SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચારના મૂળ સિદ્ધાંતા બૌદ્ધ આચારના સ્રોત બૌદ્ધ વિનય અર્થાત્ આચારના નિયમાનું સર્જન કરવાનો અધિકાર કેવળ ભગવાન બુદ્ધને જ છે. તેમનું નિર્વાણ થયું ત્યારે કેટલાક ભિક્ષુઓ કહેવા લાગ્યા કે હવે આપણે સ્વતંત્ર થઈ ગયા, આપણાં ઉપરનું નિયન્ત્રણ દૂર થયું, એટલે ફાવે તેમ વર્તન કરી શકીએ છીએ. આ સાંભળી શ્રદ્ધાળુ ડાહ્યા પાંચસે વિરાએ સંગીતિ કરી અને ભગવાન મુદ્દે જે આચારના નિયમાનું પ્રવન કર્યું હતું તેને સંભારી સંભારીને જે સંકલન કર્યું` એ જ ‘વિનયપિટક ’ નામે ઓળખાય છે. બૌધમાં અનેક સંધ અને સંપ્રદાયભેદો થયા, પણ એ બધાના વિનયમાં, નહિવત્ ભેદ છે. એ સર્વેને એક વસ્તુ સમાન રીતે માન્ય છે કે આચારના નિયમાનું સર્જન તે ભગવાન બુદ્ધ જ કરી શકે છે. આ ઉપરથી કહી શકાય કે ઔદુધર્મમાં આચારનો સ્રોત કેવળ ભગવાન બુદ્ધ જ છે. પ ઔદ્ધ વિનયના નિયમેામાંથી સધ આવશ્યક સમજે તે અતિ ગૌણ નિયમેને ઢીલા પણ કરી શકે છે, અથવા તે તેવા અતિ ગૌણ નિયમેાનું ઉલ્લંધન પણ કરી શકે છે, એવું નિર્વાણુ સમયે ભગવાન મુદ્દે ભિક્ષુ આનંદને કહેલ. છતાં પણ સંગીતિમાં એકત્ર થયેલા ભિક્ષુએ એવા ઉલ્લંઘનના પક્ષમાં ન થયા અને નાના-મે!ટા બધા જ નિયમેનું પાલન કરવું આવશ્યક છે એમ તેમણે નક્કી કર્યું. કારણ કે ભિક્ષુ આનંદે ભગવાન બુદ્ધ પાસેથી એ સ્પષ્ટીકરણ માગ્યું ન હતું કે કયા કયા નિયમેાને ભગવાન બુદ્ધ અતિ ગૌણુ ગણતા હતા. ભગવાન બુદ્ધના નિર્વાણ પછી સે। વર્ષે અમુક ભિક્ષુએના આચારમાં કેટલાક નિયમેામાં શિથિલતા આવી. અને એવી શિથિલતા વિહિત છે અથવા તેને યુદ્ધવચનનું સમન છે, એમ તે કહેવા લાગ્યા, ત્યારે ફરી પાછા ૭૦૦ વિરા એકત્ર થયા અને નિય કર્યાં કે એવી શિથિલતાના સમનમાં બુદ્ધુવચન નથી. તેથી વિનય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy