________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૩૫ મનુષ્ય ને તિરની સ્થિતિ: મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ-જીવિત* કાળ ત્રણ પલ્યોપમ અને જન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે; તિની પણ ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ મનુષ્યની બરાબર એટલે કે
ત્રણ પલ્યોપમ અને અંતમુહૂર્ત પ્રમાણ જ છે. : ભવ અને કાય ભેદથી સ્થિતિ બે પ્રકારની છે. કોઈ પણ જન્મ - પ્રાપ્ત કરી એમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય સુધી જીવી
શકાય છે, તે “ભવસ્થિતિ અને વચમાં કોઈ બીજી જાતિમાં જન્મ ગ્રહણ ન કરતાં કેઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવું, તે કાયસ્થિતિ છે. ઉપર જે મનુષ્યની, તિર્યંચની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે એની ભવસ્થિતિ છે. કાયસ્થિતિને વિચાર આ પ્રમાણે છે: મનુષ્ય હોય અથવા તિર્યંચ એ બધાની જધન્ય કાયસ્થિતિ તે ભવસ્થિતિની માફક અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ
મનુષ્યની સાત અથવા આઠ ભવગ્રહણ પરિમાણ છે; અર્થાત કોઈ પણ - મનુષ્ય પોતાની મનુષ્યજાતિમાં લાગલગઢ સાત અથવા આઠ જન્મ
સુધી રહીને પછી અવશ્ય એ જાતિને છોડી દે છે. * બધા તિર્યંચોની કાયસ્થિતિ અને ભવસ્થિતિ એકસરખી નથી. એથી એમની બંને સ્થિતિઓનું વિસ્તારપૂર્વક વર્ણન આવશ્યક છે. તે આ પ્રમાણે પૃથ્વીકાયની ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષ, જળકાયની સાત હજાર વર્ષ, વાયુકાયની ત્રણ હજાર વર્ષ અને તેજ કાયની ત્રણ
અહોરાત્ર ભવસ્થિતિ છે. એ ચારેયની કાયસ્થિતિ અસંખ્યાત અવસર્પિણી " ઉત્સર્પિણું પ્રમાણ છે. વનસ્પતિકાયની ભવસ્થિતિ દશ હજાર વર્ષ છે અને કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણ-અવસર્પિણી પ્રમાણ છે. ઠીંદ્રિયની
ભવસ્થિતિ બાર વર્ષ, ત્રીદિયની ઓગણપચાસ અહેરિત્ર અને ચતુરિંદ્રિયની છ માસ પ્રમાણ ભવસ્થિતિ છે. એ ત્રણેની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની છે. પંચૅયિ તિઓમાં ગર્ભજ અને સંછિમની