Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૨૩
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક] સંધ સમય વિત્ત રેતી, ૩૨ મદા ઉઠવાન (અથવા ૩૦ શો સંતા).
તથા (૩) પરસ્ત્રી પ્રત્યે રાગની ચિંતવના પણ જે દુર્ગતિ આપનાર છે તે પછી કામ વિકારની દષ્ટિએ પરસ્ત્રીના મુખ વિગેરે અંગે જેવાથી જરૂર દુર્ગતિ મળે છે. વળી પરસ્ત્રી પ્રત્યે રાગ ધરવાથી એટલે કામ દષ્ટિથી પર સ્ત્રીને જોતાં ચિત્ત આખો દિવસ રાત ચિંતામય બની જાય છે, તેની સાથે વાત કરવામાં અને અનુચિત પ્રવૃત્તિ કરવામાં મન દેરાય છે, પરિણામે અનેક જાતની મુશ્કેલીથા ભરેલા દુઃખના પ્રસંગે પણ ઉભા થાય છે. અને ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય તે અટકી જાય છે. માટે જ ઉત્તમ પુરૂષો પરસ્ત્રીને રાગ દષ્ટિથી જોતા નથી. અને મટીને મા જેવી, નાનીને દિકરી જેવી, તથા સરખી ઉંમર વાળીને બેન જેવી માને છે. તેમજ આંખને અંકુશમાં રાખે છે. વળી એ ઉત્તમ પુરૂષ પિતાની ચક્ષુ ઈન્દ્રિયનો ઉપયોગ પરસ્ત્રીને રાગથી દેખવામાં કરતા નથી એટલું જ નહિ, પણ તેવા ઉન્માર્ગથી રોકીને દેવ ગુરૂનાં દર્શન કરવા સ્વાધ્યાય કરે વિગેરે આત્મન્નિતિના કાર્યોમાં જ પિતાની ચક્ષુ ઈન્દ્રિયને ઉપયોગ કરે (તેને જેડ) છે. એમ કરવાથી લાભ એ થાય છે કે ઘણું કર્મોની નિર્જરા થાય, ચીકણું કર્મો ન બંધાય, અને ભવિધ્યમાં સદ્ગતિના સુખ મળે. આવા આવા અનેક મુદ્દાઓથી શ્રીતીર્થકર દેવે શ્રીશ્રમણ સંઘને સમિતિ પાલવાની શિખામણ આપી છે. આથી સમજાય છે કે ચક્ષુ ઈન્દ્રિયને વધારે છૂટ આપવાથી મન ચગડોળે ચઢે છે, અશાન્તિ પામે છે,