Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 257
________________ તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ૨૦૫. (૧) શબ્દ, (૨) બન્ય, (૩) સૌમ્ય, સ્થૌલ્ય, (૪) સંસ્થાન, . (૫) ભેદ, (૬) તમછાયા, (૭) આતપ, ઉદ્યોત. સ્પર્શગુણના નીચેના પ્રકાર છે: ખરતા અથવા સ્નિગ્ધતા, હલકાપણું અથવા ભારેપણું, ગરમ અથવા ઠંડું, ખરબચડાપણું અથવા સુંવાળા—આમાંથી અણુઓમાં તો થોડીક અગર વધારે ગરમ, અથવા ખરબચડાપણું કે સુંવાળાશ હોય છે, પણ ચાર પ્રકારના સ્પર્શના પ્રકાર જુદા જુદા રંગરૂપે અંતે જુદાજુદા પ્રમાણમાં દ્વચક્ષુકથી અનતાનઃ પરમાણુઓના સ્કંધનું ખાસ લક્ષણ હોય છે. જેને એમ માને છે કે પરમાણુઓના આકર્ષણવિકણથી ગુરુવાકણુ અણુમાં પેદા થાય છે. રસ પાંચ પ્રકારના છે : કડવો, તીખો, * મધુર, તૂરે અને ખારો. લવણને કેટલાક તો મધુરનો ભાગ સમજે છે અને બીજાઓને મત પ્રમાણે તે સંયોગરૂપ છે. - ગબ્ધ બે પ્રકારની છે. સુગન્ધ અને દુર્ગન્ધ. મલિષેણાચાર્ય દુર્ગધના કેટલાક વિભાગ પાડે છે, જેવી કે હિંગની ગધ વગેરે. મૂળ રંગ પાંચ પ્રકારના છેઃ કાળો, વાદળી, રાતો, પીળો અને ધોળો. શબ્દ(અવાજ)ના પણ ધીમે અથવા માટે, જાડો અથવા પાતળો . (પલો), અવ્યક્ત ને વ્યક્ત પ્રકારે છે. ; ' પરમાણુવાદના સંબંધમાં પરમાણુઓના આકર્ધવિકર્ષણથી , ચણુક વગેરે કેવી રીતે બને છે તે સંબંધમાં જનોની નોંધ વખાણવાલાયક છે. પરમાણુઓનું આકર્ષણવિકર્ષણ શા કારણથી થાય છે ? આ સવાલ ઉમાસ્વાતીકૃત તત્ત્વાધિગમ સૂત્રમાં ઊભો કરવામાં આવ્યો છે. બે પરમાણુઓને સાથે મૂકવાથી જ શું તેમનો સંયોગ થાય ! ' છે? એક જ ભૂતના પરમાણુઓને સાથે જોડનાર શક્તિ અથવા તો એક ભૂતનો બીજા ભૂત સાથેનો રાસાયણિક સંબંધ. આ સંબંધમાં ભિન્નતા દર્શાવવામાં આવી નથી. જૈને એમ માને છે કે એક જ

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287