SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દુધર્મ અને જૈનધર્મ કાળે નહિ, પણ જ્યારે પણ ધર્મ સમજાય અને પાલનની શકિત દેખાય ત્યારે લઈ શકાય છે. આથી જીવનના યૌવનકાળમાં સંન્યાસ. લે એને જૈનધર્મમાં વિશેષ મહત્ત્વ અપાયું છે. વર્ણ કે સ્ત્રી-પુરુષ ભેદના મહત્વને અસ્વીકાર વળી, વણધર્મના વિભાગને જૈનધર્મો પ્રારંભમાં તો અસ્વીકાર જ કર્યો હતો; એવો વિભાગ જેનધર્મમાં અમાન્ય છે. આથી મહાભારતની કે ગીતાની જેમ ક્ષત્રિયો દ્વારા બાંધવો, પિતા કે ગુરુની યુદ્ધમાં થતી હત્યા એ જૈનધર્મ અનુસાર ધર્મમાં કદી જ ગણાઈ નથી. વળી, બ્રાહ્મણે કરેલો અપરાધ સૌના અપરાધની સમાન જ છે. અપરાધ પર તેને કોઈ પણ જાતના વિશેષ હક્કો જૈનધર્મમાં અમાન્ય જ થયેલા છે. શુદ્ધ હિન્દુધર્મની સ્મૃતિઓ પ્રમાણે સંન્યાસી થઈ શકતા નથી કે ગુરુપદને પામી શકતા નથી; પણ જૈનધર્મમાં તેમ નથી. સંન્યાસનો અધિકાર સૌને સરખો. છે. સંન્યાસની બાબતમાં સ્ત્રી-પુરુષમાં પણ ભેદ કરવામાં આવ્યું નથી. આમ છતાં લોકોનુસરણથી જૈનધર્મના મૌલિક વિચાર સાથે અસંગત એવી કેટલીક બાબતો આચારક્ષેત્રે આવી ગઈ છે, જેવી કે સમાજમાં જાતિ–પાંતિના ભેદ, દીક્ષિત સ્ત્રી એટલે કે સંન્યાસી બનેલી સ્ત્રીનો દરજજો પુરુષ કરતાં સદૈવ નિમ્ન જ રહે વગેરે. વળી, દિગબરમાં તો સ્ત્રીના મોક્ષને પણ નિષેધ કરવામાં આવ્યું, તે પણ. નગ્નતાના સાંપ્રદાયિક આગ્રહનું જ ફળ છે. અનેકાંતવાદી દર્શન જૈનધર્મમાં સાધુ અને ગૃહસ્થના સમગ્ર આચારોનું ઘડતર અહિંસાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યું છે જ્યારે હિન્દુધર્મના આચાર વિષે એમ કહી શકાતું નથી. એ અહિંસામાંથી જ દાર્શનિક વિચારધારામાં જૈનધર્મે અનેકાંતવાદને વિકાસ કર્યો છે, જ્યારે હિન્દુધર્મનાં વિવિધ દર્શનેમાં મુખ્ય રૂપે એક-એક દૃષ્ટિ નજરે પડે છે. એ જુદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy