Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 250
________________ ૧૯૮ તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન : ગંધ: કેટલા પ્રકારની છે? ઉત્તર : ગંધના બે પ્રકાર છે. જેવી કે સુગંધ અને દુર્ગધ પ્રશ્ન : વર્ણ કેટલા પ્રકારના છે? ઉત્તર : વર્ણ પાંચ પ્રકારના છે જેવા કે કાળો, લીલો, લાલ, પીળા અને સફેદ. ' પ્રશ્નઃ તે પ્રત્યેકના કેટલા ભેદ છે? ઉત્તરઃ તેમના પ્રત્યેકના સંખ્યાત, અસંખ્યાત અને અનંત -ભેદ તરતમ ભાવથી થાય છે. પ્રશ્ન : તે ભેદ શાથી થાય છે તે દષ્ટાંત સાથે સમજાવો. . ઉત્તરઃ તેના તારતમ્ય પ્રમાણે ઉપરોક્ત ભેદ થાય છે. દાખલા તરીકે જે જે વસ્તુ મૃદુ હોય છે તે બધાના મૃદુત્વમાં કાંઈ ને કાંઈ તારતમ્ય હોય છે. એ કારણથી સામાન્યરૂપે મૃદુત્વ સ્પર્શ એક હેવા છતાં પણ તેના તારતમ્ય પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અને અનંત સુધી ભેદો થઈ શકે છે, એ જ રીતે કઠિન આદિ અન્ય સ્પર્શીના. વિષયમાં તથા રસ આદિ અન્ય પર્યાયના વિષયમાં સમજવું જોઈએ. પ્રશ્નઃ શબ્દ એ શું છે? - ઉત્તરઃ શબ્દ એ કઈ ગુણ નથી. જેમકે વૈશેષિક, નૈયાયિક : આદ શબ્દને આકાશને ગુણ માને છે; કિન્તુ તે ભાષાવર્ગણના પુગલોનું એક પ્રકારનું વિશિષ્ટ પરિણામ છે. પ્રશ્નઃ શબ્દના ભેદભેદ વિષે સમજ આપો. ઉત્તરઃ શબ્દના મુખ્ય બે પ્રકાર છે: (૧) પ્રાગજ અને (૨) વૈસિક. જે શબ્દ આત્માના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે તે પ્રયોગજ અને જે કોઈના પ્રયત્ન સિવાય જ ઉત્પન્ન થાય છે તે વૈઋસિક છે.. વાદળની ગર્જના વૈઐસિક, છે; પ્રાગજ શબ્દના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે:

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287