SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ ગમે તે રીતે લલચાવે તાપણુ એવી લાલચથી કદીયે તે અન્યથા ભાણ્યુ કે અન્યથા વન નહીં કરે. જાણે કે તેમનામાં જન્મસિદ્ધ સરળતા છે. જે સરળતા અને અકૃત્રિમતા ધર્મના મૂળ પા ગણાય છે, અને જેને સાધવા અનેક લેાકેાને અનેક પ્રયત્નો કરવા પડે છે, તે વસ્તુ તેમનામાં મેં સાહજિક રીતે ક્રિયાશીલ હોય તેમ જોયું છે. અજાતશત્રુપણું એ એમનો ખીને ગુણુ છે. પણ એથીયે એમનું વિશેષ આકર્ષીક તત્ત્વ એ બીજાઓનુંકાઈ પણ રીતે કંઈક સારું અને ભલું થતું હોયતે। નિરપેક્ષપણે તે કરી આપવામાં છે. તેઓ જ્યાં જ્યાં રહ્યા છે, ત્યાં સત્ર એમની આને લીધે વિશેષ સુવાસ ફેલાયેલી છે; અને છતાં નિયતા એવી કે ગમે તેવા મેોટા મનાતા પુરુષા સમક્ષ પણ તેએ પેાતાને લાગતી સાચી વાત કહેતાં ખમાશે નહી. શ્રી દલસુખભાઇ વિષે થેાડુ લખવું હોય તાપણુ તે બહુ થઈ જાય એવી સ્થિતિ છે. એટલે વાચકા માટે આટલા પરિચય પૂરતા ગણાય. હવે લેખાના વિષયેા વિષે કંઈક નિર્દેશ કરવા જોઈએ. અનુક્રમ અને અતંત મથાળાં ઉપરથી લેખાનો સ્થૂળ પરિ ચય તે.થઈ જાય છે. પણ દરેક લેખના વિષયની ચર્ચાને યાગ્ય રીતે સમજવી હોય તે તે માટે વાચકે પેાતે જ ધીરજપૂર્વક એનું આકલન કરવું જોઇ એ. જ્યારે કાઈ લેખક કોઈ એક વાડા બહારની તટસ્થ દષ્ટિથી લખવા કે ખેાલવા પ્રયત્ન કરે છે, ત્યારે તેને અનેક મુશ્કેલીઓના સામનો કરવા પડે છે. વાચકામાં જે પંચગત સંસ્કારના હૈાય તેને કેટલુંક ન પણ સમજાય, અને સમજાય તેા કેટલુંક રુચે પણ નહીં. 'બીજા કેટલાક વાચકા વિશાળ દૃષ્ટિવાળા હાય તેા એમને એમ પણ લાગવાનો સંભવ ખરા કે આ બધું નિરૂપણ પથાની આસપાસ ચાલે છે. વળી, કેટલાક વગર અભ્યાસે પણુ, એવી ઉતાવળી પ્રકૃતિના હોય છે કે તેમને શાસ્ત્ર, ધર્મ, પંથ આદિની વાતા અને ચર્ચા અસામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy