SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિંતન હટાવીને તે તરફ આંગળી ચીંધે છે તે જ તે ધર્મને પ્રવર્તક કહેવાય છે. એમ વિચારીએ તો જૈનધર્મનાં જે શાસ્ત્ર છે તે ભગવાન મહાવીર પછીનાં જ છે; તે પૂર્વેનું કોઈ સાહિત્ય આપણી સમક્ષ નથી. તેથી તે પૂર્વના જૈનધર્મની પરિસ્થિતિ વિષે જે કાંઈ શાસ્ત્રીય સંકેતો મળે છે તે, તે શાસ્ત્રમાં જ મળે છે. • હિન્દુધર્મની જેમ જૈનધર્મને આદિકાળ જ્ઞાત નથી થઈ શકત. એટલે એ કાળની વાત જવા દઈએ; પણ જેનાગામથી ફલિત થતા જૈનધર્મનાં સામાન્ય તત્ત્વો વિષે કેટલીક માહિતી મેળવીએ. અહિંસા અને સંન્યાસ હિન્દુધર્મના મહાભારતકાળ પર્યત તો સ્પષ્ટ છે કે તેમાં જેટલું મહત્ત્વ સત્યને આપવામાં આવ્યું છે તેટલું મહત્ત્વ અહિંસાને અપાયું નથી. આ વસ્તુ અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વિષે પણ છે. ઉપનિષદના મહર્ષિએ પણ અપરિગ્રહમાં માનતા હોય એમ લાગતું નથી. ઋષિએના અબ્રહ્મચર્યની કથાઓનો તોટો નથી. તે કાળે તેવા અબ્રહ્મચર્ય વિષે ધર્મગ્રન્થમાં કશી જ ટીકા થઈ નથી. વળી, બ્રહ્મચર્ય એ સંન્યાસ આશ્રમમાં છેક જીવનની અંતિમ અવસ્થામાં અનિવાર્ય જેવું છે. બ્રાહ્મણોને વિષે તો કહેવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વની રચના કરી બ્રહ્માએ એ સૃષ્ટિ બ્રાહ્મણોને જ સમપી છે. તેમની કમજોરીને કારણે બીજાઓ માલિક બની બેઠા છે, માટે બ્રાહ્મણ અણુદીધેલું લઈ લે તો તેમાં કાંઈ તે ચેરી કરે છે એમ નથી; એ તો પોતાની જ વસ્તુ પિતે લેતા હોય છે. આમ પાંચ યમોમાં માત્ર સત્ય વિષે ભાર હિન્દુધર્મમાં પ્રાચીન કાળમાં જોવા મળે છે. પણ આથી ઊલટું, જ્યારથી જૈનધર્મનો ઈતિહાસ જાણવા મળે છે ત્યારથી અહિંસા એ જ પર ધર્મ છે એમ મનાયું છે. અને એ અહિંસામાંથી સત્ય આદિને ફલિત થતાં બતાવવામાં આવ્યાં છે. અને અહિંસાપ્રધાન પાંચે યમ સરખી રીતે પાળવા આવશ્યક મનાય છે. જીવનમાં સંન્યાસ અંતિમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy