SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ ૧૭૯ માનવામાં આવે છે. વ્યવહારનું તાત્પય એ છે કે લેાકવ્યવહારને પ્રમાણ માનીને ચાલવું. લાકવ્યવહાર વસ્તુગત સૂક્ષ્મ ભેદોને ધ્યાનમાં લીધા વિના જ સ્થૂલ અભેદ માનીને ચાલે છે. આથી વ્યવહારનય દ્રવ્યાથિકના ભેદ છે અને જ્ઞાનને નહિ, પણ અજ્ઞાનને મહત્ત્વ આપે છે. ચાર્વાક વ્યવહારનયવાદી જ છે, કારણ કે તેઓ પણ માત્ર ભૂતાને જ માને છે અને સ્વતંત્ર એવા જ્ઞાનમય ચૈતન્ય આત્માને માનતા નથી, કારણ કે તેઓ લેાકવ્યવહારને જ પ્રમાણ માનીને ચાલે છે; આત્મા જેવી સૂક્ષ્મ વસ્તુના વિચારમાં પડતા નથી. આથી તે અજ્ઞાનવાદના જ આશ્રય લે છે. ચાર્વાકના વિરાધ તા દાાનિકોએ આત્મતત્ત્વ સ્વતંત્ર માનીને કર્યાં જ છે. જૈન દનમાં જીવ અને જીવ તàાની માન્યતા સ્થિર થયેલી છે. આથી જડ ભૌતિક વસ્તુ પૂરતું ચાર્વાક દન સાચું છે, પણ ચૈતન્ય વિષેની તેની માન્યતા ભ્રામક છે; એટલે તે પણ એક નયને અનુસરે છે એમ માનવું રહ્યું. અને એક નયમાં પૂર્ણ સત્ય પ્રગટ થતું નથી, પણ સવ" નયેામાં પૂર્ણ સત્ય પ્રગટ થાય છે. આથી ચાર્વાકને પણ એકાંત અસત્ય દર્શન કહી શકાય નહિ; તેમાં પણ્ આંશિક સત્ય તે છે જ, એમ જૈન દર્શન કહે છે. સંસારી જીવાત્મામાં અધિકાંશ એવા છે, જેમને આત્મ-અનાત્મને વિવેક છે જ નહિ. અને તેઓ અજ્ઞાનને કારણે શરીરને જ માનીને વ્યવહાર કરે છે. આ વ્યવહાર ચાર્વાકદર્શનને આધારે છે એમ જ કહેવું જોઈએ. વ્યવહારનયનું મન્તવ્ય છે કે પ્રમાણેાનાં વિવિધ લક્ષણા, જે દાર્શનિકે દ્વારા આપવામાં આવ્યાં છે, તે એકબીજાથી જુદાં પડે છે. એટલે એમાંથી કેને સાચું માનવું? પ્રમાણુ કેને માનવું?એ જ્યાં નક્કી થઈ શકતું ન હોય, ત્યાં તે દ્વારા વસ્તુતત્ત્વનું જ્ઞાન કરવા જવું, એ વળી, તદ્દન અશકય છે. માટે લેાકમાં સાચું માનીને જે વ્યવહાર ચાલે છે તે ઉચિત છે, વસ્તુતત્ત્વનું યથા જ્ઞાન અશકય જ છે, જ્ઞાન થઈ શકતું નથી, માટે અજ્ઞાન જ શ્રેય છે આમ વ્યવહારનયને આશ્રયે અજ્ઞાનવાદનું ઉત્થાન છે. લેાકમાં આવા આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy