________________
૨૦૨
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
લળવ:—અણુએ
વ—વળી
શબ્દાર્થ
ન્યા:—કન્યા
સૂત્રાર્થ ઃ પુદ્ગલ પરમાણુરૂપ અને સ્કંધરૂપ છે. વિશેષાર્થ-સમજાતી
પ્રશ્ન : સંપૂર્ણ પુદ્ગલરાશિ તેના બે પ્રકારામાં સમાઈ જાય છે, તે પ્રકાર કયા કયા ?
ઉત્તર : પરમાણુ અને સ્કંધ પુદ્ગલના સંક્ષેપમાં એવા પ્રકાર બતાવ્યા છે કે જેમાં તમામ પુદ્ગલશિ સમાઈ જાય છે. પ્રશ્ન : અંત્ય દ્રવ્ય કાને કહેવાય છે?
ઉત્તર : જે પુદ્ગલદ્રવ્ય કારણરૂપ છે અને કાર્યરૂપ નથી તે અંત્ય દ્રવ્ય કહેવાય છે.
પ્રશ્ન : એવું દ્રવ્ય કયું છે અને તે કેવું છે?
ઉત્તર : એવું દ્રવ્ય પરમાણુ છે જે નિત્ય છે, સૂક્ષ્મ છે અને કાઈ પણ એક રસ, એક ગંધ, એક વર્ણ અને એ સ્પર્શથી યુક્ત છે. પ્રશ્ન : એવા પરમાણુનું જ્ઞાન શાથી થાય છે?
ઉત્તર ઃ એનું જ્ઞાન આગપ–અનુમાનથી સાધ્ય છે. બાકી પરમાણુ દ્રવ્યનું જ્ઞાન પ્રક્રિયાથી તા થઈ જ શકતું નથી.
પ્રશ્નઃ પરમાણુનું અનુમાન શાથી માનવામાં આવે છે?
ઉત્તર : પરમાણુનું અનુમાન કાર્ય-હેતુથી માનવામાં આવે છે. જે જે પૌદ્ગલિક કાર્ય ષ્ટિગાચર થાય છે એ બધાં સકારણ હોય છે: એ રીતે જે અદશ્ય અંતિમ કાર્ય હાય છે તે બધાં સકારણ હાય છે. એ રીતે જે અદૃશ્ય અંતિમ કાર્ય હાય છે એનું પણ કારણ હોવું જોઇએ, તે કારણ પરમાણુ દ્રવ્ય છે અને એનું કારણું ખીજાં કાઈ દ્રવ્ય ન હાવાથી તેને અંતિમ કારણ કહ્યું છે.