SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દશનનાં તો ૩૭ માત્ર અહિંસાના પાલનથી મનુષ્ય મુક્તિ મેળવી શકે છે. • જીવનમાં અહિંસાનું પૂરેપૂરું પાલન કરવું હોય તે વિચારમાં અનેકાંતને અપનાવ્યા વિના ચાલે જ નહિ. આથી અહિંસામાંથી જ જેનધર્મને દાર્શનિક સિદ્ધાંત અનેકાંત ફલિત થયું છે. વિચારનાં દ્વારે ખુલ્લાં રાખો, તમને બધાના વિચારોમાંથી સત્ય જડી આવશે આ છે અનેકાંતનો અર્થ. સત્યના આગ્રહી માટે સર્વપ્રથમ પિતાને એ કદાગ્રહ કે “મારું તે જ સાચું અને બીજું જૂઠું”—એ છોડવો જ પડે; એ ન છોડે ત્યાં સુધી તે બીજાને અન્યાય જ કરશે અને તે જ તે હિંસા છે. આથી અહિંસકને માટે અનેકાંતવાદી થવું અનિવાર્ય છે. આથી જૈનધર્મમાં જે દર્શનનો વિકાસ થયો તે એકાંતવાદી નહીં પણ અનેકાંતવાદી દર્શનનો થયે છે. . અહિંસાને જીવનવ્યવહાર માટે જે આચાર તે જ જૈનધર્મ; અને અહિંસાથી ફલિત થતું દર્શન તે જૈન દર્શન. આથી જૈનધર્મને અનુસરનાર શ્રમણના જીવનવ્યવહારમાં સ્થૂળ જીવની રક્ષાથી આગળ વધીને જે સૂક્ષ્મ જીવો છે, જે નરી આંખે દેખાતા પણ નથી, તેમની રક્ષાની પણ ભાવના છે. અને એ ભાવનાને આધારે જ આચારના વિધિનિષેધોની હારમાળા ઘડાઈ છે. એને સંપૂર્ણતઃ અનુસરવાનો પ્રયત્ન શ્રમણ અને અંશતઃ અનુસરવાનો પ્રયત્ન શ્રાવકે કરે છે. આચારની પાછળ દર્શન ન હોય તો આચારની સાધનામાં નિષ્ઠા આવતી નથી. આથી દરેક ધમે જીવના બંધ અને મોક્ષ તથા જીવન જગત સાથેનો સંબંધ તથા જગતના સ્વરૂપ વિષે અનિવાર્ય રીતે વિચાર કરવો પડે છે. એ અનિવાર્યતામાંથી સમગ્ર જૈન દર્શન ઊભું થયું છે. પ્રથમ કહેવાયું તેમ, જૈન દર્શનના વિચારની એ વિશેષતા છે કે તે સત્યની શોધ માટે તત્પર છે અને આથી જ સકલ દર્શનોના સમૂહરૂપ જૈન દર્શન છે–એવો ઉલ્લેષ આચાર્ય જિનભદ્ર જેવા આચાર્યો કરી ગયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy