________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૧૩ પ્રશ્ન : ઉત્તમ પુરુષ કયા કહેવાય છે? " : ઉત્તરઃ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ ઉત્તમ પુરુષ કહેવાય છે.
' . = ' પ્રશ્નઃ અસંખ્યાત વર્ષજીવી કોણ છે?
ઉત્તરે અસંખ્યાત વર્ષથી કેટલાક મનુષ્યો અને કેટલાક તિર્યંચો જ હોય છે.
પ્રશ્નઃ અનપવર્તનીય આયુષ્યવાળા કોણ છે? - ઉત્તર: પપાતિક (નારક અને દે) અને અસંખ્યાત વર્ષ જીવી નિરુપક્રમ–અનાવર્તનીય આયુષ્યવાળા જ હોય છે. .
પ્રશ્નઃ ચરમ દેહી અને ઉત્તમ પુરુષ કેવા આયુષ્યવાળા હોય છે ? - ઉત્તરઃ તેઓ સોપક્રમ એટલે અપવર્તનીય આયુષ્ય અને નિરુપક્રમ
એટલે અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. તે સિવાય બાકીના બધા મનુષ્યો અને તિર્યંચ અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. - પ્રશ્નઃ નિયત કાળમર્યાદાની પહેલાં આયુષ્યને ભોગ થઈ
જવાથી કૃતનાશ અને અકૃતાગમ તથા નિષ્ફળતાને દોષ લાગશે? - ઉત્તર: નહિ, કારણ કે શીધ્ર ભોગવી લેવામાં ઉપરનો દોષ આવતા
નથી; કેમકે જે કાર્ય લાંબા કાળ સુધી ભોગવી શકાય છે તે જ એકસાથે
ભોગવી લેવાય છે. એનો કોઈ પણ ભાગ વિપાકનુભવ કર્યા વિના . . “ છૂટકે નથી. આથી કૃત કર્મને નાશ કે બદ્ધ કર્મની નિષ્ફળતા પ્રાપ્ત
થતાં નથી. એ જ રીતે કમનુસાર રીતે આવનાર મૃત્યુ પણ આવે છે, એથી અકૃત કર્મ-આગમનને દેષ પણ આવતો નથી. જેમ ઘાસ
ની ગાઢી ગંજીમાં એક બાજુએ નાની સરખી ચિણગારી મૂકી " દેવામાં આવે તો તે ચિણગારી એક એક તૃણને ક્રમશઃ બાળતી
બાળતી તે આખી ગંજીને વિલંબથી બાળી શકે છે. તે જ ચિણગારી ઘાસની શિથિલ અને છૂટીછવાઈ ગંજીમાં ચારે બાજુથી મૂકવા