SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમા અને જૈન દર્શન ૧૧૯ સ્વરૂપનું ધ્યાન કરીને પોતાના જ ઢંકાઈ ગયેલા એવા સિદ્ધસ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે અને એના ફળરૂપે પિતે સિદ્ધસ્વરૂપ બની જાય. આ રીતે સિદ્ધનો જીવ આપણા વિકાસને માટે, પોતે તટસ્થ હોવા છતાં, નિમિત્ત-કારણ બની શકે છે. (૫) ભક્તિ એ પણ એક સાધન છે–જીવનું સાધ્ય મોક્ષ છે. એની સમગ્ર સાધના મોક્ષને માટે જ છે. મોક્ષનાં સાધને ટૂંકમાં જ્ઞાન અને ક્રિયા છે. એનો વિસ્તાર કરીને દર્શન, જ્ઞાન અને ચારિત્ર અથવા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને પણ સાધનરૂપે શાસ્ત્રોમાં જણાવેલ છે. દર્શન–શ્રદ્ધા ભક્તિથી દઢ થાય છે, તેથી ગુરુજનોની સેવારૂપ ભક્તિ તેમ જ તીર્થકરો અને સિદ્ધોના ગુણગાન, ધ્યાન, પૂજારૂપ ભક્તિને પણું જૈન સાધનામાં સ્થાન મળ્યું છે. જૈન દર્શનના ઉપર જણાવેલ સિદ્ધાંતોની સાથે જ ભક્તિમાર્ગના મૌલિક સિદ્ધાંતની સરખામણી કરવામાં આવે તે સ્પષ્ટ રીતે સમજાશે કે ભક્તિમાર્ગના મૌલિક–પાયાના સિદ્ધાંતોને જૈન દર્શનમાં કોઈ સ્થાન નથી. આમ છતાં જૈન આચાર્યોએ રચેલી સ્તુતિઓ ભક્તિતત્વથી ઓતપ્રેત છે. તો આ અંગે થોડોક વિચાર કરીએ. ભગવાન સર્વ જીના નાથ ભગવાન સર્વ જીવોના નાથ છે, આ માન્યતા ભક્તિમાર્ગને મૂળ સિદ્ધાંત છે. આ જગત એ ઈશ્વરનું જ મંગલમય સર્જન છે, એટલે એ જ સમસ્ત સંસારનો સ્વામી છે. સંસારના સચરાચર બધા પદાર્થોનો એ પ્રભુ છે. આ સિદ્ધાંત પ્રમાણે ભક્ત પોતાને ભગવાનને દાસ સમજે છે––ભલે પછી એ સંસારમાં હોય કે મુક્ત હોય તો પણ. આગળ સૂચવવામાં આવ્યું છે તે મુજબ, જૈન દર્શનમાં આ કલ્પનાને કોઈ સ્થાન નથી; આમ છતાં ભક્તિમાર્ગ, જે તરફ ફેલાયેલો હતો, એનાથી જેને પણ અલિપ્ત નથી રહી શકયા. તીર્થકરોને જગતના સર્જનહાર કે સ્વામી ન માનવા છતાંય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy