SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ શ્રમણેામાં કદી પણ આત્મજ્ઞતી કે બ્રહ્મનની ઉપાધિ મળી શકે નહિ. આ મેટા ભેદ શ્રમણ અને બ્રાહ્મણમાં હતા અને આજે પણું છે. સંન્યાસને એક આશ્રમ તરીકે સ્વીકાર્યા છતાં બ્રાહ્મણ પરંપરામાં મહત્ત્વ તે ગૃહસ્થાશ્રમનું જ સર્વાધિક રહ્યું છે, જ્યારે શ્રમણાની સંસ્થા એકાશ્રમ સંસ્થા છે. તેમાં સંન્યાસને જે મહત્ત્વ અપાયું છે, તે ખીજા કાઈ પણ આશ્રમને નથી અપાયું. ગૃહસ્થાશ્રમ સન્યાસની પૂર્વ તૈયારી તરીકે પણુ અનિવાય નથી મનાયા; એ તા ત્યાજ્ય જ છે. આ ભેદમાંથી જ શ્રાદ્ધાદિની કલ્પના અને સતાનેાત્પત્તિની અનિવાતા બ્રાહ્મણુ ધમમાં મનાઈ, જ્યારે શ્રમણેામાં એવી કશી જ કલ્પનાને સ્થાન નથી. ' બ્રાહ્મણેામાં યજ્ઞસંસ્થાના પ્રાધાન્ય સાથે જ પુરાહિત સંસ્થાને ઉદ્ભવ થયા અને પરિણામે બ્રાહ્મણ વણુ શ્રેષ્ઠ અને ખીજા હીન એવી ભાવના પ્રચારમાં આવી. એટલે સમાજમાં જાતિગત ઉચ્ચનીચતા થઈ અને તેણે ધક્ષેત્રમાં પેાતાને પગ જમાવ્યેા, અને મનુષ્યસમાજના ભાગલા પડયા. આથી ઊલટુ, શ્રમણેામાં આવી કેાઈ પુરાહિત સંસ્થાના ઉદ્ભવને અવકાશ જ હતા નહિ. આમ છતાં પણ બ્રાહ્મણ-શ્રમણના મિલનનું એક પરિણામ એ આવ્યું કે શ્રમણામાં જાતિગત ઉચ્ચ-નીચતા, જેના તેમના સિદ્ધાન્ત સાથે કોઇ મેળ નથી, તેના શ્રમણાએ બહુજનસમાજમાં સ્વીકાર કર્યાં. જોકે શ્રમણ સંધમાં એવા કેાઇ ભેદને પ્રાચીન કાળમાં સ્થાન ન હતું, પણ આજે આપણે જોઈએ છીએ કે એ શ્રમણ સંધ પણ જાતિવાદના ભૂતથી ગ્રસ્ત થયેલ છે. આથી ઊલટુ, બ્રાહ્મણ પરપરામાં મધ્યકાળમાં એવા સંપ્રદાયા અને સતા થયા છે, જેમણે જાતિગત ઉચ્ચ-નીચ ભાવને કોઈ મહત્ત્વ આપ્યું નથી : આ શ્રમણ ભાવનાનેા વિજય ગણી શકાય. ભેદની ગૌણતા શ્રમણ અને બ્રાહ્મણના એક મેાટા ભેદ નિવૃત્તિ અને પ્રવૃત્તિને કારણે છે. શ્રમણાના સમગ્ર આચાર નિવૃત્તિપ્રધાન હતા અને બ્રાહ્મણાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy