SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ, ૨૩ એ ફલિત થાય છે કે એમની ઉન્નતિમાં બાધક નહિ પણ સાધક થવું એ પ્રત્યેક જીવનું કર્તવ્ય છે. જૈનધર્મની આ મૂળ નિષ્ઠા છે. ભગવાન મહાવીરની, તીર્થકર મહાવીરની આ મૂળ નિકા છે. - તીર્થકર - અહીં તીર્થકર શબ્દ ઉપર ભાર આપું છું તે એટલા માટે જ કે બીજા સામાન્ય સાધક અને સિદ્ધોની અપેક્ષાએ એ જ એમની વિશેષતા છે. સામાન્ય સાધકો તો માત્ર પોતાનું હિત કરીને જ સિદ્ધ થઈ ગયા. તેમણે પિતાની સાધનામાં સ્વકલ્યાણના જેટલું જ પર કલ્યાણને પણ વિશિષ્ટ સ્થાન આપ્યું ન હતું, પણ રાગ-દ્વેષ દૂર કરીને તેઓ વીતરાગ થયા ત્યારે શેષ આયુ ભેળવી તેઓ સિદ્ધ થઈ ગયાપણ તીર્થકરે કે મહાવીર વિષે એમ નથી. તેમના તીર્થકર નામકર્મના ઉપાદાનમાં કરણને અભ્યાસ પ્રથમ અને મુખ્ય કારણ છે. તેથી જ તેમની કરુણું મહાકસણારૂપે પ્રતિષ્ઠિત થઈ અને તેમણે જગતના જીવોના ઉદ્ધાર અર્થે જૈન શાસનને ઉપદેશ આપે અને તીર્થંકરપદને પામ્યા. જીવ, કર્મ, નિયતિ અને પુરુષાર્થ - જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી છે. પણ તે સંબંધ થયો તેમાં પણ શું કારણ છે? શું એ સંબંધ નિયત જ છે કે અનિયત ? અને અનિયત છે તો પછી તેનું કારણ શું ? શ્રમણોનો એક સંપ્રદાય આજીવક જીવ-કર્મના સંબંધને નિયત માનતો. હતો. એનું માનવું હતું કે એ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. તેમાં જીવના પ્રયત્નને કારણે કશું જ નવું થતું નથી. કાળના પરિપાકે, નિયમ પ્રમાણે જે ક્રમ બંધાઈ ગયા છે એ ક્રમે, કર્મો આપોઆપ છૂટાં થઈ જશે અને જીવે એ માટેનો વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. પણ આછવકેની આ નિયતિવાદની નિછા વિરુદ્ધ ભગવાન મહાવીરે માન્યું કે જીવ અને કર્મનો સંબંધ તેના પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy