________________
- તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૮૧ | નથી કે એક જ લાડુમાં સ્પર્શ, રસ, ગંધ આદિ ઉક્ત પાંચ વિષયે
નું સ્થાન અલગ અલગ હોય, કિન્તુ તે બધા એના બધા ભાગોમાં
એકસાથે રહે છે, કેમકે તે બધા એક જ દ્રવ્યના અવિભાજ્ય પર્યાય - છે. એમનો વિભાગ ફક્ત બુદ્ધિ દ્વારા કરી શકાય છે જે ઇન્દ્રિયોથિી થાય છે. ઇન્દ્રિયની શક્તિ જુદી જુદી છે; તે ગમે તેટલી પટુ હોય તોપણ પિતાના ગ્રાહ્ય વિષય સિવાય અન્ય વિષયને જાણવામાં સમર્થ થતી નથી. આ કારણથી પાંચ ઇન્દ્રિયોના પાંચે વિષય અસંકીર્ણ-પૃથક પૃથક છે. આ પ્રશ્નઃ સ્પર્શ આદિ પાંચ વિષયો સચ્ચરિત છે તો પછી કોઈ
વસ્તુમાં એ પાંચેની ઉપલબ્ધિ કેમ દેખાતી નથી? દાખલા તરીકે - સૂર્ય આદિ પ્રભાનું રૂપ માલૂમ પડે છે, પરંતુ સ્પર્શ, રસ, ગંધ આદિ
કેમ નહિ? તેવી જ રીતે પુષ્પાદિથી અમિશ્રિત વાયુનો સ્પર્શ માલુમ - પતિ હોવા છતાં પણ રસ ગંધ આદિ માલૂમ પડતાં કેમ નથી?
ઉત્તર: પ્રત્યેક ભૌતિક દ્રવ્યમાં સ્પર્શ આદિ ઉપરના બધા પર્યાય હોય છે, પરંતુ પર્યાય ઉત્કટ હોય તે તે ઇન્દ્રિયગ્રાહ્ય થાય છે, તે . . વિના થતો નથી. ટૂંકાણમાં આ બધાને આધાર મુખ્ય તથા ઈન્દ્રિયની પટુતાના તરતમ ભાવ ઉપર નિર્ભર છે. -
પ્રશ્ન : મન સંબંધી હકીકત જણાવો. : ' ઉત્તરઃ મન એ જ્ઞાનનું સાધન છે, પરંતુ બીજી ઈકિની માફક - . તે બાહ્ય સાધન નથી પણ આંતરિક સાધન છે. એથી તેને અંતઃકરણ = પણ કહે છે. મનનો વિષય બાહ્ય ઈન્દ્રિયોની માફક પરિચિત નથી. : વળી ઈદ્રિયો મૂર્ત પદાર્થને ગ્રહણ કરે છે જ્યારે મન મૂર્તિ અને અમને
બધા પદાર્થોનું અનેક રૂપે સાથે ગ્રહણ કરે છે. - પ્રશ્નઃ મનના વિષયને શ્રત કહો તો પછી મનથી મંત્તિજ્ઞાન ન થાય?