SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ જનધર્મ અને બૌદ્ધધર્મ કરીએ તો જણાશે કે જૈન સંધમાં આંતરિક આચારને બદલે બાહ્યાચારનું ખોખું જાળવવાનો વિશેષ પ્રયત્ન થયો અને બુદ્ધને સંઘમાં મધ્યમમાર્ગને નામે આચારમાં શિથિલતા આવી; કારણ કે બે છેડાની વચલી અવસ્થાને દોર બહુ લાંબો હોય છે. એટલે મધ્યમ માર્ગમાંથી શિથિલાચાર તરફ સરકવું બહુ સરલ થઈ પડે છે. એક તરફ બુદ્ધ અને તેમના અનુયાયીઓને જેન ભિક્ષુઓના આચરણમાં માત્ર દેહદંડ સિવાય કશું દેખાયું નહિ; અને તેમણે જૈનાચાર વિષે આક્ષેપ કરવો શરૂ કર્યો કે આ લોકે તો માનસિક પાપ કરતાં શારીરિક પાપને અધિક મહત્ત્વ આપે છે. એટલે શરીરકષ્ટ ભોગવી પાપક્ષય કરવાની ફિકરમાં પડ્યા છે, તો બીજી તરફ જૈન સંઘના અનુયાયીઓ બૌદ્ધભિક્ષુ વિષે આક્ષેપ કરવા લાગ્યા કે આ તો સુખશીલિયા છે. આ આક્ષેપમાં આંશિક સત્ય રહેલું જ છે, એ સ્વીકારવું જોઈએ. આચરણ અને પ્રચારને સંબંધ આચરણની ઉત્કટતા અને મધ્યમમાગિતા ધર્મપ્રચારમાં શો ભાગ ભજવે છે તેને વિચાર કરીએ તો જણાઈ આવશે કે બુદ્ધના મધ્યમમાર્ગે ધર્મપ્રચારમાં બહુ મોટો ફાળો આપે છે. તેમનો ધર્મ વિશ્વવ્યાપી બની ગયો છે એ સાચું, પણ બુદ્ધના બુદ્ધત્વનો અને તેના આનુષંગિક ધર્મોને વસ્તુતઃ કેટલો પ્રચાર થયો છે એની પરીક્ષા કરીએ તો જણાશે કે બુદ્ધત્વ અને તેના આનુષંગિક ધર્મોને ભોગે જ એ પ્રચાર થયો છે. એમાં બુદ્ધનું નામ છે, પણ બુદ્ધત્વનો પ્રકાશ નથી. એટલે જ ભારતીય બૌદ્ધ અને તિબેટના બૌદ્ધમાં, એ બને માત્ર બુદ્ધને આરાધ્ય સ્વીકારે છે એ સિવાય વિશેષ કશું જ સામ્ય નથી; એટલું જ નહિ પણ બુદ્ધની મહાકરુણાના સિદ્ધાન્તનો જીવનમાં પડઘે કેટલો પડ્યો એની ઊંડી તપાસ કરીએ તો નિરાશ જ થવું પડે છે! બીજી તરફ જૈન માર્ગની ઉત્કટતાને કારણે અને તેની અવ્યવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy