SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિંતન વિરુદ્ધના એવા શિથિલ આચારનું વજન કરવું જોઈએ. આમ એ સ્પષ્ટ છે કે બૌદ્ધોએ એ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે આચારને સ્ત્રોત કેવળ ભગવાન બુદ્ધ છે. તેમાં અપવાદ કરવાને અધિકાર કે ઈને પણ નથી; એટલું જ નહિ પણ ગૌણ નિયમનું અતિક્રમણ કરવાની સંઘને છૂટ બુદ્ધે આપ્યા છતાં નિશ્ચિત ગૌણ નિયમો કયા એ અંગે બુદ્ધની નિશ્ચિત સૂચના નહિ હોવાથી એમાં પણ સંઘે છૂટ સ્વીકારી નહિ. આ વસ્તુ સંઘની ભગવાન બુદ્ધમાં અપ્રતિમ નિષ્ઠા બતાવે છે, અને આચારમાં એકમાત્ર બુદ્ધનું જ અપ્રતિહત પ્રામાણ્ય સ્વીકારે છે.' વેદપ્રતિપાદિત આચાર એ આજ્ઞા છે અને તેમાં તર્ક યા- ઉપપત્તિને કેઈ સ્થાન નથી; જ્યારે બુદ્દે જે જે આચારના નિયમો બનાવ્યા છે, તે શા માટે બનાવવા જરૂરી હતા, તેનું સ્પષ્ટીકરણ કરાવતી વસ્તુકથા વિનયપિટકમાં આપવામાં આવી છે. સામાન્ય રીતે કહી શકાય કે જે કાર્યોથી લોકાપવાદ થાય તેવાં કાર્યોનો નિષેધ બુદ્દે કર્યો છે. અને નિયમપાલનનું ઔચિત્ય પણ સિદ્ધ કરવાનો પ્રયત્ન પદે પદે વિનયમાં સ્પષ્ટ દેખાય છે. બૌદ્ધ આચારમાર્ગની એક ખાસ વાત એ છે કે પાલનકર્તા તેનું ફળ પ્રત્યક્ષ કરે છે અને બીજાઓ પણ બૌદ્ધોના આચારમાર્ગનું પરિણામ જોઈ શકે છે. અર્થાત્ અદષ્ટ ફળ ઉપર બુદ્ધનો ભાર નથી, પણ પ્રયા ફળ ઉપર બુદ્ધનો વિશેષ ભાર છે. વૈદિક અને બૌદ્ધ આચારમાં આ એક ધ્યાનમાં લેવા જેવો ભેદ છે. જેન આચાર દશન અને આચાર જૈન આચાર વિચર જૈન દર્શનના વિચારથી જુદો થઈ શકે છે નહિ, એટલે દાર્શનિક વિચારોને અનુકૂળ રહીને જ જૈન આચારનું ઘડતર થઈ શકે, એ વસ્તુ સ્વીકારવી જોઈએ. સામાન્ય રીતે એવું - ૧. જુઓ વિનયપિટક, પંચશતિકા સ્કંધક અને સપ્તતિકા અંધક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy