SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ અને જૈનધર્મ રૂપે સંઘરી રાખવાનો પ્રયત્ન કર્યો જ છે, એ સ્વીકારવું જ જોઈએ. મૂળ આગમોમાંથી પોતાને અનુકૂળ ન હોય તેવું કાઢી નાખવાનો પ્રયત્ન જાણું જોઈને શ્વેતાંબરોએ કર્યો નથી. મૂળ અંગ આગમાં પણ સુધારા-વધારા જરૂર થયા છે, પણ એ સુધારા-વધારાની પાછળ એકાંતભાવે વસ્ત્રના સમર્થનની જ દૃષ્ટિ રહી છે, એવું પણ નથી-એ પણ સ્પષ્ટ છે. અને જૈન પરંપરાના આચાર–કર્મકાંડની વ્યવસ્થિત પરંપરા જે પ્રકારે શ્વેતાંબરોમાં સુરક્ષિત છે તે પ્રકારે દિગંબરોમાં નથી. તે મૂળ પ્રવાહથી તેમને વિચ્છેદ અને શ્વેતાંબરની નિકટતા સિદ્ધ કરી આપે છે. સામાયિક–પ્રતિક્રમણ જેવા દૈનિક ક્રિયાકાંડ પણ દિગંબરમાં સુરક્ષિત નથી રહ્યા છે તેમને પરંપરાવિચ્છેદ કહી જાય છે. . આમ ભગવાન મહાવીરના ઉપદેશને જાળવી રાખવાનું માન ભલે શ્વેતાંબરો ખાટી જાય, પણ તેમની આચારની શિથિલતાએ દિગંબર સંપ્રદાયને જન્મ આપે એમ કહેવું જોઈએ. શ્વેતાંબરેના અથવા તો શિથિલાચારીઓના વિરોધમાં દિગંબર સંપ્રદાય નવા બળ સાથે ઊભે થયો અને ભગવાન મહાવીરના આચારમાર્ગની ઉત્કટતાને જાળવી રાખવા પ્રયત્નશીલ બન્યો. આ કારણે સમગ્ર જૈન સમાજમાં પણ એક નવી જાગૃતિ આવે એ સ્વાભાવિક છે. સ્વયં શ્વેતાંબરોએ પણ ચૈત્યવાસ વિરુદ્ધ મોટું આંદોલન જગાવ્યું હતું. પણ આચારની ઉત્કટતા એ મનુષ્યમાં સ્વાભાવિક નથી, પ્રેરણાની અપેક્ષા રાખે છે. આવી પ્રેરણું મંદ પડતાં જ પાછું આચારશૈથિલ્ય પ્રવર્તે છે. સ્વયં દિગંબર સંપ્રદાયમાં પણ ભટ્ટારકાની પરંપરા એ મહંતાઈથી જરા પણ ઊતરતી નથી. અને સમાજ પર અધિકાશે પ્રભુત્વ તે એ ભટ્ટારકેનું જ રહ્યું છે. કારણ, ઉત્કટ દિગંબર આચાર પાળનારા મુનિઓનો તો દિગંબર . સમાજમાં પણ હંમેશા તોટો જ રહ્યો છે અને એ જ વસ્તુ લેતાં બરના મધ્યમ માર્ગને વ્યવહારુ ગણવી જાય છે. શ્વેતાંબરોમાં અનેકવાર ક્રિયેદ્ધાર કરવો પડ્યો છે અને નવા નવા ગચ્છ-સંપ્રદાય ઊભા થયા છે, તે જ પ્રમાણે દિગંબરામાં પણ અનેક વાર ક્રિયેાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy