SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જૈનધમ ચિતન શ્રુત જ છે. જેઓએ ધમનું ખરું સ્વરૂપ જાણ્યું કે એળખ્યું નથી તેવા મેધ ( ભવાબિનદી) પુરુષા માટે એ વેદ-વેદાંગે। મિથ્યારૂપે જ પરિણમે છે. સમભાવના ઉપદેશ જે બ્રાહ્મણેાને પેાતાની જાતિનું, પેાતાની સંસ્કૃત ભાષાનું તથા પેાતાની વિદ્વત્તાનું જે અભિમાન હતું, તેમનું તે અભિમાન ભગવાનની પ્રતિભા તેમ જ પ્રજ્ઞા આગળ આગળી ગયું. તેઓ ભગવાનના સમભાવના સંદેશને લેાકભાષા પ્રાકૃતમાં પ્રચાર કરવા લાગ્યા. જે શૂદ્રોને તે પહેલાં ધાર્મિક અધિકારાથી ચિત સમજતા હતા તેમને શિક્ષા—દીક્ષા આપી, શ્રમણુસંધમાં સ્થાન આપી, ગુરુપદના પણ અધિકારી બનાવ્યા; એટલું જ નહિ પણ, રિકેશી જેવા ચાંડાલ મુનિને એટલી ઉન્નત ભૂમિકા ઉપર લઈ જવામાં તેએ સહાયક થયા કે જેથી તે ચાંડાલ મુનિ પણ બ્રાહ્મણોના ગુરુ બની શકયા. એક સમયની વાત છે કે, તે ચાંડાલ મુનિ યજ્ઞવાટિકામાં ભિક્ષાર્થે જઈ ચડ્યા. તિરસ્કાર, અપમાન, ધુત્કાર તથા દંડ-પ્રહારને સમભાવપૂર્વક સહન કરવા છતાં જ્યારે તેમણે એ યાજ્ઞિક બ્રાહ્મણાને અહિંસક યજ્ઞનું રહસ્ય સમજાવ્યું ત્યારે તે બ્રાહ્મણેા પશ્ચાત્તાપાભિમુખ થઈ ચાંડાલ ઋષિની ક્ષમા માગવા લાગ્યા અને તપામાની પ્રશ ંસા અને જાતિવાદના અવર્ણવાદ કરીને તેમના અનુયાયી બની ગયા ! ભગવાન મહાવીરે, તીર્થંકર બન્યા છતાં, પાતાના અનિયત વાસના નિયમ ચાલુ રાખ્યા. તેઓ તથા તેમના શિષ્યા ભારતવર્ષની ચારે બાજુ પાવિહાર કરી અહિંસાના સંદેશને પ્રચાર કરવા લાગ્યા. ભગવાન મહાવીરને આદેશ હતા કે લેકેાને શાંતિ, વૈરાગ્ય, ઉપશમ, નિર્વાણુ, શૌચ', ઋજુતા, નિરભિમાનતા, અપરિગ્રહ તથા અહિંસા આદિના ઉપદેશ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ખ્યાલમાં રાખી આપવામાં આવે. આ જ કલ્યાણકારી ધમ છે. લેાકેાને સુખ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy