SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ • ૨૪ જૈનધમ ચિતન વામાં આવે છે. એટલે કે બધા આચારનું મૂળ વેદ છે અને વેદથી જે વિરુદ્ધ હોય તે ધર્મજનક બની શકે નહિ અથવા તે ધમ ગણાય નહિ. આમ વૈદિકો માટે વેદ એ આચરણની બાબતમાં પ્રમાણ છે. ' પણ આના અર્થો કોઈ એમ કરે કે વેદકાલીન આચાર જ આજે હિન્દુ સમાજમાં પ્રવર્તે છે, તે તે મેટી ભૂલ કરે છે. વસ્તુસ્થિતિ એવી છે કે સ્મૃતિકારા અને નિબંધકારાએ પોતપોતાના કાળમાં પ્રચલિત અને પરિવર્તિત આચારાનું ` સમર્થન કર્યું છે; અને કેટલાક વેદકાલીન આચારેને તે કલિવર્જ્ય ગણીને વેદવિહિત છતાં વર્જ્ય ગણ્યા છે, અને તેને બદલે સમકાલીન પ્રચલિત અને પરિવતિત આચારાને ગ્રાહ્ય ગણ્યા છે. આમ છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે તેએ એ પરિવર્તિત આચારાને પણ વેદથી અવિરુદ્ધ છે એમ સ્થાપવાનેા પ્રયત્ન તે। અવશ્ય કરે છે. તેથી એમ કેહી શકાય કે તેમને માટે તે બધા આચારે વેદવિહિત જેવા જ છે અને તેમનું પ્રામાણ્ય વેદથી જ છે. એટલે કે બધા આચારનું મૂળ તેએ વેદમાં જ શેાધે છે પછી ભલે વેદમાં એમાંનું આપણી દૃષ્ટિએ કશુ જ ન હાય. સંક્ષેપમાં એમ કહી શકાય કે વેદથી આજ સુધીમાં આચારનું સમાયનુકુલ પરિવર્તન થતુ જ આવ્યું છે. અને તે પરિવર્તનને ખુદ્ધિઅળે વેદ-અવિરે ધી સિદ્ધ કરવામાં પડિતાના પાંડિત્યનો ઉપયેગ થતુ રહ્યો છે. વસ્તુસ્થિતિએ આજના રૂઢ આચારાના સમર્થનમાં વેદમાંથી બહુ જ થાડુ મળી શકે એમ છે એ સ્વીકારવુ જોઇએ; એટલુ જ નહિ પણ આજના હિન્દુકેડના ધારામાં આવતા ઘણા સુધારક આચારાનું સમન વેદમાંથી મળે છે; છતાં આશ્રય તે! એ છે કે સનાતની હિન્દુએ વેદનું નામ લઈ ને હિન્દુકેડનો વિરોધ કરતા રહ્યા છે. ૧ વિશેષ વિવરણ માટે જીએ ડૉ. અલ્ટ્રેકરનું ‹ Sources of Hindu Dharma,” Pub Institute of Public Administration, Sholapur. Jain Education International .. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy