SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ ચિતના શક્તિપૂજક હતા. પણ જ્યારે એક પ્રજા ઉપર બીજી પ્રજાએ વિજય મેળવ્યેા, ત્યારે એ મહાન વિજયના વિજેતા ઇન્દ્રે એક વિશિષ્ટ પ્રકારે મહત્ત્વ પ્રાપ્ત કર્યું, અને એને લીધે ભારતવમાં જે સંસ્કૃતિને વિકાસ થયા, તેને આપણે યજ્ઞસંસ્કૃતિ તરીકે એળખીએ છીએ. એ સંસ્કૃતિના વિકાસમાં મૂળે તે ક્ષાત્રતેજ અથવા શારીરિક બળ હતું.. પણ બુદ્ધિબળે એના ઉપર વિજય મેળવ્યો ત્યારે તે ક્ષત્રિય સસ્કૃતિના નામે નહિ પણ બ્રાહ્મણુસંસ્કૃતિના નામે પ્રસિદ્ધ થઈ. આર્યાં જ્યારે આ પ્રકારના વિજય કરતા કરતા ભારતવષ માં આગળ વધી રહ્યા હતા ત્યારે પણ ભારતવર્ષમાં નગરસંસ્કૃતિના વિકાસ ઠીક ઠીક થઈ ગયેા હતેા. ભ્રમણશીલ આય્યમાં જે ઉત્સાહ અને વીની શારીરિક સૌંપત્તિ હાય તેના કરતાં સ્થિર થયેલ નારિકામાં શારીરિક બળ એઠું અને ખુદ્ધિબળ વધારે હોય, એ સહેજે સમજી શકાય તેવી વાત છે. t શારીરિક બળ સામે બુદ્ધિબળ ટકી શકયું' નહિ અને ઇન્દ્રે અનેક પુરાનગરાના નારા કરી મહાન વિજય મેળવ્યેા અને પુરંદરની પદવી પ્રાપ્ત કરી. આમ એ નગરસંસ્કૃતિને લગભગ નાશ થયા. અનેક મુનિએ–યતિઓના નાશ કરવામાં આવ્યેા, એવા ઉલ્લેખા મળે છે. મેાહન–જો–ડેરા અને હરપ્પામાં અનેક મૂર્તિ એવી મળી છે, જેને આપણે ધ્યાનમુદ્રામાં સ્થિત માની શકીએ છીએ. એટલા ઉપરથી એક અનુમાન તારવી શકીએ કે ભારતીય નગરસંસ્કૃતિના ધાર્મિક નેતાએ યેાગના અભ્યાસ કરતા હશે. ઇન્દ્રે જે મુનિએ કે યતિઓને માર્યાં તે આ જ લેાકેા હશે, એવું અનુમાન પણ તારવી શકાય. લેખિત કાઈ પણ પુરાવાના અભાવ હાઇ એમના ધર્મનું શું નામ હશે તે કહેવું કઠણ છે, પણ મુદ્ઘ અને મહાવીરના સમયમાં એ વિચારધારા સ્પષ્ટ પૃથક્ હતી, જેના નિર્દેશ બૌદ્ધ અને જૈન ગ્રન્થામાં મળે છે. અને 'તે છે-બ્રાહ્મણ અને શ્રમણુ. યજ્ઞસંસ્કૃતિનાં યજ્ઞવિધિવિધાનાથી ભરપૂર જે ગ્રન્થા ઉપલબ્ધ છે, તે બ્રાહ્મણ ’નામથી ઓળખાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy