SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ આ સમન્વયને કારણે શ્રમણ અને બ્રાહ્મણુ અને સમૃદ્ધ થયા. પણ તેમની ભેદક રેખા વેદશાસ્ત્રમાં મર્યાદિત થઈ. અર્થાત્ એ પેાતાની માન્યતાના મૂળમાં વેદને પ્રમાણભૂત માને છે, તે બ્રાહ્મણ પરંપરામાં ગણાયા અને જેઓ વેદશાસ્ત્રને નહિ પણ સમયે સમયે થનાર જિતેને પ્રમાણભૂત માને છે તેએ શ્રમણે! ગણાયા. શ્રમણેાના સંપ્રદાયા જેમ બ્રાહ્મણ પરંપરામાં અનેક મતાન્તરા છે, તેમ શ્રમણ પરપરામાં પણ અનેક મતાન્તરા છે. એક જ વેદશાસ્ત્રના અમાં મતભેદ થવાથી જેમ બ્રાહ્મણ પરંપરામાં અનેક સંપ્રદાયેા થયા, તેમ અનેક જિતેાના કે તીર્થંકરાના ઉપદેશમાં પાકને કારણે શ્રમણેામાં પણ, અનેક સપ્રદાયેા થયા—જેવા કે આજીવક, નિન્ય, બૌદ્ધ આદિ. એ બધા સંપ્રદાયા જિનના ઉપાસક હાવાથી જૈન કહી શકાય. બૌદ્ધ સંપ્રદાય તે છઠ્ઠી શતાબ્દી સુધી જૈનને નામે આળખાતે, એ ઇતિહાસસિદ્ધ હકીકત છે. આજીવકેને પણ દિગંબર જૈન તરીકે કે ક્ષપક તરીકે ઇતિહાસમાં એળખાવવામાં આવ્યા જ છે એ હકીકત છે. પણ આજે રૂઢિ એવી છે કે ભગવાન મહાવીરના અનુયાયીઓને જ જૈન નામથી એળખવામાં આવે છે. શ્રમણેાના ખીજો સંપ્રદાય, જે ભગવાન બુદ્ધને અનુયાયીવગ છે, તે બૌદ્ધ કહેવાય છે. અને આજે આવકનું અને ભગવાન બુદ્ધ અને મહાવીરકાલીન બીજા શ્રમણસંપ્રદાયાનું તે નામનિશાન પણ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે જૈન નામ એ એક વિશાળ અર્થમાં હોવા છતાં તેને આજે સંકુચિત અથ છે. વિશાળ અર્થાંમાં જિનના ઉપાસકે તે જૈન; છતાં સંકુચિત અથમાં આજે ભગવાન મહાવીરની પરંપરાને અનુસરે તે જૈન છે. જેમ ભગવાન મહાવીર જિન, સુગત, શ્રમણુ, તથાગત, અર્હત, તીકર, બુદ્ધુ એવાં નામેાથી ઓળખાય છે, તેમ ભગવાન બુદ્ધ પણ જિન, સુગત, શ્રમણ, તથાગત, અંત, તીથંકર, બુદ્ધુ એવાં નામેાથી ઓળખાય છે. આ વસ્તુ મૂળે તે શ્રમણપર પરાના બન્ને એક જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy