SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ જૈનધર્મચિંતન यदा यदा हि धर्मस्य ग्ला निभवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ ઈશ્વરના અવતારવાદના આ સિદ્ધાન્તને ત્યાં અવકાશ જ નથી રહેતો. સંસાર કોઈ દિવસ સ્વર્ગ થયો નથી અને થશે પણ નહિ; માટે સંસારમાં તે સદાકાળ ધર્મોદ્ધારકની આવશ્યકતા રહેવાની જ. સુધારકો તેમ જ ક્રાંતિના ઝંડાધારીઓ માટે આ સંસારમાં હંમેશાં અવકાશ રહ્યા કરે જ છે. સમકાલીનો તે સુધારક કે ક્રાન્તિકારીને બરાબર ઓળખીને એની એટલી કદર કરી શકતા નથી જેટલી ભાવિ પ્રજાજનો કરી જાણે છે. તે સુધારક કે ક્રાન્તિકારીની છવિતાવસ્થામાં તેમના પણ અનેક વિધીઓ રહે છે. પ્રત્યેક મહાપુરુષોને સમકાલીન પરિસ્થિતિની કુરીતિઓ–બૂરાઈઓ સામે લડવું પડે છે, ક્રાન્તિ કરવી. પડે છે, તેમ જ ન ચીલો પાડી સુધારો પણ કરવો પડે છે. જેઓ જેટલું સુધારકામ કરી શકે છે તેટલું જ તેમનું નામ પ્રસિદ્ધિને પામે છે. શ્રમણ સંસ્કૃતિની એવી માન્યતા છે કે, જે કઈ ત્યાગ અને તપશ્ચર્યાના માર્ગે ચાલી પિતાના આત્મવિકાસની પરાકાષ્ઠાએ પહોંચે છે, તે “પૂર્ણ” બની જાય છે. ભગવાન મહાવીરે પિતાની પૂર્ણતમાં જ કૃતકૃત્યા ન માની પણ તે વખતના સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે પણ તેમણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો. આ માટે તેમણે પોતે તથા તેમના શિષ્યોએ ચારેકોર જનપદવિહાર કરી જનતાને સ્વતંત્રતાનો , સંદેશ સંભળાવ્યો અને અનેકોને આંતર તેમ જ બાહ્ય બંધનોથી મુક્ત કર્યા. પરિસ્થિતિ ભગવાન મહાવીરને કેવી સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. તેને સંક્ષેપમાં અને નિર્દેશ કરવો આવશ્યક છે. બ્રાહ્મણોએ ધાર્મિક અનુષ્ઠાનને એવી રીતે પોતાના હસ્તક કરી રાખ્યાં હતાં, કે જ્યાં સુધી પુરેહિત વચ્ચે પડી સહાયતા ન કરે ત્યાં સુધી મનુષ્ય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy