SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધ છે. એટલે યજ્ઞસંસ્કૃતિને સંબ ંધ ‘બ્રાહ્મણુ’ નામે ઓળખાતી વિચારધારા સાથે છે એ સ્પષ્ટ છે. ત્યારે અર્થાત્ જ સિદ્ધ થાય કે બ્રાહ્મણથી જે પૃથક્ વિચારધારા હતી તેનેા સંબધ શ્રમણ’ સાથે હાવા જોઈએ. એટલે કે, કલ્પી શકાય કે, મુઠ્ઠુ અને મહાવીરના પહેલાં પ્રાચીન કાળમાં ધર્માંના એ સ્પષ્ટ ભેદો હતા—બ્રાહ્મણ અને શ્રમણ. ભૂવિજેતા અથવા બાહ્ય-જગત-વિજેતાની સંસ્કૃતિ તે બ્રાહ્મણુ સંસ્કૃતિ, એ આગળ કહેવાઈ ગયું છે. એટલે તેથી વિરુદ્ધ આત્મવિજેતાની જે સંસ્કૃતિ તે શ્રમણ સંસ્કૃતિ એમ સહેજે ફલિત થાય છે. જેમ ભૂવિજેતા ઇન્દ્રાદિ દેવે પ્રસિદ્ધ છે અને તે બ્રાહ્મણુ પરંપરામાં ઉપાસ્યપદને પામ્યા છે, તેમ શ્રમણ સંસ્કૃતિમાંના જે આત્મવિજેતાએ થયા તે ‘જિન' નામે એળખાતા. મેાહન-જો-ડેશ આદિમાં પ્રાપ્ત ધ્યાનમુદ્રાસ્થિત શિલ્પેશ એમના આત્મવિજયના પ્રયત્નનું સૂચન કરે છે, એમ સહેજે કલ્પી શકાય છે. : ઇન્દ્રમાં ક્ષાત્રતેજ હતું, પણ બ્રહ્મતેજ સામે તે પરાસ્ત થયું અને મૂળમાં ક્ષત્રિયેાનું તેજ હેાવા છતાં એ સંસ્કૃતિ ‘ બ્રાહ્મણ સંસ્કૃતિ ’ને નામે પ્રસિદ્ધ થઈ; જ્યારે શ્રમણામાં એ ક્ષાત્રતેજનું જ રૂપાંતર આભ્યતર તેજમાં-આત્મતેજમાં-થયું. શારીરિક તેજ કે બળ એ ખરું બળ નથી, પણ આભ્યંતર તેજ—આત્મિક બળ–જ ખરું... બળ છે એમ માનીને ક્ષાત્રતેજને જ નવા અથ આપવામાં આવ્યા. અને એ રીતે શ્રમણુ સંસ્કૃતિને વિકાસ ક્ષત્રિયાએ કર્યાં. જ્યાં સુધી ઇતિહાસની નજર પહોંચે છે, ત્યાં સુધી વિચાર કરતાં જણાય છે કે ક્ષત્રિયાએ જ—એટલે કે નવું આધ્યાત્મિક બળ ધરાવતા ક્ષત્રિયાએ જ—શ્રમણસસ્કૃતિને વિકસાવી છે. એ સંસ્કૃતિના સમન્વય અને તેને સમય ઉપનિષદેશમાં આપણે જોઈએ છીએ કે બ્રહ્મવિદ્યા, જે પ્રથમ યુર્વિદ્યા હતી, તે આત્મવિદ્યાને નામે પ્રસિદ્ધ થઈ અને તેના પુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy