આનંદ', ઓગસ્ટ, ૧૫ર. १. न वि किचि अणुन्नायं पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । __ एसा तेसिं आणा कज्जे सच्चेण होयचं ॥ વૃક્રીન્સમાષ્ય, ગાથા. ૨૩૩૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫ જૈન આચારના મૂળ સિદ્ધાન્તા જૈન આચારનું ધડતર સમજવા માટે વૈદિક અને બૌદ્ધ આચાર વિષે પણ થેાડુ જાણવું જરૂરી છે. એ વિના જૈન આચારના ઘડતરમાં કયાં કયાં તત્ત્વાએ કેવી રીતે ભાગ ભજવ્યા છે એ સમજવું કહેણ છે. વ્યક્તિના આચારને અધિકાંશ સમાજ ઉપર આધાર રાખે છે. અને જૈન સમાજ કે સધ કદી પણ એકલા-અટૂલા રહ્યો હાય તેમ જણાતું નથી. જૈન સમાજ સદૈવ વૈદિક સમાજની વચ્ચે રહેતે આવ્યા છે અને વચલા કાળમાં બૌદ્ધ સંધ સાથે પણ તેને સ ંપ રહ્યો છે. આવી સ્થિતિમાં જૈન સદાચારને સમજવાની ચાવી કેવળ જૈન શાસ્ત્રમાં નહિ, પણ વૈદિક અને બૌદ્ આચારની તુલનામાં પણ રહેલી છે એ સ્પષ્ટ છે. એટલે પ્રથમ વૈદિક આચારના મૂળ સ્રોતો વિષે થેડુ. વિવેચન કરીને બૌદ્ધ આચારના સ્રોતને સંકેત કર્યાં પછી જ જૈન આચાર વિષે વિવેચના કરવી સંગત છે. વૈદિક આચારના સ્રોત વૈદિક પર’પરાને આધાર વેદ છે, એટલે વૈદિક આચારનેા મૂળ સ્રોત શ્રુતિ–વેદ છે; અને તે અપૌરુષેય હાય કે ઈશ્વરપ્રણીત હાય–અને સ્થિતિમાં તે સંદાચારની બાબતમાં આંજ્ઞારૂપ છે. એમાં તર્ક કે ઉપપત્તિને સ્થાન નથી. અમુક આચરણ શા માટે કરવું એના કારણમાં ઊતરવાની આવશ્યકતા નથી; માત્ર તે વેદપ્રતિપાદિત છે. એટલું જ Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈન આચારના મૂળ સિદ્ધાંતા ૫૩ પર્યાપ્ત છે. વેદ ઉપરાંત સ્મૃતિએ પણ સદાચારમાં પ્રમાણ છે. એમ માનવામાં આવે છે કે સ્મૃતિનું મૂળ વેદ છે, તેથી તે પણ સદાચાર વિષે પ્રમાણ છે. એવા સ્મૃતિપ્રતિપાદિત આચાર, જેનું મૂળ વિદ્યમાન વેદમાં મળતું હાય, એને માટે પણ એમ જ માનવામાં આવ્યું છે કે તેવા આચારનું મૂળ વેદમાં જ છે, પણ વેદને તે અશ નષ્ટ થયેા છે. આમ વેદપ્રતિપાદિત આચારનું જ સમન સ્મૃતિએ કરે છે એમ મનાયું છે—જોકે વસ્તુસ્થિતિએ જોતાં સ્મૃતિએમાં એવા ઘણા આચારા છે, જેનું મૂળ તે વેદમાં નથી જ, પણ ઊલટુ વેદપ્રતિપાદિત આચારથી તે વિરુદ્ધ પણ જાય છે. બાદના નિબન્ધકારાએ આ વિરેધનું સમાધાન કરવા પ્રયત્ન કર્યાં છે, પણ તે બચાવ લૂલા જણાય છે. ખરી વાત એવી છે કે સ્મૃતિકાએ પોતાના કાળની માન્યતાઓને નિયમનું રૂપ આપી દીધુ છે, અને વેદની પ્રતિવ્હાને। માત્ર તેમાં પ્રામાણ્ય લાવવા પૂરતે। જ ઉપયાગ કર્યો છે. શ્રુતિ અને સ્મૃતિ ઉપરાંત તિદ્વંદેનું શીલ-અનુષ્ઠાન પણુ આચરણુમામાં પ્રમાણ ગણાય છે. આનેા અથ એ થાય કે જેને આધાર શ્રુતિ અને સ્મૃતિ બન્નેમાં ન મળતા હોય, છતાં પણ તદ્વંદો કાઈ અનુષ્ઠાન કરતા હાય, તે તે સદાચાર પણ અનુયાયીઓ માટે માદક અને છે. આ ઉપરાંત ધર્માચરણના સ્ત્રોત તરીકે પુરાણા પણ છે. પુરાણામાંનાં કથાનકામાંથી પણ અમુક પરિસ્થિતિમાં કરણીય અને અકરણીય શું એના નિર્દેશ મળી રહે છે. એટલે પુરાણાને પણ સદાચરણુના સ્રોત તરીકે ગણવામાં આવે છે. છતાં પણ આચરણુ વિષે જ્યાં શંકા ઉપસ્થિત થાય ત્યાં પરિષદ અર્થાત્ વેદ અને ધ શાસ્ત્રજ્ઞાની સભા જે નિર્ણય આપે તે પણ સદાચારના સ્રોત બને છે. આમ સ્રોતા અનેક છતાં એ બધાનું મૂળ ઉદ્ગમસ્થાન વેદ છે. અને તેમાં જે સદાચાર ન હોય તે પણ છેવટે તેા તેથી અવિરુદ્ધ હેાવે! જ જોઈએ, એમ મનાયું છે. દેખીતી રીતે કેાઈ સદાચાર વેદથી વિરુદ્ધ જણાય તેાપણુ તે વેથી અવિરુદ્ધ જ છે એવી ઉપત્તિ શેાધી કાઢ Page #81 -------------------------------------------------------------------------- ________________ • ૨૪ જૈનધમ ચિતન વામાં આવે છે. એટલે કે બધા આચારનું મૂળ વેદ છે અને વેદથી જે વિરુદ્ધ હોય તે ધર્મજનક બની શકે નહિ અથવા તે ધમ ગણાય નહિ. આમ વૈદિકો માટે વેદ એ આચરણની બાબતમાં પ્રમાણ છે. ' પણ આના અર્થો કોઈ એમ કરે કે વેદકાલીન આચાર જ આજે હિન્દુ સમાજમાં પ્રવર્તે છે, તે તે મેટી ભૂલ કરે છે. વસ્તુસ્થિતિ એવી છે કે સ્મૃતિકારા અને નિબંધકારાએ પોતપોતાના કાળમાં પ્રચલિત અને પરિવર્તિત આચારાનું ` સમર્થન કર્યું છે; અને કેટલાક વેદકાલીન આચારેને તે કલિવર્જ્ય ગણીને વેદવિહિત છતાં વર્જ્ય ગણ્યા છે, અને તેને બદલે સમકાલીન પ્રચલિત અને પરિવતિત આચારાને ગ્રાહ્ય ગણ્યા છે. આમ છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે તેએ એ પરિવર્તિત આચારાને પણ વેદથી અવિરુદ્ધ છે એમ સ્થાપવાનેા પ્રયત્ન તે। અવશ્ય કરે છે. તેથી એમ કેહી શકાય કે તેમને માટે તે બધા આચારે વેદવિહિત જેવા જ છે અને તેમનું પ્રામાણ્ય વેદથી જ છે. એટલે કે બધા આચારનું મૂળ તેએ વેદમાં જ શેાધે છે પછી ભલે વેદમાં એમાંનું આપણી દૃષ્ટિએ કશુ જ ન હાય. સંક્ષેપમાં એમ કહી શકાય કે વેદથી આજ સુધીમાં આચારનું સમાયનુકુલ પરિવર્તન થતુ જ આવ્યું છે. અને તે પરિવર્તનને ખુદ્ધિઅળે વેદ-અવિરે ધી સિદ્ધ કરવામાં પડિતાના પાંડિત્યનો ઉપયેગ થતુ રહ્યો છે. વસ્તુસ્થિતિએ આજના રૂઢ આચારાના સમર્થનમાં વેદમાંથી બહુ જ થાડુ મળી શકે એમ છે એ સ્વીકારવુ જોઇએ; એટલુ જ નહિ પણ આજના હિન્દુકેડના ધારામાં આવતા ઘણા સુધારક આચારાનું સમન વેદમાંથી મળે છે; છતાં આશ્રય તે! એ છે કે સનાતની હિન્દુએ વેદનું નામ લઈ ને હિન્દુકેડનો વિરોધ કરતા રહ્યા છે. ૧ વિશેષ વિવરણ માટે જીએ ડૉ. અલ્ટ્રેકરનું ‹ Sources of Hindu Dharma,” Pub Institute of Public Administration, Sholapur. .. Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈન આચારના મૂળ સિદ્ધાંતા બૌદ્ધ આચારના સ્રોત બૌદ્ધ વિનય અર્થાત્ આચારના નિયમાનું સર્જન કરવાનો અધિકાર કેવળ ભગવાન બુદ્ધને જ છે. તેમનું નિર્વાણ થયું ત્યારે કેટલાક ભિક્ષુઓ કહેવા લાગ્યા કે હવે આપણે સ્વતંત્ર થઈ ગયા, આપણાં ઉપરનું નિયન્ત્રણ દૂર થયું, એટલે ફાવે તેમ વર્તન કરી શકીએ છીએ. આ સાંભળી શ્રદ્ધાળુ ડાહ્યા પાંચસે વિરાએ સંગીતિ કરી અને ભગવાન મુદ્દે જે આચારના નિયમાનું પ્રવન કર્યું હતું તેને સંભારી સંભારીને જે સંકલન કર્યું` એ જ ‘વિનયપિટક ’ નામે ઓળખાય છે. બૌધમાં અનેક સંધ અને સંપ્રદાયભેદો થયા, પણ એ બધાના વિનયમાં, નહિવત્ ભેદ છે. એ સર્વેને એક વસ્તુ સમાન રીતે માન્ય છે કે આચારના નિયમાનું સર્જન તે ભગવાન બુદ્ધ જ કરી શકે છે. આ ઉપરથી કહી શકાય કે ઔદુધર્મમાં આચારનો સ્રોત કેવળ ભગવાન બુદ્ધ જ છે. પ ઔદ્ધ વિનયના નિયમેામાંથી સધ આવશ્યક સમજે તે અતિ ગૌણ નિયમેને ઢીલા પણ કરી શકે છે, અથવા તે તેવા અતિ ગૌણ નિયમેાનું ઉલ્લંધન પણ કરી શકે છે, એવું નિર્વાણુ સમયે ભગવાન મુદ્દે ભિક્ષુ આનંદને કહેલ. છતાં પણ સંગીતિમાં એકત્ર થયેલા ભિક્ષુએ એવા ઉલ્લંઘનના પક્ષમાં ન થયા અને નાના-મે!ટા બધા જ નિયમેનું પાલન કરવું આવશ્યક છે એમ તેમણે નક્કી કર્યું. કારણ કે ભિક્ષુ આનંદે ભગવાન બુદ્ધ પાસેથી એ સ્પષ્ટીકરણ માગ્યું ન હતું કે કયા કયા નિયમેાને ભગવાન બુદ્ધ અતિ ગૌણુ ગણતા હતા. ભગવાન બુદ્ધના નિર્વાણ પછી સે। વર્ષે અમુક ભિક્ષુએના આચારમાં કેટલાક નિયમેામાં શિથિલતા આવી. અને એવી શિથિલતા વિહિત છે અથવા તેને યુદ્ધવચનનું સમન છે, એમ તે કહેવા લાગ્યા, ત્યારે ફરી પાછા ૭૦૦ વિરા એકત્ર થયા અને નિય કર્યાં કે એવી શિથિલતાના સમનમાં બુદ્ધુવચન નથી. તેથી વિનય Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન વિરુદ્ધના એવા શિથિલ આચારનું વજન કરવું જોઈએ. આમ એ સ્પષ્ટ છે કે બૌદ્ધોએ એ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે આચારને સ્ત્રોત કેવળ ભગવાન બુદ્ધ છે. તેમાં અપવાદ કરવાને અધિકાર કે ઈને પણ નથી; એટલું જ નહિ પણ ગૌણ નિયમનું અતિક્રમણ કરવાની સંઘને છૂટ બુદ્ધે આપ્યા છતાં નિશ્ચિત ગૌણ નિયમો કયા એ અંગે બુદ્ધની નિશ્ચિત સૂચના નહિ હોવાથી એમાં પણ સંઘે છૂટ સ્વીકારી નહિ. આ વસ્તુ સંઘની ભગવાન બુદ્ધમાં અપ્રતિમ નિષ્ઠા બતાવે છે, અને આચારમાં એકમાત્ર બુદ્ધનું જ અપ્રતિહત પ્રામાણ્ય સ્વીકારે છે.' વેદપ્રતિપાદિત આચાર એ આજ્ઞા છે અને તેમાં તર્ક યા- ઉપપત્તિને કેઈ સ્થાન નથી; જ્યારે બુદ્દે જે જે આચારના નિયમો બનાવ્યા છે, તે શા માટે બનાવવા જરૂરી હતા, તેનું સ્પષ્ટીકરણ કરાવતી વસ્તુકથા વિનયપિટકમાં આપવામાં આવી છે. સામાન્ય રીતે કહી શકાય કે જે કાર્યોથી લોકાપવાદ થાય તેવાં કાર્યોનો નિષેધ બુદ્દે કર્યો છે. અને નિયમપાલનનું ઔચિત્ય પણ સિદ્ધ કરવાનો પ્રયત્ન પદે પદે વિનયમાં સ્પષ્ટ દેખાય છે. બૌદ્ધ આચારમાર્ગની એક ખાસ વાત એ છે કે પાલનકર્તા તેનું ફળ પ્રત્યક્ષ કરે છે અને બીજાઓ પણ બૌદ્ધોના આચારમાર્ગનું પરિણામ જોઈ શકે છે. અર્થાત્ અદષ્ટ ફળ ઉપર બુદ્ધનો ભાર નથી, પણ પ્રયા ફળ ઉપર બુદ્ધનો વિશેષ ભાર છે. વૈદિક અને બૌદ્ધ આચારમાં આ એક ધ્યાનમાં લેવા જેવો ભેદ છે. જેન આચાર દશન અને આચાર જૈન આચાર વિચર જૈન દર્શનના વિચારથી જુદો થઈ શકે છે નહિ, એટલે દાર્શનિક વિચારોને અનુકૂળ રહીને જ જૈન આચારનું ઘડતર થઈ શકે, એ વસ્તુ સ્વીકારવી જોઈએ. સામાન્ય રીતે એવું - ૧. જુઓ વિનયપિટક, પંચશતિકા સ્કંધક અને સપ્તતિકા અંધક. Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન આચારના મૂળ સિદ્ધાંતા ૫૭ જોવાય છે કે દાર્શનિક સિદ્ધાંત એક હાય છે અને આચારને સિદ્ધાન્ત તેથી વિપરીત જ હાય છે. કહેવત તે એવી છે કે વિચાર તેવેા આચાર. પણ માટે ભાગે દાનિક વિચાર સાથે આચારની સગતિ મેળવવા ધાર્મિકાએ પ્રયત્ન નથી કર્યાં, એ ખાસ કરી ભારતમાં તે સ્પષ્ટ છે. વૈદિકાએ દાનિક સિદ્ધાન્તની પરાકાષ્ઠા અદ્વૈત સિદ્ધાન્ત સ્થાપીને પ્રાપ્ત કરી અને સંસારમાં જે કાંઈ છે તે એક બ્રહ્મ અથવા પરમાત્માને જ વિસ્તાર છે એમ વિચારથી નક્કી કર્યું; પણ એ વિચારને અનુકૂળ જો આચારનું ઘડતર થયું હોત તે! ભારતવષની પરિસ્થિતિ આજે જુદી જ હાત. નાત-જાતના ભેદ, સ્પૃસ્યાસ્પૃશ્યતા, પ્રાન્તીયતાવાદ, ભાષાવાદ આદિને કારણે ભારતીય સમાજ આજે જે છિન્નભિન્ન દશામાં છે તે કદી પણ ન હોત; તેને બદલે ‘વસુધૈવ કુટુ’બ’માં માનનારા એક આદ` સમાજ ભારતમાં નિમિત થયા હોત. પણ દુર્ભાગ્યે વિચાર પ્રમાણે આચારનું ઘડતર નથી થયું એ સ્પષ્ટ છે. દાાનિક દિષ્ટએ વળી બીજી પણ એક ટિ તરફ જૈન આચાર્યોએ વૈદિકાનું ધ્યાન ખેંચ્યું છે; તે એ કે આત્માને બે ફૂટસ્થ-એકરૂપ માનવામાં આવે તે આત્મામાં બુધ-મેાક્ષની વ્યવસ્થા, પુનર્જન્મ, એક અવસ્થા વટાવીને બીજી અવસ્થા પ્રાપ્ત કરવાને સભવ અને અંધથી છૂટવા મેાક્ષ માટેના પ્રયત્ન માટે આવશ્યક આચરણને પણ સંભવ નથી. સામાજિક દૃષ્ટિએ પણ જે દાનિકે એકાંત નિત્યવાદમાં માનતા હોય તેમને મતે સામાજિક સુધાર કે આચરણનું પરિવર્તન કે રાજનૈતિક વિચારધારાનું પરિવર્તન પશુ શકય નથી, સ ંભવિત નથી. એટલે તેમને સમાજ એકરૂપ રૂઢિચુસ્ત જ સભવે. આથી ઊલટુ, જે દાનિકો આત્માને ફૂટથ ન માનતા પરિણામી નિત્ય માને તેમને મતે જ પરિવર્તનને અવકાશ રહે છે. અને પરિવર્તન જીવનના વૈયક્તિક, સામાજિક, રાજનૈતિક, આર્થિક આદિ સ ક્ષેત્રોએ સવિત અતી શકે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન * જેન આચારનું અનેકાંતમૂલક ઘડતર જેનોએ દાર્શનિક સિદ્ધાન્ત તરીકે જ્યારે અનેકાંતવાદને સ્વીકાર્યો, ત્યારે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પરિવર્તનને અવકાશ છે એમ સ્વતઃ સ્વીકારી લીધું. પરિણામ એ આવ્યું કે જેનોના અભ્યદયકાળમાં જેનધર્મ એ એક સુધારક ધર્મ તરીકે સ્વતઃ પ્રસિદ્ધ થયો. વૈદિકોની સંકુચિત વર્ણવાદ, ઉચ્ચનીચપણની ભાવના, સ્પૃસ્યાસ્પૃશ્યતા, સ્ત્રી-પુરુષના અસમાન અધિકાર આદિ માન્યતાઓથી વિરુદ્ધ જૈનનું આચરણ હતું. અને તે તેમના પિતાના દાર્શનિક સિદ્ધાન્તને અનુસાર હતું. પણ દુર્ભાગ્યે જૈનધર્મની આ પોતાની શકિત વૈદિકોના પ્રભાવે કાળક્રમે ક્ષીણ થઈ ગઈ અને અત્યારે એ સમાજ વૈદિક સમાજથી કોઈ પણ રીતે સુધારક દૃષ્ટિએ અથવા તે ક્રાંતિકારી વિચારની દષ્ટિએ કોઈ પણ જાતનું પાર્થ કય ધરાવે છે, એવું કહી. શકાય તેમ રહ્યું નથી. એટલે કે મૂળે તેમાં આચારમાં ક્રાંતિકારી અને સુધારક દષ્ટિબિન્દુ પોતાના દાર્શનિક સિદ્ધાન્ત અનેકાન્તવાદને કારણે " હતું એ તથ્ય છતાં, આજે જૈન સમાજ પણ દિકની જેમ જ વિચાર પ્રમાણે આચાર નથી ધરાવતો એ પણ તથ્ય છે. એટલે કે આજની સ્થિતિ પ્રમાણે સમગ્ર ભારતવર્ષની સમસ્યા વિચારને અનુકૂળ આચારના ઘડતરની છે. વેદિક અને જૈન બને પોતપોતાના દાર્શનિક સિદ્ધાન્તને અનુસરી જે આચરણનું ઘડતર કરે તો સમાજ ઉચ્ચ. સ્થિતિએ પહોંચે એવી સંપૂર્ણ શક્યતા છે જ. આજ્ઞાએ ધમ: તર્ક અને આચાર - જૈન આચારની બાબતમાં જે એક વસ્તુ ઉપર ભાર અપાયેલ આપણે જોઈએ છીએ તે છે-“ચાના ધો-અર્થાત ભગવાનની આ જ્ઞાના પાલનમાં ધર્મ છે, એ વાત. આ ઉપરથી એક વસ્તુ ઉપરઉપરથી. એમ સમજાય છે કે વેદવિધિ અર્થાત્ આજ્ઞા અને જિનની આજ્ઞા એ. બન્ને સરખી રીતે આજ્ઞા હેઈ અતર્યું છે, પણ વસ્તુસ્થિતિમાં સહેજ Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈન આચારના મૂળ સિદ્ધ પટ ભેદ છે અને એ ભેદમાં જ જૈન અને વૈદિક આચારને મૌલિક ભેદ છે. બૌદ્ધ આચારના નિયમના ઘડતરમાં કોઈ ને કોઈ પ્રસંગની ઉપસ્થિતિ અનિવાર્ય મનાઈ છે. અને ઉપસ્થિત પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા આચારના નિયમોનું ઘડતર ક્રમે ક્રમે થતું ગયું છે, તે વિનયપિટક વાંચતાં સ્પષ્ટ થાય છે. પણ એનો અર્થ એવો નથી કે નિયમોના ઘડતરમાં આચારનો કોઈ મૌલિક સિદ્ધાન્ત કામ કરતો નહોતો. બુદ્ધનો મૂળ સિદ્ધાંત છે કે કુશલ કાર્ય કરવું અને અકુશલનું નિવારણ કરવું. આ સિદ્ધાન્તની કચેરીએ પ્રત્યેક નિયમને કસી શકાય; પણ કુશલાકુશલને અંતિમ વિવેક કેણ કરે ? એ વિવેક બુદ્ધ પોતે પોતાના હાથમાં રાખ્યો છે. સંઘે એ જવાબદારી નથી લીધી કે તે વિવેક કરીને નકકી કરે કે કુશલ શું અને અકુશલ શું? પણ. આથી એમ નથી સમજવાનું કે બુદ્દે જે વિવેક કર્યો છે તે અતક્ય છે. બુદ્ધનો તો એ દાવો હતો કે હું જે કહું છું તે પ્રજ્ઞાથી કહું છું અને શ્રોતા એ સ્વીકારતાં પહેલાં પોતાની તર્ક અને બુદ્ધિશક્તિને અવશ્ય ઉપગ. કરે, અને પરીક્ષા કર્યા પછી એમ જણાય કે બુદ્ધવચન તથ્ય અને હિતકર છે તે જ તેને સ્વીકારે. એટલે એમ કહી શકાય કે આચારના વિષયમાં અંતિમ સત્ય બુદ્ધની આજ્ઞા છે, એમ છતાં એ આજ્ઞા અતક્ય નથી મનાઈ ત્યારે વૈદિક વિધિ વિષે એવું નથી. ઉપરના વિવેચનથી સ્પષ્ટ છે કે વૈદિક આજ્ઞા એ એકાંતરૂપે અતર્યા છે, જ્યારે બૌદ્ધ આજ્ઞા તર્કસિદ્ધ છે. પણ જૈનોની પ્રકૃતિ તો અનેકાંતવાદી છે એટલે આચારના નિયમો વિષે તે એકાંતવાદી બની શકે નહિ. આચાર્યોનું કહેવું છે કે આજ્ઞા એ ધમ છે એ સાચું, પણ જે આજ્ઞા આપવામાં આવી છે તેનું મૂળ ભગવાનના અલૌકિક કેવળજ્ઞાનમાં છે એટલે લૌકિક જ્ઞાન વડે એની સમગ્રભાવે પરીક્ષા થઈ શકે નહિ. કેટલીક વાતોમાં લૌકિક જ્ઞાનની પ્રવૃત્તિ થઈ શકે છે એટલે તેક વડે તેમની કેટલીક આજ્ઞાઓની સિદ્ધિ સંભવે છે, પણ એવી. Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન - ઘણય બાબત છે, જેમાં લૌકિક જ્ઞાનને–તકશક્તિને-સંચાર જ થઈ - શકે એમ છે નહિ. એટલે એવી બાબતો તર્કસિદ્ધ નથી. અર્થાત જેન આના સમગ્ર ભાવે તર્કસિદ્ધ માનવાના પક્ષમાં જેન આચાર્યો નથી : આંશિક તકસિદ્ધ છે અને આંશિક તર્કસિદ્ધ નથી. આ પ્રમાણે જેને આજ્ઞા કેવળ તર્કશુદ્ધ છે એમ કહી શકાય નહિ અને તેમાં તકની ગતિ નથી જ એમ પણ કહી શકાય નહિ. આ મધ્યમ માર્ગ જૈનના અનેકાંતવાદનું સીધું પરિણામ છે. જેન આચારના સ્ત્રોત અને એ અનેકાંત, આચાર વિષેની આજ્ઞાઓના ઘડતરમાં પણ કાર્ય કરે છે. વૈદિકનાં વેદમૃતિની જેમ જૈન આચારનો મૂળ સ્ત્રોત જૈન તીર્થકરનું શ્રુત છે. છતાં એ શ્રુતમાં આચારના સમગ્ર નિયમનું વિધાન થઈ ગયું છે એમ નથી મનાયું; જ્યારે વૈદિકે માને છે કે સમગ્ર નિયમે વેદમાં વિહિત છે—પછી ભલે વિદ્યમાન વેદમાં એ નિયમો મળતા ન હોય. બૌદ્ધોની જેમ જૈનો એમ પણ નથી માનતા છે કે કેવળ તીર્થકર જ નિયમોનું ઘડતર કરે, બીજા કેઈ નહિ. જૈનોએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે અમુક જ નિયમ તીર્થકરે કહ્યા છે, અને, એવા ઘણા નિયમ છે જે મૌલિક શ્રુતમાં છે નહિ, છતાં આચાર્યોએ, તે તે સમયે, આવશ્યકતા જોઈને, એ મૌલિક નિયમોમાં નવા નિયમો ઉમેર્યા છે. એટલે આ દૃષ્ટિએ જોતાં જ્યારે બૌદ્ધો એમ માને છે કે માત્ર બુદ્ધ જ નિયમસર્જન કરી શકે છે, ત્યારે જેનેના મત પ્રમાણે કેવળ તીર્થકર નહિ પણ ગીતાર્થ સ્થવિરો પણ મૂળ ઉપદેશને અનુકૂળ એવા નિયમોનું સર્જન કરવા સમર્થ છે. આચાર્ય હરિભદ્ર તો ત્યાં -સુધી કહે છે કે તીર્થકરીએ તો કેઈ વિધિનિષેધ કર્યા જ નથી; માત્ર એટલું જ કહ્યું છે કે સંયમની વૃદ્ધિ થાય તેવું કરવું અને અસંયમમાં પ્રવૃત્તિ ન કરવી. અર્થાત તીર્થકરે તે આચારનો મૌલિક સિદ્ધાંત બતાવી દીધો છે. એ સિદ્ધાંતને અનુસરી તેને અનુકૂળ એવા નિયમો: Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈન આચારના મૂળ સિદ્ધાંતા ૬૧. નિયમે સાધક સ્વયં ધડી લે. આચાય'નું આ મન્તવ્ય કેવળ શૈક્ષયિક છે; એટલે તેના શબ્દાર્થ ન લેતાં ભાવાથ લેવા જોઈ એ. તાત્ક્ષય એટલું છે કે નાના-મોટા બધા જ નિયમેાને ઉપદેશ તીથ કર નથી . કરતા; અને એવા ઉપદેરા દેવેશ સંભવિત પણ નથી. માટે મૂળ - સિદ્ધાંતને અનુસરીને આચરણના વિધિ-નિષેધાની પરીક્ષા કરી લેવી જોઈ એ. જ્યારે અદ્વૈત પરંપરાઓનુ પ્રાબલ્ય વધી ગયું અને વાણીની અક્તિને દાનિકાને પૂરા ખ્યાલ આવી ગયા અને અવાચ્યતા યા. અનિચનીયતાના સિદ્ધાન્તનુ સમ ન થવા લાગ્યું, ત્યારે બ્રહ્મ એ . એકાંત અનિર્વાચ્ય બન્યું; એટલું જ નહિ પણ ‘ રોતુ. મૌનું વ્યાયાનં, શિષ્યાસ્તુ છિન્નવંશયાઃ ' એ ઔપનિષદ સિદ્ધાન્તનું ખરું રહસ્ય હાથ . લાગ્યું. એ વખતે યુદ્ધ વિષે પણ કહેવામાં આવ્યુ કે તેમણે પેાતાના સમગ્ર જીવનમાં એક અક્ષર પણ ઉપદેશ રૂપે કહ્યો નથી. અને જૈન . તીથંકરા વિષે પણ દિગંબર પરંપરામાં એમ કહેવામાં આવ્યું કે તેઓ વૈખરી વાણીના પ્રયાગ કરતા જ નથી, માત્ર હુંકારનેા જ ધ્વનિ નીકળે છે, જે વિવિધ ભાષારૂપે પરિણત થાય છે. એટલે એ કાળના આચાર્યાંનાં વચનાને અંતિમ પ્રમાણ માની શાસ્ત્રગત વસ્તુને વિચાર કરવા જઈએ તે વસ્તુસ્થિતિ સ્પષ્ટ થવાને બદલે ગૂંચવણુ ઊભી થવા સંભવ છે. એટલે આચાય હરિભદ્રના ઉકત અભિપ્રાયને ઉક્ત અનુબંધથી મુક્ત કરીને સમજવાનેા પ્રયત્ન કરવા જતાં ધૂંચ . ઉકેલાવાને બદલે ઊલટી જટિલ જ બની જવા સંભવ છે. સારાંશ એ છે કે જૈન આચારના મૂળ સ્રોત તીર્થંકર છે. એ માતાના અલૌકિક પ્રત્યક્ષ વડે કરાલ અને અકાલના વિવેક કરી સાધકને માટે આવશ્યક એવા વિધિ-નિષેધાની પ્રરૂપણા કરે છે. પણુ મુની માફક માત્ર તીર્થંકર જ વિધિનિષેધા કરે એમ જૈનાએ સ્વીકાયુ નથી. અને એ પણ સ્વીકાયુ નથી કે વેની જેમ તી -- Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન કરના ઉપદેશમાં જ બધા વિધિનિષેધે પ્રરૂપિત થઈ ગયા છે. પણ એટલું સ્વીકાર્યું છે કે સમય, દેશ આદિને અનુસરી મૂળ સાધનાને અવિરોધી એવા નિયમોપનિયમ તીર્થકર સિવાય બીજાઓના આચરણ અને ઉપદેશના આધારે પણ ઘડાયા છે, જે સમગ્રરૂપે જૈન આચરણને સ્રોત ગણાય છે. જેન આચારના મૌલિક સિદ્ધાન્ત : જ્ઞાન અને ક્રિયા જડ ક્રિયાકાંડ યા અજ્ઞાનપૂણું આચરણને જૈન દૃષ્ટિએ આચારનું નામ આપી શકાય નહિ. સદાચારની પ્રથમ શરત છે સતજ્ઞાન યા સમ્યજ્ઞાન. પ્રથમ શ્રદ્ધા અથવા દૃષ્ટિ શુદ્ધ થવી આવશ્યક છે. દૃષ્ટિ શુદ્ધ થયે જ જ્ઞાન સમ્યગ કહેવાય છે. અર્થપ્રતિભાસરૂપ જ્ઞાન તો સર્વ કઈ કરે જ છે. પણ એ જ્ઞાન આધ્યાત્મિક પરિભાષામાં સમ્ય - ત્યારે જ કહેવાય છે, જ્યારે મનુષ્ય વસ્તુનું મૂલ્યાંકન કરતાં શીખે; -એ મૂલ્યાંકન લૌકિક દૃષ્ટિએ નહિ પણ આધ્યાત્મિક દૃષ્ટિએ થવું આવશ્યક છે. એટલે કે મેક્ષપ્રાપ્તિની દષ્ટિએ હે પાદેયને વિવેક કરવો અનિવાર્ય છે. એવા વિવેક વિનાનું જ્ઞાન સમ્યજ્ઞાન કહી શકાય નહિ. અને એવા સમ્યજ્ઞાન વિનાનો આચાર એ સદાચાર યા સમ્યમ્ આચાર કહી શકાય નહિ. આ વસ્તુને ધ્યાનમાં રાખીને - જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન વિનાનો આચાર એ ગધેડા ઉપરના - ચંદનના બોજ જેવો છે. એની ગંધનો આસ્વાદ એ શું જાણે? પણ બીજે પક્ષે જ્ઞાન એટલે શું અને એની મર્યાદા શી, એટલે કે જ્ઞાનનું પરિમાણ કેટલું ?—આ વિષે કહેવામાં આવ્યું છે કે આચરણ માટે સમગ્ર વસ્તુઓનું તત્ત્વજ્ઞાન આવશ્યક નથી, પણ જેનો ઉપગ આચાર માટે આવશ્યક છે તેટલું જ્ઞાન જરૂરી છે. જ્ઞાન એટલે ઓછામ ઓછો આત્મ–અનાત્મવિવેક તો હોવો જ જોઈએ. પણ એ વિવેક સાક્ષાત્કાર કોટિનો નથી સમજવાને. પણ સંસારની અભિરુચિને બદલે મોક્ષની અભિરુચિ પ્રબળ બને એટલે વિવેક જરૂરી છે. સંપૂર્ણ Page #90 -------------------------------------------------------------------------- ________________ જૈન આચારના મૂળ સિદ્ધાંતા ૩ જ્ઞાન તે। મહાવ્રતેાના અને તપસ્યાના પરિણામે થાય છે અને તે સાક્ષાત્કારરૂપ હોય છે; અને એ જ્ઞાન પાછું સ ંપૂણૅ ચારિત્ર્યનું કારણ અને છે. આ દૃષ્ટિએ ‘જ્ઞાનપૂર્વકની ક્રિયા' માં જ્ઞાનના અથ આત્મ-અનાવિવેક સામાન્યરૂપે સમજવે ને એ, સાક્ષાત્કારરૂપ નહિ. એવે વિવેક પ્રાપ્ત થતાં મનુષ્યની રુચિ મેક્ષ પ્રતિ થાય છે અને તેને લક્ષીને તે જે ક્રિયા કરે છે, તે વડે તેને મેાક્ષ નજદીક આવે છે. આમ માનવાથી જ માસતુસ મુનિ જેવા મુનિએના આચરણની સંગતિ ધટે છે.એ મુનિને શાસ્ત્રજ્ઞાન કશું જ હતું નહિ, માત્ર મેાક્ષની તમન્ના હતી. અને ગુરુએ જે શબ્દો કહ્યા તે પણ તે યાદ રાખી શક્યા નહિ; છતાં પણ મેાક્ષની તમન્નાને કારણે તેમથું ચારિત્ર અળવાન બન્યું અને તે મેાક્ષને પામ્યા. આત્મૌષમ્યદ્રષ્ટિ * સચ્ચરિત્રના મૂળમાં જે વસ્તુ આચારાંગમાં વારંવાર કહેવામાં આવી છે તે છે આભૌપમ્ય. અહિંસાનુ પાલન શા માટે કરવુ ?—એના જવાબમાં એમ જ કહેવામાં આવ્યું છે કે જગતના વેામાં એવા કાઈ નથી, જેને પીડા પસંદ હેાય. આપણને પાતાને પણ પીડા પસંદ ં નથી, તેા પછી આપણે બીજા જીવને શા માટે પીવા? આત્મનઃ પ્રતિòાનિ રેષાં ન સમાપરે પેાતાને પ્રતિકૂળ હોય એવું આચરણ * બીજા પ્રત્યે ન કરવું આ દૃષ્ટિ તે આત્મૌપમ્યદૃષ્ટિ. આ દૃષ્ટિએ આચરણનું ઘડતર કરવામાં આવે તે જીવનમાં આપે।આપ મહાવ્રતાને ઉતાર્યા સિવાય છૂટકે નથી. આચરણ સારું છે કે નરસું એની પરીક્ષા આ આત્મૌપમ્યદષ્ટિથી કરવાની રહે છે. આને જ ખીજા શબ્દોમાં આપણે ત્યાં સામાયિક કહેવામાં આવે છે. જીવેા પ્રત્યે સમભાવ રાખી —બધા જીવે। મારી જેવા જ છે, એમ માની—સાવદ્ય પ્રવૃત્તિને! ત્યાગ કરવેા તે સામાયિક છે. અને એ સામાયિક વ્રતના જ વિસ્તાર પાંચે ૧ આ મુનિની કથા માટે જીએ ઉત્તરાધ્યયન સૂત્ર, ચેાથા અધ્યયનની ટીકા Page #91 -------------------------------------------------------------------------- ________________ જેનધર્મચિંતન મહાવ્રતો છે. એક સામાયિક સાધવાથી સકલ સિદ્ધ થાય છે અને જે એ નહિ તો જીવનમાં કશું જ નહિ? આ રીતે જૈન આચરણના. પાયામાં સામાયિક વ્રત રહેલું છે. અપ્રમાદ આત્મૌપામ્યદૃષ્ટિથી એમ તે નક્કી કર્યું કે સ્વાર્થસિદ્ધિ અર્થે બીજા અને પીડા આપવી એ સદાચાર નથી. પણ જૈન તત્ત્વજ્ઞાન તે કહે છે કે સમગ્ર લેકમાં છવો ભર્યા પડ્યા છે. શ્વાસોશ્વાસની ક્રિયા, જેના વિના જીવન ટકાવવું દુર્લભ બને છે, તે પણ બીજા જીવોને પીડાજનક બને છે. આવી સ્થિતિમાં અહિંસક કેમ રહી, શકાય ? સમભાવની સિદ્ધિ કેવી રીતે થાય ? આ પ્રશ્નનું સમાધાન કરતાં કહેવામાં આવ્યું કે ___ जयं चरे, जय चिट्टे, जयमासे जय सए । जय भुजता भासतो पावकम्मं न बंधई ॥ અર્થાત યતનાપૂર્વક આચરણ કરવાથી પાપકર્મને બંધ થતું નથી. યતનાનું બીજું નામ છે અપ્રમાદ. આચારાંગમાં વારે વારે કહેવામાં આવ્યું છે કે પ્રમાદ એ હિંસા છે; આથી જાગૃતિ એ અહિંસા છે. આ સિવાય અહિંસાનો બીજો ઉપાય હતો નહિ. આથી સાવધાની, અખ-- લન, સતત જાગૃતિ, અહિંસક રહેવાની તમન્ના–આ બધું મળીને અપ્રમાદ થાય; અને જે તે હોય તો બીજા જીવને પીડા થાય છતાં,. તમે પીડાની બુદ્ધિથી પીડા નથી આપી એ દૃષ્ટિએ, તમે અહિંસક છે, આમ માનવામાં આવ્યું. એટલે આચરણના મૂળમાં આત્મૌપમ્ય સાથે અપ્રમાદને પણ સ્થાન મળ્યું. આમ સતત જાગૃત પુરુષ આભૌપમ્યદષ્ટિસંપન્ન હોય તો તેનું આચરણ સદાચાર ગણુય, સચ્ચ-- રિત્ર ગણાય. નિવૃત્તિનું પ્રાધાન્ય આમ સમગ્ર આચરણના મૂળમાં સમભાવ હોવાથી અહિંસક જીવન વિતાવવું આવશ્યક મનાયું. અર્થાત્ એ અહિંસક જીવનને Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈન આચારના મૂળ સિદ્ધાંત ૬૫ ................................................ સૌથી સરળ માર્ગ એ જણ કે જીવનમાં પ્રવૃત્તિક્ષેત્રને સંકેચ કરે. આ દષ્ટિએ જેન સાધ્વાચારના ઘડતરની પાછળ પ્રવૃત્તિના સંકેચની દષ્ટિ અથવા તો નિવૃત્તિપરાયણ જીવનઘડતરની દૃષ્ટિ પ્રધાન બની જાય એ સ્વાભાવિક છે. અને એ દૃષ્ટિએ જ સમગ્ર સાધ્વાચારનું ઘડતર પ્રારંભિક કાળમાં થયું છે. એની સાક્ષી આચારાંગ જલા આ જેવા ગ્રંથ આપે છે. પણ અહિંસક જીવનઘડતરની આ એક બાજુ છે, અને સામાન્ય રીતે સૌનું ધ્યાન આ તરફ જ જાય છે અને એને લઈને સામાન્ય ધારણા એવી થઈ ગઈ છે કે જૈનધર્મ નિવૃત્તપરાયણ છે. પણ ખરી રીતે, સમગ્રભાવે જૈનધર્મને વિચાર કરવામાં આવે તે, વસ્તુસ્થિતિ અન્ય પ્રકારની હોવાનું માલૂમ પડશે. જૈન ઇતિહાસના અન્વેષકને જિનકલ્પ અને સ્થવિરકલ્પને ખ્યાલ હોય જ. એ સાચું છે કે જિનક૯૫માં જીવન એકાંત નિવૃત્તિપરાયણ જ હોય છે. પણ સ્થવિરકલ્પનો સાધ્વાચાર, જીવનમાં પળે પળે પ્રશ્નો ઉપસ્થિત થતાં, ક્રમે કરી જે ઘડાયે છે તે જોતાં એને નિવૃત્તિપરાયણ કહે એ નિવૃત્તિનો અર્થ ન સમજવા જેવું જ બને. એકાકી વિચરનાર જિનકલ્પી તો પોતાના અંતિમ જીવનમાં જ એ કલ્પને સ્વીકારતા અને મરજીવા થઈને નીકળી પડતા. એમની સાધના એકાંત નિવૃત્તિપરાયણ હતી. એ મરણથી નિર્ભય બની વિચરતા, એટલે સ્વયં •કષ્ટ સહન કરવા તૈયાર જ હતા; પણ બીજાને કષ્ટ આપવા કદાપિ તૈયાર ન થતા. પણ એવા કલ્પને સ્વીકારનાર કેટલા ? એમના કાંઈ સંઘો હતા નહિ અને તેમને પ્રવચનવિસ્તાર કરતાં આત્મવિસ્તારની વધારે ખેવના હતી. એટલે તેઓ મૃત્યુને વરીને પણ નિવૃત્તિપરાયણ જીવન ટકાવી રાખતા. પણ સ્થવિરક૯૫માં તો સાધકના સંઘ હતા–શ્રમણો અને શ્રમણીઓના. એ સંઘોને લઈને રહેવાના, ખાવા-પીવાના, કપડાંના, વિહારના. ચિકિત્સા તથા સુરક્ષાના, ધર્મના પ્રચારના અને તેને ટકાવી Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન રાખવાના–એમ નાનાવિધ પ્રશ્નો પ્રતિદિન ઉપસ્થિત થતા. એમાંથી તે તે કાળે સાધુસંસ્થાએ જે માર્ગ સ્વીકાર્યો છે તેને એકાંત નિવૃતિપરાયણ તેઓ જ કહી શકે, જેઓ જૈન સાધુસંસ્થાનો ઈતિહાસ જાણતા નથી, અગર જેઓએ છેદગ્રન્થ અને એના ટીકાગ્રન્થો જોયા નથી. આમ છતાં એક વસ્તુ સ્વીકારવી જોઈએ કે અંતિમ તાત્પર્ય નિવૃત્તિનું હોઈ, અને જ્યારે પણ શક્ય હોય ત્યારે એ માર્ગે જવાની બળવતી ઈચ્છા રહેતી હોઈ, જૈનધર્મને એકાંત નિવૃત્તિમાગી કહેવો હોય તો કહી શકાય. નિવૃત્તિનો જે એટલે જ અર્થ લેવામાં આવે કે જીવનપાલન માટે ઉપાર્જનની જંજાળમાં ન પડવું, પણ બીજાએ તૈયાર કરેલ વસ્તુમાંથી ભિક્ષા લઈ જીવનપાલન કરવું તો તે અર્થ ઘણો જ સંકુચિત અર્થ છે, અને એ અર્થમાં જનધર્મને સમગ્રભાવે નિવૃત્તિપરાયણ કહી પણ શકાય, પણ નિવૃત્તિનો એટલે જ અર્થ નથી એ ભૂલવું જોઈએ નહિ. આમ સમગ્રભાવે વિચારતાં જૈન આચરણના મૂળમાં જ્ઞાનપૂર્વક ક્રિયા, આત્મૌપમ્પદષ્ટિ અને અપ્રમાદ–એ જ મુખ્ય છે. બાકી બંધુ ગૌણ અને આનુષંગિક છે. -“પ્રબુદ્ધજીવન” ૧૬ જુલાઈ તથા ૧ ઓગસ્ટ, ૧૫૯. : ૧. જુઓ મેં લખેલ નિશીથચૂર્ણની પ્રસ્તાવના. Page #94 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ ભારત અને જૈનધર્મ બિહારની સ્થિતિ * ઉત્તર ભારત જૈન તીર્થકરોના જન્મ અને વિહારની ભૂમિ છે. શ્રમણાના વિહારને કારણે એ પ્રદેશ જ “બિહાર” ના નામે પ્રસિદ્ધ થયે, કે જ્યાં એમનો વિહાર-વિચરણ વિશેષ થતો હતો. પણ આજે બિહાર, બંગાળ અને ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં જૈનોની સંખ્યા નહીં જેવી છે. બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં, જ્યાં જે કંઈ જેનો છે, એ ત્યાંના વતની નથી, પણ છેલ્લી બે સદીઓ દરમ્યાન વ્યાપાર નિમિત્તે ત્યાં જઈને વસેલા છે. જૈનોનાં મૌલિક તીર્થસ્થાનો વિશેષ પ્રમાણમાં બિહારમાં છે પણ તીર્થક્ષેત્રે પ્રાચીન હોવા છતાં અત્યારે બિહારમાં પ્રાચીન મંદિર છે નહીં. જે કંઈ મંદિરો આજે સુરક્ષિત છે, એમની રચના મધ્ય યુગમાં થઈ છે. બિહારમાં જોઈએ તેટલા પ્રમાણમાં ખોદકામ પણ નથી થયું, તેથી પ્રાચીન અવશેષે પણ અત્યારે ઉપલબ્ધ નથી થતા. ઉત્તરથી પશ્ચિમ અને દક્ષિણ તરફ ફેલાવો • પ્રાચીન સમયમાં રાજગૃહ અને પટના, એ જૈનેનાં કેન્દ્રો હતાં. પણ વખતના વહેવા સાથે એનું એટલું મહત્વ ન રહ્યું અને જૈન સંઘે મથુરાની આસપાસ પોતાનું કેન્દ્ર જમાવ્યું. ત્યાં પણ જૈન સંધ લાંબા વખત સુધી સ્થિર ન રહી શક્યો; છેવટે એનું કેન્દ્ર ગુજરાત, Page #95 -------------------------------------------------------------------------- ________________ te જૈનધમ ચિંતન રાજસ્થાન, માળવા એટલે કે પશ્ચિમ ભારત બન્યું. આ રીતે ભારતની ઉત્તરેથી પશ્ચિમ તરફ્ થયેલી જૈન સંધની યાત્રાના આ ટૂંક સાર છે. આ જ રીતે જૈન સંઘે ઉત્તરથી દક્ષિણ તરફ પણ પ્રસ્થાન કર્યુ. જૈનધર્મીના દક્ષિણુ તરફ પ્રચાર કરવામાં રાજા સંપ્રતિએ ઘણી મદદ કરી હતી. રાજા સંપ્રતિએ આંધ્ર, દ્રવિડ વગેરે દેશમાં સાધુએ સુખપૂર્વક વિહાર કરી શકે એ માટે, પેાતાના સૈનિકાની મદદથી, એ ક્ષેત્રાને સાધુઓના વિહારને ચેાગ્ય બનાવ્યાં. રાજા સંપ્રતિ અશેાકને પૌત્ર થતા હતા, અર્થાત્ અશાકના સમય સુધી દક્ષિણ દેશ વિહારને ચેાગ્ય ન હતા; એને અનાય દેશ ગણવામાં આવતા હતા. એ પછી તે!, પશ્ચિમ ભારતની જેમ, દક્ષિણ ભારત પણ જૈનધર્મનું કેન્દ્ર બની ગયું. દક્ષિણમાં જૈનધમના પ્રચાર એ દિશામાંથી થયા હતા ઃ માળવાની રાજધાની ઉજ્જયિનીથી અને પૂર્વમાં એરિસાથી પણ જૈનધ દક્ષિણમાં ફેલાયેા હતેા. પશ્ચિમમાં થતાંખરાનુ અને દક્ષિણમાં દિગંબરાનું પ્રાધાન્ય શરૂઆતમાં તેા પશ્ચિમ ભારતમાં શ્વેતાંબર અને દિગંબર અને સ ંપ્રદાયાનું અસ્તિત્ત્વ મળે છે; પણ આગળ જતાં પશ્ચિમ ભારતમાં શ્વેતાંબરાનું જ પ્રાધાન્ય રહી ગયું. આથી ઊલટુ, દક્ષિણમાં શરૂઆતમાં અન્ને સંપ્રદાયે! રહ્યા હશે, પણ પછી ત્યાં દિગંબરેનું જ પ્રાધાન્ય થઈ ગયું. આગમરક્ષા પશ્ચિમમાં; દાર્શનિક સાહિત્યનું સર્જન દક્ષિણમાં જૈન આગમે!—ચાહે તે શ્વેતાંબર માન્ય હાય કે દિગ ંબર માન્ય —એ બન્નેની રક્ષા પશ્ચિમ ભારતમાં જ થઈ છે. વલભીપુરમાં શ્વેતાંઅર માન્ય આગમાની વાચના થઈ હતી; અને દિગંબર માન્ય ષખંડાગમ વગેરેનું મૂળ પણ પશ્ચિમ ભારતમાં જ સચવાયું હતું. પણ જૈન દાનિક સિદ્ધાંતાની વ્યવસ્થામાં દક્ષિણના જૈનાચાર્યાના ફાળા જેવા તેવા નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ P દક્ષિણ ભારત અને જૈનધમ fe ખરી રીતે જોવામાં આવે તે!, ભારતીય દાનસૂત્રોનું વિવરણું અને વિવિધ દાર્શનિક વિચારસરણીઓના વિકાસ દક્ષિણુ ભારતમાં જ થયા છે. મીમાંસકેામાં શખર, મારિલ અને પ્રભાકર; વેદાંતીમાં શકરાચાય, મધ્વ, રામાનુજ વગેરે; ઔદ્યોમાં નાગજ્જુન, દિગ્નાગ અને ધતિ તથા એમની શિષ્યપર ંપરામાં થયેલા મેાટા મેટા દાર્શનિકા —એ બધાય દક્ષિણમાં થયા. આવી સ્થિતિમાં એમની વચ્ચે રહેવાવાળા જૈન આચાર્યાં પેાતાના દર્શનને નવા પ્રકાશમાં પ્રગટ ન કરત તે! તેએ પેાતાનું અસ્તિત્વ જ ગુમાવી એસત. આવી પરિસ્થિતિમાં એ પ્રદેશમાં સ્વામી સમન્તભદ્ર, અકલંક, વિદ્યાનંદ જેવા જૈન દાર્શનિકાની પ્રતિભા ચમકી ઊઠી. એ આચાર્યાએ જૈન દર્શનને અય બનાવવા માટે જે પ્રયત્ન કર્યાં એમાંથી જ ભારતીય દર્શનેને અનેકાંતવાદ જેવા એક સ્વતંત્ર, સર્વને સમન્વય કરનાર દાનની પ્રાપ્ત થઈ અને જૈનાને ગૌરવ લેવા જેવું સાહિત્ય મળ્યું. પશ્ચિમ અને દક્ષિણનાં જૈન સ્મારકા; દક્ષિણની વિશેષતા કળાના ક્ષેત્રમાં જ્યાં પશ્ચિમ ભારતમાં રાત્રુંજય, ગિરનાર અને આબુના તે ઉપર અદ્ભુત જૈન મંદિરની રચના થઈ, ત્યાં , દક્ષિણમાં પણ શ્રમણક્ષેત્રઞાલાના પહાડ ઉપર બાહુબલીજીની જે જબરજસ્ત, મને હર મૂર્તિ કારવામાં આવી છે, તે દુનિયાનું એક અનન્ય આશ્રયં મનાય છે. ઘણે ભાગે તેની આ જ એક પ્રાચીન દાનીય વિશાળકાય મૂર્તિ પેાતાના અસલ રૂપમાં અને અસલ સ્થાનમાં છે કે જે જૈનેાનું પ્રાચીનમાં પ્રાચીન સ્મારક હેાવાની સાથેાસાથ પેાતાના પ્રાચીન રૂપમાં આજે પણ વિદ્યમાન છે. મથુરાનું સ્થાપત્ય આના કરતાંય પ્રાચીન છે, પણ આજે એ એના અસલ રૂપમાં નથી, ફક્ત ખંડેરરૂપે છે. ગિરનાર અને શત્રુજયમાં કેટલીય વાર જીર્ણોદ્ધાર થયા પછી અત્યારનાં મદિરા ઊભા થયાં છે. આયુનાં મદિરાની રચના બાહુબલીની મૂર્તિની પછી થઈ છે. આ રીતે જોતાં જેમ પ્રાચીન હિંદુ સ્મારકોને સાચવવાના યશ દક્ષિણ ભારતને ફાળે જાય છે, તેમ પ્રાચીન જૈન Page #97 -------------------------------------------------------------------------- ________________ go જૈનધર્મચિંતન સ્મારકની રક્ષાને યશ પણ એને જ મળવો જોઈએ. પશ્ચિમમાં અને દક્ષિણમાં જૈનોના પ્રભાવની સ્થિતિ ઉત્તર ભારતમાં ક્યારેય જૈનોનું પ્રભુત્વ નથી નહ્યું, પણ પશ્ચિમ ભારતમાં રાજા કુમારપાળને કારણે જેનોનું પ્રભુત્વ પ્રવર્તતું હતું? અને સમસ્ત ગુજરાતના સાંસ્કૃતિક જીવનના ઘડતરમાં જેનોને પૂરેપૂરો ફાળે હતો. રાજા અમેઘવર્ષના સમયમાં—ખાસ કરીને રાષ્ટ્રકૂટોના સમયમાં – દક્ષિણમાં જૈનોનો પ્રભાવ વધ્યો તે ખરે, પણ એ ચિરસ્થાયી ન થ. શૈવધમી રાજાઓએ ત્યાં જેનો ઉપર જે અત્યાચાર ગુજાર્યા હતા, એનું વર્ણન વાંચતાં આજે પણ રૂંવાડા ખડાં થઈ જાય છે. આ પછી દક્ષિણમાં જૈનધર્મ ટકી રહ્યો તે ખરે, પણ તે બ્રાહ્મણ ધર્મના આચારાને અપનાવીને જ! એને લીધે જ પશ્ચિમ ભારતના જૈનો કરતાં દક્ષિણ ભારતના જૈન વર્ણાચારની બાબતમાં વધારે કદર છે. દક્ષિણની લેકભાષાના વિકાસમાં જેનોને ફાળે દક્ષિણ ભારતની કન્નડ ભાષાના મોટા ભાગના પ્રાચીન ગ્રંથ જૈનાચાર્યોએ રચેલા જ મળે છે. આ દષ્ટિએ જૈનાચાર્યોએ એ ભાષાની જે સેવા કરી છે, તે સર્વમાન્ય છે. તામિલ ભાષાના પ્રાચીન સાહિત્ય ઉપર પણ જેનોના વિચારોનો સારો એવો પ્રભાવ પડ્યો છે. આ ઉપરથી એમ કહી શકાય કે દક્ષિણ ભારતની લેકભાષાઓના વિકાસમાં જેનેનો ફાળો નોંધપાત્ર છે. દક્ષિણના જેને પંચમવર્ણ જાહેર કર્યા દક્ષિણ ભારતનું હવામાન સમશીતોષ્ણ છે. તેથી એ ક્ષેત્ર. ઉત્તરની અપેક્ષાએ, દિગંબર સાધુઓને વધારે અનુકૂળ છે. તેથી જ બીજા કોઈ પણ સ્થાન કરતાં પ્રાચીન સમયમાં અને મધ્યયુગમાં ત્યાં દિગંબર સંપ્રદાયને વિશેષ વિકાસ થયે; પણ શેના અત્યાચારોને લીધે ત્યાંના જેની સામાજિક સ્થિતિ કફોડી થઈ ગઈ, અને ઘણું Page #98 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ ભારત અને જૈનધમ ૭૧ ખરા જૈનેને પાંચમા વણુના (પંચમવણી') તરીકે જાહેર કરી દેવામાં આવ્યા ! આને લીધે ત્યાં એને વિકાસ અટકી ગયા. તારા અને દિગરા સાથે કામ કરે અત્યારના સમયમાં રેલ્વે અને વેપારની સગવડને લીધે શ્વેતાંઅરે! પણ દક્ષિણ ભારતમાં ગયા છે. પણ ખેદની વાત છે કે બન્ને ફ્રિકાના જેનેએ એકબીજાના પરિચય જોઇએ તેટલા કેળવ્યા નથી. શ્વેતાંબરામાં સારા વ્યાપારીએ છે, તે દિગંબરામાં વિદ્વાનેાની કમી નથી. એ બન્ને મળીને જો જૈનધર્મની વિચારસરણીના પુનરુદ્ધાર કરે તેા એ માટે અત્યારના સમય કરતાં વધારે અનુકૂળ સમય બીજો ન હાઈ શકે. મદ્રાસ અને એગલેાર જેવાં જે કાઈ સ્થાનેમાં જૈન મેડિંગ હેય ત્યાં દક્ષિણ અને ઉત્તર ભારતના જૈન વિદ્યાથી ઓને સમાન રૂપે સ્થાન આપવાથી પણ અરસપરસના સંબંધની શરૂઆત થઈ શકે. કન્નડ અને તામિલ ભાષામાં જે જૈન સાહિત્ય રચાયું છે, એને ક્રમે ક્રમે હિંદીમાં અનુવાદ કરાવીને ઉત્તરના રહેવાસીઓને દક્ષિણનું જ્ઞાન આપી શકાય. ” મૂળ હિન્દી ઉપરથી અનુવાદ ] “ શ્રમણ્ ’”, માર્ચ, ૧૯૫૦ Page #99 -------------------------------------------------------------------------- ________________ હિન્દુધર્મ અને જૈનધર્મ હિંદુધર્મ અને જૈનધર્મ વિષે લખવું એ સહેલું નથી. પ્રથમ તો પ્રશ્ન એ થાય છે કે હિંદુધર્મથી જૈનધર્મને જુદો શા માટે પાડવો ? શ્રી આનંદશંકર ધ્રુવસાહેબ જેવા જ્યારે હિંદુધર્મના ત્રણ ભેદ પાડે છે, જેમ કે વૈદિક, જૈન અને બૌદ્ધ, ત્યારે પછી હિંદુધથી જૈનધર્મને જુદો શા માટે ગણવો ? શ્રી ધ્રુવસાહેબની આ વ્યાખ્યા માન્ય કરીને પણ મારે એ કહેવાનું છે કે ભારતમાં અને ભારત બહાર હિંદુધર્મ કહેવાથી બહુજનસમાજમાં જે વૈદિક ધર્મ વિશેષે પ્રચલિત છે તેને જ બંધ થાય છે, અને નહિ કે જૈન અને બૌદ્ધનો. આથી ભારતના બહુજનસમાજમાં જે વિશેષે પ્રચલિત છે તે “વૈદિક ધર્મ” અહીં ‘હિંદુધમ” શબ્દથી પ્રસ્તુતમાં વિવક્ષિત રાખે છે; અને જૈનધર્મ એનાથી જુદો છે જ, એ હવે કહેવાની જરૂર રહી નથી. વિદ્વાને એ વાતમાં સંમત છે કે વૈદિક ધર્મના પ્રવાહમાંથી જૈન ધર્મનો ઉદ્દભવ નથી, પણ એ એક સ્વતંત્ર ધર્મ છે. વધુ સંભવ તો એ છે કે ભારતમાં આર્યો આવ્યા તે પહેલાં—એટલે કે ભારતમાં વેદિક ધર્મની આયાત થઈ તે પહેલાં—પણ ભારતીય પ્રજામાં જે ધર્મપ્રવાહ ચાલુ હશે તેની સાથે જૈનધર્મના પ્રવાહને વધુ સુમેળ છે. હિંદુધર્મને વ્યાપક અર્થ આમ આદિકાળની વાત જવા દઈએ તે, પછીના કાળમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ હિન્દુધર્મ અને જૈનધર્મ વૈદિક અને જૈન-બૌદ્ધના પારસ્પરિક આદાન-પ્રદાનમાં તે એવું ઘણું બન્યું છે, જે ઘણી બાબતમાં જૈનધર્મને ઋણ બનાવે છે, તે ઘણું એવી પણ બાબતો છે, જેમાં વૈદિક ધર્મ જૈનધર્મને ઋણી બન્ય છે. વૈદિક ધર્મનું આજનું રૂપ વેદકાળના પિતાના રૂપથી જે પ્રકારના પરિવર્તનને પામ્યું છે, તેમાં જેન-બૌદ્ધ ધર્મનો જેવો તે ફાળે નથી. વેદકાળના હિંસક યજ્ઞોને સ્થાને આજે આધ્યાત્મિક યજ્ઞોની વાત થાય છે, તેમાં તીર્થકર અને બુદ્ધની છાપ સ્પષ્ટ છે. ચાર વર્ણમાં બ્રાહ્મણ જ શ્રેષ્ઠ અને તે જ સર્વને ગુરુ, એવી જે ભાવના મૂળ વૈદિકની હતી તેને સ્થાને “પાળે એનો ધમ” એ ન્યાયે શૂદ્ર પણ સંત બની પૂજાઉં બને છે : આમાં પણ જૈન બૌદ્ધ પ્રભાવ સ્પષ્ટ છે. ઊલટ પશે, જૈનધર્મને અનુસરનાર સમાજમાં ઊંચ-નીચની વ્યવસ્થા વૈદિકોની ચતુર્વર્ણની વ્યવસ્થામાંથી નિષ્પન્ન થયેલી છે. મંદિરમાં મૂર્તિ સમક્ષ આડંબરી પૂજાને પ્રકાર પણ વૈષ્ણવ ધર્મને આભારી છે. આમ અનેક પ્રકારે આદાનપ્રદાન થયું છે. અને દીર્ઘકાલિન વૈદિક જૈન-બૌદ્ધના પારસ્પરિક આદાનપ્રદાનને કારણે ભારતમાં એ ત્રણે સંપ્રદાયોમાં ધર્મનું જે એક સર્વસામાન્ય રૂપ તૈયાર થયું તે જ હિંદુ ધર્મ. આ “હિંદુધર્મ” શબ્દ તેના વ્યાપક અર્થમાં છે, અને તેવા -ધર્મને લક્ષમાં રાખીને ડો. એ. બી. ધ્રુવ વગેરેએ હિંદુધમ શબદનો પ્રયોગ કર્યો છે અને તેના ત્રણ પ્રકારો દિક, જૈન અને બૌદ્ધ એમ જણાવ્યા છે. વ્યાપક હિંદુધર્મનાં સામાન્ય લક્ષણે સંકુચિત એટલે કે, વૈદિક હિંદુધર્મની વાત કરતાં પહેલાં વ્યાપક હિંદુધર્મનાં કેટલાંક લક્ષણોને વિચાર કરીએ. જે ધર્મોને ઉદ્ભવ હિંદુસ્તાનમાં થયો મનાય છે તે સર્વે હિન્દુધર્મમાં સમાવિષ્ટ છે. આમ જન-બૌદ્ધ તો હિંદુસ્તાનની જ પેદાશ હાઈ હિન્દુધર્મ કહેવાય જ. વૈદિક આર્યો બહારથી આવ્યા પણ તેમણે વેદની સંહિતાઓનું સંકલન તો હિન્દુસ્તાનમાં જ કર્યું છે. આથી તેમને ધર્મ પણ હિંદુધર્મ જ કહેવાય. પણ પછીના કાળમાં તે આ વૈદિક ધર્મો જ બહુજન Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૪ - ' જૈનધર્મચિંતા સમાજમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આથી હિન્દુઓના ધમની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે મુખ્ય રૂપે તે જ સમજાય છે. આથી હિન્દુધર્મનો સંકુચિત અર્થ “વૈદિક ધર્મ અત્રે સ્વીકારવામાં આવ્યા છે. પણ વ્યાપક હિન્દુધર્મનાં સામાન્ય લક્ષણો વિષે વિચાર કરે ઊંચિત છે. એટલે વૈદિક, બૌદ્ધ અને જૈનધર્મની કેટલીક સામાન્ય બાબતો વિશે પ્રથમ વિચાર કરી લઈએ. તે આ પ્રમાણે છે: - કર્મ અને પુનર્જન્મની માન્યતા, બંધ અને મોક્ષની માન્યતા, વિદ્યમાન અવસ્થામાં અસંતોષ અને એથી ઉચ્ચ-પરમોચ્ચ અવસ્થા અને તે પણ આધ્યાત્મિક દૃષ્ટિએ—એમાં વિશ્વાસ અને એને પ્રાપ્ત કરવાના સાધનરૂપ ભક્તિ, ધ્યાન આદિ અનુષ્ઠાનોની મૌલિક એકરૂપતા, ઉકત પરમાત્મરૂપ જે વ્યક્તિમાં નિષ્પન્ન થયું હોય તેવી વ્યક્તિની આરાધના ઈત્યાદિ. વળી, શાસ્ત્રદષ્ટિએ જોઈએ તે, એ ત્રણે સંપ્રદાયે સનાતન મનાયા છે. એટલે કે વસ્તુતઃ આ સંપ્રદાયો ક્યારે શરૂ થયા એનો ઈતિહાસ તે તે શાસ્ત્રો માનતાં નથી. એમાં તે એવી માન્યતા છે કે ત્રણે કાળપ્રવાહની સાથે સાથે વહ્યા કર્યા છે. હિંદુ-વૈદિક ધર્મમાં અવતાર દ્વારા ધર્મનું સાતત્ય છે, તો જૈન-બૌદ્ધમાં તીર્થકરો અને બુદ્ધોની હારમાળાથી એ સાતત્ય સૂચવાયેલું છે. આ, અવતાર અને જિનો કે બુદ્ધોની હારમાળા અનાદિઅનંત છે. - ધર્મનું સનાતન સત્ય પણ આ ત્રણેની આવી માન્યતામાં ભલે ઈતિહાસનું સત્ય ન હોય, પણ સત્યનું સત્ય તો છે જ. અને તે એ કે પ્રવાહમાં ધર્મનાં ભલે નવાં નવાં રૂપે થાય, પણ ધર્મનું સનાતન સત્ય બદલાતું નથી, અને તે એ કે જીવન શિવ સાથેનો સુમેળ બેસાડી દેવો. અહીં શિવ” શબ્દ મેં જાણી જોઈને વાપર્યો છે. “શિવ'નો સામાન્ય અર્થ કલ્યાણ થાય છે અને વિશેષ અર્થ કલ્યાણકારી દેવ પણ થાય છે. ધર્મના સનાતન સત્યમાં આ બન્ને અર્થની સંગતિ છે. યોગ અને Page #102 -------------------------------------------------------------------------- ________________ હિન્દુઘમ અને જૈનધર્મ ૭પ ભક્તિ એ ધર્મના બે પ્રવાહો છે. “ગ” શબ્દમાં પણ બે અર્થે રહેલા છે. પોતાના આત્મા સાથે જોડાઈ જવાની પ્રક્રિયા એ જેમ યોગ છે, તેમ પરમાત્મા સાથે જોડાઈ જવાની પ્રક્રિયા પણ યોગ છે. પરમાત્મા, એ પિત્તાનો વિશુદ્ધ આત્મા માનવામાં આવે કે તેથી જુદી–એ કારણે તેની પ્રક્રિયામાં કશો જ ફેર પડતો નથી. એ બને સ્થિતિમાં પિતાના આત્મામાંથી રાગ-દ્વેષાદિ આસુરી વૃત્તિઓનો સમૂળે. નાશ કરી નાખો એ પરમ આવશ્યક છે. એમ થયે સાધકે પોતાના આત્મારૂપ પરમાત્માને પામે કે પછી પોતાથી ભિન્ન પરમાત્માને પામે એ બાબત ગૌણ બની જાય છે. પણ તેને એક વાર સ્વાત્માને. તે નિર્મળ કરે જરૂરી જ છે. અને એ બીજું કશું જ નહિ, પણું સ્વાસ્મોપલબ્ધિ જ છે. ભક્તિ વિષે પણ આપણે સમજી લેવું જોઈએ કે સાધક પરમાત્માને પોતાથી જુદો માનીને પણ ભક્તિ કરી શકે છે અને સ્વાત્માને પરમાત્મા માનીને પણ ભક્તિ કરી શકે છે. ધ્યેયમાં થોડોક ભેદ એ પડશે કે ભક્તિના ફળરૂપે એકમાં સ્વાભો-- પલબ્ધિ કરવાની હોય છે, તો બીજામાં સ્વાત્માથી ભિન્ન પરમાત્માની ઉપલબ્ધિ કરવાની હોય છે. પણ એ બન્ને સ્થિતિમાં સ્વાત્માની વિશુદ્ધિ તો અનિવાર્ય જ છે. એટલે અંતે સ્વાત્માની વિશુદ્ધ એ જ સ્વાત્મોપલબ્ધિ બની જાય છે, અને તે અનિવાર્ય જ છે. અને ભક્તિની પ્રક્રિયામાં એ જ મુખ્ય છે; એ વિના ભક્તિ નિષ્ફળ જાય છે.. સ્વાસ્મોપલબ્ધિ થઈ એટલે એકને કૃતકૃત્યતા લાગે છે, જ્યારે બીજે. એ ઉપરાંત પરમાત્માને પણ પામે છે, તેના સાયુજયને–તેના આત્મતિક સામીનો—આનંદ મેળવે છે. બન્નેનો આનંદ એ આનંદ જ છે. ભેદ એ છે કે એકને બ્રહ્મ કે આત્મરમણમાં જે આનંદ મળે છે. તે બીજે પરમાત્માના સાયુજ્યમાંથી મેળવે છે. ધર્મતત્ત્વના આ સનાતન સત્યને જે બરાબર સમજવામાં આવે તો આગળ ધાર્મિક પ્રિચાકડો અને વિધિવિધાનોની જે નાનાપ્રકારની પ્રક્રિયા શરૂ થઈ છે, તે ! બધાંનું સામંજસ્ય સમજવામાં જરા પણ મુશ્કેલી ઊભી થવા સંભવ નથી... Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઐતિહાસિક અને સાધક આમ ધર્માં સનાતન હેાવાની માન્યતા તે તે ધર્મોની છે, પણુ તેથી કાંઈ ઇતિહાસના વિદ્વાનેને સ ંતેષ થાય નહિ. જેમને ધર્મમાં રસ નથી પણ તિહાસમાં રસ છે એટલે કે સ્વયં ધાર્મિક સાધના કરવામાં રસ નથી, પણ તટસ્થભાવે ધાર્મિક માન્યતાઓના ઉત્થાનપતનને ઇતિહાસ જાણવામાં રસ છે, તેને એ ધર્માંની સનાતનતામાં શંકા ઉદ્ભવે તે સ્વાભાવિક છે. ાર્મિક પુરુષની શ્રદ્ધા તેને આગળ વધારે છે ત્યારે ઐતિહાસિકની જિજ્ઞાસા તેને અનેક ઠેસેા ખવરાવ્યા પછી જ નવાં નવાં ક્ષેત્રે ઉઘાડી આપે છે. ધાર્મિક પુરુષને એ જોવાની જરૂર નથી કે જે ધાર્મિક અનુષ્ઠાન હું કરું છું તે કયારથી શરૂ થયું છે. પણ તે માત્ર એટલું જ જુવે છે કે આ મારું અનુષ્ઠાન મને ધ્યેય પ્રતિ અગ્રસર કરે છે કે નહિ ? ત્યારે અતિહાસિકને એની સાથે બહુ સબંધ નથી; એ તે। એ અનુષ્ઠાનનું મૂળ તપાસવામાં જ રસ ધરાવે છે. આથી ધાર્મિક પુરુષને આત્મસાક્ષીએ પતી જાય છે, પણ ઐતિહાસિકને અનેક પ્રકારની સાક્ષીએની જરૂર પડે છે. આથી અને છે એવું કે જે બાબત ધાર્મિક પુરુષને સાવ સાદા અંતિમ સત્ય તરીકે માન્ય હેાય છે, તેને ઐતિહાસિક કાલિક કે દેશિક સત્ય તરીકે સ્વીકારતાં પહેલાં પણ તેની અનેક સાક્ષીએ ચકાસણી કરીને જ આગળ ચાલે છે. આત્માને ઠગવેા સહેલા નથી. આત્મપ્રત્યયથી વિરુધ વનારને એક ડંખ તે રહે જ છે; એટલે આત્માના અવાજને દાખી શકાતે નથી. આથી ધાર્મિક પુરુષ, જો તે ખરેખર ધાર્મિક હાય તેા, આગળ ને આગળ જ વધે છે; આત્મવંચના જ કરવી હાય અને આત્માના અવાજને દાબી દઈને જ ધાર્મિક કહેવરાવવું હાય તે। જુદી વાત છે. પણ આત્માને અવાજ ધાર્મિક પુરુષને મા બતાવે છે એમાં શક નથી. આથી ઊલટુ, ઈતિહાસના સાક્ષીઓમાં આત્મપ્રત્યયને જે લાભ છે તે મળતા નથી અને અતિહાસિક પેાતાના ગમા-અણુગમાને આધારે માટે ભાગે આગળ વધતા હોય છે. આથી જૈનધમ ચિંતન Page #104 -------------------------------------------------------------------------- ________________ હિન્દુધર્મ અને જૈન ધર્મ ૭૭ બ અનેક બાબતો વિષે સમાન સામગ્રી છતાં મતભેદને અવકાશ મળે. છે. આ જ કારણને લઈને ધર્મના ઐતિહાસિક આલોચનમાં અકમત્ય સ્થાપી શકાયું નથી. પણ અહીં જે કહેવામાં આવશે તે અધિકાંશ , અતિહાસિકોને માન્ય છે એવું જ મોટે ભાગે કહેવાશે. આમાં , ધામિકોની લાગણું કે માન્યતાને દૂભવવને જરાય ઇરાદો નથી. પ્રસ્તુત ચર્ચાની મર્યાદા આટલી સામાન્ય ભૂમિકા પછી હવે હિંદુધર્મ એટલે કે અહીં વિવક્ષિત વૈદિક ધર્મ અને જૈનધર્મની કેટલીક બાબતો વિષે વિચાર કરવો છે. હિન્દુધર્મ એ એક વિશાળ વટવૃક્ષ છે, જેની વડવાઈઓ એટલે કે સંપ્રદાય એટલા બધા ફેલાઈ ગયા છે કે તેનું મૂળ શોધવા જતાં અટવાઈ જવાય એવું છે. છતાં પણ તેના પ્રચલિત મુખ્ય રૂપને નજર સમક્ષ રાખી વિચાર કરવાનો છે. આમ તો શૈવ, વૈષ્ણવ આદિ અનેક સંપ્રદાય હિન્દુસ્તાનમાં ઊભા થયા છે અને પ્રચારમાં આવ્યા છે. પણ હિન્દુધર્મમાં કૃષ્ણ- - ભક્તિએ જે ઉચ્ચ આસન જમાવ્યું છે તે સ્પષ્ટ છે; અને, એક રીતે જોઈએ તો, કૃષ્ણભક્તિમાં જ ગીતાએ સૌની ભક્તિનો સમાવેશ કરી લેવાની ઉદારતા દાખવીને જે સૌને સમન્વય કર્યો છે તે જ આજના હિન્દુધર્મનું મુખ્ય રૂપ કહી શકાય. આથી ગીતામાંથી નિષ્પન્ન એ ' હિન્દુધર્મનું રૂપ કઈ કઈ ભૂમિકામાંથી પસાર થયું છે તે બાબત મુખ્ય રૂપે હિન્દુધર્મની વિવેચનામાં અહીં કહેવામાં આવશે. અને જેન ધર્મના વિચારમાં સાહિત્ય, પ્રવર્તક પુરુષો, આચારવિચાર અને સંપ્રદાયો–એ મુદ્દાઓ વિષે હિન્દુધર્મની તુલના કરીને વિવેચન કરવાને ઇરાદો છે. ઇતિહાસની દૃષ્ટિએ હિન્દુધર્મનાં પાંચ રૂપ હિન્દુધર્મને માન્ય એવા વેદો ભારતીય સાહિત્યમાં જ નહિ, Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જેનધર્મચિંતન પણ વિશ્વના સાહિત્યમાં પ્રાચીનતમ મનાય છે; જ્યારે ઉપલબ્ધ જેનાગ વિષે એમ નથી. આથી હિંદુધર્મની ઇતિહાસની સામગ્રીના અપાયા બહુ ઊંડા જાય છે, ત્યારે જૈનધર્મ વિષે એમ નથી એ સ્પષ્ટ છે. સામગ્રીન કાળને આ ભેદ છતાં વિદ્વાનોનું માનવું છે કે વેદમાં પ્રતિપાદિત ધર્મ, જેના પ્રવાહને આધારે હિન્દુધર્મનું નિર્માણ થયું છે, તે અને જૈનધર્મને મૂળ પ્રવાહ, એ બંને જુદા જ છે. વેદ અને વેદપ્રતિપાદિત ધર્મ એ ભારતમાં આયાત થયેલ છે, જ્યારે જૈનધર્મ તો ભારત બહારથી આયાત થયો નથી; તેમ જ તે વેદના આધારે ઉત્પન્ન પણ થયો નથી; પણ એ એક સ્વતંત્ર ધર્મપ્રવાહ છે એમ પ્રાયઃ સ્વીકારાઈ ગયું છે. હિન્દુધર્મની રચનાનો ઇતિહાસ બહુ રોચક છે. તેને વેદમૂલક કહેવામાં આવે છે અને તે વેદના પ્રવાહમાંથી નિષ્પન્ન થયેલ છે, એ પણ સાચું જ છે, છતાં પણ તેનો કાયાકલ્પ એ પ્રકારનો થયો છે કે જાણે તેને જૂના સાથેનો સંબંધ હોળીના હારડામાંના સૂતરના તાંતણું જેટલું જ રહ્યો છે. નવ ભાર એટલે બધો વધી ગયો છે કે તેને એ સૂતરના તાંતણારૂપ વેદ સંભાળી શકવા તો સમર્થ છે, છતાં પણ જાણે તેનું કોઈ અસ્તિત્વ દેખાતું નથી. એટલે કે આજના હિંદુધર્મના આચારમાં એટલું બધું પરિવર્તન થઈ ગયું છે કે તેમાંથી મૂળના વૈદિક આચારે પ્રાયઃ નામશેષ થઈગયાછે. વૈદિક આચાર યજ્ઞનો હતો, પણ વેદકાલીન યજ્ઞો અને આજના -યોમાં જમીન-આસમાનનું અંતર છે. વેદકાળના યજ્ઞો આજે થાય છે ખરા, પણ તે પ્રદર્શન માટે; આચારના–જીવનમાં વણાઈ ગયેલ આચારના–ભાગરૂપે નહિ. પ્રદર્શન માટે એટલા માટે કહું છું કે પૂના જેવા શહેરમાં માત્ર તે કાળે યજ્ઞો કેવા થતા હતા તે બતાવવા ખાતર કવચિત્ જ જૂની રીતે યજ્ઞો ગોઠવવામાં આવે છે, જેથી અભ્યાસીને તેના સ્વરૂપનું જ્ઞાન થાય. એને ઉદ્દેશ, તેવા યોના પુનઃ પ્રચારને નહિ પણ, માત્ર ઈતિહાસની જિજ્ઞાસા સંતોષવાનો હોય છે. વૈદિક યજ્ઞોને પુનઃ પ્રચાર શા માટે ન થાય એવી ભાવનાવાળા કરપાત્રી મહારાજે Page #106 -------------------------------------------------------------------------- ________________ હિન્દુધર્મ અને જૈનધર્મ જ્યારે એ યજ્ઞો જોયા ત્યારે તેમનો પણ ઉત્સાહ શમી ગયો. એ બતાવે છે વેદમૂલક છતાં અત્યારનો હિંદુધર્મ વેદની મૂળ માન્યતાથી કેટલો આગળ વધી ગયું છે. આજે જેને આપણે હિંદુધર્મને નામે ઓળખીએ છીએ, તેના ઈતિહાસને વિચાર કરીએ છીએ ત્યારે તેનાં પાંચ રૂપે સ્પષ્ટ થાય છે – (૧) વૈદિક ધર્મ–આજથી લગભગ સાડાત્રણ હજાર વર્ષ પૂર્વે,. જ્યારે આર્યો ભારતમાં આવ્યા ત્યારે, જે આચાર અને વિચાર સાથે લાવ્યા હતા તેને વૈદિક ધર્મ કે શ્રોતધર્મ તરીકે ઓળખાવવામાં આવે છે. એ ધર્મને, વિદ્વાનો માને છે તેમ, ભારત બહારનો ધર્મ જે રૂપે ભારતમાં આવ્યો તે રૂપે જ સમજવો જોઈએ. એમાં આડંબર વિનાના હિંસક યો એ ધાર્મિક આચારવિધિ હતો અને વિચારમાં જોઈએ તો અનેક દેવોની ઉપાસના તે યજ્ઞો દ્વારા થતી. પણ એવી ભૂમિકા સર્જાઈ ગઈ હતી કે તે બધા દેવો નામે ભલે જુદા હોય પણ તત્ત્વ તિ એક જ છે. ઉપાસનાને કોઈ ઉચ્ચ ઉદ્દેશ નહિ પણ શત્રુનાશ અને ભૌતિક સંપત્તિની વૃદ્ધિ એ હતો. પ્રાચીન વેદોમાં આ વિશ્વરચના કોણે, ક્યારે કરી, કેવી રીતે કરી ઇત્યાદી જિજ્ઞાસાના શમન માટે ઉત્કટ પ્રયત્ન થયો હતો, પણ હજી તેનો નિશ્ચિત ઉત્તર મળે ન હતો. સમાજરચનામાં ચાર વર્ગો હતા એ પણ જણાય છે. હિંદુધર્મની ભૂમિકારૂપે આ પ્રકારના વૈદિક ધર્મને મૂકી શકાય. (૨) બ્રાહ્મણધર્મ–વૈદિક ધર્મની ભૂમિકાના ઉકત રૂપ પછીનો જે વિકાસ છે તે બ્રાહ્મણધર્મને નામે ઓળખાય છે. તે એટલા માટે કે તેનો આધાર વેદના પરિશિષ્ટરૂપે રચાયેલ “બ્રાહ્મણ” નામના પ્રત્યે છે. આમાં વેદના મૂળ મંત્રોનો વિનિયોગ ક્યાં કેવી રીતે કરવો અને વેદમાં જે સૂચિત કથા કે ઘટનાઓ છે તેને મેળ કેવી રીતે મેળવવો એ માટેનો પ્રયાસ છે. વેદ એ ઋષિઓ-કવિઓની રચના છે, તે બ્રાહ્મણગ્રન્થ પુરોહિતોની રચના છે. એ પુરોહિતને મૂળ ઉદ્દેશ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જૈનધર્મચિંતન એટલે જ હતા કે કર્મકાંડ, જેમાં યનો જ મુખ્ય હતા, તેને વ્યવસ્થિત કરવા. આનું પરિણામ એ આવ્યું કે વૈદિક કાળના સીધાસાદા યજ્ઞો એક જટિલ કર્મકાંડરૂપે બની ગયા અને તે નિષ્ણાતોની સહાય વિના અસંભવ બની ગયા. આ કારણે સમાજમાં પુરોહિતવર્ગનું મહત્ત્વ વધી ગયું અને તેમણે ગુરુપદ લીધું. આ યજ્ઞમાં સામગ્રી વધી. ગઈ, વિધિની જટિલતા વધી ગઈ. ઉપરાંત યજ્ઞોની વિવિધતા પણ વધી ગઈ. સમગ્ર સમાજને લાંબા કાળ સુધી યજ્ઞકાર્યમાં ફસાઈ રહેવા વારો આવ્યો. જાણે કે જીવન યજ્ઞમય જ બની ગયું અને યજ્ઞ એ જ પરમાત્મા અને સૃષ્ટિ પણ બની ગયું ! અને તેમાં બ્રાહ્મણ વર્ણ, જે પુરોહિતવર્ગ હતો, તેનું પ્રાધાન્ય થઈ ગયું. આ સમયમાં વિચારેમાં કાંઈ વિશેષ વિકાસ થયો હોય એમ જણાતું નથી. પણ યજ્ઞમાં -કર્મકાંડમાં–જ જાણે બધું સમાઈ જતું હોય એવું વાતાવરણ સર્જાયું. આજથી ત્રણ હજાર વર્ષ પહેલાંના હિંદુધર્મનું આવું રૂપ તે બ્રાહ્મણધર્મ. (૩) સંક્રાંતિકાળ–આ પછીનો કાળ તે સક્રાંતિ કાળ છે. ઉપનિષદ કે વેદાંતને નામે ઓળખી શકાય તેવું હિંદુધર્મનું રૂપ આ કાળમાં હતું. આર્યો જેમ ઉત્તરથી પૂર્વ તરફ આગળ વધતા ગયા તેમ તેમનો ભારતીય પ્રજા સાથેનો સંપર્ક વધતો ગયો અને તેને પરિણામે વિચારેનું પૂર વૈદિક ધર્મમાં આવ્યું. કર્મકાંડની જટિલતા. અને બ્રાહ્મણોના વર્ચસ્વ સામે એક પ્રકારનો બળવો જાગે. પરિણામે યો “ફૂટેલ નૌકા” છે એવું એકાંતિક વલણ પણ લેનારા વિચારકે. પાક્યા, અને જૂને ચીલે છોડી આચાર અને વિચારની શુદ્ધિ કરવી. જોઈએ એ પ્રકારનું વલણ વધ્યું. આથી, આપણે જોઈએ છીએ કે, ઉપનિષદોમાં યજ્ઞવિચાર કરતાં બ્રહ્મનો વિચાર વિશેષરૂપે થયો છે. અને યજ્ઞના કર્મકાંડોમાં રસ ઓછો થઈ આત્મા વિષેના ચિંતનમનનમાં રસ વધ્યો છે. અને આ સૃષ્ટિની ઉત્પત્તિ ક્યાંથી કેવી રીતે થઈ છે એ વિશેના નાના પ્રકારના વિતર્કો વિના રોકટોક ચાલુ થઈ ગયા છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૧ હિન્દુધર્મ અને જૈનધર્મ - આ કાળમાં આત્મવિચારમાં અગ્રણી બ્રાહ્મણ નહિ પણ ક્ષત્રિય હતા તે બતાવે છે કે ખરી રીતે બ્રાહ્મણોનું વર્ચસ્વ ઓછું કરી ક્ષત્રિ એ જનસમુદાય ઉપર ધાર્મિક ક્ષેત્રે પણ પિતાને પ્રભાવ જમાવવો શરૂ કર્યો હતો. આમ બનવું સ્વાભાવિક જ હતું, કારણ, જે કર્મકાંડનું મહત્ત્વ ઘટે તો તેની સાથે બ્રાહ્મણોનું પણ મહત્ત્વ ઘટવું અનિવાર્ય હતું. આ કાળે એક તરફ કર્મકાંડના પ્રબળ સમર્થક બ્રાહ્મણ હતા, તો બીજી તરફ તેમના વિરોધમાં આત્મવિચારના સમર્થક ક્ષત્રિય હતા. આ બંને વર્ગો છેલ્લે પાટલે બેસીને જ્યારે પોતપોતાના મતનું સમર્થન કરતા હતા, ત્યારે પણ એ વચલે વર્ગ તો હતો જ કે જેને એમ લાગતું હતું કે આ બન્ને ભાગે–યજ્ઞ અને આત્મા–માં ઘણું ઘણું અપનાવવા જેવું છે, તેથી તેનો આત્યંતિક વિરોધ કરવો ઉચિત નથી. યજ્ઞોમાંથી જ જટિલતા દૂર કરવામાં આવે અને તેમાંથી હિંસા દૂર કરવામાં આવે, તો આત્મવાદીઓને પણ યજ્ઞનો વિરોધ કરવાનું કારણ રહે નહિ. આચારમાંથી કર્મકાંડનો અતિરેક દૂર કરવામાં આવે અને આત્મધ્યાન ઉપર વિશેષ ભાર આપવામાં આવે તો તેમાં કશું ખોટું નથી. પણ સમાજમાં હજુ આ વચેલ માર્ગ લેનારાનું પ્રભુત્વ સ્થપાયું ન હતું. વિચાર અને આચારનો ઊકળતો ચરુ એ - આ ઉપનિષદકાળનું લક્ષણ કહી શકાય. એ ઉકળાટને પરિણામે જે રસાયન નિષ્પન્ન થવું જોઈએ તે હજુ નિષ્પન્ન થયું ન હતું. પણ એક દિશા મળી ગઈ હતી. એટલે આ કાળને હિંદુધર્મના સક્રાંતિકાળ તરીકે ઓળખાવી શકાય. આવી સ્થિતિ આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં પ્રવર્તતી હતી. (૪) સમન્વયની સાધનાને કાળ–ઉપર કહેલા સંક્રાંતિકાળમાંથી હિંદુધર્મનું જે રૂપ નિષ્પન્ન થયું તે જ રૂપ આજના હિંદુધર્મનું પ્રવર્તક બળ છે. એ નિષ્પત્તિ એકાએક તો થાય જ નહિ; પણ Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ચિંતન ૮૨ લગભગ હજાર વર્ષો સુધી એ ચરુ ઊકળતા રહ્યો અને તેમાંથી જે રસાયન નિષ્પન્ન થયું તેને આપણે આજના હિ ંદુધર્માંનું રસાયન કહી રાકીએ. એ રસાયનની ઝાંખી આપણને ગીતામાં મળે છે. આથી જ હિંદુધર્માંના સ વગેામાં ગીતા એ માન્ય ગ્રન્થ બની ગયેલ છે. હિંદુધના આ રૂપની. વિશેષતા સમન્વયમાં રહેલી છે. આ સમન્વયની સાધના લગભગ હજાર વર્ષ ચાલી છે અને પછી જે નિષ્પત્તિ થઈ તે જ આજને હિંદુધમ છે. આ સમન્વયની સાધનાના કાળ ઈ. સ. ચેાથી-પાંચમી સદી સુધી ચાલ્યો. (૫) સમન્વય-હિં દુધનું અંતમાં જે સમન્વિત રૂપ ગીતાથી નિષ્પન્ન થયું તે પ્રાય: આજ સુધી જોવા મળે છે. તેમાં ઉતાર-ચડાવ ગમે તેટલા થયા પણ તેની મૂળ ભાવના, જે સમન્વયપ્રધાન હતી, તે ચાલુ જ રહી છે. તેમાં ઉત્તરેત્તર વિકાસ જ થયા છે. ગીતાને આધારે ઘડાયેલ હિંદુધનાં લક્ષણા ગીતાના વિચારના પ્રચારથી હિંદુધનું જે રૂપ નિષ્પન્ન થયું અને જે આજે પણ જોવા મળે છે, તેનાં લક્ષણા વિષે હવે વિચાર કરીએ ઃ (૧) કૃષ્ણભક્તિ અને વિભૂતિમત્ તત્ત્વ—હિંદુધર્માંમાં કેન્દ્રસ્થાને કૃષ્ણભક્તિનું જે મહત્ત્વ વધ્યું તે આજે પણ કાયમ છે. મૂળ તા શ્રીકૃષ્ણ, એ યાદવેાના આરાધ્ય હતા, પણ ધીરે ધીરે એમના પ્રભાવ સમગ્ર હિંદુધર્માંમાં વધ્યા. તે એટલે સુધી કે તેમની વૈદિક વિષ્ણુ સાથે એકતા સિદ્ધ થઈ. આથી મનુષ્ય અને વૈદિક દેવાતાનું એકત્વ સધાયું અને એને પરિણામે હિંદુધર્મમાં અવતારવાદનું એક નવું તત્ત્વ ઉમેરાયું. આથી વિભૂતિસ’પન્ન કાઈ પણ મનુષ્ય ઈશ્વરના અવતાર તરીકે પૂજ્યપદને પામી શકે છે, આવી ભવ્ય ભાવના ધામિમાં સ્થિર થઈ. પરિણામે, આપણે જોઈ શકીએ છીએ કે, જે કાઈમાં વિભૂતિનું દર્શન થયું તેવા મધ્યકાળના સંતા ઈશ્વરના અવતાર તરીકે પૂજાયા. આધુનિક કાળે ગાંધીજીને પણ એક અવતારી પુરુષ તરીકે Page #110 -------------------------------------------------------------------------- ________________ હિન્દુધર્મ અને જૈનધર્મ માનનારાને તોટો નથી. આમ ઈશ્વર એ કઈ દૂરની સદૈવ પરાક્ષ વસ્તુ ન રહી, પણ આપણું સૌની વચ્ચે જે કોઈ વિભૂતિમતું હોય તે ઈશ્વર જ છે અને તેની ઉપાસના એ પણ ઈશ્વરની જ ઉપાસના છે, આમ મનાવા લાગ્યું, પરિણામે સમાજને સંદેવ ઈશ્વરનું સાંનિધ્ય માણવાને અવસર મળી ગયો. (૨) જગતની ઈશ્વરમયતા–દાર્શનિક વિચારે ગમે તેવા થયા હોય, પણ ધાર્મિક પુરુષોની તો એવી જ શ્રદ્ધા છે, અને તે શ્રદ્ધા ગીતાથી જ પુષ્ટ થઈ છે કે, વિશ્વમાં જે કાંઈ છે તેમાં કૃષ્ણ–ઈશ્વર–પરમાત્મા સમાવિષ્ટ છે અને તે બધું ઈશ્વરથી જ નિષ્પન્ન છે. આને પરિણામે સાચી શ્રદ્ધાળુ ધાર્મિક જનને રાગ–ષનું કારણું રહેતું નથી અને સમભાવની સાધનામાં તે દત્તચિત્ત રહે છે. એક ભક્તપુરુષને શ્વાન અને ચાંડાલમાં પણ સમભાવ જ હોય છે, ઘણાને અવકાશ રહેતો નથી. પૃસ્યાસ્પૃશ્ય વિચાર, એ સ્માર્તધર્મના અવશેષરૂપે હિંદુસમાજમાં–ખાસ કરી જ્યાં બ્રાહ્મણોનો પ્રભાવ છે ત્યાં જ–-વિશેષ છે, પણ જ્યાં બ્રાહ્મણ-પ્રભાવ ઓછો છે ત્યાં તે પણ મંદ છે. સાર એ છે કે ગીતાને સામ્યોગ એ હિંદુધર્મનું એક મુખ્ય લક્ષણું બની ગયું છે. તે કહેવાતા બધા હિંદુધર્મીઓમાં ન પણ જોવા મળે, પણ રામકૃષ્ણ પરમહંસ જેવા સાચા ભક્તોમાં તો અવશ્ય જોવા મળે જ. . (૩) ભકિતમાર્ગની પ્રતિષ્ઠા—ગીતામાં જ્ઞાન, કર્મ કે ભક્તિ એમાંથી કયા યોગનું પ્રાધાન્ય છે, એ બાબત અંગે વિદ્વાનોમાં ભલે વિવાદ પ્રવર્તતો હોય, પણ જીવનમાં તો તેમાંની જે એક વસ્તુ હિન્દુ“ધર્મમાં પ્રતિષ્ઠિત થઈ છે, તે છે ભક્તિ, એમાં તે કોઈ શક નથી. હિંદુધર્મમાં ધાર્મિક અનુષ્ઠાન તરીકે આજે જે એક માર્ગ પ્રતિષ્ઠત છે તે ભક્તિ જ છે. અને એ ભક્તિમાં જ જ્ઞાન અને કર્મને સમાવેશ થઈ ગયો છે. આ ભક્તિમાર્ગનો ચેપ ભારતવર્ષના બધા ધર્મોને લાગે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ જેનધર્મચિંતન જ્ઞાનમાર્ગને આશ્રય બ્રાહ્મણે જ વિશેષ રૂપે લઈ શકતા કર્મકાંડમાં પણ શુદ્રોને અધિકાર જ ન હતો; પણ ભક્તિમાર્ગ જ એક એ છે કે જે સૌને માટે ખુલે છે. એમાં જાતિ-પતિ કે સ્ત્રી-પુરુષના કશા પણ ભેદ વિના સૌને સરખો અધિકાર છે. આથી હિંદુધર્મમાં બહુજનસમાજમાં એ વધારે પ્રચલિત થાય એ સ્વાભાવિક હતું. કલાક (૪) લસંગ્રહ–ગીતાનો ખાસ સંદેશ છે લેખસંગ્રહને. જેને –બૌદ્ધના એકાંત સંન્યાસ માર્ગમાં સર્વ કર્મથી વિરત થઈ ગૃહત્યાગ આવશ્યક હતો, જ્યારે ગીતાએ જણાવ્યું છે કે “ નિધન શ્રેય પર માવઠ્ઠ:” એટલે કે મનુષ્ય પોતાને જે પ્રાપ્ત થયેલ ધર્મ હોય તેનું જ પાલન કરવું, તેમાં જ મુક્તિ છે. જે કર્મો નિયત કરેલાં છે તે કર્મો સૌએ કરવાં; એ છોડીને જવામાં સાર નથી. કર્મથી બંધન થાય છે તેનું કારણ આસક્તિ છે, નહિ કે તે કર્મ. માટે આસક્તિ છેડીને, ફળની આશા વિના, પ્રાપ્ત થયેલ કર્તવ્યકર્મ કરવું એમાં જ મુક્તિ છે—ગીતાનો આ સંદેશ હિંદુધર્મમાં પ્રતિષ્ઠિત વે છે અને આથી સામાજિક અવ્યવસ્થા ઊભી થવાને બદલે તેમાં સામંજસ્ય આવ્યું છે. સાચા હિંદુધમીમાં ઊંચ-નીચના ભાવને અવકાશ રહે જ નહિ–જે ગીતાના સંદેશને યથાર્થરૂપે પાળવામાં આવે છે. અને, આપણે જોયું છે કે, આથી જ નીચ ગણુતી કોમમાંથી પણ આપણે ત્યાં સંતો પાક્યા છે અને તેમને પણ એટલું જ આદર મળ્યો છે, જેટલો એક બ્રાહ્મણ સંતને. આ પ્રભાવ હિંદુધર્મને છે, જેનું મૂળ ગીતાના ઉપદેશમાં જ રહેલું છે. વેદથી માંડીને આજ સુધી જે જે દેવ ધર્મમાં સ્થાન પામ્યા તે સૌને કૃષ્ણ સાથે અભેદ હોઈ અને જે જે સંતો થયા તે સ્વયં કૃષ્ણના જ અવતાર હોઈ સમાનભાવે પૂજ્ય છે. આ ભાવનાનો પ્રચાર ગીતાથી થયે એટલે ઈષ્ટ દેવને લઈને ધાર્મિક મતભેદોને સ્થાન રહ્યું નહિ. પણ જેની પણ પૂજા–ભક્તિ થાય, જે કઈ નામે થાય કે જ્યાં પણ થાય, તે સૌ કૃષ્ણની જ ભકિત છે, આવા ઉદાર વલણને હિંદુધર્મ અપનાવ્યું છે. વળી, Page #112 -------------------------------------------------------------------------- ________________ હિન્દુધર્મ અને જેનધમ, જે કઈ કર્મ કરવામાં આવે તે પણ ઈશ્વરભક્તિના જ અંગરૂપ છેઃ આવી સમજ ગીતાએ આપી હાઈ બધાં જ કર્મોમાં ભક્તિરૂપે દેવીભાવ આવી જવાથી કર્મમાંથી પણ ઊંચ—નીચનો ભાવ લુપ્ત થયો. જે કાંઈ કરે તે ઈશ્વરભક્તિનું જ અંગ છે, આવી ઉદાત્ત ભાવના હિંદુધર્મમાં આવી; આમ થવાથી હિંદુધર્મના વિવિધ સંપ્રદાયમાં જે વિધભાવના હતી તે લુપ્ત થઈ અને એક એવી ઉદાત્ત ભાવનાને પ્રચાર થયો કે સૌ કોઈ પોતપોતાની યોગ્યતા અને શકિત પ્રમાણે ઈશ્વરની જ ભક્તિ કરે છે, તેથી ઈશ્વરના નામભેદ કે રૂપભેદને આગળ કરી વિખવાદ કરવાને હવે કશું જ કારણ રહ્યું નહિ. આમ હિંદુધર્મનું સંગ્રાહક રૂપનિષ્પન્ન થવામાં ગીતાનો ફાળો અપૂર્વ છે. હિંદુધર્મના આટલા વિચાર પછી હવે આપણે જૈનધર્મ વિષે વિશેષ વિચાર કરીએ. જનધર્મ જેનું સાહિત્ય સુનિશ્ચત અર્થવાળું હોઈ તેમાં વિચારભેદને અવકાશ નથી. એટલે જૈનધર્મના વિવિધ સંપ્રદાયને આધાર વિચારેભેદ નહિ, પણ આચારભેદ છે. અને વિચારની એકરૂપતા, જ્યારથી પણ તેનો ઈતિહાસ મળે છે ત્યારથી, જળવાઈ રહ્યાનું જાણી શકાય છે. તે પ્રથમ કહ્યા પ્રમાણે, અહીં જૈનધર્મ વિષે–તેના સાહિત્ય, પ્રવર્તક મહાપુ, આચાર, વિચાર અને સંપ્રદાયે વિષે–વિચાર કરીએ એ પહેલાં જૈનધર્મની કેટલીક બાબતો વિષે હિન્દુધર્મની તુલના કરીને વિચાર કરીએ. કોઈ પણ ધર્મ એકાએક ઊભો થાય નહિ, વ્યવસ્થિત થાય નહિ. એ ભલે અમુક મહાપુરુષના નામ સાથે જોડાય, પણ ખરી રીતે એનાં મૂળ તો તેથી પણ ઊંડાં હોય છે; તે દેશ કે તે કાળમાં પણ એ મૂળ ભલે ન હોય, પણ અન્યત્ર જરૂર હોવાનાં જ. પણ જે મહાપુરુષ તે મૂળને પકડીને તેની આસપાસનાં જાળાં-ઝાંખરાં Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન હટાવીને તે તરફ આંગળી ચીંધે છે તે જ તે ધર્મને પ્રવર્તક કહેવાય છે. એમ વિચારીએ તો જૈનધર્મનાં જે શાસ્ત્ર છે તે ભગવાન મહાવીર પછીનાં જ છે; તે પૂર્વેનું કોઈ સાહિત્ય આપણી સમક્ષ નથી. તેથી તે પૂર્વના જૈનધર્મની પરિસ્થિતિ વિષે જે કાંઈ શાસ્ત્રીય સંકેતો મળે છે તે, તે શાસ્ત્રમાં જ મળે છે. • હિન્દુધર્મની જેમ જૈનધર્મને આદિકાળ જ્ઞાત નથી થઈ શકત. એટલે એ કાળની વાત જવા દઈએ; પણ જેનાગામથી ફલિત થતા જૈનધર્મનાં સામાન્ય તત્ત્વો વિષે કેટલીક માહિતી મેળવીએ. અહિંસા અને સંન્યાસ હિન્દુધર્મના મહાભારતકાળ પર્યત તો સ્પષ્ટ છે કે તેમાં જેટલું મહત્ત્વ સત્યને આપવામાં આવ્યું છે તેટલું મહત્ત્વ અહિંસાને અપાયું નથી. આ વસ્તુ અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વિષે પણ છે. ઉપનિષદના મહર્ષિએ પણ અપરિગ્રહમાં માનતા હોય એમ લાગતું નથી. ઋષિએના અબ્રહ્મચર્યની કથાઓનો તોટો નથી. તે કાળે તેવા અબ્રહ્મચર્ય વિષે ધર્મગ્રન્થમાં કશી જ ટીકા થઈ નથી. વળી, બ્રહ્મચર્ય એ સંન્યાસ આશ્રમમાં છેક જીવનની અંતિમ અવસ્થામાં અનિવાર્ય જેવું છે. બ્રાહ્મણોને વિષે તો કહેવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વની રચના કરી બ્રહ્માએ એ સૃષ્ટિ બ્રાહ્મણોને જ સમપી છે. તેમની કમજોરીને કારણે બીજાઓ માલિક બની બેઠા છે, માટે બ્રાહ્મણ અણુદીધેલું લઈ લે તો તેમાં કાંઈ તે ચેરી કરે છે એમ નથી; એ તો પોતાની જ વસ્તુ પિતે લેતા હોય છે. આમ પાંચ યમોમાં માત્ર સત્ય વિષે ભાર હિન્દુધર્મમાં પ્રાચીન કાળમાં જોવા મળે છે. પણ આથી ઊલટું, જ્યારથી જૈનધર્મનો ઈતિહાસ જાણવા મળે છે ત્યારથી અહિંસા એ જ પર ધર્મ છે એમ મનાયું છે. અને એ અહિંસામાંથી સત્ય આદિને ફલિત થતાં બતાવવામાં આવ્યાં છે. અને અહિંસાપ્રધાન પાંચે યમ સરખી રીતે પાળવા આવશ્યક મનાય છે. જીવનમાં સંન્યાસ અંતિમ Page #114 -------------------------------------------------------------------------- ________________ હિન્દુધર્મ અને જૈનધર્મ કાળે નહિ, પણ જ્યારે પણ ધર્મ સમજાય અને પાલનની શકિત દેખાય ત્યારે લઈ શકાય છે. આથી જીવનના યૌવનકાળમાં સંન્યાસ. લે એને જૈનધર્મમાં વિશેષ મહત્ત્વ અપાયું છે. વર્ણ કે સ્ત્રી-પુરુષ ભેદના મહત્વને અસ્વીકાર વળી, વણધર્મના વિભાગને જૈનધર્મો પ્રારંભમાં તો અસ્વીકાર જ કર્યો હતો; એવો વિભાગ જેનધર્મમાં અમાન્ય છે. આથી મહાભારતની કે ગીતાની જેમ ક્ષત્રિયો દ્વારા બાંધવો, પિતા કે ગુરુની યુદ્ધમાં થતી હત્યા એ જૈનધર્મ અનુસાર ધર્મમાં કદી જ ગણાઈ નથી. વળી, બ્રાહ્મણે કરેલો અપરાધ સૌના અપરાધની સમાન જ છે. અપરાધ પર તેને કોઈ પણ જાતના વિશેષ હક્કો જૈનધર્મમાં અમાન્ય જ થયેલા છે. શુદ્ધ હિન્દુધર્મની સ્મૃતિઓ પ્રમાણે સંન્યાસી થઈ શકતા નથી કે ગુરુપદને પામી શકતા નથી; પણ જૈનધર્મમાં તેમ નથી. સંન્યાસનો અધિકાર સૌને સરખો. છે. સંન્યાસની બાબતમાં સ્ત્રી-પુરુષમાં પણ ભેદ કરવામાં આવ્યું નથી. આમ છતાં લોકોનુસરણથી જૈનધર્મના મૌલિક વિચાર સાથે અસંગત એવી કેટલીક બાબતો આચારક્ષેત્રે આવી ગઈ છે, જેવી કે સમાજમાં જાતિ–પાંતિના ભેદ, દીક્ષિત સ્ત્રી એટલે કે સંન્યાસી બનેલી સ્ત્રીનો દરજજો પુરુષ કરતાં સદૈવ નિમ્ન જ રહે વગેરે. વળી, દિગબરમાં તો સ્ત્રીના મોક્ષને પણ નિષેધ કરવામાં આવ્યું, તે પણ. નગ્નતાના સાંપ્રદાયિક આગ્રહનું જ ફળ છે. અનેકાંતવાદી દર્શન જૈનધર્મમાં સાધુ અને ગૃહસ્થના સમગ્ર આચારોનું ઘડતર અહિંસાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યું છે જ્યારે હિન્દુધર્મના આચાર વિષે એમ કહી શકાતું નથી. એ અહિંસામાંથી જ દાર્શનિક વિચારધારામાં જૈનધર્મે અનેકાંતવાદને વિકાસ કર્યો છે, જ્યારે હિન્દુધર્મનાં વિવિધ દર્શનેમાં મુખ્ય રૂપે એક-એક દૃષ્ટિ નજરે પડે છે. એ જુદી Page #115 -------------------------------------------------------------------------- ________________ ગમે છે. આવશે. આ ભેદ છે તે જૈનધર્મચિંતન જુદી દૃષ્ટિઓનો સમન્વય કરીને જ જેનધમે પિતાનું અનેકાંતવાદી દર્શન ઊભું કર્યું છે. જૈન સાહિત્ય : વેદ અને આગને વચ્ચેનો ભેદ જેમ હિન્દુધર્મના સમગ્ર વિચાર અને આચારના પાયામાં વેદ છે, તેમ જૈનધર્મના પાયામાં ભગવાન મહાવીરે ઉપદેશેલ આચાર અને વિચારનો સંગ્રહ તે જૈન આગમ છે. વેદ અને આ આગમોનો જે એક મૌલિક ભેદ છે તે જાણવાથી બન્નેની પ્રકૃતિનો વિશેષ ખ્યાલ આવશે. વેદો, એ અનેક ઋષિઓના દર્શનની સંહિતાઓનું નામ છે. એ મંત્ર કહેવાય છે. આથી તેમાં અર્થ કરતાં શબ્દનું વિશેષ મહત્વ છે. પરિણામ એ આવ્યું કે વેદના મૂળ શબ્દોમાં કશે પણ ફેરફાર થઈ શક્યો નથી. અને વૃંદાદિ સંહિતાનું જે કાળે જે રૂપે સંકલન થયું છે તે જ રૂપ આજે પણ વિદ્યમાન છે. પણ શબ્દો એના એ જ છતાં વૈદિકોએ એના અર્થને મહત્ત્વ ન આપ્યાથી પરિણામ એ આવ્યું છે કે તેના વિવરણમાં અનેક મતભેદો ઊભા થયા અને પરિણામે વૈદિકમાં પરસ્પરવિરોધી અનેક દર્શન પણ ઊભાં થયાં. પ્રજ્ઞાશીલ પુરુષને પિતાને જે કાંઈ દર્શન થયું હોય તે વેદને નામે ચડાવી દેવામાં કશો જ આંચકો આવતો નહિ. પરંતુ જેન આગમો વિષે આવું નથી. તેમાં ભગવાન મહાવીરના ઉપદેશના શબ્દોનું નહિ પણ અર્થનું મહત્ત્વ છે. આથી તેમના ઉપદેશને આધારે તેમના ગણધરેએ આગમોની રચના કરી. શબ્દો સચવાયા નહિ પણ અર્થ સચવાયે, તાત્પર્ય સચવાયું. તેથી શાબ્દિક રચના ગમે તેવી હોય, પણ વિચારભેદને જેનશાસ્ત્રરચનામાં અવકાશ રહ્યો નહિ. વળી, વેદનો કાળ આજથી સાડા ત્રણ હજાર વર્ષ જેટલે જૂનો છે. આથી અને અર્થની ઉપેક્ષા થવાથી અર્થની બાબતમાં મતભેદ થાય એમાં નવાઈ પણ નથી. પણ જેનાગમની રચનાના સમયમાં ભાષામાં વપરાતા શબ્દોએ નિશ્ચિત અર્થ ધારણ કર્યો હતો. આથી પણ જૈન આગમના શબ્દોનો અર્થ કરવામાં મતભેદને અવકાશ રહ્યો નહિ. પરિણામે, આપણે જોઈએ Page #116 -------------------------------------------------------------------------- ________________ હિન્દુધર્મ અને જેનધર્મ ૮૯ છીએ કે, જૈનધર્મમાં જે સંપ્રદાય થયા તેમાં દર્શનભેદ અગર વિચારને ભેદ નથી, આચારને ભેદ છે. આનું બીજું પરિણામ એ આવ્યું કે ગણધરે રચેલા આગમો પણ તેના તે જ રૂપમાં, વેદની જેમ, સચવાયા નહિ. વળી, વેદની ભાષા સંસ્કૃત છે અને શબ્દરૂપની જાળવણું તેમાં છે, પણ આગની ભાષા તો લોકભાષા પ્રાકૃત છે. આથી પણ ભગવાન મહાવીરના કાળની પ્રાકૃત આજે આગમોમાં રહી નથી; પણ જે કાળે અંતિમ સંકલન થયું તે કાળની પ્રાકૃત ભાષાની અસર તેમાં પડે તે સ્વાભાવિક છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પુરોહિત સમાજની સંસ્કૃત ભાષા છોડીને બહુજનસમાજની ભાષા પ્રાકૃતમાં ઉપદેશ આપો તેની પાછળનો હેતુ પણ એ જ છે કે તેમને ઉપદેશ ગણ્યાગાંઠયા લેકની મૂડી ન બને, પણ આમજનતા તેનાથી પૂરે લાભ ઉઠાવે. પરિણામે વેદો એ માત્ર વૈદિક ધર્મને અનુસરનારાં અમુક જ બ્રાહ્મણ કુટુંબોની મૂડી બની ગયા અને તેમણે એના બળે ધાર્મિક નેતૃત્વને ઇજારે લીધો. પણ ભગવાન મહાવીરનો ઉપદેશ લેકભાષામાં હેઈ આવો કઈ ઈજારો કેઈ લઈ શકયું નહિ. એથી એક લાભ એ થયો કે તેને પ્રચાર તે વ્યાપક બન્યો, પણ કોઈ એક વર્ગની આગવી મૂડી ગણાયેલ ન હોઈ કેઈએ તેને સાચવવાનો પૂરો પ્રયત્ન પણ કર્યો નહિ, આથી તે આજે શબ્દરૂપમાં છિન્નભિન્ન દશામાં મળે છે—જેકે, ઉપર કહ્યું તેમ, તેના અર્થમાં વિપર્યય નથી થયો. વેદ અને આગમ સાહિત્યમાં બીજે જે એક ભેદ જાણવા જેવો છે તે એ કે વેદો એ ઉપદેશગ્રન્થ નથી, પણ ઋષિઓએ નાના દેવતાઓની કરેલી સ્તુતિઓનો સંગ્રહ છે. આ સ્તુતિઓમાં મોટે ભાગે કવિત્વ છે, પણ તેનું તાત્પર્ય તો ભૌતિક સમૃદ્ધની યાચનામાં રહેલું છે; કોઈ પારલૌકિક કે આત્માની ઉન્નતિ–આધ્યાત્મિક ઉન્નતિ-માટેના પિોકારે તેમાં નથી, પણ શત્રુ–બાહ્ય શત્રુ–નો નાશ કરી સામ્રાજ્યપ્રદેશના વિસ્તારમાં દેવોની સહાય માગવામાં આવી છે. આથી Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન ઊલટું, આગમાં આધ્યાત્મિક ઉન્નતિ માર્ગ દેખાડવામાં આવ્યો છે અને ભૌતિક સમૃદ્ધિની તુચ્છતાનું વર્ણન છે. જ્યાં પણ કઈ સ્તુતિ છે ત્યાં આંતરિક શત્રુ-રાગદ્વેષને નિવારી મુક્તિલાભની ઝંખના દર્શાવવામાં આવી છે. વેદ અને આગમ વચ્ચે આ મૌલિક ભેદ છે. વળી, વેદમાં જે આરાધ્ય દેવો છે તેમાં પણ ઋષિઓએ પોતાના જ જેવા રાગદ્વેષની કલ્પના કરી છે. તેઓ પણ સ્તુતિઓથી પ્રસન્ન થઈ સ્તોતાની મદદે દોડે છે અને તેમને પણ એ જ ભોજન ભાવે છે, જે આરાધકને ભાવે છે એવી કલ્પના છે. આરાધકના જે શત્રુ એ દેવના પણ શત્રુ બની જાય છે અને તેને નાશ કરવાનું કાર્ય તેઓ કરે છે, એવી પણ કલ્પના છે. આથી ઊલટું, આગમોમાં જે દેવોની કલ્પના કરવામાં આવી છે, તેઓ સ્વર્ગમાં રહે છે પણ સ્તુત્ય નથી. તે દેવો તો સ્વયં તીર્થકરની ઉપાસના કરવા આવે છે. ઉપાસ્ય હાય. તે તે વીતરાગ જ હોવો જોઈએ. અને ઉપાસનાનો હેતુ વીતરાગ. બનવું એ છે. આ બધી ભાવનાઓને આધારે વેદ અને આગમનો. ભેદ પડે છે. આગમને આધારે જે સમગ્ર જૈન સાહિત્યનું નિર્માણ થયું છે તેમાં મુખ્ય રૂપે ઉકત ભાવનાને જ પોષણ આપવામાં આવ્યું છે, પ્રવર્તક મહાપુરુષે હિન્દુધર્મમાં અત્યારે રામ, કૃષ્ણ, શિવ-શંકર-–આ ત્રણેની વિશેષ પૂજા ભગવાનરૂપે થાય છે. તેમાં પણ કૃષ્ણનું મહત્ત્વ સવિશેષ છે. એ ત્રણેય એક જ પરમાત્માના અવતાર છે એવી કલ્પના છે. અને એ પરમાત્મા તો સદા મુક્ત મનાય છે. વળી, તે તે સંપ્રદાયે તે તે મહાપુરુષોને નામે પ્રચલિત થયા છે. જેમ કે શૈવ, વૈષ્ણવ આદિ. આ પછી પણ જે જે સંતો થયા તેમના નામે પણ રામાનુજી, ચૈતન્ય, રામાનંદી, કબીરપંથી આદિ સંપ્રદાય થયા. આ સંતે પણ ભગવાન –પરમાત્માના અંશાવતાર હાઈ સ્વયં ભગવાન જેમ જ પૂજાય છે. કે ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરીએ તે, આ અવતારવાદ Page #118 -------------------------------------------------------------------------- ________________ હિન્દુધર્મ અને જેનધર્મ સિદ્ધાંત, ભગવાન મહાવીર અને બુદ્ધ જેવા મનુષ્ય પૂજાવા શરૂ થયા. ત્યાર પછી શરૂ થયો છે. શ્રમણ સંપ્રદાયમાં તીર્થકર એ ક્ષત્રિયો : હતા, તો રામ અને કૃષ્ણ, જે અવતારરૂપે પૂજાયા છે, તે પણ ક્ષત્રિય જ છે. પણ શ્રમણોના તીર્થ કરે અને આ અવતારમાં જે એક ભેદ છે તે એ છે કે અવતારો સ્વયં મુક્ત પુરુષના હોઈ તેમને જીવન નમાં પિતાની ઉન્નતિ માટે કશી જ આધ્યાત્મિક સાધના કરવાની હોતી નથી, આવશ્યક પણ મનાઈ નથી. આવી દેખીતી કેઈ પણ. આધ્યાત્મિક સાધના રામ કે કૃષ્ણના જીવનમાં દેખાતી પણ નથી. હા,. શિવ–શંકરના જીવનમાં દેખાય છે ખરી, પણ શિવ, એ મૂળે વૈદિક દેવ, નથી, પણ વૈદિક બ્રાહ્મણોએ એ પ્રભાવશાળી પૂજાતા દેવને પોતાની દેવશ્રેણીમાં દાખલ કરી દીધા છે. કૃષ્ણ પણ વેદવિરોધી હશે જ, ' કારણ, કૃષ્ણ ઈન્દ્ર, જે વૈદિક દેવોમાં મુખ્ય દેવ છે, તેના ઉપદ્રવથી લેકને . બચાવવા ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. એ ઘટના સૂચવે છે કે કૃષ્ણને અને ઈન્દ્રને વિરોધ હતો. આથી પ્રજામાંથી ઇન્દ્રાદિ વૈદિક દેવોને નિમૂળ: કરવામાં કૃષ્ણ ઠીક ઠીક ભાગ ભજવ્યો હશે. પ્રજાના મેટા ભાગમાં પૂજાતા આવા મનુષ્યોને વૈદિકોએ અવતારવાદની કલ્પના કરી પરમાત્માની શ્રેણીમાં દાખલ કરી દીધા. પરિણામે આમજનતામાં ક્રમે કરી વૈદિક ઇન્દ્રાદિ દેવ પૂજાપાત્ર રહ્યા નહિ. સમાજની નાના પ્રકારની મર્યાદાઓ સુસ્થિર કરવામાં ભગવાન રામને ફાળે જેવો તેવો નથી. અને ખરેખર તેઓ ભગવાન તરીકે પૂજાય તેમાં કશું જ આશ્ચર્ય નથી. આ જ રીતે મહાભારતમાં રાજનીતિમાં કૃષ્ણ જે ભાગ ભજવ્યો, તે તેમને તે કાળના નેતા બનાવવા પૂરતો હતો અને આગળ જઈ તે પણ ભગવાન બની ગયા. તે માટે તેમને કોઈ પણે પ્રકારે સંસાર ત્યાગીને આધ્યાત્મિક સાધના કરવાની આવશ્યકતા હોય એવું તેમના : અનુયાયીઓએ કદી માન્યું નથી. * આથી વિરુદ્ધ પરિસ્થિતિ શ્રમણના તીર્થકર અને બુદ્ધ વિષે છે. તેઓ કોઈને અવતાર હોય એવી મૂળ ભાવના નથી. પરંતુ, Page #119 -------------------------------------------------------------------------- ________________ જૈનધચિ તન હર સામાન્ય મનુષ્ય જ જીવનને ઉન્નત બનાવી છેલ્લી હદે પહોંચે એટલે કે વીતરાગ બને ત્યારે તે આદર્શ તરીકે પૂજાય છે. અને એવા વીત: રાગ જ્યારે પ્રજાના કલ્યાણ માટે પ્રયત્ન કરતા હાય છે, ત્યારે પ્રજામાં તીથ"કર કે મુદ્દ બને છે. આમાં ઈશ્વરનું અવતરણ નથી, પણ મનુષ્યનું ઉત્થાન છે. આવા જગતના કલ્યાણ માટે ઉત્થિત મનુષ્યા જ જૈન ધમાં તીર્થંકર તરીકે પૂજાય છે, અને તે તે કાળે જૈનધર્મના · પ્રવર્તક મનાયા છે. તેમની સંખ્યા ૨૪ મનાય છે તે તે આ યુગ પૂરતી. પણ આવી અનેક ચાવીશી થઈ ગઈ અને થશે -આ સાંપ્રદાયિક માન્યતામાં એટલું તેા સત્ય રહેલું જ છે કે જે કોઈ મનુષ્ય સ્વયં ઉન્નત થઈ ખીજાતે ઉન્નતિને રાહે લઈ જઈ શકે તે સૌને તીર્થંકર બનવાના સમાન અધિકાર છે. આથી જ જૈનધર્મનું પ્રચલન કેાઈ એક મહાપુરુષના નામે નથી મનાયુ, પણ તે જિનાના એટલે કે રાગદ્વેષને જીતનારાઓના ધમ મનાયેા છે. બધા વીતરાગે કાંઈ પરકલ્યાણની પ્રવૃત્તિ કરતા નથી, પણ જે કાઈ જન્મ-જન્માન્તરથી જગતકલ્યાણની ભાવનાવાળા થઈ ને કરુણાના અભ્યાસ કરે છે અને પેાતાની સાધનાને જગતના હિતાર્થે વાળે છે તેવા જ સાધકો તીર્થંકરપદને પામે છે. આમ અવતારા અને તીર્થંકરોની ભાવનામાં એક વસ્તુનું સામ્ય તેા છે જ કે સૌના મનમાં ધર્માંદ્ધાર કે ધનું માĆદર્શન આપવાની ભાવના સરખી હેાય છે. અહિંસામૂલક જૈન આચાર જૈન આચારના મૂળમાં દ્રવ્ય નહિ પણ ભાવ છે. એટલે કે બ્રાહ્ય આચરણ કરતાં અંતરને ભાવ એ આચારમાં મુખ્ય છે. આથી વૈદિકોમાં પ્રચલિત સ્નાન આદિ બ્રાહ્ય આચારને સાધકના ધાર્મિક વિધિ-વિધાનમાં એછે. અવકાશ છે. બ્ર હૈં આચારનું ત્યાં સુધી જ મહત્ત્વ છે, જ્યાં સુધી તે અંતરના ભાવને ઉત્તરાત્તર નિર્મળ કરવામાં સહાયક હાય. જો આમ ન બનતું હેાય તે પછી બ્રાહ્યાચારને કશે। જ અર્થ રહેતા નથી. સમગ્ર જૈન આચારને ભાર આમ આંતર ભાવ Page #120 -------------------------------------------------------------------------- ________________ હિન્દુધર્મ અને જૈનધર્મ ઉપર છે. પણ તે કયો ભાવ, એ પ્રશ્ન થાય તો તેને ઉત્તર એ છે કે - આત્મૌપમ્ય અથવા સમભાવ. અહિંસા એ સમભાવ કે આત્મૌપજ્યના પરિણામ રૂપે જીવનમાં આવવી જોઈએ. અને એ અહિંસા જ સર્વ ધાર્મિક આચારના મૂળમાં મનાઈ છે. કારણ કે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય કે અપરિગ્રહ એ સૌ અહિંસામૂલક છે, અથવા તો અહિંસાને જ વિસ્તાર છે. આ અહિંસાને જ આધારે શ્રાવક કે સાધુના આચારોના નિયમે ઘડાયા છે. અહિંસાના બે પ્રકાર છે: હિંસા ન કરવી એ નિવૃત્તિરૂપ, અને સકલ જીવો પ્રત્યે મૈત્રી રાખવી અને તેમના કલ્યાણને પ્રયત્ન કરવો તે વિધાયક રૂ૫. જીવનમાં કરણું, અનુકમ્પા, દયા કે દાન એ બધાં અહિંસના વિધાયક તત્વને આભારી છે. જીવનમાં ત્યાગ કે તપસ્યા તે અહિંસાના નિવૃત્તિપ્રધાન રૂપને આભારી છે. આપણે. જોઈએ છીએ કે તીર્થકર ભગવાન મહાવીરે જે ઉગ્ર તપસ્યા કરી અને દીર્ઘ ઉપવાસોની હારમાળા સેવી તે અહિંસાનું નિવૃત્તિપ્રધાનરૂપ છે.. પણ તીર્થની સ્થાપના માટે તેઓ ઉગ્રવિહારી બન્યા અને લોકોને આદિ-- કલ્યાણ, મધ્ય કલ્યાણ અને અંત કલ્યાણ—એવો ઉપદેશ આપવા જે કષ્ટ સહ્યાં તે બધું અહિંસાના વિધાયક રૂપને આભારી છે. શ્રાવકમાં જે તપસ્યાની પ્રવૃત્તિ છે તે નિવૃત્તિપરક છે, પણ દયા, દાન, સાધમિકવાત્સલ્ય, અમારિકવર્તન આદિ અહિંસાની વિધાયક પ્રવૃત્તિ છે. જીવનમાં ધ્યાન, સ્વાધ્યાય એ પણ રાગ-દ્વેષાદિ દોષ, જેને લઈને હિંસા જન્મે છે, તેના નિવારણ માટે જ છે. અને પૂજા આદિ પણ એ રાગદ્વેષને નિવારી વીતરાગ બનેલ મહાપુરુષોની જ થાય છે. અને તે એવા આદર્શ , પ્રત્યે આગળ વધવા માટે જ છે. આથી જો પૂજામાં વીતરાગપણાના આદર્શ ની પ્રત્યે આગળ વધવાનું અટકાવે એવી કોઈ પણ આડંબરી પ્રવૃત્તિ હોય તો તે ત્યાજ્ય જ ઠરે છે. આમ વિચાર કરીએ તે, જીવનમાં પરમઅહિંસક ભાવરૂપ બ્રહ્મની સિદ્ધિ અર્થે જ સકલ આચારનું. નિર્માણ જૈનધર્મમાં છે. જૈન ધર્મના આ પ્રકારના અહિંસક વલણ-- ની મોટી અસર હિન્દુધર્મ ઉપર થઈ છે એ તથ્ય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ચિંતન જૈનેામાં પ્રચલિત સામાયિક એટલે કે સમભાવની—સવ થવાને દુઃખ અપ્રિય છે અને સુખ પ્રિય છે, માટે સૌને સમાન માની કેાઈ પણ જીવની હિંસ કરવી નહિ, આ ભાવનાનીઅસર ગીતાના સામ્યયેાગમાં સ્પષ્ટપણે છે અને મહાભારતમાં કહેલ “ જ્ઞાત્મનઃ પ્રતિાનિ રેષાં • ન સમાચરેત્ ધર્મતત્ત્વનેા આ સાર પણ શ્રમણાની અહિંસક ભાવનાને આધારે જ છે એમાં શકાને સ્થાન નથી. '' ૯૪ જૈતાની આવી તાત્ત્વિક અહિંસા છતાં, વ્યવહારમાં જે અનેક મુશ્કેલીઓ પડી, તેના નિવારણ અર્થે જે કેટલાક અપવાદો છેદગ્રન્થાના ટીકાગ્રન્થામાં સૂચવાયા છે, તેમાં જૈનધમ ની મૂળ ભાવનાને લાંછન લગાડે અને અહિંસાની નિષ્ઠાના અભાવને સૂચવે તેવું ઘણું છે. પણ અપવાદાની એ વિચારણાના વિરાધ સ્વય' જૈનેએ જ કર્યાં છે અને તેનું અનુસરણ જેમ બને તેમ ન કરવાના સતત જાગૃતિપૂર્વકના પ્રયત્ન જૈનાચાર્યાં કરતા રહ્યા છે. જૈન વિચાર અનેકાંતવાદ આગળ કહ્યું તેમ, જૈનધમના આચારનું મૂળ અહિંસા છે, તે। તે જ અહિ ંસામાંથી વિચારક્ષેત્રે અનેકાંતદશ નના ઉદ્ભવ થયા છે. ભગવાન મહાવીરના સમયમાં ઉપનિષદોના ઋષિએ અદ્વૈતને પ્રચાર કરી રહ્યા હતા. વિશ્વમાત્ર એક આત્મા કે બ્રહ્મતત્ત્વરૂપ જ છે, આવી ભાવના વિશેષ રૂપે તેમાં હતી. સામે પક્ષે એવા પણ લોકો હતા, જેઓ આત્મા જેવી વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ જ માનવા તૈયાર ન હતા. આ બન્ને વિરાધી વાદોને સમન્વય ભગવાન મહાવીરના દર્શનમાં થયા છે. તેમણે જડ-ચેતન બન્ને તત્ત્વને સ્વીકાર્યાં છે. દાનિક ક્ષેત્રે અનેક બાબતામાં ભગવાન મહાવીરનું આવું વલણ રહ્યું છે. તે વિષે હવે અહીં વધુ કહેવાની જરૂર નથી. પણ એ વલણના મૂળમાં અહિંસા કેવી રીતે કેન્દ્રસ્થાને રહી છે તે વિષે જ થાપું કહેવું જરૂરી છે. લાખાના દાન કરનારને પણ પેાતાના નવા વિચાર કે મતના www.jainelibrary:org Page #122 -------------------------------------------------------------------------- ________________ હિન્દુધર્મ અને જૈનધર્મ ૯૫ જે આગ્રહ હોય છે તે અજંબ હોય છે. કોઈ વ્યક્તિએ જ્યારે પણ કેઈને વિષે કઈ મત બાંધ્યો હોય કે નિષ્ઠા નક્કી કરી હોય, ત્યારે તેની પાછળ કઈ ને કઈ દષ્ટિબિંદુ હોય જ છે. એ દષ્ટિબિંદુનો વિચાર કર્યા વિના જે કોઈનો મત વખોડવામાં આવે તો તેને જબરે આઘાત થાય તે સ્વાભાવિક છે, વગરવિચાર્યું કેઈને આવો આઘાત આપવો તે પણ હિંસા જ છે. આથી બીજાના દષ્ટિબિંદુને સમજવાને આદેશ આપીને ભગવાન મહાવીરે વિચારક્ષેત્રે અનેકાંતવાદ મા તે માનસિક અહિંસાનો પ્રકાર જ છે. આચાર્યોએ તે તથાકથિત મિશ્ચાદર્શનોના સમૂહને જ જેનદશનનું નામ આપ્યું છે, પણ મિદર્શનનો સરવાળો સમ્યગ્ગદર્શન કેવી રીતે થાય તે સમજવા જેવું છે. એ બધાં દર્શને મિથ્યા છે તેવું પરસ્પર દાર્શનિકનું જ મંતવ્ય છે, તેનું કારણ તેમનામાં રહેલો કદાગ્રહ જ છે. એક વાદી પ્રતિવાદીનું સત્ય સમજી શકતો નથી, માત્ર પોતામાં જ સત્ય હોય એમ માને છે; આથી તે વિપક્ષીને મિયા કહે છે. તે જ પ્રમાણે વિપતી પણ સામાને મિયા કહેવાને. પણ જે કઈ તટસ્થ વ્યક્તિ એ બન્નેમાં રહેલા સત્યનો જ સ્વીકાર કરે તે તેનું દર્શન મિથ્યા રહેતું નથી. આથી પરસ્પરને પોતાના કદાગ્રહને કારણે મિયા કહેનાર કરતાં અનેકાંતવાદી એ બધાના સત્યને સ્વીકારનાર હેઈ, તેનું દર્શન સમ્યગ્દર્શન બને છે. તેનું આવું દર્શન એ નથી સંશયવાદ કે નથી અનિશ્ચયવાદ; તે અજ્ઞાનવાદ પણ નથી. પણ વિવિધ દૃષ્ટિએ તપ સીને સત્યનો સ્વીકાર કરનારનો એ વાદ છે. આથી જ તે એકાંતવાદ નથી, પણ અનેકાંતવાદ છે. તે એક પક્ષમાં બેસતો નથી, પણ સૌ પક્ષમાંથી સત્ય શોધીને પિતાના આગવા દર્શનનું નિર્માણ કરે છે. તે એકાક્ષ નહિ પણ સહસ્ત્રાક્ષ છે; એને અનન્તચક્ષુ પણ કહી શકાય; કારણ, એમાં વસ્તુને અનન્ત ધર્મવાળી સિદ્ધ કરવામાં આવી છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૬. જૈનધર્મચિંતન. આજના આપણું રાજનૈતિક વિચારમાં જે સહઅસ્તિત્વની ભાવનાનો વિકાસ થઈ રહ્યો છે, તેના મૂળમાં પણ વિવિધ પાસાએ સત્યદર્શન કરવાનું વલણ, એ જ મુખ્ય ભાગ ભજવે છે. હિંદુધર્મમાં જે વિવિધ દર્શને છે, તેમાં તત્ત્વવિચારણામાં કેટલીક વાર અસંગતિ ટાળવા અનેકાંતવાદને આશ્રય લેવા જ છે. પણ સમગ્ર દર્શનની ભિત્તિરૂપે અનેકાંતવાદને સ્વીકાર તે માત્ર જૈન દર્શનમાં જ છે એ નિઃશંક છે. એકાંતવાદને જન્મ દુરાગ્રહમાંથી છે, જ્યારે એવા આગ્રહને જૈન દર્શનમાં કોઈ સ્થાન નથી. પણ આનો અર્થ એ નથી કે જૈન દર્શન કે ધર્મની વિચારણમાં બધી બાબતમાં નિરાગ્રહ જ પ્રવર્તે છે. જે કોઈ વિચારસરણી સંપ્રદાયનું રૂપ ધારણ કરે અને નાના-મોટા આચારભેદો ઊભા થાય, તેમાં એમ બની શકે જ નહિ. આથી નાના–મેટા આચારભેદને. સમન્વય જૈન આચાર્યો કરી શક્યા નહિ. આશ્ચર્યની વાત તો એ છે કે જેમણે સમગ્ર વિશ્વના જટિલ દાર્શનિક વિચારોનો સમન્વય કરવા પ્રયત્ન કર્યો, તેઓ જ ઘરઆંગણાના કેટલાય આચારવિષયક મતભેદોને સમન્વય. કરી ન શક્યા અને પોતપોતાના મતને આગ્રહપૂર્વક વળગી રહ્યા; પરિણમે જૈનધર્મમાં પણ અનેક સંપ્રદાય થયા. આમાં મનુષ્યસ્વભાવની માત્ર પોતાના મતને જ વળગી રહેવાની જે નિર્બળતા છે તેનું જ દર્શન થાય છે. પોતાના મતને વળગી રહેવું એમાં કશું ખોટું નથી, પણ સામાના મતને સમજવાનો પ્રયત્ન ન કરે એ ખોટું છે. એવો પ્રયત્ન થયો હોત તે જૈનધર્મમાં સંપ્રદાયોનો ઉદ્ભવ જ ન થયો હોત અને જૈનાચાર્યો એકબીજાના કટુતાપૂર્ણ ખંડનમંડનમાં ઊતર્યા ન હોત. પણ એ જ તો મનુષ્યસ્વભાવની વિચિત્રતા છે અને એને જ દૂર કરવાનો પ્રયત્ન ભગવાન મહાવીરનો હતો. તેઓ વિચારક્ષેત્રમાં સફળ થયા, પણ આચારક્ષેત્રમાં તેમના ઉપદેશનો સાર જેને લીધે નહિ. Page #124 -------------------------------------------------------------------------- ________________ હિન્દુધર્મ અને જૈનધર્મ જૈનધર્મના સંપ્રદાયો વિષે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ પ્રથમ જૈનધર્મ સાથે સંબંધ ધરાવતા નિર્તોનો વિચાર કરે જરૂરી છે. નિહનોના મતે એ જૈનધર્મના સંપ્રદાયો એટલા માટે નથી ગણુતા કે તેમના પ્રવતર્કોએ સ્વયં ભગવાન મહાવીરના વિચાર સામે જ બંડ ઉઠાવ્યું હતું, તેમના પ્રામાણ્યને જ અવગણ્યું હતું. આથી તે નિર્નો ગણાયા, સંપ્રદાય પ્રવર્તકે નહિ. ભગવાન મહાવીરના ઉપદેશને માન્ય કરીને પણ જ્યારે તેને અર્થ પિતાની સમજ મુજબ કરવામાં આવે અને એવી સમજ ભિન્ન ભિન્ન હોય ત્યારે જ સંપ્રદાયો બને છે. તેમાં મૂળ પુરુષના પ્રામાણ્યને અવગણવામાં આવતું નથી, પણ તેમના વચનના પોતાના મતથી વિરુદ્ધ અર્થધટનનું અપ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે. આથી સંપ્રદાયે ભલે એકબીજાને નિહ્નવ કહેતા હોય પણ તે સંપ્રદાયો જ છે. શાસ્ત્રમાં જે નિહનવો ગણવામાં આવ્યા છે તે બધા જ વસ્તુતઃ નિર્નવો નથી; તેમાંના કેટલાક સંપ્રદાયકોટિમાં ગણવા યોગ્ય છે. છતાં પણ તેમને સાંપ્રદાયિક વિષને કારણે . નિનવ ગણવામાં આવ્યા છે એમ માનવું રહ્યું. નાના-મોટા મતભેદોને કારણે કે અમુક પ્રદેશ કે ગામમાં નિયત નિવાસોના કારણે જેનેના અનેક સંપ્રદાય કે ગચ્છો થતા આવ્યા છે; તે બધાની પૃથફ ગણતરી કરવાનું આ સ્થાન નથી. અહીં તો માત્ર પ્રધાન ગણનાપાત્ર પ્રભાવશાળી સંપ્રદાયો વિષે સંક્ષેપમાં કહેવાનું છે. એવા સંપ્રદાયમાં મુખ્ય બે છે. શ્વેતાંબર અને દિગંબર. આમાં મુખ્ય મતભેદ વસ્ત્ર વિષે છે. શ્વેતાંબર અને દિગંબર વિદ્વાનોમાં લાંબા કાળ સુધી એ ચર્ચા ચાલી છે કે આ બેમાં કણું પહેલું અને કેણુ ભગવાનના મૂળ માર્ગને અનુસરનારું છે. જે અંગસાહિત્ય સુરક્ષિત રહ્યું છે અને જેને વિદ્વાનોએ ઈસ્વીસન પૂર્વેનું Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈનધમ ચિ’તન માન્યું છે એને આધાર લઈ ને વિચાર કરીએ તે એક વાત સ્પષ્ટ છે કે ભગવાન મહાવીર અનેકાંતવાદી હતા. તેઓ પોતે નગ્ન હતા, છતાં તેમના શ્રમણુસંધમાં માત્ર નગ્ન ભિક્ષુએ જ હતા એવું માનવાને કારણ નથી. જેઓ સર્વથા નગ્ન ન થઈ શકતા, તેને મર્યાદિત વસ્ત્રો વાપરવાની છૂટ હતી. વળી, પાર્શ્વના અનુયાયી શ્રમણા જ્યારે મહાવીર્ પાસે દીક્ષા લે છે, ત્યારે પુનઃ પાંચ મહાવ્રતાના ગ્રહણની વાત આવે છે, પણ તેમાં વેશપરિવર્તનના ઉલ્લેખ નથી. અને તે તે વસ્ત્ર પહેરતા હતા એ શાસ્ત્રથી સિદ્ધ છે. સ્વયં દિગંબરેાના પ્રાચીન આગમ ષખંડાગમમાં સ્ત્રીને ચૌદ ગુણસ્થાન હેાવા વિષે સ્વીકારાયું છે. એટલે માની શકાય કે સ્ત્રીને મેક્ષ નથી એ માન્યતા પાછળથી દિગબરાચાર્યાએ અપનાવી છે. આ જ કારણે નવમી શતાબ્દીમાં થનાર ધવલા ટીકાકારે મૂળ આગમને અય કરવામાં મુશ્કેલી અનુભવી છે; અને આધુનિકાએ તે એ પાનું જ પરિવર્તન કરવાનું ઉચિત માન્યું છે ! આ હકીકતા એ બતાવવા પૂરતી છે કે ભગવાન મહાવીરના મામાં જ્યારે વસ્ત્રની અનિવાર્યતાનું સમર્થન અને સર્વથા ત્યાજ્યતાનું સમન જેમ જેમ ઉત્તરેત્તર વધ્યું હશે તેમ તેમ અને મા ધરાવનારા વર્ગોના મનમેળ ઘટતા ચાલ્યા હશે અને ક્રમે કરી જુદા સંપ્રદાયે! બન્યા હશે. શાસ્ત્ર સુરક્ષિત છે એમ કહેનાર કરતાં શાસ્ત્રા જ નષ્ટ થઈ ગયાં છે એમ કહેનાર દિગંબરમા મૂળ માથી જુદા પડે છે એ સમજવું મુશ્કેલ નથી. શ્વેતાંબરામાં ખાદ્ય આચારની ઉત્કટતા ભલે ન હાય, પણ ગમે તેમ કરીને પણ, પેાતાના મતથી વિરુદ્ધ જનાર એવાં પણ રસાસ્ત્રોનું સંરક્ષણ તે! તેમણે કર્યુ છે, એ હકીકત છે. અને એ જ હકીકત તેમને મૂળપ્રવાહ સાથે ગાઢ સબંધ જોડી રાખે છે. તેમણે પેાતાના આચારને પાષવા માટે શાસ્ત્ર અને લોકાચારના આશ્રય લીધેા એ ખરું, પણ દિગબરાની માફક એમ તે ન જ કહ્યું કે એ શાસ્ત્રો જ અમને માન્ય નથી. શાસ્ત્રોની ટીકાઓમાં એમણે મન ફાવતા અપવાદો ઉમેર્યાં, પણ મૂળ પાઠાને તે યથા Page #126 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ અને જૈનધર્મ રૂપે સંઘરી રાખવાનો પ્રયત્ન કર્યો જ છે, એ સ્વીકારવું જ જોઈએ. મૂળ આગમોમાંથી પોતાને અનુકૂળ ન હોય તેવું કાઢી નાખવાનો પ્રયત્ન જાણું જોઈને શ્વેતાંબરોએ કર્યો નથી. મૂળ અંગ આગમાં પણ સુધારા-વધારા જરૂર થયા છે, પણ એ સુધારા-વધારાની પાછળ એકાંતભાવે વસ્ત્રના સમર્થનની જ દૃષ્ટિ રહી છે, એવું પણ નથી-એ પણ સ્પષ્ટ છે. અને જૈન પરંપરાના આચાર–કર્મકાંડની વ્યવસ્થિત પરંપરા જે પ્રકારે શ્વેતાંબરોમાં સુરક્ષિત છે તે પ્રકારે દિગંબરોમાં નથી. તે મૂળ પ્રવાહથી તેમને વિચ્છેદ અને શ્વેતાંબરની નિકટતા સિદ્ધ કરી આપે છે. સામાયિક–પ્રતિક્રમણ જેવા દૈનિક ક્રિયાકાંડ પણ દિગંબરમાં સુરક્ષિત નથી રહ્યા છે તેમને પરંપરાવિચ્છેદ કહી જાય છે. . આમ ભગવાન મહાવીરના ઉપદેશને જાળવી રાખવાનું માન ભલે શ્વેતાંબરો ખાટી જાય, પણ તેમની આચારની શિથિલતાએ દિગંબર સંપ્રદાયને જન્મ આપે એમ કહેવું જોઈએ. શ્વેતાંબરેના અથવા તો શિથિલાચારીઓના વિરોધમાં દિગંબર સંપ્રદાય નવા બળ સાથે ઊભે થયો અને ભગવાન મહાવીરના આચારમાર્ગની ઉત્કટતાને જાળવી રાખવા પ્રયત્નશીલ બન્યો. આ કારણે સમગ્ર જૈન સમાજમાં પણ એક નવી જાગૃતિ આવે એ સ્વાભાવિક છે. સ્વયં શ્વેતાંબરોએ પણ ચૈત્યવાસ વિરુદ્ધ મોટું આંદોલન જગાવ્યું હતું. પણ આચારની ઉત્કટતા એ મનુષ્યમાં સ્વાભાવિક નથી, પ્રેરણાની અપેક્ષા રાખે છે. આવી પ્રેરણું મંદ પડતાં જ પાછું આચારશૈથિલ્ય પ્રવર્તે છે. સ્વયં દિગંબર સંપ્રદાયમાં પણ ભટ્ટારકાની પરંપરા એ મહંતાઈથી જરા પણ ઊતરતી નથી. અને સમાજ પર અધિકાશે પ્રભુત્વ તે એ ભટ્ટારકેનું જ રહ્યું છે. કારણ, ઉત્કટ દિગંબર આચાર પાળનારા મુનિઓનો તો દિગંબર . સમાજમાં પણ હંમેશા તોટો જ રહ્યો છે અને એ જ વસ્તુ લેતાં બરના મધ્યમ માર્ગને વ્યવહારુ ગણવી જાય છે. શ્વેતાંબરોમાં અનેકવાર ક્રિયેદ્ધાર કરવો પડ્યો છે અને નવા નવા ગચ્છ-સંપ્રદાય ઊભા થયા છે, તે જ પ્રમાણે દિગંબરામાં પણ અનેક વાર ક્રિયેાર Page #127 -------------------------------------------------------------------------- ________________ :::::::::::::::::::: ::: ૧૦૦ જૈનધર્મચિંતન કરવો પડ્યો છે. આથી આચારની ઐકાંતિક ઉત્કટતાનું સર્વથા પાલન કેટલું અઘરું છે એ વસ્તુ જેમ સિદ્ધ છે, તેમ દિગંબરોની એવી માન્યતા કે આચારની ઉત્કટતા તે અમારી જ, અને શ્વેતાંબરો તો માત્ર શિથિલ–એ સત્યથી વેગળી છે એ પણ સિદ્ધ થાય છે. પણ દિગંબરાચાર્યોએ જૈનધર્મ માટે જે ઉત્કૃષ્ટ સેવા કરી છે તે તે એ છે કે તેમણે પોતાની શાસ્ત્રરચનામાં સંસ્કૃતને વિશેષ સ્થાન આપ્યું છે, અને આચાર વિશેનાં લાંબાં વિવેચનોને બદલે જૈન દર્શનના અનેકાંતવાદને ભારતીય દર્શનમાં વિશેષ રૂપે પ્રતિષ્ઠિત કરવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે. ઈસ્વી સનની પ્રારંભિક શતાબ્દીઓ પછીના કાળમાં આચારચર્ચા સર્વત્ર ગૌણ બની ગઈ હતી, પણ દાર્શનિક તોની ચર્ચા વિશેષ રૂપે થવા લાગી હતી. તે ટાણે દિગંબર આચાર્યોએ દર્શનક્ષેત્રમાં ઝુકાવ્યું અને વૈદિક તથા બૌદ્ધ દાર્શનિકો સાથે ટક્કર લઈ શકે તેવા પ્રત્યેનું નિર્માણ કર્યું આને લીધે જૈન દર્શનને પણું ભારતીય દર્શનમાં નિશ્ચિત સ્થાન પ્રાપ્ત થયું. મૂર્તિપૂજાના વિરોધી સંપ્રદાય કાળે કરી આ શ્વેતાંબર–દિગંબર અને સંપ્રદાયમાં તીર્થકરની મૂર્તિપૂજાને પ્રચાર થઈ ગયો હતો, અને ગૃહસ્થ માટે તો આચારમાં એ જ મુખ્ય આલંબન હતું. વૈષ્ણવ ભક્તિના પ્રચાર સાથે મૂર્તિપૂજામાં આડંબર વધી ગયા હતા અને તેની અસર જૈન મૂર્તિ પૂજક ઉપર પડે તે સ્વાભાવિક હતું. આથી જૈનધર્મના સમાધિમાર્ગમાં આ મૂર્તિપૂજાના આડંબરે અતિરેક બાધક થઈ જાય એવી સ્થિતિએ પહોંચ્યો હતો. તેવામાં હિંદુસ્તાનમાં મૂર્તિવિધી ઈસ્લામધર્મને પ્રભાવ, મુસ્લિમ રાજ્યને કારણે પણ, વળે. અને તેની અસર જૈનધર્મ ઉપર પણ પડી. પરિણામે જેનોમાં મૂર્તિપૂજાના વિરોધમાં શ્વેતાંબર અને દિગંબર બને સંપ્રદાયમાં સ્થાનકવાસી અને તારણ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ...................................... હિંદુધર્મ અને જૈનધર્મ પથી જેવા નવા સંપ્રદાયો ઉભા થયા, જેઓએ તીર્થકરની મૂર્તિની પૂજા જ સદંતર બંધ કરવાનું આંદોલન જગાડયું. એ મૂતિવિધી સંપ્રદાયમાં પણ જ્યારે શિથિલતા આવી ત્યારે વળી નવાં નવાં આંદલનો જાગ્યાં. તેમાં આધ્યાત્મિક ભાવોને પ્રધાનતા આપનારા દિગબરેમાં થયા અને દયા-દાનની નવી જ વ્યાખ્યા કરનારા તેરાપંથી વેતાંબરોમાં થયા. આ બધી તો એક રીતે તાજી જ ઘટનાઓ ગણાય. સૌથી છેલ્લે પ્રયત્ન શ્વેતાંબરમાં યતિ સંસ્થાને વિરોધ કરી સંવિગ્નપાક્ષિક વર્ગ ઊભે થયે, એ હતે. પણ આજે સંવિગ્ન પાક્ષિક ગણાતા વર્ગમાં પણ પાછું શૈથિલ્ય ઘર કરી ગયું છે. –“પ્રબુદ્ધજીવન”, તા. ૧૬-૧૧-૬૩, ૧-૧૨-૬૩, ૧૬-૧૨-૬૩, ૧૧-૬૪. Page #129 -------------------------------------------------------------------------- ________________ ८ જૈનધર્મ અને ઐાદ્ધધર્મ અહી. જૈનધમ એટલે મહાવીર ભગવાને પ્રરૂપેલ ધર્મ અને તેનું સ્વરૂપ અને બૌદ્ધધર્મ એટલે ભગવાન મુદ્દે બતાવેલ મા એ મર્યાદા સ્વીકારી છે. આમ તે જૈનધમ અનેક પ્રમાણેાથી બૌદ્ધધ કરતાં અતિ પ્રાચીન સિદ્ધ થાય છે, પણ આ નિરૂપણમાં જૈનધર્મીના એ પ્રાચીન રૂ૫ સાથે નહીં પણ ભગવાન મહાવીરે જૈનધમ તે જે રૂપ આપ્યું તેની સાથે સંબંધ છે. એટલે મહાવીરને જૈનધમ અને યુદ્ઘના બૌદ્ધ ધ—એની ચર્ચા અહી વિવક્ષિત છે, એ ધ્યાનમાં રાખવું જોઈ એ. શ્રમણ પરંપરાનાં સામાન્ય લક્ષણા જૈન અને બૌદ્ધ એ બન્ને ધર્માં, ભારતવમાં જે એ ધપરંપરાએ બ્રાહ્મણ અને શ્રમણના નામે પ્રસિદ્ધ છે, તેમાંની શ્રમણ પરંપરા સાથે સંબંધ ધરાવે છે. શ્રમણ પરંપરાની વિશેષતાઓમાં મુખ્ય નીચેની ગણાવી શકાય : દુનિયા પ્રત્યે વૈરાગ્ય અર્થાત્ સાંસારિક સોંપત્તિને વધારવાનું નહિ પણ તેના ત્યાગનું વલણ એ શ્રમણ પરંપરાનુ મુખ્ય લક્ષણ છે. જગતના મૂળ કારણરૂપે કે કર્તારૂપે ઈશ્વર કે બ્રહ્મ જેવાં સત્તાને સર્વથા ઇન્કાર શ્રમણાને માન્ય છે. વિશ્વપ્રપ`ચ કેાઈ એક વસ્તુના Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ અને બૌદ્ધધર્મ ૧૦૩ વિકાર, પરિણામ કે વિવરૂપે છે–આ પ્રકારના અદ્વૈતવાદનો ઇન્કાર કરીને વિશ્વમાં અનેક તત્ત્વનું અસ્તિત્વ છે. આવી માન્યતા શ્રમણો ધરાવે છે. આત્મા એક જ છે એવું આત્માદ્વૈત નહિ પણ આત્મા કે ચિત્ત-ચૈતન્ય અનંત છે એવી તેમની માન્યતા છે. વળી, આત્મા અને અનાત્મા–ભૂતે સ્પષ્ટરૂપે વાસ્તવિક અને ભિન્ન છે એવો વિશ્વાસ, વિશ્વસ્વરૂપની વાસ્તવિક્તા, જીવની સાંસારિક અવસ્થા, અને શ્રમણમાર્ગ–ત્યાગ, તપસ્યા, ધ્યાન, સમાધિ આદિ–દ્વારા તેના નિવારણની શક્યતામાં વિશ્વાસ, સંસારનું કારણ કે, તે દ્વારા પુનઃ પુનઃ જન્મમરણ અને તેના નિવારણથી મોક્ષ, મોક્ષમાર્ગના ઉપદેશકો મનુષ્યો હતા, વેદ અનાદિ–અપૌરુષેય નથી–એવી બધી માન્યતાઓ શ્રમણોની છે. અને તેને પરિણામે આનુષંગિક માન્યતાઓ, જેવી કે વર્ણાશ્રમધર્મને અસ્વીકાર, ભિક્ષાચર્યા, અનિયતવાસ, સાધનામાં સ્ત્રી-પુરુષને સમાન અધિકાર, સંસ્કૃત જેવી વિદ્વાનોની ભાષાનો અનાગ્રહ આદિ પણ છે. આ બધા શ્રમણધર્મનાં સામાન્ય લક્ષણે જેન–બૌદ્ધ ધર્મમાં સમાન રૂપે જોવા મળે છે. એ ઉપરાંત અરિહંત, તીર્થકર, શાસ્તા, જિન, બુદ્ધ જેવા શબ્દો બને માર્ગમાં સાધારણ છે. બન્નેમાં યજ્ઞ-યાગનો વિરોધ અને જાતિને વિરોધ સમાનભાવે છે. કેટલાંક ગૌતમ, સિદ્ધાર્થ જેવા વ્યક્તિવાચક નામે પણ સમાન છે. આ સ્ત્રવ, સંવર, મોક્ષ-નિર્વાણ, પુનર્જન્મ આદિ કલ્પનાઓ, ઉપસથ–પૌષધ જેવા આચારે, પ્રતિક્રમણ જેવી ક્રિયાઓ, અહિંસા આદિ વ્રતો, ભિક્ષુના વિનયના નિયમો, પ્રાયશ્ચિત્તો, શાસ્તા, સંધ અને ધર્મની મહત્તા--આવું આવું તો ઘણું બને ધર્મોમાં સમાન છે. છતાં પણ બને ધર્મની દાર્શનિક વિચારણા જુદી પડે છે, બન્નેના પ્રવર્તક જુદા પડે છે, એટલે બને ધર્મો પણ જુદા છે. તીર્થકર અને બુદ્ધ જૈનધર્મ અને બુધ એ બન્નેમાં વ્યક્તિ પૂજ નહિ પણ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈનધર્મચિંતન ગુણપૂજાનું મહત્ત્વ છે; એ તો એના નામથી જ સ્પષ્ટ છે. છતાં પણ અને ધર્મોમાં તીર્થકરો અને બુદ્ધોની પરંપરા માનવામાં આવી છે. ભગવાન મહાવીર એ ૨૪મા તીર્થંકર છે, તો ભગવાન બુદ્ધ એ ૨૫મા બુદ્ધ છે. મનુષ્યરૂપે જન્મવા છતાં સાધનાને બળ આત્મવિકાસ કરીને જે વ્યક્તિ વીતરાગ અને સર્વજ્ઞ બને છે અને જગદુદ્ધારની દૃષ્ટિએ શાસન કરે છે, તે બન્ને ધર્મમાં ભગવાનને નામે ઓળખાય છે, અને તીર્થકર કે બુદ્ધ તરીકે પૂજાય છે. બન્નેમાં સમાન રૂપે એ મનાયું છે કે તીર્થકર કે બુદ્ધપદની પ્રાપ્તિ એ કાંઈ એક જન્મની સાધનાનું ફળ નથી, પણ અનેક જન્મમાં અનેક ગુણોની સાધના કરતાં કરતાં અને કેઈ વ્યક્તિ તીર્થકર કે બુદ્ધ બને છે. બને ધર્મોમાં પ્રત્યેકબુદ્ધ નામનો એક વર્ગ અલગ માનવામાં આવ્યો છે, જે મૂકકેવળી પણ કહેવાય છે, જે માત્ર આત્મકલ્યાણ જ કરીને કૃતકૃત્યતા અનુભવે છે. પ્રત્યેકબુદ્ધ અને તીર્થંકર-બુદ્ધ વચ્ચે જે ભેદ છે તે એ છે કે પ્રત્યેકબુદ્ધની સાધના સ્વકલ્યાણની દૃષ્ટિએ થઈ હઈ તે પરકલ્યાણ સિવાયના બધા ગુણો તીર્થકર –બુદ્ધ જેવા જ ધરાવે છે, અર્થાત એ પણ પૂર્ણ પુરુષ તો છે જ અને નિર્વાણને પણ પામે જ છે, છતાં તે પરકલ્યાણની પ્રવૃત્તિ કરતા નથી; જ્યારે તીર્થકર અને બુદ્ધ આત્મકલ્યાણ સાથે સાથે પરિકલ્યાણમાં પણ પ્રવૃત્ત હોય છે, તેથી એને માટે આવશ્યક એવી કેટલીક વિશેષ શક્તિઓ, જે પ્રત્યેકબુદ્ધમાં નથી હોતી, તેને પણ એ પ્રાપ્ત કરે છે. આનું કારણ પૂર્વજન્મમાં કરેલ મહાકણુને વિશેષ અભ્યાસ છે, જેને લઈને તે માત્ર આત્મકલ્યાણમાં સંતોષ ન ભાનતાં પરકલ્યાણની ભાવના પણ પુષ્ટ કરે છે. પરિણામે તીર્થકર, શાસ્તા, બુદ્ધ, ભગવાન આદિ નામે પ્રસિદ્ધ થાય છે અને એને નામે ધર્મશાસન ચાલે છે. જૈનધર્મ તો પ્રાચીન હાઈ ભગવાન મહાવીર પહેલાંના તીર્થકરે વિષે પણ કેટલીક ઐતિહાસિક સામગ્રી મળે છે. એટલે ૨૪ ની નિશ્ચિત સંખ્યા એ તે ધર્મવ્યવસ્થાનું પરિણામ હોવા છતાં મહાવીર Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ અને બૌદ્ધધ ૧૦૫ પહેલાં અનેક તીથ કરા થયાહાવાનું સિદ્ધ કરી શકાય છે. પણુ બૌદ્ધ ધના મુદ્દો વિષે એમ નથી. તેમાં તે પચીસમા મુદૃરૂપે મનાતા ગૌતમબુદ્ધુ સ્વયં કહે છે કે મે જે ધર્મીના સાક્ષાત્કાર કર્યાં છે, તે અત્યાર સુધી કેઇએ જોયા-જાણ્યા નથી; એ તેા અપૂર્વ ધમ છે. આથી એમ માની શકાય કે બૌધમ તે ગૌતમબુદ્ધથી જ શરૂ થયા. પણ ધર્મવ્યવસ્થાપક આચાર્યાંએ તે પહેલાંના સાતથી માંડીને ૨૪ મુદ્દોની કલ્પના કરી અને એ રીતે એ ધમ પણ્ અનાદિ છે એમ બીજા ધમ વ્યવસ્થાપકેાની જેમ જ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યાં એમ માનવું જોઈએ. અન્ને ધર્મોનું સાહિત્ય જોતાં એક વસ્તુ સ્પષ્ટ થાય છે; તે એ છે કે મહાવીર અને ખુદ્દ એ બન્ને પ્રાચીનતમ સાહિત્યમાં તેમના લોકિક–અર્થાત્ માનુષી–રૂપમાં નિરૂપાયા છે, પણ તે પછી ઉત્તરાત્તર રચાયેલ સાહિત્યમાં તેમનું એ રૂપ ગૌણ બનતું જાય છે અને તેમને અલૌકિક બનાવવાના વિશેષ પ્રયત્ન થયા છે. પછી તે! જાણે એ અલૌકિકતાના વનની હેડ મચી હોય એમ બન્નેના સાહિત્યનું અધ્યયન કરનારને જણાયા વિના રહેતું નથી. પરિણામે તીથ કર મહાવીર બાહ્ય રૂપે મનુષ્ય છતાં એમના જીવનનું વર્ણન કરતું સાહિત્ય જેમ જેમ રચાતું ગયું, તેમ તેમ એમની જીવનકથામાં અલૌકિકતાનું તત્ત્વ ઉત્તરાત્તર વધતું ગયું અને કેટલાક મનુષ્યસાધારણ શારીરિક વ્યવહારને લેપ થતે દર્શાવવામાં આવ્યેા. અને યુદ્ધ તે મનુષ્ય મટી ધર્માંકાયનું રૂપ જ ધારણ કરે છે; અને તે અનાદિ કાળથી એ જ રૂપમાં બિરાજમાન હેાય એમ નિરૂપવામાં આવ્યું છે. મહાવીર અને બુદ્ધની પૂર્વજન્મની કથા ઉપલબ્ધ નથી, પણ ઉત્તરેત્તર સાહિત્યમાં એને છે, અને બૌદ્ધોમાં તા જાતકકથારૂપે એક પૃથક્ થયા છે. બન્ને દેવભવમાંથી મનુષ્ય થયા એ સાધારણ વસ્તુ છે અને અન્ન ક્ષત્રિયને ધરે અવતર્યાં એ પણ સાધારણ વસ્તુ છે. છતાં જૈન પ્રાચીન સાહિત્યમાં વિકાસ થતા ગયે સાહિત્યનેા વગ ઊભે Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન માન્યતા પ્રમાણે તીર્થકરે માત્ર ક્ષત્રિય કુલેમાં જ જન્મે છે, જ્યારે બુદ્ધો ક્ષત્રિય અથવા બ્રાહ્મણ બને કુળમાં જન્મી શકે છે. મહાવીર અને બુદ્ધ બન્ને ક્ષત્રિય કુળમાં જન્મ્યાં છતાં ગુણોત્કર્ષને કારણે સાચા બ્રાહ્મણ કહેવાય છે, ઉત્તમ આર્થરૂપે પ્રસિદ્ધ થયા છે. મહાવીરને ઘ–પરંપરાપ્રાપ્ત મહાવીર જે માગનું કે ધર્મનું નિરૂપણ કરે છે તે તેમણે પોતે જ પ્રાપ્ત કર્યો છે એવો એમનો દાવો નથી. તેમને પાર્શ્વ પરંપરાની જે સાધનાની પરંપરા મળી તેનું અનુસરણ તેમણે કર્યું અને જે ધર્મ અને દર્શન પાર્શ્વનું હતું તેની જ યથાર્થ અનુભૂતિ તેમને થઈ અને એ જ માગે બીજાને લઈ જવા તેમણે પ્રયત્ન કર્યો–આ જ તેમનું તીર્થકરત્વ. પાર્થ પરંપરાના બાહ્યાચારમાં થોડું સમયાનુકૂળ પરિવર્તન માત્ર કરીને જ તેમણે સંતોષ અનુભવ્યો; પણ પોતાનું દર્શન નવું છે એવો દાવો તેમનો નથી. અને વસ્તુસ્થિતિ પણ એવી જ છે. તેઓ સાધના જરૂર કરે છે, સાધના અથે યત્રતત્ર પદયાત્રા પણ કરે છે, પણ એય તો એટલું જ છે કે પાર્થપરંપરાનું જે દર્શન છે તેનો પરોક્ષાનુભવ નહિ પણ પ્રત્યક્ષ અનુભવ થાય. સારાંશ એ છે કે દાર્શનિક ભૂમિકામાં તેમણે પાર્શ્વ પરંપરામાં કશી જ ત્રુટિ જોઈ નહિ અને એને જ અંતિમ સત્ય માની તેનો સાક્ષાત્કાર. કરવા પ્રયત્ન કર્યો. અને પરંપરા જણાવે છે કે એ પ્રયત્નમાં તેઓ સફળ થયા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પાર્વે કહેલ વસ્તુઓને તેમણે સાક્ષાત્ અનુભવ કર્યો. બુદ્ધને ધર્મ–અપૂર્વ આથી વિરુદ્ધ બુદ્ધના જીવનમાં છે. તેમને જે કાંઈ પરંપરાથી પ્રાપ્ત છે અને જે કાંઈ બીજા પાસેથી શીખવાનું મળે છે, તેમાં તેમને સદેવ અસંતોષ અનુભવ થયો છે. તેમણે વિચાર કરીને આળા કાલામ જેવા અનેક ગુરુ કર્યા છે અને તે સૌનાં વિચાર અને પરં Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ અને બૌદ્ધધર્મ ૧૦૭ પરાને છોડતાં જરાય આંચકે અનુભવ્યો હોય એમ નથી જણાતું. જેની જેની પાસે તેઓ જાય છે તેની પાસેથી જે શીખવાનું હતું તે શીખી લીધા. પછી પણ તેમને અસંતોષ રહે છે, અને આ જે કાંઈ શીખવે છે તે અંતિમ સત્ય નથી એમ માની તેઓ આગળ વધે છે. આમ એમણે અનેક ગુરુ કર્યા, અનેક દર્શનનો અનુભવ કર્યો, પણ તેમના મનને સંતોષ થયે નહિ. સાધનામાં પણ જે સરલ અને કઠિન સાધનાના પ્રકારે છે, એ માર્ગે પણ તેઓ ગયા. છેવટે એ બધી સાધના છેડીને પોતે પિતાનો માર્ગ નકકી કર્યો અને એ જ માર્ગો પરમ સત્ય પામવાને પ્રયત્ન પણ કર્યો. અને અંતે જાહેર કર્યું કે મેં જે જાણ્યું છે અને જે અનુભવ્યું છે તે અત્યાર લગી કેઈએ જોયું–જાયું નથી; મારે માર્ગ અને મારું દર્શન અપૂર્વ છે. આ દૃષ્ટિએ બુદ્ધ પ્રરૂપેલ બૌદ્ધ ધર્મ એ તેમના પિતાને છે; તેમને એ પરંપરાથી પ્રાપ્ત થયા છે, એમ નથી. તેઓ પરંપરાના સર્જક છે, અનુયાયી નથી. આ દૃષ્ટિએ જોઈએ તો મહાવીર પરંપરાનુયાયી છે અને બુદ્ધ પરંપરાના સર્જક છે અને મહાવીરનો જૈનધર્મ એ પરંપરાપ્રાપ્ત ધર્મ છે, જ્યારે બુદ્ધનો ધમ–બૌદ્ધધર્મ-એ અપૂર્વ છે, નવી પરંપરાનું સર્જન છે. જૈન અને બૌદ્ધધર્મને પ્રચાર; તેનાં બાહ્ય કારણે પ્રાચીન પરંપરા અને નવી સજતી પરંપરામાં અનેક રીતે હાનિ-લાભો સંભવે છે અને તે જૈન અને બૌદ્ધ બને ધર્મને ભાગે આવે તે સ્વાભાવિક છે. પ્રાચીન પરંપરામાં પ્રચાર માટેની ધગશ. લગભગ સરી ગઈ હોય છે, જ્યારે નવીન પરંપરામાં એવી ધગશ ઉગ્ર રૂપ પકડે છે. પ્રચારની બાબતમાં પ્રાચીન પરંપરામાં ઉપેક્ષા સંભવી. શકે છે, જ્યારે નવી પરંપરામાં એવી ઉપેક્ષા પાલવી શકે નહિ. એટલે આપણે બુદ્ધ ઉચ્ચારેલ વથ મરે વારિતાં વહુનનહિતાય વલ્લુઝનજુલા–જેવા પ્રચારોત્તેજક વાક્યો સાંભળીએ છીએ; જ્યારે જૈન. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈનધર્મચિંતન આગમમાં ભિક્ષુને આ પ્રકારને ઉપદેશ મળ્યું હોય અગર મળવા સંભવ હોય એમ નથી લાગતું. ત્યાં વિહારને ઉદ્દેશ પ્રચાર નહિ પણુ આત્મસાધના છે. એક ઠેકાણે રહેવાથી આસપાસનાં લોકે અને સ્થાનેમાં મેહ બંધાય છે, માટે સ્થાનપરિવર્તન આવશ્યક છે. એવી ધારણ વિહાર પાછળ છે, અને પ્રચાર એ વિહારનું આનુષંગિક ફળ છે, નહિ કે મુખ્ય. પણ બુધે તો સ્પષ્ટ આદેશ જ આવે છે કે નાની નાની ટોળીઓ બનાવીને ભિક્ષુઓ ધર્મપ્રચારનું નિમિત્ત લઈ વિહાર કરે. આને કારણે બૌદ્ધધર્મ થોડી શતાબ્દીઓમાં એશિયા- વ્યાપી બને, જ્યારે જૈનધર્મનું મુખ્ય ધ્યેય પ્રચાર નહિ પણ આત્મસાધના હોઈ એને એ રીતે પ્રચાર થઈ શક્યો નહિ. બુદ્ધે ઉપદેશેલી ચારિકા ભારતમાં જયારથી બંધ પડી, સ્થાયી વિહારમાં જ એકત્ર થઈ ભિક્ષુઓ રહેવા લાગ્યા, તેમનામાં શિથિલાચાર વધ્યો, મુસલમાની જમાનામાં વિહારોને સરળતાથી નાશ કરવામાં આવ્યો, અને બૌદ્ધ વિદ્વાનોએ પરદેશને આશ્રય શો, ત્યારથી ભારતમાં ક્રમે ક્રમે બૌદ્ધધર્મનો હાસ થયો. આત્મસાધના કરતાં પ્રચાર ઉપર વધારે અવલંબતો બૌદ્ધધર્મ ભારતમાં ઊંડાં મૂળ નાખી શક્યો નહિ, જ્યારે જૈનધર્મનાં તો પ્રાચીન કાળથી ઊંડાં મૂળ નંખાયાં હતાં. વળી, તે આત્મસાધના સાથે જ પ્રચારને પણ ધીરે ધીરે મહત્ત્વ આપતો , તે એટલે સુધી કે, પ્રચારની સામે આત્મસાધના પણ ગૌણ બની ગઈ આ કારણે તે ભારતવ્યાપી થઈ ગયે; પણ જેટલા પ્રમાણમાં આત્મસાધનાની કચાશ આવતી ગઈ, તેટલા પ્રમાણમાં કેવળ પ્રચારને બળે તે સર્વત્ર ટકી શક્યો નહિ; વિરોધીઓનું પ્રચારબળ તેથી વધારે પ્રબળ હતું, એટલે આજે જૈનધર્મ ભારતવ્યાપી પણ નથી. પ્રચારનાં આંતરિક કારણે જેન–બૌદ્ધ ધર્મના પ્રચારનાં બાહ્ય કારણોની સાથે સાથે એની આતરિક નિષ્ઠા અને માન્યતા વિષે પણ વિચાર કરવો આવશ્યક Page #136 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ અને બૌદ્ધધર્મ ૧૦૯ છે. બુદ્ધની મહાકરણની ભાવનામાં જગદુદ્ધારનાં બીજે રહ્યાં છે, એટલે પ્રાથમિક હીનયાનમાંથી બૌદ્ધધર્મે મહાયાનનું રૂપ લીધું અને બોધિસત્વના આદર્શને આગળ કરી સ્વકલ્યાણ કરતાં પરકલ્યાણને મહત્ત્વ આપ્યું. બૌદ્ધધર્મના વિશ્વવ્યાપી પ્રચારમાં આ તત્વે મહત્ત્વનો ફાળો આપે છે. આથી ઊલટું, જૈનધર્મમાં મહાકણુને અવકાશ છતાં અને અહિંસાના મૂળમાં મહાકણની ભાવના છતાં તેનું વ્યાવહારિક રૂ૫ નિવૃત્તિએ-હિંસાનિવૃત્તિએ લીધું અને કઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ત્યાજ્ય ગણાઈ અહિંસાના ઐકાન્તિક આગ્રહ ઉપર જીવનવ્યાપી વ્યવહારનું નિર્માણ થયું, પરકલ્યાણ કરતાં સ્વકલ્યાણનું મહત્ત્વ વધ્યું, એટલે મહાકરણને સક્રિય બનવાને અવકાશ ઓછો રહ્યો; તે નિષ્ક્રિય રહી. નિષ્ક્રિય મહાકણું અમુક વ્યક્તિઓ માટે તો આકર્ષક બની શકે, પણ તે વ્યાપક બની શકે નહિ. આથી જૈનધર્મના પ્રચારમાં આ પણ એક બાધક તત્ત્વ બન્યું. જૈન અને બૌદ્ધધર્મમાં બાહ્યાચારનું ઘડતર શ્રમણ ધર્મનાં સામાન્ય લક્ષણ બને ધમમાં સમાન હોઈ. બાહ્ય આચાર અને અનુષ્ઠાનના નિયમમાં બને ધર્મમાં વિશેષ પ્રકારે સાધર્યું હોય એ સ્વાભાવિક છે. છતાં પણ જૈનધર્મના બાહ્યાચારનું અને બૌદ્ધધર્મના બાહ્યાચારનું ઘડતર મહાવીર અને બુદ્ધની પ્રકૃતિને અનુસરીને થયું છે અને તેને લીધે આચરણ પાછળની દૃષ્ટિમાં મૌલિક ભેદ છે. પાર્થ અને તેમની પરંપરામાં ત્યાગ અને તપસ્યાને સ્થાન. અવશ્ય હતું, પણ તેમાં ઉત્કટતા ભગવાન મહાવીરે દાખલ કરી.. પાર્શ્વના ભિક્ષુઓમાં વસ્ત્રપરિધાનની છૂટ હતી, પણ ભગવાન મહાવીરે અચેલકતાનો આગ્રહ રાખ્યો. કઈ પણ આંતરિક સિદ્ધાન્તનું અનુસરણ ત્યારે જ પૂરું થયું ગણાય, જે તદનુરૂપ આચરણને ગોઠવવામાં એવે અર્થાત આંતરને પડઘો બહાર પડવો જ જોઈએ. આ પ્રકાર Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈનધર્મચિંતન -નો આગ્રહ ભગવાન મહાવીરનો હતો. અને એને જ કારણે અપરિગ્રહ અથવા મમત્વત્યાગની આંતરિક ભાવનાને અનુરૂપ બાહ્ય આચરણની ગોઠવણ કરવામાં અચેલક બનવું, અસ્નાન, મળધારણ આદિ આવશ્યક માન્યું. વસ્ત્ર સ્વીકાર એ સાધકની કમજોરી છે, તે આવશ્યક નથી, એમ તેમણે માન્યું. જોકે પોતાના સંધમાં તેમણે અચેલક અને સચેલક બન્ને પ્રકારના સાધકને સ્થાન આપ્યું, પણ સચેલક માટે પણુ એ આવશ્યક માન્યું કે તે ક્યારેક પણ અચેલક થાય. આથી વિરુદ્ધ, બુદ્ધ તૃષ્ણત્યાગ અને મમત્વના ત્યાગમાં માનવા છતાં તેમણે અચેલક થવું આવશ્યક જણાવ્યું નથી. માનસિક મમત્વત્યાગ હેય તે બાહ્ય વસ્ત્ર હોય કે ન હોય એ ગૌણ વસ્તુ છે. બાહ્ય વસ્ત્ર હોય છતાં આંતરિક મમત્વત્યાગ કે તૃષ્ણત્યાગ સંભવી શકે છે, એમ બુદ્ધ માનતા હોવા જોઈએ; આથી તેમણે ભિક્ષુઓ માટે વસ્ત્રત્યાગ આવશ્યક માન્યો નથી. ઊલટું લોકાચારને અનુસરીને ઘૂંટી સુધી વસ્ત્રાવરણ આવશ્યક માન્યું છે. સારાંશ એ છે કે ચર્ચાપ શુદ્ધ વિરુદ્ધ નાવરણીયં નારનીચે એ માન્યતાને બુદ્ધે પુષ્ટ કરી છે. અને શિષ્ટાચાર અથવા સ્થાપિત કે પ્રચલિત લોકાચારમાં પરિવર્તન કરવું આવશ્યક છે એમ બુદ્ધ માન્યું નથી. નગ્નત્વ, અસ્નાન, મળધારણ જેવી લેકને અરુચિકરી બાબતોનો આગ્રહ તેમણે રાખ્યો નથી; જ્યારે ભગવાન મહાવીરે કાયેત્સર્ગને મમત્વત્યાગનું અનિવાર્ય અંગ માન્યું હોઈ નગ્નતા, અસ્નાન, મળધારણ જેવી સામાન્ય લોકોને અરુચિકર બાબતને પણ સ્વીકાર કર્યો છે. આથી એમ કહી શકાય કે ભગવાન મહાવીરને માર્ગ આંતરિક કષાયોપશમ સાથે સાથે તદનુરૂરૂપ બાહ્ય કાયક્લેશની ઉત્કટ- તાને સ્વીકારે છે, જ્યારે બુદ્ધ કષાયોપશમ સ્વીકારવા છતાં બાહ્યાચારમાં મધ્યમમાર્ગ છે. એટલે તેમણે એક તરફ ચાર્વાક જેવા ભૂત વાદીના આત્યંતિક શારીરિક ભેગવાદને અવગણે, તે બીજી તરફ અત્યંત શરીરકષ્ટને પણ અવગણ્યું, અને આચારમાં મધ્યમમાર્ગ સ્વીકાર્યો. બન્ને સંધમાં આનાં પરિણમે જે આવ્યાં તેને વિચાર Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ જનધર્મ અને બૌદ્ધધર્મ કરીએ તો જણાશે કે જૈન સંધમાં આંતરિક આચારને બદલે બાહ્યાચારનું ખોખું જાળવવાનો વિશેષ પ્રયત્ન થયો અને બુદ્ધને સંઘમાં મધ્યમમાર્ગને નામે આચારમાં શિથિલતા આવી; કારણ કે બે છેડાની વચલી અવસ્થાને દોર બહુ લાંબો હોય છે. એટલે મધ્યમ માર્ગમાંથી શિથિલાચાર તરફ સરકવું બહુ સરલ થઈ પડે છે. એક તરફ બુદ્ધ અને તેમના અનુયાયીઓને જેન ભિક્ષુઓના આચરણમાં માત્ર દેહદંડ સિવાય કશું દેખાયું નહિ; અને તેમણે જૈનાચાર વિષે આક્ષેપ કરવો શરૂ કર્યો કે આ લોકે તો માનસિક પાપ કરતાં શારીરિક પાપને અધિક મહત્ત્વ આપે છે. એટલે શરીરકષ્ટ ભોગવી પાપક્ષય કરવાની ફિકરમાં પડ્યા છે, તો બીજી તરફ જૈન સંઘના અનુયાયીઓ બૌદ્ધભિક્ષુ વિષે આક્ષેપ કરવા લાગ્યા કે આ તો સુખશીલિયા છે. આ આક્ષેપમાં આંશિક સત્ય રહેલું જ છે, એ સ્વીકારવું જોઈએ. આચરણ અને પ્રચારને સંબંધ આચરણની ઉત્કટતા અને મધ્યમમાગિતા ધર્મપ્રચારમાં શો ભાગ ભજવે છે તેને વિચાર કરીએ તો જણાઈ આવશે કે બુદ્ધના મધ્યમમાર્ગે ધર્મપ્રચારમાં બહુ મોટો ફાળો આપે છે. તેમનો ધર્મ વિશ્વવ્યાપી બની ગયો છે એ સાચું, પણ બુદ્ધના બુદ્ધત્વનો અને તેના આનુષંગિક ધર્મોને વસ્તુતઃ કેટલો પ્રચાર થયો છે એની પરીક્ષા કરીએ તો જણાશે કે બુદ્ધત્વ અને તેના આનુષંગિક ધર્મોને ભોગે જ એ પ્રચાર થયો છે. એમાં બુદ્ધનું નામ છે, પણ બુદ્ધત્વનો પ્રકાશ નથી. એટલે જ ભારતીય બૌદ્ધ અને તિબેટના બૌદ્ધમાં, એ બને માત્ર બુદ્ધને આરાધ્ય સ્વીકારે છે એ સિવાય વિશેષ કશું જ સામ્ય નથી; એટલું જ નહિ પણ બુદ્ધની મહાકરુણાના સિદ્ધાન્તનો જીવનમાં પડઘે કેટલો પડ્યો એની ઊંડી તપાસ કરીએ તો નિરાશ જ થવું પડે છે! બીજી તરફ જૈન માર્ગની ઉત્કટતાને કારણે અને તેની અવ્યવ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ જૈનધમ ચિંતન હારુતાને કારણે તેને પ્રચાર બહુ જ ધીમી ગતિએ થયેા છે; એટલું જ નહિ, પણ પ્રજાના બહુ જ થાડા ભાગમાં તેણે ઊંડાં મૂળા નાંખ્યાં છે. જૈનધમ ના ઉદ્ભવ જે ભૂમિમાં થયા ત્યાં આજે તેનું નામનિશાન નથી. અને જ્યાં છે ત્યાં પણ જૈનાચારની ઉત્કટતામાં અનેક રૂપે શિથિલતાએ પ્રવેશ કર્યાં છે—જોકે બાહ્ય ખાખું એવું ને એવું રાખવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. નમ્રતાના આગ્રહી દિગંબરેામાં તૃષ્ણાત્યાગ કરતાં નગ્નતાનું મમત્વ વધી ગયુ છે, તે। શ્વેતામ્બરામાં વસ્ત્ર આદિ સામગ્રીને હારા એટલેા બધા વધી ગયા છે કે તેમને ભગવાન મહાવીરના મૂળ ઉત્કટ કાયક્લેશ સાથે બહુ જ આછે સંબંધ રહ્યો છે. આમ ઉત્કટતાને કારણે આંતર-બાહ્ય જીવનમાં વિષમતાએ પ્રવેશ કર્યાં અને પ્રચારમાં પણ શૈથિલ્ય રહ્યું. પરિણામે એવી ઉત્કટતા ધર્મપ્રચારમાં અત્યંત સહાયક અને છે એમ કહી શકાય નહિ. બુદ્ધ-મહાવીરની પૃથક્ સાધના અને તેનુ પરિણામ એક તરફ સ્વયં ભગવાન મહાવીરે ઉત્કટ કાયકલેશ સાથે સમાધિ અને સત્તતાને અબાધિત રીતે સિદ્ધ કરી છે. એવા દાવા છે, તે બીજી તરફ બુદ્ધ કહે છે કે ઉત્કટ તપસ્યાથી પ્રજ્ઞા પ્રાપ્ત થતી નથી. તેમણે પોતે લાંબા કાળ સુધી તપસ્યા કરી તે એટલે સુધી કે શરીરમાં માત્ર હાડકાં જ રહ્યાં અને તે ખડખડ કરવાં લાગ્યાં. અંતે તેમણે અનુભવ્યું કે આવી ઉત્કટ તપસ્યા એ કોઈ પૂર્ણ પ્રજ્ઞાની સાધક નથી, એટલે તેમણે તપસ્યાના માને છેડીને ધ્યાન-સમાધિમાને અપનાવ્યા અને ઇસિદ્ધિ કરી. આ એ મહાપુરુષોના આવા જુદા જુદા અનુભવે તેમના સંધમાં પણ પરંપરાથી પુષ્ટ થયા છે; અને એમ થાય તે સ્વાભાવિક છે. જૈન શાસ્ત્રોમાં તેા ‘ દેહદુ:ખ” મહાકલ” ’ ની ભાવનાને વિસ્તાર જોવામાં આવે છે; જ્યારે બૌદ્ધ શાસ્ત્રમાં ઉત્તરાત્તર દેહદમનની ઉપેક્ષા જોવામાં આવે છે. પરિણામે જૈન સધામાં જે ઉત્તરાત્તર સંપ્રદાયા અને તેના પેટા ભેદ બન્યા, તેના મૂળમાં કાઈ છે Page #140 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ અને મૌદ્ધધર્મ ૧૩ વિચારભેદ યા દનભેદ નહિ પણ બાહ્ય આચાર પરત્વે ઉત્કટતાભેદ જોવા મળશે. શ્વેતામ્બર–દિગમ્બરની દાનિક વિવાદની બાબતે કશી જ નથી; મુખ્ય વિવાદ છે માત્ર વસ્ત્ર પહેરવાં કે નહિ એ બાબતનો; અને તેને આધારે પછી શ્રીમુક્તિ હોઈ શકે કે નહીં એ પ્રશ્નમાં પણ વિવાદ થયા. શ્વેતામ્બરમાં પણ સ્થાનકવાસી અને મૂર્તિપૂજકમાં મુખ્ય ભેદ મૂર્તિને પૂજવા ન પૂજવા વિષે છે, અને બાકી વેશમાં થોડા ભેદ છે. સ્થાનકવાસી અને તેરાપંથીમાં આચારની કઠારતાને એટલે સુધી લંબાવવા પ્રયત્ન કરવામાં આવ્યા કે કેવળ બાહ્ય આચરણમાં જ કઠારતા રહી અને અહિંસાના વિચારને એ આચારની કઠોરતાની સાટીએ કસવા જતાં, તેરાપથીમાં અહિ ંસાના વિચાર કેવળ યાશૂન્ય-કરુણાશૂન્ય એક હાસ્યાસ્પદ સિદ્ધાન્ત બની ગયે ! આમ દેહદમન ઉપર ભાર આપવા જતાં ભગવાન મહાવીરને અહિંસા સિદ્ધાન્ત કેવીયનીય સ્થિતિને પામ્યા તે આપણે જોઈ શકીએ છીએ. વળી, જૈન શાસ્ત્રમાં ધ્યાનનું જે વર્ણન અઢી હજાર વર્ષ પહેલાંનું મળે છે તે ધ્યાનની સાધન! સંધમાં ચાલુ રહી હેાય તેમ જણાતુ નથી, કારણ, એ ધ્યાન અંગેની પ્રક્રિયાના પ્રાચીન નિરૂપણમાં જોઈ એ તેટલી વિશદતા મળતી નથી; અને ત્યાર પછી પણ એના વિષે ધ્યાન કરનારને સહાયક બની શકે એવું પ્રક્રિયાનું સ્પષ્ટીકરણ થયેલું ઉપલબ્ધ થતું નથી. એ બતાવે છે કે ધ્યાનમાગનું અવલંબન જૈન સધે ગૌણ કરી દીધું હતુ. અને તે આજે પણ જૈન સંધમાં જોઈ શકાય છે. તપસ્યા-દેહદમન–અનશનના ભેદ-પ્રભેદ એટલા બધા વિસ્તૃત થઈ ગયા છે કે તેનું પણ એક સ્વતંત્ર શાસ્ત્ર બની જાય. એમાં હવે તે આગળ-પાછળના આડંબર એટલા વધી ગયા છે કે તપસ્વી મણુ તપસ્યા કરતાં એ આડંબરમાં વધારે રત બની જાય એવા સંભવ વધારે છે. આમ ભગવાન મહાવીરની ધ્યાન સાથે ઉત્કટ તપસ્યાને અલે સંધમાં સર્વગ્રાહ્ય એવી ઉત્કટ તપસ્યા–અનશન વગેરે-મહત્ત્વને પામી અને ધ્યાનમા ગૌણ ખની ગયા. .. Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ ચિંતન આથી ઊલટુ, બૌદ્ધ સંધના ઇતિહાસ તપાસીએ તે જણાશે કે તેમાં પ્રાચીન પિટકામાં પણ ધ્યાનનું જે વિસ્તૃત અનુભવપૂર્ણ વણૅન મળે છે, અને ચિત્તની વૃત્તિઓનું જે વિશ્લેષણ મળે છે, તે અન્યત્ર દુલભ છે, એટલું જ નહિ પણ ઉત્તરાત્તર એ ધ્યાનમાર્ગના વિકાસ ચા રહ્યો છે. એથી બૌદ્ધ સંધના અત્યારના વિસ્તૃત શિથિલાચારમાં પણ અનુભવી ધ્યાનમાર્ગના અગ્રેસરા જોવા મળે છે; એટલુ જ નહિ પણ એ ધ્યાનમાર્ગના એક સ્વતંત્ર સંપ્રદાય પણ બૌદ્ધોમાં ઊભા થયા છે. પણ ધ્યાનમાર્ગના અકાન્તિક આગ્રહ રાખવા જતાં ઔધ માં આચરણની શિથિલતા અને છેવટે તંત્રયાન જેવા વામમાગી સ'પ્રદાયાને વિકાસ થયા, જેને પરિણામે પણ ભારતવષ માંથી ઔધમ લુપ્ત થયેા. ૧૧૪ આ વસ્તુને એક બીજી રીતે પણ વિચાર કરીએ તે। વળી એક નવું જ તથ્ય નજર સામે આવે છે. ભગવાન મહાવીરનેા પ્રયત્ન રાગદ્વેષને વિજય કરવા એ મુખ્ય રૂપે હતા. અને તેનું આનુષંગિક ફળ કેવળજ્ઞાન અથવા પ્રજ્ઞા હતું. આથી તેઓ એવું કાઈ પણ કાય કરવા તૈયાર ન હતા, જેથી રાગ–દ્વેષને પુષ્ટિ મળે. આને પરિણામે તેમણે થ્ર વિહાર અને અનશનના માર્ગ અપનાવ્યા. 'આથી તેમના રાગુઅને દ્વેષ તે વિજિત થયા જ, પણ તેમના પ્રત્તાપ્રક" ભગવાન પાર્શ્વનાથની સમકક્ષ જ રહ્યો. એટલે કે અઢીસેા વર્ષ પહેલાં ભગવાન પાર્શ્વનાથે દારાનિક વિચારણાને જે પાયા નાખ્યા હતેા એને અનુસરીને જે પેાતાને પરાક્ષ હતું તે તેમણે રાગદ્વેષના વિજય કરીને પ્રત્યક્ષ કર્યું". આથી ભગવાન મહાવીરનું દર્શન · પાર્શ્વથી જુદું પડતું નથી; કારણુ, તેમનું મુખ્ય ધ્યેય રાગદ્વેષને વિજય કરવાનું હતું, ન કે તત્ત્વજ્ઞાનની કાઈ નવી સ્વત ંત્ર ધારા પ્રવર્તાવવાનું. આથી ઊલટુ, બુદ્ધના પ્રયત્ન પ્રજ્ઞાપ્રાપ્તિ માટે હતા. તેમને મન વીતરાગ બનવું આવશ્યક તે। હતું, પણ તેમની ચિંતાના વિષય પૂ 4 Page #142 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ અને બૌદ્ધધર્મ ૧૧૫ પ્રજ્ઞા હતી. પ્રજ્ઞા પ્રાપ્તિના પ્રયત્નમાં તેઓ અનેક જ્ઞાની અને ધ્યાનીના સંપર્કમાં આવ્યા અને એક પછી એકે બતાવેલ તત્ત્વજ્ઞાનને અનેક ભાગે સાક્ષાત્કાર કરીને છોડતા ગયા. જે બીજા પાસેથી મળ્યું તેમાં તેમને સદેવ અસંતોષ જ રહ્યો. અને છેવટે તેમણે પોતાના ધ્યાનબળે જે તત્ત્વનો સાક્ષાત્કાર કર્યો તેના વિષે તેમણે એ સ્પષ્ટ દાવો કર્યો છે કે મેં જે પ્રાપ્ત કર્યું છે તે અપૂર્વ છે; મારા પહેલાં એને કેઈએ સાક્ષાત્કાર કર્યો નથી. આમ બુદ્ધને પ્રયત્ન સ્વતંત્ર રીતે પ્રજ્ઞા પ્રાપ્ત કરવાનો રહ્યો છે અને તેથી તેમનું દર્શન એ તેમનું પોતાનું છે. તેમણે એક નવી નિષ્ઠા ઊભી કરી છે. તત્ત્વજ્ઞાનની બાબતમાં એ કેઈને અનુસર્યા નથી, એવો તેમનો દાવો છે. આમ બુદ્દે જ્યારે પ્રજ્ઞાનાં કપાટ ઉઘાડી નાખ્યાં અને તેને મોકળી મૂકી ત્યારે તેનું પરિણામ તેમના સુધી જ સીમિત રહે એ અસંભવ હતું. તેમના સંઘમાં પણુએ પ્રજ્ઞાવિકાસ પ્રત્યે સ્પષ્ટ પ્રયત્નો દેખાય છે. પરિણામે ઉત્તરોત્તર સૂમ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ દાર્શનિક વિચારણને આધારે વિવિધ સંપ્રદાયોના પાયા બૌદ્ધ દર્શનમાં નંખાયા છે અને વિજ્ઞાનવાદ અને શુન્યવાદ જેવા, પ્રજ્ઞાનો ઉત્તરોત્તર ઉત્કર્ષ સિદ્ધ કરતા વાદો અસ્તિત્વમાં આવ્યા છે. મધ્યમમાર્ગનું પ્રજ્ઞાના ક્ષેત્રમાં કેન્દ્રબિન્દુ કાયમ રાખવા છતાં એ માધ્યમિક વસ્તુને દોર લાંબો હોઈ દાર્શનિક વિચારણમાં જે ટ બૌદ્ધ આચાર્યોએ લીધી છે તે ભારતીય દર્શનોના ઈતિહાસમાં પ્રજ્ઞામાર્ગનું એક અદ્વિતીય દૃષ્ટાંત બની રહે છે. આવી છૂટ જૈન આચાએંએ લીધી નથી એ પણ એટલું જ સ્પષ્ટ છે. અને તે સિદ્ધ કરે છે કે તેમને માર્ગ પ્રજ્ઞાને નહિ પણ કષાયવિજયનો હતો. –“પ્રબુદ્ધજીવન”, તા. ૧૫૫-૫૮, ૧-૬-૫૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ અને જૈન દર્શન જૈન દર્શન પ્રમાણે અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વિયે— એ અનંત ચતુષ્ટય બધાય આત્માઓને સામાન્ય ગુણ છે. તેથી જ ઈશ્વર કે પરમાત્મા એ કઈ વિશિષ્ટ જાતિનો આત્મા નથી, પણ જે જે આત્માઓએ પિતાના ઉપર જણાવેલ ચારે ગુણોને આવિર્ભાવ કર્યો છે, એ બધાય આત્માઓ સિદ્ધ, ઈશ્વર કે પરમાત્માના નામથી સંધિવાને યોગ્ય છે. અને જે આત્માઓના આ ચાર ગુણો ઢંકાયેલા છે તે સાધક કે સંસારી કહેવાય છે. આ સાધક આત્માઓ પણ પિતાના પ્રયત્નથી સિદ્ધ, ઈશ્વર કે પરમાત્મા બનવાની યોગ્યતા ધરાવે છે. આ દૃષ્ટિએ વિચાર કરતાં વ્યક્તિગત રીતે અમુક આત્માઓ સાધક ગણાય છે, અને અમુક આત્માઓ સિદ્ધ ગણાય છે, એ ભેદ સ્વાભાવિક નહીં પણ કારણુજન્ય (આત્માની પોતાની સાધનાને લીધે થયેલી છે. સામૂહિક દૃષ્ટિએ સાધક અને સિદ્ધ એવા બે વર્ગો કાયમના હોવા છતાં વ્યક્તિગત દૃષ્ટિએ આ ભેદ કાયમને નથી; જે વ્યક્તિ આ ક્ષણે સાધક-વર્ગમાં હોય તે બીજી જ ક્ષણે સિદ્ધ-વર્ગમાં પણ ભળી જઈ શકે છે. જૈનધર્મને આવો સિદ્ધાંત હોવાના લીધે, એમાં (જૈનધર્મમાં) એનો પોતાનો આગવો સાધનાનો માર્ગ હોય એ જરૂરી. છે. જૈનધર્મના સાધનામાર્ગને સમજવા માટે નીચેની બાબતે હમેશાં ધ્યાનમાં રાખવી જરૂરી છે. એમ થાય તે જ જૈન સાધનામાં ભકિત Page #144 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાગ અને જૈન દર્શન માર્ગનું શું સ્થાન હોઈ શકે, એ સહેલાઈથી સમજી શકાય. (૧) કેઈકેઈને નાથ નહીં–જીવ પોતે જ પોતાનો નાથ બની શકે છે; બીજે કઈ એને નાથ નથી બની શકતો. એનો અર્થ એ કે સુખ કે દુઃખ, બંધ કે મોક્ષ, એ જીવને પિતાને આધીન છે? એ ચાહે તો બંધમાં રહી શકે છે, અને ચાહે તો એક ક્ષણમાં મુક્ત થઈ શકે છે. બંધનના માર્ગે ચાલવું કે મોક્ષના માર્ગનું અનુસરણ કરવું, એ બીજાને આધીન નહીં પણ પિતાને આધીન છે. જીવની ઈચ્છા વિરુદ્ધ બીજે કેઈ એને બંધનમાં નથી રાખી શકતો, અને મુક્ત પણ નથી કરી શકતો. બીજાનું કામ તો એટલું જ છે કે એ બંધનના કે મોક્ષના માર્ગને પ્રદર્શક થઈ શકે છે; એ માર્ગે ચાલવું કે ન ચાલવું એ જીવના પોતાના હાથની વાત છે. આ દષ્ટિએ કઈ વ્યક્તિ કંઈ કૃપા કરી શકે તો તે માર્ગદર્શન કરાવવા પૂરતી; એથી વિશેષ એ કશું નથી કરી શકતી. મતલબ કે આત્મા પોતે જ પોતાનો મિત્ર કે શત્રુ છે–“પુરતી, તુમેત્ર તુર્દ નિત, વહિયા મિમિતિ (આચારાંગ સૂત્ર, ૧૧૮). બીજાને શત્રુ કે મિત્ર કહેવામાં આવે છે એ ઉપચારથી જ, કારણ કે બીજે તો માત્ર પરિસ્થિતિને સજી શકે છે; એને વશ થવું કે ન થવું એ તો પિતાના હાથની વાત છે. જ્યાં સુધી કઈ ઊભી થયેલ પરિસ્થિતિ સાથે તન્મય નથી થતો ત્યાં સુધી એને સુખ કે દુઃખનો અનુભવ થઈ શકતો નથી. તેથી સુખ કે દુઃખનું કારણ પિતાની પરિણતિ કે તન્મયતા છે. અને તન્મય થવું કે નહીં એ તો પોતાના હાથની વાત છે. તેથી ખરી રીતે આત્મા જ પિતાનો શત્રુ કે મિત્ર છે, બીજું કોઈ નહીં. (૨) પિતાનાં કર્મને નાશ પોતે જ કર જોઈએ— બધા જીવોમાં સ્વાભાવિક રીતે સામ્ય હોવા છતાં જે વિષમતા દેખાય છે, એનું કારણ તે તે જીવોનાં કર્મ છે. કર્મથી મુક્ત થવાનો પ્રયત્ન એમણે પોતે જ કરવાનું છે. કોઈ ઈશ્વર કે તીર્થકર જીવોનો ઉદ્ધાર નથી કરી સકતા; તેઓ તો ઉદ્ધારનો માર્ગ બતાવી શકે છે, તીર્થની જ પિતાને કામ ક રવા હોવા છ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈનધમ ચિંતન સ્થાપના કરી શકે છે. આ વાતને જ વ્યક્ત કરતાં અમિતગતિ આચાયે કહ્યું છે કે ' स्वयं कृतं कर्म यदात्मना पुरा फलं तदीयं लभते शुभाशुभम् । परेण दत्तं यदि लभ्यते स्फुटं स्वयं कृतं कर्म निरर्थकं तदा ॥ निजार्जितं कर्म विहाय देहिनो न कोऽपि कस्यापि ददाति किञ्चन । विचारयन्नेवमनन्यमानसः परो ददातीति विमुञ्च शेमुषीम् ॥” કનાશની પ્રક્રિયામાં મુખ્ય સ્થાન સંયમનું છે; બાકી બધી વસ્તુ, જો એ સયમને વધારવામાં ઉપયોગી હોય તે, એનું સાધનાના માર્ગમાં સ્થાન છે, નહીં તેા નહી. બધાય જીવામાં સમભાવ કેળવીને કોઈને પણ દુઃખ પહેોંચે એવી પ્રવૃત્તિ ન આદરવી, એ જ સંયમ છે. આમાંથી જ નિમ્મભાવ અને નિરહંકારભાવ નિષ્પન્ન ચવાથી વિશ્વમૈત્રીને! સાક્ષાત્કાર થશે. ત્યારે વીતરાગભાવની પુષ્ટિ ( પૂર્ણતા ) થવાથી જીવ સિદ્ધ થઈ જાય છેઃ આ જ એની સાધનાની પરાકાષ્ઠા છે. (૩) મુક્ત વેામાં વૈષમ્ય નહી—જ્યારે જીવ સિદ્ધ થઈ જાય છે, ત્યારે એને માટે કેાઈ ઉપાસ્ય–આરાધ્ય નથી રહેતું. પેાતાથી પહેલાં થયેલા સિદ્ધોમાં અને એના પોતાનામાં કોઈ જાતનેા સ્વરૂપભે નથી રહેતા; અર્થાત્ બધાય સિદ્ધ વા સમાન હેાય છે, અને બધાય પેાતપેાતાના સ્વરૂપમાં રમણ કરે છે. (૪) સિદ્રો કોઈનું ભલું-ભૂંડું નથી કરતા—જ્યારે જીવ સિદ્ધ થઈ જાય છે ત્યારે સંસારી જીવે। સાથે એને સબંધ છૂટી જાય છે. સાંખ્ય દર્શનના પુરુષની જેમ પછી એ માત્ર સંસારને દ્રષ્ટાજ રહે છે. એનામાં સંસારી જીવેા પ્રત્યે કશું કરવાપણુ નથી રહેતું. તેથી એની કૃપા કે એના પ્રસાદથી વેાના ઉદ્ધારની અને એના કાપથી એમની ક્રુતિની સંભાવના જ નથી રહેતી. સિદ્દોથી જીવ જો કંઈ લાભ મેળવવા ઇચ્છે તે એ એટલું જ કરી શકે કે સિદ્ધના C Page #146 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમા અને જૈન દર્શન ૧૧૯ સ્વરૂપનું ધ્યાન કરીને પોતાના જ ઢંકાઈ ગયેલા એવા સિદ્ધસ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે અને એના ફળરૂપે પિતે સિદ્ધસ્વરૂપ બની જાય. આ રીતે સિદ્ધનો જીવ આપણા વિકાસને માટે, પોતે તટસ્થ હોવા છતાં, નિમિત્ત-કારણ બની શકે છે. (૫) ભક્તિ એ પણ એક સાધન છે–જીવનું સાધ્ય મોક્ષ છે. એની સમગ્ર સાધના મોક્ષને માટે જ છે. મોક્ષનાં સાધને ટૂંકમાં જ્ઞાન અને ક્રિયા છે. એનો વિસ્તાર કરીને દર્શન, જ્ઞાન અને ચારિત્ર અથવા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને પણ સાધનરૂપે શાસ્ત્રોમાં જણાવેલ છે. દર્શન–શ્રદ્ધા ભક્તિથી દઢ થાય છે, તેથી ગુરુજનોની સેવારૂપ ભક્તિ તેમ જ તીર્થકરો અને સિદ્ધોના ગુણગાન, ધ્યાન, પૂજારૂપ ભક્તિને પણું જૈન સાધનામાં સ્થાન મળ્યું છે. જૈન દર્શનના ઉપર જણાવેલ સિદ્ધાંતોની સાથે જ ભક્તિમાર્ગના મૌલિક સિદ્ધાંતની સરખામણી કરવામાં આવે તે સ્પષ્ટ રીતે સમજાશે કે ભક્તિમાર્ગના મૌલિક–પાયાના સિદ્ધાંતોને જૈન દર્શનમાં કોઈ સ્થાન નથી. આમ છતાં જૈન આચાર્યોએ રચેલી સ્તુતિઓ ભક્તિતત્વથી ઓતપ્રેત છે. તો આ અંગે થોડોક વિચાર કરીએ. ભગવાન સર્વ જીના નાથ ભગવાન સર્વ જીવોના નાથ છે, આ માન્યતા ભક્તિમાર્ગને મૂળ સિદ્ધાંત છે. આ જગત એ ઈશ્વરનું જ મંગલમય સર્જન છે, એટલે એ જ સમસ્ત સંસારનો સ્વામી છે. સંસારના સચરાચર બધા પદાર્થોનો એ પ્રભુ છે. આ સિદ્ધાંત પ્રમાણે ભક્ત પોતાને ભગવાનને દાસ સમજે છે––ભલે પછી એ સંસારમાં હોય કે મુક્ત હોય તો પણ. આગળ સૂચવવામાં આવ્યું છે તે મુજબ, જૈન દર્શનમાં આ કલ્પનાને કોઈ સ્થાન નથી; આમ છતાં ભક્તિમાર્ગ, જે તરફ ફેલાયેલો હતો, એનાથી જેને પણ અલિપ્ત નથી રહી શકયા. તીર્થકરોને જગતના સર્જનહાર કે સ્વામી ન માનવા છતાંય Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈનધર્મચિંતન જેન આચાર્યોએ તીર્થકરોની સ્તુતિઓમાં એમની પ્રભુતા અને પોતાની દાસતાનું વર્ણન કર્યું છે, અને શરણમાં લેવાની પ્રાર્થના પણ કરી છે. જેમ ભક્તિભાગીઓમાં વિષ્ણુસહસ્ત્રનામસ્તોત્ર પ્રસિદ્ધ છે, એવાં જ જૈનોમાં પણ જિનસેને રચેલ જિનસહસ્ત્રનામસ્તોત્ર અને આચાર્ય હેમચંદ્ર રચેલ અહંન્નામસહસ્ત્ર સમુચ્ચય પ્રસિદ્ધ છે. એ બન્નેમાં વેદથી લઈને તે પિતાના સમય સુધી ઈશ્વર કે પરમાત્માને માટે જુદા જુદા મતોમાં જે નામે પ્રસિદ્ધ હતાં, એ બધાં નામોનો સંગ્રહ અહંજામોમાં કરી લેવામાં આવ્યો છે. ઈશ્વરનાં નામોમાં જુદી જુદી માન્યતાઓનો સમાવેશ થયેલો છે. એ બધી માન્યતાઓને જૈન દર્શનમાં સ્થાન છે, એમ તો ન કહી શકાય, છતાં પણ આચાર્યોએ એ નામોને જેવાં ને તેવાં સ્વીકરી લીધાં છે. આ જૈન આચાર્યો ઉપર ભક્તિમાર્ગનો કે સામાન્ય જનસમૂહમાં પ્રચલિત ઈશ્વરતત્ત્વનો પ્રભાવ છે, એમ માનવું જ રહ્યું. તેથી જ તેઓએ, પિતાના પરમતત્વને અનુરૂપ નવાં નામોની રચના કરવાને બદલે, અન્યત્ર પ્રચલિત નામને જેવાં ને તેવાં અપનાવી લીધાં. મૂળકર્તાઓ અને ટીકાકારોએ એ શબ્દોને પિતાને અનુકૂળ અર્થ કરવાનો પ્રયત્ન કર્યો તો ખરો, પણ એમાં સમન્વય ભાવનાને બદલે, સ્વીકારની બુદ્ધિએ જ મુખ્ય ભાગ ભજવ્યો છે, કેમ કે ઉચ્ચ આદર્શને કે તર્કસિદ્ધ આદર્શને વ્યક્ત કરી શકે એવા નવા શબ્દોનું મૂલ્ય , સામાન્ય જનસમૂહન કરી શકત. તેથી જ એ પ્રાચીન શબ્દો, કે જે એમની ભાવનાને અનુકૂળ હોય, એમને અપનાવવા સિવાય બીજો કોઈ ભાગ જ ન હતો. એને લીધે જ– “સ્ટફીમ નમો નમઃ”, “ત્રિપુ”િ, “ત્રિનેત્રો', ચામધાgિ ”, “અર્ધનારીશ્વર:', fફાવઃ', “ ”, ફલાઃ” “અનાચક્ષુ', “વરાત્મા', વિરોફા', 'विश्वतश्चक्षुरक्षरः, विश्वयोनिः', 'विश्वदश्वा विभुर्धाता Page #148 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ અને જૈન દર્શન विश्वेशो विश्वलोचनः। विश्वव्यापी विधिर्वेधाः शाश्वतो विश्वतो मुखः॥', विश्वकर्मा जगज्येष्ठो विश्वमूर्तिर्जिनेश्वरः। विश्वहक विश्वभूतेशो विश्वज्योतिः', :जगदीशो जगत्पतिः', “युगादिपुरुषो ब्रह्मा पञ्चब्रह्ममयः शिवः । परः परतरः सूक्ष्मः परमेष्ठी सनातमः' | 'स्वयंज्योतिरजोऽजन्मा ब्रह्मयोनिः', “अच्युतोऽनंतः', 'परमात्मा परं ज्योतिस्त्रिजगत्परमेश्वरः', "प्रजापतिः', 'स्थाणुः', 'हिरण्यगर्भः', 'सर्वात्मा सर्वलोकेशः', 'विश्वतः पादो' सहस्रशीर्षेः', 'सहस्राक्षः सहस्रपात् ', 'भूतभव्यभवद्भर्ता 'महेश्वरः', 'विश्वभृद्विश्वस्ट', 'विश्वरूपात्मा', 'सुयज्वा', 'ऋत्विग् यज्ञपतियज्ञो', 'व्योममूर्तिः', 'ब्रह्मनिष्ठः', 'परब्रह्मात्मा ब्रह्मसंभवः', 'पुराणपुरुषोत्तम', 'स्रष्टा', 'पद्मेशः पद्मसंभूतिः पद्मनाभिः "पद्मयोनिर्जगद्योनिः', 'हृषीकेशः', 'त्राता', 'पुण्डरीकाक्षः' " वेदविद्वेद्यो', 'अनादिनिधनः', 'महाप्रभुः महेश्वरः', . 'चतुराननः', 'जगद्गर्भो', 'शंकरः', 'त्रिजगत्पतिः', 'जगन्नाथो', 'लक्ष्मीपतिः', 'लोकपतिः', 'त्रिपुरारिः त्रिलोचनः । त्रिनेत्रत्र्यम्बकः'। ન્વગેરે નામોનો સંગ્રહ જિનસહસ્ત્રનામોમાં થયેલ છે. . નીચે આપેલ વિનયપાઠનો અંશ એક જૈન કવિની રચના છે, એમાં મૂળ જૈન ભાવના અને સિદ્ધાંતને બદલે ભક્તિમાર્ગની ભાવના भने सितना उपयो। यो छ : 'मैं बंदौं जिन देवको कर अति निरमल भाव । कर्मबंधके छेदने और न कछु उपाव ॥६॥ . ‘भविजनको भवकूप ते तुमही काढनहार। दीनदयाल अनाथपति आतम गुण भण्डार ॥७॥ :. तुम पदपंकज पूजते विघ्न रोग टर जाय । शत्रु मित्रताको धरै विष निरविषता थाय ॥९॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન तुम बिन मैं व्याकुल भयो जैसे जल बिन मीन । जन्म जरा मेरी हरो करो मोहि स्वाधीन ॥११॥" [ઝિનવાળીસંપ્રદ, વૃ૦ ૬૪} - કવિને પિતાને કર્મબંધ કાપવાની અભિલાષા તો છે, પણ એને માટે જિનેન્દ્રદેવના વંદન સિવાય એને બીજો માર્ગ સૂઝતો નથી, એનું કારણ ભક્તિ છે. એને એ વિશ્વાસ છે કે ભગવાન જ અનાથેના નાથ છે, અને પોતે અનાથ છે : આ માન્યતા જૈન સિદ્ધાંતને અનુરૂપ નથી; કારણ કે જૈન દર્શન કોઈને કોઈનો નાથ નથી માનતું, પણું માર્ગદર્શક માને છે, તીર્થકર માને છે. કવિની સ્વાધીન થવાની ભાવના, એ જૈન ભાવના છે, પણ એને માટે વ્યાકુળતાનું કારણ પિતાની નિષ્ક્રિયતા હોવું જોઈએ, નહીં કે ભગવાનને વિરહ. (૨) ઈશ્વરકૃપાથી સર્વ સિદ્ધિ ભક્તિભાગી બધા સંપ્રદાયોએ ઈશ્વરકૃપાને ઘણું વધારે મહત્ત્વ આપ્યું છે. જૈન દર્શનમાં તો કાલલબ્ધિને પરિપાક માનવામાં આવેલ છે. જ્યારે જીવને કાલલબ્ધિ થાય છે ત્યારે એ સન્માર્ગનો અધિકારી થાય છે. મિથ્યાત્વને કારણે જીવ અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરે છે. જ્યારે સન્માર્ગ પર આવવાનો એનો સમય પાકી જાય છે, ત્યારે જ એનું મિથ્યાત્વ દૂર થાય છે. જેમ નદીના પ્રવાહમાં પડેલો ખરબચડો પથ્થર ઘસાતો ઘસાતો, અમુક વખત જતાં, ગોળ અને સુંવાળે થઈ જાય છે, એ જ રીતે જીવ પણ સંસારમાં રખડપટ્ટી કરતો કરતો એવા કાળમાં પહોંચી જાય છે જ્યારે, બીજી સામગ્રી મળી આવતાં, એ સન્માર્ગ તરફ પ્રયાણ કરે છે. પણ ભક્તિમાર્ગમાં આ કાલિબ્ધિને સ્થાને ઈશ્વરકૃપા માનવામાં આવેલ છે. બધીય, સામગ્રી મળી હોય, પણ ઈશ્વરની કૃપા વગર બધું નકામું થઈ જાય છે. આનો અર્થ એ કે, પિતાનો પ્રયત્ન પણ ત્યારે જ સફળ થાય, જ્યારે ઈશ્વરકૃપા હોય. Page #150 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ અને જૈન દર્શન ૧૨૩ • ઈશ્વરકૃપાપ આ તત્વે જૈન સાહિત્યમાં પણ પિતાની ઢબે, સ્થાન મેળવ્યું છે. જેમ જેમ ભક્તિમાર્ગનો પ્રભાવ વધતો ગયો. તેમ તેમ બધાય ધર્મોને એનાં કેટલાંય તને, પિતાપિતાની ઢબે, અપનાવવાં જ પડ્યાં. જૈન સાહિત્યમાં તીર્થકરોનાં કલ્યાણકને અવસરે, બીજા ની સાથે, નારકીના જીવને પણ ક્ષણભર માટે સુખને અનુભવ થાય છે, એવું વર્ણન મળે છે. સ્પષ્ટ રીતે આ ઈશ્વરકૃપા-તત્વની જ અસર છે. જૈનેના કર્મશાસ્ત્ર મુજબ આ વાતનો કશે ખુલાસો નથી મળતો. એ જ રીતે જેને પ્રાર્થના-કાવ્યોમાં તીર્થકરોને એમની કૃપાને માટે જે અનુરોધ કરવામાં આવ્યો છે, એ પણ ભક્તિમાર્ગની જ કૃપા છે. કેમ કે જૈન સિદ્ધાંત પ્રમાણે તીર્થકર કૃપા નથી કરતા. બૌદ્ધોના મત પ્રમાણે પણ પોતાના પ્રયત્ન અને પિતાના કર્મનું જ મહત્ત્વ છે. તે પણ કૃપાતત્ત્વની અસર એ ધર્મ ઉપર પણ થઈ છે. બુદ્ધના જન્મ વખતે અવીચિ નરકમાં શાંતિ અને સુખ પ્રવર્યાની વાત લલિતવિસ્તર ગ્રંથમાં કહેવામાં આવી છે, અને સદ્ધર્મકુંડરીક ગ્રંથમાં તો દુઃખનું નિવારણ કરવા માટે અવલોકિતેશ્વર પોતે અવચિનરકમાં ગયા હતા, એમ કહેવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્તના સંબંધમાં પણ આવી જ વાતો કહેવામાં આવી છે. આ કૃપાને કારણે ઈશ્વર વારંવાર જુદા જુદા અવતાર ધારણ કરે છે, એવું ભક્તિભાગીઓનું કહેવું છે. પરંતુ જૈન દર્શન પ્રમાણે જે જીવ સિદ્ધ થઈ ગયો હોય એને ફરી વાર જન્મ લેવાનું કઈ કારણું જ નથી. આમ છતાં જૈન કવિઓએ અને પ્રતિષ્ઠા કરવાવાળા માંત્રિકોએ, ભક્તિમાર્ગના પ્રવાહને લીધે, ભગવાનને અવતાર ધારણ કરવાની પ્રાર્થના કરી છે. જેમ કે – મૈં તુમ રુત ચાપતુ અમું, भक्ति समेत हिये हरखाई । Page #151 -------------------------------------------------------------------------- ________________ ' જેનધર્મચિંતન . हे करुणाधनधारक देव, • .... इहें अब तिष्ठहू शीघ्रहि आई ॥" [जिनवाणोसंग्रह, पृ० ३३३] __. “ॐ हीं श्रीवर्धमानजिनेन्द्र ! अत्र अवतर अवतर। संवौषट् । ओं ह्रीं श्रीवर्धमानजिनेन्द्र ! अत्र तिष्ठ तिष्ठ । ठः ठः। ओं ही श्रीवर्धमानजिनेन्द्र, अत्र भम सन्निहितो भव भव । वषट् ।” [जिनवाणीसंग्रह, पृ. ३३३] ' કેટલાય જૈન કવિઓએ ભક્તિમાર્ગનાં પ્રસાદ જેવાં તત્ત્વોને - અપનાવ્યાં છે, અને તીર્થકરોની પ્રાર્થનાઓની રચનાઓ કરી છે. જૈનાના સિદ્ધાંત પ્રમાણે પ્રાયશ્ચિત્તથી હિંસા વગેરે દોષનું નિવારણ થાય છે; આમ છતાં એક જૈન કવિ કહે છે કે— "जो प्रमादवशि होय विराधे जीव घनेरे । तिनको जो अपराध भयो मेरे अघ ढेरे ॥ सो सब झूठो होउ जगत्पति के परसादै । जा परसाद से मिले सर्व सुख दुःख न लाधे ॥" [जिनवाणी संग्रह, पृ. ५०६ ] નીચે આપવામાં આવેલ વિસર્જનને અંશ ઈશ્વર-પ્રસાદથી બધી સિદ્ધિ થાય છે, એ વાતનો સૂચક છે, અને ભગવાનનું રક્ષકના રૂપમાં વર્ણન કરે છે. આ બન્ને બાબતો ઉપર ભક્તિમાર્ગની અસર છે – ज्ञानतोऽज्ञानतो वापि शास्त्रोक्तं न कृतं मया। तत्सर्व पूर्णमेवास्तु त्वत्प्रसादात् जिनेश्वर ॥ आह्वान नेव जानामि नैव जानामि पूजनम् । विसर्जन न जानामि क्षमस्व परमेश्वर । मंत्रहीन क्रियाहीनं द्रव्यहीनं तथैव च । तत्सर्व क्षम्यतां देव रक्ष रक्ष जिनेश्वर ॥" [जिनवाणी संग्रह, पृ० ११०]: Page #152 -------------------------------------------------------------------------- ________________ શક્તિમાગ અને જૈન દર્શન १२५: વૃંદાવન નામના જૈન કવિ તા, ભગવાન રાગ વગેરેથી રહિત છે એ વાતને સ્વીકાર કરીને પણુ, ભગવાનની અચિત્ત્વ શક્તિથી ભક્તોની પીડા દૂર થાય છે, એ વાતનું વન કરે છે ત્યારે એમના ઉપર વૃંદાવનને વૈષ્ણવ ધર્માં જ અસર કરી ગયા છે, એમ માનવું પડે છે. भनी “ दुखहरण ” नामे स्तुति अर्ध वैष्णवना भुभां शोले. मेवी छे, नैनना नहीं लुग्यो मेनेो नमूना : " श्रीपति जिनवर करुणायतनं दुःखहरन तुम्हारा बाना है । मत मेरी बार अबार करो मोहि देहु विमल कल्याना है ॥ काइको भोग मनोग करो, काहूको स्वर्ग विमाना है । काहूको नागनरेशपती काहूको ऋद्धिनिधाना है ॥ अब मों पर क्यों न कृपा करते, यह क्या अँधेर जमाना है । इनसाफ करो मत देर करो सुखवृन्द भरो भगवाना है ॥ यद्यपि तुमको रागादि नहीं यह सत्य सर्वथा जाना है । चिन्मूरति आप अनंत गुनी नित शुद्ध दशा शिव वाना है ॥ यद्यपि भक्तन की भीड़ हरो सुख देत जिन्हें जु सुहाना है । यह शक्ति अचिंत तुम्हारी का क्या पावे पारस याना है । कमलाधरजी कमलाकरजी करिये कमला अमलाना है । अब मेरी faer अवलोकि रमापति रंच न वार लगाना है । [ जिनवाणीसंग्रह, पृ० ११७] આ ઈશ્વર-પ્રસાદની વાત કેવળ તીર્થંકર સુધી જ મર્યાદિત નથી રહી, પણ ગુરુ અને શાસ્ત્ર સુધી પણ પહોંચી ગઈ છે, અને એમાં પરમપદની પ્રાતિ અતાવવામાં આવી છે, જેમ કે :~~~ " प्रथमदेव अरिहंत सुश्रुत सिद्धांत जू । गुरु निरग्रन्थ महन्त मुक्तिपुर पंथजू ॥ तीन रतन जगमांहि सो ये भवि ध्याइये । तिनकी भक्ति प्रसाद परमपद पाइये ॥ " [ जिनवाणीसंग्रह, पृ० ८४ ]. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈનધર્મચિંતન ભક્તામર અને કલ્યાણુમંદિર જેવાં નિત્યપાઠનાં સ્તોત્રમાં પણ આ પ્રસાદતત્વ પ્રગટ થયેલું જોવાય છે. (૩) મુક્તિમાં પણ વૈષમ્ય મેજૂદ રહે છે ભકિત માગી સંપ્રદાય માને છે કે મુક્તિમાં પણ દાસ્યભાવ ચાલુ રહે છે. ઈશ્વર અને ભક્ત બન્નેના જીવનમાં મેગ્યતા તે -એક સરખી છે—અને બ્રહ્મરૂપ છે–છતાં પણ ઈશ્વર ઈશ્વર જ છે, અને ભક્ત એને દાસ છે. આથી ઊલટું, જૈન દર્શન પ્રમાણે મુક્ત છેવો વચ્ચે આવો કેઈ ભેદ નથી; બધાય સરખા છે. જેનોની દાર નિક માન્યતા આવી હોવા છતાં કેટલાક જૈન આચાર્યોએ દુનિયામાં પિતાને બીજું કશું નહીં, પણ ભવોભવ તીર્થકરની ભક્તિ જ મળે એવી કામના કરી છે. ખરી રીતે મિક્ષ સિદ્ધિ જ ધ્યેય બનવું જોઈતું હતું, ભક્તિ નહીં; તેથી જ, આપણે જોઈએ છીએ કે, કેટલાક જૈન ભક્ત કવિઓએ એમ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે હે પ્રભુ! જ્યાં લગી મોક્ષ ન મળે ત્યાં લગી મને આપની ભક્તિ જ મળે, એ જ પ્રાર્થના છે. એક કવિએ તે સ્પષ્ટ કહ્યું કે “મુવનત્રયપૂૌsé જિનેન્દ્ર तव दर्शनात् । [ जिनवाणीस ग्रह, पृ० २२] (૪) ભગવાન જ જીવનું શરણ છે ભગવાન જ જીવનું શરણ છે, આ પણ બધાય ભક્તિભાગીએને સિદ્ધાંત છે. પ્રપત્તિ(શરણાગતિ)ને નામે આનું વર્ણન મળે છે. સાધનાના બે ભાગ છે : એક તો પોતાના પ્રયત્નને, જેવી રીતે વાંદરાનું બચ્ચું પિતાની માને પકડી રાખે છે, અને બીજો માર્ગ બીજાના પ્રયત્નને, જેમ બિલાડી પિતાના બચ્ચાને મેથી પકડે છે. ભક્તોએ આ બીજો ભાગ જ અપનાવ્યું છે. એ તે ભગવાનને, પિતાનું સર્વસ્વ સમર્પિત કરીને એમનું શરણ સ્વીકારે છે. ભગવાન જ પિતાની કૃપાથી ભક્તોને મુક્ત કરે છે. એકાંતિક ભક્તિ કે આસ્થા ‘ઉત્પન્ન થયા પછી જીવને કશું કરવાનું બાકી નથી રહેતુ; ભગવાન Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ભક્તિમાર્ગ અને જેને દર્શન પતે જ એમને ઉદ્ધાર કરી દે છે. આથી ઊલટું, જેનોએ પહેલા માર્ગને જ અપનાવ્યો છે. જૈન આચાર્યોએ પણ તીર્થંકરના શરણે જવાની વાત તો કરી છે; પણું તીર્થંકરના શરણનો અર્થ કેવળ તીર્થકર ઉપરની આસ્થા કે એમની ઐકાંતિક ભક્તિ, એવો નથી; કારણ કે ખુદ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમની આવી આસ્થા અને ભક્તિ જ તેમની મુક્તિમાં બાધક બની હતી. જ્યારે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું ત્યારે ગૌતમની આંખ ખૂલી ગઈ અને એમણે જોયું કે પિતાને ભગવાન મહાવીર ઉપર અનન્ય ભાવે જે મમત્વ હતું, એ જ પિતાની મુક્તિમાં બાધક બન્યું હતું. ત્યારે એમણે પિતાના આત્માનું જ શરણ સ્વીકાર્યું, અને મુક્ત થઈ ગયા. તેથી તીર્થકરના શરણનો અર્થ એટલે જ છે કે એમણે બતાવેલા માર્ગે અનન્ય નિષ્ઠાપૂર્વક ચાલવું હોય તો પહેલાં એમના ઉપર આસ્થા થવી જરૂરી છે, નહીં તો એમણે પ્રરૂપેલ માર્ગ ઉપર શ્રદ્ધા ટકી રહેશે નહીં. જ્યારે પિતાની મેળે ચાલતાં ચાલતાં કર્મોને બંધ ઢીલ થઈ જાય છે ત્યારે માર્ગ ઉપર ચાલવાની શ્રદ્ધા દઢ થઈ જાય છે. આની પરાકાષ્ટાને લીધે, સ્વાનુભૂતિ થવાથી, પિતે જ્યારે શુદ્ધ થઈ જાય છે, ત્યારે એ તીર્થકરોની બરાબર તો શું, કયારેક તો એવું પણ બને છે કે, તીર્થકર સંસારમાં વિચરતા રહે અને સાધક એમનાથીય આગળ વધીને, એમની પહેલાં જ, સિદ્ધ -અવસ્થામાં પહોંચી જાય છે. (૫) ભકિત એ સાધ્ય છે બધાય ભક્તિભાગીઓએ ભક્તિને એક સાધન નહીં પણ સાધ્ય માનેલ છે. અર્થાત ભક્તને મોક્ષનું કામ નથી; એ તો પરાકાષ્ઠાએ પહોંચેલી ભક્તિને માટે જ પ્રયત્નશીલ હોય છે. મોક્ષ, એ તો પરાકાષ્ઠાએ પહેચેલી ભક્તિનું આનુષંગિક ફળ છે, જે ભક્તને મળે છે. પણ એની ઝંખના એ માટે નથી હોતી; એ તો ભક્તિનો જ પરમ ઉત્કર્ષ વાં છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંત આથી ઊલટું, જેનેએ ભક્તિને એક સાધન રૂપે જ સ્વીકા કર્યો છે. જીવનું ધ્યેય તે મુક્તિ જ છે. એના બધા પ્રયત્ન મુક્તિ માટે જ હોય છે. એ પ્રયત્નોમાં, અમુક હદ સુધી, ભક્તિને પણ સ્થાન છે. પણ છેવટે તે આ ભક્તિને—બીજાઓ પ્રત્યેના સ્નેહભાવને– પણ છોડવી જ પડે છે; કારણ કે પ્રશસ્ત હોવા છતાં એ છે તો રાગ જ અને, જૈન સિદ્ધાંત અનુસાર, વીતરાગ થયા વિના મોક્ષ થતો જ નથી તેથી જ કોઈ જૈન આચાર્યે સ્પષ્ટ કહ્યું છે કે – " तव पादौ मम हृदये मम हृदयं तव पदद्वये लीनम् तिष्ठतु जिनेन्द्र तावद्यावनिर्वाणसंप्राप्तिः ॥” * [ શિનવાળીસંપ્રદ્યુ, પૃ. ૧૦૮, ૨૬૩ આ શ્લોકમાં ભક્તિનો પાસ તો છે જ, પણ બેયની બાબતમાં કવિ સંદિગ્ધ નથી. આ જ રીતે ભક્ત પિતાને કિંકર કહે છે શરણમાં લેવાની વાત કહે છે, કરુણું કરવાનું કહે છે–આ બધાં તો ભક્તિમાર્ગનાં છે–છતાં ભકિત, એ એક સાધન છે, સાધ નહીં, આ વાતને જૈન આચાર્યો ક્યારેય વીસર્યા નથી. જુઓ– " त्रिभुवनगुरो जिनेश्वर परमानन्दैककारण कुरुष्व । मयि किंकरेऽत्र करुणा यथा तथा जायते मुक्तिः ॥ " त्वं कारुणिकः स्वामी त्वमेव शरण जिनेश" [ બિનવાળી, પૃ. ૧૦ “जगदेकशरण भगवन् नौमि श्रीपद्मनंदितगुणौध किं बहुना कुरु करुणामत्र जने शरणमापन्ने ॥" * [ નિવાણીસંગ્ર, વૃ૦ ૧૧૦ વૈષ્ણવોની જેમ જૈન આચાર્યોએ પણ ભક્તિને મહત્વ તે આપ્યું છે, કેટલાક નમૂના જુઓ - " जन्म जरा मिथ्यामत मूल जन्ममरण लागे तँह. फूल । Page #156 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ અને જૈન દર્શન ૧૨૯ सो कबहुँ बिन भक्ति कुठारं, कटे नहीं दुःख फल दातार॥ " જિનવાણીસંઘ, પૃ. ૨૬૨] " यह संसार अपार महासागर जिनस्वामी । तातें तारे बड़ी भक्तिनौका जगनामी ॥" [fઝનવાળી સંગ્ર, પૃ. ૧૧] "तुम भक्तिनवका जे चदै ते भये भवदधि पार ही।” શિનવાળીદ્દ, પૃ. ૬૪] કેટલાક આચાર્યોએ મુકિતને માટે ભવોભવ ભક્તિની યાચના કરી છે; જેમ કે – ."अब होउ भव भव स्वामी मेरे मैं सदा सेवक रहों। __ कर जोड़ यो बरदान मांगू मोक्ष फल जावत लहों॥" [fqનવાળીસંઘ, વૃ૦ ૧૧૨, ૧૨} પણ ખરી રીતે, જેના મત પ્રમાણે, મહત્ત્વ ભક્તિનું નહીં પણ ચારિત્રનું જ છે, તેથી ભક્તિની નહીં પણ ચારિત્રની જ યાચના કરવી જોઈતી હતી. કોઈક જૈન પૂર્વાચાર્યે સ્પષ્ટ કહ્યું છે કે – * “જિ વઘુ મળિgi = મરિ સાત્તિો जेण भणिजइ सव्वे पया पविठ्ठा उ हत्थिपए ॥” . [વનસ્તોત્રસંવાદ્, પૃ૦ ૮૧] ભક્તિમાર્ગનાં આ મૌલિક તત્વો ઉપરાંત ભગવાનના બાહ્ય શરીરની શેભાનું વર્ણન કરવાની પ્રણાલી, નામ-જપનું માહાભ્ય, મુક્તિને “રમણું” કહીને એનું શુંગારમય વર્ણન, તીર્થકરનું અવતાર સ્પે વર્ણન, ભગવાનની કરુણાનું વર્ણન, તીર્થંકરની મૂર્તિની પૂજાના પ્રકારોમાં નૈવેદ્ય વગેરેને સમાવેશ, નામસ્મરણથી મુક્તિ થવાનું કથન વગેરે આ બધાં તત્ત્વ પણ જૈન સ્તુતિઓ ઉપર પડેલ ભકિતમાર્ગના પ્રભાવને જ સૂચવે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈનધર્મચિંતન જૈન દષ્ટિએ ભક્તિનું રહસ્ય આચાર્ય દેવચંદ્રજીએ, પિતાના ઋષભજિન સ્તવનમાં, ભક્તિનું જૈન દૃષ્ટિએ જે વિવેચન કર્યું છે, એને આધારે અહીં જૈન ભક્તિ અંગે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આચાર્ય દેવચંદ્રજીનું કહેવું છે કે મનુષ્યસ્વભાવમાં પ્રીતિનું તત્ત્વ તો રહેલું જ છે. જ્યાં સુધી પ્રીતિનું આલંબન કોઈ પણ દુન્યવી પદાર્થ હોય છે, ત્યાં સુધી જીવની ઉન્નતિને સંભવ નથી. એટલા માટે પ્રીતિનું આલંબન બદલવું જોઈએ. જે વીતરાગને પ્રીતિનું આલંબન બનાવવામાં આવે તો ભક્તિને સ્થાન મળી જાય છે, પણ સવાલ એ છે કે વીતરાગ તીર્થકર અને જીવની વચ્ચે પ્રીતિ કેવી રીતે સંભવે ? કારણ કે તીર્થકર તે સિદ્ધ થઈ ગયા છે, અને શુદ્ધ છે; અને જીવ તિ સંસારમાં રહેલું છે, અને અશુદ્ધ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની દૃષ્ટિએ બન્નેના મેળાપને સંભવ જ નથી. સંદેશો મેકલીને પણ પરિચયનો સંભવ નથી; કેમ કે જે કોઈ ભગવાનની પાસે જાય છે, એ પણ ભગવાનના જેવો જ બની જાય છે, અને ખબર આપવા પાછો આવતે નથી! એક બીજી પણ મુશ્કેલી એ છે કે પ્રતિ એક પક્ષથી તો થઈ જ નથી શકતી. જીવ, જે પ્રીતિ કરવા ચાહે છે, તે રાગી છે; પણ એ જેની સાથે પ્રીતિ કરવા ઈચ્છે છે, તે વીતરાગે છે. રાગી તો ગમે તે રીતે પ્રીતિ કરી લે છે, પણ વીતરાગને કેવી રીતે મનાવી શકાય ? આ તો એકપક્ષી પ્રીતિ થાય. સંસારમાં જે પ્રીતિ જોવામાં આવે છે, એ ઉભયપક્ષી અને રાગમૂલક હેાય છે; અને એક પક્ષમાં રાગ હોવાથી વીતરાગની સાથે પ્રીતિ કરવાની વાત વિલક્ષણ હોવાને લીધે જ લેકોત્તર છે. એના લકત્તરપણાનું એક બીજું પણ કારણ છે. જીવને જેવી પ્રીતિનો અભ્યાસ છે, એથી તે એને સંસારની જ વૃદ્ધિ થાય છે, કેમ કે એથી નવાં કર્મોને જ બંધ થાય છે. પણ વીતરાગ તરફ જે રાગ છે, તે એવો નથી હોતો કે જેને લીધે સંસાર વધે. ભક્ત પ્રીતિ કરીને ભગવાનન્ય પાસે Page #158 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાગ અને જૈન દર્શન ૧૩૧ એમના ગુણોની ભિક્ષા નથી માંગતો, પરંતુ ભગવાનના વિશુદ્ધ ગુણો પ્રત્યે અનુરાગ દાખવીને પિતામાં રહેલા એવા જ ગુણને પ્રગટ કરવા ઈચછે છે. આ વિલક્ષણતાઓને લીધે સવાલ એ થાય છે કે આવી પ્રીતિ કેવી રીતે કરી શકાય ? આનો જવાબ દેવચંદ્રજીએ એ આપે છે કે બાહ્ય અનંત પદાર્થોમાંથી પ્રીતિને પાછી ખેંચી લેવાથી જ વીતરાગની સાથે પ્રીતિ થઈ જાય છે; અર્થાત ત્યારે વીતરાગતાના ગુણ દ્વારા બન્ને સમાન કક્ષામાં આવી જાય છે. આ રીતે-“પ્રભુજીને અવલંબતાં નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાસ”—પ્રભુને પ્રીતિનું આલંબન બનાવવાથી ભક્ત પિતે પ્રભુ બની જાય છે. તીર્થંકરની ભક્તિને આ દૃષ્ટિએ એ જ અર્થ સમજવો કે એમની આજ્ઞાનું પાલન કરવું—“૩ાાવારી મો”—અર્થાત તીર્થકરે જે જે વિધિ-નિષેધો બતાવ્યા હોય એ મુજબ આચરણ કરવું એ તીર્થકરની ભક્તિ છે. તીર્થકરની આજ્ઞા એ એમનો હુકમ નહીં, પણ તેઓએ પોતે જે માર્ગનું અનુસરણ કરીને પોતાની ઉન્નતિ સાધી છે, તે જ માર્ગને એમણે ખપી જીવોને માટે જે ઉપદેશ આપે છે, એ જ આજ્ઞાને નામે ઓળખાય છે. ભક્તિથી કાર્યસિદ્ધિ કેવી રીતે થાય છે, એ વાત અધ્યાત્મચોગી દેવચંદ્રજીએ એક દષ્ટાન્ત દ્વારા સમજાવી છે. એમણે કહ્યું છે કે ભક્તને માટે પ્રભુ તો કશો જ પ્રયત્ન નથી કરતા, પરંતુ બકરાંઓનાં ટેળામાં જઈ પડેલો સિંહ જેવી રીતે સિંહને દર્શનથી પોતાના સિંહપણને ઓળખી લે છે, એવી જ રીતે ભક્ત પણ પ્રભુના સ્વરૂપના દર્શનથી પોતાની પ્રભુતાને પિછાની લે છે – “અરવુwાત જ દે ફેનિક પર હિદ નિષ્ઠા तिम प्रभुभक्तें भवि लहे रे आतमशक्ति संभाल॥" Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર જૈનધર્મચિંતન - જે પ્રભુ પોતે કંઈ કરતા ન હોય, કશું આપતા પણ ન હોય, તે પછી જૈન આચાર્યોએ એમની પાસે પિતાને ઉદ્ધાર કરવાની અને પિતાને મોક્ષપદ આપવાની જે વિનતિ કરી છે, એનું સ્પષ્ટીકરણ શું હોઈ શકે? આ પ્રશ્નનો ઉત્તર પણ શ્રી દેવચંદજીએ આપે છેઃ - બધાં કાર્યો પિતાના કર્તા અને કારણ-સામગ્રીથી ઉત્પન્ન થાય છે. મુક્તિરૂપી કાર્યને માટે આત્મા કર્યા છે, અરિહંત ભગવાન નિમિત્ત-કારણ છે. ભગવાનરૂપી નિમિત્તને પામ્યા છતાં પણ જે આત્મા પ્રયત્નશીલ ન થાય તે મુક્તિ મળતી નથી. તેથી મુખ્ય કતૃત્વ પોતાના આત્માનું જ હોવા છતાં મુક્તિરૂપી કાર્યમાં ભગવાન પુષ્ટ આલંબન હોવાથી, ઉપચારથી, ભગવાનને કર્તા માનીને એમને ઉદ્ધારક, તારણહાર, મોક્ષદાતા વગેરે કહેવામાં આવે છે. ભગવાનને નિમિત્ત-કારણ કહેવામાં આવેલ છે તે પણ એ દૃષ્ટિએ કે એમના સ્વરૂપનું જ્ઞાન જીવને પિતાના પરમાત્મભાવના જ્ઞાનમાં સહાયક બને છે. તેથી જ ઉપચારથી ભગવાનને નિયમક, વૈદ્ય, ગોપ, આધાર, ધર્મદાતાર–એવા શબ્દોથી સંબોધવામાં આવે છે. મૂળ હિંદી ઉપરથી અનુવાદિત ] “જનવાણું”, એપ્રિલ, ૧૯૪૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર શ્રમણસંસ્કૃતિ અને ઈશ્વર શ્રમણ સંસ્કૃતિની જ એ ખાસ વિશેષતા છે કે તેમાં પ્રાકૃતિક, આધિદૈવિક દેવો કે નિત્યમુક્ત ઈશ્વરને “કર્તા” તરીકેનું સ્થાન આપવામાં આવ્યું નથી, તેમાં તે એક સામાન્ય મનુષ્ય જ પોતાનો ચરમ વિકાસ સાધી સાધારણ જનતાને માટે જ નહિ પણ દેવોને માટે પણ પૂજ્ય બની જાય છે. એટલા જ માટે શ્રમણ સંસ્કૃતિમાં ઇન્દ્રાદિ દેવેનું સ્થાન પૂજક તરીકેનું છે, પૂજ્ય તરીકેનું નહિ. ભારતવર્ષમાં રામ અને કૃષ્ણ જેવા મનુષ્યોની પૂજા બ્રાહ્મણ સંસ્કૃતિમાં થવા તો લાગી, પણ બ્રાહ્મણોએ તેમને કેવળ મનુષ્ય, શુદ્ધ મનુષ્ય રહેવા ન ‘દીધાતેમનો સંબંધ મુક્ત ઈશ્વરની સાથે જોડી દીધો. તેમને ઈશ્વરના અવતારરૂપે માનવા લાગ્યા; પણ આથી વિરુદ્ધ શ્રમણસંસ્કૃતિના મહાવીર પૂર્ણ પુરુષ અથવા મનુષ્ય જ રહ્યા. તેમને નિત્ય–બુદ્ધ, નિત્ય મુક્તરૂ૫ ઈશ્વર માનવામાં ન આવ્યા, કારણ કે શ્રમણસંસ્કૃતિમાં સર્વ કર્તા ઈશ્વર છે, એવા નિત્ય ઈશ્વરને કેાઈ સ્થાન જ નથી. અવતારવાદને નિષેધ એક સામાન્ય મનુષ્ય જ જ્યારે પોતાના ગુણકર્માનુસાર અવતાર ધારણ કરે છે ત્યારે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈનધર્મચિંતન यदा यदा हि धर्मस्य ग्ला निभवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ ઈશ્વરના અવતારવાદના આ સિદ્ધાન્તને ત્યાં અવકાશ જ નથી રહેતો. સંસાર કોઈ દિવસ સ્વર્ગ થયો નથી અને થશે પણ નહિ; માટે સંસારમાં તે સદાકાળ ધર્મોદ્ધારકની આવશ્યકતા રહેવાની જ. સુધારકો તેમ જ ક્રાંતિના ઝંડાધારીઓ માટે આ સંસારમાં હંમેશાં અવકાશ રહ્યા કરે જ છે. સમકાલીનો તે સુધારક કે ક્રાન્તિકારીને બરાબર ઓળખીને એની એટલી કદર કરી શકતા નથી જેટલી ભાવિ પ્રજાજનો કરી જાણે છે. તે સુધારક કે ક્રાન્તિકારીની છવિતાવસ્થામાં તેમના પણ અનેક વિધીઓ રહે છે. પ્રત્યેક મહાપુરુષોને સમકાલીન પરિસ્થિતિની કુરીતિઓ–બૂરાઈઓ સામે લડવું પડે છે, ક્રાન્તિ કરવી. પડે છે, તેમ જ ન ચીલો પાડી સુધારો પણ કરવો પડે છે. જેઓ જેટલું સુધારકામ કરી શકે છે તેટલું જ તેમનું નામ પ્રસિદ્ધિને પામે છે. શ્રમણ સંસ્કૃતિની એવી માન્યતા છે કે, જે કઈ ત્યાગ અને તપશ્ચર્યાના માર્ગે ચાલી પિતાના આત્મવિકાસની પરાકાષ્ઠાએ પહોંચે છે, તે “પૂર્ણ” બની જાય છે. ભગવાન મહાવીરે પિતાની પૂર્ણતમાં જ કૃતકૃત્યા ન માની પણ તે વખતના સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે પણ તેમણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો. આ માટે તેમણે પોતે તથા તેમના શિષ્યોએ ચારેકોર જનપદવિહાર કરી જનતાને સ્વતંત્રતાનો , સંદેશ સંભળાવ્યો અને અનેકોને આંતર તેમ જ બાહ્ય બંધનોથી મુક્ત કર્યા. પરિસ્થિતિ ભગવાન મહાવીરને કેવી સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. તેને સંક્ષેપમાં અને નિર્દેશ કરવો આવશ્યક છે. બ્રાહ્મણોએ ધાર્મિક અનુષ્ઠાનને એવી રીતે પોતાના હસ્તક કરી રાખ્યાં હતાં, કે જ્યાં સુધી પુરેહિત વચ્ચે પડી સહાયતા ન કરે ત્યાં સુધી મનુષ્ય અને Page #162 -------------------------------------------------------------------------- ________________ ......................... ભગવાન મહાવીર ૧૩૫ દિવો વચ્ચે સીધો સંબંધ સ્થાપિત થઈ શકતો ન હતો. પુરોહિત એક સહાયક રૂપે વચ્ચે પડતા હતા તે તેમાં કાંઈ વાંધો ન હતો, પણ તેમણે તો પોતાના સ્થિર સ્વાર્થોની રક્ષા માટે પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાનેમાં પિતાની મધ્યસ્થતા અનિવાર્ય કરી દીધી હતી. એક બાજુ બ્રાહ્મણ પુરોહિતોએ ધાર્મિક અનુષ્ઠાનમાં એવી જટિલતા પેદા કરી દીધી હતી કે જેથી તેમના વિના કામ જ ચાલી ન શકે, અને બીજી બાજુ તેમણે પિતાના સ્વાર્થની સિદ્ધિ માટે અનુદાન–વિધિવિધાનો વિપુલ સાધનસામગ્રીથી સંપન્ન થાય એવાં બનાવી દીધાં હતાં કે જેને પરિણામે તેમને પુષ્કળ અર્થપ્રાપ્તિ પણ થઈ જાય. આવાં અનુષ્ઠાનોને બ્રાહ્મણ જાતિ સિવાય બીજા કેઈ સંપન્ન કરાવી શકતા ન હતા. આ કારણે બ્રાહ્મણોમાં જાતિઅભિમાનની માત્રા પણ ઘણી વધી જવા પામી હતી. માનવજાતિની સમાનતા અને એકતાના સ્થાને ઊંચનીચ –ભાવનાને આધારે જાતિવાદનું ભૂત ઊભું કરી સમાજના એક અંગ–શકને ધાર્મિક આદિ બધા લાભોથી વંચિત કરી દેવામાં આવ્યો હતો ! ઉચ્ચ કહેવાતી જાતિએ પિતાના ગૌર વર્ણની રક્ષા માટે સ્ત્રીઓની સ્વતંત્રતા ઝૂંટવી લીધી હતી. સ્ત્રીઓને તે વખતે ધાર્મિક અનુષ્ઠાનનું સ્વાતંત્ર્ય ન હતું. તેમને તે માત્ર પોતાના પતિદેવની સહચારિણી રૂપે રહેવા પૂરતું જ ધાર્મિક ક્ષેત્રમાં સ્થાન હતું. ગણરાજ્યના સ્થાને વ્યક્તિગત સ્વાર્થોએ વૈયક્તિક રાજ્ય સ્થાપવાનું કામ શરૂ કરી દીધું હતું અને એ કારણે રાજયમાં પરસ્પર શંકાનું વાતાવરણ ફેલાયેલું હતું. ધર્મક્રાંતિ તે વખતે ધર્મ કે ધાર્મિક અનુષ્ઠાનનો અર્થ એટલો જ થતો હતો કે સંસારમાં જેટલું અને જેવું સુખ મળે છે, તેથી અધિક સુખ આ લેકમાં કે મૃત્યુ બાદ પરલોકમાં પ્રાપ્ત થાય. ધાર્મિક Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈનધર્મચિંતન સાધનામાં યજ્ઞનું સ્થાન મુખ્ય હતું. આ યજ્ઞયાગમાં વેદમંત્રોના પાઠ સાથે અત્યધિક માત્રામાં હિંસા થતી હતી. વેદમંત્રોની ભાષા સંસ્કૃત હોવાને કારણે લોકભાષા પ્રાકૃત આદિને અનાદર થાય એ સ્વાભાવિક હતું. વેદના મંત્રોમાં ઋષિઓએ કાવ્યગાન કરેલ છે. સુખસાધનો પૂરાં પાડનારી પ્રકૃતિને ધન્યવાદ આપવામાં આવેલ છે. ઋષિઓએ અનેક પ્રકારના દેવતાઓની સ્તુતિ કરેલ છે અને પોતાની આશા-નિરાશાઓ વ્યક્ત કરેલ છે. આ જ મંત્રોના આધારે યોની સૃષ્ટિ થયેલ છે. આ કારણે મોક્ષ, નિર્વાણ, આત્યંતિક સુખ કે પુનર્જન્મના ચક્રને કાપી નાખવાની વાતને તેમાં અવકાશ નથી. ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થોની સિદ્ધિની આસપાસ જ ધાર્મિક અનુષ્ઠાનોની સૃષ્ટિ થયેલી હતી. - આ પરિસ્થિતિનો સામનો તો ભગવાન મહાવીરની પહેલાં જ શરૂ થઈ ગયો હતો, જેને આભાસ આપણને આરણ્યક અને પ્રાચીન ઉપનિષદોમાંથી પણ મળી આવે છે. પરંતુ ભગવાન મહાવીરે જે ક્રાંતિ કરી અને તેમાં તેમને જે સફળતા મળી તે અદ્ભુત છે. આ જ કારણે આ મહાપુરુષનું નામ આ જ સુધી લાખો-કરોડો લોકોની જીભ ઉપર રમી રહ્યું છે. સંક્ષિપ્ત ચરિત્ર ભગવાન મહાવીરને જન્મ ક્ષત્રિયકુડપુરમાં (વર્તમાન બસાડ ગામમાં પટનાથી થોડા માઈલ દૂર) થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશના ક્ષત્રિય હતા. તેઓ ઠીક પ્રભાવશાળી વ્યક્તિ હોવા જોઈએ, કારણ કે તેમનાં પત્ની ત્રિશલાદેવી વૈશાલીના અધિપતિ ચેટકની બહેન થતાં હતાં. ચેટકની સાથેના આ સંબંધને કારણે તત્કાલીન મગધ, વત્સ, અવંતી આદિના રાજાઓની સાથે પણ તેમને સ્નેહસંબંધ બંધાય હોય એ સ્વાભાવિક છે; કારણ કે ચેટકની પુત્રીઓનો વિવાહસ બંધ Page #164 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૩૭ એ બધા રાજાએની સાથે થયા હતા. ચેટકની એક પુત્રીનાં લગ્ન ભગવાન મહાવીરના મોટાભાઈ ન ંદિવર્ધન સાથે પણ થયાં હતાં. સંભવ છે કે આ સંબંધને કારણે પણ ભગવાન મહાવીરને પેાતાના ધર્મપ્રચારના કાર્યોંમાં કેટલીક સગવડ અને સફળતા પ્રાપ્ત થઈ હાય. માતાપિતાએ ભગવાન મહાવીરનું મૂળ નામ વભાન રાખ્યું હતુ; કારણ કે તેમના જન્મ સમયે તેમની સંપત્તિમાં વૃદ્ધિ થઈ હતી. પરંતુ આ જ સંપત્તિની નિઃસારતાથી પ્રેરિત થઈ તેમણે ત્યાગ અને તપશ્ચર્યામય જીવનના કઠિન માગ સ્વીકાર કર્યાં. તેમની ધાર —અત્યુત્કટ સાધનાને કારણે તેએ મહાવીર પદને પામ્યા અને એ જ નામે પ્રસિદ્ધ થયા. વમાન નામને લેકે ભૂલી ગયા. તે ખરી શાંતિ તેમ જ સુખ વૈભવેાના ભેગમાં નહિ પણ ત્યાગમાં જ સમજતા. આખરે ૩૦ વર્ષની યુવાવસ્થામાં જ તે અધાયને પરિત્યાગ કરી ત્યાગી બની ગયા. ૩૦ વર્ષ સુધી તેમણે જે ગૃહવાસ સ્વીકાર્યાં હતા તેનું મુખ્ય કારણ પણ પેાતાનાં માતાપિતા તેમ જ મેટાભાઇની ઇચ્છાને માન આપતા પૂરતું જ હતું. સંસારમાં રહેવા છતાં તેમનું મન સાંસારિક પદાર્થોમાં આસક્ત ન •હતું. અંતિમ વર્ષોંમાં તે તેમણે પોતાની પાસે જે કાંઇ હતુ ં તે બધું દીન—હીન લેાકેાને આપી દીધું હતુ અને પેાતે અકિંચન બની ઘર-બાર છેાડી ચાલી નીકળ્યા હતા. તપશ્ચર્યાનું રહસ્ય ભગવાન પાર્શ્વનાથે તે વખતની તામસિક તપશ્ચર્યાને વિરાધ કરી આત્મશેાધનને ——અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહને-સરળ માર્ગ બતાવ્યા હતે. વૃક્ષ ઉપર લટકવું, પંચાગ્નિ વચ્ચે તપવુ, લોઢાના કાંટા ઉપર સૂવુ' ઇત્યાદિ તામસિક તપસ્યાએને સ્થાને તેમણે ધ્યાન, ધારણા, સમાધિ અને ઉપવાસ–અનશન આદિ સાત્વિક તૈપશ્ચર્યાના પ્રચાર કર્યાં હતા. વર્ધમાન કુમારે પણ આત્મશુદ્ધિ માટે Page #165 -------------------------------------------------------------------------- ________________ -- ૧૩૮ - જૈનધર્મચિંતન આ જ સાત્વિક ઉપાય વડે અને પોતાની ઉત્કટ અને સતત અપ્રમત્ત સાધનના બળે આત્મશુદ્ધિ કરી સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું હતું. 'ભગવાન બુદ્ધ તપશ્ચર્યાને કાયલેશ બતાવી આત્મશુદ્ધિમાં અનુનપયોગી બતાવી છે. તેમણે પોતે લાંબા કાળ સુધી ઉત્કટ તપસ્યાઓ કરી, પણ બોધિલાભ પ્રાપ્ત કરવામાં સફળ ન થયા. આનું કારણ તપશ્ચર્યા દ્વારા આત્મશુદ્ધિ થતી નથી કે તપશ્ચર્યા એક સદુપાય નથી એમ નથી; પરંતુ વાત એમ છે કે તપશ્ચર્યાની અમુક મર્યાદા હોય. છે અને તે એ કે, જ્યાં સુધી આત્મિક શાંતિ જળવાઈ રહે, સમાધિમાં વિન–બાધા ન પડે, ત્યાં સુધી જ તપશ્ચર્યા શ્રેયસ્કર નીવડે છે. જે તપસ્યાઓ દ્વારા સમાધિમાં બાધા પડે તે અમર્યાદિત તપસ્યાઓ નિષ્ફળ થાય છે. ભગવાન બુદ્ધે પોતાની શકિતનો ખ્યાલ રાખ્યા વિના એવી ઉત્કટ તપસ્યાઓ કરી કે જેથી તેમની સમાધિમાં જ ભંગ થઈ ગયો. એટલા માટે તેમને તપશ્ચર્યા નિષ્ફળ જાય તો એમાં કઈ આશ્ચર્યની વાત નથી. પણ, આથી વિરુદ્ધ, ભગવાન મહાવીરે તપશ્ચર્યા કરવાની સાથે હમેશાં પોતાની શરીરશક્તિને પૂરેપૂરો ખ્યાલ રાખે. પોતાની શક્તિ બહારની અમર્યાદિત તપસ્યાઓ તેમણે કરીનહિ. એ જ કારણ છે કે જે તપાસ્યાને બુદ્ધ નિષ્ફળ બતાવી તે જ તપશ્ચર્યાના બળે ભગવાન મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ . છતાં ભગવાન બુદ્દે પણ પોતાના ઉપદેશમાં કેટલીક તપશ્ચર્યાઓનું વિધાન કર્યું છે. સંયમમાગ ભગવાન મહાવીરની તપશ્ચર્યાની સફળતાનું રહસ્ય સંયમમાં છે રહેલું છે “કઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારની પીડા ન આપવી, બધાં સો પ્રત્યે મૈત્રી રાખવી, પિતાના જીવનમાં જે કોઈ વિનિબાધાઓ ઊભી થાય તે બધીને કોઈ બીજાની સહાયતા લીધા વિના Page #166 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૩૯ સમભાવપૂર્વક સહન કરવી” એ તેમની પ્રતિજ્ઞા હતી. આ કઠોર પ્રતિજ્ઞાને તેમણે એક વીર પુરુષની માફક પાળી બતાવી. એ કારણે તેઓ મહાવીર પદને પામ્યા. સંયમની સાધના કરવા માટે પોતાની પ્રવૃત્તિઓને સકુચિત કરવી આવશ્યક છે. કારણ કે મનુષ્ય ઈચ્છે તે પણ તે એકલે બધા જીવોના સુખ માટે પ્રયત્ન કરી શકતો નથી. પિતાની આસપાસના સમસ્ત જીવોને પણ તે બહુ જ મુશ્કેલીથી સુખી કરી શકે છે. તો પછી સંસારના બધા જીવોને સુખી કરવાની જવાબદારી તે એકલો. કેવી રીતે લઈ શકે ? પરંતુ એનો અર્થ એ નથી કે મનુષ્ય તે માટે કાંઈ જ ન કરવું. જગતના જીવોનું સુખ અને કલ્યાણ કરવાની ભધિનવાળા મનુષ્ય પોતાની મૈત્રીભાવનાનો વિસ્તાર કરવો જ જોઈએ; અને પિતાના શારીરિક વ્યવહારને, પોતાની આવશ્યકતાઓને એટલાં બધાં ઓછાં કરી દેવાં જોઈએ કે જેથી બીજાઓને જરા પણ કષ્ટ ન થાય. જે અનિવાર્ય હોય તેટલાં જ વ્યવહાર કે પ્રવૃત્તિ કરવાં જોઈએ. પોતાની પ્રવૃત્તિને-અનિવાર્ય પ્રવૃત્તિને–પણુ અપ્રમાદપૂર્વક કરવી જોઈએ. આનું નામ જ સંયમ છે અને તે જ નિવૃત્તિમાર્ગ છે. ભગવાનની સાધના ભગવાન મહાવીરે અપ્રમત્ત ભાવે આ સંયમમાર્ગનું અવલંબન લીધું. આત્માને શુદ્ધ કરવા માટે, વિજ્ઞાન, સુખ અને શક્તિથી પરિપૂર્ણ કરવા માટે તેમ જ દોષાવરણને દૂર કરવા માટે તેમણે જે ઘર પરાક્રમ કર્યું છે તેનું વર્ણન આચારાંગના અતિ પ્રાચીન અંશ. પ્રથમ શ્રુતસ્કંધમાં કરવામાં આવેલ છે. તેને વાંચતાં જ એમની દીર્ધતપસ્વી તરીકેની સાધનાનો સચોટ ખ્યાલ આવે છે. એ ચરિત્રવર્ણન.. માં એવી કઈ દિવ્ય વાતનો ઉલ્લેખ નથી, એવો કઈ ચમત્કાર ચિત્રિત નથી, જે અપ્રતીતિકાર હોય અથવા અંશતઃ અસત્ય કે અસભવિત માલૂમ પડે. ત્યાં તેમનું શુદ્ધ માનવીચરિત્ર વર્ણિત છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈનધર્મચિંતન અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ પ્રસ્થાન કરનાર એક અપરાજિત અપ્રમત્ત સંયમી-પુરુષનું ચરિત્ર ત્યાં વર્ણિત છે. આ ચરિત્રની જેનધર્મના આચરણના વિધિનિષેધોની સાથે તુલના કરવાથી એ સ્પષ્ટ જણાય છે કે, ભગવાન મહાવીરે પોતે જે પ્રકારની સંયમ સાધના કરેલ છે તે જ સાધનાને ભાગે બીજાઓને લઈ જવાને તેમણે ઉપદેશ અને પ્રયત્ન કરેલ છે. ગૃહત્યાગ કર્યા બાદ તેમણે કઈ દિવસ વસ્ત્રનો સ્વીકાર કર્યો નથી. એ કારણે કઠોર શીત, ગરમી, ડાંસ-મચ્છર અને નાના શુદ્ધ જતુજન્ય પરિતાપ કે પરિષહ આવી પડ્યા તે બધા સમભાવપૂર્વક તેમણે સહન કર્યા. તેમણે કોઈ ઘરને પિતાનું ન બનાવ્યું. સ્મશાન અને અરણ્ય, ખંડેરે અને વૃક્ષછાયા એ જ તેમનાં આશ્રયસ્થાને હતાં. નગ્ન હોવાને કારણે ચપળ બાળકો ભગવાનને પોતાના ખેલનું સાધન બનાવી તેમની ઉપર પથ્થર અને કાંકરાએ ફેકતા, છતાં એમની સંયમસાધનામાં વિક્ષેપ ન થયો. રાત્રે નિદ્રાને ત્યાગ કરી તેઓ ધ્યાનસ્થ રહેતા અને નિદ્રાથી બચવા માટે ડું ચક્રમણ કરી લેતા. કેઈ કઈ વાર પહેરેદારે તેમને ખૂબ હેરાન કરતા. ગરમ પાણી કે ભિક્ષાચર્યામાં જે કાંઈ મળતું તેનાથી કામ ચલાવી લેતા; પરંતુ કઈ દિવસ પિતાના નિમિત્તે બનાવેલા અન્ન-પાણીનો સ્વીકાર ન કરતા. બાર વર્ષની કઠોર તપશ્ચર્યામાં, પરંપરાનુસાર, તેમણે કુલ ૩૫૦ દિનથી અધિક ભોજન જ કર્યું ન હતું. આ જિતેન્દ્રિય મહાપુરુષે માન-અપમાનને તો સમભાવપૂર્વક સહેવામાં જ પિતાનું હિત જોયું હતું. તેઓ એટલા બધા સંયમી અને મર્યાદાના જાણકાર હતા કે તેમને ઔષધના પ્રયોગની આવશ્યકતા જ પડી નહિ. અનાર્ય દેશમાં તેમણે વિહાર કર્યો ત્યારે ત્યાંના અજ્ઞાની લેકેએ તેમના તરફ કૂતરાંએને દેડાવ્યાં, પરંતુ તે દીર્ઘતપસ્વી દુઃખોની જરા પણ પરવા ન કરતાં પોતાના ધ્યાનમાં જ અટલપણે મગ્ન રહ્યા. આ પ્રમાણે પિતાના કષાયોને જીતવા માટે, પિતાના દોષનેં Page #168 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૪૧ નિષ્ફળ કરવા માટે સાડાબાર વર્ષ પર્યંત દી તપશ્ચર્યાંનું અનુષ્ઠાન કરી દીધ તપસ્વી ભગવાન મહાવીર ૪૨ વર્ષની ઉમરે વીતરાગતાને પામી જિન બન્યા અને તત્ત્વને સાક્ષાત્કાર કરી સંબુદ્ધ કેવલી થયા; તેમ જ લેાકેાને હિતાપદેશ આપી તીય કર્ બન્યા. ઉપદેશ તીર્થંકર અન્યા બાદ સર્વ પ્રથમ અગિયાર બ્રાહ્મણ પતિ તેમના શિષ્ય અને ગણધર થયા. તે પડિતે વેદના લૌકિક અ તથા તેના સ્વાધ્યાયમાં નિપુણ હતા; પરંતુ તત્ત્વા સબંધમાં તેમને દરેકને જુદી જુદી શંકાએ હતી. ભગવાન મહાવીરે તેને જ્યારે એવા નવા આધ્યાત્મિક અર્થ બતાવી તેમની શકાઓના ખુલાસા કર્યાં ત્યારે પારમાર્થિક ધર્માંનું ખરું સ્વરૂપ પણ તેમના જાણવામાં આવી ગયું. ખરે। યજ્ઞ કયા છે? યજ્ઞકુંડ કયા છે? સમિધ કેાને કહેવાય છે? આહુતિ કોને આપવામાં આવે છે? સ્નાન કેવી રીતે કરવું. જોઈએ ? વગેરે બાબતેનું અભૂતપૂર્વ આધ્યાત્મિક સ્પષ્ટીકરણ જ્યારે ભગવાને કર્યું, વેદમાં સ્પષ્ટ દેખાતા વિરેાધા તથા તેમાં પેદા થતી શંકાઓનું ભગવાને જ્યારે નિરસન કર્યું, ત્યારે વેદનિષ્ણાત આ બ્રાહ્મણુ *પડતાએ ભગવાનમાં એક નવી જ પ્રતિભા અને પ્રજ્ઞાનું દાન કર્યુ. તે એમના શિષ્યા બની ગયા. જૈન શાસ્ત્રા કે જૈનધર્મીમાં વેદવેદાંગનુ પ્રામાણિક પુસ્તકરૂપે કાઈ સ્થાન નથી, ધાર્મિક પુરુષાની આધ્યાત્મિક ભૂખને સતાષવા માટે વેદ-વેદાંગ સાધનભૂત નથી. પરંતુ ભગવાન મહાવીરના ધમ્મપદેશાનું જે સંકલન, ‘ ગણધર ’ નામે એળખતા એ બ્રાહ્મણ પડિત શિષ્યાએ કયું તે ઉપદેશ-સ`કલન જ • સાધનરૂપ છે. આ સન જૈનાગમના નામથી પ્રસિદ્ધ છે. વેદ-વેદાંગને જૈનધમ'માં એકાંત મિથ્યા બતાવવામાં આવ્યાં નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ પુરુષ અર્થાત્ જૈનધર્માંના રહસ્યનું જેમણે રસપાન કરેલ છે અને જેએ તેમાં તન્મય થઈ ગયા છે એવા સમ્યગ્દષ્ટિ પુરુષા. માટે તે સમ્યક્ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈનધમ ચિતન શ્રુત જ છે. જેઓએ ધમનું ખરું સ્વરૂપ જાણ્યું કે એળખ્યું નથી તેવા મેધ ( ભવાબિનદી) પુરુષા માટે એ વેદ-વેદાંગે। મિથ્યારૂપે જ પરિણમે છે. સમભાવના ઉપદેશ જે બ્રાહ્મણેાને પેાતાની જાતિનું, પેાતાની સંસ્કૃત ભાષાનું તથા પેાતાની વિદ્વત્તાનું જે અભિમાન હતું, તેમનું તે અભિમાન ભગવાનની પ્રતિભા તેમ જ પ્રજ્ઞા આગળ આગળી ગયું. તેઓ ભગવાનના સમભાવના સંદેશને લેાકભાષા પ્રાકૃતમાં પ્રચાર કરવા લાગ્યા. જે શૂદ્રોને તે પહેલાં ધાર્મિક અધિકારાથી ચિત સમજતા હતા તેમને શિક્ષા—દીક્ષા આપી, શ્રમણુસંધમાં સ્થાન આપી, ગુરુપદના પણ અધિકારી બનાવ્યા; એટલું જ નહિ પણ, રિકેશી જેવા ચાંડાલ મુનિને એટલી ઉન્નત ભૂમિકા ઉપર લઈ જવામાં તેએ સહાયક થયા કે જેથી તે ચાંડાલ મુનિ પણ બ્રાહ્મણોના ગુરુ બની શકયા. એક સમયની વાત છે કે, તે ચાંડાલ મુનિ યજ્ઞવાટિકામાં ભિક્ષાર્થે જઈ ચડ્યા. તિરસ્કાર, અપમાન, ધુત્કાર તથા દંડ-પ્રહારને સમભાવપૂર્વક સહન કરવા છતાં જ્યારે તેમણે એ યાજ્ઞિક બ્રાહ્મણાને અહિંસક યજ્ઞનું રહસ્ય સમજાવ્યું ત્યારે તે બ્રાહ્મણેા પશ્ચાત્તાપાભિમુખ થઈ ચાંડાલ ઋષિની ક્ષમા માગવા લાગ્યા અને તપામાની પ્રશ ંસા અને જાતિવાદના અવર્ણવાદ કરીને તેમના અનુયાયી બની ગયા ! ભગવાન મહાવીરે, તીર્થંકર બન્યા છતાં, પાતાના અનિયત વાસના નિયમ ચાલુ રાખ્યા. તેઓ તથા તેમના શિષ્યા ભારતવર્ષની ચારે બાજુ પાવિહાર કરી અહિંસાના સંદેશને પ્રચાર કરવા લાગ્યા. ભગવાન મહાવીરને આદેશ હતા કે લેકેાને શાંતિ, વૈરાગ્ય, ઉપશમ, નિર્વાણુ, શૌચ', ઋજુતા, નિરભિમાનતા, અપરિગ્રહ તથા અહિંસા આદિના ઉપદેશ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ખ્યાલમાં રાખી આપવામાં આવે. આ જ કલ્યાણકારી ધમ છે. લેાકેાને સુખ અને Page #170 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૪૩ શાંતિ, વિજ્ઞાન અને શક્તિ આવા જ ધમાગે ચાલવાથી મળી શકે છે. હિંસા અને ધર્મને તે! પારસ્પરિક વિરાધ છે-એનું સચોટ ભાન એમણે લેાકેાને કરાવ્યું : એ જ તેમના ઉપદેશનેા સાર કહી શકાય. જૈન સંઘ ભગવાન મહાવીરના મગળ ધર્મના ઉપદેશ સાંભળી વીરાંગક, વીરયશ, સંજય, એયક, સેય, શિવ, ઉદયન અને શંખ-—આ આઠે સમકાલીન રાજાએ એ પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી અને અભયકુમાર, મેઘકુમાર આદિ અનેક રાજકુમારેએ પણ ધરબારને ત્યાગ કરી વ્રતાને અંગીકાર કર્યાં હતાં. સ્કંધક પ્રમુખ અનેક તાપસેાએ તપશ્ર્ચર્યાંનું ખરું રહસ્ય સમજી ભગવાનનું શિષ્યપદ સ્વીકાર્યું હતું. અનેક એ પણુ, સંસારની અસારતા સમજી, તેમના શ્રમણીસ ધમાં સ ંમિલિત થઈ હતી. આ શ્રમણીસંધમાં અનેક રાજકુમારીએ પણુ હતી. તેમના ગૃહસ્થ અનુયાયીએમાં મગધપતિ શ્રેણિક અને કાણિક, વૈશાલિપતિ ચેટક, અન્તિપતિ ચડપ્રદ્યોત આદિ મુખ્ય હતા. આનંદ આદિ વૈશ્ય શ્રમણોપાસકા સિવાય શકડાલપુત્ર જેવા કુ ંભકાર પણ ઉપાસકસંધમાં ભળ્યા હતા. અર્જુનમાળી જેવા દુષ્ટમાં દુષ્ટ લૂંટારા પણ તેમની પાસે વૈરને ત્યાગ કરી, શાંતિ-રસનું પાન કરી, ક્ષમા ધારણ કરી દીક્ષિત થયા હતા. ો તેમ જ અતિદ્રોને પણ તેમના સંધમાં માનભર્યું સ્થાન હતું . તેમનો સંધ રાઢ દેશ, મગધ, વિદેહ, કાશી, કેાશલ, શૂરસેન, વત્સ, અવન્તી આદિ દેશેામાં ફેલાયેલા હતા. તેમના વિહારને ક્ષેત્રવિસ્તાર મુખ્યતઃ મગધ, વિદેહ, કાશી, કાશલ, રાઢ દેશ અને વત્સ દેશ સુધી વિસ્તર્યાં હતા. તીથ કર થયા બાદ ૩૦ વર્ષ પર્યંત સતત જનપવિહાર કરી, ભગવાન મહાવીરે આદિમાં કલ્યાણ, મધ્યમાં કલ્યાણ અને અંતમાં કલ્યાણુ એવા મંગલમય અહિંસક ધર્મના ઉપદેશ આપી ઇહજીવન Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈનધમ ચિતન લીલા સમાપ્ત કરી ૭૨ વર્ષની ઉ ંમરે એક્ષલાભ કર્યાં. લાકેાએ દીપકે પ્રગટાવી તેમને વિદાય આપી; ત્યારથી દીપાવલી પર્વ ઊજવાય છે, એવી પરંપરા છે. ચરિત્રની વિશેષતા તે વખતે ધાર્મિક સમજોમાં નાનામેટા અનેક ધર્મપ્રવર્તકે વિચરતા હતા. પણ તેએમાં ભગવાન મહાવીરને પ્રભાવ અભૂતપૂર્વ હતા. એમના શ્રમણસધાએ બ્રાહ્મણ ધમાંથી હિંસાનું નામનિશાન ભૂંસી નાખવા માટે અતિ ઉગ્ર પ્રયત્ન કર્યાં હતા. આનું પરિણામ એ આવ્યું કે ધના નામે થતી હિ ંસાનું તે નિર્મૂલન જ થઈ ગયું. જે યજ્ઞોની પૂર્ણાહુતિ પશુવધ કર્યાં વિના થઈ શકતી ન હતી, એવા યજ્ઞો તે ભારતવર્ષોંમાંથી પ્રાયઃ અદશ્ય થઈ ગયા છે. પુષ્યમિત્ર જેવા કટ્ટર હિંદુ રાજાએએ તે નામશેષ યજ્ઞોને પુનર્જીવિત કરવાને પ્રયત્ન કરી જોયા, પણ તેને પણ શ્રમણસ ધેાના અપ્રતિહત પ્રભાવ તેમ જ તેમના ત્યાગ અને તપશ્ચર્યાના શુભ પરિણામને કારણે તે હિંસક યજ્ઞોનું પુનર્જીવન લાંબા સમય સુધી ટકાવી રાખવામાં સફળતા મળી નહિ. કવાદ ભગવાન મહાવીરે તેા મનુષ્યનું ભાગ્ય, ઇશ્વર અને દેવાના હાથમાંથી ઝૂંટવી લઈ, મનુષ્યના પેાતાના હાથમાં સોંપી દીધું છે. દેવની પૂજા-ભક્તિ કરવાથી કે તેમને પશુબલિ દ્વારા તૃપ્ત કરવાથી કોઈ સુખની પ્રાપ્તિ થશે એમ કાઈ માનતું હેાય તે। તેવાઓને ચેતવણી આપતાં ભગવાન મહાવીરે સ્પષ્ટ જ કહી દીધું છે કે હિંસાથી તે પ્રતિહિ ંસાને જ ઉત્તેજન મળે છે, લેાકેામાં પરસ્પર શત્રુતા -વૈવિરાધ વધે છે અને પરિણામે સુખની આશા જ નિરાશામાં પૂરિણમે છે. જો સાચું સુખ ચાહતા હૈ। તે। સર્વ જીવે સાથે મૈત્રી આંધ્રા, પ્રેમ કરેા; અને બધાં પ્રાણી ઉપર કરુણા રાખો. આ પ્રેમમાગે જ સાચા સુખની પ્રાપ્તિ થઈ શકશે. બાકી તમને સુખ Page #172 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૪પ –દુઃખ આપી શકવાનું સામર્થ ઈશ્વર કે દેવામાં નથી. તમારા કર્મો જ તમને સુખી કે દુઃખી બનાવે છે. સારું કામ કરે તો સારું ફળ પામ અને ખરાબ કર્મ કરે તે ખરાબ ફળ ભોગવવા માટે તૈયાર રહો. જીવ જ ઈશ્વર છે અને ઈશ્વર કે દેવ, એ તે તમે પોતે જ છે. તમારામાં અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત સુખ છુપાયેલાં છે. તેને આવિર્ભાવ કરી તમે જ ઈશ્વરરૂપ બની શકે છે. પછી તમારામાં અને મારામાં તત્વતઃ કઈ ભેદ જ રહેતો નથી. આપણે બધા ઈશ્વર છીએ. ભક્તિ કે પૂજા કરવી જ છે તે પોતાના આત્માની કરો. અંતરાત્માને રાગ અને દ્વેષ, મેહ અને માયા, તૃષ્ણ અને ભયથી મુક્ત કરો—એથી વિશેષ કોઈ પૂજા, કોઈ ભક્તિ શ્રેષ્ઠ હોઈ શકે નહિ. જે બ્રાહ્મણોને તમે મધ્યસ્થ બનાવી દેવાનું આહ્વાહન કરે છે, તેઓ તો અર્થશૂન્ય માત્ર વેદપાઠ જ કરી જાણે છે. ખરે બ્રાહ્મણ કેવો હોય છે તે હું તમને બતાવું છું – ખરે બ્રાહ્મણ - જે પિતાની સંપત્તિમાં આસક્ત નથી; ઈષ્ટવિયેગમાં શેકાકુલ થતું નથી, તપ્ત સુવર્ણની માફક નિર્મળ છે; રાગદ્વેષ અને ભયથી રહિત છે; તપસ્વી અને ત્યાગી છે; બધા જીવો પ્રત્યે સમભાવ રાખે છે અને તેથી કઈ પણ જીવની હિંસા કરતો નથી; ક્રોધ, લેભ, હાસ્ય કે ભયને કારણે અસત્ય બોલતો નથી; ચેરી કરતો નથી; મન, વચન અને કાયાને સંયમમાં રાખે છે; બ્રહ્મચર્ય પાળે છે અને નિષ્પરિગ્રહી છે–તે જ ખરો બ્રાહ્મણ છે. આવા સુચરિત બ્રાહ્મણના સાંનિધ્યમાં રહી પોતાના આત્માનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરી આત્મસાક્ષાત્કાર કરે. આ જ ભક્તિ છે, પૂજા છે અને સ્તુતિ છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈનધર્મચિંતન ખરે યજ્ઞ ખરા યજ્ઞનું સ્વરૂપ પણ ભગવાને બતાવ્યું કે જીવહિંસાને ત્યાગ, અસત્ય, ચેરી અને અસંયમને ત્યાગ, સ્ત્રી, માન અને માયાનો ત્યાગ, આ જીવનની આકાંક્ષાને ત્યાગ, શરીરના મમત્વને પણ ત્યાગ –આ પ્રમાણે દરેક પ્રકારની બૂરાઈઓનો જે પરિત્યાગ કરે છે તે જ ખરો મહાયાજ (મોટા યજ્ઞો કરનાર) છે. યજ્ઞયાગમાં સર્વભક્ષી અગ્નિનું કાંઈ પ્રયોજન નથી; જરૂર હોય તે તપશ્ચર્યારૂપી તેજસ્વી અગ્નિને પ્રગટાવવાની છે. પૃથ્વીને ખેદીને કુંડ બનાવવાની કેઈ આવશ્યકતા નથી. -જીવાત્મા જ અગ્નિકુંડ છે. લાકડાની બનેલી કડછીની પણ કોઈ જરૂર નથી. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ જ કડછીનું કામ આપશે. ઈશ્વન બાળવાની પણ શી જરૂર છે? પિતાનાં કર્મોને–પિતાના પાપકર્મોને–જ બાળી દે. આવો સંયમરૂપ યજ્ઞ જ શાન્તિદાયી અને ઋષિઓ દ્વારા પ્રશંસનીય હોવાથી ખરે યજ્ઞ છે. શૌચ તે વખતે બહારની શુદ્ધિ-સફાઈનું અને તેના સાધન તીર્થ જલનું એટલું બધું મહત્વ વધી ગયું હતું કે કોઈક તીર્થસ્થાને જળસ્નાન કરવા માત્રથી લોકે પિતાને પરમપવિત્ર થયેલ સમજતા હતા. ખરી રીતે આ બાહ્ય શૌચથી અંતઃશુદ્ધિ થતી નથી. સાચું શૌચ કેવું હોવું જોઈએ એનું સ્પષ્ટીકરણ પણ ભગવાને કરી દીધું કે – ધર્મ એ ખરું જળાશય છે, અને બ્રહ્મચર્ય જ શાંતિદાયક તીર્થ છે. આ તીર્થસ્થાને જલસ્નાન કરવાથી આત્મા નિર્મળ અને શાંત થાય છે. ભગવાને તે કેવળ જલસ્તાન દ્વારા પવિત્રતા થવાની વાતને નિરર્થક બતાવતાં સ્પષ્ટ જ કહ્યું છે કે, સવાર-સાંજ સ્નાન કરવાથી જ જે મોક્ષ-લાભ થતો હોય તે જલચરને સૌથી પહેલાં અને શીઘ મોક્ષ મળવો જોઈએ. Page #174 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર સુખની નવી કલ્પના ખરી વાત તે એ છે કે, યજ્ઞયાગ, પૂજા-પાઠ આદિ બધાં ધાર્મિક કહેવાતાં અનુષ્ઠાનેાનું પ્રયાજન સાંસારિક વૈભવેાની વૃદ્ધિ કરવી એમ સામાન્યતઃ લેાકેા સમજતા હતા. કામજન્ય સુખ ઉપરાંત આત્મિક સુખના અસ્તિત્વની અને તેની ઉપાદેયતાની કલ્પના તે વખતના આરણ્યક ઋષિઓમાં પ્રચલિત હતી; પરંતુ તે આરણ્યક ઋષિએને અવાજ સાધારણ જનતાના કાન સુધી પહોંચી શકો ન હતા. આત્મિક સુખની કલ્પના એક ધાર્મિ`ક ગૂઢ રહસ્યરૂપ હતી. આ કલ્પનાના અધિકારી અમુક તપસ્વી ઋષિએ જ હતા, પરંતુ ભગવાન મહાવીરને તે ધાર્મિક ગૂઢ રહસ્યને જનતાની સમક્ષ પ્રગટ કરી દેવું યેગ્ય લાગ્યું. એટલે તેમણે તે ધર્માંતત્ત્વને ગુફામાં બંધ કરી ન રાખતાં તેને વિશ્વમાં પ્રચાર કર્યાં. ભગવાન મહાવીરે તે! સ્પષ્ટ જ કહી દીધું છે કે સાંસારિક સુખ કે કામજન્ય સુખ, એ વાસ્તવમાં સુખ નથી, પણ દુ:ખ છે. જેનું પવસાન દુ:ખમાં થાય તેને સુખ જ કેમ કહી શકાય? કામની વિરક્તિમાં જે સુખ મળે છે, તે સ્થાયી હેાવાથી ઉપાદેય છે. પ્રત્યેક કામભેગ વિષરૂપ છે, શલ્યરૂપ છે. ઇચ્છા આકાશની માફ્ક અને ત હોવાથી તેની પૂર્તિ કરવી સંભવિત નથી. લેાભી મનુષ્યને ગમે તેટલું મળે, અરે! સમસ્ત સંસાર પણ તેને આધીન કરી દેવામાં આવે, તેપણ તેની તૃષ્ણાનેા છેડે આવવાના નથી. એટલા માટે અકિચનતામાં જે સુખ છે તે કામબાગાની પ્રાપ્તિમાં નથી. ૧૪૭ જ્યારે સુખની આ નવી કલ્પના જ ભગવાન મહાવીરે જનસમાજ સમક્ષ રજૂ કરી ત્યારે ક્ષણિક સુખનાં સાધનભૂત ગણાતાં ચજ્ઞયાગ। તથા પૂજા-પાઠોનું ધાર્મિ†ક અનુષ્ઠાનેામાં કોઈ સ્થાન જ રહેવા ન પામ્યું. તેના સ્થાને ધ્યાન, સ્વાધ્યાય, અનશન, રસરિ ત્યાગ, વિનય, સેવા—આ ભિન્નભિન્ન પ્રકારની તપશ્ચર્યાએનેા ધાર્મિક અનુષ્ઠાના રૂપે પ્રચાર થાય એ સ્વાભાવિક હતું, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વૈશ્યધ ભગવાન મહાવીરે વૈશ્યાને અર્થાત્ વ્યાપારીઓને એવે ઉપદેશ આપ્યા કે, તમે લેાકેા તમારા વૈભવાને ગમે તે પ્રકારે વધારા એ સારું નથી. વળી, વૈભવ ન્યાયસ પન્ન હેાવા જોઈ એ એટલું જ બસ નથી, પરંતુ તેનું પરિમાણુ—તેની મર્યાદા–પણ નિયત કરવી જોઈએ; અને પ્રતિદિન એવી ભાવના કરવી જોઈએ કે, તે દિવસ ધન્ય બનશે કે જે દિવસ હું સČસ્વને ત્યાગ કરી નિગ્રંથ બની જઈશ. જૈનધમ ચિતન હું વધારે કમાઈશ તે વધારે દાન કરીશ એટલા માટે કાઈ ખરા કે ખોટા ઉપાયનું અવલંબન લઈ ધનદોલત એકઠી કરવી એમાં કાંઈ ખાટુ નથી.આ પ્રકારની દલીલ સાચી નથી, પરંતુ પેાતાના આત્માને પતનાન્મુખ બનાવનારી જ છે. ભગવાને દાનના મહિમા ઘણા બતાવ્યા છે, પરંતુ એના અથ એ નથી કે દાન કરતાં ચઢિયાતી બીજી કોઈ ચીજ સંસારમાં છે જ નહિ. ભગવાને તે સ્પષ્ટ કહ્યું છે કે, જે પ્રતિમાસ લાખેા ગાયાનું દાન કરે છે તેના કરતાં કાંઈ પણ નહિ આપનાર અકિંચન પુરુષને સયમ અધિક શ્રેયસ્કર છે; એટલા માટે ધનદોલતને, પેાતાની મર્યાદામાં રહીને, ન્યાયસંપન્ન માગે મેળવવાં અને અ ંતે સર્વસ્વને ત્યાગ કરી અકિંચન બની જવું એ જ ભગવાનના માગ છે. શૂધમ ભગવાને શૂદ્રોને લક્ષીને એવા ઉપદેશ આપ્યા છે કે, તમારે જન્મ ભલે શૂદ્ર કુળમાં થયા, પરંતુ તમે પણ સારાં કર્મોં કરે તે આ જ જન્મમાં દ્વિજ—બધાનાં પૂજ્ય બની શકે છે. નીચ કહેવાતા કૂળમાં જન્મ ધારણ કરવા એ કાંઈ સયમપાલનમાં બાધક નથી. ક્ષત્રિયધમ પારકા માલને પેાતાને કરી પારસ્પરિક ઈર્ષ્યા, દ્વેષ અને રાત્રુતા વધારી એકખીજા સાથે કલેશ-કંકાસ કરવા એ પ્રાયઃ ક્ષત્રિય લેાકાનું Page #176 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૧૪૯ કાર્ય હેય, એમ વ્યવહારમાં જોવાય છે. ભગવાન પણ ક્ષત્રિય હતા. એટલા માટે તેમણે જે ક્ષત્રિયધર્મ–સંસારમાં સ્થાયી શાંતિની પ્રતિષ્ઠા કરનાર ક્ષાત્રધર્મ–શીખડાવ્યો છે તેને અત્રે નિર્દોષ કરવો આવશ્યક છે. . ભગવાને ક્ષાત્રધર્મ સમજાવતાં કહ્યું છે કે, યુદ્ધમાં લાખ જીવોની હત્યા કરી જે કોઈ પિતાને વિજયી સમજતો હોય તો તે અંધારામાં છે. મનુષ્ય ભલે બહારના બધા શત્રુઓને જીતી લે, પરંતુ પોતાની જાતને જીતવી એ જ બહુ મુશ્કેલીનું કામ છે. જ્યાં સુધી પિતાના આત્મા ઉપર વિજય પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી બધાં યુદ્ધોની જડ કાયમ રહે છે, તેનું યુદ્ધ કઈ દિવસ બંધ થઈ શકતું નથી; વૈર પ્રતિવૈરની પરંપરા ચાલુ જ રહે છે. આત્માને જીતવાનો શો અર્થ છે?—પિતાની પાંચે ઈદ્રિયને વશ કરી જિતેન્દ્રિય બનવું, ક્રોધને ક્ષમા દ્વારા પરાજિત કરો, માનને નમ્રતા દ્વારા પરાજિત કરવું, માયાને સરળતા દ્વારા જીતવી અને લેભને સંતોષ દ્વારા દબાવી દેવો તથા દુર્જન વાનરપ્રકૃતિવાળા મનને પિતાના વશમાં કરી લેવું, એ જ ખરો આત્મવિજ્ય છે. આવા આત્મવિજયમાં જ્યારે વિશ્વ તન્મય –મસ્ત બનશે, ત્યારે જ સ્થાયી શાંતિની પ્રતિષ્ઠા થઈ શકશે; નહિ તો પછી એક યુદ્ધને દબાવી નવા યુદ્ધના બીજને વાવવા જેવું જ બનશે. વીરાની વીરતા સુખશીલતાના ત્યાગમાં અને કામનાઓને શાંત કરી અનાસક્તભાવે રહેવામાં જ રહેલી છે. નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી વૈભવ વધારવાનું પરાક્રમ કરવું એ તો કેવળ બંધનને જ હેતુ છે. અહિંસક માગ ભગવાન મહાવીરનો આ ઉપદેશ આમ તો સીધો સરલ જણાય છે, પરંતુ તેને જીવનમાં ઉતારો તેટલું જ મુશ્કેલ છે. એ જ કારણ છે કે વારંવાર થતાં ભયંકર યુદ્ધોનાં દુષ્પરિણામો જોવા છતાં લેકે યુદ્ધ છેડી શકતા નથી, અને અહિંસાના માર્ગને અપનાવવાને બદલે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈનધર્મચિંતન બધા ઝઘડાઓને શાંત કરવાનું સાધન હજી યુદ્ધને જ માનતા અને સમજતા રહ્યા છે ! પરંતુ કેઈએક દિવસ એ અવશ્ય આવવાને છે કે જે દિવસે જનસમુદાયે આ હિંસક યુદ્ધનાં સાધનોને છોડી દઈ ભગવાને બતાવેલા ઉક્ત અહિંસક માર્ગનું અવલંબન અવશ્ય કરવું જ પડશે; નહિ તે છેવટે એટમબેબ અને તેથી પણ અધિક વિધાતક શસ્ત્રાસ્ત્રોથી પિતાના નાશ માટે તૈયાર રહેવું પડશે. અહિંસક યુદ્ધમાં જેટલું જલદી વિશ્વાસ પેદા થશે તેટલો જ જલદી આ માનવસમુદાયનો ઉદ્ધાર થવાનો છે.૧ મૂળ હિન્દી ઉપરથી ] –જૈન સંસ્કૃતિ સંશાધન મંડળની પત્રિકા ૮ ૧. મૂળ હિંદી લખાણનો શ્રી શાંતિલાલ વનમાળી શેઠે કરેલ ગુજરાતી અનુવાદ “જૈન સિદ્ધાંત ” માસિકના નવેમ્બર, ૧૯૪૭ અંકમાં છપાયો. હતો. ત્યાંથી સાભાર ઉદ્દત. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જીવનકથાના ત્રણ સ્તરે • ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરનાં જીવનચરિતોને વિચાર કરીએ તો જણાશે કે તે અનેક સ્તરોમાંથી પસાર થયાં છે. જૈનેમાં સૂત્રાગમ અને બૌદ્ધોમાં પિટક–આ પ્રાચીન શાસ્ત્રોમાં બંનેની કથાને ઝોક એક છે, તે જૈન ટીકાગ્રંથ અને ચરિતગ્રંથો અને બૌદ્ધોમાં અઢકથા અને મહાયાની બુદ્ધચરિતોમાં કથાને વળાંક જરા જુદો જ છે. અહીં એ વિષે જરા વિસ્તારથી વિચાર કરીએ. પ્રથમ સ્તર જૈન આગમ સૂત્ર અને પિટક્યાં બંને મહાપુરુષનું જે જીવન ફુટ થાય છે તે એ છે કે એક માનવે કરેલ આધ્યાત્મિક વિકાસ, યાતનાઓમાંથી પસાર થયા પછી, તેની ચરમ સીમાએ કેવી રીતે પહેચે છે. તેમાં માનવમાંથી અતિમાનવનું સર્જન કેવી રીતે થયું તે સામાન્ય માનવી પણ સમજી શકે છે, અને સહેજે પ્રેરણું પણ મેળવી શકે છે. પરંતુ સુબદ્ધ સંપ્રદાયના નાયક તરીકે સ્વીકારાઈ ગયા પછી બંને મહાપુરૂનાં જીવનચરિતની કથા તે પછીના કાળમાં જરા બદલાઈ જાય છે. મૂળ સૂત્ર અને પિટકમાં જે વર્ણન છે તે સમકાલીન ગણી શકાય તેવું છે અને એમ સહેજે કહી શકાય કે તેમાં કવિ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જૈનધમ ચિંતન કલ્પનાને બહુ જ એ અવકાશ મળ્યા છે. પણ પછીના ચરિતગ્રન્થાને કાળ જેમ ભુલાઈ ગયા, તેમ લેખકની કલ્પના પણ મંદલાઈ ગઈ અને ચરિતગ્રન્થામાં સાંપ્રદાયિક પુટને વધારે અવકારા મળ્યા. પ્રથમ અને પછીના સ્તરામાં જેવા મૌલિક એક મુરિતમાં જણાય છે, તેવા ભેદ મહાવીરચિરતમાં નથી. તેનું કારણ એ છે કે તીથંકર વિષેની મૌલિક માન્યતામાં જૈન સંપ્રદાયેામાં નવે ભેદ પરચો છે; જ્યારે યુદ્ધ વિષેની માન્યતામાં તે। મૌલિક પરિવન થઈ ગયું છે. આથી પિટકગત બુદ્ધ અને મહાયાની મુદ્દે એક જ છતાં કથાવનની દૃષ્ટિમાં પણ મૌલિક ભેદ પડી ગયા છે. જૈન-બૌદ્ધની જૂની અને મૌલિક માન્યતા એવી છે કે સંસારચક્રમાં પડેલ માનવી તેના કાઈ પૂર્વજન્મમાં સકલ પ્રાણીને હિતકારી થવાની ભાવના ભાવે છે, તે પ્રમાણે આચરણ કરે છે અને પેાતાના આત્માને ઉન્નત કરતેા કરતા અંતિમ માનવભવમાં તીથંકર કે બુ અને છે. સામાન્ય માનવી અને એમનામાં જે કાંઈ ભેદ હોય છે તે આત્માના સંસ્કારને હાય છે અને એથી તેઓ આધ્યાત્મિક ક્ષેત્રે નેતા અને છે. આવા સ્વાભાવિક ભેદ વિના બીજો કશે ભેદ ખીજા સામાન્ય માનવીમાં અને તીથંકર કે યુદ્ધમાં હેતે નથી. સારાંશ એ છે કે એ બંને પ્રારંભથી એટલે કે અનાદિ કાળથી સંપૂર્ણ શુદ્ધ-બુદ્ધ હાતા નથી, પણ ક્રમે કરી શુદ્ધ થાય છે અને તીર્થંકર અથવા યુદ્ધપદને પામે છે. પ્રાચીન રિતા, જેમાં ભગવાન મહાવીર અને બુદ્ધનાં ચરતાનું વર્ણન છે, તે આ ભૂમિકા સ્વીકારીને થયેલું છે. એથી બંને મહાપુરુષોને આત્માને ઉન્નત બનાવવા માટે સÖસામાન્ય પ્રયાસ કરવા જરૂરી થઈ પડે છે. આથી બંનેનાં જીવનમાં ગૃહત્યાગ, સંન્યાસ અને તપશ્ચર્યાનું વર્ણન આવે છે. ભગવાન મહાવીરને તપશ્ચર્યાનામામાં સન્મા` દેખાય છે, જ્યારે બુદ્ધને તે મા, અમુક અનુભવ પછી, Page #180 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર ૧૫૩ છેડવા જેવા લાગે છે. પણ તે તે તે બન્નેની પ્રકૃતિના વૈવિધ્યને કારણે બન્યું હોવું જોઈ એ. પણ સામાન્ય માનવી પોતાની ધારણાથી કે ખીજા પાસેથી જાણીને જેમ માર્ગાવલંબી બને છે અને સારાસારને વિવેક ગ્રહણ કરી આગળ વધે છે તે જ રીતે એ અને મહાપુરુષા આગળ વધ્યા છે તેવી છાપ પ્રાચીન ચરિત્ર આપે છે. બીજા સ્તર પણ જ્યારે એ અને મહાપુરુષાની જીવનકથાના ખીજા સ્તરમાં ——એટલે કે સમકાલીન નહિ પણ પછીના કાળમાં સંપ્રદાય સુખદ થયા પછી કથાનું આલેખન થાય છે, ત્યારે એ બંનેની કથામાં કેટલાંક અલૌકિક તત્ત્વા દાખલ થાય છે અને પૂર્વજન્મની કથાઓને વિસ્તાર વધી જાય છે. ભગવાન મહાવીરની જીવનકથા ભગવાન ઋષભથી પણ પહેલાંના કાળના મહાવીરના ભવની વાતથી શરૂ થાય છે અને તીથંકર થવાની ચેાગ્યતા કેવી રીતે પ્રાપ્ત થઈ તે વર્ણન એ કથામાં આવે છે. ઋષભદેવના પૌત્ર તરીકે એટલે કે તીર્થંકરના પૌત્ર, વળી ભાવીમાં ચક્રવતી અને તીથંકર થવાની આગાહી સાંભળી મનમાં ગ—આવી આવી અનેક જીવનઘટનાએ ચરિતમાં ગૂથી લઈને ભગવાન મહાવીરના અંતિમ ભવમાં જે કેટલીક ઘટનાઓ ઘટે છે, તેના કબંધ અને તેના ફળના નિયમને અનુસરીને, ખુલાસે કરવા પ્રયત્ન કર્યાં છે : આમાં મુખ્ય ઉદ્દેશ ભગવાન મહાવીરના મૌલિક સિદ્ધાંત કનિયમની સમજ, ભગવાન મહાવીરના ચરિત દ્વારા, આપવાને છે. કમ ના નિયમ એ સકલ જીવને શ્વરની અધીનતામાંથી છેડાવી સ્વાધીન કરે છે. -ભગવાન મહાવીરના આ મૌલિક સિદ્ધાંતની આસપાસ તેમની જીવનકથાનું નવીન ધડતર લેખકેાએ કર્યુ છે. અને હવે સોંપ્રદાય સુસ્થિર થયા હાઈ તેના નેતા એ સામાન્ય માનવી નહીં, પણ વિશિષ્ટ હતા તે બતાવવા માટે ટાણે-કટાણે જીવન Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈનધર્મચિંતન કથામાં દેવોને ભગવાનના સેવકે અને પૂજકો તરીકે ચીતર્યા છે. આનો ઉદ્દેશ પણ એ જ છે કે ભગવાન મહાવીરનો તૃષ્ણત્યાગને જે મૂળ આધ્યાત્મિક સંદેશ હતો, તે પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવું અને બતાવી આપવું કે જે દેને માન બાહ્ય સંપત્તિ અર્થે પૂજે છે, તે તો આ ભગવાન મહાવીર, જે આત્મિકની સંપત્તિનું વિતરણ કરે છે, તેમને દાસ છે; તે બાહ્ય અને આમિક એ બને પ્રકારની સંપત્તિઓમાં આત્મિક સંપત્તિ જ ચડિયાતી કરે છે. એથી પૂજવા હોય તે તીર્થકરને જ પૂજવા, જેની પૂજા આ લોકમાં પૂજાતા દેવ પણ કરે છે. ભગવાન બુદ્ધની જીવનકથા આ બીજા સ્તરમાં જાતકપ્રધાન બની ગઈ છે. એટલે કે તે કાળમાં લોકજીવનમાં સત્કૃત્યોનો મહિમા દર્શાવતી જે કાંઈ કથાઓ પ્રચલિત હતી તે સૌને યથાયોગ્ય વિનિયોગ કરીને ભગવાન બુદ્ધના પૂર્વભવ સાથે_બોધિસત્વના જીવન સાથે–સાંકળી લેવામાં આવી છે. ભગવાન બુદ્ધ બુદ્ધ બનતાં પહેલાં દાન, કરુણા. મૈત્રી, ક્ષમા, સહનશીલતા, પ્રજ્ઞા આદિ ગુણોને ક્રમે કરી કેવી રીતે વિકસાવ્યા અને અંતે બુદ્ધ કેવી રીતે થયા એ બતાવી આપવાનો એ જીવનકથાને ઉદ્દેશ છે. ભગવાન મહાવીરની કથાની જેમ આમાં પણુ દેવેનું આગમન, એ જ ઉદેશને સ્વીકારી વર્ણવવામાં આવ્યું છે. બીજી રીતે વિચારીએ તો, ભગવાન મહાવીર અને બુદ્ધની આ બીજા સ્તરની જીવનકથા એકબીજાની પૂર્તિરૂપ બની ગઈ છે. કર્મને નિયમ અચળ છે, એ બન્નેમાં નિર્દિષ્ટ હોવા છતાં મહાવીરકથામાં તે નિયમને ઉઠાવ આપવામાં આવ્યો છે અને આત્મવિકાસના ક્રમમાં જે જે આવશ્યક ગુણે હોય તેનો વિકાસ કેવી રીતે કરવો તેનો ઉઠાવ બુદ્ધસ્થામાં છે. બન્નેમાં એ સામાન્ય તત્વ તો છે જ કે ક્રમે કરી વિકસિત થઈને જ આત્મા તીર્થંકર યા બુદ્ધ બને છે, તે અનાદિ કાળથી સ્વયંસિદ્ધ નથી હોતા. Page #182 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર ૧૫૫ ત્રીજે સ્તર ત્રીજા સ્તરમાં મહાવીરસ્થાનું નિર્માણ પ્રાચીન પ્રાકૃત ભાષાને છેડીને સંસ્કૃતમાં થવા લાગ્યું. આથી સંસ્કૃત સાહિત્યની કવિકલ્પનાએને આશ્રય લઈ તેમનું જીવન વર્ણવાયું. આ ત્રીજા સ્તરમાં આ એક ભેદ જણાય છે, જેને તાવિક રીતે ભેદ લેખી શકાય નહીં. વળી, તે કાળના મહાપુરુષોની બીજી કથાઓમાંની–જેવી કે કૃષ્ણરામની કથાઓમાંની –કેટલીક ઘટનાઓનું સામ્ય પણ મહાવીરકથામાં દેખાય તે સ્વાભાવિક છે. એમ કહી શકાય કે તે કાળના બીજા કાવ્યાત્મક ચરિતગ્રન્થની હોડમાં પણ આ કાળની ચરિતકથા ઊતરી શકે એવી છે. આથી પ્રાકૃત કથામાં નહીં એવી કેટલીક અસામાન્ય ઘટનાઓ પણ ચરિતમાં દાખલ થાય એ સ્વાભાવિક છે. વળી, શ્વેતામ્બર અને દિગંબર મહાવીરચરિતમાં પણ જે કેટલેક ભેદ પડી ગયો હતો. તે પણ આ કાળમાં સ્પષ્ટ થાય છે, જેમ કે ભગવાન મહાવીર પરણ્યા હતા કે નહીં, તીર્થકર આહાર કરતા હતા કે નહીં આદિ. આ બધું છતાં એક વાત સ્પષ્ટ જ રહી છે કે જૈન સંપ્રદાયની જે મૌલિક ભાવના છે કે આત્મા ક્રમે કરીને જ ઉન્નતિના શિખરે પહોંચે છે, એમાં જરાય ભેદ પડ્યો નથી. એ સિદ્ધાંત કાયમ રાખીને જ તેમના જીવનમાં અલૌકિક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ બૌદ્ધોના સંપ્રદાયભેદને કારણે બુદ્ધના ચરિત્રમાં પણ મૌલિક ભેદ પડી ગયું છે. હીનયાનમાં બુદ્ધને માનવ ચીતરવામાં આવે છે, પણ મહાયાનમાં તે માનવ નથી રહેતા, પણ નિત્યસિદ્ધ એવા બુદ્ધના અવતારરૂપ બની જાય છે; આથી તેમની જીવનકથામાં લીલાનું તત્ત્વ દાખલ થાય છે. ઈશ્વરના અવતારરૂપ કૃષ્ણ કે રામ સામાન્ય મનુષ્યની જેમ વર્તે છે તે તેમની લીલા ગણાય છે, તેમ બુદ્ધચરિતમાં પણ વારે વારે કહેવામાં આવે છે કે ભગવાન પણ લોકાનભવન ખાતર જ ભણવા જાય છે, પરણે છે, અને બીજા બધાં સાંસારિક કાર્યો કરે છે. ભણવા વિષે મહાવીરકથામાં પણ એમ જ Page #183 -------------------------------------------------------------------------- ________________ -૧પ૬ જૈનધર્મચિંતન કહેવામાં આવ્યું છે કે તેમને ભણવાની જરૂર ન હતી, કારણ, તેમને એ વખતે વિશિષ્ટ જ્ઞાન હતું; પણ સાથે સાથે એ પણ ખરું કે બાલકાળમાં તેઓ ઈશ્વર કે સર્વજ્ઞ ન હતા. આને આપણે અતિશયઋદ્ધિ માનીએ; પણ બુદ્ધચરિતમાં તે સ્પષ્ટ કર્યું છે કે તેઓ તો સંસારકાળમાં પણ સર્વજ્ઞ જ હતા. વળી, એથી પણ આગળ વધીને, બુદ્ધ કૃષ્ણની જેમ ૮૪ હજાર પત્નીઓને રીઝવે છે તે પણ કાનુ-ભવનની લીલા જ છે. આવી તો કેટલીય ઘટનાઓ વિષે બુદ્ધચરિતમાં નિર્દેશ મળે છે. બુદ્ધની પત્નીનું નામ પાલિમાં યશોદા છે, તે સંસ્કૃતમાં ગોપા છે; તે કૃષ્ણની ગેપીઓની યાદ આપે છે. વળી, એ ગોપા રાધાની જેમ સર્વ પત્નીઓમાં પ્રધાન પણ છે. વળી, બુદ્ધ અને ગેપ એ બન્ને જાણે કે પ્રારંભથી સર્વગુણસંપન્ન જ હોય પણ લીલા ખાતર સંસાર ચલાવતાં હોય, તેમ તેમને ચીતરવામાં આવ્યાં છે. આવી આવી અનેક ઘટનાઓ છે, જે આપણુને સ્પષ્ટ બતાવી આપે છે કે આ કઈ માનવનું ચરિત નથી, પણ અવતારી પુરુષનું ચરિત છે. હીનયાનને આદર્શ હતો કે બુદ્ધ સ્વયં પિતાનું આયુ પૂરું થાય એટલે નિર્વાણને પામે છે. આથી વિરુદ્ધ, મહાયાનનો આદર્શ એ છે કે બધિસત્વને નિર્વાણુ હોય નહીં; તે તો જ્યાં સુધી સંસારમાં એક પણ જીવ બંધનાબદ્ધ છે, ત્યાં સુધી મુક્તિલાભ વાંછતા જ નથી. મહાયાનની આ ભાવનાને લીધે પણ આ ત્રીજા સ્તરની બુદ્ધકથામાં ભેદ પડી ગયો છે. બનેની સમાનતા - (૧) વૈદિક પરંપરાને વિરોધ ભગવાન મહાવીર અને બુદ્ધ એક જ સમયે થયા અને બન્નેએ એક જ પરિસ્થિતિનો સામનો સમાન ભાવે કર્યો. બન્નેએ વેદપરપરાને વિરોધ કર્યો, વૈદિક દેવની મહત્તા ઘટાડી અને ભારતીય ધર્મોને Page #184 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર ૧૫૭એક જુદું જ વલણ આપ્યું. આરાધ્ય દેવ વિષેની કલ્પના બદલવામાં બન્નેનું પ્રદાન નેંધપાત્ર છે. માનવસુલભ ક્રોધ, પક્ષપાત, રાગદ્વેષ આદિ. દૂષણે વૈદિક આરાધ્ય દેવામાં હતાં, તેને સ્થાને તેવાં દૂષણોથી રહિત હોય તે જ આરાધ્ય દેવ બને છે એવી ભવ્ય કલ્પના દેવ વિષે બનેએ આપી. : ભારતીય સમાજમાં તત્કાળે ઘર કરી ગયેલી ઊંચ-નીચપણની ભાવનાનો નિરાસ કરી માનવસમાજની એકતાની ભાવના પ્રસારવાને યશ તે બન્નેને ફાળે જાય છે. ધાર્મિક ક્ષેત્રે પુરોહિતાઈ ચાલતી હતી એટલે ત્યાં એક રીતે દલાલીની ભાવના પેસી ગઈ હતી. તેને દૂર કરી. ધર્માચરણમાં મધ્યસ્થીની સદંતર અનાવશ્યકતાને નિર્દોષ બનેએ સમાનભાવે કર્યો અને ધર્મદલાલીને દૂર કરી. માનવની એકતા અને સમાનતાને પરિણામે ગુરુપદ, જે માત્ર બ્રાહ્મણો જ પામી શકતા, તેને સ્થાને ગુણવાન વ્યક્તિ—પછી ભલેને તે જન્મે ચંડાલ હોય ગુરુપદને યોગ્ય બને છે એમ જાહેર કર્યું; એટલું જ નહીં પણ પોતાના ભિક્ષુકસંધમાં તથાકથિત શદ્રોને પણ ઉચ્ચ સ્થાન આપ્યું. આધ્યાત્મિક સાધનામાં સ્ત્રી-પુરુષને ભેદ ખતમ કરીને બન્નેને સાધના કરવાને સમાન હક્ક આપે. બન્નેએ આધ્યાત્મિક સંપત્તિને મહત્ત્વ આપ્યું અને ભૌતિક સંપત્તિને તુચ્છ ગણી. બન્નેએ સંસ્કૃતને બદલે લેકભાષાને મહત્વ આપ્યું. આવી ઘણું સમાનતાને કારણે તેમ જ તેમના સંબંધીઓના નામસામ્યને કારણે એક સમય એવો હતો જ્યારે બન્નેનું વ્યક્તિત્વ એક જ મનાયું હતું. પણ વિદ્વાનોને જેમ જેમ જૈન-બૌદ્ધ શાસ્ત્રો ઉપલબ્ધ થતાં ગયાં અને એનું અધ્યયન થતું ગયું તેમ તેમ એ ભ્રમ ભાંગી ગયો અને હવે તે બન્ને મહાપુરુષોને એકમતે સૌ વિદ્વાન જુદા જ માનતા થયા છે. (૨) બન્નેના ઉપદેશનું સામ્ય ' (૧) કર્મ-પુનર્જન્મ-કર્મ અને પુનર્જન્મને સિદ્ધાંત બને માને છે, એટલું જ નહીં પણ, તે સિદ્ધાંતને તેના ખરા સ્વરૂપમાં તેમણે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈનધમ ચિતન રજૂ કર્યાં છે. એટલે કે ઈશ્વરની દખલગીરી વિના કમના નિયમ સ્વતઃસિદ્ધ છે. કકુળ દેવામાં ક્રમની જ શક્તિ છે, ઈશ્વરની નહીંઆમ સ્પષ્ટપણે ઉપદેશીને બન્નેએ કમને આધારે સ સારચક્ર અને સૃષ્ટિના ક્રમને સ્વીકારીને પ્રાણીમાત્રને તેમના પેાતાના ભાગ્યના સ્રષ્ટા બનાવી દીધા છે. પેાતાનું ભવિષ્ય બગાડવું કે સુધારવું એ ખીજાના હાથમાં નહીં, ઈશ્વરના હાથમાં પણ નહીં, પરંતુ પ્રાણીના પેાતાના હાથમાં છે આવી સ્પષ્ટ ચેષણા બન્નેએ સમાનભાવે કરી છે. - (૨) ઈશ્વરનું નિરાકરણ-સ્વયં તીથંકર મહાવીર કે મુદ્દ એ બન્ને ઉપદેશ આપી શકે છે, આદશ ઉપસ્થિત કરી શકે છે, મેાક્ષના માર્ગ ચીંધી શકે છે, પણ તેમની કૃપા વડે કાઈ મેાક્ષ પામી શકતું નથી, તેમને બન્નેને કાઈને પણ પસંદ કરીને મેક્ષે પહોંચાડવાનો અધિકાર નથી. જેણે મેાક્ષ મેળવવા હાય તેણે માગામી બનવું પડે છે, એટલે ખરી રીતે તે મા દશક છે. (૩) યોગમાર્ગમનથી સ્વર્ગપ્રાપ્તિના ધ્યેયને બદલે બન્ને એ સમાનભાવે યાગ-સમાધિના મા` દ્વારા મેાક્ષની પ્રાપ્તિ બતાવી છે. યજ્ઞમાં પહિંસા જેવી સાધનસામગ્રીની જરૂર પડતી, તેને સ્થાને બન્નેએ આધ્યાત્મિક યજ્ઞને પ્રચાર કર્યાં. એ યજ્ઞમાં કશી જ બાહ્ય સામગ્રીની જરૂર નથી; અલકે ખાદ્ય સામગ્રીના ત્યાગનેા જ ઉપદેશ છે. આત્મામાં રહેલા લેશે અને દોષોને દૂર કરવા ધ્યાન ધરવું અને આત્માને નિળ કરવા પ્રયત્ન કરવા–એ જ સંક્ષેપમાં યેાગમા છે. એ માટે એકાંતવાસ, અપરિગ્રહી જીવન અને આત્મ નિરીક્ષણની ટેવ—એટલું હાય તાપણુ બસ છે. (૪) સંયમી જીવન—રામ અને કૃષ્ણના જીવનમાં સન્યાસની વાત નથી. એટલે કે તે સંસારને અસાર સમજીને ભરયુવાનવયે સંસારત્યાગના મહત્ત્વને સ્વીકારતા નથી; એટલું જ નહી પણ, પેાતાના જીવનમાં સન્યાસના એ પ્રકારના માને અપનાવતા Page #186 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર ૧૫૮ પણું નથી. તેથી ઊલટું, આ બન્ને મહાપુરુષો–ભગવાન મહાવીર અને બુદ્ધ-સમાનભાવે સંસારને ત્યાજ્ય સમજે છે અને જ્યારે પણ વૈરાગ્ય પ્રગટે ત્યારે સંસારને છોડી જવામાં માને છે; અને પોતાના જીવનમાં ભરયુવાન વયે પત્નીને છોડીને સંયમી જીવન સ્વીકારે છે. આમ કરી તેઓ સંસારી જીવો માટે એક નવો જ આદર્શ ઉપસ્થિત કરે છે અને તે છે સંયમને. ભોગને માર્ગ સંસારમાં સામાન્ય છે, પણ જન્મીને જે માટે પ્રયત્ન કરવો પડે છે તે સંયમમાર્ગ છે. જીવન ભોગ માટે નથી પણ ત્યાગ માટે છે, અને તેની પ્રતીતિ કરાવવા પોતે ત્યાગમાર્ગનો અંગીકાર કરી આત્યંતિક રીતે ભેગવિમુખ થવાનો પ્રયત્ન કરી મોક્ષ મેળવે છે. બન્ને સંયમી જીવન સ્વીકારે છે, છતાં પણ બન્નેના સંયમમાર્ગમાં એક તફાવત સ્પષ્ટ છેઃ ભગવાન મહાવીર આકરા નિયમનમાં માને છે અને બુદ્ધ મધ્યમ માર્ગે ચાલનારા છે. આથી બન્નેના સંઘમાં પણ સંયમના ક્ષેત્રમાં ઉત્કટ માર્ગ અને મધ્યમ માર્ગ અપનાવાય છે. (૫) તૃષ્ણ અને અજ્ઞાનનો ત્યાગ–બન્ને સમાનભાવે ઘષણ કરે છે કે જીવનમાં જે વિપર્યા છે તે અજ્ઞાનને કારણે છે. જે આત્મા નથી તેને આત્મા માની જીવો વિવેક ગુમાવી બેસે છે ' અને તૃષ્ણમાં પડે છે. અને એ તૃષ્ણવલ્લીમાંથી સમગ્ર સંસારની જાળ ઊભી થાય છે, મમત્વ અને રાગ-દ્વેષનાં જાળાં ગૂંથાય છે, અને સંસારચક્ર ફર્યા કરે છે. આ વિષચક્રના ભેદનનો એક જ ઉપાય છે કે, અજ્ઞાનને દૂર કરી વિવેકી બનવું. આથી તૃષ્ણ પર કુઠારાઘાત થશે અને સમગ્ર સંસારનું મૂળ કપાઈ જશે. આમ આટલે સુધી બન્ને એકમાગી છે, પણ પછી અજ્ઞાન દૂર થઈ જે જાણવાનું છે તેમાં બન્નેનું દર્શન જુદું છે. બુદ્ધનું દર્શન ક્ષણિકવાદમાં પરિણમ્યું, જ્યારે મહાવીરનું દર્શન અનેકાંતવાદમાં. જોકે એ ભૂલવું ન જોઈએ કે ભગવાન બુદ્ધને સર્વ વસ્તુની ક્ષણિકતા ઉપર ભાર હોવા છતાં તેઓ ચાર્વાકની જેમ સર્વથા વિચ્છેદ માનતા નહીં. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈનધર્મચિંતન અને વેદાંત કે ઉપનિષદોની જેમ સર્વથા ફૂટસ્થનિત્યતા પણ એ સ્વીકારતા નહીં. આથી તેમના દર્શનને અશાશ્વતાનુછેદવાદ કહી શકાય. તેથી વિરુદ્ધ ભગવાન મહાવીર નિત્યાનિત્યવાદ અથવા શાશ્વતવિચ્છેદવાદમાં માનતા હતા. આમાં જે ભેદ છે તે વિધિ અને નિષેધન છે. ભગવાન બુદ્ધ શાશ્વત કે વિચ્છેદની વિધિમાં માનતા નહીં; જ્યારે મહાવીર તેમાં માનતા. આથી આગળ જઈ બન્નેનાં દર્શનમાં પણ જુદાઈ ઊભી થઈ. પણ બન્નેને સમાનભાવે કર્મ—પુનર્જન્મની વ્યવસ્થા માન્ય છે. આત્માને બુદ્ધના મતે અશાશ્વતાનુચ્છિન્ન માનવામાં આવે કે મહાવીરને મતે શાશ્વત-વિચ્છિન્ન માનવામાં આવે, પણ કર્મ અને તેનું ફળ અને સંસાર અને મોક્ષ અને પુનર્જન્મની વ્યવસ્થા તે બન્નેએ માની જ છે. આથી તાત્ત્વિક રીતે સૂક્ષ્મભેદ ભલે હોય, પણ બન્નેની આત્મા વિષેની મૌલિક માન્યતામાં ભેદ નથી, એટલે કે આ બંધનબદ્ધ આત્માએ પ્રયત્ન કરીને મુક્ત થવાનું છે અને પુનર્જન્મના ચક્રને કર્મને નાશ કરી ભેદવાનું છે– આમાં તે બન્નેનું ઐકમત્ય છે. (૬) તપસ્યા–ભગવાન મહાવીર અને બુદ્ધ બનેએ આન્તર અને બાહ્ય તપસ્યા પિતાના જીવનમાં આચરી છે એ હકીક્ત છે, પણ બુદ્ધને છેવટે બાહ્ય તપસ્યાનો ઉત્કટ ભાર્ગ છેડવો પડ્યો છે એ પણ હકીકત છે. આમ કેમ બન્યું એ વિષે વિશેષ વિચાર કરે જરૂરી છે. બન્નેની જીવનકથાઓનો વિચાર કરતાં એક વાત તે સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરની બાહ્ય તપસ્યા આંતરિક તપસ્યાના ઉત્કર્ષ માટે હતી. તેઓ લાંબા લાંબા ઉપવાસ કરતા હતા, પણ તેની પાછળ મુખ્ય ઉદ્દેશ ધ્યાન અને સમાધિનો હત; એટલે કે ધ્યાન અને સમાધિમાં અનુકૂળતા રહે તે ખાતર તેઓ લાંબા ઉપવાસ પર ઊતરતા અને ધ્યાનમાં પ્રતિકૂળતા અનુભવાતી ત્યારે પારણું કરતા હતા. આ હકીકત તેમની જીવનકથાથી સ્પષ્ટ થાય છે. પારણું કરવાની ઇચ્છા છતાં ભિક્ષા ન મળે તે કારણે ઉપવાસ Page #188 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર ૧૧ અનિવાય થાય એ જુદી વાત છે; આપણે તેમની કથામાં જોઈ એ છીએ કે ભિક્ષા લેવા નીકળ્યા છતાં ન મળી તેા ઉપવાસ કર્યાં. અમુક અભિપ્રહ। ધરી ભિક્ષા માગવી એ પણ એક તપસ્યાના જ પ્રકાર છે અને શરીર ઉપરની મમતા એછી કરવા માટેની એ સાધના છે. પણું શરીરને આવશ્યક હાય તે આપવું તે વિષે તેમની પેાતાની મેદરકારી નથી. માગવા છતાં મળે તે તેને અસતે।ષ અગર રાષ પણ નહીં, પણ મળે તે નિમમ ભાવે સ્વીકારતા. ઉપરાંત, શરીરે નગ્ન રહી શીતેાતાના જે કંઈ અનુભવ થાય તે સહુવા, દેશ–મશકના ઉપદ્રવેાથી ગભરાવું નહિ, સમભાવે સહનું— મહાવીરની બાહ્ય તપસ્યા કહા કે કાયકલેશ કહે તે આ પ્રકારનાં હતાં. સારાંશ કે જે કાંઈ કાયાક્લેશ હતા તે યાગ-સમાધિમાં ઉપકારક રૂપે હતા, સમાધિના અંગ તરીકે હતા. બન્ને તપસ્યા-આંતર અને ખાદ્ય-સાથે જ ચાલતી હતી, ભાર આંતર ઉપર હતા અને એથી તેમણે વીતરાગતા અને સનતા પ્રાપ્ત કરી. બુદ્ધના જીવનમાં તે ધ્યાનનું મહત્ત્વ દીક્ષા પહેલાં પણ જણાય છે. આથી તે તેમના પિતાને, એ માથી એમને વિમુખ કરવા માટે, રાગ–ર્ગની વ્યવસ્થા કરવી પડી અને અનેક સ્ત્રીઓના સંગગાઠવગેા પડયો. પણ એ જીવ તા ધ્યાનમાગી અને વિરાગમાગી હતેા. આથી એણે સન્યાસ લીધા. સંન્યાસી થઈને ખુદ્ધ પ્રથમ કેવળ ધ્યાનમાર્ગનું જ અવલંબન લે છે. એક ગુરુ પાસેથી એ વિદ્યાની જેટલી ઉન્નતિ થઈ શકતી હતી તેટલી સાધીને ખીજા ગુરુ પાસે જાય છે. ત્યાં પણ ધ્યાનમાગે જ આગળ વધે છે. આમાં શારીરિક ફ્લેશ એટલે કે ઉપવાસ આદિ વિષે કશું જ કહેવામાં આવ્યું નથી. જેટલે વખત ધ્યાન કરવું હોય તેટલા વખત શરીર સ્થિર રાખવાનું કષ્ટ તે સ્વીકારવું અનિવાય હાય જ, પણ એમાં આહાર છેડવાની વાત નથી. જ્યારે આ બન્ને ગુરુના ધ્યાનમાના અનુસરણ પછી પણ, યુદ્ધને એમ લાગ્યું કે હજી જે જાણવાનું છે, જે એધિ પ્રાપ્ત કર્ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જૈનધર્મચિંતન વાની છે, તે તો પ્રાપ્ત થતી નથી, ત્યારે એ ધ્યાનમાર્ગ છેડીને બીજા ગુરુની તલાશ કરે છે અને ક્રમે કરી નિરાહારી બને છે, એમ તેમની જીવનકથામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. તેમણે અનશનના - ઉપવાસના માર્ગમાં એટલી બધી ઉત્કટ તપસ્યા કરી કે તેમને જેનાર પારખી શકતા નહીં, કે આ કોઈ જીવિત વ્યક્તિ છે. તેઓ શબ કે હાડપિંજર જેવા થઈ ગયા. તેમની આ તપસ્યા ધ્યાનવિહીન તપસ્યા હતી એ પણ ફલિત થાય છે. એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમને “ઉપદેષ્ટાઓએ કહ્યું, કે આ કાયલેશને માર્ગ એ જ ખરે મુક્તિનો માર્ગ છે. એટલે તેઓ ધ્યાનમાર્ગ છોડીને આ કાયલેશને માગે સંચર્યા. પણ આથી તો કેવળ શરીર સુકાયું અને આત્મામાં બધિનું જાગરણ થયું નહીં ! આથી અંતે હારીને તેમણે આ કાયક્લેશનો ભાગ છેડ્યો અને ફરી પાછો ધ્યાનમાર્ગ અપનાવ્યું અને સ્પષ્ટ કહ્યું કે આ કાયક્લેશને માર્ગ એ મુકિતને માર્ગ નથી. આટલા વિવરણથી સ્પષ્ટ છે કે ભગવાન બુદ્ધે આંતર, બાહ્ય, આંતર–એમ ક્રમે કરી તપસ્યા કરી, તેના પરિણામરૂપે તેમને કાયફલેશ વિષે કડવો અનુભવ છે. કાયલેશની એક મર્યાદા છે, એટલે કે તે માત્ર આંતર તપસ્યાના સાધનરૂપ છે; તેને બદલે મુક્તિના એકમાત્ર સાધનરૂપે કાયફલેશને માનીને બુદ્ધે તેનું આચરણ કર્યું. આથી તેમને તેમાં નિષ્ફળતા મળે તે સ્વાભાવિક જ છે. પણ જો ભગવાન મહાવીરની જેમ બુદ્દે પણ કાયક્લેશને મુક્તિના સાક્ષાત્ કારણરૂપે નહીં પણ આંતર તપસ્યાના–ધ્યાનરૂપ તપસ્યાના-સાધનરૂપે માન્યું હત તે જે પ્રકારની નિરાશા તેમણે અનુભવી તે પ્રકારની અનુભવવી ન પડત. આમ બુદ્ધ તપસ્યાનો માર્ગ એ મુક્તિ માર્ગ નથી એમ જે કહ્યું તે પણ એક રીતે તે સાચું જ છે, કારણ, તેમની તપસ્યામાં માત્ર કાયકલેશને સ્થાન હતું. પણ મહાવીરનો અનુભવ આથી જુદો જ હતો. આથી તેઓ કાયાક્લેશને પણ એક ગૌણ સાધન તરીકે સ્વીકારી શક્યા. પરિણામે ભગવાન મહાવીરે પિતાના ઉપદેશ Page #190 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર માં કાયક્લેશને પણુ ક્રાયક્લેશની નિન્દા કરી છે. ૧૬૩ સારૂં એવું મહત્ત્વ આપ્યું છે, જ્યારે મુદ્દે કારણે સંધમાં સમય ' એવા આ બાબતમાં બુદ્ધના મધ્યમ માર્ગોને તાએ બહુ જલદી પ્રવેશ કર્યો. અને એક જ્યારે બૌદ્ધધર્મના ભારતમાંથી વિસર્જનનાં અનેક કારણેામાંનું એ પણ એક કારણ બન્યું. ભગવાન મહાવીરના સંધ શિથિલ ન જ થયા એમ તેા ન કહેવાય, પણ તેને ક્રમ મંદ રહ્યો. વળી, સમપ્રભાવે સધનું વલણુ શિથિલતા તરફ નહીં પણ ઉત્કટ ખાદ્ય આચાર તરફ રહ્યું. આથી વારંવાર ક્રિયાહાર થતા રહ્યો અને, ભલે નાના ઝરણ રૂપે પણ, અવિચ્છિન્ન પ્રવાહરૂપે તે ધમ ભારતમાં ટકી રહ્યો; જ્યારે ઔધમ ભારત બહાર તેના નવા રૂપે ફેલાયા, જેમાં ભારતીય બૌદુધર્માંની છાપ એછી પણ તે તે દેશની ધર્મ-સંસ્કૃતિની છાપ વધારે. આ પ્રકારને બૌધમ જીવિત છતાં તેના મૂળ ઉદ્દેશથી વિમુખ છે. બન્નેની વિશેષતા . શિથિલઆગ્યે, (૧) સ્વભાવગત ભગવાન મહાવીર અને બુદ્ધની સ્વભાવગત વિશેષતા એ જણાય છે કે ભગવાન મહાવીરમાં શ્રËાપ્રધાન વલણ વધારે છે, જ્યારે યુદ્ધમાં ત પ્રધાન. આનું મુખ્ય કારણ તે એ જણાય છે કે ભગવાન મહાવીરની પરંપરા જૂની હતી અને તેમને માર્ગ નિશ્ચિત રીતે કાએલેા હતેા. તે માની સીધી લીટીએ એમને ચાલી જવાનું હતું. એટલે કે ભગવાન મહાવીર પ્રાચીન જૈનધમના અનુયાયી બની સાધના કરે છે. પાર્શ્વનાથના સધમાં જે સાધનામાર્ગ પ્રચલિત હતા અને જે દનસરણી વિદ્યમાન હતી તેમાં ગણનાપાત્ર નવું કશું કરવાની તેમની અપેક્ષા હતી નહીં; માત્ર જે વસ્તુ સાંભળેલી હતી તેના સાધના દ્વારા સાક્ષાત્કાર કરવાના હતા. આથી તે અનેક વાર કહે છે કે આ જે કહું છું, ભગવાન પાત્રે પણ તે બાબતમાં એમ જ કહ્યું છે. 1 Page #191 -------------------------------------------------------------------------- ________________ ' , નધર્મચિંતન. અર્થાત હું કાંઈ નવું નથી કહેતે, અમારે મારું એક જ છે. આચારનો ઘેડ ભેદ હતો તે બાબતમાં પણ ખુલાસો થઈ ગયો કે ઉદ્દેશ એક જ છે, પછી બાહ્ય ચિહ્નમાં કદાચ થોડો ભેદ પડે તેથી કાંઈ વિશેષતા નથી. પાન્ધસંઘની શિથિલતા દૂર કરી મહાવીરે તેને નવું તેજ આપ્યું અને નવેસરથી ચના કરી તેમાં પાર્શ્વના સંધને ભેળવી દીધો. આ કારણે તેઓ તીર્થકર થયા અને પછીનો સંઘ તેમને નામે ઓળખાયે. ભગવાન મહાવીર શ્રદ્ધાપ્રધાન છતાં તેમણે દીક્ષિત થઈ કેઈને પોતાના ગુરુ કર્યા નથી. જે કાંઈ સાંભળ્યું હશે અને જે વિષે શ્રદ્ધા બેઠી હશે એ માર્ગે સ્વયં સંચર્યા અને વીતરાગ થયા. પણ બુદ્ધ વિષે એમ નથી બન્યું. તેમણે પ્રથમ શ્રદ્ધાને સ્થાન આપ્યું અને ગુરુ કર્યા. પણ સ્વભાવમાં તર્કનું પ્રાધાન્ય હાઈ એકેક ગુરુ કરી છેડતા ગયા અને છેવટે તે પિતાને માર્ગ કાર્યો. એ નવો છે, અપૂર્વ છે, એવો એકરાર એમણે પોતે કર્યો જ છે. પણ સાથે જ તેમણે શ્રોતાઓને પિતાનું સ્થાન અંધશ્રદ્ધાથી માની લેવા પ્રેર્યા નથી, પણ પોતાના તર્કની કસોટીથી કસી જેઈને પછી જ અનુસરવાની ભલામણ કરી છે. આમ છતાં પછીના આચાર્યોએ, બધા જ બુદ્ધો આ જ માર્ગનું પ્રતિપાદન કરે છે અને આ ગૌતમ બુદ્ધ પચીસમા બુદ્ધ છે એમ, સંપ્રદાય સ્થિર થયે, ઠરાવી દીધું છે. શ્રદ્ધા અને તર્કપ્રધાન બન્ને મહાપુરુષોની છાપ પછીના જૈનબૌદ્ધ બને ધર્મના ઈતિહાસ ઉપર પણ પડી છે. શ્રદ્ધાપ્રધાન જૈન ધમે દાર્શનિક નવાં પ્રસ્થાનો કર્યા નહીં, જ્યારે તર્કપ્રધાન બૌદ્ધધમે દાર્શનિક અનેક નવાં પ્રસ્થાને કર્યા અને તે તે કાળે અનેક ભારતીય દર્શનને પડકાર ફેંક્યા. અને તે કારણે ભારતીય દર્શનેમાં નવું ચૈતન્ય લાવવામાં નિમિત્ત પણ તે ધર્મ બન્યો. તેથી ઊલટું, જૈનધર્મના અનુયાયીઓએ પિતાનું મૌલિક મન્તવ્ય સાચવીને પણ તે તે કાળના નવીન વિચારને જૈનધર્મમાં સમન્વિત કરવાનો પ્રયત્ન કર્યો. Page #192 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર * બન્નેના સ્વભાવમાં બીજી એક વિશેષતા એ હતી કે ભગવાન મહાવીર નિયમોના નિર્માણ અને પાલનમાં કડક વલણવાળા હતા, એટલે કે પિતૃહૃદય હતા; જ્યારે બુદ્ધ આ બાબતમાં માતૃહદય હતા. આ કારણે સ્વયં બુદ્ધ પિતાના જ સમય દરમિયાન સંઘમાં કેવળ અનેક અપવાદોનું સર્જન જ નહીં, પણ અનેક નિયમોનું વિસર્જન પણ કરી દીધું હતું, જ્યારે મહાવીરે ઉત્સર્ગમાર્ગને જ આગ્રહ રાખ્યો હતો, અને અનિવાર્ય હોય ત્યાં જ અપવાદ કર્યો હતો, અને તે અપવાદ પણ ભગવાન બુદ્ધના નિયમોની તુલનામાં પાલનની દૃષ્ટિએ કઠોર જ ગણી શકાય એવો હતા. આગમ અને ત્રિપિટક વાંચતાં, એ બન્ને મહાપુરુષનું જે ચિત્ર ખડું થાય છે તે એ કે ભગવાન મહાવીર તે ત્રણે લોકની વાતમાં ખૂંપી ગયા છે; ત્રણે લેકની જ નહીં પણ તેમાં રહેલ ચોરાસી લાખ છવયોનિની વિચારણામાં તન્મય થઈ ગયેલા દેખાય છે. . આત્માની જે વિવિધ અવસ્થાઓ ત્રણે લોકમાં થાય છે તેનું વિવરણું કરતાં જાણે તેઓ થાકતા જ નથી. અને છેવટે તો તેમને એ જ કહેવાનું છે કે આ બધા ચિરામાંથી અને તેમાં અનુભવાતાં અનેક પ્રકારનાં દુઃખોમાંથી મુક્ત થવું હોય તો વીતરાગ બનો, કઈ પણ -જીવને કષ્ટ આપે નહીં. જેમ તમને કષ્ટ નથી ગમતું, તેમ કેઈને પણ નથી ગમતું, માટે અપ્રમાદી બની હિંસાથી વિરત થાવ. ભગવાન મહાવીરને નાની મોટી સૌ ક્રિયામાં હિંસા નજરે ચડે છે અને સર્વત્ર જીવ અને જીવ જ નજરે ચડે છે, તેથી તેમની હિંસામાંથી કેમ બચવું એની જ ચિંતા એમને રહે છે અને એની જ વિચારણા અને ઉપદેશ સર્વત્ર દેખાય છે. ભગવાન બુદ્ધને ત્રણે લેકની ચર્ચામાં કે જીવની અનેક નિમાં કે તેના વિવરણમાં જરાય રસ નથી; તેમને તો ખરી રીતે આત્માની વિચારણુમાં રસ નથી, બ્રહ્મની વિચારણમાં પણ રસ નથી; એમને તે આ લોકમાં અને આ લોકમાં જ જે દુઃખ અનુભવાય છે તે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈનધર્મ ચિંતન દુઃખના નિવારણના માગ ખતાવવામાં જ રસ છે; અને જે કાંઈ ધર્મના નામે કરે તેના ફળના રસ અહીં તે અહીં જ કેમ ચાખી શકાય તેનું વિવરણ કરવામાં રસ છે. બાકીની બધી વાતે ફાક ખાંડવા જેવી તેઓ માને છે. આથી ભગવાન મહાવીરની જેમ ત્રણે લાકની અને તેમાં રહેનારા જીવાની ચિંતા બુદ્ધુને નથી, પણ તેમની સામે ઊભેલ મનુષ્ય તે જ ક્ષણે ધર્મ પામીને ત્યાં જ ધમના રસને આસ્વાદ લેતે કેમ થાય, એની જ ચિંતા યુદ્ધ કરે છે. આથી કહી. શકાય કે મુદ્દે એક વ્યવહારુ ઉપદેશક છે, જે સીધે માગ બતાવવામાં રસ ધરાવે છે. (૨) ધગત તથા સદ્દગત ભગવાન મહાવીરના ધમાં, પ્રથમ કહ્યું તેમ; કઠેર ચર્યાં ઉપર ભાર છે, જ્યારે ભગવાન બુદ્ધના ધની ચર્યાં મધ્યમ માર્ગે ચાલે છે. કઠેર ચર્ચાની મર્યાદા આંકી શકાય, પણ મધ્યમ માની મર્યાદા આંકી શકાય નહીં. બે છેડાની વચ્ચેનો મા ધણા લાંખે। હોય છે. અને તેમાં આત્યંતિક શિથિલ અને આત્યંતિક કઠેર એ બેની વચ્ચેનો તરતમભાવ અનેક રૂપે ધારણ કરે છે. પરિણામે આચારનું એક નિશ્ચિત સ્તર અધાતું નથી. પરિણામે, આપણે જોઈ એ છીએ કે, જૈન સંધમાં શ્રાવક હોય કે સાધુ હાય પણ તેના આચારની એક નિશ્ચિત મર્યાદા આપણે જાણી શકીએ છીએ અને એ મર્યાદા બહાર જનારને એળખી પણ શકીએ છીએ. કારણ કે આચારનું એક નિશ્રિત ધારણ બાંધી શકાય છે. આને લાભ જૈન સંધને મળ્યે!; અને તેથી જૈન આચારને સ્તર બાંધી શકાય છે. પણ ઔદુધમ અને સધમાં મધ્યમમા માનેલ હેાઈ આચારનું એક નિશ્ચિત ધારણ બાંધી શકાય એમ રહ્યુ નહી. પરિણામે કાળભેદે અને દેશભેદે આચારનાં ધારણા નિશ્ચિંત રહી શક્યાં નહીં. પરિણામ આવ્યું કે તિબેટનો બૌધ અને સિંહલનો બૌધમ બુદ્ધાદિ Page #194 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર ૧૬૭ ત્રિરત્નને માનવા પૂરતી માન્યતામાં સમાન હોવા છતાં, એમની વચ્ચેના આચારભેદની ખાઈન પૂરી શકાય એવી થઈ ગઈ અને છતાં બન્ને બૌદ્ધધમી ગણાયા. એથી ઊલટું, જૈનધર્મ ગમે તે દેશમાં અને ગમે તે કાળમાં હોય છતાં પણ તેના આચારના નિયમોનું અમુક ધોરણ તે રહેવાનું જ બૌદ્ધધર્મ વિશ્વમાં ફેલાયે, પણ તે મૌલિક બૌદ્ધધર્મ રહ્યો નહીં; જ્યારે જૈનધર્મ પોતાના મૂળ સ્થાનમાં ભલે ટકી ન શક્યો, પણ જૈનધર્મ રહ્યો. મધ્યમમાર્ગ અને ઉત્કટ માગના આગ્રહનાં આ બે પરિણામો પ્રત્યક્ષ છે. –“પ્રબુદ્ધજીવન”, તા. ૧-૧૧-૬૪ તથા ૧૬-૧૧-૬૪. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૨ , અનેકાંતવાદ (૧) જીવન અને વિચાર માટે અનિવાર્ય - એકાંત એટલે એક છેડો. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે એ તો છેલ્લે પાટલે બેઠો છે; તાત્પર્ય એ કે એ હઠે ચડ્યો છે. કઈ પણ વસ્તુ વિષે એક રીતે જ વિચારવું અને તે વિષે બીજા દૃષ્ટિબિન્દુને લક્ષ્યમાં લેવું જ નહિ–આવી હઠાગ્રહી–કદાગ્રહી વૃત્તિમાંથી એકાંતવાદ જન્મે છે. તત્ત્વ વિષેના, જીવ, જગત અને ઈશ્વર આદિ વિષેના આવા હઠાગ્રહો એકાંતવાદ છે અને તેથી વિરોધી તે અનેકાંતવાદ છે. જીવનમાં જેમ કેવળ હઠાગ્રહથી ચાલતું નથી, માંડવાળ કરવાની વૃત્તિ કેળવવી પડે છે, તેમ દાર્શનિક વિચારોમાં પણ એવી માંડવાળ કરવાની વૃત્તિમાંથી અનેકાંતવાદને જન્મ થાય છે. સત્યદર્શન માટે અનેકાંતવાદની જરૂર હાથીની એક મોટી હાર ઊભી હોય. બધા હાથીઓની સૂંઢ પૂર્વ દિશામાં અને પૂછવું પશ્ચિમ દિશામાં હોય. માત્ર સુંઢને જોનારને એ ખ્યાલ નહિ આવે કે હાથીને પૂછવું પણ છે, અને પૂછડાં જેનારને એ ખ્યાલ નહિ આવે કે તેને સૂંઢ ૫ણ છે. હાથીની એક બાજુ જોઈ શકનાર માટે આમ થવું સ્વાભાવિક છે. પણ તેથી કાંઈ હાથીનું પૂછડું કે સુંઢ મટી જતાં નથી. જેનારની મર્યાદાને કારણે એકગી Page #196 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૧૬૯ દર્શીન થયું છે, પણ જોનારની મર્યાદાને વધારવામાં આવે, તેને એવી જગ્યાએ ઊભા કરવામાં આવે કે તે હાથીના ઉક્ત અને અવયવા જોઈ શકે, તે। પછી તેને વિવાદનું સ્થાન નહિ રહે. આ જ વાતને વસ્તુ વિશેના તત્ત્વવિચારમાં પણ સ્થાન છે. મનુષ્યથી જ્ઞાનમર્યાદા જેમ જેમ વધે છે, તેજ તેમ તે એક જ વસ્તુનાં નવાં નવાં રૂપાને જાણતા થાય છે. પણ પ્રથમ તેણે વસ્તુમાં જે જોયું કે માન્યું તેને જ પકડીને બેસી રહે અને એથી આગળ જોવાને તૈયાર જ ન થાય તે। તેને આપણે એકાંતવાદી કહીએ. અને જે વસ્તુ વિષે એક બાજુના નહિ, પશુ સંભવતી બધી બાજુના પેાતાની શક્તિ અનુસાર વિચાર કરવા તૈયાર હાય તે અનેકાંતવાદી ગણાય. જીવનવ્યવહારમાં જો મનુષ્ય એકાંતવાદી કે હઠાગ્રહી થાય તે જીવનવ્યવહાર ચાલે જ નહિ અને જીવવું જ મુશ્કેલ થઈ પડે, એટલે તેને હઠાગ્રહી થવું પાલવે નહિ–એમ અનેક અનુભવેાથી આપણે શીખ્યા છીએ. પણ જીવનમાંથી ફલિત થતી એ શીખ તત્ત્વનો કે દારા નિકેએ તત્ત્વવિચારમાં સર્વાંશે સ્વીકારી નથી. કેટલીક વાર એ શીખ વિચારક્ષેત્રમાં પણ જાણ્યેઅજાણ્યે કામ કરતી જ હેાય છે, પણ તેમનેા હઠાગ્રહ તે સ્વીકારવાની ના પાડે છે. અનેકાંતવાદની સમજૂતિ આપવા અધગજન્યાયને ઉલ્લેખ શાસ્ત્રોમાં આવે છે. અનેક અંધજને હાથી કેવા છે તેનું વર્ણન હાથીની સૂંઢ, પૂછ ું, પગ, કાન આદિ જુદા જુદા અવયવાને સ્પ કરીને કરે છે, ત્યારે તેમાં જે વિવાદ ઊભા થાય છે, તેવા પ્રકારના વિવાદ તત્ત્વવિચારની ભૂમિકાએ કાઈ પણ તત્ત્વ કે વસ્તુના ` આંશિક દર્શનથી થાય છે; અને એમાંથી એકાંતવાદોના ઉદ્ભવ થાય છે. પણ જેમ એ બધા અંધાના વિવાદ દ્રષ્ટા શમાવી શકે છે, કે જે હાથીના પૂરા રૂપને જોઈ ને તેનું વન તેએ સમક્ષ કરવા સમ છે, તેમ અનેકાંતવાદ પણ આંશિક દાનથી થતા વિવાદને, વસ્તુના પૂષ્ઠુરૂપને સ્વીકારીને, શમાવી શકે છે. આથી અનેકાંતવાદમાં અનેક Page #197 -------------------------------------------------------------------------- ________________ અને તેને એક અલાભ વિશે વિચાપણ જૈનધર્મચિંતન વિરોધી મન્તવ્યોને સમાવેશ થઈ જતો હૈઈ દેખીતો વિરોધ ત્યાં ગળી જાય છે એમ માનવું જોઈએ. ત્રાજવાની દાંડી એની એ જ છે, પણ ગ્રાહક અને વિક્રેતા તેની દાંડીના ઊંચાનીચાપણામાં જુદો જુદો અર્થ તારવે છે. વસ્તુવાળું ત્રાજવું નીચું જાય તેમાં ગ્રાહકને પોતાનું હિત જણાય છે, જ્યારે વિક્રેતાને નુકસાન. આ બે વિરોધને શમાવવાનો માર્ગ એ છે કે, ત્રાજવું સમધારણ રહે. ત્રાજવાના નીચાપણામાં દૃષ્ટિભેદને કારણે બે વ્યક્તિઓમાં લાભ-અલાભ વિષે વિવાદ થાય એ સ્વાભાવિક છે; કારણ, તેઓ એકબીજાનું દષ્ટિબિંદુ સમજવા પ્રયત્નશીલ નથી; બને પોતાના જ લાભનો વિચાર કરે છે, સામાનો ગેરલાભને નહિ. પણ જે તેઓ માત્ર પિતાના લાભને જ નહિ, પણ ઔચિત્ય કે ન્યાયનો વિચાર કરે, તે તરત જ તેમને સ્પષ્ટ થશે કે ત્રાજવું જે સમધારણ રહે તો જ બન્ને પક્ષે ન્યાય થાય છે. આપણું વિચારે. વિષે પણ આવું જ બને છે. આપણે કઈ એક બાબતમાં કેવળ આપણું જ વિચારની સત્યતા સ્વીકારતા હોઈએ તો સામા પક્ષના સત્યને દેખી શકતા નથી; પણ જે મનને સમન્વયશીલ કે મધ્યસ્થ બનાવીએ તો તરત જ સામાને વિચારમાં રહેલ સત્યનું પણ દર્શન થાય છે. આવા સત્યદર્શનની તાલાવેલીમાંથી જ અનેકાંતવાદ વિકસે છે. - ધાર્મિક અસહિષ્ણુતા ટિબેટમાં માત્ર બૌદ્ધધર્મને જ પ્રચાર હતો અને ખિસ્તી લેકે પોતાના ધર્મનો પ્રચાર કરવા દેવાની છૂટ માગવા ત્યાંના રાજા પાસે ગયા. ત્યાંના રૂઢ કારભારીઓ અને એવા જ પ્રજાજના અગ્રણએએ રાજાને ખ્રિસ્તી લોકોને ધર્મપ્રચારની છૂટ ન આપવા સલાહ આપી, પણ રાજાએ તેમને ઉત્તર આપે કે “આપણે તેમની વાત જરૂર સાંભળીશું. આપણામાં જ–આપણુ ધર્મમાં જ–બધું કહેવાઈ ગયું છે અને હવે કાંઈ નવું જાણવા જેવું રહ્યું નથી એમા કેમ કહેવાય ? આપણું માગે આપણે ચાલીએ છીએ; તેમના માર્ગે Page #198 -------------------------------------------------------------------------- ________________ 1 અનેકાંતવાદ ૧૭૧ તેઓ ચાલે છે; પણ જો આપણે તેમના માના અનુભવે! સાંભળીશું અને તેમાં પણ કાંઈ તથ્ય અને યાગ્ય હશે તે તેના મેળ આપણા મામાં આપણે કરી લઈશું. તે તેથી આપણા માગ પણ સરલ બનશે. આથી ખીજાને સાંભળવામાં અંતે તે આપણે જ ફાયદામાં રહીશું; તે શા માટે તેમને અવકાશ ન આપવા? વળી, આપણે ધર્માંતે। આપણી રગેરગમાં ઊતરી ગયો છે; તે ત્યાંથી ખસી જવાના કાઈ ભય નથી; તેા ખીજાને સાંભળવામાં શું નુકસાન છે? ' રાજાએ તે પેાતાની ઉદારતા બતાવી, પણ ખ્રિસ્તીએ એવી ઉદારતા ખતાવી શકયા નથી. તેઓ જ્યાં જાય છે ત્યાંના ધમનાં દૂષણા શેાધવાનું જ કામ કરે છે. આથી અંતે તેએ વિવિધ ધર્મોવાળી પ્રજાએ સાથે એકરસ થઈ શકતા નથી. ટિએટના રાજાની ઉદારતાના ગેરલાભ ઉઠાવી અંતે તેમણે તે રાજાને જ મરાવી નાખ્યા ! રામમાં ખ્રિસ્તીઓએ બાઈબલ અને તેને લગતા સાહિત્ય સિવાય બીજા ધર્મના સાહિત્યનીહાળી કરી હતી ! મુસલમાને પણ આવુ જ કરે છે. તેમને પણુ કુરાન સિવાય અન્યત્ર ધર્મ દેખાતા જ નથી. જોકે સ્વયં કુરાનમાં તો ધણી જ ઉદારતા બતાવવામાં આવી છે,. પણ મુસલમાનોમાં અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતાના સદંતર અભાવ જ દેખાયા છે; અને જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં વિરાધી ધર્માંને નેસ્તનાબૂદ કરવાને તેમણે પ્રયત્ન કર્યાં છે. આથી તેઓ પણ અન્ય ધમીએ સાથે એકરસ થઈ શકયા નથી. કોઈ પણ સાચા ધાર્મિ ક પુરુષ પોતાના માની લીધેલા ધર્મોમાં એકાંત બંધાઈ ન રહેતાં, જ્યાંથી પણ તેને જે કાંઈ સાચું અને યેાગ્ય મળે તેને સ્વીકારતા રહે, તે તે અંતે તે પેાતાના જ ધર્મની પુષ્ટિ કરે છે. આ વસ્તુની સચ્ચાઈ કાઈ પણ ધર્માંના ઈતિહાસમાંથી પ્રમાણા સાથે સિદ્ધ કરી શકાય તેમ છે. અને જે ધર્માએ આવી ઉદારતા નથી દેખાડી તે પૃથ્વી પર્ટ ઉપરથી નાબૂદ પણ થઈ ગયા છે અથવા પૂર્ણ પ્રતિષ્ઠા જમાવી શકયા નથી. Page #199 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મચિંતન - જૈનધર્મની પ્રગતિશીલતા * જે સમાજ પિતાને સનાતની તરીકે ઓળખાવતો હોય તેમાં પિતાની રૂઢ માન્યતાઓમાં સ્વૈચ્છિક પરિવર્તન કે પરિમાર્જન કરવાની તમન્ના નથી હોતી, પણ આસપાસનાં પરિબળો તેમને તેવું પરિવર્તન કે પરિમાર્જન કરવાની ફરજ પાડે છે, અને અંતે તેના નેતાઓ પિતાનાં રૂઢ મન્તવ્યને કાયમ રાખીને પણ તેવું પરિવર્તન કાળબળને નામે સ્વીકારી તો લે છે, પણું ગુણગાન તો રૂઢ માન્યતાઓનાં જ કરે છે. પ્રત્યેક ધાર્મિક સમાજની આ એક ખાસિયત હોય છે. આથી રૂઢ સનાતન માર્ગમાં નવું નવું સત્ય સ્વીકાર કરવાના આગ્રહ ધરાવતા અનેકાંતવાદના પ્રવેશને બહુ જ ઓછો અવકાશ રહે છે. અનેકાંતવાદનો પ્રવેશ ત્યાં જ સહજ બને છે, જે સમાજ પ્રગતીશીલ હોય. આ દૃષ્ટિએ સનાતની હિન્દુ-વૈદિક સમાજ કરતાં જૈનધર્મને વધારે પ્રગતિશીલ ગણવો જોઈએ. જૈનધર્મના અનુયાયીઓમાં પણ વૈદિકોની અસર જેવી તેવી નથી થઈ તેઓ પણ પિતાના સનાતનપણના સમર્થનમાં અનેક દલીલ કરતા થઈ ગયા છે, પણ સમગ્ર ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે, જૈન દર્શને અને ધમે પોતાને સનાતની કહેવરાવવામાં રાચવા છતાં સત્ય સ્વીકાર માટેના પિતાનાં દ્વાર હંમેશાં ખુલ્લાં જ રાખ્યાં છે. અને સમાજના આચરણમાંથી કે આસપાસના દાર્શનિક વિચારોમાંથી જે કાંઈ ઉચિત જણાયું, સત્ય જણાયું, તેને પોતાના આચાર અને દર્શનમાં સ્વીકારીને આત્મસાત કરી લીધું છે, અને તેમ કરવામાં ગૌરવનો જ અનુભવ કર્યો છે. આનું કારણ જૈન દર્શનની પ્રકૃતિમાં જ અનેકાંતવાદની ભાવના મૂળથી રહી છે તે છે. આથી નિઃસંશય કહી શકાય કે ભારતીય વિવિધ સમાજમાં જૈન સમાજ પ્રગતિશીલતાની દષ્ટિએ અગ્રણી મનો જોઈએ. દાર્શનિકોને એક યા બીજી રીતે વિચારક્ષેત્રમાં અનેકાંતવાદને આશ્રય લીધા વિના ચાલતું જ નથી; પણ જૈન દર્શન જ એવું દર્શન છે કે જેણે પોતાના સમગ્ર દાર્શનિક વિચારોને અનેકાંતવાદની ભૂમિકા Page #200 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૧૭૩ ઉપર જ ગોઠવ્યા છે. તેથી તે વાદ જેને પોતાને થઈ ગયો હઈ. બીજા દાર્શનિકો જેનોની જેમ અનેકાંતવાદી બનવામાં ગૌરવને. અનુભવ નથી કરતા. પણ કેઈ ગૌરવનો અનુભવ કરે કે ન કરે, તેથી કાંઈ અનેકાંતવાદનું ગૌરવ ઘટતું નથી. સત્યદર્શન અને વિચારવિકાસ માટે અનેકાંતવાદનો સર્વ ક્ષેત્રે સ્વીકાર કર્યા વિના બીજ કઈ રસ્તો છે જ નહિ. (૨) અનેકાંતવાદનું મૂળ અહિંસા આટલી અનેકાંતવાદની સામાન્ય ચર્ચા પછી જૈન દર્શન અનેકાંત વાદની ભૂમિકા ઉપર જ કેમ ઊભું થયું એ વિચારવાનું પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરના જીવનને મંત્ર એક જ હતો અને તે છે, અહિંસા. ભગવાન મહાવીરે જગતના અણુઅણુમાં જીવોનો વાસ જોયો. તેમનું સંવેદનશીલ સમભાવી હૃદય અનુભવવા લાગ્યું, કે જીવન મને જેમ પ્રિય છે, તેમ આ સૂમમાં સૂક્ષ્મ જંતુઓને પણ પ્રિય છે; મને દુઃખ ગમતું નથી તેમ એ સર્વને પણ દુઃખ અપ્રિય છે. તો ભારે જીવનવ્યવહાર એવી રીતે ગોઠવો જોઈએ, જેથી અન્ય જીવની હિંસા થાય નહિ. આવા તીવ્ર સંવેદનમાંથી મહાવીરે અહિંસક * જીવનવ્યવહાર અપનાવ્યું અને લોકજીવનમાં સંયમનો ઉપદેશ દીધો. " વિચારસંપત્તિનું મૂલ્ય અહિંસક જીવનવ્યવહારમાંથી જ બીજાના વિચારને ઠેસ ન પહોંચાડવાની વૃત્તિનો જન્મ થાય છે, કારણ કે એ અનુભવની વાત છે કે, સૌને મન પોતાની બાહ્ય સંપત્તિની જેમ વિચારસંપત્તિનું પણ બહુમૂલ્ય હોય છે. એ પણ અનુભવાય છે કે માણસની બાહ્ય સંપત્તિ ભલે ફના થતી હોય, પણ પોતે નકકી કરેલ વિચાર કે મંતવ્યને છોડવા તે ઝટ તૈયાર થતું નથી. આમ પોતાના ભત, મંતવ્ય કે વિચાર પ્રત્યે વ્યક્તિને એક પ્રકારની નિષ્ઠા અને મમતા હોય છે. એની એ નિદાને કે મમતાને જ્યારે આપણે વગર વિચાર્યો ઝટ જુહી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈનધર્મચિંતન કહી દઈએ છીએ ત્યારે તે આંચકા અનુભવે છે, તેને તીવ્ર દુઃખ ચાય છે અને તેને પ્રતિકાર કરવા તે તૈયાર થઈ જાય છે; અને પેાતાનાં સાચાં-ખાટાં મતબ્યાને વધારે બળપૂર્વક વળગી રહેવા તૈયાર થાય છે. સામી વ્યક્તિ પણ પેાતાનાં મંતવ્યાને તે જ પ્રમાણે વળગી રહેવા તૈયાર હેાય છે. આથી વાદ-વિવાદની, વૈર-પ્રતિવેરની પરંપરા જ વધે છે, અને આ હિંસા જ છે. આ વૈચારિક હિંસાના નિવારણરૂપે જ અનેકાંતવાદના વિકાસ કરવાનું ભગવાન મહાવીરે ઉચિત માન્યું અને તેમણે પેાતાના દર્શીનને અનેકાંતવાદની ભૂમિકા ઉપર જ વિકસાવ્યું. જીવની હિંસા તે વર્જ્ય હોય તે જીવના કેાઈ પણ મંતવ્યને ઝટ દઈ ખાટુ' કહી દઈ તેને દુઃખ પહોંચાડવું, એ પણ હિંસા જ છે અને તેથી તેમ કરવું પણ વર્જ્ય ગણાવુ જોઈ એ. આથી કોઈ મ ંતવ્યને જો ખાટુ ન કહેવુ... હાય તે। તેમાંથી સત્ય શેાધવાની પ્રવૃત્તિ કરવી જ જોઈ એ, જ્યાં સુધી વિરાધીના મતવ્યને અસત્ય માનતા હોઈ એ ત્યાં સુધી તે મંતવ્ય આદરપાત્ર તે! બને જ નહિ; એટલે તેમાંથી સત્ય શેાધવાનો પ્રયત્ન અનિવાય અને છે. આ પ્રયત્નમાંથી એક દૃષ્ટિએ નહિ પણ અનેક દૃષ્ટિએ વસ્તુનું નિરીક્ષણ કરવાની પ્રવૃત્તિ વધે છે અને તે જ અનેકાંતવાદને જન્મ આપે છે. આમ અહિંસાની ભૂમિકા ઉપર જ અનેકાંતવાદનો પ્રાસાદ ઊભા થાય છે. સમન્વયની સંજીવની આચાય સિદ્ધસેને કહ્યું છે કે, જેટલા વચનમાર્ગો છે તેટલા જ નયા છે અને જેટલા નયેા છે તેટલાં જ પરદા છે. આ જ વાતને આગળ વધારીને આચાય જિનભદ્રે સ્પષ્ટ કરી છે કે જેટલાં પરદના છે તે બધાં મળીને જૈન દર્શન બને છે. . પરસ્પરવિરાધી મંતવ્યેામાં વિરાધ ત્યાં સુધી જ રહે રહે છે, જ્યાં સુધી એ બધાંને સંગત કરી તેમને એક સમગ્ર-પૂ દર્શનરૂપે સમન્વય કરવામાં ન આવે. વિરાધના આધાર પરસ્પરમાં રહેલ દેષ કે. ન્યૂનતા છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૧૭૫ પણ જેમ કે ઈ-મંતવ્યમાં દોષ કે ન્યૂનતા હોય છે, તેમ તેમાં ગુણ અને વિશેષતા પણ હોય છે. જે ક્ષણે એ ગુણ અને વિશેષતા તરફ ધ્યાન આપવામાં આવે છે, તે ક્ષણે જ વસ્તુદર્શનને એ પણ એક પ્રકાર છે, નય છે, એમ સ્પષ્ટ થાય છે અને વસ્તુદર્શનની પૂર્ણતામાં એ પણ એક અંગ બની જાય છે. જેમ નાના પ્રકારનાં, જુદા જુદા રંગનાં મોતીઓ જ્યાં સુધી પૃથફ હોય છે, ત્યાં સુધી તેમની જુદાઈ તરફ જ વિશેષ ધ્યાન જાય છે અને તેમની એકતાને બદલે પાર્થક્ય વિષે જ મત દઢ બનતો જાય છે. પણ એ બધાં તીઓને જ્યારે એક હાર બનાવવામાં આવે છે, ત્યારે તેઓ પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ ખાઈને એક હારના અંગ રૂપે બની જાય છે. તેમાં એક નવા જ પ્રકારની રગતિ તેઓ ઊભી કરે છે. આ જ રીતે જ્યાં સુધી ભિન્ન ભિન્ન દશને પોતાની જ સચ્ચાઈ વિષે આગ્રહ રાખે ત્યાં સુધી તે દર્શને મિયા કહેવાય, કારણ, તેઓ આંશિક સત્યને પૂર્ણ સત્ય માનીને રાચતાં હોય છે; પણ જ્યારે તેમાંથી પૂર્ણતાને આગ્રહ દૂર કરીને તેમને પૂર્ણદર્શનના અંગ તરીકે, નય તરીકે, એક પ્રકાર તરીકે જૈન દર્શનમાં મૂકવામાં આવે છે, ત્યારે તેઓ મિથ્યા મટીને સત્ય બની જાય છે. અને એવા આંશિક સત્યોને એકત્ર કરીને વિવિધ નયોમાંથી જૈન દર્શનનો પ્રાસાદ ખડે કરવામાં આવે છે. એટલે તે મિસ્થામાંથી ઊભો થયેલ છતાં પોતે મિયા નથી, એટલું જ નહિ પણ, પ્રથમ જે મિયા હતા તેમાંથી પણ મિથ્યાત્વને ગાળી નાખનાર છે. જેમ અનેક દિશામાંથી આવનારી નદીઓ સમુદ્રમાં મળીને એક થઈ જાય છે, પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે છે, તેમ અનેકાંતવાદમાં પણ અનેક એકાંતવાદી મતો મળી જાય છે અને પિતાનું અસ્તિત્વ ઓઈ નાખે છે. અર્થાત્ તેઓ જુદા હતા ત્યારે મિયા કહૈવાતા, પણ જ્યારે અનેકાંતમાં સમન્વિત થઈ ગયા ત્યારે તેમનું જુદું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે અને સત્યના એક ભાગ તરીકે જ વર્તમાન રહે છે, આથી તેઓ મિયા મટી જાય છે. અનેકાંત Page #203 -------------------------------------------------------------------------- ________________ જેનધામચિંતન વાદની સંજીવની શક્તિ એવી છે કે, એ મતોને નવતર રૂપ આપી દે છે, તેમાંથી કદાગ્રહનું વિષ નીકળી જતું હોઈ તે મિયા રહેતા નથી; સત્યના એક અંશ તરીકે નવજીવન પ્રાપ્ત કરે છે. જૈન દર્શનની આ સંજીવની જેમનામાં હાડોહાડ વ્યાપી ગઈ છે તેવા આચાર્ય હરિભદ્ર કે હેમચંદ્રને કહેવાતા મિયાદર્શનમાં કે મિથ્યાત્વી દેવમાં કશે જ દોષ જણાતો નથી. અને તેથી; આપણે જોઈએ છીએ કે, આચાર્ય હરિભદ્ર અન્ય દર્શનના કપિલ આદિ પ્રણેતાઓને પણ જૈન તીર્થકરની કટિથી ઊતરતા ગણવા તૈયાર નથી; અને આચાર્ય હેમચંદ્ર જે ભક્તિભાવથી તીર્થંકરની સ્તુતિ. કરે છે એ જ ભક્તિભાવથી શિવની પણ સ્તુતિ કરી શકે છે. એમને શિવ પણ એક વીતરાગી દેવ તરીકે જ દેખાય છે : આ છે અનેકાંતવાદની સંજીવની શક્તિ. દેવામાં એકતાનું ભાન કરવું એ તો કદાચ મનુષ્યમાં ઉદારતા હોય તોપણ સંભવે, પરંતુ વિભિન્ન મતોમાં સામંજસ્ય સ્થાપવું એ સરલ નથી. સામાન્યપણે એમ કહી દેવું કે, બધાં દર્શનનો સમૂહ એ જૈન દર્શન છે એ એક વાત છે, પણ એ બધાંને સમન્વય કરીને એક વ્યવસ્થિત દર્શન ઊભું કરવું એ અત્યંત કઠણ કામ છે. કારણ કે, અનેક વિરોધી મંતવ્યોમાં રહેલ એક્તા શોધવાનું કાર્ય સરળ નથી. પણ જૈન દાર્શનિક આચાર્યોએ એ પિતાનું ધ્યેય જ બનાવ્યું છે કે પોતાના સમય સુધી જે જે નવાં નવાં મંતવ્યો ઊભાં થયાં હોય છે તે સૌને યથાસંભવ તાર્કિક સમન્વય કરીને તેને અનેકાંતવાદના વિશાળ પ્રાસાદમાં યોગ્ય સ્થાન આપી દેવું. આમ કરવામાં તેમની તાર્કિકતાની અને મધ્યસ્થપણુની પૂરી કસોટી થઈ જાય છે. કારણ, આ માટે સમગ્ર ભારતીય દર્શનની પૃષ્ઠભૂમિમાં તે તે મંતવ્યનું સ્થાન, સમગ્ર દાર્શનિક વિકાસક્રમમાં તેમનું ઉપયુક્ત સ્થાન, તે તે મંતવ્યના ઉલ્યાનનાં અનિવાર્ય કારણે, તે તે મંતવ્યોના ગુણદોષ, તે તે Page #204 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ, ૧૭૭ મંતવ્યોમાં પરસ્પરને વિરોધ. અને છેવટે સમન્વયને માર્ગ–આટલી બાબતોની વિચારણું અનિવાર્ય થઈ પડે છે. આ વિના અનેકાંતવાદના પ્રાસાદમાં તે તે મંતવ્યનું સ્થાન નિશ્ચિત થઈ શકતું નથી. અનેકાંતવાદતા પ્રાસાદની ભવ્ય રચના અને વિકાસ માટે ભગવાન મહાવીરથી માંડીને ઉપાધ્યાય યશોવિજય સુધી બરાબર કાળકમે પ્રયત્ન થતો રહ્યો છે. પરિણામે એમ નિઃસંકોચપણે કહી શકાય કે ભારતીય સમગ્ર દર્શનના વિકાસ સાથે સાથે જૈન દર્શન પણ તે સૌને આત્મસાત કરતું ભારતીય દર્શનની વૈજયન્તી લહેરાવે છે. અને એ એક જ દર્શનનો અભ્યાસ કરવામાં આવે તો સમગ્ર ભારતીય દર્શનના વિકાસને તાદશ ઇતિહાસ વાચક સમક્ષ ખડો થઈ જાય છે. (૩) અનેકાન્તદૃષ્ટિએ વિવિધ મને સમન્વય જૈન દર્શનના અનેકાંતવાદની ભાવના વિષે આટલે વિચાર કર્યા પછી તેનું અવતરણુ કેવા કેવા માગે ક્યાં ક્યાં જેનેએ કર્યું છે તે વિષે સંક્ષેપમાં વિચાર કરી લઈએ. સૌ ધર્મોમાં પોતપોતાનાં શાસ્ત્રોની જે પ્રતિષ્ઠા હોય છે તે અનુપમ છે. જૈનધર્મમાં પણ પિતાનાં શાસ્ત્રની પ્રતિષ્ઠા અનુપમ છે જ. છતાં પણ ત્યાં અનેકાંતભાવના કેવી નિરાગ્રહવૃત્તિ ધારણ કરી શકે છે, તેનું ઉદાહરણ જૈનેનું નંદીસૂત્ર નામનું શાસ્ત્ર પૂરું પાડે છે. નંદીસૂત્રમાં સભ્યશાસ્ત્ર અને મિથ્યાશાસ્ત્રની કસોટી આપવામાં આવી છે. તેમાં કહ્યું છે કે, સ્વયં વ્યક્તિ જે સમ્યકત્વી અર્થાત વિવેકી, જ્ઞાની હોય તો તેને માટે જૈન આગમો કે અજેને મહાભારત આદિ શાસ્ત્ર એ બધાં જ સરખી રીતે સમ્યફ શાસ્ત્રો છે. પણ જે વ્યક્તિ સ્વયં • મિયાત્વી અર્થાત અવિવેકી, અજ્ઞાની હોય તો તેને માટે જેનઅજેને સર્વ શાસ્ત્રી મિથ્યાશ્રુત–મિથ્યાશાસ્ત્રો બની જાય છે. આમ માનવાનું કારણ એ છે કે, એકની એક વસ્તુ જેમ દ્રષ્ટાની ભાવના પ્રમાણે વિવિધ રૂપ ધારણ કરે છે, તેમ શાસ્ત્રો પણ દ્રષ્ટાની ભાવના Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈનધર્મચિંતન પ્રમાણે જ વિવિધ રૂપે! ધારણ કરે છે. આથી કાઈ એક શાસ્ત્ર એકાંત સમ્યક્ કે મિથ્યા છે એવા નિયમ કરી શકાય નહિ. સૂર્ય પ્રકાશ આપે છે ખરા, પણ ઘૂવડને એ કશા કામને નથી, ચારેતે એ પેાતાની ઇષ્ટ સિદ્ધિમાં બાધક જ બને છે,. તેમ તીથ કરે કે મહાપુરુષો વિષે પણ છે. સર્જનહિતનું ધ્યેય લઈ ચાલવા છતાં તે સરખી રીતે સૌના પૂજ્ય બનતા નથી; કારણ, ગ્રાહકની ચેાગ્યતા-અપેાગ્યતાને લીધે તેમના પ્રત્યે આકર્ષણુ-વિકણુ થાય છે. એટલે તીથ કર પણ સૌને માટે સરખી રીતે તીથંકરરૂપ અની શકતા નથી. આ જ ન્યાય સૌ વસ્તુ વિષે અનુભવાય છે. વસ્તુ એની એ છતાં, દ્રષ્ટાના દષ્ટિબિંદુ પ્રમાણે, તે વિવિધ દર્શીના ઊભાં કરે છે. દ્રવ્યાર્થિ ક અને પર્યાયાર્થિ ક નય-વસ્તુનના જે નાના પ્રકાર છે એ બધાનું વગીકરણ જૈન આચાર્યંએ, ભગવાન મહાવીરને અનુસરીને, એ દૃષ્ટિ કે એ નયામાં કયુ છેઃ એક છે ભેદદર્શન અને બીજી છે અભેદદશન; એક છે વિશેષગામી દર્શન અને બીજી છે સામાન્યગામી દર્શન; એક છે અનેકત્વનું. દન અને બીજું છે એકત્વનું દર્શીન. દર્શીન ગમે તે હોય, પણ તે આ એમાંથી ગમે તે એકમાં સમાવિષ્ટ થઈ જ જવાનું. જૈન પિરભાષામાં અભેદ દર્શનને દ્રાર્થિ ક નય અને ભેદનને પર્યાયાર્થિ ક નય કહે છે. ભારતીય તે! શું પણ વિશ્વના કેાઈ પણુ દાનિક મન્તવ્યને આ એમાંથી ગમે તે એકમાં સમાવેશ થઈ શકે છે એવા દાવેા જૈન આચાર્યંને છે. અને તેમણે અત્યાર સુધીમાં ઊભા થયેલા તેમને જ્ઞાત સમગ્ર દનાને આ બેમાંથી ગમે તે એકમાં કેવી રીતે સમાવી શકાય છે તે યુક્તિપૂર્ણાંક બતાવ્યું પણ છે. એ ખે નયેાના અવાંતર ભેદો સાત કરવામાં આવ્યા છે અને તે સાત નયેામાં ભારતીય દર્શનાના સમગ્ર વિસ્તારને સમાવી લેવામાં આવ્યા છે. વ્યવહારનય—દ્રાર્થિક નયના એક ભેદ તરીકે વ્યવહારનય Page #206 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૧૭૯ માનવામાં આવે છે. વ્યવહારનું તાત્પય એ છે કે લેાકવ્યવહારને પ્રમાણ માનીને ચાલવું. લાકવ્યવહાર વસ્તુગત સૂક્ષ્મ ભેદોને ધ્યાનમાં લીધા વિના જ સ્થૂલ અભેદ માનીને ચાલે છે. આથી વ્યવહારનય દ્રવ્યાથિકના ભેદ છે અને જ્ઞાનને નહિ, પણ અજ્ઞાનને મહત્ત્વ આપે છે. ચાર્વાક વ્યવહારનયવાદી જ છે, કારણ કે તેઓ પણ માત્ર ભૂતાને જ માને છે અને સ્વતંત્ર એવા જ્ઞાનમય ચૈતન્ય આત્માને માનતા નથી, કારણ કે તેઓ લેાકવ્યવહારને જ પ્રમાણ માનીને ચાલે છે; આત્મા જેવી સૂક્ષ્મ વસ્તુના વિચારમાં પડતા નથી. આથી તે અજ્ઞાનવાદના જ આશ્રય લે છે. ચાર્વાકના વિરાધ તા દાાનિકોએ આત્મતત્ત્વ સ્વતંત્ર માનીને કર્યાં જ છે. જૈન દનમાં જીવ અને જીવ તàાની માન્યતા સ્થિર થયેલી છે. આથી જડ ભૌતિક વસ્તુ પૂરતું ચાર્વાક દન સાચું છે, પણ ચૈતન્ય વિષેની તેની માન્યતા ભ્રામક છે; એટલે તે પણ એક નયને અનુસરે છે એમ માનવું રહ્યું. અને એક નયમાં પૂર્ણ સત્ય પ્રગટ થતું નથી, પણ સવ" નયેામાં પૂર્ણ સત્ય પ્રગટ થાય છે. આથી ચાર્વાકને પણ એકાંત અસત્ય દર્શન કહી શકાય નહિ; તેમાં પણ્ આંશિક સત્ય તે છે જ, એમ જૈન દર્શન કહે છે. સંસારી જીવાત્મામાં અધિકાંશ એવા છે, જેમને આત્મ-અનાત્મને વિવેક છે જ નહિ. અને તેઓ અજ્ઞાનને કારણે શરીરને જ માનીને વ્યવહાર કરે છે. આ વ્યવહાર ચાર્વાકદર્શનને આધારે છે એમ જ કહેવું જોઈએ. વ્યવહારનયનું મન્તવ્ય છે કે પ્રમાણેાનાં વિવિધ લક્ષણા, જે દાર્શનિકે દ્વારા આપવામાં આવ્યાં છે, તે એકબીજાથી જુદાં પડે છે. એટલે એમાંથી કેને સાચું માનવું? પ્રમાણુ કેને માનવું?એ જ્યાં નક્કી થઈ શકતું ન હોય, ત્યાં તે દ્વારા વસ્તુતત્ત્વનું જ્ઞાન કરવા જવું, એ વળી, તદ્દન અશકય છે. માટે લેાકમાં સાચું માનીને જે વ્યવહાર ચાલે છે તે ઉચિત છે, વસ્તુતત્ત્વનું યથા જ્ઞાન અશકય જ છે, જ્ઞાન થઈ શકતું નથી, માટે અજ્ઞાન જ શ્રેય છે આમ વ્યવહારનયને આશ્રયે અજ્ઞાનવાદનું ઉત્થાન છે. લેાકમાં આવા આત્મા Page #207 -------------------------------------------------------------------------- ________________ ••••••••••••••••••••• ૧૮૦ જેનધામસિંહ અજ્ઞાનવાદનો આશ્રય આપણે જ્યાં ત્યાં જોઈએ જ છીએ અને શાસ્ત્રોમાં પણ એનું સમર્થન કરે એવાં વાક્યો છે. હદમાં જ કહ્યું છે – “ય વે... માઝાતા યુકત ફયં વિષ્ટિ :: .......... વો અસાધ્યક્ષ વચ્ચે સોમન્ હો ૩ વૈદ્ર ચઢિ વા વેવા” ભર્તુહરિએ કહ્યું છે – " यत्नेनानुमितोऽप्यथः कुशलैग्नुमातृभिः । મયુત્તરે ચે–રજેવોપાત ” એક કુશલ પુરુષ એક રીતે અનુમાનથી વસ્તુન્નાન કરે છે, પણ તેથી વધારે કુશલ પુરુષ હોય તે તેના એ અનુમાનજ્ઞાનને ઉથલાવી પાડે છે. ત્યાં કેના અનુમાનજ્ઞાન ઉપર ભરોસે કરે? જૈન શાસ્ત્રોમાં પણ અજ્ઞાનવાદને ક્રિયાવાદ આદિ ચાર વાદોના એક ભેદ તરીકે ઉલ્લેખ આવે જ છે. આમ અજ્ઞાનવાદ ખરી રીતે મનુષ્યજાતિ જેટલે જ જૂને ગણું શકાય. વળી, મીમાંસકોએ તો જ્ઞાન કરતાં કર્મને જ મહત્વ આપ્યું છે અને તે રીતે જ્ઞાન નહિ તે અજ્ઞાન એ અર્થમાં તેમને કર્મવાદ પણ એક પ્રકારને અજ્ઞાનવાદ જ છે. આ બધા પ્રકારના અજ્ઞાનવાદનો સમાવેશ જૈનસંમત વ્યવહારનયમાં છે. અને તે મતનો સમન્વય જેનોએ જીવ અને અજીવ તત્ત્વ માનીને તથા આત્મામાં–સંસારી આત્મામાં–જ્ઞાન-અજ્ઞાન બને માનીને કરેલ છે. પરમ તત્વનું ભલે પ્રત્યક્ષ જ્ઞાન ન હોય, પરંતુ પરોક્ષ જ્ઞાન એ કાંઈ અજ્ઞાન જ છે એમ કહી ન શકાય. વળી, અજ્ઞાનવાદીએ દાર્શનિકેનાં લક્ષણોમાં વિરોધ દર્શાવ્યો છે, પણ તે વિરોધદર્શનને તે તેને જ્ઞાન જ માનવું પડે છે, અન્યથા વિરોધ સિદ્ધ નહિ થાય. આમ લોકવ્યવહારમાં પણ જ્ઞાન-અજ્ઞાન બન્નેથી કાર્યસિદ્ધિ થાય છે, નહિ કે એકલા અજ્ઞાનના આશ્રયથી. મીમાંસક વેદોનું તાત્પર્ય ભલે કર્મમાં માને, પણ એ કર્મ વિષે તે યથાર્થ જ્ઞાન જોઈએ જ ને? આમ કામ પતે ભલે જ્ઞાન રૂપ ન હોય, પણ તે વિષેનું જ્ઞાન જે. Page #208 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૧૯૧ ન હોય અને અજ્ઞાન જ હોય. તે। અમુક જ ક`માં પ્રવૃત્તિ અને અમુકમાં નિવૃત્તિ કેવી રીતે થાય ? માટે મીમાંસકેએ પણ એકાંત ક નહિ પણ જ્ઞાનને પણ માનવું જરૂરી છે. માત્ર દવા લેવાની ક્રિયાથી –કમાત્રથી રાગમુક્તિ નથી થતી, પણ યેાગ્યા કઈ એ જાણીને દવા લેવાથી રામુક્ત થવાય છે. માટે જ્ઞાન અને કર્માંના સમુચ્ચયને મા` એ જ હિતાવહ છે. શકાતુ મીમાંસકેએ વેદોને અપૌરુષેય માન્યા, તેમાં પણ અજ્ઞાનવાદને જ આશ્રય છે. કયા પુરુષે અને કયારે તે રચ્યા તે જાણી નથી માટે તે અપૌરુષેય છે. પણ તેથી વિરુદ્ધ, જૈતાનું કહેવું છે કે, વિદ્યાએ ભલે અનાદિ હાય, અને તે તે વિદ્યાએના આદિ ઉપદેષ્ટા સાત નથી માટે તે દૃષ્ટિએ ભલે તેને અપૌરુષેય કહા, પણ તે તે વિદ્યાને નવું નવું રૂપ આપનાર તેા પુરુષો જ છે અને તેએ જ્ઞાત પણ છે. ઋચાના અમુક મંત્રાના દ્રષ્ટા અમુક ઋષિએને માનવામાં આવે જ છે, તે પછી એ દૃષ્ટિએ વેદોને પૌરુષેય માનવામાં શે! બાધ છે? જૈતાનાં બાર અંગે વિષે પણ જૈતેની ધારણા છે કે, તે અનાદિઅનંત છે અને છતાં વિદ્યમાન અગે! ભગવાન મહાવીરના ઉપદેશને અનુસરીને ગણધરાની રચના છે. આમ તે પણ પૌરુષેય અને અપૌરુષેય સિદ્ધ બને છે. " સંગ્રહનય—એક તરફ ચાર્વાક છે, જેણે માત્ર જડ તત્ત્વા જ માન્યાં; પણ તેથી વિરુદ્ધ વેદાંત કે ઔપનિષદ દન છે, જેણે માત્ર ચૈતન્યને જ માન્યું. એ વેદાંત દનને સમાવેશ જૈનસમત સંગ્રહનયમાં છે. લેકમાં જે કાંઈ છે તે સને સગ્રહ–સમાવેશ સતત્ત્વમાં થઈ શકે છે, કારણ તે બધું સત્ તા જ-એમ સંગ્રહનય પણ માને છે. વેદાંત દર્શન તત્ત્વને માત્ર સત્ કહીને જ સ ંતુષ્ટ નથી થતું, પણ, તે સત્ ચૈતન્યરૂપ જ છે, જે પુરુષ કે બ્રહ્મ કે આત્મા કહેવાય છેઆમ પણ આગ્રહ ધરાવે છે. જૈન દર્શન ચૈતન્યતત્ત્વના અસ્તિત્વમાં તા સંમત છે જ, પણ તે માને છે કે, ચૈતન્ય ઉપરાંત અચેતન કહી Page #209 -------------------------------------------------------------------------- ________________ જેનધર્મચિંતન શકાય તેવું તત્ત્વ પણ હોવું જોઈએ, અન્યથા ચૈતન્યમાં બંધ અને મેક્ષ, સંસાર અને નિર્વાણની ઘટના સંભવે નહિ. વેદાંતમાં માયા, મિથ્યાત્વ, અજ્ઞાનને ચેતન્યવિધી માનવામાં આવે છે, પણ માયાને સત્ શબ્દથી કહેવામાં તેઓ સંમત નથી, પણ તેને અનિચ કહે. છે. તે એટલા માટે કે, બ્રહ્મથી માયાને ભિન્ન પણ નહિ તેમ જ અભિન્ન પણ નહિ એવી તેઓ માને છે. એ ગમે તે હો, પણ માયા. જેવું કાંઈક પણ–ભલે તેને તેઓ સસ્ત શબ્દથી કહેવા ન માગે—માન્યા વિના તો ચાલતું જ નથી. એ જ તો જૈનો કહે છે કે, જડ તત્ત્વ છે, જેને કારણે આત્મા બંધનમાં પડે છે. માયાને જે સત્ માનવામાં આવે તો બ્રહ્મ અને માયા એમ બે સત થાય તે અદ્વૈત સિદ્ધ ન થાય અને જે માયાને અસત કહેવામાં આવે તો અસતથી પ્રપંચ કેમ ઘટે ? આત્મા આત્માથી બંધાય નહિ પણ અનાત્માથી બંધાય, માટે આત્મા અને અનાત્મા–અજીવત–બને સ્વીકારવાં આવશ્યક છે, આથી વેદાંત દર્શનને પણ આંશિક સત્યરૂપે સંગ્રહાયમાં જૈનાચાર્યોએ સમાવિષ્ટ કર્યું છે. જૈનની જેમ જ સાંખે પણ જીવ અને અજીવ એ બે તોને પુરુષ અને પ્રકૃતિરૂપે માને છે. અને પ્રકૃતિમાંથી જ સમગ્ર જડસૃષ્ટિનો વિકાસ પુરુષ સંપર્કને કારણે સ્વીકારે છે. નૈયાયિકાદિદર્શને પણ જીવ અને જડ સૃષ્ટિ સ્વીકારે છે. આથી કેવળ જીવઆત્મા માને એ જૈન દૃષ્ટિએ આંશિક સત્ય છે; પૂર્ણ સત્ય જીવ અને અજીવ બને માનવામાં આવે તો બને. આ જ ન્યાયે કેવળ વિજ્ઞાનવાદ, શૂન્યવાદ અને શબ્દાદ્વૈતવાદને પણ જેનો આંશિક સત્ય માની સંગ્રહનયમાં સ્થાન આપે છે. જુસૂત્રનય–વેદાન્તને મતે સત્ તે કહેવાય, જે વૈકાલિક હોય. પણ તેથી વિરુદ્ધ બૌદ્ધોએ કહ્યું કે, સત તે જ કહેવાય, જે માત્ર વર્તમાનકાલિક હોય, અન્ય નહિ. વેદાંતને મતે સર્વ પ્રપંચન સંગ્રહ એક બ્રહ્મમાં–એક સામાન્ય સતમાં થઈ જાય છે. તેથી પૃથફ કાંઈ Page #210 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૧૮૩ રહેતું નથી. પણ તેથી વિરુદ્ધ .બૌદ્ધોએ કહ્યું કે, સામાન્ય જેવી વસ્તુ ં કોઈ છે જ નહિ, જે સ સંગ્રાહક હેાય; માત્ર વિશેષો જ છે, અને તે સૌ પૃથક્ પૃથક્ છે, અને ક્ષણિક છે; સંસારમાં નિત્ય એવી કેાઈ વસ્તુ જ નથી. બૌદ્ધોના આ વાદ પર્યાયનયના એક ભેદ ઋ 'સૂત્રમાં સમાવિષ્ટ છે. બૌદ્ધ અને વેદાંત પરસ્પરવિરાધી મતભ્યેા છે. પણ જૈતાએ એ બન્નેને આંશિક સત્ય માની પેાતાનાં દ્રવ્ય-પર્યાયવાદમાં સમાવી લીધાં છે. દ્રવ્ય એ વૈકાલિક સત–નિત્ય છે, પણ તેનાં પરિણામે-વિશેષો અનિત્ય છે, એમ કહી ઉક્ત બન્ને વિરાધી વાદોના એણે સમન્વય કર્યાં છે. વેદાંતનો જૈન સંમત સંગ્રહનયમાં સમાવેશ છે, તે બૌદ્ધોનો પર્યાયનયના એક ભેદ ઋજીસૂત્ર નામના નયમાં છે. જેનો વસ્તુને સામાન્ય વિશેષાત્મક માને છે, આથી તે બન્ને નયોને તેમાં સ્થાન છે. - નૈગમનય—વેદાંતને મતે સત્ તે જ કહેવાય જે વૈકાલિક હોય. આની સામે ન્યાય–વૈશેષિક દર્શનની માન્યતા છે કે આત્મા આદિ પદાર્થો ત્રૈકાલિક સત્ છે, પણ બધાં કાયદ્રવ્યો ત્રૈકાલિક સત્ નથી હતાં. તેઓ તે પ્રથમ અસત હોય, પણ પછી સત્ થાય અને પાછા અસત્ થઈ જાય. વળી કેટલાક પદાર્થો માત્ર સામાન્ય છે, કેટલાક માત્ર વિશેષ છે અને કેટલાક સામાન્ય-વિશેષ છે. પણ વેદાંતની જેમ જે કાંઈ સત્ છે તે માત્ર સામાન્ય જ છે, અર્થાત્ સર્વાંસંગ્રહી જ છે, એક જ છે, એમ ન્યાય વૈશેષિકા માનતા નથી. વૈશેષિકાના આ મંતવ્યને જૈન દર્શને નૈગમનય કહ્યો છે, એટલે કે તે સામાન્ય અને વિશેષ બન્નેને માને છે. માત્ર સામાન્ય કે વિશેષને નહિ; પરંતુ આમ છતાં તેએ એક જ વસ્તુને સામાન્ય-વિશેષાતાત્મક તે। નથી જ માનતા, જેવી રીતે જૈને માને છે. આથી તેઓનો મત પણ એક સ્વતંત્ર નય છે. જૈનોનું મંતવ્ય છે કે, સામાન્ય વિના વિશેષ ન હેાઈ શકે અને વિશેષ વિના સામાન્ય ન હોઈ શકે. આથી અન્ને પરસ્પરાશ્રિત હાઈ સ્વતંત્ર નથી; એકજ વસ્તુના બે પાસા છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈનધર્મચિંતન | વેદાંતની જેમ જ સાંખ્યો પણું સતને વૈકાલિક જ માને છે. આથી તેમના મતે કઈ પણ કાર્ય નવું ઉત્પન્ન થતું નથી, પણ તલમાંથી તેલની જેમ માત્ર આવિર્ભાવને પામે છે. વેદાંતના બ્રહ્મની જેમ સાંઓની પ્રકૃતિ સર્વપ્રપંચાત્મક છે. પ્રકૃતિમાંથી નવાં નવાં પરિણામો-કાર્યો આર્વિભૂત થાય છે અને તેમાં જ પાછાં વિલીન થઈ જાય છે. આ બધાં કાર્યોને સમન્વય એક જ પ્રકૃતિમાં હાઈ બધા એક જ રૂપ છે. આથી કઈ પણ વસ્તુનો કયાંય પણ અભાવ નથી. સર્વ સર્વાત્મક એવી માન્યતા સાંખ્યાની છે. તેમના આ વાદને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. આથી વિરુદ્ધ નૈયાયિક, વૈશેષિકે અને બૌદ્ધો અસતકાર્યવાદી છે. તેમને મતે કાર્ય જે ઉત્પત્તિની પહેલાં પણ સત હોય તો તેના ઉત્પાદનો પ્રયત્ન વ્યર્થ લેખાય. માટે કાર્યને તેની ઉત્પત્તિની પૂર્વ અને વિનાશની પછી અસત્ જ માનવું જોઈએ. આ બન્ને વિરોધી મંતવ્યોનો સમન્વય જેનોએ દ્રવ્યપર્યાયવાદથી જ કર્યો છે. દ્રવ્યરૂપે સત્ છતાં પર્યાયરૂપે અસત્ માનવું જોઈએ. મારી એની એ જ છતાં તેમાંથી નવાં નવાં પાત્રો બનાવી શકાય છે. સુવર્ણ એનું એ છતાં તેમાંથી નવા નવા ઘાટ ઘડાવી શકાય છે. માટે માટી કે સુવર્ણ રૂપે નિત્ય સ્થિર છતાં જુદા જુદા ઘાટો તો નવા બનતા-બગાડતા હોઈ તે તે રૂપે તે અનિત્ય પણ છે. આ વિવાદ પણ દ્રવ્ય-પર્યાય છે. અર્થન અને શબ્દનય–વસ્તુવિચાર કરનારા અર્થનો છે, પણ વ્યવહારાતા શબ્દોનો અર્થ કેવી રીતે કરે એમાં પણ વિવિધ મંતવ્યો છે. એ બધાંનો સમાવેશ શબ્દોમાં છે. ઉપર જેમને વિષે વિચાર કર્યો છે તે બધા અર્થન છે, એટલે કે, નગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ અર્થનો છે; જ્યારે શબ્દ, સમભિરૂટ અને એવંભૂત એ શબ્દનો છે. બધા જ શબ્દનો પર્યાયાર્થિક નયમાં ગણાય છે, કારણ કે, તે સામાન્યને-દ્રવ્યને નહિ, પણ વિશેષને -પર્યાયને પોતાના વિષય બનાવે છે. શબ્દનોમાંના પ્રથમ શબ્દ Page #212 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ નયને એવો અભિપ્રાય છે કે, ઈન્દ્ર શબ્દથી જે અર્થને બોધ થાય છે તે જ અર્થને બોધ શચીપતિ શબ્દથી પણ થાય છે. માત્ર કારકભેદે કે કાલભેદે અર્થભેદ છે, પર્યાયભેદે નહિ. પણ સમભિરૂઢ તે પર્યાયભેદે પણ અર્થભેદ સ્વીકારે છે. એટલે કે સમભિરૂઢના મત પ્રમાણે કઈ બે શબ્દને એક જ અર્થ હોઈ શકે નહિ. આથી ઈન્દ્ર અને શચીપતિ એક નથી, કારણ, શબ્દોની વ્યુત્પત્તિ જુદી જુદી હોય છે. આથી પણ વધારે સૂક્ષ્મતાથી શબ્દાર્થની વિચારણું એવું ભૂત નય કરે છે. તેના મતે તો શબ્દની વ્યુત્પત્તિ જે ક્રિયાને લઈ હોય તે ક્રિયાનો અર્થ જે વસ્તુમાં ન મળે તો તેને તે શબ્દનો અર્થ કહી શકાય નહિ. જેમ કે ગૌ શબ્દના મૂળમાં ગમનક્રિયા છે, એટલે કે ગમન કરે તે ગૌ. તો પછી એવંભૂતના મત પ્રમાણે બેઠેલી હોય ત્યારે તે ગૌ ન કહેવાય, પણ જે ચાલતી હોય તો જ ગૌ કહેવાય. આમ આ શબ્દનો પણ આંશિક સત્ય ઉપર ભાર આપે છે, પણ તેમને અને કાંતવાદમાં સ્થાન છે. તેમાંના એક પણ નયનો નિરાસ જૈન દર્શન કરતું નથી, પણ તે સૌનો સ્વીકાર કરી એમને યથાસ્થાને ગોઠવે છે. અને આ રીતે, આપણે જોયું તેમ, તે પોતાની સર્વનયમયતા સાધે છે અને આચાર્ય જિનભદ્રની એ ઉક્તિ કે, જૈન દર્શન એ સર્વ દર્શનોના સમૂહરૂપ છે, તેને સાચી ઠરાવે છે. આ અનેકાંતની વિચારણાની પુષ્ટિ અર્થે જ સાત અંગેની રચના કરી વસ્તુના ધર્મોનું પ્રતિપાદન કરવાની એક ખાસ પ્રણાલી પણ જૈન દર્શનમાં અપનાવવામાં આવી છે અને તેમાં સ્વાત્ શબ્દને પ્રયોગ કરવામાં આવે છે, તે એટલા માટે કે, જે કાંઈ પ્રતિપાદન છે તે એક કેઈ અપેક્ષાએ છે, કોઈ એક નય પ્રમાણે છે, નહિ કે, એકાંત; આમ “સ્થાત્ ' શબ્દનો પ્રયોગને કારણે અનેકાંતવાદનું બીજું નામ સ્યાદ્વાદ પણ પ્રસિદ્ધ થયું છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ (૪) આક્ષેપ-પરિહાર સ શયાદ્રિ ઢાંષના પરિહાર—સાંપ્રદાયિક અભિનિવેશને કારણે. અનેકાંતવાદ, જે જીવનમાં સ્વાભાવિક છે અને તેથી જ દર્શનમાં જે અનિવાય` છે, તે વિષે દાનિકોએ માત્ર ખંડનદષ્ટિ અપનાવી તેનો જે નિરાસ કર્યાં છે, તે સર્વથા અનુચિત છે. શંકરાચાય જેવા મહાન દાનિક ગણાતા આચાયે` પણ અનેકાંતવાદમાં ગુણ જોવાને બદલે, પોતાની સાંપ્રદાયિકતાને કારણે, દેજે! જોયા છે, અને તેનું જે ખંડન કર્યુ છે તે તેમની કીર્તિને ઉજ્જવલ કરનાર તે! નથી જ. સ્યાદ્વાદને સંશયવાદ કહેવા એ તેા જ સાચુ ઠરે, જો જૈનો એ ધર્મ વિષે ડેલાયમાન સ્થિતિમાં હાય અને એમાંથી એક વિષે પણ નિણ્ય આપી શકતા ન હાય, જૈનોએ એ વિરાધી ધર્માંની અપેક્ષાભેદે સિદ્ધિ જ કરી છે, તેા પછી તેમાં સંશય જેવું કયાં રહ્યું ? સામે ઊભેલ સ્ત્રીમાં માતૃત્વ અને પત્નીત્વ એ બન્ને ધર્મ વિષે નિશ્ચિત મત હોય અને એ બન્ને ધમ વિષે નિશ્ચિત લીલે! પણ હાય, તે પછી તે બન્ને ધર્માં માનવામાં સંશયને સ્થાન નથી જ. તે રીતે જ તેમાં વિરેાધ પણ નથી, કારણ કે એને માતા માનવામાં અને પત્ની માનવામાં અપેક્ષાએ જુદી જુદી છે. એક જ અપેક્ષાએ તેમાં માતૃત્વ-પત્નીત્વ માનવા જતાં જરૂર વિરેાધ આવે, પણ તેમ તે જૈને માનતા જ નથી. વસ્તુમાં એકતા, નિત્યતા માનવામાં દ્રવ્યદૃષ્ટિને આશ્રય છે અને અનેકતા, અનિત્યતા માનવામાં પર્યાયદૃષ્ટિના આશ્રય છે; તો પછી વિરાધ કયાં રહ્યો ? જૈનધમ ચિંતન વેદમાં દેવસમન્વય—અનેકાંતની ભાવના તે ઋગ્વેદ જેટલી જૂની મળે છે. જ્યારે અનેક દેવવાદ ચાલ્યા ત્યારે ઇન્દ્રદેવ મેટા કે વરુણ મોટા એ વિવાદ શરૂ થયા. ભક્તો પોતપેાતાના ઇષ્ટદેવને ઊંચા ઠરાવવા પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. પણ અંતે એ વિવાદના અંત તે અનેકાંત જ કરી આપે છે. દી તમા ઋષિએ કહ્યું કે—“ વં સત્ विप्रा बहुधा वदन्ति (ઋગ્વેદ ૧, ૧૬૪, ૪૬) પરમ સત્ એકબ્જ "" Page #214 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૧૮૭ છે, પણ કવિઓ તેમને જુદા જુદા નામે કહે છે. આમ અનેક દેવને સમન્વય એકમાં કરવામાં આવ્યું. ક્યાં વરુણ અને ક્યાં ઇન્દ્ર–એ બેનો અને તેવા જ બીજા અનેક દેવનો દેખીતો વિરોધ ગાળીને તેમને સૌને એક બનાવી દેવામાં આવ્યા અને વિવાદને શમાવી દેવામાં આવ્યો. આમ કરવામાં ઋષિને અનેકાંતવાદમાં ન તે અજ્ઞાનવાદની ઝાંખી થઈ કે ન સંશયવાદ દેખાય અને ન વિરોધ પણ દેખાયો. તે પછી શંકરાચાર્ય જેવા વિદ્વાન દાર્શનિકને જેન અનેકાંતમાં એ બધા દોષ શા માટે દેખાયા ? ઉત્તર શંકરાચાર્યની સાંપ્રદાયિક દૃષ્ટિમાંથી જ મળી રહે છે. બ્રહ્મમાં સમન્વય—એ જ શંકરાચાર્ય, જેમને જેના અનેકાંતમાં સંશય, અજ્ઞાન, વિરોધ આદિ દોષ દેખાય છે, તેમણે જ્યારે ઉપનિષદની ટીકા રચી ત્યારે તેઓ અનેકાંતના એ દેને ભૂલી જાય છે. બ્રહ્મને ઉપનિષદમાં સત, અસત જેવા વિરોધી શબ્દો વડે કહેવામાં આવ્યું છે, એટલું જ નહિ, પણ તેનું પૃથ્વી, પાણી, વાયુ આદિ સાથે પણ એકત્વ માનવામાં આવ્યું છે અને ઉપનિષદોનાં એવાં અનેક વિરોધી મતોનો સમન્વય એક માત્ર બ્રહ્મમાં સ્વયં શંકરાચાર્યો કરીને વેદાંત દર્શનને સ્થિર કર્યું છે; બ્રહ્મને “ગોરળવાનું મહતો મહીયાન ” (કઠ. ૧-૨-૨૦)-તે બ્રહ્મ અણુથી પણ અણુ અને મહથી પણ મહત છે; વળી “ફરક્ષરં ચ વ્યાખ્યમ્ ”(વેતાશ્વતર ૧-૮) –તે બ્રહ્મ ક્ષર પણ છે અને અક્ષર પણ છે, વ્યક્ત પણ છે અને અવ્યક્ત પણ છે; “તગતિ તન્નતિ” –શાવા-તે ચંચલ છે અને અચંચલ છે–આવા આવા અનેક વિધી ધર્મોવાળું ઉપનિષદોમાં જણાવવામાં આવ્યું છે અને એ બધા વિધોનું સમાધાન શંકરાચાર્ય ઉપનિષદોની ટીકામાં આપ્યું છે. તેમાં તેમને તે સમન્વય કરવામાં કઈ દોષ દેખાય નથી; પણ જેનો જ્યારે વસ્તુને તેવા જ વિધી ધર્મોવાળી સિદ્ધ કરે છે, ત્યારે તેમને અનેકાંતમાં–સમન્વયવાભાં અનેક સંશયાદિ દોષ સૂઝે છે–આ તેમની સાંપ્રદાયિક દષ્ટિનું Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જેનધામચિંતન જ પરિણામ છે. નિર્વિકલ્પ અને સવિકલ્પ–આપણું રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનની વિશેષતા એ છે કે તેઓ આધુનિક કાળના એક મોટા સમન્વયદશી પુરુષ છે. તેમનાં લખાણમાં, બીજા દાર્શનિકની જેમ, "ધર્મ વિષે કે દર્શન વિષે કદાગ્રહ જવલ્લે જ દેખાય છે. આથી તેઓ પૂર્વ અને પશ્ચિમનાં ધર્મો અને દર્શનોના મહાન સમન્વેતા તરીકે પ્રખ્યાત થયા છે. તેમને અનેકાંતમાં વિરોધ આદિ દોષ ન જણાય તે સ્વભાવિક છે, પણ તેમના ઉપર પણ અદ્વૈત બ્રહ્મનો પ્રભાવ અજબ પડ્યો છે. આથી તેમણે અનેકાંતવાદ વિષે ટીકા કરતાં કહ્યું છે કે અનેકાંતવાદમાં ગુટિ હોય તો તે એક જ છે અને તે એ કે તેમાં absolute ને (પરમતત્ત્વ-બ્રહ્મ જેવા એકાંત તત્વને) સ્થાન નથી. અહીં બહુ જ નમ્રતાપૂર્વક જણાવવાનું કે અનેકાંતમાં absoluteએકાંતને સ્થાન ન હોય તે અનેકાંતવાદનું દૂષણ નથી પણ ભૂષણ છે. અનેક પ્રકારના absolute ને વિરોધ કરવા માટે જ તો અનેકાંતવાદ (non-absolute)નો જન્મ થયો છે. તો પછી તેમાં તેવા એકાંત તત્ત્વને પરમતત્વ રૂપે સ્થાન કેવી રીતે હોઈ શકે ? તેમને મતે તે પરમતત્વ absolute જે કાંઈ હોય તે non-absolute - અનેકાંતાત્મક જ હોઈ શકે. વળી તેવા absolute ને અનેકાંતમાં અવકાશ જ નથી એમ પણ કહી શકાય તેમ છે નહિ; કારણ કે, પહેલાં જણાવી ગયા તેમ, અદ્વૈત વેદાંતસંમત બ્રહ્મની કલ્પનાનેabsolute ને જેનોએ પોતાના સંગ્રહનયમાં આંશિક સત્ય તરીકે સ્થાન આપ્યું જ છે. અનેકાંતવાદ આવા અનેક પ્રકારના કપિત absolute માંથી જ ઊભો થાય છે અને તેમને તેમનું સ્થાન સંપૂર્ણ સત્યમાં ક્યાં છે તે નિશ્ચિત કરી આપે છે. આવા અનેક absolute નો સમન્વય જે કરવામાં ન આવે તો અનેકાંતવાદનું ઉત્થાન પણ ન થઈ શકે. આ પ્રમાણે ડૉ. રાધાકૃષ્ણનને આક્ષેપ પણ તેમના બ્રહ્મ વિશેના પક્ષપાતને લઈને જ છે એમ માન્યા વિના છૂટકે નથી.* Page #216 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૧૮૯ એ સાચું જ છે કે વિવાદ શબ્દવ્યવહારને કારણે જ થાય છે. અને ઉત્કૃષ્ટ ધ્યાનની ભૂમિકામાં જ્યાં વિતક કે વિચારને અવકાશનથી અને વળી જ્યાં ધ્યાનના વિષયભૂત એકમાત્ર આત્મતત્ત્વ કેએવા જ કેાઈ ધ્યેયપદાર્થનું સાક્ષાત્કરણ છે, ત્યાં અખંડ ખેાધ થાય છે અને એવા ખાધતે absolute–નિવિકલ્પ રાખ્તથી વર્ણવવામાં આવે છે. પણ એ જ નિવિકલ્પનું જ્યારે વર્ણન કરવામાં આવે છે ત્યારે વિકલ્પે ઊભા થાય છે. આમ નિવિકલ્પ અને સવિકલ્પને પણ અનેકાંતવાદમાં સ્વીકાર છે જ. બીજા શબ્દોમાં કહીએ તે વસ્તુની વાચ્યતા અને અવાચ્યતા બન્નેનો સ્વીકાર અનેકાંતવાદમાં છે જ. આ રીતે પણ absolute ને અનેકાંતવાદમાં સ્થાન નથી એમ કહેવું તે, મારા નમ્ર મત પ્રમાણે, વિચારણીય ઠરે છે. અનેકાંતમાં absoluteને પણ સ્થાન છે જ, પણ માત્ર absolute તે જ સ્થાન છે, એવું નથી. અનેકાંતવાદના સ્વરૂપને કારણે આમ બને છે. અનેકાંતવાદની એ વિશેષતા છે કે તે ધ્યાનગમ્ય અને ઇન્દ્રિયગમ્ય વસ્તુની સચ્ચાઈ ને નિષેધ કરતે નથી; તેને મતે જેમ નિશ્ચિયનય સાચા છે, તેમ વ્યવહારનય પણ સાચા છે. વસ્તુવ્યવસ્થા કેવળ નિશ્ચયથી કે કેવળ વ્યવહારથી જૈન ઈનમાં નથી બતાવી; તેથી જ આત્માને અરસ, અગન્ધ આદિ વિશેષણાથી નવાજવા સાથે સંસારી આત્મામાં રૂપ, રસ, ગંધ આદિને સ્વીકાર પણ કર્યાં છે. આત્માના મેક્ષ કે આત્માની મુક્તાવસ્થા જેટલી સાચી છે તેટલી જ સાચી તેની સંસારાવસ્થા પણ છે. ભેદ છે તે તે એ કે એક ત્યાજ્ય છે, જ્યારે ખીજી ઉપાદેય છે. પણ આથી બન્નેની સચ્ચાઈમાં ભેદ નથી. અદ્વૈતવેદાંત અને જૈન દર્શનમાં અહીં જ ભેદ પડે છે. અદ્વૈતવેદાંત કહે છે કે જે મુક્તાત્મા-બ્રહ્મ છે તે જ સત્ય છે અને સંસારાવસ્થા મિથ્યા છે, ત્યારે જૈન દર્શન આત્માની મુદ્રાવસ્થાની જેમ જ સંસારી આભાને પણ સત્ય કહેશે. વેદાંત આત્માની ત્રૈકાલિક સત્તાને સત્ય માને છે, પણ આત્માની કાલમર્યાદિત કીધું પણ અવસ્થાને સત્ય માનતું નથી, જ્યારે જૈને ત્રૈકાલિક Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈનધર્મચિંતન આત્મચેતન્યની જેમ જ આત્માનો મનુષ્યજન્મ આદિ, જે મર્યાદિત કાલની વિવિધ અવસ્થાઓ છે, તેને પણ સત્ય માને છે. ટૂંકમાં, અતવેદાંત જે પ્રપંચને મિથ્યા માને છે, તેને જૈન દર્શન સત્ય માને છે. જૈન દર્શનમાં પરમબ્રહ્મ સમાવેશ નિશ્ચયનયમાં છે અને પ્રપંચને સમાવેશ વ્યવહારમાં છે. અને નિશ્ચય તથા વ્યવહાર બન્નેને જેને દર્શન સત્ય માને છે. આથી જ નિશ્ચયનયની દૃષ્ટિએ absoluteને જૈન દર્શનમાં સ્થાન છે જ, પણ માત્ર absolute ને જ જૈન દર્શનમાં સ્થાન છે એવું નથી. non-absolute ને પણ જૈન દર્શન માને છે, કારણ કે, તે વ્યવહારને પણ સત્ય માને છે. શ્રી અરવિંદને સમન્વય–શ્રી અરવિંદના તત્વજ્ઞાનમાં એક પરમતત્વ માનવામાં આવ્યું છે, જેને ખરી રીતે તેઓ અવર્ણનીય કહે છે, છતાં પણ કંઈક વર્ણન કરવું જ હોય તો તેને તેઓ સચ્ચિદાનંદ કહેવાનું પસંદ કરે છે. એમના મતે આ એક જ તત્ત્વમાંથી ચેતન અને જડ બને તત્ત્વોની સૃષ્ટિ થાય છે. અર્થાત એક જ તત્ત્વમાં જડ–ચેતનનો કશો જ વિરાધ નથી. શંકરની જેમ તેઓ જડને માયિક નથી માનતા, પણ જ્યારે સતતત્વમાં ચેતનાશક્તિ કે જ્ઞાનશક્તિ સુપ્ત હોય છે ત્યારે તે જડ કહેવાય છે અને ક્રમે કરી તે વિસે ત્યારે અંતમાં ચૈતન્ય એના પૂર્ણ સ્વરૂપમાં આવી જાય છે. બાહ્ય જે ભૌતિક વસ્તુઓ છે તે પણ શ્રી અરવિંદના મતે સત્ છે. એને .શંકરની જેમ શ્રી અરવિંદ ભાયિક નથી કહેતા. જૈન દૃષ્ટિએ પણ સત સામાન્ય તત્ત્વ એક જ છતાં તેના બે વિશેષ છે : એક ચૈતન્ય અને બીજું જડ. આમ એક રીતે અનેકાંતને શ્રી અરવિંદના મતમાં પણ સ્થાન છે જ. બૌદ્ધ વગેરેમાં અનેકાંતવાદ––ભગવાન બુદ્ધના અનુયાયી ધર્મ કીર્તિ અને શાંતરક્ષિત જેવા આચાર્યોએ પણ અનેકાંતવાદમાં વિરોધાદિ દોષ જોયાં છે, પણ સ્વયં બુદ્ધ વિભજ્યવાદી હતા. આથી જ તેઓએ અનેક પ્રકારના એકાંતને નિષેધ કરીને પિતાના માર્ગને મધ્યમ માર્ગનું Page #218 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૧૯૧ નામ આપ્યું છે. તેમણે વસ્તુને ક્ષણિક કહી છે એ સાચું છે, પરંતુ સાથે જ ધમકીતિ અને શાંતરક્ષિત પણ પ્રવાહનિત્યતા માનીને પુનર્જન્મની વ્યવસ્થા ઘટાવે જ છે. આમ અનેકાંતવાદનો નિષેધ કરવા છતાં તેઓ આડકતરી રીતે તેને સ્વીકાર કરે છે જ. * મીમાંસક કુમારિક એક તરફ એમ કહે છે કે જેન–બૌદ્ધનો અહિંસા આદિનો ઉપદેશ સારે તે છે, પણ તે ચામડાની બખમાંના પાણીની જેમ અગ્રાહ્ય છે, કારણ કે તે વેદવિરોધીઓના મુખથી થયેલ છે. પણ એ જ કુમારિલ જ્યારે વસ્તુવિચાર કરે છે, અને ખાસ કરી આત્મવિચાર કરે છે, ત્યારે જૈનેના અનેકાંતવાદને સંમત એવા ભેદભેદનો આશ્રય લે છે. અને દ્રવ્ય-પર્યાયવાદનો આશ્રય લઈ વસ્તુની નિત્યતા-અનિત્યતા સિદ્ધ કરે છે. તૈયાયિકોને અનેકાંતવાદમાં વિરોધ જણાવે છે, પણ એ જ નિયાયિકોએ અવાનર જાતિના એક પ્રકારને સામાન્ય –વિશેષ કહ્યો છે; જેમ કે ગોત્વ જાતિ એ ગાયોની અપેક્ષાએ સામાન્ય છે, પણ અશ્વત્વની અપેક્ષાએ વિશેષ છે.. | રામાનુજ, વલ્લભ આદિ બ્રહ્મના પરિણામવાદને માનનારા હોઈ તે વિષે તેઓ પણ અનેકાંતવાદી જ કહેવાય, છતાં પણ તેઓ શંકરાચાયે કરેલ અનેકાંતવાદના ખંડનમાં સંમત થાય છે, તે સાંપ્રદાયિક અભિનિવેશ જ છે. -“પ્રબુદ્ધજીવન”, ૧-૩-૬૪, ૧-૪-૬૩, ૧૬-૪-૬૩. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૩ - ધર્મની કસોટી - ભગવાન મહાવીરના ધર્મનું રહસ્ય એક શબ્દમાં કહેવું છે તે કહી શકાય કે તમે તમારા પોતાના ઉપર ભરોસો રાખી આગળ વધે. તમારો ઉદ્ધાર અગર નાશ તમે પિતે જ કરી શકો છો. આ રહસ્ય ભૂલવાને કારણે જ આપણે ધર્મની ચાવી બીજાના હાથમાં સંપી દીધી છે. જૈનધર્મનું ઉત્થાન શાથી થયું એ જે ઈતિહાસને પૂછવામાં આવે તો તે કહેશે કે હિંદુધર્મના ગુરુઓએ અને ઈશ્વરે લોકોના ઉદ્ધારની ચાવી પોતાની પાસે રાખી લોકોને નિર્બળ અને અસહાય બનાવી મૂક્યા હતા, એ તેમની અસહાયતા ટાળવા માટે જ જૈન અને બૌદ્ધ ધર્મો આગળ આવ્યા છે. આચાર્ય હરિભદ્ર ધર્મની શી કસોટી છે તે ટૂંકામાં બતાવી છે. જેમ સોનાની તાપ, છેદ અને કષથી પરીક્ષા થાય છે, તેમ ધર્મની પણ એ ત્રણ પરીક્ષાઓ છે. કષ–કેઈ પણ જીવની હિંસા ન કરવી. હિંસાનો અર્થ માત્ર મારવું એ નથી, પણ મન-વચન-કાયાથી કઈ પણ જીવને ન દૂભવા એ તો છે જ, તે ઉપરાંત પોતાના આત્મામાં પણ કલેશને ઉત્પન્ન ન થવા દેવે તે પણ છે. આવા વ્યાપક અર્થમાં (૧) હિંસાનો નિષેધ અને (૨) આત્માને શાંતિ મળે તેવા ઉપાયોની યેજના કરવી એ બે વસ્તુ જેમાં હોય તે ધર્મ છે, તે શુદ્ધ ધર્મ છે: ધર્મના વિષયમાં આ પરીક્ષા કષ કહેવાય છે. છેદ-–કઈ પણ બાઘાનુષ્ઠાન એવું ન હોય, કઈ પણ વ્યવહાર એવો ન હોય, કેઈ પણ આચરણ એવું ન હોય, જેથી ઉપલી બે બાબતમાં બાધા આવે. અર્થાત ધર્મને નામે સમાજમાં કલહવૃદ્ધિ, ઈર્ષ્યા, દ્વેષનો વધારે થાય એવું કોઈ પણ કૃત્ય કરવાની ધર્મમાં છૂટ નથી. ધર્મના વિષયમાં આ પરીક્ષા છેદ કહેવાય છે. તાપ–જીવ છે, તેને સંસાર છે, બંધ છે અને મોક્ષ પણ છે Page #220 -------------------------------------------------------------------------- ________________ ધર્મની સેટી એવી માન્યતા જેમાં હોય તે ધર્મ છે. આ પરીક્ષા તાપ કહેવાય છે. * આમ સોનું જેમ તવાઈ છેદાઈ અને કસેટી ઉપર ચડી શુદ્ધ થાય છે, અને બધી પરીક્ષામાં પાર ઊતરે છે અને શુદ્ધ કરે છે, તેમ ધર્મ પણ ઉપલી ત્રણે પરીક્ષામાં પસાર થાય તો તેને શુદ્ધ ધર્મ કહે, અન્યથા મિયા ધર્મ બનાવટી ધમ, ઠગારે ધર્મ કહેવો. એવા ધર્મથી છવનું ભલું થવાને બદલે અહિત જ થવાનું છે. - નિશ્ચય અને વ્યવહારની સમતુલા - આ કસોટી ઉપર ચડાવી જે ધર્મની પરીક્ષા કરવામાં આવે તો તે નહિ મળે એકાંત નિશ્ચયના ઉપદેશ કરનારામાં અને નહિ મળે માત્ર વ્યવહારની મોટી મોટી વાતો કરનારામાં. ઉપદેશ નિશ્ચયનો હોય કે વ્યવહારને, પણ તેથી સમાજમાં કલહવૃદ્ધિ જે થતી હોય તો તે ધર્મ હોઈ શકે જ નહિ અને તેના ઉપદેશક ક્યાંઈક ભૂલે છે એમ જરૂર માનવું જોઈએ. ધર્મનો ઉપદેશ અને અનુષ્ઠાનને પરિણામે જે જીવનમાં અશાંતિ જ લાધતી હોય તો સમજવું કે તે ધર્મ નથી, ધર્માનુષ્ઠાન નથી, પણ ધર્મના નામે કાંઈક ભળતું જ આપવામાં આવ્યું છે. હરિભદ્રાચાર્ય એક સ્થળે વ્યવહારધર્મ અને નિશ્ચયધર્મનો સમન્વય કરતાં કહે છે કે જૈન સિદ્ધાંતમાં તે બન્ને નયોનું સમપ્રાધાન્ય • છે. જે તું જૈન મતને સ્વીકારતો હોય તો પછી એ બેમાંથી એકને પણ છોડીશ નહિ. વ્યવહારના ઉચ્છેદથી તીર્થનો ઉચ્છેદ થાય છે અને વ્યવહારમાં પ્રવૃત્તિ થવાથી ક્રમશઃ જીવનો શુભ પરિણામ થઈ તે દ્વારા તે પરિણમે તો કર્મબંધનોને ઢીલા કરી મોક્ષમાર્ગે ચડે છે અને તે જ તે નિશ્ચયનયને ઈષ્ટ છે. તો પછી વ્યવહાર છોડી નિશ્ચયમાં શા માટે રાચવું? - આચાર્ય ભદ્રબાહુના શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે જેમને આકરાં અનુષ્ઠાને ગમતાં નથી, કાંઈક કરવું પડે તેમાં આળસ ચડે છે, તેઓ નિશ્ચયની વાતો કરીને ભગવાનના શાસનનો નાશ કરે છે. પણ તેથી ઊલટું, જે લેકે ખાલી વ્યવહારની વાતો કરે છે, ભાવની નિશ્ચયની પરવા નથી કરતા, વ્યવહારના નામે સમાજની Wwા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈનધર્મચિંતન શાંતિને પણ જોખમમાં નાખે છે, તેઓ સમાજને શાંતિના માર્ગે તે લઈ જતાં જ નથી, ઊલટું આડંબરમાં જ પડી ધર્મના રહસ્યને, સાધારણ મનુષ્યની સમજમાં તે આવવા જ ન પામે તેવી રીતે, ગોપવી રાખી મહાપાતક કરે છે. , એટલે ગમે તેનો ઉપદેશ સાંભળીએ, પણ તેની કસોટી સદાય પિતાની હોવી જોઈએ; તે કસોટી આચાર્ય હરિભદ્ર બતાવી છે તે અગર તેવી જ પિતે ઘડી કાઢવી જોઈએ અને તે કસોટીએ કસી જોયા પછી જ એ ઉપદેશનો આદર અગર અનાદાર કરવો જોઈએ. –“પ્રબુદ્ધ જીવન”, તા. ૧૫-૮-૪૩ આમલીપો ભવ–આત્મદીપ બને! - ભગવાન મહાવીરને અંતિમ સંદેશ કયો એ જાણવું જરૂરી છે. કોઈ ઉત્તરાધ્યયન સૂત્રને તેમના અંતિમ સંદેશ કહે છે; તો કોઈ કહે છે કે, કેટલાક અણપૂછયા પ્રશ્નોના ઉત્તર તેમણે અંતિમ કાળમાં આપ્યા. એ ગમે તેમ હો, પણ એક વાત નક્કી છે કે, તેમણે ગૌતમને જે રીતે ઉપદેશ આપે અને ગૌતમને જે પ્રકારે મોહ નષ્ટ થયે, એ આપણે જાણીએ તો તેમના અંતિમ ઉપદેશનું રહસ્ય મળી રહે છે. મૂર્છા–મેહને ત્યાગ ભગવાન મહાવીરના સમગ્ર ઉપદેશનો સાર “મૂછત્યાગ માં સમાયે છે. અને એ મૂછત્યાગનો આધાર મનુષ્યનો પિતાનો પુરુષાર્થ છે; તેમાં કોઈની પણ કૃપા કામ કરી શકતી નથી. - ગૌતમ ભગવાનના અનન્ય ઉપાસક હતા. અને તેઓ ભગવાનને સર્વસ્વ માનતા. એમ પણ કહી શકાય કે તેમની ભગવાન પ્રત્યેની ભક્તિ સૂક્ષ્મ મૂછ–મેહમાં પરિણમી હતી. આ સૂક્ષ્મ મેહ જ તેમના કેવળજ્ઞાનમાં બાધક હતો, એ ભગવાન પણ સારી રીતે જાણતા હતા. ભક્તિ અને મોહમાં જે ભેદ છે–જે સૂક્ષ્મ ભેદ છે–તેનું રહસ્ય પોતાના Page #222 -------------------------------------------------------------------------- ________________ આત્મદીપ અને ૧૯૫ જીવનની અંતિમ ક્ષણોમાં બતાવવા માટે ભગવાને સ્વયં ગૌતમને પિતાથી અળગા કર્યા. ગૌતમને પોતાને જીવનભર એ દુઃખ રહ્યું હતું કે, મારા પોતાના શિષ્યો કેવળજ્ઞાનને પામ્યા, છતાં હું કેમ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો નથી ? પણ તેમની પોતાની સૂક્ષ્મ મૂ તેમાં બાધક હતી, તેને ખ્યાલ તેમને ન હતો. આ રોગનું નિદાન ભગવાને કર્યુંપોતાના નિર્વાણ સમયે જ ગૌતમને પિતાથી અળગા કર્યા અને પોતે નિર્વાણને પામ્યા. આ વાતની ખબર જ્યારે તેમને પડી ત્યારે જ ગૌતમે પોતાના જીવનમાં એક અપૂર્વ આંચકે અનુભવ્યો. તેમને લાગ્યું કે ભગવાનની આ કેવી નિર્મમતા કે અંતિમ ક્ષણે જ મને અળગો કર્યો! જીવનભરના સાથીની આવી ઉપેક્ષા માટે તેમને ક્ષણભર રોષ પણ આ અને એ રોષમાંથી જ તેઓ તેમના જીવનના અંતિમ ઉદ્ધારને માર્ગે વળ્યા. તેમણે વિચાર્યું કે મેં ભગવાનની અનન્યભાવે ઉપાસના તે કરી, પણ મારા પોતાના આત્માની ઉપાસના” હું ચૂકી ગયો ! ઉપાસના આવશ્યક છે, પણ તેમાં જીવ જે પોતાના આત્માને જ ચૂકી જાય તો તે ઉપાસના ગમે તેટલી તીવ્ર હોય છતાં તે પોતાનો ઉદ્ધાર કરી શકે નહિ. એટલે ઉપાસના એ ઉપાસના ખાતર જ નહિ, ઉપાસ્ય ખાતર પણ નહિ, પણ ઉપાસકના “ આત્મા” ખાતર જ છે. એનું ભાન સતત રહેવું જોઈએ. આવું ભાન જે રહે છે તે ઉપાસક ઉપાસના ગમે તેની કરે પણ તે ઉપાસનાનું પરિણામ તો પિતાની ઉપાસનામાં જ આવે અને ત્યારે જ તે પોતાનો ઉદ્ધાર પોતે કરી શકે. ભગવાનને હું અનન્ય ઉપાસક છતાં તેમને મારામાં રાગ–મોહ હતો નહિ, એટલે જ તેઓ મારા જેવા અનન્ય ઉપાસકને પણ છોડી શક્યા, મારા પ્રત્યેનો રાગ તેમને બાંધી શક્યો નહિ, મારી ઉપાસના તેમને રોકી શકી નહિ; તો મારે પણ એ જ માર્ગ હોઈ શકે. તેઓ મારા ઉપાસ્ય ખરા પણ મારી મહાવીરની ઉપાસના મારા પિતાના આત્માની ઉપાસનાના એક સાધનરૂપ જ છે. તેમની ઉપાસના કરતો કરતો હું જે મારા આત્માની ઉપાસનાને ભૂલી Page #223 -------------------------------------------------------------------------- ________________ જેનધમચિંતન જાઉં, કે તેમની ઉપાસના દ્વારા મારા આત્માની ઉપાસનાને માન વળું અને કેવળ તેમની જ ઉપાસનાને વળગી રહું તો એ પણ એક મેહ છે, સૂક્ષ્મ સૂર્ણ જ છે. આવી મૂછ મારામાં છે જ અને એ મૂછનો જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી મારી આત્મોપાસના પૂર્ણ થતી નથી અને એવી આત્મપાસના વિના આત્મોદ્ધારનો માર્ગ મળતું નથી. છે. આવી જ કેઈક વિચારણાને આધારે ગૌતમે મૂછમાં અટવાઈ પડેલા આત્માને પ્રાપ્ત કર્યો અને તેમનાં બંધન તૂટી ગયાં; તેઓ નિર્મોહી બન્યા અને કેવળજ્ઞાનને પામ્યા. - આપણે જ આપણું ઉદ્ધારક - આ ઘટના ઉપરથી આપણે સહેજે એ તારવી શકીએ છીએ છે, જેનધર્મમાં ભક્તિનું સ્થાન છે ખરું, પણ એ ભક્તિ એકપક્ષીય છે, એટલે કે જેની આપણે ભક્તિ કરીએ છીએ તે આપણું ઉપર કશી જ કૃપા કરતા નથી, તેઓ આપણું ઉપર રાગ કરતા નથી; એટલે છેવટે તો આપણે ઉદ્ધાર આપણે જ કરવાનો છે. ઉપાસ્ય એ તે માત્ર ધ્રુવ તારો છે. એ બતાવે છે કે, માર્ગ કયો છે. એ માર્ગ નિમમતાનો છે એટલે આપણે પણ છેવટે નિમર્મ જ થવાનું છે. આ ધ્રુવમંત્ર એ ધ્રુવ તારા રૂપ ઉપાસ્ય પાસેથી આપણે પ્રાપ્ત કરીએ છીએ અને એમાંથી જ આપણા ઉદ્ધારને ભાગે આપણે વળીએ છીએ. આમદીપ બનીએ ભગવાનનો અંતિમ ઉપદેશ કર્યો તે એક શબ્દમાં કહેવું હોય તે તે પરિગ્રહત્યાગ છે. આપણે આંતર-બાહ્ય પરિગ્રહના ત્યાગની ભાવના પ્રબળ બનાવીએ અને “આત્મદીપ” બનીએ, એ જ આત્માને પામવાનો મુખ્ય માર્ગ છે. - બાહ્ય દીપ ભગવાન છે. એ દીપથી આત્મદીપ સળગાવી આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ અને બીજાને માટે બાહ્ય દીપ બનીએ. અને એ દીપ-પરંપરા સદા જલતી રાખવામાં આપેણ જીવનની સાર્થકતા અનુભવીએ તો જ આપણું જીવન અને આપણું સાધના સાર્થક બને. –“જૈન પ્રકાશ”, તા. ૧-૧૧-૫૬.. Page #224 --------------------------------------------------------------------------