Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮ જ હોય એમાં નવાઈ નથી. અને પૂ. શ્રી ઘાસીલાલજી મના બનાવેલાં સૂત્રો સૌ કોઈને ખાત્રી થાય તેમ છે કે દામોદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ. પાસેથી રાખેલી તે બરાબર ફળીભૂત થયેલ છે.
- શ્રી વર્ધમાન શ્રમણ સંધના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી ઘાસીલાલજી મહારાજના સૂત્રો માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ.ના સૂત્રેની ઉપયોગીતાની ખાત્રી થશે.
આ સૂત્ર વિદ્યાથીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાચકને સર્વને એક સરખી રીતે ઉપયોગી થઈ પડે છે વિદ્યાર્થીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંસ્કૃત ટીકા વિશેષ કરીને ઉપયોગી થાય તેમ છે ત્યારે સામાન્ય હિન્દી વાચકને હિન્દી અનુવાદ અને ગુજરાતી વાંચકને ગુજરાતી અનુવાદથી આખું સૂત્ર સરળતાથી સમજાય જાય છે.
કેટલાકને એ ભ્રમ છે કે સૂત્રે વાંચવાનું આપણું કામ નહિ, સૂત્રે આપણને સમજાય નહિ. આ ભ્રમ તદન ખેટ છે. બીજા કેઈપણ શાસ્ત્રીય પુસ્તક કરતાં સૂત્ર સામાન્ય વાચકને પણ ઘણું સરળતાથી સમજાઈ જાય છે. સામાન્ય માણસ પણ સમજી શકે તેટલા માટે જ ભ૦ મહાવીરે તે વખતની લોકભાષામાં ( અર્ધ માગધી ભાષામાં સૂત્રો બનાવેલાં છે, એટલે એ સૂત્ર વાંચવા તેમજ સમજવામાં ઘણું સરળ છે.
માટે કેઈપણ વાચકને એને ભ્રમ હોય તે તે કાઢી નાંખે. અને ધર્મનું તેમજ ધર્મના સિદ્ધાંતનું સાચું જ્ઞાન મેળવવા માટે સૂત્રે વાંચવાને ચૂકવું નહિ એટલું જ નહિ પણ જરૂરથી પહેલાં સૂત્રે જ વાંચવા.
સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિએ જે કામ કર્યું છે. અને કરી રહી છે તેવું કોઈ પણ સંસ્થાએ આજ સુધી કર્યું નથી.
સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના છેલ્લી રિપોર્ટ પ્રમાણે બીજા છ સૂત્રો લખાયેલ પડયા છે, બે સૂત્રો-અનુગદ્વાર અને ઠાણાંગ સૂત્રો–લખાય છે તે પણ થોડા વખતમાં તૈયાર થઈ જશે. તે પછી બાકીના સૂત્રે હાથ ધરવામાં આવશે.
તૈયાર સૂત્રો જલદી છપાઈ જાય એમ ઈચ્છીએ છીએ અને સ્થા. બંધુએ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમનાં સૂત્રે ઘરમાં વસાવે એમ ઈચ્છીએ છીએ.
જેન સિદ્ધાન્ત’ પત્ર–મે ૧૯૫૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧