SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩. જૈન સંસ્કૃતિને સંદેશ કહેવું છે કે, તત્ત્વજ્ઞાનની દષ્ટિએ, એ બધાએ એકસરખો જ ઉપદેશ આપ્યો છે. સમય અનુસાર આચારનું બદલાવું અનિવાર્ય હોવા છતાં તત્ત્વજ્ઞાનની બાબતમાં બધાનો એક જ મત રહે છે. સંભવ છે કે આ વાત ઐતિહાસિકેના ગળે ન ઊતરે, પણ આની સત્યાસત્યતા પારખવાનું આપણી પાસે કોઈ સાધન નથી. જૈન વિદ્વાનો આ તીર્થકરોની હયાતીને જે સમય . બતાવે છે એનું પરીક્ષણ કરવાનું પણ આપણી પાસે કોઈ સાધન નથી. આમ છતાં ઋષભદેવ અને નેમિનાથ, આ બે ઈતિહાસકાળ પહેલાંના મહાપુરુષોના અસ્તિત્વમાં શંકાને કેઈ સ્થાન નથી—એમના નિશ્ચિત સમયની બાબતમાં ભલે ને સંદેહ હેય. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના સંબંધમાં તો હવે ઐતિહાસિક લેકે પણ. નિઃસંદેહ બની ગયા છે. પણ જૈન તત્વજ્ઞાન અને આચારના ઉપદેશે રૂપે આજે આપણી સામે જે કંઈ ગ્રંથસ્થ થયેલી સામગ્રી મોજૂદછે, એ તો ભગવાન મહાવીરના ઉપદેશનું જ ફળ છે. ભગવાન મહાવીરે પાર્ધ પરંપરામાંથી ઘણું શીખ્યું અને સમજ્યું હશે, અને પોતાના ઉપદેશની ધારા એ પરંપરાને અનુરૂપ વહેવડાવી હશે. તેથી, આપણે. એટલું તો કહી શકીએ છીએ કે, જોકે પાર્ધનો ઉપદેશ આપણું સામે નથી, તેમ છતાં ભગવાન મહાવીરના ઉપદેશના રૂપમાં આપણી સામે જે કંઈ છે, એમાં ઘણો ખરો પાર્શ્વનો જ ઉપદેશ સમજ જોઈએ—પછી વાણું ભલે ને મહાવીરની હોય. ખરી રીતે ભગવાન મહાવીર પછી એમની વાણીના આધારે એમને ઉપદેશોની જે સંકલન કરવામાં આવી છે, તેમાં ભગવાનના પિતાના શબ્દો કેટલા છે, એ ચોક્કસ રીતે તારવવું મુશ્કેલ છે. આટલી ઐતિહાસિક ભૂમિકા પછી. આપણે જૈનધર્મના ઉપદેશના મુખ્ય સંદેશને જોઈએ. આત્મજ્ઞાન અને અપ્રમાદ ઉપર ભાર આચારાંગ સૂત્રના પહેલા સૂત્રમાં જ એમ કહેવામાં આવ્યું. છે કે “સંસારમાં ઘણુંખરા માણસો એવા છે કે જેમને એ વાતની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy