Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001468/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસારનું તત્વદર્શન માલતી શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસારનું તત્ત્વદર્શન માલતી શાહ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિસંસ્કાર શિક્ષણનિધિ અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ “JNANASARA NU TATTVADARSHAN" BY DR. MALTI SHAH પ્રથમ આવૃત્તિ : ૨000 મૂલ્ય : ૧૦૦ રૂપિયા પ્રકાશક : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી મૃતિસંસ્કાર શિક્ષણનિધિ C/o. શ્રી પંકજ સુધાકર શેઠ ૨૭૮, માણેકબાગ સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૧૫ પ્રાપ્તિસ્થાન : ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી ૫૦૧, મહાકાન્ત બિલ્ડિંગ, વી. એસ. હોસ્પિટલ સામે, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ . ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ મુદ્રક : ભગવતી મુદ્રણાલય ૧૫/સી, બંસીધર એસ્ટેટ બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ सर्प સ્વ. માતુશ્રી મૃગાવતીબહેનને તથા સ્વ. પિતાશ્રી રતિલાલ દીપચંદ દેસાઈને Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર-કૃત જ્ઞાનસારાષ્ટક પ્રકરણ ઉપરનો ડૉ. માલતીબહેન કિ. શાહનો આ અધ્યયનગ્રંથ પ્રકાશિત કરતાં અમારી સંસ્થા અત્યંત હર્ષ અનુભવે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની નવમી જન્મશતાબ્દી (સં. ૨૦૪૫)ની ઉજવણીને અનુલક્ષીને ૫. પૂ. જૈનાચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા તથા ભાવના અનુસાર સ્થપાયેલ આ ટ્રસ્ટના ઉપક્રમે અનેકવિધ સાહિત્યિક તથા સંસ્કારપ્રેરક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં ગ્રંથપ્રકાશન, સાહિત્યિક પરિસંવાદો, અનુસન્ધાન' નામે શોધ-સામયિકનું પ્રકાશન, મૂર્ધન્ય વિદ્વાનોને શ્રી હેમચંદ્રાચાર્ય ચન્દ્રક-પ્રદાન તથા વિદ્યાકીય શિષ્યવૃત્તિ-પ્રદાન ઇત્યાદિનો સમાવેશ થાય છે. ગ્રંથપ્રકાશન-યોજનાના અન્વયે અત્યાર સુધીમાં વિવિધ વિદ્વાનો દ્વારા સર્જિત કે સંશોધિત અનેક ગ્રંથોનાં પ્રકાશનનો લાભ આ સંસ્થાને મળ્યો છે, જેમાં ડૉ.માલતીબહેન શાહનો આ ઉત્તમ કક્ષાનો મહાનિબંધને ગ્રંથ રૂપે પ્રકાશિત કરતાં અમે વિશેષ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. આ ગ્રંથ વિશે તો અમે શું કહીએ ? એ તો તેના નિષ્ણાત અને અભ્યાસ વિદ્વજ્જનો કહે તે જ ઉચિત ગણાય. ડૉ. માલતીબહેન વિષે કહીએ તો તેઓ આપણા વરિષ્ઠ સાહિત્યકાર તથા સમાજચિંતક સદ્ગત શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના સુપુત્રી છે; પોતાના પિતાશ્રીએ આલેખેલા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસ(ભાગ ૧-૨)ના ગ્રંથોમાં તેમના મદદનીશ તરીકે રહીને ઇતિહાસ અને સંશોધનકાર્યની ઊંડી તાલીમ પામ્યાં છે; તેમણે “નગરશેઠ શાંતિદાસ ઝવેરી'નું ઐતિહાસિક-દસ્તાવેજી ચરિત્ર પણ લખ્યું છે; અને પોતાના લગ્ન બાદ પણ વિદ્યાધ્યયનની જ્યોત તેમણે સતત પ્રજ્વલતી રાખી છે, જેનો પુરાવો પ્રસ્તુત શોધગ્રંથ છે. આવો સરસ ગ્રંથ લખવા બદલ ડો. માલતીબહેન શાહના તથા પ્રકાશનમાં સહયોગ આપવા બદલ ડૉ. કુમારપાળ દેસાઈના આભારી છીએ. પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી પ્રેમ રાવળે પ્રગટ કરેલી “જ્ઞાનસાર-ચિત્રપોથીમાંથી પુસ્તકના મુખપૃષ્ઠ માટે ચિત્ર લેવાની સ્નેહભાવે અનુમતિ આપી તે માટે તેઓના તથા મુખપૃષ્ઠ તૈયાર કરવા માટે પરિતોષ રજની વ્યાસના અમે આભારી છીએ. લિ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિસંસ્કાર શિક્ષણનિધિ ટ્રસ્ટીગણ Page #6 -------------------------------------------------------------------------- ________________ હદયના ઉમળકાથી આવકારીએ સ્વનામધન્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ-રચિત “જ્ઞાનસાર' ગ્રંથ ઉપરના શ્રી માલતીબહેને લખેલા મહાનિબંધને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. બહુ જ ઓછા ગ્રંથો કાળજયી હોય છે. જેમ કાળ વીતે તેમ તેને કાટ તો નથી લાગતો બલ્ક તેનો ચળકાટ વધે છે તે પૈકીનો ગ્રંથ છે જ્ઞાનસાર. શ્લોકસંખ્યા તો અલ્પ છે (માત્ર ર૭૩) પણ તેમાં જે ચિંતન ભર્યું છે, અનુભવથી નિપજેલું સત્ય રજૂ થયું છે, નિરાભરણ છતાં નિતાંત સુંદર છે. હૃદયમાંથી આવેલી વાણી સીધી હૃદયને સ્પર્શે છે. આવી વાણીના વરદાનને પામેલી વાણીના, વ્યક્તિએ વ્યક્તિએ સૈકે સૈકે અલગ અલગ અર્થઘટન થવાના. એકની એક વ્યક્તિ પણ અલગ અલગ મનઃસ્થિતિમાં, અને પલટાતાં સમયસંયોગમાં જો તેનો સ્વાધ્યાય કરે છે તો તેને પણ તેના નવા નવા અર્થ લાધે છે. ઘણું ઊંડાણ ભર્યું છે આમાં. ભિન્ન ભિન્ન વ્યક્તિને પોતાની નજરે આમાં કાંઈક નિરાળું જ દેખાય છે. મારી પોતાની જ વાત કરું તો જ્ઞાનસાર ગ્રંથના અષ્ટકોમાંથી એકથી વધુ વાર પસાર થવા છતાં હમણાં ફરી સ્વાધ્યાય ર્યો ત્યારે પહેલા જ અષ્ટકમાં પૂર્ણતાની વ્યાખ્યા વાંચીને વિચારી તો અંદર અજવાળું પથરાઈ ગયું. ચિરકાળ સુધી લીલીછમ રહે તેવી સુરતરુવર શાખાની લેખિનીનો જ આ જાદુ છે. સંસ્કૃત ભાષાનો પણ આમાં ફાળો છે. અક્ષર તો માત્ર સોળ છે; અર્થનું ઊંડાણ કેટલું છે. “શબ્દો તો લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે” એ ન્યાયે આ પંક્તિ ઉત્તમ લાગી. पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता । અર્થ : જે પદાર્થો વડે કૃપણ જીવો પોતાને પૂર્ણ માને છે તે પદાર્થ તરફની ઉપેક્ષાઉદાસીનભાવ તેનું નામ પૂર્ણતા. આ વાતનો જેમ જેમ વિચાર કરીએ તેમ તેમ તેમાં રહેલું અર્થગાંભીર્ય આપણને દેખાય છે. આવી તો પંક્તિ પાને પાને પથરાયેલી છે. આ તો માણે તે જાણે એવું છે. હમણાં તાજેતરમાં અમદાવાદના એક ચિંતક ચિત્રકારે જ્ઞાનસારના બત્રીસ અષ્ટકનાં બત્રીસ ચિત્ર તૈયાર કર્યા. દરેક અષ્ટકના કેન્દ્રવર્તી વિચારને ચિંતન-મનનની સરાણે Page #7 -------------------------------------------------------------------------- ________________ ચઢાવીને એક-એક ચિત્ર દોર્યું છે. તેઓનું નામ છે પ્રેમ રાવળ. મને કૌતુક થયું કે આ ગ્રંથ તેમને પરંપરાથી તો પ્રાપ્ત નથી છતાં તેમાંનું ઊંડાણ તેમને સ્પર્શી ગયું, તો આ ગ્રંથમાં કેટલી શક્યતા ભરી પડી છે. આ પ્રસંગે એક ગ્રંથ ઉપર ધ્યાન દોરવા મન થાય છે. જ્ઞાનસાર ઉપર શ્રી દેવચન્દ્રજી મહારાજે જ્ઞાનમંજરી નામની જે સંસ્કૃત વૃત્તિ રચિ છે તેમાં શ્રી દેવચન્દ્રજી મહારાજે ગ્રંથને શાસ્ત્રપાઠની સાક્ષી આપીને ગ્રંથનું ઘણું ગૌરવ વધાર્યું છે તે પણ નોંધપાત્ર છે. અહીં માલતીબહેને પણ એક એક અષ્ટકના વિષયને સમજવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. તેમણે ગૃહસ્થ જીવનની બધી જવાબદારી નિભાવતાં નભાવતાં આવા ગંભીર અર્થસભર ગ્રંથને સમજવાનો પ્રયત્ન કર્યો છે તે ખૂબ જ ઉમળકાભેર આવકારને પાત્ર છે. આવા ગ્રંથને વાંચી-ભણી વાગોળીને તેની સમાન વિચારશીલ વર્ગ સાથે ગોષ્ઠી કરવી જોઈએ જેથી તેના વધુ આયામો ખૂલતાં આવે. તેથી તત્ત્વજ્ઞાન તો મળે છે, સાથે જીવનધર્મનો બોધ થાય છે. કોઈપણ ગ્રંથકાર જે ગ્રંથ રચે તેમાં પૂર્વ પુરુષોના વિચારમાં, તેની પરંપરામાં પોતાના ચિંતન અનુભવને કાલવીને, જે પરંપરામાંથી લીધું તેમાં જ કાંઈ ઉમેરો કરીને એ પરંપરાને આગળની પેઢીના હાથમાં પહોંચાડે છે. આમ સાંકળ ચાલતી રહે છે. શ્રી માલતીબહેન આ સ્વાધ્યાય કરીને, તેને આ રીતે રજૂ કરીને અનેક નવા તત્ત્વપ્રેમીને આ તરફ આકર્ષશે એ જ મોટો લાભ છે. બધાં યોગ્ય જીવો આના સ્વાધ્યાય તરફ વળે તે જ આ પુરુષાર્થની ફળશ્રુતિ છે. તે સિદ્ધ થાઓ. જેસર, સૌરાષ્ટ્ર વિ.સં. ૨૦૫૬, વસંતપંચમી પ્રદ્યુમ્નસૂરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ તાત્વિક વિષય : સાત્વિક અધ્યયન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ એ જૈન દર્શનના ક્ષેત્રનું એક બહુ મોટું નામ છે. જ્યારે પણ જૈન દર્શનનો અને જૈન નવ્ય ન્યાયનો ઇતિહાસ લખાશે ત્યારે તેમાં શ્રી યશોવિજયજી મહારાજ બહુ મોટો હિસ્સો રોકશે તે નિ:સંદેહ છે. ઉપાધ્યાયજી મહારાજે કેટકેટલી દિશાઓમાં ખેડાણ કર્યું છે ! આગમોનાં અર્થગંભીર સૂત્રોના ઔદંપર્યો પામવાની ચાવી તેઓ બનાવી આપે, તો આગમો અને શાસ્ત્રોના તાત્ત્વિક તેમ જ દાર્શનિક પદાર્થોને નવ્ય ન્યાયની પરિભાષામાં પણ તેઓ જ ગૂંથી આપે; શબ્દ અને અર્થપ્રધાન અલંકારો, વિધવિધ રસો અને કાવ્યગુણો તેમ જ અકલ્પ કલ્પનાઓના સરસ-સુભગ સુમેળ દ્વારા અનાયાસ નીપજી આવેલાં તેમનાં સંસ્કૃત અને ગૂર્જર ભાષાનાં કાવ્યો જોતાં તેઓ એક પ્રગભ કવિ તરીકે ઊપસે, તો સાધુધર્મની છણાવટ કરતી તેમની કૃતિઓમાંથી પસાર થઈએ ત્યારે તેઓ એક આદર્શ સંયમી અને દઢ આજ્ઞારુચિ એવા સાધુપુરુષ તરીકે પ્રગટ થાય, અને નય, પ્રમાણ, નિક્ષેપ, સપ્તભંગી જેવા અનેકાંતદર્શનના મૌલિક પદાર્થોને લઈને છયે દર્શનોનું ખંડન-મંડન કરનારા તેમના ગ્રંથો વાંચીએ ત્યારે તેઓ એક પ્રચંડ સત્યશોધક દાર્શનિક પુરુષ તરીકે આપણી સમક્ષ ઉપસ્થિત થતા અનુભવાય. પણ, ઉપાધ્યાયજી મહારાજનું સૌથી શ્રેષ્ઠ યોગદાન તો આ : તેમણે, શ્રી સિદ્ધસેન દિવાકર અને શ્રી હરિભદ્રસૂરિ જેવી, સદીઓથી લગભગ વિસારે પડેલી દર્શન અને યોગના માર્ગની વિભૂતિઓને તેમ જ તેમની અભુત ગ્રંથરચનાઓને જગતના ચોકમાં પુન: પ્રખ્યાત અને ચલણી બનાવી. આ કાર્ય માત્ર ઉપાધ્યાયજી જ કરી શકે. તેમની અનેક રચનાઓમાં, “જ્ઞાનસાર-અષ્ટક”માં પણ, આ બે મહાન દાર્શનિક આચાર્યોની આર્ષ વાણીના અંશોને તેમણે વણી લીધા છે. આવા મહાપુરુષે રચેલ, જ્ઞાન તથા યોગ માર્ગનાં રહસ્યોથી છલકાતા ગ્રંથ જ્ઞાનસાર-અષ્ટક' ઉપર રચાયેલ એક સરસ અને ચિંતનપ્રેરક અધ્યયનગ્રંથ શ્રી માલતીબહેન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, તે એક આનંદદાયક ઘટના છે. મારી સામાન્ય સમજ એવી રહી છે કે આજકાલ આપણાં વિશ્વવિદ્યાલયોમાં અનુસ્નાતક-ડૉક્ટરેટની કક્ષાએ અભ્યાસ અધ્યયનગ્રંથો કે શોધનિબંધો થાય છે તે મહદંશે સાવ સામાન્ય સ્તરના હોય છે. ક્યારેક તો આવું અધ્યયન એ પાર્ટટાઇમ જૉબ જેવું – આવક મેળવવાનું સાધન બની જતું હોય છે. અધ્યયન માટેનો તરવરાટ અને પોતે સ્વીકારેલા વિષયના ઊંડાણમાં તેમજ વ્યાપમાં જવાની – સમજવાની તથા સમજાવવાની – તત્પરતા જવલ્લે જ જોવા મળે છે. જો વ્યાપક વિદ્યાશાખાઓ પરત્વે આ સ્થિતિ હોય, તો જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયોની હાલત કેવી હોય ? મૂળે તો આવા વિષયો લઈને અધ્યયન કરનાર જ ન મળે ! ઊંડાણમાં જવા ન જવાની વાત તો પછીની વાત ગણાય. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પશ્ચાદ્ભૂમાં પ્રસ્તુત શોધ-ગ્રંથને તપાસીએ, ત્યારે કાંઈક જુદો જ અનુભવ થાય છે. આ ગ્રંથમાં અધ્યયન છે, ચિંતન છે, તુલનાત્મક સમીક્ષણ છે, અને વિષયભૂત ગ્રંથનું રસપ્રદ મૂલ્યાંકન પણ છે. બિનજરૂરી પ્રસ્તાર નહિ, ચિંતનાત્મક અને તત્ત્વજ્ઞાનવિષયક સંદર્ભ હોવા છતાં ભાષા-પરિભાષાનો ભાર નહિ, અને છતાં સરળ ભાષાશૈલીમાં ગંભીર મુદ્દાઓનું સુગ્રથિત પ્રતિપાદન – એ આ અધ્યયનગ્રંથની વિશેષતા છે. માલતીબહેને મને આગ્રહપૂર્વક કહેલું કે વખાણ ન કરતા; ભૂલો જ બતાડજો. એમની વાત માની લઉં અને ભૂલો શોધવા કે દેખાડવા બેસું, તો મને લાગે છે કે ઘણી આસાનીથી તેમ થઈ શકે ખરું. કોઈ માણસ કંઈક કરે – કરી બતાવે, ત્યારે તેણે શું નથી કર્યું તે તરફ તેનું ધ્યાન અવશ્ય દોરી શકાય. પરંતુ એમાં ખરેખર તો આવું ધ્યાન દોરનારની અક્કલનું જ પ્રદર્શન થતું હોય છે. એટલે આવા સરસ અભ્યાસનિબંધની ખામી શોધવાને બદલે તેની ખૂબીઓ શોધવાનું જ વધુ યોગ્ય ગણાય. “જ્ઞાનસાર' એ તત્ત્વજ્ઞાનનો ગ્રંથ છે. એને જૈન દર્શનની અષ્ટાવક્રગીતા ગણી શકાય. ગહન અને ગંભીર તાત્ત્વિક પદાર્થોને અત્યંત લાઘવપૂર્ણ અને અત્યંત કાવ્યમય પદ્યશૈલી દ્વારા પ્રસ્તુત કરીને શ્રી યશોવિજયજીએ પોતાનું એક સમર્થ દાર્શનિક કવિ તરીકેનું પોત આ પ્રકરણમાં પ્રગટાવ્યું છે. આવા સરસ ગ્રંથનો ચિંતનાત્મક તેમ જ મૌલિક સ્વાધ્યાય આ અધ્યયન-ગ્રંથમાં શ્રી માલતીબહેને આપ્યો છે. ભાષાની સજ્જતા અને વિચારોની તેમ જ અભિવ્યક્તિની સ્પષ્ટતા – આ બે વાનાં તો માલતીબહેનને તેમના પિતાશ્રી (રતિલાલ દીપચંદ દેસાઈ) તરફથી વારસામાં (કે કરિયાવરમાં) મળ્યાં છે. એના ફળસ્વરૂપે નીપજી આવી છે એક નિરાડંબર છતાં સત્ત્વશીલ શૈલી, જે આ ગ્રંથનું આગવું આકર્ષણ કે આભૂષણ છે. વિશેષ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે માલતીબહેને આ અધ્યયન પોતાના લગ્ન પછી કર્યું છે. ઘર અને પરિવારની તમામ જવાબદારીઓ હોંશે હોંશે નિભાવવી, પતિ-પુત્ર અને અન્યો પ્રત્યેનાં કર્તવ્યો બજાવવાં, અને એમાંથી બચાવેલ સમયનો સદુપયોગ આવા અધ્યયનમાં કરવો, એ તો ભારે વિકટ કાર્ય છે. પરંતુ આ કાર્ય તેઓ કરી શક્યાં, તેમાં તેમના સૌમ્ય પ્રકૃતિના પતિ કિશોરભાઈનો પણ જેવોતેવો ફાળો નથી જ. તેમની સંમતિ જ નહિ, પણ પૂરો સહયોગ તેમને મળ્યો છે, એ પણ એક સંતર્પક ઘટના છે. શ્રી માલતીબહેનના પ્રસ્તુત અધ્યયનગ્રંથને તો ઉલ્લાસમઢડ્યો આવકાર હોય જ, સાથે સાથે એવી અપેક્ષા પણ વ્યક્ત કરું છું કે હવે પછી માલતીબહેન પાસેથી “જ્ઞાનસાર' વિષેના અનેક અધ્યયન-ચિંતનના લેખો આપણને મળતા રહે. શ્રી કદંબગિરિતીર્થ : તા. ૨૬-૧-૨૦૦૦ શીલચંદ્રવિજય Page #10 -------------------------------------------------------------------------- ________________ આમુખ ડૉ. માલતીબહેન શાહનો “ઉપાધ્યાય યશોવિજયજીકૃત “જ્ઞાનસાર’ : એક સમીક્ષાત્મક અધ્યયન” એ મહાનિબંધ પુસ્તકાકારે “જ્ઞાનસારનું તત્ત્વદર્શન” એ નામે પ્રગટ થતાં તેનું આમુખ લખતાં અસીમ આનંદ અનુભવાય છે. આ એક વિદ્વત્તાપૂર્ણ અને ખૂબ પરિશ્રમપૂર્વક તૈયાર કરાયેલો ગ્રંથ છે. મારા માર્ગદર્શન નીચે તૈયાર કરાયેલા આ મહાનિબંધને માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડો. માલતી શાહને પીએચ.ડી.ની પદવીનું પ્રદાન થયેલું છે. માર્ગદર્શક હોવાને નાતે મને આ ગ્રંથના બધાં પ્રકરણોને ઊંડાણથી તપાસવાનો અવસર મળેલ છે. ઉપાધ્યાય યશોવિજયજી જૈન દર્શનના ઇતિહાસમાં અસાધારણ બહુમુખી પ્રતિભા ધરાવતા દાર્શનિક છે. તેઓ માત્ર દિગંબર અને શ્વેતાંબર દાર્શનિક સાહિત્યના જ વિદ્વાન નહોતા, બલ્ક પોતાનાં સમકાલીન સર્વ ભારતીય દર્શનોના જ્ઞાતા હતા. વૈદિક સાહિત્યમાં પણ વિશેષતઃ ઉપનિષદુ, ભગવદ્ગીતા અને યોગના અસાધારણ પંડિત હતા. આ જૈનેતર સાહિત્યનો પ્રભાવ તેમના અનેક ગ્રંથોમાં જોવા મળે છે. વળી તેઓ અનેક ભાષાઓના મર્મજ્ઞ હતા. સંસ્કૃત, પ્રાકૃત, હિંદી અને ગુજરાતીમાં લખાયેલા તેમના ગ્રંથો જ આ બાબતના સાક્ષીરૂપ છે. તેમણે પોતાની અનેક સ્વતંત્ર રચનાઓ દ્વારા જૈન દર્શનને સમૃદ્ધ કર્યું છે. વિદ્વત્તાની દૃષ્ટિએ તેમની તુલના માત્ર નવમી શતાબ્દીના દિગંબર આચાર્ય વિદ્યાનંદ સાથે કરી શકાય તેમ છે. તેઓ જ્ઞાનના સાગર હતા. કોઈ પણ અન્ય દર્શન પ્રત્યે તેમના મનમાં દ્વેષ યા મલિન ભાવના ન હતી. આ કારણે જ, તેમના અનેક ગ્રંથોમાં અનેકાંતવાદના આધાર પર સર્વ દર્શનોનો સમન્વય કરવાનો પ્રયાસ વારંવાર દૃષ્ટિગોચર થાય છે. ઉપાધ્યાય યશોવિજયજી કેવળ પ્રખર પંડિત જ નહોતા, બલ્ક તત્ત્વવેત્તા હતા, જ્ઞાની હતા, યોગી હતા. તેમના અનેક ગ્રંથ કેવળ અનુભવવાણી છે. “જ્ઞાનસાર' પણ તેમના તત્ત્વદર્શનના અનુભવમાંથી નીકળેલી વાણી છે. આ ગ્રંથમાં શુષ્ક તાર્કિક વિચાર અને ખંડન-મંડન જોવા મળતાં નથી. અહીં For Private Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સાધકોને એવો એક માર્ગ બતાવાયો છે, જેના દ્વારા સાધક પોતાની મંજિલ સુધી સહજતાથી પહોંચી શકે છે. આને કારણે, જૈન સાધકવર્ગમાં આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને લોકપ્રિય ગ્રંથ છે. ડૉ. માલતી શાહે અહીં આ મહત્ત્વપૂર્ણ ગ્રંથનું ઊંડાણથી અધ્યયન કરીને તેનું હાર્દ પ્રગટ કરવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે. આ મહાનિબંધનાં કુલ દસ પ્રકરણ છે. પહેલા પ્રકરણમાં જૈનદર્શનની વિકાસયાત્રા આલેખવામાં આવી છે. બીજા પ્રકરણમાં મહાન તત્ત્વચિંતક, સાધક અને સિદ્ધપુરુષ યશોવિજયજીની બહુમુખી પ્રતિભાનો પરિચય આપવાનો પ્રયાસ કરાયો છે. ત્રીજા પ્રકરણમાં “જ્ઞાનસારનાં બત્રીસે ય અષ્ટકોનો સારાંશ આપીને લેખિકાએ જિજ્ઞાસુઓ પર મોટો ઉપકાર કર્યો છે. ચોથા પ્રકરણમાં જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતોરૂપ આધાર રજૂ કરીને, પાંચમા પ્રકરણમાં “જ્ઞાનસાર'માં તેમાંના કેટલાક સિદ્ધાંતોનું પ્રતિબિંબ કઈ રીતે જોવા મળે છે તે પ્રદર્શિત કરાયું છે. છઠ્ઠા અને સાતમાં પ્રકરણોમાં અનુક્રમે કર્મસિદ્ધાંત અને દોષનિવારણોપાય બતાવાયા છે. આઠમું પ્રકરણ એ લેખિકાનું અત્યંત મહત્ત્વનું યોગદાન છે; જેમાં સાધક અને સાધનામાર્ગ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. મોક્ષપ્રાપ્તિ માટે સાધકને કયા કયા ગુણોની આવશ્યકતા છે તે સુંદર રૂપે અહીં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. નવમા પ્રકરણમાં પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોના “જ્ઞાનસાર' પર પડેલા પ્રભાવ વિષે લેખિકાએ પ્રમાણપુર:સર ચર્ચા કરી છે. ઉપસંહારમાં ઉપાધ્યાય યશોવિજયજીના યોગદાન વિષે લેખિકાએ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ ગ્રંથ કેવળ જૈનદર્શનના જ નહિ, બલ્ક દર્શનક્ષેત્રનું તુલનાત્મક અધ્યયન કરનારા સહુ જિજ્ઞાસુઓને માટે પરમોપયોગી છે. હું આશા રાખું છું કે આ જાતના અનેક વિદ્વત્તાપૂર્ણ સંશોધનગ્રંથો ડૉ. માલતી શાહ સમાજને પ્રદાન કરે. અમદાવાદ તા. ૯-૧૧-૧૯૯૮ ડૉ. વણેશ્વર સદાશિવ શાસ્ત્રી અધ્યક્ષ : તત્ત્વજ્ઞાન વિભાગ ગુજરાત યુનિવર્સિટી 10 Page #12 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સત્ત્વશીલ સાહિત્યનો સ્વાધ્યાય વ્યક્તિને વિવિધ રીતે ઉપયોગી નીવડી શકે છે. કેટલુંક સાહિત્ય પાણીની જેમ તત્કાલીન ઉપયોગી હોય છે, કેટલીક કૃતિઓ દૂધસમાન પોષણયુક્ત હોય છે, તો કેટલીક વિશિષ્ટ સાહિત્યકૃતિઓ અમૃત સમાન હોય છે અને તેવા અમૃત જેવા સાહિત્યનું રસપાન સતત તૃપ્તિકારક જ હોય છે. અમુક ગ્રંથો કે સાહિત્યકૃતિઓ જ્યારે પણ વાંચીએ ત્યારે સમૃદ્ધ જણાય છે અને તેનું વાચન, મનન, નિદિધ્યાસન વ્યક્તિને સતત તાજગીસભર રાખે છે. ભારતના પ્રાચીન સાહિત્યમાં આપણને આવી સત્ત્વશીલ કૃતિઓ તેના દીર્ઘદ્રષ્ટા રચયિતાઓ દ્વારા અવારનવાર મળ્યા જ કરી છે. ભારતીય દાર્શનિક વિચારધારા અને સાંસ્કૃતિક પ્રવાહોના વિકાસમાં આવા કર્તાઓ અને તેમની કૃતિઓનો ફાળો અમૂલ્ય છે. અઢારમી સદીમાં થયેલ ઉપાધ્યાય યશોવિજયજી આવા જ વિરલ અને પ્રતિભાસંપન્ન ચિંતક હતા. ખાસ કરીને જૈનદર્શન અને જૈનધર્મમાં તો તેમનું પ્રદાન અવિસ્મરણીય છે જ; વ્યાપક દાર્શનિક સાહિત્ય અને ભક્તિસાહિત્યમાં પણ તેઓની જોડ મળવી મુશ્કેલ છે. અત્રે જેનો અભ્યાસ પ્રસ્તુત કરવામાં આવ્યો છે તે “જ્ઞાનસાર' તેમની આત્મચિંતનયુક્ત કૃતિઓમાંની એક આધ્યાત્મિકભાવસભર કૃતિ છે. માત્ર જૈનદર્શન જ નહીં, પરંતુ અન્ય ભારતીય દર્શનો, વેદ, ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ગીતા વગેરેનો તેમનો અભ્યાસ, જૈનદર્શનનું નિરૂપણ કરતી તેમની આ કૃતિમાં જોઈ શકાય છે. પીએચ.ડી.ની ડિગ્રી માટે ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ થયેલો મારો મહાનિબંધ અમુક જરૂરી સુધારાવધારા સાથે અત્રે પુસ્તકના રૂપમાં રજૂ થયો છે. સ્વ. પં. શ્રી દલસુખભાઈ માલવણિયાના સૂચનથી મેં જ્યારે આ કૃતિ મારા અભ્યાસ માટે પસંદ કરી ત્યારે મારું કામ કેટલું કઠિન હતું તેનો મને ખ્યાલ હતો. મારી મર્યાદિત શક્તિઓ દ્વારા આ કૃતિનો માત્ર પ્રારંભિક કહી શકાય તેવો અભ્યાસ હું કરી શકે છે. અનુભવવાણીયુક્ત ચિંતન ધરાવતા આ ગ્રંથને સમજવા માટે આપણી પાસે ખૂબ સજ્જતાની Page #13 -------------------------------------------------------------------------- ________________ જરૂર છે. ‘જૈન ધર્મની ગીતા'નું ઉપનામ પામેલ ‘જ્ઞાનસાર’ ગીતાની જેમ જ સાધકને માટે સતત પથપ્રદર્શક બની રહે છે. અનેક વિદ્વાનોએ, સંત પુરુષોએ ‘જ્ઞાનસાર' ઉપર પોતપોતાની વિશિષ્ટ દૃષ્ટિથી અભ્યાસપૂર્ણ વિવેચનો રજૂ કરીને તેના ગૂઢાર્થોને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘જ્ઞાનસાર’ના શ્લોકોના વાચન દરમ્યાન મેં તેમાં ૨જૂ થયેલ એક-એક વિષયને લગતા વિવિધ શ્લોકોને એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ રીતે concept (ખ્યાલ) પ્રમાણે વર્ગીકૃત કરીને તેનો અભ્યાસ થયો નથી. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જીવ, જગત, કર્મ, સાધનામાર્ગ વગેરે વિષયો પ્રમાણે તેના શ્લોકોને વિશ્લેષિત કરીને તેમાંથી તારવણી કરવાનો એક નમ્ર પ્રયત્ન અહીંયાં કર્યો છે. અહીં આ બધા વિષયના શ્લોકોની સમજૂતી આપવામાં ઉપાધ્યાયજીએ પોતે રચેલ ટીકા(સ્વોપજ્ઞ ટબા)ના અર્થને મુખ્ય ગણવામાં આવ્યો છે. એક સળંગ પ્રવાહની જેમ વહી જતી ‘જ્ઞાનસાર’ જેવી અખંડ કૃતિને આ રીતે વિશ્લેષિત કરવામાં આવે તે વાજબી લાગતું નથી; પરંતુ તત્ત્વચિંતનના ક્ષેત્રમાં ‘જ્ઞાનસાર’માંથી આપણને કયા પ્રકારનું ચિંતન પ્રાપ્ત થાય છે તે દૃષ્ટિએ જો અભ્યાસ કરવો હોય તો આવું વિશ્લેષણ વ્યવહારુ દૃષ્ટિએ કરવું જરૂરી પણ થઈ પડે. એ દૃષ્ટિએ આ વિશ્લેષણને સ્વીકારી શકાય. ‘જ્ઞાનસાર’માં રજૂ થયેલ ચિંતનને સમજવા માટે ઉપાધ્યાય યશોવિજયજીના જીવનની વિગતો અને કેટલીક પસંદગી કરેલ કૃતિનો પરિચય ભૂમિકારૂપ હોવાથી આપેલ છે. વળી આ કૃતિનું સળંગ વાચન થઈ શકે તે માટે તેના મૂળ સંસ્કૃત શ્લોકો આ પુસ્તકના અંતે આપવા ઉચિત ગણ્યા છે. મારા આ અભ્યાસ દરમ્યાન વિવિધ સ્તરે મને અનેક વ્યક્તિઓની સહાય મળતી રહી છે તેઓનો ઋણસ્વીકાર કરવો ઉચિત સમજીશ. ‘જ્ઞાનસાર’ ૫૨ વિવેચન લખનાર સૌ મહાનુભાવોનાં પુસ્તકોની મદદથી હું આ સ્વલ્પ અભ્યાસ કરી શકી છું. મારા માર્ગદર્શક ગુરુવર્ય ડૉ. વાય. એસ. શાસ્ત્રીસાહેબે મને આ અભ્યાસના આરંભથી અંત સુધી અનેક રીતે સહાય કરી છે, જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે, કે જેથી આ કામ થઈ શક્યું છે. ‘જ્ઞાનસાર’ના શ્લોકોમાં રજૂ થયેલ ગહન વિષયોને સમજવા માટે પૂ. આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી તથા પૂ. આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજીએ 12 Page #14 -------------------------------------------------------------------------- ________________ અવારનવાર મને ઉપકૃત કરી છે તેનું ઋણ હું ક્યારેય ચૂકવી શકું તેમ નથી. શબ્દની પાછળ રહેલા અર્થને સમજવા માટે આવા અનુભવી, સતત સ્વાધ્યાયરત સંતપુરુષોનું માર્ગદર્શન ખૂબ જ જરૂરી થઈ પડે છે. પૂ. સાધ્વીજી સુવ્રતાશ્રીજી મહારાજ સાહેબ તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજી સંસ્થાએ મારા કામમાં રસ લઈને મને પ્રોત્સાહિત કરી છે. મારા બંને પક્ષનાં કુટુંબીઓ અને સ્નેહીઓએ મને આ કામમાં અનુકૂળતા કરી આપી છે, નાના-મોટા પ્રશ્નો હલ કરી આપ્યા છે, અવારનવાર મને જોઈતી મદદ કરી આપી છે તેને હું કૃતજ્ઞતાપૂર્વક સ્મરું છું. મારા ભાઈ અને સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક શ્રી નીતીનભાઈ દેસાઈએ મારા લખાણને ભાષાકીય રીતે મઠારીને તથા અનેક શાસ્ત્રીય અવતરણોને સમજવામાં ચર્ચા કરીને, જાણીતા સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઈએ મારા કામમાં સતત રસ લઈને, શ્રી નિરુભાઈ તથા બહેન પ્રજ્ઞાએ અનેક વ્યવહારુ સૂચનો કરીને, મારા જીવનસાથીએ તથા મારા પુત્ર ચિ. આલોક મૂક સહકાર આપીને, વડીલ સ્નેહાળ માતૃતુલ્ય પડોશી સ્વ. સુમતિબહેને ખૂબ પીઠબળ આપીને, પૂ. લક્ષ્મણકાકાએ હંમેશાં જરૂરી મદદ કરીને, મુ. શ્રી જયંતભાઈ મેઘાણીએ ઉપયોગી માર્ગદર્શન આપીને મને જે રીતે ઉપકૃત કરી છે તેનો નામોલ્લેખ કરવો અસ્થાને નહીં ગણાય. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિસંસ્કાર શિક્ષણનિધિ દ્વારા આ ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે તેને હું મારું સૌભાગ્ય સમજું છું. " નિત્ય નવીન જણાતી સત્ત્વશીલ કૃતિ પર મારી અલ્પ મતિથી એક નજર ફેરવી છે. તેમાં જે સત્ત્વશીલ છે તે તો કૃતિની પોતાની દેણ છે. રજૂઆતની ત્રુટીઓ પરત્વે કોઈ ગમે ત્યારે મારું ધ્યાન દોરશે તો હું આભારી થઈશ. માલતી કિશોરભાઈ શાહ ૮, શ્રીપાળ એપાર્ટમેન્ટસ્, દેરી માર્ગ, કૃષ્ણનગર, ભાવનગર-૩૬૪૦૦૧ તા. ૧-૧-૨૦૦૦ 13 Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય હૃદયના ઉમળકાથી આવકારીએ તાત્ત્વિક વિષય : સાત્ત્વિક અધ્યયન અનુક્રમ આમુખ નિવેદન [4] [5-6] [7-8] [9-10] [11-13] ખંડ પ્રથમ : પૂર્વભૂમિકા [1] [3-12] ૧. જૈન દર્શન : પરંપરા અને વિકાસ પ્રતિભાવાન દાર્શનિક વારસો [4], જૈન દર્શન [4], બ્રાહ્મણ-પરંપરા અને શ્રમણ-પરંપરા [4], જૈન દર્શનના વિકાસ પર એક નજ૨ [5], નવ્યન્યાય અને જૈન દર્શન [8], ટિપ્પણ [9]. ૨. યશોવિજયજી : જીવન અને વાડ્મય [13-46] તત્કાલીન પરિસ્થિતિ [13], સમકાલીનો [14], શ્રી યશોવિજયજીના જીવન અંગેની પ્રાપ્ય વિગતો [14], જન્મ-બાળપણ-દીક્ષા-અવધાન [15], કાશી અને આગ્રાનો અભ્યાસ [17], ગુજરાતમાં આગમન [19], તેમને મળેલ પદવીઓ [20], કાળધર્મ અને શિષ્યો [21], વિદ્વાનોના ઉદ્ગારો [21], ઉપાધ્યાયજીનું સાહિત્ય [23], ગુજરાતી અને હિંદી કૃતિઓ [25], સંસ્કૃત અને પ્રાકૃત કૃતિઓ [26], ટિપ્પણ [33]. ૩. જ્ઞાનસાર-અષ્ટક [47-62] બાહ્ય સ્વરૂપ [47], સાધકો માટેની ભેટ [49], શૈલી [49], અનુભૂતિની વાણી [50], ‘પૂર્ણતા' - માનવ જીવનનું ધ્યેય [51], બત્રીસ અષ્ટકોનું વિહંગાવલોકન [52], ટિપ્પણ [60]. 14 Page #16 -------------------------------------------------------------------------- ________________ ૪. નવ તત્વ (63-725 તીર્થકર [63], વાસ્તવવાદી, વૈતવાદી, અનેકાત્મવાદી દર્શન [64], પદ્રવ્યો [65], નવ તત્ત્વો [65], ૧. જીવ [65], ૨. અજીવ [66], ૩-૪ પુણ્ય અને પાપ [67), ૫-૬. આસવ અને બંધ [63], ૭-૮, સંવર અને નિર્જરા [68), ૯. મોક્ષ [69], ટિપ્પણ (70]. ખંડ દ્વિતીય : “જ્ઞાનસાર”– વિશ્લેષણ અને મૂલ્યાંકન [13] ૫. તત્ત્વવિભાવના 175-84) જગત : (ક) ચરાચર જગત આત્માથી અભિન્ન [25], (ખ) સમતાવાન મુનિ ચરાચરમાં અતુલનીય [16], (ગ) જગતના તત્ત્વને જાણે તે મુનિ [76), (ઘ) સ્યાદ્વાદથી જગતને જાણનારમાં સાક્ષીભાવ [16]. જીવ (ક) જ્ઞાનસ્વરૂપ [77, (ખ) પૂર્ણાનંદસ્વરૂપ [78], (ગ) નિત્યતા (79), (ઘ) નિર્મળતા [39], (૨) સમાનતા [80], (છ) રૂપરહિતતા [80]. અજીવ : (ક) દેહ, ઘર, ધન વગેરે પુદ્ગલોમાં મમત્વ [80], (ખ) પુદ્ગલ અનિત્ય, અશુચિ, અનાત્મરૂપ [8], (ગ) જીવ-પુદ્ગલની ભિન્નતા વિદ્વાનને જ્ઞાત [82], (ઘ) પુદ્ગલદૃષ્ટિ બાહ્ય સ્વરૂપ જાણે [83], (ચ) પુદ્ગલદૃષ્ટિ બંધનયુક્ત [83], (છ) પુદ્ગલભોજનથી અતૃપ્તિ [33], (જ) પુદ્ગલથી પુદ્ગલ જ તૃપ્ત થાય [33], (ઝ) પુદ્ગલથી પુદ્ગલ લેપાય 8િ3], ટિપ્પણ [84]. ૭. કર્મવિચાર [85-90] કર્મવૈષમ્ય [85), કર્મવિપાક – કાર્યનિષ્પત્તિનું પ્રધાન કારણ [86), કર્મવિપાકથી સભાન મુનિ સમભાવી અને જ્ઞાનાનંદમાં મસ્ત [86], મધ્યસ્થીને કર્માધીન જગત પ્રત્યે રાગ-દ્વેષ ન હોય [86], કર્મ અને જીવ જુદાં [87], કર્મબંધન ક્યારે ન લાગે ? [87], કર્મપરિણામ રાજા [89], ટિપ્પણ [80]. ૭. સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ ' : [91-102] સંસારનું સ્વરૂપ [9], સાધકની વર્તમાન દશા [22], લોકોની વિવિધ પ્રકારની મનઃસ્થિતિ [92], દોષો અને તેના ઉપાયો : [93] (ક) મોહ તથા મૂછ [94], (ખ) આત્મપ્રશંસા [95], (ગ) સ્પૃહા [96), (ઘ) સંસારસુખની ઘેલછા [98], (ચ) કુતર્ક [98], (છ) ભય [99), (જ) વર 100), (ગ) મર્મપ્રહાર [11], (ટ) અસ્થિરતા [10]], ટિપ્પણ (102]. 15 Page #17 -------------------------------------------------------------------------- ________________ ૮. સાધક અને સાધનામાર્ગ [103-116). મોક્ષપ્રાપ્તિ માટેની લાયકાત : [103] (ક) જીવમાત્રની સમાનતા [[03], (ખ) ઇંદ્રિયજય (104), (ગ) શાસ્ત્રજ્ઞાન 104), (ઘ) નિર્વિકાર, નિરાબાધ જ્ઞાન અને પર-આશાની નિવૃત્તિ [104], (ચ) સિદ્ધયોગ [105]. સાધકના ગુણો [105](ક) સાક્ષીભાવ, મોહરહિતતા, નિર્લેપતા, નિઃસ્પૃહતા [106], (ખ) આધ્યાત્મિક ગુણોરૂપ કુટુંબ [106], (ગ) ગુણવાન ધ્યાતાની અખૂટ સમૃદ્ધિ [106), (ઘ) નિરપેક્ષ, તટસ્થ [107], (ચ) પ્રતિસોતગામી [07]. સાધનામાર્ગ [17](ક) “અનુભવની આવશ્યકતા [107], (ખ) યોગ અને તેના પ્રકારો [[09], (ગ) પૂજા [10], (ઘ) તપ [112], ચિ) ધ્યાન [13], (છ) નિયાગ [114]. ટિપ્પણ 115]. ૯. પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ [117-134] ૧. આગમ સાહિત્ય : [118] (ક) “આચારાંગસૂત્ર' [18], (ખ) “ઉત્તરાધ્યયનસૂત્ર' [119], (ગ) ભગવતીસૂત્ર' [119], () “વિશેષાવશ્યકભાષ્ય' [120], (૨) “અનુયોગદ્વાર” [120], (છ) દશા-શ્રુતસ્કંધચૂર્ણિ' [120]. ૨. આગમતેર જૈન સાહિત્ય: [120] (ક) ઉમાસ્વાતિ [121], (ખ) સિદ્ધસેન દિવાકર [122], (ગ) કુંદકુંદાચાર્ય [22], (ઘ) હરિભદ્રસૂરિ [123], (ચ) હેમચંદ્રાચાર્ય [124]. ૩. જેનેતર સાહિત્ય : [125] (ક) “શ્રીમદ્ ભગવદ્ગીતા' [125], (ખ) પતંજલિ [26], (ગ) ઉપનિષદ 126], (ઘ) પૂર્વમીમાંસા [127]. ૪. લોકસાહિત્ય [127], ટિપ્પણ (128]. ૧૦. ઉપસંહાર [135-140]. ખંડ તૃતીય : “જ્ઞાનસાર અષ્ટક” – મૂળ શ્લોકો [141-177] સંદર્ભગ્રંથસૂચિ [178-180] આ પુસ્તકમાં ઉપયોગમાં લેવાયેલ સંક્ષેપો : “જ્ઞા.” જ્ઞાનસાર-અષ્ટક “સ્વાધ્યાયગ્રંથ' ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાયગ્રંથ' મૃતિગ્રંથ' ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ' 16. Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન : પરંપરા અને વિકાસ ભારતીય તત્ત્વજ્ઞાનમાં જુદાં જુદાં દર્શનોના વિચારપ્રવાહો સદીઓથી ચાલ્યા આવે છે. ભારતીય તત્ત્વજ્ઞાન અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન વચ્ચેનો એક ભેદ એ છે કે ભારતમાં જુદાં જુદાં દર્શનોની પરંપરા સદીઓ પહેલાં સ્થપાઈ હોવા છતાં યુગે યુગે તે દર્શનની પરંપરા વિકાસ પામી છે; જ્યારે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં ભારતીય તત્ત્વજ્ઞાનની જેમ કોઈ વિચારપરંપરા સદીઓ સુધી લંબાઈ હોય તેમ જણાતું નથી. અપવાદરૂપ બે-ત્રણ દાર્શનિકોના વિચારપ્રવાહો થોડાક લંબાયા હોવા છતાં તેનું ફલક ભારતીય તત્ત્વજ્ઞાન જેટલું વિશાળ નથી. ભારતીય તત્ત્વજ્ઞાનની બીજી લાક્ષણિકતા એ છે કે તેમાં દર્શનશાસ્ત્રમાં જે દાર્શનિક વિચારો રજૂ થયા તેને રોજ-બ-રોજના જીવન સાથે વણી લેવાના પ્રયાસરૂપે પ્રચલિત બનેલ કેટલાક ધર્મો પણ ભારતીય સમાજજીવનમાં સદીઓથી ટકી રહ્યા છે. દા. ત. બૌદ્ધ દર્શનના વિચારોનું પ્રતિબિંબ બૌદ્ધ ધર્મમાં જોવા મળે છે, જૈન દર્શનના સિદ્ધાંતોનું પાલન જૈન ધર્મમાં થતું જોવા મળે છે, વેદાંત કે સાંખ્ય દર્શન જેવા વૈદિક દર્શનશાસ્ત્રોના દાર્શનિક ખ્યાલો હિંદુ ધર્મના પાયામાં રહેલા જણાય છે. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં દાર્શનિક વિચારોને ધર્મ સાથે આવો વિશિષ્ટ સંબંધ ખાસ જોવા મળતો નથી. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાવાન દાર્શનિક વારસો ભારતીય તત્ત્વજ્ઞાનમાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા કે વેદાંત - આ છ દર્શનો ઉપરાંત બૌદ્ધ, જૈન અને કંઈક અંશે ચાર્વાક – આ બધી દર્શન-પરંપરાઓના સ્થાપકો સદીઓ પહેલાં થઈ ગયા, અને તે દરેકના વિદ્વાન અનુયાયીઓએ યુગે યુગે છે તે દર્શનના વિચારપ્રવાહોને વિકસાવવાની તથા ખંડનમંડનની પ્રક્રિયા દરમ્યાન પોતાના દર્શનને ટકાવી રાખવાની જે મહેનત કરી છે તે ખાસ નોંધપાત્ર છે. આ મહેનતના પરિપાકરૂપે આપણને વિશેષ કરીને સંસ્કૃત ભાષામાં, અને જે તે પ્રદેશની અદ્યતન પ્રાદેશિક ભાષાઓમાં પણ ખૂબ બહોળા પ્રમાણમાં દાર્શનિક સાહિત્ય પ્રાપ્ત થાય છે. મૂળ સૂત્રાત્મક ગ્રંથો, તેમના વિવરણરૂપ ટીકાગ્રંથો, ભાષ્યો આદિનું દીર્ઘ સાહિત્ય તથા મૌલિક પ્રકરણ-ગ્રંથોનો વિશાળ ભંડાર હસ્તલિખિત સ્વરૂપમાં અને હવે તો મુદ્રિત સ્વરૂપમાં પણ પ્રાપ્ય છે, જે આપણા પ્રતિભાવાન દાર્શનિક વારસાથી આપણને માહિતગાર કરે છે. જેને દર્શન જૈન દર્શનનો વિચારપ્રવાહ પણ સદીઓથી ભારતમાં ચાલ્યો આવે છે. આ દર્શનના વિચારોને આચારમાં મૂકવાના પરિણામે સ્થપાયેલ જૈન ધર્મ પણ એટલો જ જૂનો છે. સમયે સમયે જૈન દર્શનના વિચારોને ટકાવી રાખવા માટે, વિકસાવવા માટે અનેક મહાપુરુષોએ પોતાનો ફાળો આપ્યો છે, જે અમૂલ્ય છે. જૈન ધર્મના અનુયાયીઓ “તીર્થ” અને “તીર્થકરને પોતાના જીવનમાં અગત્યનું સ્થાન આપે છે. “જે તારે તે તીર્થ” અને આ રીતે “સંસારરૂપી સમુદ્રમાંથી જેમનું જીવન આપણને તારવાને સમર્થ છે તે તીર્થકર' એવો “તીર્થ' અને “તીર્થકર' શબ્દનો અર્થ થાય છે. જૈનો (એટલે કે જૈન ધર્મના અનુયાયીઓ) વર્તમાનકાળના ચોવીસ તીર્થકરોને “ભગવાન” ગણીને ભાવથી આરાધે છે. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવથી માંડીને ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીએ પોતપોતાના સમય દરમ્યાન તત્કાલીન સમાજમાં, ક્યારેક તો પ્રતિકૂળ વાતાવરણમાં પણ, જૈન ધર્મના અહિંસાના વિચારને ફેલાવવાનું કાર્ય કર્યું છે. બ્રાહ્મણ-પરંપરા અને શ્રમણ-પરંપરા દાર્શનિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ જોઈએ તો ભારતીય સંસ્કૃતિમાં બ્રાહ્મણપરંપરા અને શ્રમણ-પરંપરા સદીઓથી એકબીજાને સમાંતર ચાલી આવે છે. જ્ઞાનસારનું તત્ત્વદર્શન Page #22 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ-પરંપરાના વૈદિક દર્શનો અને તેના પર આધારિત વૈદિક ધર્મમાં એક કાળે યજ્ઞયાગાદિ પ્રક્રિયાઓ અને પશુહિંસા પણ પ્રવર્તમાન હતા. આ હિંસાનો નિષેધ કરવારૂપે અને “સમ' - સામ્ય - શમ -- શ્રમનું મહત્ત્વ સ્થાપિત કરવા માટે શ્રમણ-પરંપરા ઉદ્ભવી; શ્રમણ-પરંપરામાં મુખ્યત્વે જૈન દર્શન અને બૌદ્ધ દર્શનમાં પશુહિંસાનો નિષેધ કરીને અહિંસાને પ્રધાન્ય આપવામાં આવ્યું. મહાવીરસ્વામી અને ગૌતમબુદ્ધ - આ બે સમકાલીન ચિંતકોના સમયમાં તો અહિંસા ઉપર આધારિત શ્રમણ-પરંપરાનાં મૂળ એટલાં દઢ નંખાયાં કે તેમના અનુયાયીઓ ભારતમાં મોટે ભાગે લઘુમતીમાં હોવા છતાં આ શ્રમણ-પરંપરા સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં ટકી રહી. આદ્યસ્થાપક ઋષભદેવ અને તે પછી થયેલા બીજા ત્રેવીસેય તીર્થકરોએ જૈન દર્શન અને જૈન ધર્મના પાયાને ખૂબ મજબૂત કરવાનું કાર્ય કર્યું છે, ચોવીસ તીર્થકરોમાંથી છેલ્લાં બે તીર્થકરો - શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામીને ઐતિહાસિક પુરુષો તરીકેની માન્યતા પણ મળેલ છે, તો ઋષભદેવ, નેમિનાથ આદિ કેટલાક તીર્થકરોનો ઉલ્લેખ ઋગ્વદ, યજુર્વેદ, પુરાણ, મનુસ્મૃતિ વગેરેમાં પણ જોવા મળે છે. શ્રી મહાવીરસ્વામીના જીવનની તો ઘણી ઐતિહાસિક હકીકતો પણ પ્રાપ્ય છે. ઈ.સ. પૂર્વે પ૯૯થી ઈ. સ. પૂર્વે પર૭ દરમ્યાન થઈ ગયેલ ચોવીસમા તીર્થંકર ગણાતા શ્રી મહાવીર સ્વામીનું પ્રદાન જૈન દર્શન અને જૈન ધર્મના વિકાસમાં અમૂલ્ય છે. જૈન દર્શનના વિકાસ પર એક નજર ભારતીય તત્ત્વજ્ઞાનમાંના અનેક વિચારપ્રવાહોમાંના એક વિચારપ્રવાહ તરીકે સુદીર્ઘ સમયથી ટકી રહેલા જૈન દર્શનનો વિચાર કરીએ ત્યારે યુગે યુગે તેના વિકાસમાં પોતાનો ફાળો આપનાર પ્રતિભાવાન વિદ્વાનો, સાધુ પુરુષોનો નામોલ્લેખ કરવો અસ્થાને નહીં ગણાય. સમયે સમયે જૈન દર્શનના સિદ્ધાંતોને જુદી જુદી રીતે સમાજ સામે મૂકીને, વૈચારિક વિરોધોની વચ્ચે દલીલ દ્વારા જૈન દર્શનનું મહત્ત્વ સ્થાપીને જૈન દર્શનને આજ સુધી જીવંત પ્રવાહ તરીકે ટકાવી રાખવાનું શ્રેય આવા પ્રતિભાવાન પુરુષો અને તેમણે રચેલ સાહિત્યને ફાળે જાય છે. આગળ નોંધ્યું તેમ જૈન ધર્મના તીર્થકરોએ પોતપોતાના સમયમાં અહિંસાપ્રધાન જૈન ધર્મના દાર્શનિક વિચારોને પ્રજા સમક્ષ મૂકવાનું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તે બધાના પ્રયત્નના પરિણામે તત્કાલીન સમાજમાં જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા પણ ઠીક ઠીક હતી. જૈન દર્શન : પરંપરા અને વિકાસ me 5 Page #23 -------------------------------------------------------------------------- ________________ છેલ્લાં તીર્થકર શ્રી મહાવીરસ્વામીના મુખ્ય શિષ્યો ‘ગણધર' તરીકે ઓળખાય છે. શ્રી મહાવીરસ્વામીએ જે ઉપદેશ આપ્યો તેને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય આ ગણધરોએ સારી રીતે કર્યું. તેમના આ પ્રયત્નને લીધે જૈન દર્શનના સિદ્ધાંતો પહેલાં કંઠપરંપરાથી “શ્રત' રૂપે અને પછીની શિષ્ય પરંપરામાં લિખિત સ્વરૂપમાં સચવાઈ શક્યા છે, જે “આગમો' તરીકે પણ ઓળખાય છે. શ્રી મહાવીરસ્વામીની પહેલાં પણ જૈન દર્શનના સિદ્ધાંતો ગુરુ શિષ્યને શિખવાડે તે રીતે કંઠપરંપરાથી ચાલ્યા આવતા હતા, પણ ગણધરો અને તે પછી તેમના શિષ્યોની પરંપરા દ્વારા આ સિદ્ધાંતો વધારે વ્યવસ્થિત સ્વરૂપમાં સચવાયા. જૈન ધર્મના અનુયાયીઓ “આગમ ગ્રંથોને મૂળ શાસ્ત્રગ્રંથો તરીકે તો સ્વીકારે છે; પણ “આગમોની સંખ્યા કેટલી તે વિષે જૈન ધર્મની વિવિધ શાખાઓમાં કેટલોક મતભેદ છે. શ્રી મહાવીરસ્વામીના અનુયાયીઓમાં કાળક્રમે મતભેદ પેદા થયા અને તેઓ શ્વેતાંબર અને દિગંબર એમ બે શાખાઓમાં વહેંચાયા. શ્વેતાંબરો પણ પાછા સમય જતાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એમ બે શાખાઓમાં વહેંચાયા. આ બધામાં શ્વેતાંબર મૂર્તિપૂજકો પિસ્તાલીસ આગમોને પ્રમાણ તરીકે સ્વીકારે છે, શ્વેતાંબર સ્થાનકવાસીઓ બત્રીસ આગમોનો જ મૂળ શાસ્ત્રગ્રંથો તરીકે સ્વીકાર કરે છે અને દિગંબરો અગિયાર અંગગ્રંથોનો મૂળ આગમો તરીકે સ્વીકાર કરીને આ મૂળ ગ્રંથો લુપ્ત થઈ ગયા છે તેમ માને છે. શ્વેતાંબર મૂર્તિપૂજક શાખામાં જે પિસ્તાલીસ આગમગ્રંથોનો શાસ્ત્રગ્રંથો તરીકે સ્વીકાર થયેલો છે તેમાં ૧૧ અંગગ્રંથો, ૧૨ ઉપાંગગ્રંથો, ૧૦ પ્રકીર્ણકગ્રંથો, ક છેદસૂત્રો, ૪ મૂળસૂત્રો અને ૨ ચૂલિકાસૂત્રોનો સમાવેશ થાય છે. જૈન દર્શનના તાત્ત્વિક વિકાસને સમજવા માટે ઉત્તરાધ્યયનસૂત્ર, સૂત્રકૃતાંગસૂત્ર, ભગવતીસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, રાજપ્રશ્નીયસૂત્ર જેવા આગમગ્રંથોને અગત્યના ગણી શકાય તેમ છે. આ પિસ્તાલીસ આગમોમાં જે ૧૧ અંગગ્રંથો છે તેની રચના શ્રી મહાવીરસ્વામીના ઉપદેશને આધારે ગણધરોએ કરેલી મનાય છે, અને બારમા અંગ એવા દૃષ્ટિવાદને લુપ્ત થયેલું માનવામાં આવે છે. અત્યારે આપણને જે આગમો મળે છે તેમાં પાછળથી સમયે સમયે કેટલાક ઉમેરા પણ થયેલા જોવા મળે છે, તેથી તેમાં મૂળ લખાણ કર્યું અને પાછળથી થયેલા ઉમેરા કયા તે નક્કી કરવું અઘરું છે. આગમોનો રચનાકાળ ઈ.સ. પહેલાંની પાંચમી સદીથી શરૂ કરીને ઈ.સ.ની છઠ્ઠી-સાતમી સદી સુધીનો ગણવામાં આવે છે; આ સમયને “આગમયુગ' તરીકે ઓળખવામાં આવે છે.* જ્ઞાનસારનું તત્ત્વદર્શન Page #24 -------------------------------------------------------------------------- ________________ શરૂઆતમાં આગમાં કંઠપરંપરાથી સચવાયા અને પ્રાય: વીરનિર્વાણ પછી એકાદ હજાર વર્ષે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે તે લુપ્ત ન થઈ જાય તે માટે તેને પુસ્તકારૂઢ કર્યા. આ પિસ્તાલીસ આગમોની રચના જુદા જુદા સમયે થઈ અને તેના કર્તાઓ કે સંકલનકર્તાઓ પણ જુદા જુદા હોવાથી જુદા જુદા આગમોની શૈલીમાં પણ તફાવત જોવા મળે છે. વળી સમયની દૃષ્ટિએ જે પ્રાચીન આગમો છે તેના કરતાં પછીથી રચાયેલ આગમોમાં વિષયોની રજૂઆત વધારે વ્યવસ્થિત જોવા મળે છે. જેમ જેમ ભારતીય દર્શનશાસ્ત્રોનો વિકાસ થતો ગયો તેમ તેમ દરેક દર્શનમાં પોતાના સિદ્ધાંતોના સ્થાપન માટે અને અન્ય દર્શનોના સિદ્ધાંતોના નિરસન માટે દલીલો થવા માંડી. આ ખંડન-મંડનની પ્રક્રિયાના પરિપાકરૂપે ખૂબ વિપુલ પ્રમાણમાં દાર્શનિક સાહિત્ય રચાવા માંડયું. આ રીતે પ્રત્યેક દર્શનમાં પોતાના સિદ્ધાંતોને ટકાવવા માટે જે દલીલો થવા માંડી તેમાં વિચારની સૂક્ષ્મતા પણ આવવા માંડી. કાળાંતરે જૈન દર્શનમાં પણ ખંડન-મંડનની પ્રક્રિયાથી જે દાર્શનિક સાહિત્ય રચાતું ગયું તેમાં ઊંડાણ આવતું ગયું. ઈ. સ.ની ચોથી-પાંચમી સદી આસપાસ શરૂ થયેલ આ યુગને “તર્કશાસ્ત્રના યુગ' તરીકે પણ ઓળખાવી શકાય. તેનો સમય છેક ઈ.સ ની પંદરમી-સત્તરમી સદી સુધી લંબાયેલ જોઈ શકાય છે. આગમયુગના જૈનસાહિત્યમાં મોટેભાગે જૈન મતનું સીધેસીધું નિરૂપણ જ જોવા મળે છે, જ્યારે આ તર્કશાસ્ત્રના યુગ દરમ્યાન રચાયેલ જૈન સાહિત્યમાં વધારે ઊંડાણ, વધારે વ્યવસ્થિત રજૂઆત અને તાર્કિક દલીલોનું વિશેષ પ્રમાણ જોવા મળે છે. આ યુગના સાહિત્યમાં જૈન મત પરત્વે પક્ષપાતભર્યું દૃષ્ટિબિંદુ રાખવાને બદલે સમજી-વિચારીને રજૂઆત કરીને, દલીલો દ્વારા સમર્થન આપીને તથા સાંખ્ય, બૌદ્ધ, ન્યાય, વૈશેષિક, મીમાંસા જેવા અન્ય મતનું નિરસન કરીને જૈન મત રજૂ થયેલો જોઈ શકાય છે. જૈન દર્શનનું જે સાહિત્ય આગમયુગ દરમ્યાન રચાયું તેમાં તત્ત્વજ્ઞાનની અજૈન શાખાઓનો ઉલ્લેખ લગભગ ક્યાંય જોવા મળતો નથી, જ્યારે તર્કશાસ્ત્રના યુગમાં રચાયેલ સાહિત્યમાં તત્ત્વજ્ઞાનની અજૈન શાખાઓનો ઉલ્લેખ અને તેને લગતી ચર્ચાઓ જોઈ શકાય છે. વિશાળ વ્યાપ ધરાવતા આ તર્કશાસ્ત્રના યુગમાં શ્વેતાંબર અને દિગંબર એ જૈન ધર્મના બંને સંપ્રદાયમાં થઈ ગયેલ છે જે વિદ્વાનોએ જૈન દર્શનને અન્ય ભારતીય દર્શનશાસ્ત્રો સામે ટકાવી રાખવાનું કાર્ય કર્યું છે તેનામાંથી મુખ્ય વિદ્વાન સાધુપુરુષોનો નામોલ્લેખ કરીએ. શ્વેતાંબરોમાં સૌ પ્રથમ સિદ્ધસેન દિવાકર, મલ્લવાદી, જિનભદ્રગણિ વગેરેનું પ્રદાન નોંધપાત્ર છે. ત્યાર બાદ થયેલા દિગંબર જૈન દર્શન : પરંપરા અને વિકાસ Page #25 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાનોમાં કુંદકુંદાચાર્ય તથા સમંતભદ્રનાં નામો ઉલ્લેખનીય છે. વળી શ્વેતાંબર પરંપરામાં હરિભદ્રસૂરિ અને દિગંબર પરંપરામાં અકલંક, વિદ્યાનંદ અને પ્રભાચંદ્રનું પ્રદાન મહત્ત્વનું છે. છેલ્લે શ્વેતાંબર વિદ્વાનો અભયદેવસૂરિ, વાદિદેવસૂરિ, હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજીનાં નામો નોંધપાત્ર છે. ‘જ્ઞાનસાર-અષ્ટક’ કૃતિના રચયિતા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ તે આ તર્કશાસ્ત્રના યુગના છેલ્લા તેજસ્વી સિતારા. તેઓનો સમય ઈ.સ.ની સત્ત૨મી અને અઢારમી સદીનો છે. નવ્યન્યાય અને જૈન દર્શન ભારતીય દર્શનશાસ્ત્રોના વિકાસ પર એક નજ૨ નાખીએ તો જણાય છે કે ઈ.સ.ની અગિયારમી સદી આસપાસ મિથિલાના શ્રી ગંગેશ ઉપાધ્યાયે સૌ પ્રથમ નવ્યન્યાયનું વ્યવસ્થિત સ્થાપન કર્યું. તે પછી તો વિચારણા ૨જૂ ક૨વાની એક શૈલી (method) તરીકે આ નવ્યન્યાયની શૈલીનો ઉપયોગ થવા લાગ્યો, અને તેની અસર નીચે પ્રત્યેક દર્શનમાં પોતપોતાની વિચારણા આ નવ્યન્યાયની શૈલીમાં રજૂ થવા લાગી. માત્ર જૈન દર્શન અને બૌદ્ધ દર્શનમાં સત્તરમી-અઢારમી સદી સુધી પણ તેનો ઉપયોગ થયેલો જોઈ શકાતો ન હતો. બૌદ્ધ દર્શનમાં એક પરિસ્થિતિ એવી પેદા થઈ હતી કે લગભગ અગિયારમી સદી પછી ભારતમાંથી બૌદ્ધ ધર્મના વ્યાપ અને પ્રભાવ ઘટતા ગયા હતા અને ભારતનાં પાડોશી રાજ્યો ચીન, તિબેટ, નેપાળ, શ્રીલંકા વગેરેમાં તેના અનુયાયીઓ વધ્યા હતા. આ સંજોગોમાં ભારતમાં અગિયારમી સદી પછી કોઈ નોંધપાત્ર બૌદ્ધ વિદ્વાન કે સાધુ થયા ન હતા. જ્યારે જૈન દર્શન અને જૈન ધર્મ માટે તો પરિસ્થિતિ જુદી હતી. અગિયા૨મી સદી પછી પણ ભારતમાં જૈન ધર્મ પ્રવર્તમાન હતો અને જૈન દર્શનમાં પણ સમયે સમયે સમર્થ વિદ્વાનો થતા રહ્યા હતા. શ્રી હીરવિજયસૂરિ જેવા કોઈક કોઈક વિદ્વાન આચાર્યો દ્વારા નવ્યન્યાયનો અભ્યાસ તો ચાલુ થઈ ગયો હતો, પણ કોઈ જૈન વિદ્વાન દ્વારા નવ્યન્યાયની આ શૈલીનો ઉપયોગ જૈન ગ્રંથોમાં થયો ન હતો. આ સંજોગોમાં અઢારમી સદી દરમ્યાન જૈન ધર્મના શ્વેતાંબર પરંપરાના આ વિદ્વાન ઉપાધ્યાય યશોવિજયજીએ નવ્યન્યાયનો વિશદ અભ્યાસ તો કર્યો જ; સાથે સાથે જૈન દર્શનના વિવિધ વિષયોને આવરી લેતા અનેક ગ્રંથોને આ નવ્યન્યાયની શૈલીમાં ૨જૂ ક૨વાનો એવો સમર્થ પ્રયત્ન એકલે હાથે જ કર્યો કે જૈન દર્શનમાં અત્યાર સુધી નવ્યન્યાયનો ઉપયોગ ન થયાની ખોટ ભરપાઈ થઈ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 8 Page #26 -------------------------------------------------------------------------- ________________ ગઈ. તેમની આ શૈલીની જે કૃતિઓ આપણને મળે છે તેનો પૂરેપૂરાં અભ્યાસ પણ વિદ્વાનો આજપર્યંત કરી શક્યા નથી. તેમનું આ એક જ કાર્ય તેમને અમર બનાવવા માટે પૂરતું છે અને તે માટે તેઓશ્રીને જૈન તર્કના ગંગેશોપાધ્યાય’ કહી શકાય તેમ છે. ભારતીય દર્શનશાસ્ત્રોના આ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ઉપાધ્યાય યશોવિજયજીની પ્રતિભાને મૂલવવી જોઈએ. તે માટે તેમના જીવનની નોંધપાત્ર ઘટના તથા તેમના દાર્શનિક સાહિત્યનો પ્રારંભિક પરિચય મેળવવો એ પ્રથમ સોપાન છે. આ સમગ્ર પરિપ્રેક્ષ્યમાં તેમની કૃતિ ‘જ્ઞાનસાર-અષ્ટક'ને આપણે વધારે સારી રીતે સમજી શકીએ અને માણી શકીએ. ટિપ્પણ ૧. જૈન ધર્મમાં ભૂતકાળ (અતીત), વર્તમાનકાળ અને ભવિષ્યકાળ (અનાગત) - એ દરેક કાળના ચોવીસ ચોવીસ તીર્થંકરોનાં નામ અપાયેલ છે. તેમાંથી વર્તમાનકાળના તીર્થંકરો તરીકે સ્વીકૃતિ પામેલ ચોવીસ મહાપુરુષોનાં નામનો ઉલ્લેખ જૈન ધર્મના મહત્ત્વના ગણી શકાય તેવા અને ગણધરો દ્વારા રચાયેલા મનાતા એક ધાર્મિક સૂત્ર ‘લોગસ્સસૂત્ર’માં કરવામાં આવેલ છે. જેમ કે, (ક) ૨. વિષ્ણુપુરાણ’માં જણાવ્યું છે, “ભરત ઋષભનો પુત્ર હતો. સો પુત્રોમાં એ સૌથી મોટો હતો. એના નામ પરથી આ ભૂમિ ‘ભારત’ નામે ઓળખાય છે.' (ખ) ભાગવતપુરાણ’ના સ્કંધ પાંચના અધ્યાય પાંચમામાં જણાવ્યું છે, “ભગવાન ઋષભ, જેઓ ધર્મમાં પારંગત હતા અને ભક્તિ તેમ જ શમનાં ચિહ્નોથી સાવૃત્તિ તરફ ઢળેલા હતા, તેમણે પૃથ્વી પર રાજ્ય કરવા પોતાના પુત્ર ભરતનો સિંહાસન પર રાજ્યાભિષેક કર્યો અને પોતે જગતમાંથી સંન્યસ્ત લીધું.” (ગ) ‘ઋગ્વેદ’માં ૨.૩૩.૧૦ અને ૧.૬.૧૩ એમ બે જગ્યાએ અરિષ્ટનેમિનો ઉલ્લેખ છે. (૫) ‘યજુર્વેદ’માં અધ્યાય ૨૫, શ્રુતિ ૧૬માં ઋષભ, સુપાર્શ્વ અને નેમિનાથનો ઉલ્લેખ છે. જૈન દર્શન : પરંપરા અને વિકાસ 9 Page #27 -------------------------------------------------------------------------- ________________ (ચ) “મનુસ્મૃતિ'માં ઋષભદેવનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે : “યુગના પ્રારંભમાં મરુદેવીએ નાભિથી પ્રથમ જિનને જન્મ આપ્યો, જે વીર કાર્યો કરતો હતો, જેને દેવો અને દાનવો નમસ્કાર કરતા હતા અને જે ત્રણ પ્રકારની નીતિઓનો ઘડનારો હતો.” (છ) ડૉ. રાધાકૃષ્ણન નોંધે છે તે પ્રમાણે, “જૈન પરંપરા પોતાના ધર્મનું મૂળ ઋષભદેવમાં આરોપે છે. તેઓ ઘણી સદીઓ પૂર્વે થઈ ગયા. ઠેઠ ઈ.પૂ. પહેલા સૈકામાં એવા લોકોને ઉલ્લેખો મળી આવે છે, જેઓ પ્રથમ તીર્થકર ઋષભદેવને ભજતા હતા. વર્ધમાન અને પાર્શ્વનાથ પહેલાં પણ જૈન ધર્મ પ્રવર્તતો હતો તે વાત નિર્વિવાદ છે. યજુર્વેદ ઋષભ, અજિત અને અરિષ્ટનેમિ એ ત્રણ તીર્થકરોનાં નામોનો ઉલ્લેખ ધરાવે છે. ભાગવતપુરાણ ઋષભદેવ જૈન ધર્મના સ્થાપક હતા તે મતને સમર્થન આપે છે.” વિશેષ ચર્ચા માટે જુઓ : “જૈન દર્શન', ટી. કે. તુકોલ, પૃ. ૯-૧૧ 3. ભગવાન મહાવીરના ઉપદેશનો પ્રચાર કરનાર તેમના પ્રથમ અગિયાર શિષ્યો ગણધર' કહેવાયા, કે જે દરેકના હાથ નીચે પણ સેંકડો મુનિઓ હતા. આ અગિયાર ગણધરોનાં નામ આ પ્રમાણે છે : (૧) ઇન્દ્રભૂતિ (ગૌતમ), (૨) અગ્નિભૂતિ, (૩) વાયુભૂતિ, (૪) અંકપિત, (૫) વ્યક્ત, (૬) સુધર્મા, (૭) મંડિતપુત્ર, (૮) મૌર્યપુત્ર, (૯) અચલભ્રાતા, (૧૦) મેતાર્ય અને (૧૧) પ્રભાસ. આમાંથી ઇન્દ્રભૂતિ ગૌતમ અને સુધર્માસ્વામી ભગવાન મહાવીરના નિર્વાણ સુધી જીવિત હતા. - “જૈન દર્શન', ડૉ. કોઠારી, પૃ. ૧૩ ૪. જૈન ધર્મના અનુયાયીઓ ઈ.સ.ની પહેલી કે બીજી સદી દરમ્યાન, સંભવતઃ ઈ.સ. ૮૦માં, સ્પષ્ટ રીતે બે શાખા કે સંપ્રદાયમાં વહેંચાયા અને શ્વેતાંબર તથા દિગંબર તરીકે ઓળખાયા. આ બંને સંપ્રદાયોના તાત્ત્વિક વિચારોમાં કોઈ મૂળભૂત ભેદ ન હોવા છતાં તેમની વચ્ચેના ગૌણ ભેદો મુખ્યત્વે આ પ્રમાણે જ્ઞાનસારનું તત્ત્વદર્શન 10 Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્વેતાંબરી સ્ત્રીને મોક્ષની અધિકારી માને છે અને ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી-ભવમાં જ મોક્ષ પામ્યા હતા તેમ સ્વીકારે છે, જ્યારે દિગંબરો સ્ત્રીમુક્તિનો સ્વીકાર કરતા નથી અને મલ્લિનાથને પુરુષ માને છે. શ્વેતાંબરોના મતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી કેવલીઓ આહાર કરે છે, જ્યારે દિગંબરો માને છે કે કેવલીને આહારની જરૂર જ ન પડે. ૫. આગમગ્રંથો જ્યારે રચાયા તે સમયને “આગમયુગ' ગણીને તેની વિસ્તૃત ચર્ચા, Jaina Ontology' પુસ્તકમાં ડૉ. કે. કે. દીક્ષિતે પૃ. ૧૨ થી ૮૭માં કરી છે. તેના પૃ. ૩૧ પર આ આગમયુગના ત્રણ તબક્કા દર્શાવ્યા છે, જે નીચે પ્રમાણે (૧) પહેલો તબક્કો - ઈ.સ. પૂર્વે પાંચમી સદીથી ઈ.સ. પૂર્વે બીજી સદી. (૨) બીજો તબક્કો - ઈ.સ. પૂર્વે બીજી સદીથી ઈ.સ.ની પહેલી સદી (૩) ત્રીજો તબક્કો – ઈ.સ.ની પહેલી સદીથી ઈ.સ.ની છઠ્ઠી સદી તેમના જણાવ્યા પ્રમાણે પહેલા તબક્કામાં ભગવતીસૂત્ર, આચારાંગસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, સૂતકૃતાંગસૂત્ર વગેરે આગમોની રચના થઈ. બીજા તબક્કામાં પ્રજ્ઞાપનાસૂત્ર, જીવાજીવાભિગમસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, રાજપ્રશ્નીયસૂત્ર વગેરેની અને ત્રીજા તબક્કામાં અનુયોગદ્વારસૂત્ર, નંદીસૂત્ર વગેરેની રચના થઈ. ૬. ‘તર્કશાસ્ત્રના યુગ'ની લાક્ષણિકતાઓ અને તેના ત્રણ તબક્કા માટે જુઓ : “Jaina Ontology', પૃ. ૮૮-૮૯. ૭. (ક) સુપ્રસિદ્ધ જૈન વિદ્વાન પંડિત દલસુખભાઈ માલવણિયા આ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવે છે : “આચાર્ય ગંગેશે ભારતીય દર્શનમાં નબન્યાયની સ્થાપના કરી અને વિચારને વ્યક્ત કરવાની એક ચોક્સાઈ ભરેલી પ્રણાલીનો આવિર્ભાવ કર્યો. ત્યાર પછી બધાં દર્શનોને એ નવી શૈલીનો આશ્રય લેવો પડ્યો છે. એનું કારણ એક જ છે કે કોઈ પણ વિચારને સ્પષ્ટ અને ચોક્કસ રૂપમાં મૂકવામાં એ શૈલી જે પ્રકારે સહાયક બને છે તેવી સહાયતા જૈન દર્શન : પરંપરા અને વિકાસ Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પ્રણાલીમાં મળતી ન હતી.... પરંતુ એ શૈલીના ચારસો વર્ષના પ્રચલન છતાં જૈન દર્શનમાં એ શૈલીનો પ્રવેશ થયો ન હતો.... તેમાં જૈનાચાર્યોની શિથિલતાને જ કારણ માનવું જોઈએ. કારણ, જો પોતાના શાસ્ત્રને નિત્યનૂતન રાખવું હોય તો જે જે અનુકૂળ કે પ્રતિકૂલ વિચારો પોતાના સમય સુધી વિસ્તર્યા હોય તેનો યથાયોગ્ય રીતે પોતાના શાસ્ત્રમાં સમાવેશ કરવો આવશ્યક છે. અન્યથા તે શાસ્ત્ર બીજાં શાસ્ત્રોની હરોળમાં ઊભું રહી શકે જ નહીં. એ ચારસો-સાડા ચારસો વર્ષના વિકાસનો સમાવેશ એકલે હાથે વાચક યશોવિજયજીએ જૈન શાસ્ત્રમાં કર્યો... તેમણે અનેક વિષયોના ગ્રંથો લખ્યા છે, પણ તે ન જ લખ્યા હોત તો પણ તેમણે જે જૈન દર્શનને નવ્યન્યાયની શૈલીમાં મૂકીને અપૂર્વ કાર્ય કર્યું છે તેને લઈને તેઓ અમર થઈ ગયા છે....... અઢારમી સદીમાં ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજીએ જે કાર્ય કર્યું તે પાછું ત્યાં જ અટકી ગયું.” - “સ્મૃતિગ્રંથ', પૃ. ૯૬-૧૭ (ખ) શ્રી જિતેન્દ્રભાઈ શાહ જણાવે છે : “તેઓ જૈન દર્શનના પદાર્થો-તત્ત્વોને નવ્યન્યાયની શૈલીમાં રજૂ કરનાર પ્રથમ જૈન દાર્શનિક હતા. તેમની પૂર્વે પણ ઘણા જૈનાચાર્યો થઈ ગયા કે જેમણે દાર્શનિક ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું હોય, પરંતુ સારાય ભારતવર્ષમાં ફેલાઈ જનાર નવ્ય ન્યાયની શૈલીની ઊણપ જૈન દર્શનમાં વર્તાતી હતી, જે ખોટને ઉપાધ્યાય યશોવિજયજીએ પૂરી કરી છે.” - “સ્વાધ્યાય-ગ્રંથ', પૃ. ૧૬૭ (વિશેષ ચર્ચા માટે જુઓ : પૃ. ૧૭૯) જ્ઞાનસારનું તત્ત્વદર્શન 12 Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨ યશોવિજયજી : જીવન અને વાડ્મય ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનની ઘટનાઓને બરાબર સમજવા માટે તત્કાલીન પરિસ્થિતિ અને તેમના સમકાલીનોનો આછો ખ્યાલ હોવો જરૂરી છે. કોઈપણ પ્રતિભાશાળી પુરુષ એ તેના યુગની નીપજ છે અને તેના યુગની પરિસ્થિતિમાં તેણે કરેલ કાર્યનું મહત્ત્વ વધારે સારી રીતે સમજી શકાય. તત્કાલીન પરિસ્થિતિ મોગલ બાદશાહ અકબરના સમયમાં જૈનાચાર્ય શ્રી હીરવિજયજી મહારાજની પ્રતિભાને કારણે તે સમયના વિદ્યાવ્યાસંગીઓમાં જૈન ધર્મનું મહત્ત્વ સારું એવું પ્રસ્થાપિત થયું હતું. પરંતુ તે પછીના સમયમાં જૈન ધર્મમાં યતિઓ અને શ્રીપૂજ્યોનું મહત્ત્વ વધી ગયું હતું; મુનિઓના ચારિત્રમાં શિથિલતા આવી હતી. જૈન ધર્મના કંઈક અંશે અંધકારભર્યા આ યુગમાં કુગુરુઓના જોરને કારણે ગૃહસ્થો તેમના ફંદામાં ફસાઈ જતા અને ધર્મમાં પૈસાના મહત્ત્વને કારણે બાહ્ય ધામધૂમ વધી ગઈ હતી. ૧ નદીના સામા વહેણમાં તરનાર વ્યક્તિને જે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનો અનુભવ શ્રી યશોવિજયજીને 13 Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના સત્ત્વને પ્રસ્થાપિત કરવાના પુરુષાર્થ દરમ્યાન થયો હતો. તેઓએ પોતે પોતાની કૃતિઓમાં ક્યાંક ક્યાંક ખેદસહિત આનું નિરૂપણ કરેલ છે. વ્યક્તિગત જીવનમાં પણ તેમણે આ વિકટતાનો સામનો ખૂબ હિંમતપૂર્વક અને તટસ્થતાપૂર્વક કરેલ હતો. શ્રી હરિભદ્રસૂરિની જેમ તેઓએ પણ જે રીતે જૈન શાસનનો બચાવ કર્યો તેથી પ્રેરિત થઈને જ કદાચ તેમને ‘લઘુહરિભદ્ર'નું બિરુદ પણ આપવામાં આવ્યું હશે. સમકાલીનો શ્રી યશોવિજયજી ઉપર પ્રત્યક્ષ યા પરોક્ષ અસર પાડનાર તેમના મુખ્ય સમકાલીન વિદ્વાનોમાં સમર્થ યોગી અને અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ નોંધપાત્ર હતા. આ બંને સમર્થ પ્રતિભાઓનું અદભુત મિલન થયું હતું એમ મનાય છે. શ્રી યશોવિજયજીએ આનંદઘનજી માટે રચેલાં આઠ પદો—જે “અષ્ટપદી” તરીકે ઓળખાય છે – આ મિલનના સબળ પુરાવારૂપ ગણી શકાય તેમ છે. શ્રી યશોવિજયજીના સાહિત્યમાં જે અધ્યાત્મનો રંગ જોવા મળે છે તે માટે તેમની પોતાની પ્રતિભા તો કારણભૂત છે જ; સાથે સાથે યોગી શ્રી આનંદઘનજી સાથેના તેમના આ સંભવિત મિલનની તેમના ઉપર પડેલી ગાઢ અસર નિમિત્ત કારણ તરીકે સ્વીકારી શકાય તેમ છે. શ્રી યશોવિજયજીના અન્ય સમકાલીન જૈન વિદ્વાનોમાં ઉપાધ્યાય વિનયવિજયજી, પંડિત સત્યવિજયગણિ, ઉપાધ્યાય માનવિજયજી વગેરેનાં નામો ઉલ્લેખનીય છે. ઉપાધ્યાય વિનયવિજયજી સાથે તેમને ખૂબ સારો સ્નેહસંબંધ હતો. તેમણે શરૂ કરેલો પણ પછી અધૂરો રહેલો “શ્રીપાલ રાજાનો રાસ” શ્રી યશોવિજયજીએ પરગજુ વૃત્તિથી પૂરો કરેલો – તે હકીકત નોંધપાત્ર છે. પંડિત સત્યવિજયગણિએ યતિઓમાં ચાલતા શિથિલાચારને દૂર કરવા માટે જે ક્રિયોદ્ધાર કરેલો તેને શ્રી યશોવિજયજી મહારાજે નિર્ભયતાથી ટેકો આપેલો એમ નોંધાયું છે. ઉપાધ્યાય માનવિજયજીએ પોતાની વિ. સં. ૧૭૩૧માં રચાયેલ કૃતિ ધર્મસંગ્રહ'માં શ્રી યશોવિજયજીને ખૂબ ભાવપૂર્વક યાદ કર્યા છે. આ “ધર્મસંગ્રહની શુદ્ધિ શ્રી યશોવિજયજીએ કરી આપ્યાની નોંધ પણ શ્રી માનવિજયજીએ કરી છે. શ્રી યશોવિજયજીના જીવન અંગેની પ્રાપ્ત વિગતો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તે સમયના જૈનેતર કવિઓની સરખામણીમાં જૈન કવિઓની વિગતો થોડીક વધારે પ્રાપ્ત થાય છે. ઘણા જૈન જ્ઞાનસારનું તત્ત્વદર્શન 14 Page #32 -------------------------------------------------------------------------- ________________ કવિઓનાં ચરિતો તેમના શિષ્યોએ રચ્યાં છે, તો કેટલીક વખત કાવ્યપ્રશસ્તિ, પ્રતિમાલેખ, પટ્ટાવલિ વગેરેમાંથી પણ આવી વિગતો મળે છે. પરંતુ દુર્ભાગ્યે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનની વિગતો અત્યંત અલ્પ પ્રાપ્ત થાય છે; ક્યારેક તો આ વિગતોમાં કાલ્પનિક કથાઓ પણ જોડાયેલી જણાય છે. તેમના સમકાલીન વિદ્વાનો કે શિષ્યોએ તેમના જીવનનું વ્યવસ્થિત નિરૂપણ કરેલું જણાતું નથી અને તેમણે પોતે પણ પોતાની કૃતિઓમાં પોતાનો પરિચય સાવ નહિવત્ આપ્યો છે. વળી તેમની કેટલીક કૃતિઓ કાળની ગર્તામાં નાશ પામેલી મનાય છે. આવી અપ્રાપ્ય કૃતિઓમાં કદાચ તેમણે પોતાનો વધુ પરિચય આપ્યો હોય તો પણ અત્યારે આપણને તે પ્રાપ્ય નથી. આ સંજોગોમાં થોડોક સંતોષ લઈ શકાય તેવી બાબત એ છે કે તેમના સમયમાં થઈ ગયેલ મનાતા શ્રીકાંતિવિજયજીએ શ્રી યશોવિજયજીના જીવનની કેટલીક ઘટનાઓને “સુજસવેલીભાસ' નામની કૃતિમાં રજૂ કરી છે, તો કેટલીક મુખ્ય ઘટનાઓનાં સાલ-સંવત તેમાં નોંધાયાં નથી તે આશ્ચર્યજનક લાગે છે. આ વળી તેમાં રજૂ થયેલ વિગતોમાં શંકા પેદા થાય તેવી માહિતી બીજેથી મળી આવે ત્યારે પણ આ શંકાઓનું પૂરેપૂરું સંતોષકારક સમાધાન ક્યારેક આપણને થતું નથી. છતાં બીજે ક્યાંયથી તેમના જીવન અંગે નોંધપાત્ર સામગ્રી મળતી ન હોય ત્યારે, ક્યાંક ક્યાંક શંકાસ્પદ હોય તેવી આટલી પણ સામગ્રી “સુજસવેલીભાસ'માંથી આપણને પ્રાપ્ત થાય છે ત્યારે તે તેમના વ્યક્તિત્વની રૂપરેખા સમજવામાં કંઈક અંશે સહાયક નીવડે છે. મુખ્યત્વે “સુજસવેલીભાસના આધારે તથા અન્ય પ્રાપ્ય સામગ્રીના આધારે તેમના જીવનની હકીકતોને તારવીને રજૂ કરવાનો પ્રયત્ન અહીં કર્યો છે. જન્મ-બાળપણ-દીક્ષા-અવધાન સુજસવેલી'માં નોંધ્યા પ્રમાણે શ્રી યશોવિજયજીનું સંસારી નામ “જસવંત' હતું. તેમના માતાનું નામ સોભાગદે અને પિતાનું નામ નારાયણ શેઠ હતું. તેમના નાના ભાઈનું નામ પદ્મસિંહ હતું. તેમનો જન્મ પાટણ પાસે આવેલા કનોડા ગામમાં થયો હતો. પણ પૂ. પુણ્યવિજયજી મહારાજ અનુમાન કરે છે એ પ્રમાણે એ પણ સંભવિત હોય કે જસવંતના પિતાશ્રી વ્યાપારાદિ નિમિત્તે કનોડામાં આવીને વસ્યા હોય અને તેમનું જન્મસ્થળ કદાચ બીજું પણ હોય. છતાં એક વાત તો નિર્વિવાદ છે કે જસવંતનું બાળપણ તો કનોડામાં જ વીત્યું હશે. “સુજસવેલીમાં જન્મસંવતનો ઉલ્લેખ થયેલો નથી. યશોવિજયજી : જીવન અને વાડ્મય Page #33 -------------------------------------------------------------------------- ________________ બાળ જસવંતનાં માતા ખૂબ ધર્મપરાયણ હતાં. માતાની સાથે બાળ જસવંત પણ ધાર્મિક ક્રિયાઓમાં ઘણીવાર હાજર રહેતા. તેમના પિતા વિષે ક્યાંય ખાસ હકીકત નોંધાયેલ નથી, તેથી અનુમાન થાય કે કદાચ બાળ જસવંતને નાનપણમાં જ પિતાનો વિયોગ થયો હોય.11 સુજસવેલી'માં ન નોંધાયેલ પણ અન્યત્ર ઘણી જગ્યાએ નોંધાયેલ એક પ્રસંગનો ઉલ્લેખ કરવો જરૂરી છે, કારણ કે કંઈક અંશે તે દંતકથા સમાન જ જણાય છે. બાળ જસવંતનાં માતા સોભાગદેને “ભક્તામર સ્તોત્ર' સાંભળ્યા પછી જ અન્ન લેવાનો નિયમ હતો. એક વખત સતત ત્રણ દિવસ વરસાદ પડવાથી ગુરુ પાસે જઈને માતા “ભક્તામર' સાંભળી ન શક્યાં ત્યારે માતાને અન્નનો ત્યાગ કરવો પડ્યો. આની જાણ થતાં ત્યારના આઠેક વર્ષની ઉંમરના બાળ જસવંતે માતાને કડકડાટ “ભક્તામર' સંભળાવ્યું; આ વાત આખા ગામમાં પ્રસરીને ગુરુ પાસે પહોંચી ગઈ. આ પ્રસંગને ક્યાંયથી સમર્થન મળતું નથી, તેથી લાગે છે કે યશોવિજયજી બાળપણમાં જ પ્રતિભાવાન હતા તે દર્શાવવા આ પ્રસંગ રજૂ થયો હોય.૧૨ આ “ભક્તામર-સ્તોત્ર'વાળો પ્રસંગ તો સત્ય હોય કે ન હોય, પણ એ વાત તો સત્ય છે કે કુણગેરમાં ચોમાસુ રહેલ ગુરુ નયવિજય? જ્યારે કનોડામાં આવ્યા ત્યારે તેમને આ પ્રતિભાવાન બાળકનો પરિચય થયો અને તેમની પાસે વિ. સ. ૧૯૮૮માં બાળ જસવંતે દીક્ષા લઈ “યશોવિજય” એવું નામ ધારણ કર્યું. તેમના નાના ભાઈ પદ્ધસિંહે પણ તેમની સાથે જ દીક્ષા લઈને ‘પદ્મવિજય' નામ ધારણ કર્યું.૧૫ બાળમુનિ શ્રી યશોવિજયજીની વડી દીક્ષા પણ વિ. સં. ૧૯૮૮માં પૂ. આ. વિજયદેવસૂરિના હસ્તે થયાની નોંધ પછી “સુજસવેલી'માં સં. ૧૯૯૯ની સાલમાં તેમણે અમદાવાદના સંઘ સમક્ષ આઠ અવધાન કર્યાની હકીકત નોંધાયેલ છે. પણ વચગાળાનાં વર્ષોમાં તેઓએ પોતાના ગુરુ નયવિજયજી પાસે સામાયિક વગેરેનો અભ્યાસ કર્યો, અને સાકરમાં મીઠાશની જેમ શ્રુતજ્ઞાન-શાસ્ત્રજ્ઞાન તેમનામાં પ્રસરી ગયું તેમ “સુજસવેલી'માં જણાવ્યું છે. “ઉપદેશરહસ્યપ્રકરણ”, “ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા' વગેરેમાં જણાવ્યા પ્રમાણે તેઓએ પોતાના ગુરુ નયવિજયજીના ગુરુભ્રાતા જિતવિજયજી પાસે વ્યાકરણ, કાવ્ય, અલંકાર, તર્ક, ન્યાય વગેરેનો અભ્યાસ પણ કર્યો હતો. જ્ઞાનસારનું તત્ત્વદર્શન 16 Page #34 -------------------------------------------------------------------------- ________________ સુજસવેલી'માં નોંધ્યા પ્રમાણે બાળમુનિ શ્રી યશોવિજયજીએ અમદાવાદના સંઘ સમક્ષ વિ. સં. ૧૯૯૯માં આઠ અવધાન ક્ય, ત્યારે ત્યાંના ઓસવાલ વંશના અગ્રેસર શાહ ધનજી સુરા હાજર હતા. તેઓએ પોતાની દીર્ઘદૃષ્ટિથી યશોવિજયજીની શક્તિઓનો ક્યાસ કાઢીને સંઘ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે, “આ મુનિ તો બીજા હેમચંદ્રાચાર્ય થાય તેમ છે. જો કાશી જઈને તેઓ છ દર્શનોનો અભ્યાસ કરે તો તેઓ જૈન ધર્મને ઉજાળી શકશે.” ત્યારે ગુરુએ જણાવ્યું કે, “બ્રાહ્મણો ધન વિના જ્ઞાન ન આપે, એટલે આ માટે ધનની જરૂર પડે.” ત્યારે ધનજી સુરાએ બે હજાર રૂપાનાણાંના દીનાર (એક દીનારના અઢી રૂપિયા) અને તે ઉપરાંત જરૂર પડે તો પંડિતને વધારે ધન આપવાની તૈયારી બતાવી. આ વ્યવસ્થાથી પ્રેરાઈને ઉત્સાહી ગુરુ શ્રી નયવિજયજીએ પોતાના શિષ્ય સાથે કાશી પ્રયાણ કર્યું. પંડિત સુખલાલજી નોંધે છે તેમ એક જૈન સાધુનું કાશીગમન એ તે જમાનાની એક અદ્વિતીય અને પૂ. યશોવિજયજીના જીવનની ખૂબ મહત્ત્વની ઘટના હતી. કાશી અને આગ્રાનો અભ્યાસ ધનજી સુરાનાં વચનો સાંભળીને ગુરુ નયવિજયજીએ શિષ્ય યશોવિજયજી સાથે કાશીનો માર્ગ લીધો, એમ “સુજસવેલીમાં દર્શાવ્યું છે. તેઓ વિ. સં. ૧૯૯૯માં જ કાશી ગયા કે અવધાનની ઘટના પછી બે-ચાર વર્ષે ગયા તેનો સ્પષ્ટ ઉલ્લેખ “સુજસવેલી'માં નથી. યશોવિજયજીની કૃતિ “લઘુસ્યાદ્વાદરહસ્ય'ની રચના વિ. સં. ૧૭૦૧માં કપડવંજ પાસેના આંતરોલી ગામે થયાનો ઉલ્લેખ આપણને મળે છે. આ રચનાવર્ષ સારું હોય તો એનો અર્થ એ થાય કે વિ. સં. ૧૭૦૧ સુધી તેમને કાશી જવાનું શક્ય બન્યું નથી. શક્ય છે કે વિ. સં. ૧૭૦૧ અથવા તે પછી તરત ગુરુ-શિષ્ય કાશી જવા રવાના થયા હોય. ચોક્કસ કઈ સાલમાં તેઓ કાશી ગયા એ બાબત અત્યારે એકદમ સ્પષ્ટ નથી, છતાં વિ. સં. ૧૯૯૯ કે તે પછી બે-ત્રણ વર્ષમાં તેઓ કાશી ગયા એ હકીકત સ્વીકાર્ય બને છે. ૧૮ તે પોતાના શિષ્ય યશોવિજયજીના અભ્યાસ માટે ગુરુ નિયવિજયજીએ તે જમાનામાં ખૂબ કષ્ટદાયક એવો કાશીગમનનો માર્ગ લીધો. કાશીમાં ત્રણ વર્ષ અને તે પછી બાકીનો અભ્યાસ પૂરો કરવા તેઓ બંનેએ આગ્રામાં ચાર વર્ષ પસાર કર્યા.કાશમાં વિદ્વાન ભટ્ટાચાર્ય પાસે રહીને તેઓએ ન્યાય, સુગત (બોદ્ધમત), જૈમિનિ (પૂર્વમીમાંસા), વૈશેષિક, “ચિંતામણિ એટલે ગંગેશ ઉપાધ્યાયનો યશોવિજયજી : જીવન અને વામય _17 Page #35 -------------------------------------------------------------------------- ________________ ‘તત્ત્વચિંતામણિ' નામે નબન્યાયનો પ્રસિદ્ધ ગ્રંથ, પ્રભાકર અને કુમારિલ ભટ્ટના પૂર્વમીમાંસાના સિદ્ધાંતો વગેરેની સાથે જૈન મતનો પણ ઊંડો અભ્યાસ કર્યો. ટૂંક સમયમાં આ બધો અભ્યાસ તેમણે ખૂબ સારી રીતે પૂરો કર્યો તેનું પ્રમાણ આપે તેવો એક પ્રસંગ પણ “સુજસવેલી'માં નોંધાયેલ છે. આ પ્રસંગ પ્રમાણે શ્રી યશોવિજયજી કાશીમાં હતા ત્યારે ઠાઠથી આવેલ એક મહાન તાર્કિક સંન્યાસી સાથે તેઓ વાદમાં ઊતર્યા, અને તે વખતે યુક્તિસંગત દલીલોથી સંન્યાસીને તેઓએ એવા હરાવ્યા છે તે સંન્યાસી ગર્વ છોડીને ત્યાંથી પલાયન થઈ ગયા. આ પ્રસંગથી પ્રેરાઈને કાશીમાંના વિદ્વાનોએ તેમને ન્યાયવિશારદ'ની પદવી આપી. (જુઓ : આ પ્રકરણની ટિપ્પણ નં. ૯ ક) - શ્રી યશોવિજયજીને “ન્યાયાચાર્ય'નું બિરુદ પણ મળ્યું હતું તેનો ઉલ્લેખ તેમણે “જૈન તર્કભાષા', “પ્રતિમાશતક' વગેરેમાં કર્યો છે, પરંતુ સુજસવેલીમાં આ બિરુદનો ઉલ્લેખ પણ નથી, તે આશ્ચર્યજનક લાગે છે. પોતે ન્યાયના ગ્રંથોની રચના કરી તેથી ભટ્ટાચાર્યે પ્રસન્ન થઈને પોતાને આ બિરુદ આપ્યું તેમ તેઓએ જણાવ્યું છે. યશોવિજયજીએ પોતે પોતાના કાશીવાસ વિષે અવારનવાર વાતો કરી છે. તેમની ઘણી સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના આરંભમાં “e” પદ મુકાયેલ છે. આ અંગે તેઓ જણાવે છે કે તેમણે કાશીમાં ગંગાતટે “હું' પદના જાપપૂર્વક સરસ્વતી દેવીને પ્રસન્ન કરેલ અને તેથી તેમને સરસ્વતીદેવી પાસેથી તર્ક અને કાવ્યની સિદ્ધિનું વરદાન પ્રાપ્ત થયેલ અને તેમની ભાષા કલ્પવૃક્ષની જેમ ફળદાયી થઈ હતી. કાશીમાં શ્રી યશોવિજયજીનો અભ્યાસ પૂરો થતાં ગુરુ-શિષ્યની આ અવિસ્મરણિય જોડીએ આગ્રા તરફ પ્રયાણ કર્યું, જેથી ન્યાયગ્રંથો, કર્કશ તર્કસિદ્ધાંતો અને પ્રમાણશાસ્ત્રોનો બાકીનો કેટલોક અભ્યાસ પૂરો કરી શકાય. આગ્રાના ચાર વર્ષના અભ્યાસના અંતે ત્યાંના શ્રી સંઘે તેમની વિદ્વત્તાથી પ્રેરાઈને તેમને સાતસો રૂપિયા ભેટ આપ્યા, જેનો ઉપયોગ તેમણે પાટલીઓ આદિ બનાવવામાં ખૂબ ઉમંગથી કર્યો અને આ વસ્તુઓ તેઓએ વિદ્યાભ્યાસીઓને સમર્પિત કરી. વિદ્યા પ્રત્યેની તેમની પ્રીતિ “સુજસવેલી'માં નોંધાયેલ આ નાનકડા બનાવમાં પણ જોઈ શકાય છે. ૨૪ શ્રી યશોવિજયજીના આગ્રાવાસની વાત “સુજસવેલી'માં તો નોંધાયેલી છે; પણ યશોવિજયજીએ પોતે પોતાના કાશીવાસની વાત જેમ ઠેરઠેર કરી છે તેમ જ્ઞાનસારનું તત્ત્વદર્શન For Private ! 8 ersonal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પોતાના આગ્રાવાસની વાત ક્યાંય કરી નથી. જોકે તેઓએ આગ્રાના કવિ બનારસીદાસ વગેરેના સાહિત્યનો અભ્યાસ કરેલો છે તે હકીક્ત તેમના આગ્રાવાસનું સૂચન કરે છે૨૫ ગુજરાતમાં આગમન વિદ્યાભ્યાસ માટે શ્રી યશોવિજયજીએ ત્રણ વર્ષ કાશીમાં અને ચાર વર્ષ આગ્રામાં એમ સાત વર્ષ ગુરુ સાથે ગુજરાત બહાર પસાર કર્યા. એ દરમ્યાન ગુજરાતની પ્રજા તેમની ખ્યાતિની અવનવી વાતો સાંભળીને તેમના દર્શન માટે ખૂબ જ ઉત્સુક હતી. અનેક શાસ્ત્રોનું જ્ઞાન ગ્રહણ કરીને, રસ્તામાં અનેક જગ્યાએ દુર્દમ વાદીઓ સાથે વિવિધ પ્રકારના વાદ-વિવાદ કરતાં કરતાં, વહેલામાં વહેલાં વિ. સં. ૧૭૦૭ અને મોડામાં મોડા વિ. સં. ૧૭૧૦માં, શ્રી યશોવિજયજીએ અમદાવાદમાં પ્રવેશ કર્યો. સુજસવેલી'માં જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં આવીને તેમણે હાલની રતનપોળમાં આવેલી નાગોરી શાળામાં સ્થિરતા કરી. આ સમયગાળા દરમ્યાન તેમની પાસે અનેક પ્રકારના વિદ્વાનો આવતા. ક્યારેક તો અન્ય દર્શનના વાદી પાસે તેઓ શાસ્ત્રની યુક્તિ-પ્રયુક્તિ અને ન્યાયની પરિપાટી પ્રમાણે જૈન ધર્મનું એવું સરસ પ્રતિપાદન કરતા કે જેથી વાદી જૈન દર્શનની ખામી દર્શાવી શકતા નહી. ૨૩ “સુજસવેલીમાં જણાવ્યા પ્રમાણે તે સમયે અમદાવાદમાં ગુણરસિક અને પ્રજાના હિતચિંતક સુબા મહોબતખાનનું રાજ્ય હતું. જોકે ઐતિહાસિક રીતે જોઈએ તો મહોબતખાનનો સમય વિ. સં. ૧૭૧૮ થી ૧૭૨૪નો હતો અને આ પ્રસંગ ત્યારે બન્યો હોય એ શક્ય લાગતું નથી. છતાં “સુજસવેલી માંની નોંધ સ્વીકારીએ તો શ્રી યશોવિજયજીના બુદ્ધિવૈભવની વાતો સાંભળીને સુબા મહોબતખાને તેમને રાજસભામાં પધારવાની વિનંતી કરી. પોતાના ગુરુ-મહારાજે આજ્ઞા આપતાં યશોવિજયજીએ રાજસભામાં આવીને પોતાને બેસવા માટેના યોગ્ય સ્થાનમાં બિરાજમાન થઈને અઢાર અવધાન કરી બતાવ્યાં. તેમની અપ્રતિમ બુદ્ધિ-પ્રતિભાથી ખુશ થયેલા મહોબતખાને તેમનું ઉચિત સન્માન કર્યું અને તે પછી યશોવિજયજીને વાજતે-ગાજતે તેમના સ્થાનકે (ઉપાશ્રયમાં) લઈ જવામાં આવ્યા. પોતે જૈન સાધુ હોવા છતાં તેમણે બધાં જ અજૈન દર્શનોનો વિશદ અભ્યાસ કર્યો હતો. જૈન તેમ જ અજૈન પુસ્તકો ઉપર ચિંતનાત્મક સાહિત્યસર્જન યશોવિજયજી : જીવન અને વાડ્મય 19 Page #37 -------------------------------------------------------------------------- ________________ કર્યું હતું. “પંડિત સુખલાલજી જણાવે છે તેમ જૈન સંપ્રદાયમાં યશોવિજયજીનું સ્થાન વૈદિક સંપ્રદાયમાંના શંકરાચાર્ય જેવું છે. તેમને મળેલ પદવીઓ આવા પ્રખર જૈન સાધુ, કે જેઓ જૈન તેમ જ જૈનતર સમાજમાં ખૂબ આદરભર્યું સ્થાન પામ્યા હતા અને જેમણે જૈન ધર્મના સત્ત્વનું યોગ્ય રીતે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમને “ઉપાધ્યાય' પદવી આપવી જ જોઈએ એવી રજૂઆત તે વખતના શ્રીસંઘે ત્યારના ગચ્છનાયક શ્રી વિજયદેવસૂરિ સમક્ષ કરી. તે દરમ્યાન શ્રી યશોવિજયજીએ વીસસ્થાનક તપ શરૂ કર્યું. વિ. સં. ૧૭૧૮માં શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી તેમના શિષ્ય આચાર્ય વિજયપ્રભસૂરિ મહારાજે અત્યંત આનંદથી, પોતાના દીક્ષાપર્યાયના લગભગ ત્રીસમા વર્ષમાં પ્રવેશેલ શ્રી યશોવિજયજીને “ઉપાધ્યાય' પદવી આપી. ખેદની વાત એ છે કે આ શુભ પ્રસંગના ચોક્કસ વાર-તિથિની નોંધ “સુજસવેલી'માં થઈ નથી. - શ્રી યશોવિજયજીને મળેલ આ “ઉપાધ્યાયપદની ખૂબી એ છે કે આ પદ તેમના માટે વિશેષણ ન રહેતાં વિશેષ્ય કે વિશેષ નામ બની ગયું. જૈન સાધુઓમાં ઉપાધ્યાય પદવી તો અનેકને મળી, પણ આજપર્યત “ઉપાધ્યાયજી” તરીકે તો ઓળખાયા તે એક જ, અને તે આપણા આ શ્રી યશોવિજયજી મહારાજ. ઉપાધ્યાયજીનો ઉલ્લેખ જ્યાં પણ થાય ત્યાં તેનો અર્થ “ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ' થાય છે અને શ્રી યશોવિજયજીએ પોતે પણ પોતાની અનેક કૃતિઓમાં કર્તા તરીકે પોતાનો ઉલ્લેખ “વાચક જસ' તરીકે કર્યો છે. અહીં “વાચક' એટલે ઉપાધ્યાય' એ અર્થ થાય છે. કાશીમાં તેમને “ન્યાયવિશારદ' અને “ન્યાયાચાર્ય'ની પદવી મળી હતી, હવે સંઘ દ્વારા તેમને “ઉપાધ્યાય (કે “વાચક')ની પદવી પણ મળી. આમ તેઓ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ'ના નામે અને ટૂંકમાં “ઉપાધ્યાયજી”ના હુલામણા નામે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. આ સિવાય તેઓ “કૂર્ચાલશારદ' (એટલે કે દાઢી-મૂછવાળા સરસ્વતી) તરીકેનું બિરુદ પણ પામ્યા, તો કેટલાક વિદ્વાનોએ તેમને “કલિકાલ શ્રુતકેવલી' (એટલે કે સર્વજ્ઞ ન હોવા છતાં પણ સર્વજ્ઞના જેવી જ પદાર્થની વ્યાખ્યા કહેનાર) તરીકે નવાજ્યા. ક્યારેક તેઓને “લઘુ હરિભદ્ર” તરીકે પણ (જુઓ : આ જ પ્રકરણની ટિપ્પણ નં. ૨ ગ) ઓળખાવવામાં આવે છે. - જ્ઞાનસારનું તત્ત્વદર્શન 20 Page #38 -------------------------------------------------------------------------- ________________ કાળધર્મ અને શિષ્યો તેમના જીવનની આ સિવાયની અન્ય કોઈ નોંધપાત્ર વિગતો આપણને મળતી નથી. તેમના કાળધર્મ (અવસાન) અંગે પણ ચોક્કસ સમયદર્શક નોંધ ક્યાંયથી મળતી નથી. “સુજસવેલી'માં જણાવ્યા પ્રમાણે વિ. સં. ૧૭૪૩ના ચોમાસો દરમ્યાન અનશન તપ કરીને ડભોઈ મુકામે તેઓ કાળધર્મ પામ્યા. આ બનાવના ચોક્કસ તિથિ, મહિનો વગેરે પણ “સુજસવેલીમાં નોંધાયાં નથી એ એક કમનસીબ હકીકત જ માનવી રહી.૩૦ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના શિષ્યોમાં ગુણવિજય, તત્ત્વવિજય, માનવિજય, લક્ષ્મીવિજય, હેમવિજય વગેરે નામો અધિકૃત ગણી શકાય તેમ છે. ૩૧ વિદ્વાનોના ઉદ્ગારો કેટલાક મૂર્ધન્ય વિદ્વાનોના માર્મિક ઉદ્ગારો ઉપાધ્યાયજી મહારાજની પ્રતિભાને સમજવા માટે અત્યંત ઉપયોગી બની રહે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીનોમાં જેમનો ઉલ્લેખ કર્યો છે તે પ્રખર વિદ્વાન મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજે વિ.સં. ૧૭૩૧માં રચેલ પોતાની કૃતિ “ધર્મસંગ્રહ'માં તેમને નીચે પ્રમાણે માનભેર યાદ કર્યા છે : જે મહાપુરુષ સત્ય તર્કથી ઉત્પન્ન થયેલી તીક્ષ્ણ બુદ્ધિ વડે સમગ્ર દર્શનોમાં અગ્રેસરપણું પામ્યા છે, તપાગચ્છમાં મુખ્ય છે, કાશીમાં અન્યદર્શનીઓની સભાઓને જીતીને શ્રેષ્ઠ જૈન મતના પ્રભાવને જેમણે વિસ્તાર્યો છે અને જેઓએ તર્ક, પ્રમાણ અને નયાદિકના વિવેચન વડે પ્રાચીન મુનિઓનું શ્રુતકેવલીપણું આ કાળમાં પ્રગટ બતાવી આપ્યું છે અને જેઓએ આ ગ્રંથનું પરિશોધન કરવા વડે કરીને મારા પર ઉપકાર કર્યો છે તે શ્રી યશોવિજયોપાધ્યાય વાચક સમૂહમાં મુખ્ય છે. શ્રી યશોવિજયજીના સમકાલીન વિદ્વાનના આ ઉદ્ગારોનું ઐતિહાસિક મહત્ત્વ સવિશેષ છે. ડો. ભગવાનદાસ એમ. મહેતા ઉપાધ્યાયજીની બહુમુખી પ્રતિભાનો ચિતાર આ રીતે આપે છે : આ મહાત્મા પ્રતિભામાં જાણે સિદ્ધસેન દિવાકરના પુનરવતાર હોય, યશોવિજયજી : જીવન અને વાડ્મય 21 Page #39 -------------------------------------------------------------------------- ________________ દાર્શનિક અભ્યાસમાં જાણે લઘુ હરિભદ્ર હોય, શ્રુતજ્ઞાનમાં જાણે બીજા હેમચંદ્રાચાર્ય હોય, અધ્યાત્મવિદ્યામાં જાણે આનંદઘનજીના અનુગામી હોય એમ આપણને સહેજે પ્રતિભાસે છે. “આ પોતાના મુછાળા અવતાર ‘કૂર્ચાલીશારદ’ને દેખી સરસ્વતીને લજ્જાના માર્યા સંતાઈ જવું પડ્યું ! આ સાચેસાચા વ્યાખ્યાન-વાચસ્પતિ (જગદ્ગુરુ) વાચકવરની વાચા સાંભળી વાચાલ વાચસ્પતિ (ત્રિદશગુરુ) અવાચક થઈ ગયો ! વાડ્મયની રંગભૂમિમાં કવિતાસુંદરીને યથેચ્છ નચાવનારા આ સત્કવિની યશસ્કીર્તિથી પ્રતિપક્ષીઓનાં મસ્તક ધોળાં ને મુખ કાળાં થયાં ! જ્ઞાનીઓના હૃદયાવકાશમાં વહેતી અધ્યાત્મ-જ્ઞાનગંગાને આ ભગીરથે અવનીને પાવન કરવા પૃથ્વી પર અવતારતાં પ્રાણીઓનો વિભાવરૂપ પાપમલ ક્યાંય ધોવાઈ ગયો ! અર્વાચીનોની જેમ તેમના નામ પાછળ ઉપાધિઓની લાંબી લંગાર નહિ લાગેલી, છતાં આ સીધાસાદા ‘ઉપાધ્યાયજી’ પણ આચાર્યોના આચાર્ય ને ગુરુઓના ગુરુ થવાને પરમ યોગ્ય છે. યશઃશ્રીના પડછાયા પાછળ દોડનાર આધુનિકોની પેઠે તેઓ તેની પરવાહ નહિ કરતા છતાં ‘યશઃશ્રી’ હજુ તેમનો પીછો છોડતી નથી ! અધ્યાત્મરસપરિણતિ વિના શાસ્ત્રનો ભાર માત્ર વહનાર ને નિર્માલ્ય તત્ત્વવિહીન ચર્ચાઓમાં શાસ્ત્રનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરનાર આગમધરો તો ઘણાય છે, પણ અધ્યાત્મપરિણતિપૂર્વક શાસ્ત્રનો રસાસ્વાદ લેનારા ને શાસ્ત્રનો તાત્ત્વિક પ્રતિપાદનમાં કેવળ આત્માર્થે સદુપયોગ કરનારા તેમના જેવા નિરાગ્રહી ને પરિણત સાચા આગમરહસ્યવેદી શ્રુતધરો તો વિરલા જ છે.” ,,૩૩ જૈન તેમ જ અજૈન બધાં દર્શનોને લગતા તેમના વિશદ જ્ઞાન અંગે ગૌરવપૂર્વક નોંધ કરતાં પંડિત સુખલાલજી જણાવે છે :: - “નિઃસંદેહ શ્વેતાંબર અને દિગંબર સમાજમાં અનેક બહુશ્રુત વિદ્વાન થઈ ગયા છે. વૈદિક તથા બૌદ્ધ સંપ્રદાયમાં પણ પ્રચંડ વિદ્વાનોની કમી રહી નથી – ખાસ કરીને વૈદિક વિદ્વાનો તો હંમેશથી ઉચ્ચ સ્થાન લેતા આવ્યા છે – વિદ્યા તો માનો કે તેમના બાપની – પરંતુ એમાં શક નથી કે કોઈ બૌદ્ધ યા કોઈ વૈદિક વિદ્વાન આજ સુધી એવો થયો નથી કે જેના ગ્રંથના અવલોકનથી એવું જાણવામાં આવે કે તે વૈદિક યા બૌદ્ધ શાસ્ત્ર ઉપરાંત જૈન શાસ્ત્રનું પણ વાસ્તવિક ઊંડું અને સર્વવ્યાપી જાણપણું રાખતો હોય. આથી ઊલટું ઉપાધ્યાયજીના ગ્રંથોને ધ્યાનપૂર્વક જોનાર કોઈપણ બહુશ્રુત દાર્શનિક વિદ્વાન એવું કહ્યા વગર નહિ રહે કે ઉપાધ્યાયજી જ્ઞાનસારનું તત્ત્વદર્શન 66 22 Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન હતા તેથી જૈન શાસ્ત્રનું ઊંડું જ્ઞાન તો તેમને માટે સહજ હતું, પરંતુ ઉપનિષદ, દર્શન આદિ વૈદિક ગ્રંથોનું તથા બૌદ્ધ ગ્રંથોનું આટલું વાસ્તવિક પરિપૂર્ણ અને સ્પષ્ટ જ્ઞાન તેમની અપૂર્વ પ્રતિભા અને કાશીસેવનનું જ પરિણામ છે. ૩૪ શ્રી આનંદશંકર ધ્રુવ પણ જણાવે છે : “એમના ગ્રંથોમાં બ્રાહ્મણશાસ્ત્રોનો અભ્યાસ પુષ્કળ પ્રતીત થાય છે.૧ ઉપાધ્યાયજીનું સાહિત્ય ક્ષર દેહથી આયુષ્ય પૂર્ણ કરનાર ઉપાધ્યાયજીનો અક્ષરદેહ તો ત્રણ-ત્રણ શતાબ્દી વહી જવા છતાં અમર જ છે. પ્રતિભાવાન સંત પુરુષો પોતે રચેલ સત્ત્વશીલ સાહિત્યથી સદાય સુગંધ પ્રસરાવતા રહે છે. ઉપાધ્યાયજી તો નિશ્ચંત વિચારસરણી ધરાવતા હતા, એટલે તેઓએ પોતાને સત્યની, સત્ત્વની જે કાંઈ અનુભૂતિ થઈ તેને બિલકુલ ભ્રાંતિ વગર, સ્પષ્ટ શબ્દોમાં, સચોટ રીતે અને તાટય્યદૃષ્ટિથી રજૂ કરવાનો પ્રયત્ન પોતાના સાહિત્યમાં કર્યો છે, એટલે તેમના સાહિત્યનું મૂલ્ય સવિશેષ ગણાય છે. આ જ રીતે નિર્દભ આચારપ્રણાલી એ તેમના વ્યક્તિત્વનું બીજું અગત્યનું પાસું હતું. પોતાના સાધુજીવનમાં પોતાને જ્યારે જે સારું લાગ્યું તેને નીડરતાપૂર્વક રજૂ કરવામાં તેઓ ક્યાંય અચકાયા નથી. સત્યને માટે ગમે તે કષ્ટ સહન કરવું પડે તે સહન કરીને પણ સત્ય વાત તેઓ દંભ વગર રજૂ કરતા એ દૃષ્ટિએ પણ તેમનું સાહિત્ય વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેમણે રચેલ સાહિત્યમાંથી કેટલી કૃતિઓ કાળની ગર્તામાં નાશ પામી હશે તે તો ખબર નથી, પણ જે કંઈ કૃતિઓ પૂર્ણ કે અપૂર્ણ સ્વરૂપે બચી જવા પામી છે તેનો પણ પૂરેપૂરો અભ્યાસ વિદ્વાનો કરી શક્યા નથી. ખરેખર તો આ વીસમી સદીના બીજા-ત્રીજા દાયકા પછી તેમની કૃતિઓનો સવિશેષ અભ્યાસ થવા માંડ્યો, બાકી તે પહેલાનાં બસો-અઢીસો વર્ષ દરમ્યાન તો તેમનું સાહિત્ય લગભગ વણસ્પર્ફે જ રહી ગયું હતું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ રચેલ સાહિત્યમાં ક્યા ક્યા વિષયો આવરી લેવાયા છે તેનો વિચાર કરીએ તો તેમાં ઘણાં વિષયો સમાઈ જતાં જણાય છે. નય, નિક્ષેપ, સપ્તભંગી, પ્રમાણ, આગમ સાહિત્ય વગેરે જૈન દર્શન સાથે સંબંધિત વિષયોની વ્યાપક છણાવટ તો તેમણે કરી જ છે; સાથેસાથે પ્રાચીન તથા નબન્યાય, યશોવિજયજી : જીવન અને વાડ્મય 23 Page #41 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ, છંદ, અલંકાર, કાવ્ય, યોગ, અધ્યાત્મ, કથા, ભક્તિ, સિદ્ધાંત જેવા વ્યાપક ક્ષેત્ર ધરાવતા વિષયોનું ખેડાણ પણ પોતાના સાહિત્યમાં કર્યું છે. અનેક વિષયોની ચર્ચાને આવરી લેતા તેમના સાહિત્યમાં અદ્ભુત સમન્વયશક્તિ, અપૂર્વ કવિત્વશક્તિ, વચનચાતુરી, નિર્ભયતાથી મત રજૂ કરવાની સજ્જતા, પદલાલિત્ય, અલંકારનિરૂપણ, અર્થગૌરવ, રસપોષણ, તર્કશક્તિ વગેરેનાં દર્શન થાય છે. ઉપાધ્યાયજીની સાહિત્યકૃતિઓ ત્રણ-ચાર ભાષાઓમાં રચાયેલી જોવા મળે છે. તેમનું વિભોગ્ય સાહિત્ય સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રજૂ થયેલ છે, જ્યારે લોકભોગ્ય સાહિત્ય ગુજરાતી અને થોડીક મારવાડી છાંટવાળી હિંદી ભાષામાં રચાયું છે. તે સમયે મુદ્રણકળાની શોધ થઈ ન હોવાથી સાહિત્યરચના, સાહિત્ય-સંવર્ધન તથા સાહિત્યની સાચવણીનું કાર્ય હસ્તલિખિત પ્રતો દ્વારા થતું હતું. ઉપાધ્યાયજીના સાહિત્યની તેમના સ્વહસ્તાક્ષરમાં લખાયેલ કેટલીક મૂળ પ્રતો પણ અત્યારે આપણને પ્રાપ્ત થાય છે એ આનંદનો વિષય છે. અન્ય વિદ્વાનોની કૃતિઓની તેમણે પોતાના કામ માટે કરેલ નકલો પણ આપણને હસ્તલિખિત પ્રતના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. વિ. સં. ૧૭૧૦માં પાટણમાં તેમને “નયચક્ર' નામે અલભ્ય ગ્રંથ પ્રાપ્ત થતાં લગભગ ૧૫,૦૦૦ શ્લોકપ્રમાણ આ ગ્રંથની નકલ સાત મુનિઓએ ભેગા થઈને માત્ર પંદર જ દિવસમાં કરી એ ઘટનાની સાક્ષીરૂપ હસ્તપ્રત આજે પણ “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર” (અમદાવાદ)માં સચવાયેલ છે. ઉપાધ્યાયજીએ રચેલ ગ્રંથોમાંથી અમુક ગ્રંથો તેમણે પોતે સ્વતંત્ર રીતે, મૌલિકપણે રચેલ છે, તો અમુક ગ્રંથો ટીકાગ્રંથો સ્વરૂપે લખેલ છે. તેમના વિશાળ સાહિત્યમાં પરપક્ષનું ખંડન, સ્વપક્ષનું ખંડન અને વિવિધ મતોનો સમન્વય – એમ ત્રિવિધ પ્રયત્ન થયો હોય તેવી કૃતિઓ જોવા મળે છે. કર્કશ લાગતા તર્કસિદ્ધાંતસભર સાહિત્યથી માંડીને ભક્તિરસનીતરતા સ્તવન-સક્ઝાય જેવા વિશાળ ભક્તિસાહિત્યની રચના તેમણે કરી છે. પોતાની જિંદગીની પૂર્વાવસ્થામાં વાણી વાચક જસ તણી, કોઈ નયે ન અધૂરી રે' એમ કહેતા ઉપાધ્યાયજીના સાહિત્યમાં ઉપલક રીતે શુષ્ક લાગતી છતાં વાસ્તવમાં ઉચ્ચ પ્રકારની ન્યાય, નબન્યાયને લગતી સિદ્ધાંત અને તર્કની વિકલ્મોગ્ય ચર્ચા જ મુખ્ય છે, તો મોટે ભાગે ઉત્તરાવસ્થામાં રચાયેલ સાહિત્યમાં અધ્યાત્મ અને ભક્તિ તરફનો ઝોક વધુ જોવા મળે છે. તેમના સઘળા સાહિત્યને રચનાસંવત પ્રમાણે ઐતિહાસિક ક્રમમાં મૂકીને તપાસીએ તો તેમના વિચારની ક્રમિક પ્રગતિની દૃષ્ટિએ આપણે જ્ઞાનસારનું તત્ત્વદર્શન 24 Page #42 -------------------------------------------------------------------------- ________________ તેમની પ્રતિભાને સમજી શકીએ. પણ તેમની કેટલીક કૃતિઓ નાશ પામી છે, કેટલીક કૃતિઓ અધૂરી મળે છે, જે મળે છે તે બધી કૃતિઓના રચનાસંવત મળતા નથી, એટલે આવી ઐતિહાસિક દૃષ્ટિથી આપણે અત્યારે તેમની પ્રતિભાને મૂલવી શકીએ તેમ નથી. તેમણે રચેલ વિશાળ સાહિત્યમાંથી દાર્શનિક કે તાત્ત્વિક દૃષ્ટિએ અગત્યની ગણી શકાય તેવી મહત્ત્વની કેટલીક કૃતિઓનો પ્રારંભિક પરિચય એમની પ્રસ્તુત કૃતિને સમજવામાં ઉપકારક બની રહેશે. ગુજરાતી અને હિંદી કૃતિઓ સૌપ્રથમ પૂ. ઉપાધ્યાયજીએ ગુજરાતમાં રચેલ સાહિત્ય પર દૃષ્ટિપાત કરીએ. તેઓએ ગુજરાતી ભાષામાં અનેક સ્તવનો, સજઝાયો, ચોવીસીઓ, વીશીઓ, રાસાઓ, શતક એમ જુદા જુદા પ્રકારની પદ્ય સાહિત્યકૃતિઓ વિશાળ માત્રામાં રચી છે. તેમના આ ભક્તિરસનીતરતા ગુજરાતી સાહિત્યને એકત્રિત કરીને ‘ગૂર્જર સાહિત્ય સંગ્રહ'ના બે ભાગ રૂપે પ્રગટ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે રચેલ હિંદી ભાષાનાં પદો વગેરેનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. કેટલીક સંસ્કૃત કૃતિઓનો અર્થ સામાન્ય પ્રજા સમજી શકે તે માટે તેના પર ઉપાધ્યાયજીએ ગુજરાતી ભાષામાં રચેલ બાલાવબોધ(ટબો કે સ્તબક)ની સંખ્યા પણ સારી એવી છે. | ગુજરાતી ભાષાની તેમની આ બધી રચનાઓમાં દાર્શનિક દૃષ્ટિએ તેમણે રચેલ દ્રવ્ય-ગુણ-પર્યાયનો ચસ' નોંધપાત્ર છે. સત્તર ઢાળની ૨૮૫ ગાથામાં રાસ સ્વરૂપમાં રજૂ થયેલ આ કૃતિમાં તેનું નામ સૂચવે છે તેમ દ્રવ્ય, ગુણ અને પર્યાયની જ ચર્ચા રજૂ થઈ છે. જૈન તત્ત્વજ્ઞાનને લોકો સુધી પહોંચાડવાની તેમની ઝંખના અહીં સ્પષ્ટ દેખાઈ આવે છે. આ ગુજરાતી કૃતિ ઉપર દિગંબર કવિ ભોજરાજજીએ સંસ્કૃતમાં ‘દ્રવ્યાનુયોગ તર્કણા” નામે ટીકા રચી છે તે નોંધપાત્ર બીના છે. આ રાસની વિ.સં. ૧૭૧૧માં તેમના ગુરુ પૂ. નયવિજયજી મહારાજના હાથે લખાયેલ પ્રત આજે પણ આપણને મળે છે, તેથી તેનો રચનાકાળ વિ.સં. ૧૭૦૮ આસપાસનો ગણવામાં આવે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયને લગતા જૈન દર્શનને માન્ય મતને રજૂ કરતાં અહીં ગુણને સ્વતંત્ર પદાર્થ ગણવાને બદલે તે પર્યાય જ છે એમ દર્શાવીને દ્રવ્ય અને પર્યાયનો ભેદાભેદ સિદ્ધ કરવામાં આવ્યો છે. જ્ઞાન અને ક્રિયા પૈકી આ રાસમાં જ્ઞાનનું મહત્ત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. યશોવિજયજી : જીવન અને વાડ્મય 25 Page #43 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત અને પ્રાકૃત કૃતિઓ ઉપાધ્યાયજીએ કાશી અને આગ્રામાં રહીને દર્શનશાસ્ત્રોનો જે વિશદ અભ્યાસ કર્યો તેના પરિપાકરૂપે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તેમની જે કૃતિઓ મળે છે તે મુખ્યત્વે ત્રણ પ્રકારની છે : (અ) જૈન દર્શનને પોતાના સમયના નવીન પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવા માટે સ્વતંત્ર રીતે લખાયેલ મૌલિક કૃતિઓ, (બ) કેટલાક મહત્ત્વના જૈન ગ્રંથો ઉપરની ટીકાઓ અને (ક) અમુક અજૈન ગ્રંથો ઉપરના ટીકાગ્રંથો. અહીંયાં તેમણે રચેલ દર્શનશાસ્ત્રને લગતા કેટલાક મૂળગ્રંથોનો પરિચય મેળવીને પછી ટીકાગ્રંથોનો પરિચય પ્રસ્તુત છે. તર્કશાસ્ત્રના યુગના જૈન વિદ્વાનોએ જૈન દર્શનના સ્યાદ્વાદ, નયવાદ, અનેકાંતવાદના સિદ્ધાંતોને અન્ય દર્શનશાસ્ત્રો સાથેની ખંડન-મંડનની પ્રક્રિયામાં સમર્થ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. આવા જ પ્રકારના ઉપાધ્યાયજી મહારાજના પ્રયત્નના ફળસ્વરૂપે આપણને પ્રાપ્ત થતી તેમની “નયરહસ્ય”, “નયોપદેશ', નયપ્રદીપ”, “અનેકાંતવ્યવસ્થા” વગેરે કૃતિઓ નોંધપાત્ર છે. નયરહસ્ય' નામે પ્રકરણગ્રંથમાં નયના સાત પ્રકારોની ચર્ચા મુખ્ય છે. નયના મુખ્ય બે પ્રકારો – દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય – જણાવીને ઉપાધ્યાયજીએ તેના ઉપપ્રકારોની ત્રણ પરંપરા નોંધી છે. નયના ઉપપ્રકારોની સંખ્યા વિષેના મતભેદમાં તેઓ સપ્તનવાદી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતને સ્વીકારે છે. ઋજુસૂત્રનયને જિનભદ્રગણિ દ્રવ્યાર્થિક નયનો ભેદ માને છે, જ્યારે સિદ્ધસેન દિવાકર તેને પર્યાયાર્થિક નયનો ભેદ માને છે. આ બંને વિચારોનું સ્પષ્ટીકરણ તેઓએ કર્યું છે. દરેક નયની પરસ્પર-સાપેક્ષતા, કયા નયમાંથી કયા દર્શનની ઉત્પત્તિ થઈ, દરેકનું સ્વરૂપ શું, સપ્તભંગીનું સ્વરૂપ શું વગેરે બાબતોની ચર્ચા આ “નયરહસ્ય' ગ્રંથમાં કરવામાં આવેલ છે.* “નયોપદેશ' નામે સંસ્કૃત ગ્રંથમાં ઉપાધ્યાયજીએ સાત નયનું સ્વરૂપ, કયારે અને ક્યાં કયા નયની યોજના કરવી, કયા નય કયા કયા નિક્ષેપને માને છે વગેરેની ચર્ચા કરી છે. “નયોપદેશ'ને સમજવા માટે નવ્ય ન્યાયની પરિભાષા સમજવી જરૂરી નથી, પણ આ ગ્રંથ ઉપર તેમણે પોતે જ સંસ્કૃતમાં રચેલ ન્યાયામૃતતરંગિણી' નામની ટીકાનો મોટો ભાગ નવ્ય ન્યાયની પરિભાષામાં છે, આ ટીકામાં અદ્વૈત વેદાંતના મતની વિવેચના કરવામાં આવી છે. ન્યાય-વૈશેષિકના મતની સમીક્ષા પણ અમુક જગ્યાએ કરવામાં આવી છે, તો બૌદ્ધોના ક્ષણિકવાદની ટીકા પણ કરવામાં આવી છે. જ્ઞાનસારનું તત્વદર્શન 26 Page #44 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતમાં લખાયેલ “નયપ્રદીપ' ગ્રંથમાં “સપ્તભંગીસમર્થન’ અને ‘નયસમર્થન” નામે બે સર્ગ છે. સાતે ભાંગા કઈ રીતે થાય, સ્યાદ્વાદનું સ્વરૂપ શું, ભાંગા સાત જ કેમ – વગેરે બાબતો પહેલા સર્ગમાં સ્પષ્ટ કરી છે, તો બીજા સર્ગમાં નયવિચારની જરૂરિયાત, પ્રત્યેક નયની મર્યાદા, દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનું સ્વરૂપ, પર્યાય અને ગુણના ભેદો અને તેનું સ્વરૂપ, સામાન્યવિશેષનું સ્વરૂપ વગેરે બાબતો સ્પષ્ટ કરી છે.' અનેકાન્તવ્યવસ્થા' નામે સંસ્કૃત ગ્રંથમાં “નય', નિક્ષેપ', “સપ્તભંગી'ની ચર્ચા તો છે જ, સાથે સાથે તેમાં વૈશેષિક, અદ્વૈત વેદાંત, સાંખ્ય અને બૌદ્ધ મતોનું વિવેચન અનુક્રમે નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયરૂપે થયેલું જોઈ શકાય છે. ઉપાધ્યાયજીની કૃતિઓમાં જ્ઞાનમીમાંસાની દૃષ્ટિએ “જ્ઞાનબિંદુ', “જૈન તભાષા” અને “જ્ઞાનાવ' – આ ત્રણ કૃતિઓ નોંધપાત્ર છે. “જ્ઞાનબિંદુમાં જ્ઞાનમીમાંસાના પ્રશ્નોની ચર્ચા જિનભદ્રગણિ પ્રમાણે જ કરવામાં આવી છે. આ સંસ્કૃત ગ્રંથના પ્રારંભમાં પંચવિધ જ્ઞાનનું નિરૂપણ છે. પ્રમાણના સ્વત અને પરતસ્વની ટૂંકી ચર્ચા પણ પ્રસંગોપાત્ત અહીં જોવા મળે છે, તો અદ્વૈત વેદાંતે સ્વીકારેલ કેટલીક બાબતોની ઊંડી સમીક્ષા પણ જોવા મળે છે. “કેવલજ્ઞાન' અને “કેવલદર્શન' એકસાથે થાય કે એકની પછી બીજું થાય એ પ્રશ્ન પરત્વે જૈન દર્શનમાં ત્રણ મત પ્રવર્તે છે : (ક) જિનભદ્રગણિ પરંપરાથી ચાલ્યા આવતા આગમ મતને સ્વીકારે છે. તે પ્રમાણે ‘દર્શન’ અને ‘જ્ઞાન' બંનેનો ઉપયોગ ભિન્ન છે અને બંનેની ઉત્પત્તિ ક્રમશઃ થાય છે. આ મત “ક્રમવાદ' તરીકે ઓળખાય છે. (ખ) મલ્લવાદી વગેરેના મતે દર્શન અને “જ્ઞાન” બંને ઉપયોગભિન્ન હોવા છતાં તે બંનેની ઉત્પત્તિ ક્રમિક નહીં પણ એકસાથે હોય છે. આ મત “સહવાદ' તરીકે ઓળખાય છે. (ગ) સિદ્ધસેન દિવાકર ‘દર્શન” અને “જ્ઞાન'નો અભેદ બતાવે છે, જે મત ‘અભેદવાદ' કહેવાય છે. અહીંયાં ઉપાધ્યાયજી જિનભદ્રના મતને બદલે સિદ્ધસેનના અભેદવાદનો જ પક્ષ લે છે અને નયભેદની અપેક્ષાએ આ ત્રણેય મતનો સમન્વય શક્ય છે તે દર્શાવતાં જણાવે છે કે “ક્રમિકવાદ'નું ઋજુસૂત્રનયથી, “સહવાદનું વ્યવહારનયથી અને “અમેદવાદ'નું સંગ્રહનાથી પ્રતિપાદન થાય છે." “જૈન તર્કભાષા' નામે સંસ્કૃત ગ્રંથમાં જૈન જ્ઞાનમીમાંસાને રજૂ કરતી યશોવિજયજી : જીવન અને વાડ્મય 27 Page #45 -------------------------------------------------------------------------- ________________ વખતે “જ્ઞાન સ્વપ્રકાશક છે' એમ દર્શાવીને મીમાંસકો, નૈયાયિકો અને બૌદ્ધોના મતથી જૈન મતની ભિન્નતા સ્પષ્ટ કરી છે. વાદી દેવસૂરિના મતને અનુસરીને ઉપાધ્યાયજીએ અહીંયાં સ્વ અને પરના વ્યવસાયી જ્ઞાનને પ્રમાણ તરીકે ઘટાવ્યું છે. ૮૦૦ શ્લોકપ્રમાણ આ ગ્રંથમાં “પ્રમાણ', “નય” અને “નિક્ષેપ' આ ત્રણ બાબતોની ચર્ચા કરતા ત્રણ પરિચ્છેદ મુખ્ય છે. ૧૨મી સદીમાં બૌદ્ધ વિદ્વાન મોક્ષાકરે ‘બૌદ્ધ તર્કભાષા” રજૂ કરી, ૧૩મી-૧૪મી સદીમાં વૈદિક વિદ્વાન કેશવમિટે વૈદિક તર્કભાષા' રજૂ કરી; તે પ્રમાણે ઉપાધ્યાયજીએ “જૈન તર્કભાષાની રચના કરી. દિગંબર વિદ્વાન અકલંકની તાર્કિક રીતે નિરૂપણ કરવાની શૈલીનો આધાર તેમણે આ કૃતિમાં લીધો છે. પ્રમાણ, નય, નિક્ષેપની ચર્ચામાં ગ્રંથનું બાહ્ય સ્વરૂપ અકલંકની કૃતિ ‘લવીયસ્ત્ર પ્રમાણે રાખ્યું છે. તેના આંતરિક સ્વરૂપમાં પ્રમાણ અને નયની ચર્ચા શ્વેતાંબર અને દિગંબરમાં સમાન છે, પરંતુ નિક્ષેપની ચર્ચા તેમણે “વિશેષાવશ્યક' પ્રમાણે કરી છે. આગમિક તેમ જ જૈન તાર્કિક પ્રમેયોનું આ ગ્રંથમાં નબન્યાયની પરિભાષામાં વિશ્લેષણ અને એક જ જગ્યાએ સંગ્રહાત્મક વર્ણન છે. “જૈન તર્કભાષા'નું તાત્પર્ય સમજાવવા માટે અને તેનાં મૂળ દર્શાવવા માટે સંગ્રહની દૃષ્ટિએ તેના પર “તાત્પર્યસંગ્રહાખ્યવૃત્તિ' તેમણે પોતે જ રચી છે. શાસ્ત્રીય વિચારો રજૂ થયા હોવાથી આ સંક્ષિપ્ત કૃતિ પણ દાર્શનિક દૃષ્ટિએ ખૂબ અગત્યની બની ગઈ છે. જ્ઞાનાર્ણવ પ્રકરણ' એ તેમનો સંસ્કૃતમાં નબન્યાયની શૈલીથી લખાયેલ જ્ઞાનમીમાંસાત્મક ગ્રંથ છે. જૈન મત પ્રમાણે જ્ઞાનના પાંચ પ્રકારોની રજૂઆત આમાં છે. જ્ઞાનના પાંચ પ્રકારો વિષે બીજાંઓએ કરેલાં અપૂરતાં કે ભૂલભરેલાં વિધાનોનું અહીંયાં ખંડન કરવામાં આવેલ છે. “અર્ણવ' એટલે મહાસાગર, અને તેના તરંગોરૂપે આ ગ્રંથના ચાર વિભાગને ‘તરંગ' નામ અપાયેલ છે. આ ગ્રંથ અપૂર્ણ મળે છે. આ ગ્રંથ ઉપર ઉપાધ્યાયજીએ પોતે જ સ્વોપન્ન-વિવરણ લખ્યાનો ઉલ્લેખ મળે છે, પરંતુ અત્યારે તે વિવરણ પ્રાપ્ત નથી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન– જ્ઞાનના આ પાંચ પ્રકારો દર્શાવીને પહેલા તરંગમાં જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે વિભાગરૂપે સમજૂતી આપવામાં તેઓ જૈન મતના બદલે ન્યાયદર્શનને અનુસર્યા છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનાં સામ્ય અને વૈષમ્ય સંબંધી જૈન મતમતાંતરોની વિસ્તૃત ચર્ચા પણ તેમણે પહેલા તરંગમાં કરી છે. બીજા તરંગમાં મતિજ્ઞાનના પેટા વિભાગોનું વિશ્લેષણ છે. ત્રીજા તરંગમાં વધારે સૂક્ષ્મ દૃષ્ટિથી મતિજ્ઞાનનું વિશ્લેષણ કરી જ્ઞાનસારનું તત્વદર્શન 28 Page #46 -------------------------------------------------------------------------- ________________ તેના ૩૩૬ ઉપપ્રકારો કેવી રીતે પડે છે તે સમજાવ્યું છે. સમ્યક્ દૃષ્ટિના અભાવમાં આ સર્વ પ્રકારનું જ્ઞાન પણ અજ્ઞાન જ ગણી શકાય એવો મત છેલ્લે ૨જૂ કર્યો છે. ચોથા તરંગની ગાથાઓ અપૂર્ણ મળે છે, તેથી તેમાં ક્યા વિષયોની ચર્ચા થઈ છે તે જાણી શકાતું નથી. ૪૭ ઉપાધ્યાયજીએ રચેલ અન્ય દાર્શનિક ગ્રંથોથી પણ પરિચિત થઈએ. ‘ન્યાયાલોક'એ સંસ્કૃતમાં નવ્યન્યાયની શૈલીથી લખાયેલ અગત્યનો ગ્રંથ છે. ‘ન્યાયાલોક’નો અર્થ થાય છે ‘પ્રમેયો અને પદાર્થોને પ્રકાશિત કરનાર, સ્પષ્ટ કરનાર ગ્રંથ.’ આ ગ્રંથમાં ઉપાધ્યાયજીએ ગંગેશોપાધ્યાય, વર્ધમાન ઉપાધ્યાય, પક્ષધર મિશ્ર જેવા નવ્યન્યાયના દિગ્ગજ પંડિતોની આલોચના કરીને તેમનું સયુક્તિક ખંડન કર્યું છે અને તે દર્શનોની ખામીઓ બતાવીને જૈન દર્શનના સિદ્ધાંતોનું નવ્યન્યાયની શૈલીમાં સ્થાપન કર્યું છે. આ ગ્રંથના ત્રણ વિભાગને ‘પ્રકાશ’ એવું નામ આપેલ છે. પ્રથમ પ્રકાશમાં મુક્તિ અંગે ચર્ચા છે. પૂર્વપક્ષમાં મોક્ષ અંગે જુદા જુદા મતનું કથન કરીને તે મતનું ખંડન કર્યા બાદ જૈન દર્શનસંમત મોક્ષના મતની સ્થાપના કરી છે. દ્વિતીય પ્રકાશમાં પ્રારંભમાં યોગાચાર બૌદ્ધો(વિજ્ઞાનવાદીઓ)ના બાહ્યાર્થ-અભાવના સિદ્ધાંતનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ન્યાય-વૈશેષિકમાં સ્વીકાર્ય એવા સમવાયસંબંધનું અને તેના અભાવવાદનું ખંડન કરવામાં આવ્યું છે, જૈન દર્શનસંમત ભેદાભેદવાદનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તૃતીય પ્રકાશમાં સંક્ષેપથી માત્ર સિદ્ધાંતનું સ્થાપન જ કરવામાં આવ્યું છે. તેમાં (અ) દ્રવ્યના છ ભેદ – જીવ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ તથા (બ) પર્યાયની ચર્ચા મુખ્ય છે. આ ગ્રંથ પદાર્થપરીક્ષણ અને સ્વપક્ષસ્થાપનની દૃષ્ટિએ સંપૂર્ણ ગ્રંથ છે.૪૮ - ‘ન્યાયખંડખાઘ’ કે જે ‘મહાવીરસ્તવપ્રકરણ'ના નામે પણ ઓળખાય છે તે પણ તેમના દ્વારા સંસ્કૃતમાં નવ્યન્યાયની શૈલીથી રચાયેલ વિશિષ્ટ કોટિનો અર્થગંભી૨ અને જટિલ ગ્રંથ છે. આ ગ્રંથમાં પ્રભુના અતિશયોનું વર્ણન કરી, વાણી-અતિશયનું પ્રાધાન્ય બતાવીને બૌદ્ધોના ક્ષણિકવાદનું ખંડન કરવામાં આવેલ છે. ૪૯ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’ નામની કૃતિમાં પૂ. ઉપાધ્યાયજીએ સંસ્કૃતમાં બત્રીસ બત્રીસીની રચના કરી છે. આ ગ્રંથ ઉપર તેઓએ ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિ રચી છે. તેમાં અમુક શ્લોકો ઉપર વિસ્તૃત વૃત્તિ છે અને કેટલાક યશોવિજયજી : જીવન અને વાડ્મય 29 Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્લોકોની સંક્ષિપ્ત વૃત્તિ છે. બત્રીસ શ્લોકનો એક વિભાગ એવા બત્રીસ વિભાગોમાં જૈન દર્શનના મૂળ સિદ્ધાંતોને પોતાની આગવી રીતે, મૌલિકપણે વર્ણવ્યા છે. અષ્ટક, ષોડશક વગેરે પ્રકરણગ્રંથોનો સાર આપવાનો અને જુદાં જુદાં શાસ્ત્રોનું સંકલન કરવાનો મૌલિક પ્રયાસ તેમણે અહીંયાં કર્યો છે. દાન કાત્રિશિકા, દેશના ધા., માર્ગ તા., ભક્તિ તા., યોગ તા., પાતંજલયોગ દ્વા., યોગભેદ દ્વા.. મિત્રા તા., તારાદિ દા., કુતર્કગ્રહનિવૃત્તિ તા., વિનય કા., મુક્તિ દ્વાત્રિશિકા વગેરે અગત્યની બત્રીસીઓ છે. ભાષારહસ્યમાં જૈન દર્શનના ભાષાવિષયક ખ્યાલોને મૂળ પ્રાકૃત ગાથાઓમાં રજૂ કરીને તેનું સ્વોપજ્ઞ વિવરણ સંસ્કૃતમાં રજૂ કરેલ છે. ગ્રંથના પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે વાક્સમિતિ અને વાગુપ્તિ ચારિત્રનાં અંગ છે અને તે ભાષાવિશુદ્ધિને આભારી છે. ભાષાનું ૧. નામભાષા, ૨. સ્થાપનાભાષા, ૩. દ્રવ્યભાષા અને ૪. ભાવભાષા – આ રીતે ચતુર્વિધ વિભાજન કરીને દરેકના ભેદોપભેદ, લક્ષણ, ઉદાહરણ વગેરે રજૂ કરવામાં આવેલ છે.૧૧ સિડન્વયોક્તિ” નામની તેમની એક અપ્રગટ કૃતિનું માત્ર એક પાનું જ પ્રાપ્ત થાય છે, જે આ કૃતિ વ્યાકરણશાસ્ત્ર સાથે સંલગ્ન શબ્દબોધવિષયક ચર્ચાથી સભર હોવાનું સૂચન કરે છે. હરિભદ્રસૂરિએ રચેલ “ઉપદેશપદને આધારે, તેના અનુવાદરૂપે નહીં પણ સ્વતંત્ર અનુસર્જનરૂપે ઉપાધ્યાયજીએ “ઉપદેશરહસ્ય' નામના પ્રાકૃત ગ્રંથની રચના કરી છે. આર્યા છંદમાં રચાયેલ ૨૦૩ ગાથામાં તેમણે ૪પ૦થી વધારે વિષયોનો લાઘવથી પરામર્શ કર્યો છે અને પોતે તેના પર સંસ્કૃત ટીકા લખી છે. ઘણા બધા જૈન પ્રાચીન ગ્રંથોની ગાથાઓ તેમણે અહીં આધાર તરીકે ટાંકી છે. આમાં દ્રવ્યચરિત્ર, દેશવિરિત-સર્વવિરતિ, દ્રવ્યસ્તવ-ભાવસ્તવ, વિનયના બાવન ભેદો, વ્યવહારનય-નિશ્ચયનય, ઉપદેશની મહત્તા, એકાંતવાદ-અનેકાંતવાદ, હેતુવાદ, આગમવાદ, ધ્યાનયોગ વગેરે વિવિધ વિષયોની મીમાંસા કરી છે. સંસ્કૃતમાં રચાયેલ અધ્યાત્મસાર' ગ્રંથમાં અધ્યાત્મની દૃષ્ટિએ જૈન ધર્મસંબંધી વિચારણા રજૂ થયેલ છે. તેના સાત પ્રબંધોના એકવીસ અધિકારોમાં અધ્યાત્મપ્રશંસા, અધ્યાત્મસ્વરૂપ, દંભત્યાગ, ભવસ્વરૂપ જેવા વિષયોની ચર્ચા કરવામાં આવેલ છે. શંકરાચાર્યના અદ્વૈત વેદાંતના વિચારો અને તેને અનુલક્ષીને “શ્રીમદ્ ભગવદ્ગીતા'ના કેટલાક વિચારોને ઉપાધ્યાયજીએ પોતાની વિચારણામાં આત્મસાતું કરી લીધા છે તેનો ખ્યાલ આપણને અહીં આવે છે. જૈન યોગમાં જ તેમણે જ્ઞાનસારનું તત્ત્વદર્શન 30 Page #48 -------------------------------------------------------------------------- ________________ કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગની સોપાન-પરંપરા ગોઠવી આપીને તે દ્વારા મુક્તિયોગનો લાભ કેવી રીતે મળે તે સમજાવ્યું છે. ઘણાં શાસ્ત્રોના દોહનરૂપ આ ગ્રંથ તત્ત્વજિજ્ઞાસુને આત્મશાંતિ તરફ દોરી જનાર છે. ૫૪ ‘અધ્યાત્મમતપરીક્ષા’ નામના પ્રાકૃતભાષામાં રચાયેલ ગ્રંથમાં અધ્યાત્મના ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય અને ૪. ભાવ આ ચાર નિક્ષેપો દર્શાવીને તત્કાલીન બનાવટી આધ્યાત્મિક મતનું નિરસન કર્યું છે. ૫૫ ‘અધ્યાત્મોપનિષદ’ એ સંસ્કૃત ગ્રંથમાં ‘વાસ્તવિક અધ્યાત્મની પિછાન વિશુદ્ધ શાસ્ત્રવચનથી થાય છે' એ વાત ભારપૂર્વક દર્શાવવાનો પ્રયત્ન ઉપાધ્યાયજીએ કર્યો છે. જ્ઞાનયોગ તથા ક્રિયાયોગના સમન્વયરૂપ અધ્યાત્મસાધનાને આત્મા શાસ્ત્રવચન દ્વારા આત્મસાત્ કરી શકે છે અને તેનાથી મુક્તિસાધક સમતાયોગ સિદ્ધ થાય છે એમ દર્શાવતા આ ગ્રંથમાં ૧. શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, ૨. જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર, ૩. ક્રિયાયોગશુદ્ધિ અધિકાર અને ૪. સામ્યયોગશુદ્ધિ અધિકાર – એવા ચાર વિભાગ છે. આ ગ્રંથમાં કોઈ પણ દર્શનનું ખંડન નથી, પણ અનેકાંતવાદમાં બધાં દર્શનો કેવી રીતે સમાવિષ્ટ છે તેનું સુંદર વર્ણન છે. પહેલા ‘શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર'માં સુવર્ણની જેમ શાસ્ત્રની પરીક્ષા માટે પણ કષ, છેદ અને તાપની ત્રિવિધ પરીક્ષાનું સૂક્ષ્મતાથી વર્ણન ક૨વામાં આવ્યું છે. આ વિભાગમાં સાંખ્ય, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક તથા પ્રભાકર, કુમારિલ ભટ્ટ, મુરારિમિશ્ર જેવા જૈનેતર દાર્શનિકોની માન્યતાઓથી સ્યાદ્વાદનું સંપૂર્ણ સમર્થન ક૨વામાં આવ્યું છે. સાચા શાસ્ત્રે ચીંધેલ દિશામાં ચાલીને આત્મતત્ત્વની વિશેષ ઉપલબ્ધિ માટે જ્ઞાનયોગ સાધવાની વાત બીજા ‘જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર’માં કરી છે. પ્રાતિભજ્ઞાનનું નિરૂપણ અહીં આત્મતત્ત્વની વિશેષ ઉપલબ્ધિ, આત્મદર્શન, આત્મજ્ઞાન, ભાવનાજ્ઞાન, સાક્ષાત્કાર, નિર્વિકલ્પ સમાધિ એમ જુદી જુદી પરિભાષામાં કરવામાં આવેલ છે. માત્ર શાસ્ત્રાભ્યાસથી નહીં, પણ આત્મદર્શનની તીવ્ર ઉત્કંઠા અને અંતર્મુખતાથી જ જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે. સિદ્ધ દશા અને સાધ્યમાન દશા એ જ્ઞાનયોગની બે અવસ્થા છે. સુષુપ્તિ, સ્વપ્ન કે જાગૃતિ દશાથી ભિન્ન એવી ચતુર્થ તુરીય દશાથી જ અતીન્દ્રિય બ્રહ્મતત્ત્વનો સાક્ષાત્કાર થઈ શકે. ત્રીજા ‘ક્રિયાયોગશુદ્ધિ અધિકાર'માં જ્ઞાનયોગની જેમ ક્રિયાયોગ પણ ધ્યેયસિદ્ધિ માટે આવશ્યક છે, એમ જુદી જુદી રીતે જણાવ્યું છે. ચોથા ‘સામ્યયોગશુદ્ધિ અધિકારમાં સમતાયોગી સાધકની ઉચ્ચ દશાનું વર્ણન ‘ગીતા’ના સ્થિતપ્રજ્ઞ પુરુષની યાદ અપાવે તેવું સુંદર કર્યું છે. ‘જ્ઞાનસાર'ના ઘણા શ્લોકો આમાં અક્ષરશઃ ઉપલબ્ધ છે.પ૬ યશોવિજયજી : જીવન અને વાડ્મય 31 Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયજીએ પોતે પ્રાકૃતમાં રચેલ ‘ધર્મપરીક્ષા' ગ્રંથનું વિવરણ પણ સંસ્કૃતમાં પોતે જ કર્યું છે. ‘આગમાર્થદીપક’ ગ્રંથ તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જૈન દર્શનના સ્વપક્ષમાન્ય સૂત્રોના અર્થની ઊંડાણથી ચર્ચા કરવામાં આવેલ છે. એક જ વિષય અંગેના અનેક ગ્રંથોના સંદર્ભોને સંકલિત રૂપમાં અહીં મૂકવામાં આવેલ છે. વળી શાસ્ત્રપંક્તિઓમાં દેખાતા વિરોધનો કુશળતાપૂર્વક પરિહાર પણ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. ૫૭ ઉપાધ્યાયજીએ રચેલ મૂળ ગ્રંથોની જેમ તેમણે રચેલ ટીકાગ્રંથો પણ ઉચ્ચ કોટિનું સાહિત્યિક મૂલ્ય ધરાવે છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ અગત્યના ગણી શકાય તેવા તેમના કેટલાક ટીકાગ્રંથોનો પ્રારંભિક પરિચય અત્રે ઉપકારક બની રહેશે . આચાર્ય હરિભદ્રસૂરિજીએ ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય' નામના પોતાના સંસ્કૃત ગ્રંથમાં પ્રચલિત દર્શનોના સિદ્ધાંતોની નિષ્પક્ષ ચર્ચા કરીને તેની અપૂર્ણતાઓનો સહજભાવે નિર્દેશ કરીને જૈન મતના શુદ્ધ સિદ્ધાંતનું સ્થાપન કર્યું છે. આ ગ્રંથ ઉપર ઉપાધ્યાયજીએ ‘સ્યાદ્વાદકલ્પલતા’ નામની સંસ્કૃત ટીકા રચી છે, જે સ્વતંત્ર ગ્રંથ જેવી જ ગરિમા ધરાવે છે. મૂળ ગ્રંથની જુદાં જુદાં દર્શનોની કારિકાઓ ઉપર તેઓએ સવિસ્તર ટીકા રચી છે. પ્રત્યેક દર્શનના સ્થાપક અને તેના અનુયાયીઓ દર્શાવીને તેના સિદ્ધાંતોની ચર્ચા દરમ્યાન દરેકની મર્યાદાઓ પણ દર્શાવી છે. સ્યાદ્વાદની સ્થાપના તેમનું લક્ષ્ય હોવા છતાં પ્રત્યેક દર્શનની ચર્ચા તેમણે નિષ્પક્ષભાવે અને નીરક્ષીરન્યાયે કરી છે. નવ્યન્યાયનો તેમનો અભ્યાસ આમાં ઠેરઠેર દેખાય છે. ૧૮ ઉમાસ્વાતિકૃત ‘તત્ત્વાર્થસૂત્ર' ઉપર ઉપાધ્યાયજીએ રચેલ ‘તત્ત્વાર્થભાષ્યટીકા' આપણને અપૂર્ણ પ્રાપ્ત થાય છે. આ ટીકાગ્રંથમાં તેમણે પોતાની અનેક કૃતિઓનો ઉલ્લેખ કરેલો છે, તેથી તેની રચના તેમની પ્રૌઢાવસ્થામાં થઈ હશે. શાસ્ત્રીય અને તાર્કિક ચર્ચાથી સભર આ ટીકાગ્રંથમાં નવીન રીતે શંકાઓનું સમાધાન કરવામાં આવેલ છે, અને અન્ય દર્શનોના સિદ્ધાંતોની સમીક્ષામાં ઉદારતા જોવા મળે છે.૧૯ યોગવિષયક બે ગ્રંથો ઉપર ઉપાધ્યાયજીએ રચેલ વૃત્તિ નોંધપાત્ર છે : આચાર્ય હરિભદ્રસૂરિએ રચેલ વીસ વીશીઓમાંથી સત્તરમી ‘યોગવિંશિકા’માં તેઓએ લાઘવથી યોગવિષયક જૈન મત ૨જૂ કર્યો છે. આ ‘યોગવિંશિકા' ઉપર ઉપાધ્યાયજીએ સંસ્કૃતમાં વૃત્તિ લખી છે. ‘યોગવિશિકા'માં યોગની પ્રારંભિક નહીં, પણ પુષ્ટ અવસ્થાનું વર્ણન છે. ધર્મઢોંગી કુગુરુઓની ખબર સંક્ષેપમાં પણ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 32 Page #50 -------------------------------------------------------------------------- ________________ માર્મિકતાથી અહીં લેવામાં આવી છે. રૂપી-અરૂપી ધ્યાનનું સંક્ષિપ્ત વર્ણન પણ છે. યોગદર્શનના પ્રણેતા પતંજલિએ રચેલ ‘યોગસૂત્ર' ઉપર પણ ઉપાધ્યાયજીએ સંસ્કૃતમાં “વૃત્તિ' રચી છે. તેમની આ યોગવિષયક “વૃત્તિ” અન્ય દર્શનના ગ્રંથ ઉપર તેમણે રચેલ ટીકાનો સુંદર નમૂનો પૂરો પાડે છે. “યોગસૂત્ર' ઉપર સાંખ્ય મતથી મહર્ષિ વ્યાસે ભાષ્ય રચેલ છે તો વાચસ્પતિ મિશ્ર, વિજ્ઞાનભિક્ષુ વગેરે આચાર્યોએ તેને વિશેષ સ્પષ્ટ કર્યા છે, પણ યોગસૂત્ર' પર જૈન મતથી રચાયેલ આ વૃત્તિ તેના પર નવો જ પ્રકાશ ફેંકે છે. સાંખ્ય અને જૈન મતમાં જ્યાં ભેદ છે તેવાં જ સૂત્રો પર ઉપાધ્યાયજીએ વૃત્તિ રચી છે. ઉપાધ્યાયજીએ આ વૃત્તિમાં પાતંજલ-યોગસૂત્રોને જૈનમતના પરિપ્રેક્ષ્યમાં તપાસીને તુલનાત્મક અધ્યયનનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. આ રીતે વિચારતાં “યોગસૂત્રવૃત્તિ” એ યોગ દર્શન અને જૈન દર્શનના સિદ્ધાંતોના વિરોધ અને મેળનું નાનકડું પણ સુંદર પ્રદર્શન છે. કુલ ૧૯૫ યોગસૂત્રોમાંથી વૃત્તિ માત્ર ર૭ સૂત્રો ઉપર જ છે. તેમણે રચેલ “જ્ઞાનસાર-અષ્ટક'નો પરિચય હવે પછી પ્રસ્તુત છે. તેમના વિશાળ સાહિત્યસર્જનમાંથી કેટલીક કૃતિઓનો આટલો પ્રારંભિક પરિચય મેળવ્યા પછી તેમની વિશાળ પ્રતિભા વિશે કાંઈ કહેવાની જરૂર રહેતી નથી. તેમના ગ્રંથો જ તેમની પ્રતિભાને વ્યક્ત કરવા માટે પૂરતા છે અને સમર્થ છે. ટિપ્પણ ૧. (ક) જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૧૮ અને પૃ. ૧૩૩. (ખ) “જૈન તર્કભાષા” પુસ્તકના “પ્રાસંગિક વક્તવ્યમાં પૃ. ૧ થી ૮માં પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્ શ્રી જિનવિજયજી નોંધે છે તે પ્રમાણે વચગાળાનો એક યુગ એવો હતો કે જ્યારે જૈન દાર્શનિક સાહિત્ય પ્રત્યે અન્ય વિદ્વાનોની ઉપેક્ષાવૃત્તિ પેદા થઈ હતી. જૈન દાર્શનિકોને અન્ય દર્શનોનું જ્ઞાન હતું, પણ જૈન દર્શન અંગે શંકરાચાર્ય જેવા સમર્થ દાર્શનિકોને પણ પૂરતું જ્ઞાન ન હતું. આ માટે જૈન ધર્મની આવી અંધકારભરી દશા પણ કંઈક અંશે જવાબદાર હશે. (ગ) પ. પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી શ્રી યશોવિજયજીનો સમય અને તે સમયમાં તેમણે કરેલ કામોનું મહત્ત્વ સમજાવતાં નોંધે છે : યશોવિજયજી : જીવન અને વાડ્મય 33 Page #51 -------------------------------------------------------------------------- ________________ “ઉપાધ્યાયજી મહારાજનો સમય એટલે જૈન ધર્મશાસનની પેઢી ઉપર ટાંચ આવવા જેવો વિકટ સમય હતો. એક બાજુથી ઇતર સંપ્રદાયોમાં ધર્મના ઓઠા નીચે ભોગવિલાસનું સામ્રાજ્ય વૃદ્ધિ પામતું હતું. જ્યારે જૈન દર્શનના પોતાના આલીશાન મહેલમાં કોઈએ (શુષ્ક) અધ્યાત્મવાદના નામે, તો કોઈએ (સ્વરૂ૫) હિંસાના નામે, કોઈએ નિશ્ચયનયવાદના ઓઠા નીચે, તો કોઈએ જ્ઞાનવાદના નામે આગ સળગાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જૈન શાસનની એ મહેલાતનો અમુક ભદ્રિક વર્ગ એ આગનો ભોગ પણ થઈ ચૂક્યો હતો. એવા વિકટ સમયે એ સળગતી આગના સંતાપની પરવા કર્યા સિવાય, તે તે વ્યક્તિઓની સાથે વ્યક્તિષ જરાપણ રાખ્યા વિના, વાદ-વિવાદો દ્વારા અને તે તે વિષયનું સચોટ પ્રતિપાદન કરનારા સંસ્કૃત-પ્રાકૃત-હિંદી-ગુજરાતી ભાષામાં સંખ્યાબંધ શાસ્ત્રગ્રંથોની રચના દ્વારા ખૂબ ખૂબ શીતલ જળનો છંટકાવ કરીને પૂ. ઉપાધ્યાયજી મહારાજે આગ ઓલવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો હતો.” – “મૃતિગ્રંથ', પૃ. ૧૩-૧૪ ૨. (ક) વિશેષ ચર્ચા માટે જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૮૫-૮૭ અને પૃ. ૧૪૫-૧૪૭. (ખ) પોતાના સમયની વિકટ પરિસ્થિતિ અંગે તેમણે પોતે, “સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ‘સવાસો ગાથાનું સ્તવન' વગેરે કૃતિઓમાં રજૂઆત કરી છે. (ગ) “પૂજનીય ઉપાધ્યાયજી મહારાજાને મળેલાં અનેક બિરુદો પૈકી ‘લઘુ હરિભદ્ર'નું પણ બિરુદ છે...... હરિભદ્રસૂરિ મહારાજાએ ચૈત્યવાસીઓ વગેરેના તથા બૌદ્ધોના પ્રબલ આક્રમણમાંથી જૈન શાસનનો બચાવ કર્યો અને ભવિષ્યની પ્રજાના કલ્યાણ માટે સંસ્કૃતપ્રાકૃત ભાષામાં વિશાલ સાહિત્યનું અનુપમ સર્જન કર્યું. જ્યારે ઉપાધ્યાયજી મહારાજે પરદર્શનોના એકાન્તવાદી સિદ્ધાંતોથી જૈન શાસનનું સંરક્ષણ કરવા ઉપરાંત જૈન ધર્મના ઓઠા નીચે મિથ્યાત્વનો ઝેરી પ્રચાર કરનારી અનેક કુમતિઓથી જૈન શાસનને બચાવી લીધું અને ભોળવાઈ જતા ભદ્રિક વર્ગને શુદ્ધ શ્રદ્ધા તેમ જ સંયમમાર્ગમાં ટકાવી રાખ્યા.” - “સ્મૃતિગ્રંથ', પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી, પૂ. ૧૪ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 34 Page #52 -------------------------------------------------------------------------- ________________ (ઘ) શ્રી યશોવિજયજીએ પોતાના સમયના અનિષ્ટોને પડકારવાની હિંમત અવારનવાર કરી હતી અને તેવા એક પ્રસંગે કદાચ તેમને માફીપત્ર પણ લખી આપવું પડ્યું હતું. “સ્વાધ્યાય ગ્રંથ' પૃ. ૧૭થી ૧૮માં આપેલી વિગતો જોઈએ. “.. એ સમયમાં આનંદઘનની પેઠે યશોવિજયજીના નિંદક ને છિદ્રાન્વેષી ઘણા હતા, ને યશોવિજયજી ઘણે સ્થાને નિંદક દુર્જનો સામે પોકાર વ્યક્ત કરે છે. .. યશોવિજયનું વ્યક્તિત્વ સંપ્રદાયમાં જુદું પડી આવ્યું હશે જ. એમણે મૂર્તિપ્રતિષ્ઠા જેવાં કાર્યોમાં ઝાઝો રસ લીધો જણાતો નથી. કોરી બાહ્ય ક્રિયાઓની એમણે અસારતા બતાવી અને જ્ઞાનનો મહિમા કર્યો, જ્ઞાનથી આગળ વધી અનુભવનું મહત્ત્વ કરવા સુધી એ ગયા, આનંદઘન જેવા સંપ્રદાય-બહાર રહેલા યોગીનો સંગ કર્યો, સંપ્રદાયમાં દેખાતા અનિષ્ટોની ટીકા કરી – આ બધું એમને માટે વિરોધીઓ ઊભા કરનારું બન્યું હોય, એમનો તેજોષ પણ કેટલાકે અનુભવ્યો હોય અને નિંદક દુર્જનોનો પરિતાપ એમણે વ્યક્ત કર્યો છે તે સાચો પણ હોય, એમના સાહિત્યની જોઈએ તેવી સંભાળ રાખવામાં નથી આવી એવી છાપ પણ પડી છે.” શ્રી યશોવિજયજીએ માફીપત્ર આપવું પડ્યું હતું કે કેમ તેની ચર્ચા કરીને “સ્વાધ્યાયગ્રંથ'પૃ. ૧૮ ઉપર શ્રી જયંતભાઈએ યોગ્ય રીતે નોંધ્યું છે કે, “માફીપત્રની પ્રમાણભૂતતા અંગે હજુ વિશેષ શોધખોળ અને વિચારણાની અપેક્ષા રહે છે.” ૩. આ બંનેના મિલન અંગે “મૃતિગ્રંથ'માં પૃ. ૯૪થી ૧૦૩માં છપાયેલ શ્રીયુત મણિલાલ મો. પાદરાકરનો “બે જ્યોતિર્ધરોની મિલનજ્યોત' નામે લેખ નોંધપાત્ર છે. તેમાં જણાવ્યા પ્રમાણે શ્રી યશોવિજયજીએ યોગી આનંદઘનજી વિશે લખેલ “અષ્ટપદીના જવાબમાં શ્રી આનંદઘનજીએ પણ એક અષ્ટપદી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના ગુણાનુવાદ માટે બનાવી હતી, પણ હાલ તે ઉપલબ્ધ નથી, પરંતુ “શ્રી આનંદઘનજી પદસંગ્રહ ભાવાર્થ'માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ તે વિષે નોંધ કરી છે. યશોવિજયજી : જીવન અને વાડમય 35 WWW.jainelibrary.org Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયગ્રંથ' પૃ. ૧૯-૨૦માં પણ આ બંનેના મિલન અંગે માહિતી આપવામાં આવી છે. ૪. તેમના સમકાલીનોની વધુ વિગત માટે જુઓ : (ક) “મૃતિગ્રંથ', પૃ. ૮૨ અને પૃ. ૧૦૯-૧૧૦, (ખ) “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧૯-૨૨ ઉપાધ્યાય માનવિજયજીએ “ધર્મસંગ્રહ'માં કરેલ યશોવિજયજીના ઉલ્લેખ માટે જુઓ આ પ્રકરણની ટિપ્પણ નં. ૩૨ ૫. જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧ ૬. દા.ત. (ક) “જૈન તકભાષાના અંતમાં શ્રી યશોવિજયજી જણાવે છે : “પૂર્વ ચાવિશારવવિä, »ાર કરૂં યુઃ ” આ જ વાત તેઓએ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ”, “શ્રી સીમંધરસ્તવન', સમાચારી', “ઐન્દ્રચતુર્વિશતિકા', “મહાવીર-સ્તવ' (“ન્યાય-ખંડખાદ્ય ) વગેરેની પ્રશસ્તિ કે અંતમાં જણાવી છે. (જુઓ : “સ્મૃતિગ્રંથ', પૃ. ૨૪૭) પ્રતિમાશતક'ની સ્વપજ્ઞવૃત્તિના અંતમાં તેમ જ “વૈરાગ્યકલ્પલતા'ના અંતે તેમણે પોતાના ગુરુ, મગુરુનો પરિચય આપ્યો છે. (જુઓ : સ્મૃતિગ્રંથ', પૃ. ૭૨) કમ્મપડિબૃહદ્ઘત્તિ'માં તેઓ પોતાને “વિનયપ્રાણાનુગન્ના” કહે છે અને “અનેકાન્તવ્યવસ્થા માં “પવનયનુગ” કહીને પોતાના ભાઈનો ઉલ્લેખ કરે છે. (જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૩) (ઘ) “ઉપદેશરહસ્યપ્રકરણ”, “એન્દ્રસ્તુતિચતુર્વિશતિકા' વગેરેમાં પોતાના ગુરુ નયવિજયના ગુરુભ્રાતા જિતવિજયને પોતાના વિદ્યાગુરુ તરીકે ઓળખાવ્યા છે. (જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૭) ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ'માં તેઓ પોતાના વિદ્યાભ્યાસમાં ગચ્છનાયક વિજયદેવસૂરિના પટ્ટધર વિજયસિંહસૂરિની પ્રેરણા હતી તેમ નોંધીને વિશેષમાં જણાવે છે કે એમના ઉદ્યમથી અને હિતશિક્ષાથી મારો જ્ઞાનયોગ સંપૂર્ણ થયો. (જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૭) (ખ) (ગ) જ્ઞાનસારનું તત્ત્વદર્શન 36 Page #54 -------------------------------------------------------------------------- ________________ ૭. “સુજસવેલી ભાસ'ના કર્તા શ્રી કાંતિવિજયજી કયા ? – તેના જવાબરૂપે શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ તેઓ શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાયના શિષ્ય અને ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીના ગુરુભ્રાતા હોવાની સંભાવના વ્યક્ત કરે છે; જ્યારે શ્રી જયંતભાઈ કોઠારી આ સંભાવનાનો ઇન્કાર કરીને આ કાંતિવિજયજી તે પૂ. પ્રેમવિજયજીના શિષ્ય તે સંભાવના ઉપર વધારે વજન દે છે, અને “સુજસવેલી ભાસ'નું રચનાવર્ષ વિ.સં. ૧૭૭૫ હોય તેમ જણાવે છે. શ્રી જયંતભાઈની સંભાવના સાચી હોવાની શક્યતા વધારે છે. (જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૨૪૫ અને “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૩૭-૩૮) ૮. વિશેષ વિગત માટે જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧ અને ૩૭. ૯. જુઓ : “સ્મૃતિગ્રંથ', પૃ. ૧૭ ૧૦. દા.ત. “સુજસવેલી'માં ઢાળ ૧ની ગાથા ૧૦માં જણાવ્યા પ્રમાણે “માતાએ પુત્ર સાથે સાધુ(પૂ. નયવિજયજી)ના ચરણોમાં વંદન કર્યું.” અહીં માતાની સાથે પુત્ર હાજર હોવાની વાતનો ઉલ્લેખ છે. ૧૧. જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૬૫ અને “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૩ ૧૨. સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૨ ૧૩. પૂ. નયવિજયજી મહારાજ સાહેબનું વંશવૃક્ષ આ પ્રમાણે છે. હીરવિજયસૂરિ કલ્યાણવિજય ઉપાધ્યાય કીર્તિવિજય ઉપાધ્યાય - ૫. લાભવિજય વિનયવિજય ઉપાધ્યાય પં. જિતવિજય પં. નત્યવિજયગણિ યશોવિજય પદ્મવિજય ૧૪. આ દીક્ષાસંવત અંગે શંકા ઊભી થાય તેવા ઉલ્લેખો પણ ક્યાંક જોવા મળે છે. દા.ત. ‘સ્મૃતિગ્રંથમાં “આમુખ'ના પૃ. ૧૨ ઉપર અને “સંપાદકીય નિવેદન'ના યશોવિજયજી : જીવન અને વાડ્મય 37. Page #55 -------------------------------------------------------------------------- ________________ પૃ. ૧૯ ઉપર એવી કેટલીક કૃતિઓ, ચિત્રપટ વગેરેનાં નામ આપ્યાં છે જેમાં વિ.સં. ૧૯૯૩ અને વિ.સં. ૧૯૭૫ની સાલ છે અને તે સાલમાં જે ગણિપદવીનો ઉલ્લેખ છે તે ગણિપદવી તેમને મળી હોય તો તેમનો જન્મસમય વિ.સં. ૧૯૪૦-૫૦ આસપાસ મૂકવો પડે. પણ “સ્વાધ્યાયગ્રંથ” પૃ. ૭માં શ્રી જયંતિભાઈ કોઠારીએ અનેક પ્રમાણો આપીને દર્શાવ્યું છે કે આ કૃતિઓ તથા ચિત્રપટમાં જે ઉલ્લેખ છે તે આ આપણા ઉપાધ્યાય યશોવિજયજી નથી. આ સમગ્ર ચર્ચાને અંતે પૃ. ૭ ઉપર શ્રી જયંતભાઈ યોગ્ય જ જણાવે છે કે, “હાલના તબક્કે “સુજસવેલી'એ આપેલું દીક્ષા વર્ષ સં. ૧૯૮૮ અને એને આધારે જેનું અનુમાન થઈ શકે એ જન્મવર્ષને જ સ્વીકારીને ચાલવું યોગ્ય છે.” ૧૫. તેમની માતાએ પણ આ બંને ભાઈઓની સાથે દીક્ષા લીધાની વાત કેટલાક વિદ્વાનો નોંધે છે. (દા.ત. જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૬૫), પણ આ વાત ખોટી લાગે છે. “સ્વાધ્યાયગ્રંથ” પૃ. ૩ ઉપર શ્રી જયંતભાઈએ માતાએ દીક્ષા લીધાની વાત એ સુજસવેલીના ઢાળ ૧ની કડી, ૧૦-૧૧ના ખોટા અન્વયના પરિણામે ઉદ્ભવેલી જણાવીને માતાને દીક્ષિત ગણવાનો ઇન્કાર કર્યો છે તે યોગ્ય છે. ૧૩. જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૭ ૧૭. અન્ય અવધાનકારોની વિગત માટે જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૨૪૮ ૧૮. વિશેષ ચર્ચા માટે જુઓ : “મૃતિગ્રંથમાં “સંપાદકીય નિવેદન' પૃ. ૧૯ અને “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૮-૯ ૧૯. જૈન મુનિઓએ અન્યત્ર જઈને વિદ્યાભ્યાસ કર્યાના વધુ દાખલા માટે જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૯૭-૧૩૮ ૨૦. જુઓ : “ગુર્જર સાહિત્ય-સંગ્રહ' ભાગ-૨માં પ્રસિદ્ધ થયેલો બીજો કાગળ. પોતે ન્યાયના સો ગ્રંથો રચ્યા તેથી પોતાને “ન્યાયાચાર્ય'નું બિરુદ મળ્યું એમ તેમણે “પ્રતિમાશતક'માં નોંધેલ છે, અને ઘણાં વિદ્વાનો આનો ઉલ્લેખ કરે છે. આ સો ગ્રંથો તેમણે ક્યારે રચ્યા? કાશીવાસ દરમ્યાન રચ્યા?– તેનો જવાબ મળતો નથી. “શતગ્રંથમાં જો “ગ્રંથ'નો અર્થ શ્લોક કરીએ તો સોએક શ્લોકની તેમની “ન્યાયખંડખાદ્ય” જેવી રચનાનો ઉલ્લેખ હશે ? કે પછી તેમણે પોતે ન્યાયના એકસો ગ્રંથ રચ્યા હશે ? રચ્યા હોય તો આ ગ્રંથ કયા કયા ? આવા જ્ઞાનસારનું તત્ત્વદર્શન Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નો ઉદ્દભવે. એટલે અહીંયાં “શતગ્રંથ' શબ્દનો તાત્પર્યાર્થ “સેકડો ગ્રંથો એટલે કે “અનેક ગ્રંથો રચ્યા એમ લેવો યોગ્ય લાગે છે. વિશેષ વિગત માટે જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧૧ ૨૧. શ્રી યશોવિજયજીના કાશીવાસ અંગે એક કથા એવી પણ છે કે તેઓ પોતાના સમુદાયના કીર્તિવિજયના શિષ્ય વિનયવિજય સાથે કાશી ગયા હતા અને તેઓ બંનેએ પોતાના અભ્યાસકાળ સુધી સાધુવેશ છોડીને ‘જશુલાલ' અને 'વિનયલાલ નામ ધારણ કરીને જૈન તરીકેની પોતાની ઓળખ છુપાવેલ. પરંતુ “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૯ ઉપર શ્રી જયંતભાઈ જણાવે છે તેમ, આ કથા સાવ નિરાધાર છે. ૨૨. દા.ત. “શ્રી જંબુસ્વામી રાસના પ્રારંભમાં તેઓ જણાવે છે : સારદ સાર દયા કરો, આપો વચન સુરંગ; તું તૂઠી મુજ ઉપરિ, જાપ કરત ઉપગંગ લો તર્ક કાવ્યનો તઇ તદા, દીધો વર અભિરામ; ભાષા પણિ કરિ કલ્પતરુ, શાખા સમપરિણામ ||રા!” - “શ્રી જંબુસ્વામી-રાસ', શ્લો. ૧, ૨ શ્રી મહાવીરસ્તુતિ (“ન્યાયખંડખાદ્ય”)માં પણ તેમણે આ જ વાત નોંધી છે. ૨૩. (ક) ગુરુ-શિષ્યની આ જોડીના વાત્સલ્ય અને ભક્તિની વાત પૂ. પુણ્યવિજયજી મહારાજ આ રીતે નોંધે છે : મહોપાધ્યાય શ્રી નવિજયજી મહારાજ અને શ્રી યશોવિજયજી મહારાજ – આ ગુરુ-શિષ્યોની જોડી, એ અભેદભાવનું એક શુદ્ધ પ્રતીક જ હતું. શ્રી નવિજયજી મહારાજે પોતાના પ્રાણપ્રિય અતિસુયોગ્ય બાળશિષ્યને પુત્રની જેમ સદા પાળ્યા છે. દીક્ષાની ક્ષણથી આરંભી જીવનભર તેઓએ તેમની ચિંતા કરી છે અને સહકાર આપ્યો છે. ભણાવવાથી લઈને ગ્રંથરચનાના કાર્ય સુધ્ધાંમાં તેમણે શ્રી યશોવિજયજી મહારાજને વાત્સલ્યભર્યો સાથ આપ્યો છે. પોતાના શિષ્યને અભ્યાસ કરાવવા માટે તેઓશ્રીએ કાશીનો પ્રવાસ ખેડ્યો હતો અને સાથે રહી દરેક સહાયતા કરી હતી. શ્રી યશોવિજયોપાધ્યાય જે ગ્રંથો રચે તેની વિશિષ્ટ શુદ્ધ નકલો પણ તેઓ જાતે કરતા હતા. દ્વાદશાહનયચક્ર', “સિદ્ધસેનીયા દ્વાત્રિશિકા' વગેરે ગ્રંથોની શુદ્ધ પ્રામાણિક નકલો કરવામાં પણ તેમની સહાય હતી. “વૈરાગ્ય કલ્પલતા', “નયરહસ્ય', “પ્રતિમાશતક' આદિ યશોવિજયજી : જીવન અને વાડ્મય 39 Page #57 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથોની તેઓએ લખેલી નકલો આજે પણ જોવા મળે છે. શ્રી યશોવિજયજી મહારાજ માટે અધ્યયન આદિમાં ઉપયોગી ઢગલાબંધ ગ્રંથોની તેમણે નકલો કરી હતી. સામુદાયિક વિષમ પ્રસંગોમાં પણ તેઓશ્રી પોતાના શિષ્યના સહકાર અને વાત્સલ્યથી ડગ્યા નથી. આવા ગુણભંડાર પરમગુરુ પ્રત્યે શ્રી યશોવિજયજી મહારાજની ભક્તિ પણ અપૂર્વ અને અખંડ હતી, અને તેથી જ પ્રસંગે પ્રસંગે તેમના મુખમાંથી “ મન્નિવનયવિજ્ઞાંટિંગને – અને “તે ગુરુના ગુણ ગાઈ શકું કેમ ગાવાને ગહગઠિયો રે. હમચડી” – આદિ વાક્યો સરી પડ્યા છે. આવી ગુરુ-શિષ્યની જોડી અંતરમાં સ્નેહ, વાત્સલ્ય અને ભક્તિની ઊર્મિઓને અનુભવી કેટલી મલકાતી હશે – એ તો તેઓ જાતે કે જ્ઞાની જ જાણી શકે.” મૃતિગ્રંથ', “આમુખ', પૃ. ૧૦-૧૧ (ખ) વધુમાં જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૦૭ અને સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૨૫ અને પૃ. ૮ (ગ) “સ્વાધ્યાયગ્રંથ'પૃ. ૮ ઉપર શ્રી જયંતભાઈએ “ઉપાધ્યાય યશોવિજયજીએ અનેક જગ્યાએ ગુરુના વાત્સલ્યનો ઉલ્લેખ કર્યો છે.” તેમ જણાવીને એક વાતની ટકોર કરી છે કે, “પણ એ નવાઈની વાત છે કે પોતાને કાશી મોકલવામાં મહત્વનો ભાગ ભજવનાર ધનજી સુરાનો યશોવિજયજીએ ક્યાંય ઉલ્લેખ સરખો કર્યો નથી.” ૨૪. પંડિત સુખલાલજી પણ શ્રી યશોવિજયજીની વિદ્યાપ્રીતિ માટે જણાવે છે કે, "उपाध्यायजी के ग्रन्थों के निर्माण का निश्चित स्थान व समय देना अभी संभव नहीं । फिर भी इतना तो अवश्य ही कहा जा सकता है कि उन्होंने अन्य जैन साधुओं की तरह मन्दिरनिर्माण, मूर्तिप्रतिष्ठा, संघ निकालना आदि बहिर्मुख धर्मकार्यों में अपना मनोयोग न लगा कर अपना सारा जीवन जहाँ वे गये और जहाँ वे रहे वहीं एकमात्र शास्त्रों के चिन्तन तथा नव्य शास्त्रों के निर्माण में लगा રિયા ” - “જૈન તમષા', ર વેચ, પૃ. 3 ૨૫. જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૭૧, ૧૮૪ ૨૬. “સ્મૃતિગ્રંથ'માં પૃ. ૧૭૧ ઉપર શ્રી ગોરધનદાસ વીરચંદ જણાવે છે : એમની ઊંચી વધતી જતી તેજોમય દીપશિખાને નાની અને નિસ્તેજ કરવા જલી જ્ઞાનસારનું તત્ત્વદર્શન 40 Page #58 -------------------------------------------------------------------------- ________________ રહેલા લોકો તરફથી જેમ જેમ પ્રયત્નો થતા રહ્યા તેમ તેમ એ શિખા તેજ સાથે વધતી રહી અને એથી ઉજ્જવળ યશ-પ્રભા આઠ દિશામાં વ્યાપ્ત થઈ રહી.” ૨૭. “સ્વાધ્યાયગ્રંથ' પૃ. ૧૨થી ૧૪માં આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. તેમાં નોંધેલ વિગત પ્રમાણે વિ.સં. ૧૭૦૪થી ૧૭૦૮ દરમ્યાન ઘેરતખાન અને વિ.સં. ૧૭૦૮થી ૧૭૧૦ દરમ્યાન શાઈસ્તખાન ગુજરાતના સૂબેદાર હતા. ૨૮. શ્રી યશોવિજયજીના અન્ય દર્શનના અભ્યાસ અંગે શ્રી જિતેન્દ્ર દેસાઈ જણાવે છે : “યશોવિજયજી બિનસાંપ્રદાયિક સમન્વયવાદી તત્વાન્વેષી હતા એમ કહીએ તો તેમાં સહેજ પણ અતિશયોક્તિ નહીં ગણાય. આ બાબત નીચેની હકીકતથી સ્પષ્ટ થશે : યશોવિજયજીએ “અધ્યાત્મસારના યોગાધિકાર અને ધ્યાનાધિકારમાં મુખ્યત્વે ભગવદ્ગીતા અને પાતંજલસૂત્રનો ઉપયોગ કરીને જૈન યોગના ધ્યાનવિષયક વિચારોનો સમન્વય કર્યો છે. “અધ્યાત્મોપનિષદુમાં તેમણે શાસ્ત્ર, જ્ઞાન, ક્રિયા અને સામ્ય એ ચાર યોગોમાં મુખ્યત્વે યોગવાશિષ્ઠ અને તૈત્તિરીય ઉપનિષદનાં વાક્યો ટાંકીને તાત્વિક એકતા દર્શાવી છે. યોગાવતાર કાત્રિશિકામાં તેમણે પાતંજલ યોગના વિષયોનું જૈન પ્રક્રિયા મુજબ સ્પષ્ટીકરણ આપ્યું છે. પતંજલિના યોગસૂત્ર ઉપરની તેમની વૃત્તિ જૈન યોગપ્રક્રિયા અનુસારની છે. અહીં તેમણે સાંખ્ય અને જૈન પ્રક્રિયાની તુલના પણ કરી છે.” - “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૪૨ ૨૯. પૂ. યશોવિજયજી મહારાજની લાયકાત તો “આચાર્ય પદવી મેળવવાની હતી, છતાં તેનાથી તેઓ શા માટે વંચિત રહ્યા?— તેનો એક જવાબ એ છે કે જૈન ધર્મમાં તે વખતે ઘણા મતભેદો પ્રવર્તતા હતા, ઘણા વિક્ષેપો હતા, છતાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચતુર્વિધ સંઘનું બંધારણ તે વખતે પણ ઘણું વ્યવસ્થિત હતું. તે બંધારણ પ્રમાણે શ્રમણાસંઘમાં ગચ્છપતિ તરીકે આચાર્ય તો એક જ હતા. એક આચાર્યની આજ્ઞા પ્રમાણે ગચ્છની બધી જ વ્યવસ્થા નિયમિત રીતે ચાલતી અને વિદ્વાનો, સાધુઓ સૌ તેમની આજ્ઞાને પાળતા. આચાર્ય તો સંઘમાં એક જ હોઈ શકે આ નિયમને કારણે જ કદાચ પૂ. યશોવિજયને આચાર્યપદવી નહીં મળી હોય એમ અનુમાન કરી શકાય. - જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૨૨ વળી પોતે નિર્દભી હોવાથી પોતાના સમયની અંધકારભરી પરિસ્થિતિ ચલાવી લેવાને બદલે તેવી પરિસ્થિતિ પેદા કરનારા પ્રત્યાઘાતી બળોનો પોતાની કૃતિઓમાં યશોવિજયજી : જીવન અને વાડ્મય 41 Page #59 -------------------------------------------------------------------------- ________________ ઊધડો લીધો હોવાથી અથવા તો આનંદઘનજી જેવાના તેઓ પાછલી જિંદગીમાં પ્રશંસક બન્યા હોવાથી કે એવા બીજા કોઈક કારણસર પણ તે વખતના સંઘે તેમને સન્માન્યા ન હોય એ શક્ય છે. - જુઓ, “સ્મૃતિગ્રંથ', પૃ. ૧૧૯ અને “સ્વાધ્યાયગ્રંથ' પૃ. ૧૫-૧૭ ૩૦. ઉપાધ્યાયજીના કાળધર્મની આ સાલ અંગે પણ કેટલીક મતભેદ છે; તે માટે જુઓ : “મૃતિગ્રંથ', “આમુખ', પૃ. ૧૩ અને “સંપાદકીય નિવેદન', પૃ. ૧૯૨૧ તથા “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૨૯-૩૦. જોકે આ વિ.સં. ૧૭૪૩ની સાલ સાચી હોવાની શક્યતા વધારે છે. ૩૧. ઉપાધ્યાયજીના શિષ્યોની વિગતો માટે જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૭૧-૭૩, પૃ. ૧૭૩-૭૪, પૃ. ૧૮૭-૧૮૮ અને “સ્વાધ્યાયગ્રંથ, પૃ. ૨૬-૨૮. ૩૨. “ધર્મસંગ્રહ' ગ્રંથમાંના મૂળ સંસ્કૃત શ્લોકો આ પ્રમાણે છે : "सत्तर्ककर्कशधियाखिलदर्शनेषु मूर्द्धन्यतामधिगतास्तपगच्छाधुर्याः । काश्यां विजित्य परयूथिकपर्षयोऽग्या विस्तारितप्रवरजैनमतप्रभावा: ।।१०।। तर्कप्रमाणनयमुख्यविवेचनेन प्रोद्बोधितादिममुनि श्रुतिकेवलित्वाः । चक्रुर्यशोविजयवाचकराजिमुख्या ग्रन्थेऽत्र मय्युपकृतिं परिशोधनाद्यैः ।।११।।" - “સ્મૃતિગ્રંથ' પૃ.૧ અને ૨૧૬ના આધારે ૩૩. “મૃતિગ્રંથ', પૃ. ૭૯-૮૦ ૩૪. “યોગદર્શન તથા યોગવિંશિકા' ગ્રંથના પરિચયમાં લખેલ હિંદી લખાણનો ગુજરાતી અનુવાદ સ્મૃતિગ્રંથ' પૃ. ૨૨૦ના આધારે. ૩૫. જુઓ ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં રજૂ થયેલ આનંદશંકર ધ્રુવનો ‘ગુજરાતના સંસ્કૃત સાહિત્યનું દિગ્દર્શન' નામે નિબંધ તથા સ્મૃતિગ્રંથ', પૃ. ૧૪૪ ૩૬. (ક) “સ્મૃતિગ્રંથના “આમુખના પૃ. ૭ ઉપર મુનિ પુણ્યવિજયજી નોંધે છે તેમ ઉપાધ્યાયજી જૈન સાહિત્યમાં રહેલ ખામીઓની તલસ્પર્શી સમીક્ષા કરનાર હતા તેથી તેઓ તત્કાલીન સાધુસમાજ અને સંઘને કડવા થઈ પડ્યા હતા. તેથી જ કદાચ તેમની અને તેમના ગ્રંથરાશિની અક્ષમ્ય ઉપેક્ષા થઈ હતી. (ખ) “મૃતિગ્રંથ' પૃ. ૨૦૪ ઉપર પણ ઉપાધ્યાયજીના સાહિત્યની ઉપક્ષા અંગે ચર્ચા કરવામાં આવી છે. જ્ઞાનસારનું તત્ત્વદર્શન [42 Page #60 -------------------------------------------------------------------------- ________________ (ગ) ઉપાધ્યાયજીના સાહિત્યનો વિશેષ પરિચય થાય તે માટે છેલ્લાં પચાસેક વર્ષોમાં યોજાયેલ બે જ્ઞાનયજ્ઞોની માહિતી અત્રે અસ્થાને નથી : વિ.સં. ૧૭૪૫ના માગસર સુદિ અગિયારસના દિવસે જ્યાં ઉપાધ્યાયજી મહારાજની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે તે ડભોઈ શહેરમાં વિ.સં. ૨૦૦૯ના ફાગણ માસ(ઈ.સ. ૧૯૫૩ના ફેબ્રુઆરી)માં એક સારસ્વત-સત્ર યોજાયેલ, જેની ફળશ્રુતિરૂપ ‘સ્મૃતિગ્રંથ’ જેવા મહામૂલ્યવાન ગ્રંથની પ્રાપ્તિ આપણને થાય છે. આ ગ્રંથમાં ઉપાધ્યાયજીની ઘણી કૃતિઓને લગતા વિદ્વાનોના અધ્યયનલેખો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ૩૭. (ક) આ જ રીતે ઈ.સ. ૧૯૮૭ના ડિસેમ્બર માસમાં અને ઈ.સ. ૧૯૮૮ના માર્ચ માસમાં ‘મહાવીર જૈન વિદ્યાલય'(મુંબઈ)ના ઉપક્રમે “યશોવિજયજી : વ્યક્તિત્વ અને વાઙમય” એ શીર્ષકથી બે પરિસંવાદ અનુક્રમે અમદાવાદ અને કોબા મુકામે યોજાયેલ. આ બંને પરિસંવાદમાં પૂ. શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિની નિશ્રામાં અને સંયોજક શ્રી જયંતભાઈ કોઠારીના આયોજન પ્રમાણે ઉપાધ્યાયજી મહારાજની અનેક કૃતિઓના વિશદ અભ્યાસસભર અધ્યયનલેખો ૨જૂ થયેલ. આ અધ્યયનલેખો ‘સ્વાધ્યાયગ્રંથમાં ગ્રંથસ્થ થઈને ઈ.સ. ૧૯૯૩ના મે માસમાં પ્રકાશિત પણ થઈ ગયા છે તે ખૂબ આનંદની વાત છે. ‘સ્મૃતિગ્રંથ’ના ‘આમુખ'ના પૃ. ૯ ઉપર પૂ. પુણ્યવિજયજી મહારાજ નોંધે છે : “ઉપાધ્યાયશ્રીના સ્વરચિત ગ્રંથોની સ્વહસ્તલિખિત મૂળ પ્રતિઓ – પહેલા ખરડાઓ, જે આજે આપણા સામે વિદ્યમાન છે, એ જોતા આપણને પ્રતીતિ થાય છે કે તેમની તલસ્પર્શી વિચારધારાઓના પ્રવાહો કેટલા અવિચ્છિન્ન વેગથી વહેતા હતા ! સાથે સાથે તેમનું પ્રતિભાપૂર્ણ પાંડિત્ય, ભાષા, વિષય અને વિચારો ઉપરનું પ્રભુત્વ એટલાં આશ્ચર્યજનક હતાં કે તેમની કલમ અટક્યા વિના દોડી જતી આ ખરડાઓમાં દેખાય છે. આવે સમયે તેઓ શાહી, કલમ, કાગળ કે લિપિના જાડાપાતળાપણા આદિનો વિચાર કરવા જરાય થોભતા નહોતા... વિશ્વની વિભૂતિસ્વરૂપ મહાપુરુષની આવી સ્વહસ્તલિખિત મૂળ પ્રતિઓનો આટલો યશોવિજયજી : જીવન અને વાડ્મય 43 Page #61 -------------------------------------------------------------------------- ________________ વિશાળ રાશિ, એ કોઈ એક વ્યક્તિ કે પ્રજાના જ નહીં, પણ આખા વિશ્વના અલંકાર સમાન છે.” પોતાના કામ માટે અન્યકૃત ગ્રંથોની ઉપાધ્યાયજીએ કરેલ નકલોનો નામોલ્લેખ પણ પૂ. પુણ્યવિજયજીએ કરેલ છે. (ખ) “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧૫ ઉપર શ્રી જયંતભાઈ જણાવે છે : “યશોવિજયજી કાબેલ લહિયા હતા ને પ્રતલેખનનો એમને રસ હતો તે દેખાઈ આવે છે. એમના ઘણા ગ્રંથોની એમણે પોતે લખેલી પ્રતો મળી આવે છે. આટલી સ્વહસ્તલિખિત પ્રતો અન્ય કોઈ રચયિતાની ભાગ્યે જ હશે.” ૩૮. “શ્રી યશોભારતી જૈન પ્રકાશન સમિતિ (પાલીતાણા) દ્વારા ઈ.સ. ૧૯૯૭માં પ્રકાશિત થયેલ “યશોગ્રન્થમંગલપ્રશસ્તિસંગ્રહ' પુસ્તકમાં ઉપાધ્યાયજીની કૃતિઓના આદિ અને અંત આપવામાં આવ્યા છે. તેનો જો વિશ્લેષણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો રસપ્રદ અને ઉપયોગી માહિતી મળી શકે. ૩૯, “ગુર્જર સાહિત્યસંગ્રહ' ભાગ-૧ અને ર માં લગભગ આઠસો પાનાંમાં છપાયેલ ગુજરાતી ભાષાના વિશાળ સાહિત્ય દ્વારા પૂ. ઉપાધ્યાયજીએ ખેડેલ વિવિધ સાહિત્યપ્રકારોનો ખ્યાલ આવી શકે છે. વર્તમાન ચોવીસીના તીર્થકરોની સ્તુતિ માટે એક નહીં, બે નહીં, પણ ત્રણ ચોવીસીની રચના કરનાર ઉપાધ્યાયજીના આ ભક્તિસાહિત્યમાં ચોવીસી ઉપરાંત કેટલાંય સ્તવનો, કેટલીય સઝાયો, કેટલાંય પદોનો સમાવેશ થાય છે. તેમણે “સવાસો ગાથાના સ્તવન માં કુગુરુઓ પર આકરા પ્રહાર કર્યા છે, “દોઢસો ગાથાના સ્તવન માં મૂર્તિપૂજાના પક્ષનું મંડન કર્યું છે, તો “સાડા ત્રણસો ગાથાના સ્તવન'માં તેમણે કગરના વર્તન અને અજ્ઞાનીની અંધશ્રદ્ધા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે રચેલ “સમ્યકત્વના સડસઠ બોલની સઝાય', “અઢાર પાપસ્થાનકની સઝાય', પ્રતિક્રમણ હેતુગર્ભિત સક્ઝાય' વગેરે કૃતિઓ જૈન સિદ્ધાંતોની વિચારણાથી સભર છે. લોકભોગ્ય ભાષામાં રચાયેલા તેમના આ વિશાળ સાહિત્યમાં થોડાંક પદો રાજસ્થાની કે મારવાડી હિંદી ભાષામાં પણ છે. યોગી શ્રી આનંદઘનજીની સ્તુતિ માટે રચાયેલ “અષ્ટપદીનાં આઠ પદો તો ખૂબ આધ્યાત્મિક ભાવસભર છે. આ સિવાય ભક્તિરસથી ભરપૂર બીજ છત્રીસ પદો પણ “ગુર્જર સાહિત્યસંગ્રહ) ભાગ-૧માં સંગૃહીત થયા છે. જ્ઞાનસારનું તત્ત્વદર્શન 44 Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવિધ કથાઓને સમાવતો તેમનો “જંબુસ્વામી રાસ' પણ નોંધપાત્ર છે. ‘શ્રીપાલ રાજાનો રાસમાં તેમણે રચેલ બે ખંડ પણ ખૂબ આધ્યાત્મિક ભાવસભર છે. સમતાશતક' અને “સમાધિશતક' આ બે ગુજરાતી-હિંદી-મિશ્રભાષામાં રચાયેલા કતિઓ દ્વારા લોકો સમક્ષ તેમણે ઉચ્ચ આધ્યાત્મિક વિષયોને સરળ ભાષામાં મૂકેલ છે. “સમુદ્રવહાણસંવાદ' નામની કૃતિમાં તેમણે સમુદ્ર અને વહાણના રૂપક દ્વારા માણસ-માણસ વચ્ચેના સંવાદની વાત કરી છે. “જસવિલાસ', ‘ઉપદેશમાળા' વગેરે પણ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. જેસલમેરના બે પત્રોમાં તેમણે શ્રાવકોના પ્રશ્નોના તાત્ત્વિક ઉત્તરો આપ્યા હોવાથી ગદ્યમાં લખાયેલ આ પત્રો પણ ઉલ્લેખનીય બન્યા છે. (વિશેષ વિગતો માટે જુઓ : “ગુર્જર સાહિત્યસંગ્રહ' ભાગ-૧ અને ૨; યશોભારતી', પૃ. ૧૩૦, ૧૩૨, ૧૮૪-૧૯૫). ૦. દા.ત. “જ્ઞાનસાર', “અધ્યાત્મમતપરીક્ષા’, ‘વિચારબિંદુ’, ‘તત્ત્વાર્થસૂત્ર', શઠપ્રકરણ', “લોકનાલિ' વગેરે કૃતિઓ પરના બાલાવબોધ. - યશોભારતી', પૃ. ૧૩૧ ૧. વિશેષ ચર્ચા માટે જુઓ : (ક) “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૪૪-૪૯ (‘ઉપાધ્યાય યશોવિજયજીની દાર્શનિક પ્રતિભા' - લે. હેમંત જે. શાહ), પૃ. ૧૭૬-૧૮૨ (‘નયરહસ્યપ્રકરણ” - લે. લક્ષ્મશ વ. જોશી) (ખ) “સ્મૃતિગ્રંથ', પૃ. ૧૯૬-૧૯૭ (પ.પૂ.આ. શ્રી વિજયપધસૂરિજી) (ગ) Jaina Ontology', પૃ. ૧૬૩. ૨. જુઓ : “મૃતિગ્રંથ' પૃ. ૧૯૭ અને “Jaina Ontology', પૃ. ૧૬૩. ૩. જુઓ : “મૃતિગ્રંથ', પૃ. ૧૯૭. ૪. જુઓ : Jaina Ontology', પૃ. ૧૬૪. ૫. જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૪૭ અને પૃ. ૧૪૧ થી ૧૫૮ (‘જ્ઞાનબિંદુમાં કેવલાદ્વૈત વેદાન્તની સમાલોચના'- લે. એસ્તેર સોલોમન) અને “Jaina Ontology', પૃ. ૧૬૪. ૭. જુઓ : “સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧૮૩-૮૮ (“જૈન તકભાષામાં પ્રમાણનું સ્વરૂપ' લે. મધુસૂદન બક્ષી), “મૃતિગ્રંથ', પૃ. ૧૯૨-૯૩ અને ‘ર્શન મીર ચિંતન', પૃ. ૪૫૫-૪૬૨. યશોવિજયજી : જીવન અને વાડ્મય 45. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૭. જુઓ : ‘સ્વાધ્યાયગ્રંથ’, પૃ. ૧૫૯-૬૬. (‘જ્ઞાનાર્ણવપ્રકરણ' – લે. યશોધરાબહેન વાધવાણી) ૪૮. જુઓ : ‘એજન', પૃ. ૧૬૭-૭૫. (‘ન્યાયાલોક’ - લે. જિતેન્દ્ર શાહ) ૪૯. જુઓ : ‘સ્મૃતિગ્રંથ’, પૃ. ૪૬, ૧૨૨-૨૩, ૧૯૯. ૫૦. જુઓ : ‘સ્વાધ્યાયગ્રંથ’, પૃ. ૧૦૯-૧૫ (‘દ્વાત્રિશંદ્વાત્રિંશિકા' શંખરવિજયજી) અને ‘સ્મૃતિગ્રંથ’, પૃ. ૧૯૪-૯૫ . લે. અભય 1 ૫૧. જુઓ : ‘સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧૮૯-૯૪. (‘ભાષારહસ્ય’ - લે. વસંત ભટ્ટ) ૫૨. જુઓ : એજન, પૃ. ૧૯૫-૨૦૪. (‘તિઙન્વયોક્તિ’- લે. વસંત ભટ્ટ) ૫૩. જુઓ : એજન, પૃ. ૧૧૬-૧૨૨. (‘ઉપદેશરહસ્ય’- લે. રમણલાલ ચી. શાહ) ૫૪. જુઓ : એજન, પૃ. ૭૩-૮૦. (‘અધ્યાત્મસારમાં યોગવિચારણા’ - લે. નારાયણ કંસારા) ૫૫. જુઓ : ‘સ્મૃતિગ્રંથ’, પૃ. ૧૧૩, ૧૮૯ પ૬. જુઓ : ‘સ્વાધ્યાયગ્રંથ’, પૃ. ૫૫-૬૧ (‘અધ્યાત્મ-ઉપનિષદનો પ્રસાદ’ - લે. મુનિશ્રી જયસુંદરવિજયજી) અને ૬૨-૭૧ (‘Adhyatmopanisat prakarana · A study' - લે. Y. S. Shastri). - ૫૭. જુઓ : એજન, પૃ. ૧૨૩-૧૨૭. (‘ધર્મપરીક્ષા’- લે. પૂ. અજિતશેખરવિજયજી) ૫૮. જુઓ : એજન, પૃ. ૧૩૫-૧૪૦ (‘સ્યાદ્વાદકલ્પલતા’- લે. મુકુન્દ ભટ્ટ) અને ‘સ્મૃતિગ્રંથ', પૃ.૨૩. ૫૯. જુઓ : ‘સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૧૨૮-૧૩૪. (‘તત્ત્વાર્થભાષ્યટીકા’- લે. નગીનદાસ શાહ) ૬૦. જુઓ : ‘પાતંજલ યોગદર્શન તથા હારિભદ્રી યોગવિંશિકા’ પરિચય, પૃ. ૧ થી ૧૬. ૬૧. જુઓ : ‘સ્મૃતિગ્રંથ', આગળનાં પાનાં, પૃ. ૨૭ અને ‘સ્વાધ્યાયગ્રંથ’, પૃ. ૧૦૧-૧૦૮ (‘પાતંજલયોગ દર્શન ઉપરની ‘લેશ’ વ્યાખ્યા’ - લે. હરનારાયણ ઉ. પંડ્યા). જ્ઞાનસારનું તત્ત્વદર્શન 46 Page #64 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસાર-અષ્ટક અગાઉ પૂર્વભૂમિકારૂપે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલ વિશાળ સાહિત્યમાંથી દાર્શનિક દૃષ્ટિએ ઉત્કૃષ્ટ ગણી શકાય તેવી કેટલીક સાહિત્યકૃતિઓનો પ્રારંભિક પરિચય મેળવ્યો. “જ્ઞાનસારઅષ્ટક” પણ તેમની એવી જ એક ઉત્કૃષ્ટ કૃતિ છે. ઉપાધ્યાયજી મહારાજે વિપુલ સાહિત્યની રચના કરીને જૈન ધર્મ અને દર્શન અંગે જે વિચારસરણી રજૂ કરી છે તેની ઝાંખી “જ્ઞાનસાર-અષ્ટક'માં પણ થાય છે. બાહ્ય સ્વરૂપ બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ વિચાર કરીએ તો “જ્ઞાનમાર-અષ્ટક' એ નામ સૂચવે છે તે પ્રમાણે “અષ્ટક' પ્રકારનો ગ્રંથ છે. શ્લોકોની સંખ્યાને આધારે અમુક રચના સ્વરૂપો ઓળખાવવાની પરંપરા ભારતીય સાહિત્યમાં જૂની છે. દા.ત. “શતકમાં એક સો શ્લોકો, “પંચાશક'માં પચાસ શ્લોકો, તેમ “બત્રીસી', ‘વિંશિકા', “ષોડશક' વગેરે રચના સ્વરૂપો શ્લોકની સંખ્યાને આધારે ઓળખી શકાય છે. તે રીતે “અષ્ટક'માં આઠ શ્લોકો હોય છે. આ બધાં રચના સ્વરૂપોમાં નિશ્ચિત શ્લોકોમાં જે તે વિષયને પૂરો કરવામાં આવે છે. ભારતમાં જૈન તેમ જ અજૈન બંને પરંપરાઓના સાહિત્યમાં “અષ્ટક'નું ખેડાણ થયેલું જોઈ શકાય છે. દા.ત. “મધુરાષ્ટક', “નર્મદાષ્ટક', “સરસ્વતીઅષ્ટક', “ગણેશાષ્ટક', 47 . Page #65 -------------------------------------------------------------------------- ________________ હારીભદ્રીય-અષ્ટક' વગેરે. ઉપાધ્યાયજી મહારાજે રચેલ આ “જ્ઞાનસાર-અષ્ટક'ની વિશેષતા એ છે કે તેમાં જુદા જુદા વિષયોને લગતાં બત્રીસ અષ્ટકો છે. આ દરેક અષ્ટકની અંદર અનુષ્ટ્રપ છંદમાં, સંસ્કૃત ભાષામાં આઠ આઠ શ્લોકો રજૂ થયા છે. આ પ્રત્યેક સંસ્કૃત શ્લોકનો અર્થ સામાન્ય માણસ પણ સમજી શકે તે માટે તેનો “ટબો” કે “બાલાવબોધ પણ તેમણે પોતે જ ગુજરાતી ભાષામાં રચ્યો છે.* કમળપુષ્પની પાંખડી સમા આ બત્રીસ અષ્ટકોમાં કુલ ૨૫૦ શ્લોકો, ઉપસંહાર અને પ્રશસ્તિના મળીને ૧૭ શ્લોકો અને બાલાવબોધના ૩ શ્લોકો – એમ જ્ઞાનસારમાં કુલ ૨૭૬ શ્લોકો છે. ઉપસંહારમાંના પ્રશસ્તિના શ્લોક ૧૩માં જણાવ્યા પ્રમાણે આ કૃતિ સિદ્ધપુર નગરમાં દિવાળીના દિવસે પૂર્ણ થયેલ છે. આ શ્લોકોમાં ક્યાંય રચનાસંવતનો ઉલ્લેખ થયો નથી, પરંતુ ગુજરાતમાં આવેલ સિદ્ધપુર નગરના વિ. સ. ૧૭૧૧ની સાલના ચોમાસા દરમ્યાન “જ્ઞાનસાર'ની રચના થઈ હોવાની શક્યતા અત્યારે સ્વીકાર્ય છે. “જ્ઞાનસાર' કૃતિ રચાયા પછી સૂરજીના પુત્ર શાંતિદાસની વિનંતીના કારણે બાલાવબોધની રચના પાછળથી થયેલ છે. બાલાવબોધમાં તેઓ પોતાને “વાચક' તરીકે ઓળખાવે છે, એટલે બાલાવબોધની રચના સં. ૧૭૧૮માં “વાચક” (ઉપાધ્યાય) પદવી મળ્યા પછી થઈ હોય તે શક્ય છે. પૂ. વિજયદેવસૂરિના ગચ્છના ઉત્કૃષ્ટ બુદ્ધિ ધરાવતા પંડિત જિતવિજયજીના ગુરુભાઈ નયવિજયજીના શિષ્ય બન્યાયવિશારદની આ કૃતિ છે - તેમ જણાવીને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાનો ઉલ્લેખ (ઉપસંહાર, શ્લો. ૧૭માં) “ન્યાયવિશારદ' તરીકે કર્યો છે તે હકીકત નોંધપાત્ર છે. કોઈપણ એક વિષયને લઈને જેમાં ઊંડાણપૂર્વક વિચારણા થઈ હોય તે ગ્રંથ “પ્રકરણ' કહેવાય છે. તેમાં ઘણા વિષયો આવરી લેવાને બદલે મર્યાદિત વિષયની વિશદ છણાવટ થયેલી હોય છે. “જ્ઞાનસાર-અષ્ટક'ને “જ્ઞાનસાર પ્રકરણ' તરીકે પણ ઓળખવામાં આવે છે તે આ રીતે જોતાં યોગ્ય જ છે. પાછળ “સાર' શબ્દ આવે તેવી કેટલીક કૃતિઓ આપણને મળે છે. દા.ત. “યોગસાર”, “ઉપદેશસાર”, “સમયસાર' વગેરે. અહીં “જ્ઞાનસાર' નામ જ્ઞાનનો સાર આપવાની વાતનું સૂચન કરે છે. “જ્ઞાનસાર' એ કૃતિના નામ પરથી લાગે છે કે કદાચ તે જ્ઞાનમીમાંસાને લગતો ગ્રંથ હશે, પરંતુ તેમાં વર્ણવાયેલ વિષયોને જોતાં લાગે છે કે જ્ઞાનનું પ્રામાણ્ય, જ્ઞાનના પ્રકારો જેવા જ્ઞાનમીમાંસાને લગતા પ્રશ્નોની ચર્ચા એ આ ગ્રંથનો વિષય નથી. “જ્ઞાન” શબ્દના જ્ઞાનસારનું તત્ત્વદર્શન 48 Page #66 -------------------------------------------------------------------------- ________________ અહીંયાં બે અર્થ અપેક્ષિત છે : એક તો - ઉચ્ચ તત્ત્વનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા જ્ઞાનને લગતી ચર્ચા અને બીજો અર્થ પૂર્ણ જ્ઞાન પોતે જ, કે જે ઉચ્ચ તત્ત્વના સાક્ષાત્કાર (દર્શન) સ્વરૂપ છે, ચારિત્ર-સ્વરૂપ છે. આ કૃતિના અંતે ઉપસંહારમાં જણાવ્યા પ્રમાણે આ ગ્રંથની રચનાથી પૂર્ણ આનંદઘનસ્વરૂપ પોતાના આત્માનાં સહજ ભાગ્ય જાગ્યાં કે જેથી ચારિત્રરૂપી સ્ત્રી સાથે પોતાના પાણિગ્રહણનો – મિલનનો મહોત્સવ ઉદ્દભવ્યો. અહીંયા પણ આત્માના ચારિત્ર સાથેના મિલનની જ વાત કરી છે. - સાધકો માટેની ભેટ - ‘જ્ઞાનસાર’ એ ઉપાધ્યાયજી મહારાજે આપેલી સાધકો માટેની અનુપમ ભેટ છે. ‘જ્ઞાનસાર’ની રચના પાછળનો હેતુ શો ? આ પ્રશ્નનો વિચાર કરીએ તો તેનો જવાબ એ લાગે છે, કે જીવનના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે સાધક પોતાના સાધનામાર્ગમાં આગળ વધવા ઇચ્છે છે, તેને જીવનમાં ડગલે ને પગલે માર્ગદર્શન મળી શકે તેવા સાધનામાર્ગના નિરૂપણ માટે આ ગ્રંથ છે. આ અર્થમાં ‘જ્ઞાનસાર’ એ સાધનાની માર્ગદર્શિકા સમાન છે. વિદ્વાનો ‘જ્ઞાનસાર’ને ‘જૈન ધર્મની ગીતા' તરીકે ઓળખાવે છે તે યોગ્ય લાગે છે. જેમ ‘ગીતા’માં શ્રીકૃષ્ણ અર્જુનને સતત માર્ગદર્શન આપે છે તેમ ‘જ્ઞાનસાર'માં ઉપાધ્યાય યશોવિજયજી સાધનામાર્ગમાં અટવાયેલા સાધકને સતત માર્ગ ચીંધે છે. આપણે એમ કહી શકીએ કે રસ્તા ઉ૫૨ની દીવાબત્તીઓ જેમ રસ્તાના જે તે ભાગને અજવાળે છે તેમ, ‘જ્ઞાનસાર’માં વર્ણવાયેલ વિષયો સાધકજીવનના પ્રત્યેક તબક્કે પ્રકાશ પાથરે છે. શૈલી ‘જ્ઞાનસાર’માં ઉપાધ્યાયજીએ જે વિષયો ચર્ચ્યા છે તે વિષયો દાર્શનિક વિચારણાના કે તત્ત્વજ્ઞાનના વિષયો તો છે, પણ તેથી ‘જ્ઞાનસાર'માં માત્ર શુષ્ક તાત્ત્વિક સિદ્ધાંતો જ છે એવું નથી. તાત્ત્વિક વિચારણાની સાથે સાથે માનવજીવનમાં પ્રગતિનાં સોપાનો સર કરવા માટે અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જરૂરી આચારોની વાત પણ ‘જ્ઞાનસાર માં ઠેરઠેર કરવામાં આવી છે. ભારતીય દર્શનોની એક લાક્ષણિકતા એ છે કે તેમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન (કે દર્શન) એ એક જ સિક્કાની બે બાજુઓની જેમ એકબીજાં સાથે અભિન્ન રીતે જોડાયેલાં છે. જૈન દર્શનને પણ આ વાત લાગુ પડે જ છે. તેના એક દૃષ્ટાંતરૂપે જોઈએ તો ‘જ્ઞાનસાર’માં પણ દર્શનશાસ્ત્રોના જે સિદ્ધાંતોની વિચારણા ૨જૂ થઈ છે, તેને અમલમાં મૂકી શકાય તેવા જૈન ધર્મના આચારોની વાત પણ કરવામાં આવી છે. જ્ઞાનસાર-અષ્ટક 49 Page #67 -------------------------------------------------------------------------- ________________ આ દાર્શનિક અને આચારવિષયક વિષયોની રજૂઆત “જ્ઞાનસાર'માં શુષ્ક ચિંતનરૂપ બનવાને બદલે કવિત્વમય બની છે તે ઉપાધ્યાયજી મહારાજની વિશેષતા છે. તેથી જ “જ્ઞાનસાર'ની શૈલી “પ્રસન્નમમરા ” છે તેમ આપણે કહી શકીએ છીએ. તેમાં પ્રસન્નતા પણ છે અને સાથે સાથે ગાંભીર્ય પણ છે. ગહન તાત્વિક બાબતની રજૂઆત “જ્ઞાનસારમાં ઠેરઠેર કવિસુલભ કલ્પનાઓ, કાવ્યાલંકારો અને લૌકિક દૃષ્ટાંતો સાથે કરવામાં આવી છે. અન્યત્ર ભાગ્યે જ જોવા મળી શકે તેવો પ્રસાદમધુર કવિતા અને ગહન તત્ત્વચિંતનનો સુમેળ “જ્ઞાનસારમાં જોવા મળે છે. અહીં આપણને માત્ર તર્ક કે બુદ્ધિની કક્ષાએથી રજૂ થતી વાણી નહીં, પણ અનુભવની ઉચ્ચ કક્ષાએથી રજૂ થતી વાણી સતત અનુભવાય છે. એક તો, આધ્યાત્મિક ગ્રંથોના ભાવોને વ્યક્ત કરવા માટે અનુકૂળ એવી સંસ્કૃત ભાષા અને તેમાંય અનુછુપ છંદ. ગંભીર ભાવોને વ્યક્ત કરવા માટેનો તે એક અનુકૂળ છંદ તો છે જ, સાથે સાથે તેમાં અર્થભારના વહનની ક્ષમતા પણ સવિશેષ છે. પૂર્વાચાર્યોએ રચેલાં શાસ્ત્રોના આધાર સાથે અનુભૂતિની વાત જ્યારે અનુકૂળ ભાષા અને છંદના માધ્યમ દ્વારા વ્યક્ત થાય ત્યારે તેનું મૂલ્ય ઘણું ઊંચું ગણાય. કોઈ પણ ધર્મ જેનો ઇન્કાર ન કરી શકે તેવાં સનાતન સત્યો પણ તેથી સ્વાભાવિક રીતે જ અહીં વ્યક્ત થઈ જાય છે. આ અષ્ટકોના શ્લોકોમાં વિચારનો એક પ્રવાહ અવિરતપણે ચાલ્યો આવતો દેખાય છે અને ઉપક્રમે પસંહારયરિવચમ્' – એ ન્યાયે પ્રત્યેક અષ્ટકના પ્રથમ શ્લોક અને આઠમા શ્લોકમાં એક પ્રકારનો સંબંધ જોવા મળે છે. જૈન દર્શનની પરિભાષામાં કહીએ તો નિશ્ચય અને વ્યવહાર, વાસ્તવિકતા અને આદર્શ, દ્રવ્ય અને ભાવ, જ્ઞાન અને ક્રિયા જેવા સામસામા છેડાના ભાવોનો સમન્વય “જ્ઞાનસાર'માં જોવા મળે છે. આવા સમન્વય દ્વારા એક સંવાદી જીવનમાર્ગનું આલેખન અહીંયાં દેખાય છે.” અનુભૂતિની વાણી જ્ઞાનસારના શ્લોકો વાંચતાં ખ્યાલ આવે છે કે તેમાં ઉપનિષદની જેમ સીધી જ અનુભૂતિની વાણી છે. બીજી રીતે કહીએ તો બહુમુખી પ્રતિભાના સ્વામી એવા ઉપાધ્યાયજી મહારાજને પોતાને પણ “પરમાનંદની અનુભૂતિ થઈ જ હશે, તેવું આ અષ્ટકોને સમગ્રપણે અવલોક્યા પછી પ્રતીત થાય તેમ છે. અહીંયાં સાધક માટે તેઓ જે માર્ગનું આલેખન કરે છે તેમાં સાધકને માત્ર પાંચ બાહ્ય ઇન્દ્રિયો અને છઠ્ઠા મનની કક્ષાની પ્રાપ્તિઓ સુધી લઈ જઈને સંતોષ નથી જ્ઞાનસારનું તત્ત્વદર્શન 50 Page #68 -------------------------------------------------------------------------- ________________ માનતા. સાધકને માટે તેઓ આત્મિક આનંદની અનુભૂતિ સુધી, પૂર્ણાનંદની પ્રાપ્તિ સુધી પહોંચવાનું લક્ષ્ય રજૂ કરે છે. ‘પૂર્ણતા' – માનવજીવનનું ધ્યેય “જ્ઞાનસાર'નાં બત્રીસ અષ્ટકોમાં પહેલું અષ્ટક છે “પૂર્ણતા-અષ્ટક'. આ પ્રથમ અષ્ટકમાં માનવજીવનના ધ્યેય તરીકે, Summum bonum તરીકે, સાધનામાર્ગના લક્ષ્યબિંદુ (સાધ્ય) તરીકે કે પછી યાત્રામાર્ગના શિખર તરીકે પૂર્ણતાની વાત રજૂ કરીને બાકીનાં અષ્ટકો તે ધ્યેયને પ્રાપ્ત કરવાનાં સોપાનોરૂપે, સાધનરૂપે વર્ણવેલ છે. સાધક વ્યક્તિમાં કે મુનિમાં કયા કયા ગુણો હોય તો તે પૂર્ણતાના શિખરે પહોંચી શકે તે પ્રશ્નનો જવાબ બાકીનાં એકત્રીસ અષ્ટકોમાંથી મળે છે. ખૂબીની વાત એ છે કે મોટા ભાગના જૈન સાહિત્યમાં જીવનના ધ્યેય તરીકે વૈરાગ્ય, ઇંદ્રિયસંયમ, તપ, ત્યાગ વગેરે નિષેધાત્મક લાગતી બાબતો ઉપર ભાર મૂકવામાં આવે છે. “જ્ઞાનસારમાં ઉપાધ્યાયજીએ આવી નિષેધાત્મક બાબતોને બદલે વિધેયાત્મક બાબત “પૂર્ણતાને લક્ષ્ય તરીકે મૂકી છે તે જૈન દર્શનના સાહિત્યમાં ક્યારેક જ જોવા મળતી બાબત છે. “જ્ઞાનસારનાં બત્રીસ અષ્ટકોમાં પહેલું “પૂર્ણતા-અષ્ટક' એ ધ્યેય છે, શિખર છે અને બાકીનાં અષ્ટકો તે શિખર સુધી પહોંચવા માટેનાં સોપાનો છે તેમ કહીએ તેથી અહીંયાં એક યાત્રામાર્ગનું નિરૂપણ થતું હોવાનો અણસારો મળે છે. ઉપાધ્યાયજીએ શિખર કે લક્ષ્ય પહેલાં બતાવી દીધું તેનું કારણ એ છે કે સાધકને – યાત્રિકને ખ્યાલ આવે કે તેણે ક્યાં સુધી પહોંચવાનું છે. ઉપાધ્યાય યશોવિજયજી માનવમનના ઊંડા જાણકાર હશે તેની પ્રતીતિ અહીં આપણને થાય છે. જે રીતે કોઈ માણસે જાયું હોય કે કેરી કેવી છે તો તે માણસ કેરીને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે છે, તે જ રીતે સાધકને ખબર હોય કે પૂર્ણતા મેળવવાથી શું શું મળે, પૂર્ણતાનું સ્વરૂપ કેવું હોય, તો તે સાધક પોતાની જાણકારીને કારણે પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બને. પૂર્ણતાને શિખર માનીએ અને નીચે તળેટીથી ઉપર શિખર સુધી પહોંચવું હોય, તો માર્ગ કેવો થાય ? બત્રીસમા “સર્વનયાશ્રય-અષ્ટક'થી શરૂ કરીને વિપરીત (ઊલટા) ક્રમે એકત્રીસમા તપ-અષ્ટક', ત્રીસમા ધ્યાન-અષ્ટક', ઓગણત્રીસમા પૂજા-અષ્ટક” અને એમ ક્રમે ક્રમે છેલ્લે બીજા “મગ્ન-અષ્ટકનો ક્રમિક સોપાનો તરીકે વિચાર કરીએ તો આપણે “પૂર્ણતાના શિખરની નજીક પહોંચતા હોઈએ તેવું લાગે. તેથી ઊલટું, આપણે પૂર્ણતાના શિખર ઉપરથી નીચે ઊતરવાની કલ્પના કરીએ તો માર્ગ કેવો જણાય ? તો પૂર્ણતાની નજીક મગ્નતા જ્ઞાનસાર-અષ્ટક 51 Page #69 -------------------------------------------------------------------------- ________________ લાગે, મગ્નતાની નજીક સ્થિરતા લાગે; એમ ક્રમે ક્રમે બીજા, ત્રીજા, ચોથા..... એકત્રીસમા, બત્રીસમા અષ્ટકનો વિચાર કરી શકાય. આવો યાત્રામાર્ગનો કોઈ ક્રમ આપણે કદાચ ન માનીએ તો પણ આ અષ્ટકોમાં રજૂ થયેલ વિચારો સાધનામાર્ગમાં ઉપયોગી તો છે જ. પરંતુ ઉપસંહારના પહેલા ચાર શ્લોકોમાં ઉપાધ્યાયજીએ પોતે જ જ્યારે યોગીના કે મુનિના ગુણોરૂપે આ બત્રીસ અષ્ટકોના નામનો ક્રમ નોંધ્યો છે ત્યારે એમ લાગે છે કે આ કૃતિની રચના કરતી વખતે તેમના મનમાં સાધનામાર્ગનો કોઈક ચોક્કસ નકશો છે. આ નકશો ગમે તે હોય, પરંતુ સાધકને તેઓ એ દર્શાવવા માગે છે કે જો તેણે સાધનાના યાત્રામાર્ગે આગળ વધવું હોય તો તેનામાં આ અષ્ટકોના નામરૂપે વર્ણવ્યા તે સ્થિરતા, મગ્નતા, વિદ્યા, વિવેક વગેરે ગુણો હોય તે જરૂરી છે. કાર્ય-કારણ સંબંધથી આ અષ્ટકોનો વિચાર કરીએ તો જણાય છે કે પહેલું અષ્ટક જ કાર્ય છે તો બીજું અષ્ટક તેનું કારણ છે. બીજું અષ્ટક જો કાર્ય છે તો ત્રીજું અષ્ટક તેનું કારણ છે અને આમ ઉત્તરોત્તર આ બધાં અષ્ટકો કાર્યકારણ ભાવની સાંકળથી પણ બંધાયેલાં જણાય છે. જુદાં જુદાં મોતીને એક દોરામાં પરોવીએ તો એક માળા બને તેમ સાધનામાર્ગના દોરામાં પરોવાઈને અહીં બત્રીસ મોતીની આ એક સુંદર માળા બને છે. માળા તરીકે તો તે મૂલ્યવાન છે જ, સાથે સાથે એક એક અષ્ટક પણ સ્વતંત્ર મોતી અર્થાત્ મુક્તકની જેમ પાણીદાર અને મૂલ્યવાન છે. “જ્ઞાનસારમાં રજૂ થયેલ તાત્ત્વિક વિચારસરણીને સમજવા માટે આપણને તેમાં ચર્ચાયેલ વિષયોનો એક સર્વગ્રાહી ખ્યાલ હોય તે જરૂરી છે. “જ્ઞાનસારનાં બત્રીસ અષ્ટકોમાં આવરી લેવાયેલ વિષયોનું વિહંગાવલોકન કરવાથી તેનો જે સર્વગ્રાહી ખ્યાલ આવશે તે તેમાં રજૂ થયેલ તાત્ત્વિક વિચારસરણીને સમજવામાં ઉપયોગી થશે. બત્રીસ અષ્ટકોનું વિહંગાવલોકન સતુ, ચિત્, આનંદરૂ૫ આત્મા પોતે મૂળભૂત સ્વરૂપે પૂર્ણ હોવાથી સમગ્ર જગતને પણ તે પૂર્ણ જ જુએ છે એ વાત પહેલા “પૂર્ણતા-અષ્ટકના શ્લોકાર્ધમાં મૂકીને (૧૧)* પૂર્ણતાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે ઉછીના ધનથી કન * નોંધ : હવેથી આ પુસ્તકમાં જ્ઞાનસારના મૂળ શ્લોકોનો ઉલ્લેખ આ રીતે જ કરવામાં આવશે. આમાં પહેલો આંકડો અષ્ટકનું સૂચન કરે છે અને બીજો આંકડો શ્લોકનો નંબર સૂચવે છે. જ્ઞાનસારનું તત્ત્વદર્શન 52 Page #70 -------------------------------------------------------------------------- ________________ ક્યારેય પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે નહીં. (૧/૨, ૧૮/૫) પૂર્ણાત્મા જ્ઞાની પુરુષની દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પૂર્ણતા – સ્વયં પ્રકાશિત રત્નની જેમ સ્વભાવસિદ્ધ છે, સ્થિર સમુદ્રની જેમ પ્રશાંત છે. પરિસ્થિતિ એ છે કે પૂર્ણતા એ આત્માની સ્વાભાવિક અવસ્થા હોવા છતાં અજ્ઞાન, કષાયો વગેરેના કારણે આપણને આ પૂર્ણતાનો અનુભવ અત્યારે થતો નથી. આત્માના સ્વાભાવિક એવા આ પૂર્ણતા ગુણનો અનુભવ આપણને કેવી રીતે થાય ? અથવા તો પૂર્ણતારૂપી સાધ્યને પ્રાપ્ત કરવા માટે સાધનરૂપ કયા કયા ગુણો આવશ્યક છે ? તે વાત હવેનાં અષ્ટકોમાં સામાન્ય માણસ સમજી શકે તે રીતે સરળતાથી રજૂ થઈ છે. પૂર્ણતા મેળવવા માટે વ્યક્તિ અંતર્મુખી હોય તે સૌથી આવશ્યક બાબત છે. અંતર્મુખી વ્યક્તિ પોતે જે કાંઈ કરે છે તેમાં સંપૂર્ણ મગ્ન થઈ જાય છે, એકાગ્ર બની જાય છે તે વાત “મગ્નતા-અષ્ટક”માં ઉપાધ્યાયજીએ રજૂ કરી છે. મગ્ન વ્યક્તિ ઇંદ્રિયોને પોતપોતાના વિષયોમાંથી ખેંચીને ચૈતન્યસ્વરૂપ આત્મામાં પોતાના મનને એકાગ્ર કરે છે. આ વ્યક્તિ જે કાંઈ કરે છે તે કર્તાભાવે નહીં પણ માત્ર સાક્ષીભાવે જ કરે છે. વ્યક્તિ આવી મગ્નતા ધારણ કરે ત્યારે તે અનેકાગ્ર અને ચંચળ ન હોય, પણ સ્થિર જ હોય આ વાત ત્રીજા “સ્થિરતા-અષ્ટકમાં સમજાવીને જણાવ્યું છે કે અસ્થિર વ્યક્તિ પોતાના લક્ષ્યમાં એકાગ્ર બની શકે નહીં. માણસ અસ્થિર શા માટે બને છે ? તેનો ટૂંકો જવાબ આપતાં ચોથા “મોહત્યાગ-અષ્ટકમાં જણાવ્યું છે : “હું” અને “મારું” આ મોહનો મંત્ર જગતને અંધ કરનાર છે. (૪૧) જે વ્યક્તિ “હું” અને “મારું” આ ભાવને ત્યજીને “હું નિજ સત્તારૂપે રહેલ શુદ્ધ આત્મદ્રવ્ય છું” એવું નિશ્ચંતપણે અનુભવે છે તે વ્યક્તિ ક્યારેય મોહમાં ફસાતી નથી. મારાપણાના મોહથી યુક્ત વ્યક્તિ આત્મામાં ઉપાધિનું ખોટી રીતે આરોપણ કરે છે, તેથી તે આત્માની નિર્મળતાનો અનુભવ કરી શકતી નથી. વ્યક્તિની મોહદશા માટે તેનું અજ્ઞાન કારણભૂત છે. જો આ અજ્ઞાન દૂર કરીને જ્ઞાનપ્રાપ્તિ કરવામાં આવે તો સાધક પોતાના સાધનામાર્ગમાં જરૂર આગળ વધી શકે – આ વાત “જ્ઞાન-અષ્ટક'માં કરવામાં આવી છે. સાધનાના અંતિમ ધ્યેય પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે જે જ્ઞાન જરૂરી છે તે જ્ઞાન આત્માને તેના શુદ્ધ જ્ઞાનસાર-અષ્ટક Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપની સ્પષ્ટ અને નિદ્ભુત અનુભૂતિ કરાવી આપે તે પ્રકારનું હોવું જરૂરી છે. તેઓ જણાવે છે : “જે જ્ઞાન આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું (વાસના કે impressionનું) કારણ બની શકે તે જ જ્ઞાન ઇચ્છિત છે.” (૫(૩) સાચો જ્ઞાનવાન પુરુષ જીવનમાં હરહંમેશ સમભાવ જ ધરાવે છે. આ સમભાવ કે સમતાની વાત કરતાં છઠ્ઠા “શમ-અષ્ટક'માં કહેવામાં આવ્યું છે કે, બીજા અનેક ગુણો હોય પણ સમતા ન હોય તો બધા ગુણો એકડા વગરના મીંડા જેવા બની જાય છે. આ શમ કે સમતા મેળવવા માટે ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો જરૂરી છે તે વાત લઈને આવે છે “ઇન્દ્રિયજય-અષ્ટક'. જેમ સમુદ્રમાં ગમે તેટલી નદીઓ ઠલવાય તો પણ સમુદ્ર પુરાતો નથી તેમ ઇન્દ્રિય પોતે ગમે તેટલો ઉપભોગ ભોગવે તો પણ તે સંતોષાતી નથી. સાધકે બહિર્મુખતા છોડીને અંતર્મુખ થવું જરૂરી છે, કારણ કે સાચું જ્ઞાનરૂપ ધન તો આત્માની પોતાની અંદર જ પડેલું છે. ઇન્દ્રિયો પર વિજય મેળવનાર સાધક અંતર્મુખ હોય છે, તેથી તે બાહ્ય ઉપાધિઓનો ત્યાગ કરતો જાય છે. “ત્યાગ-અષ્ટકમાં ઉપાધ્યાયજી જણાવે છે કે, સાધક પોતાના સાંસારિક કુટુંબને ત્યજીને આધ્યાત્મિક ગુણોરૂપ કુટુંબમાં રમમાણ, બને છે. સાધક વ્યક્તિ ક્રમશઃ કુટુંબને ત્યજે છે, ગુણોને ત્યજે છે, આગળ વધતાં તે ગુરુ અને આચારનો પણ ત્યાગ કરીને નિર્વિકલ્પ સમાધિની અવસ્થા પામી શકે છે. બધું ત્યજવાની વાત કરીએ તો સાધકે કાંઈ નહીં કરવાનું ? ના, તેમ નથી. સાધક માટે માત્ર જ્ઞાન પર્યાપ્ત નથી, પરંતુ જ્ઞાનને અનુરૂપ ક્રિયા પણ જરૂરી છે – આ વાત “ક્રિયા-અષ્ટકમાં ભારપૂર્વક રજૂ થઈ છે. તેઓ સ્પષ્ટ રીતે જણાવે છે : “માર્ગનો જાણકાર પણ ચાલ્યા વગર ઇચ્છિત સ્થાને પહોંચતો નથી.” (૯/૨૦૧૧ ધ્યેય સુધી પહોંચવા માટે માર્ગનું જ્ઞાન જેટલું જરૂરી છે, તેટલી જ જરૂરી ચાલવાની ક્રિયા પણ છે. સાધકના પોતાના ગુણોની વૃદ્ધિ માટે અને તે જે સ્થાને પહોંચ્યો હોય ત્યાંથી પતિત ન થવાય તે માટે ગુણીજનોનું બહુમાન, વ્રતાદિનું નિત્યસ્મરણ તથા આચરણ, શુભ ભાવને ઉત્પન્ન કરવો અને ટકાવવો વગેરે ક્રિયાઓ જરૂરી છે. અંતર્મુખી સાધક જરૂરી ક્રિયાઓ કરીને ધ્યેયની નજીક પહોંચવાનો સતત પ્રયત્ન કરે ત્યારે સાધકને સાચી આંતરિક તૃપ્તિ પ્રાપ્ત થાય છે તે વાત “તૃપ્તિ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 54 Page #72 -------------------------------------------------------------------------- ________________ અષ્ટક'માં રજૂ થઈ છે. સુંદર જમણ જમીને જે ઉદરની તૃપ્તિ થાય છે તે ક્ષણિક છે, પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર જેવા ગુણોથી જે તૃપ્તિ જ્ઞાનીને થાય છે તે અવિનશ્વર છે. સંસારમાં તો ઘણી વખત સ્વપ્નવતું જૂઠી તૃપ્તિનો અનુભવ પણ થાય છે, જ્યારે સમ્યગુ-દૃષ્ટિવાન સાધકને તો કાયમી અને સાચી તૃપ્તિ પ્રાપ્ત થાય છે. આવશ્યક ક્રિયાઓ કરીને તૃપ્ત થયેલ સાધક જળકમળવત્ જીવન જીવતો હોય છે તે વાત “નિર્લેપ-અષ્ટકમાં કરવામાં આવી છે. સંસારમાં જીવવા છતાં સાધક અલિપ્તતા કેળવી શકે તો કર્મમળથી લપાતો નથી. આવી નિર્લેપતા ધરાવનારને જીવનમાં ભોતિક, પૌદ્ગલિક બાબતો અંગે કોઈ પણ જાતની સ્પૃહા હોતી નથી એ વાત ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ બારમા નિઃસ્પૃહ-અષ્ટક'માં રજૂ કરી છે. બીજાની સ્પૃહા દુઃખરૂપ છે, નિઃસ્પૃહતા સાચું સુખ છે એમ કહીને સુખ અને દુઃખનું લક્ષણ સંક્ષેપમાં પણ સચોટ રીતે રજૂ કર્યું છે. આ નિઃસ્પૃહતાની પરાકાષ્ઠાએ વાણીની પણ સ્પૃહા રહેતી નથી. એટલે તે મૌન બનીને જ્ઞાન-ધ્યાન-સાધનામાં જ મસ્ત રહે છે, એ વાત “મૌન-અષ્ટકમાં કરવામાં આવી છે. મૌન એટલે અહીંયાં માત્ર વાણીના મૌનની વાત નથી, પણ સાધકની મન-વચન-કાયાથી પુદ્ગલમાત્રમાં અપ્રવૃત્તિ' (૧૩)૭) એવો વિશાળ અર્થ રજૂ થયો છે. પોતાની શક્તિઓના બિનજરૂરી વ્યયને રોકીને સાધક “આત્મા નિત્યતા, શુચિતા ધરાવે છે એ વિદ્યાને આત્મસાત્ કરે છે એમ જણાવીને વિદ્યા-અષ્ટકમાં વધુમાં જણાવાયું છે, કે વિદ્યાવાન સાધક લક્ષ્મી, આયુષ્ય, શરીર વગેરેની ક્ષણભંગુરતાને જાણીને આવી વિનાશશીલ બાબતોમાં ક્યારેય મારાપણાની ભાવનાનું આરોપણ કરતો નથી. તેઓ જણાવે છે, કે મિથ્યાજ્ઞાન કે અવિદ્યા દૂર થતાં અને સમ્યગુજ્ઞાન કે વિદ્યા પ્રાપ્ત થતાં વ્યક્તિ આત્મામાં પરમાત્માને જુએ છે. ૧૪૮) - શરીર અને આત્મા જુદાં હોવા છતાં અવિદ્યાવાન તે બંનેને એક માનીને પોતાનો ઘણો વ્યવહાર ગોઠવે છે, પરંતુ હકીકતે આ શરીર અને આત્મા જુદા છે એવું ભેદજ્ઞાન કે વિવેકજ્ઞાન સાધક માટે જરૂરી છે, એ વાત “વિવેક-અષ્ટકમાં કહેવાઈ છે. સાધક વ્યક્તિ પોતાના વિવેકજ્ઞાન વડે હંસની જેમ નીરક્ષીરન્યાયે જીવ અને કર્મ, આત્મા અને દેહ – આ બધાંને અલગ અલગ તારવી શકે છે. આવો વિવેક જેનામાં આવે તે વ્યક્તિ મધ્યસ્થભાવ રાખીને રાગ-દ્વેષમાં - જ્ઞાનસાર-અષ્ટક 65 Page #73 -------------------------------------------------------------------------- ________________ તણાવાને બદલે પોતાના આત્મભાવમાં જ સ્થિર થાય છે, આ વાત આ કૃતિની લગભગ મધ્યમાં આવેલ “માધ્યશ્મ-અષ્ટક'માં કરવામાં આવી છે. પોતાને જે વિવેકયુક્ત મધ્યસ્થષ્ટિ પ્રાપ્ત થયેલ છે, તેનાથી સાધક સ્વસિદ્ધાંતનો સ્વીકાર અને પરસિદ્ધાંતનો ત્યાગ રાગ કે દ્વેષ વગર કરે છે. જુદા જુદા માર્ગોએ વહેતી નદીઓ છેવટે સાગરને મળે છે, તેમ મધ્યસ્થ વ્યક્તિના જુદા જુદા માર્ગો પણ છેવટે તો અક્ષય બ્રહ્મને જ મળે છે. “(વિવિધ નયોમાં) જેનું મન સમસ્વભાવવાળું છે તે મહામુનિ મધ્યસ્થ છે” ( ૧૩) જેવી ટૂંકી પણ સચોટ વાત આ અષ્ટકમાં રજૂ થઈ છે. આત્મધ્યાનરત સાધકને ભય શેનો ? સાંસારિક સુખ ભયયુક્ત હોય, બાકી જ્ઞાનનું સુખ તો ભયરહિત જ હોય – આ વાત નિર્ભય-અષ્ટક'ના આઠ શ્લોકોમાં જુદી જુદી રીતે સાધક સમક્ષ મૂકવામાં આવી છે. સાધકને અનુભૂતિથી જે જ્ઞાન મળે છે તે જ્ઞાન ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો કોઈ જ ભય નથી. જ્ઞાનીને કોઈથી ભય નથી અને કોઈ પણ વ્યક્તિને જ્ઞાનીથી ભય નથી. અઢારમા “અનાત્મશંસા-અષ્ટક'માં પહેલા જ શ્લોકમાં સચોટ દલીલ રજૂ કરતાં કહેવાયું છે, “જો તું ગુણોથી પૂર્ણ નથી તો આત્મપ્રશંસા કરવાથી કાંઈ નહીં વળે, અને જો તું ગુણોથી પૂર્ણ છે તો આત્મપ્રશંસાની કાંઈ જરૂર નથી.” (૧૮/૧) સાધક વ્યક્તિ વિચારે છે, કે વૃક્ષના મૂળની જેમ પોતાના ગુણો જો પ્રગટ થઈ જાય તો તે પોતાના વિકાસને અવરોધે છે. જ્યારે વ્યક્તિને ગુણોનું અભિમાન આવી જાય ત્યારે મહાપુરુષોના ગુણોને યાદ કરીને સાધકે પોતાની ન્યૂનતા તરફ દૃષ્ટિ કરવી જોઈએ. જેનામાં વિવેક હોય, મધ્યસ્થતા હોય, સમ્યગ્ દૃષ્ટિથી મેળવેલ વિદ્યા હોય તે સાધકની દૃષ્ટિ તત્ત્વને જોનારી હોય છે તે વાત “તત્ત્વદૃષ્ટિ-અષ્ટક'માં જુદી જુદી રીતે કરી છે. બાહ્ય દૃષ્ટિવાન વ્યક્તિ ગામ, બગીચા, સ્ત્રી, શરીર, રાજમંદિર, મહાત્મા વગેરેના બાહ્ય સ્વરૂપથી મોહિત થઈને પૌદ્ગલિક મોહ પામે છે, જ્યારે તત્ત્વદષ્ટિવાન વ્યક્તિ આ જ વસ્તુઓના આંતરિક સ્વરૂપને, સત્ત્વને જાણીને વર્તે છે. આ રીતે દરેક બાબતને તત્ત્વથી જોનાર વ્યક્તિ તેના બાહ્ય સ્વરૂપને બદલે આંતરિક સ્વરૂપને જાણે છે અને તેથી જ તે સર્વસમૃદ્ધિવાન બને છે – આ વાત સર્વસમૃદ્ધિ-અષ્ટક'માં કરવામાં આવી છે. ઇન્દ્ર, ચક્રવર્તી, શેષનાગ, મહાદેવ, જ્ઞાનસારનું તત્ત્વદર્શન 56 Page #74 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ, બ્રહ્મા, અરિહંત વગેરેની સમકક્ષ અથવા તો તેથી વધારે સમૃદ્ધિ તત્ત્વદૃષ્ટિવાન ધરાવે છે તે વાત ફેરવી ફેરવીને અહીં કરવામાં આવી છે. કર્મને લગતી વાત લઈને આવે છે કર્મવિપાકચિંતન-અષ્ટક'. સાચો સાધુ સુખમાં છકી જતો નથી કે દુઃખમાં દીન થઈને બેસી જતો નથી. કર્મ પાકતાં તેનાં ફળ ભોગવવા પડે તે જાણીને તે સમભાવપૂર્વક જીવે છે. સંસારમાં જીવનાર સાધકને માટે સંસાર અનેક રીતે સમુદ્ર જેવો દુષ્કર છે તે વાત ભવોગ-અષ્ટકમાં ઉપાધ્યાયજી મહારાજે કરી છે. સાધક મુનિ પોતાના ચારિત્રમાં એકાગ્ર હોય છે. સંસારસાગરના ઝંઝાવાતોથી આવતા ઉગોથી સાધક મુક્ત રહે છે. આવો નિર્ભય સાધક ગાડરિયા પ્રવાહમાં વહીને લોકો કરે તે પ્રવૃત્તિ કરવાને બદલે સાચી હોય તે પ્રવૃત્તિ કરવી એવી હિંમત ધરાવે છે. નદીના સામા વહેણમાં તરતી વખતે જેવી મુશ્કેલીઓ પડે તેવી મુશ્કેલીઓનો સામનો પણ ઘણી વખત સાધકે કરવો પડે છે તે વાત અહીં “લોકસંજ્ઞાત્યાગ-અષ્ટક'માં કરવામાં આવી છે. સાધક વ્યક્તિને લોકો તેની પ્રશંસા કરે કે નિંદા કરે તેની પણ પરવા હોતી નથી. હિંમતપૂર્વક તે પોતાના સાધનામાર્ગને ગમે તે પરિસ્થિતિમાં વળગી જ રહે છે. સાધક પોતે જ આચરણ કરે છે તેને શાસ્ત્રનો આધાર પણ હોય છે આ વાત “શાસ્ત્ર-અષ્ટકમાં રજૂ થઈ છે. “પંડિતોએ શાસન પરથી અને ત્રાણ પરથી શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ કરી છે.” (૨૪/૩) અર્થાત્ “શાસ્ત્ર' બે કામ કરે છે : એક તો, તે “શાસન' કરે છે અને બીજું, તે “ત્રાણ” એટલે કે “રક્ષા પણ કરે છે. શાસન કરે છે એનો અર્થ એ થાય, કે તે માર્ગદર્શન, ઉપદેશ, શિક્ષા આપીને માર્ગ બતાવે છે અને નિયમન પણ કરે છે. “શાસ્ત્રનો આવો ટૂંકો પણ સચોટ અર્થ બતાવીને “શાસ્ત્ર” એટલે “વીતરાગનું વચન' એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. ગમે તેવા સમર્થ માનવીને અજાણ્યા પ્રદેશમાં જતી વખતે તે પ્રદેશ અંગેના જ્ઞાનની મદદ મળે તો તેને તે જ્ઞાન ઉપયોગી બને છે. આ જ રીતે સાધકને માટે અદષ્ટ વિષયોમાં પ્રવેશ માટે શાસ્ત્ર દીવાનું કામ કરે છે, તેથી શાસ્ત્રોને “સાધુનાં (સાધકનાં) ચક્ષુ' કહેવામાં આવે છે. દીવાના અભાવમાં જેમ અંધારામાં ઠોકરો ખાવી પડે તેમ શાસ્ત્રના અભાવમાં સાધનામાર્ગમાં મુશ્કેલીઓ પડે છે. હવે આવે છે હળવી શૈલીમાં લખાયેલ “પરિગ્રહ-અષ્ટક'. બાહ્ય હોય કે જ્ઞાનસાર-અષ્ટક 57 Page #75 -------------------------------------------------------------------------- ________________ આંતરિક, પણ પરિગ્રહમાત્ર સાધનામાર્ગમાં આડખીલીરૂપ છે, તેથી તે ત્યજવાયોગ્ય છે. જે વ્યક્તિ પરિગ્રહનો સાચો ત્યાગ કરે તેને કોઈ પણ જાતની લાલસા રહેતી નથી. વિનોદની ભાષામાં ઉપાધ્યાયજી જણાવે છે, કે ચંદ્ર વગેરે ગ્રહો સમયે સમયે પોતાની રાશિ બદલે છે અને વક્રતા પણ છોડે છે, જ્યારે આ પરિગ્રહરૂપ ગ્રહ તો પોતાની રાશિમાંથી પાછો પણ ફરતો નથી, વક્રતા પણ ત્યજતો નથી અને સર્વને હંમેશ હેરાન જ કરે છે. (૨૫/૧) હવે આવતા ‘અનુભવ-અષ્ટક'માં સ્વપ્ન, જાગ્રત, સુષુપ્ત અવસ્થાથી ભિન્ન ચોથી (તુર્ય) અવસ્થાની એટલે કે આત્મસાક્ષાત્કાર-સ્વરૂપ ‘અનુભવ’ની વાત કરવામાં આવી છે. સાદા સરળ દૃષ્ટાંત દ્વારા અનુભવની વાત રજૂ કરતાં અહીં કહેવાયું છે, કે શાસ્ત્રજ્ઞાનરૂપ ખીરનો સ્વાદ કલ્પનારૂપ કડછીથી ક્યારેય માણી ન શકાય, ખીરનો સ્વાદ માણવા માટે તો અનુભવરૂપ જીભ જ કામ આવે. (૨૬/૫) આ જ રીતે રાગ-દ્વેષરહિત શુદ્ધ આત્મસ્વરૂપ શાસ્ત્રો અને તેની યુક્તિથી જાણી ન શકાય, તે માટે તો અનુભવ અને માત્ર અનુભવ જ કામમાં આવે. --- સત્યાવીસમા ‘યોગ-અષ્ટક'માં ખૂબ જ સંક્ષેપમાં, માત્ર નામનિર્દેશ કરાતો હોય તે રીતે, જૈન મત પ્રમાણે ‘યોગ’ની ચર્ચા કરવામાં આવી છે. ‘મોક્ષની સાથે આત્માને જોડનારો બધો આચાર તે યોગ' એવી યોગની વ્યાખ્યા કરીને સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ એમ યોગના પાંચ પ્રકાર વર્ણવ્યા છે. આમાંના પહેલા બે કર્મયોગ અને પછીના ત્રણ જ્ઞાનયોગ કહેવાય છે. આ પાંચેય યોગના દરેકના પાછા ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતાયોગ અને સિદ્ધિયોગ – એ ચાર પ્રકારે જોતાં કુલ વીસ ભેદો ગણાવ્યા છે. આ વીસ ભેદના પ્રત્યેકના પાછા પ્રીતિયોગ, ભક્તિયોગ, વચનયોગ અને અસંગયોગ - એ ચાર પ્રકારે જોતાં (વીસને ચારે ગુણતાં) એંસી ભેદ થાય. - આ ત્રણ સાધકજીવન સાથે સંબદ્ધ વિષયોની ચર્ચા કરતા હવે આવે છે ‘નિયાગઅષ્ટક’. અહીં ‘નિયાગ' એટલે ભાવયજ્ઞ એવો અર્થ છે. ગૃહસ્થ માટે વીતરાગની પૂજા વગેરે ક્રિયા બ્રહ્મયજ્ઞ બની શકે, જ્યારે યોગી માટે તો જ્ઞાન એ જ બ્રહ્મયજ્ઞ છે. ગૃહસ્થને યોગ્ય કર્મયજ્ઞ યોગી વ્યક્તિ કરી ન શકે. જૈન ધર્મમાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયમાં તીર્થંકરોની મૂર્તિઓની તેમના ઉપાસનાસ્થળ એવા દેરાસરમાં સ્થાપના કરવામાં આવે છે અને શ્વેતાંબરો આ મૂર્તિઓની ભાવપૂર્વક પૂજા કરે છે. આ પૂજાવિધિની એકેએક ક્રિયાને, જ્ઞાનસારનું તત્ત્વદર્શન 58 Page #76 -------------------------------------------------------------------------- ________________ સાધકના વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ થાય તે રીતે, જુદા જુદા ગુણો સાથે સાંકળીને સુંદર રીતે “પૂજા-અષ્ટકમાં રજૂ કરવામાં આવી છે. દા.ત. દયારૂપ પાણી, સંતોષરૂપ શુભ વસ્ત્ર, વિવેકરૂપ તિલક, ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસર અને ચંદન, ક્ષમારૂપ ફૂલોની માળા, નિશ્ચય વ્યવહારરૂપ વસ્ત્રયુગલ, ધ્યાનરૂપ અલંકાર, આઠ મદના ત્યાગરૂપ અષ્ટમંગલ, શુભ સંકલ્પનો ધૂપ, ધર્મસંન્યાસરૂપ અગ્નિ, સામર્થ્યયોગરૂપ આરતી, અનુભવરૂપ મંગલદીપ, સંયમયોગરૂપ પૂજા, સત્યનો ઘંટનાદ વગેરે દ્વારા પૂજાનાં એકેએક વિધિ અને દ્રવ્યની પાછળનો ભાવ ખૂબ ટૂંકમાં છતાં સચોટ રીતે રજૂ કરીને, ગૃહસ્થ દ્રવ્યપૂજા અને સાધુએ ભાવપૂજા કરવી જોઈએ તેમ જણાવ્યું છે. પોતે ભાવપૂજામાં તન્મય થઈ ગયા પછી જે વાણી સ્કુરી તે શબ્દબદ્ધ કરીને આ અષ્ટકો રચ્યાં હોય તેવી આપણને પ્રતીતિ થાય તેનું આ અષ્ટક સુંદર દૃષ્ટાંત છે. સાધકજીવનની સર્વોચ્ચ અવસ્થા ધ્યાનાવસ્થાની વાત “ધ્યાન-અષ્ટકમાં કરવામાં આવી છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા તે “સમાપત્તિ' કે “સમાધિ કહેવાય છે. જિતેન્દ્રિય, ધીર, પ્રશાંત, સ્થિર સાધક નાસિકાગ્ર ઉપર દૃષ્ટિ રાખીને, પ્રસન્નચિત્તે ધારણા અને ધારાના વેગથી બાહ્ય મનોવૃત્તિને રોકીને જ્ઞાનામૃતનો આસ્વાદ લે છે તે વાત કરીને ઉપાધ્યાયજીએ સાધકનું સુંદર શબ્દચિત્ર ખડું કર્યું છે. “કર્મને તપાવે તે તપ” (૩૧/૧) એવી તપની વ્યાખ્યા કરીને તેનાં બાહ્ય તપ અને આત્યંતર તપ એવા બે પ્રકારો “તપ-અષ્ટકમાં રજૂ કરવામાં આવ્યા છે. આ બંને તપમાં પણ આત્યંતર તપ મુખ્ય છે. સાધકની નજર સામે તો મોક્ષપ્રાપ્તિના સાધ્યની મીઠાશ જ હોય છે, તેથી જ્ઞાનીને તપથી આનંદ જ પ્રાપ્ત થાય છે. તપ કેટલું કરવું તેનો સચોટ જવાબ આપતાં અહીં કહેવાયું છે : “ખરેખર એ જ તપ કરવા યોગ્ય છે કે જેમાં દુર્ગાન ન થાય, યોગો હીનતા ન પામે અને ઇંદ્રિયોનો ક્ષય ન થાય.” (૩૧/૭) આ અષ્ટકોના ક્રમમાં છેલ્લા, પણ સાધનામાર્ગના પ્રારંભિક સોપાન સમા સર્વનયાશ્રય (સર્વનયાશ્રયણ)-અષ્ટક”માં સાધક વ્યક્તિએ કોઈપણ પૂર્વગ્રહથી અમુક નિશ્ચિત મતના બદલે રાગ-દ્વેષ વગર દરેક મતમાં રહેલા સત્યનો સ્વીકાર કરવાનું જણાવવામાં આવ્યું છે. ખરેખર તો જે સાધક છે તે કોઈના પણ મત માટે હઠાગ્રહ કે દુર્ભાવના રાખ્યા વગર બધાના મતનો સત્યાંશ સરળતાથી સ્વીકારે છે. કોઈપણ વ્યક્તિનું મન ખુલ્લું હોય અને ચિત્ત શાંત હોય તે બાબત સાધનામાર્ગે આગળ વધવા માટે તે વ્યક્તિને ખૂબ જ ઉપયોગી નીવડે છે. જૈન દર્શનના નયવાદ પ્રમાણે દરેક નય પોતપોતાની રીતે સાચો છે એ સ્વીકારીને જ્ઞાની કોઈ જ્ઞાનસાર-અષ્ટક Page #77 -------------------------------------------------------------------------- ________________ નય પ્રત્યે રાગ કે કોઈ નય પ્રત્યે દ્વેષ રાખતો નથી, પણ બધા નયો પ્રત્યે મધ્યસ્થભાવ જ રાખે છે. સર્વનયના જ્ઞાતામાં રાગ, દ્વેષ કે અહંકાર હોતા નથી, પણ ઉપકારબુદ્ધિ કે સમવૃત્તિપણું હોય છે. આવી વ્યક્તિ શુષ્ક વાદ-વિવાદમાં સમય બગાડવાના બદલે ધર્મવાદ કરે છે, અને તેની આ તાત્ત્વિક જિજ્ઞાસા તેને કલ્યાણમાર્ગે દોરનારી હોય છે. તેથી જ ઉપાધ્યાયજી જણાવે છે : “સર્વ નયના જ્ઞાતાનું ધર્મવાદથી ખૂબ કલ્યાણ થાય છે.” (૩૨/૫) નિશ્ચયનય અને વ્યવહારનય (અથવા તો જ્ઞાનનય અને ક્રિયાનય) આ બેમાં કોઈ એકને સ્વીકારવાને બદલે બંને નયો પોતપોતાના સ્થાને સાચા છે એમ સ્વીકારનાર જ્ઞાની સાધકનો સર્વોત્કર્ષ થાય જ છે એમ અંતમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ભારપૂર્વક જણાવે છે. ‘જ્ઞાનસાર-અષ્ટક’ના આટલા જરૂર પૂરતા પરિચય પછી તેમાં રજૂ થયેલ તાત્ત્વિક વિચારસરણીને સમજવાનું સબળ બનશે. જૈન તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાંતો હળવી ભાષામાં, લૌકિક દૃષ્ટાંતો સાથે આ કૃતિ દ્વારા ઉપાધ્યાયજીએ લોકો સમક્ષ ૨જૂ કર્યા છે. આ વિચારસરણી માટે જૈન દર્શનના કેટલાક સિદ્ધાંતોનો પ્રારંભિક ખ્યાલ મેળવવો અત્યંત જરૂરી હોઈ તે ‘આડવાત’ પ્રથમ કરવી ઘટે. ટિપ્પણ ૧. ‘જ્ઞાનસાર'ના ટબાની શરૂઆતમાં જ જણાવ્યું છે “પેન્દ્રવૃન્દ્રનત નત્વા, વીર તત્ત્વાર્થવેશિનમ્ । अर्थ: श्रीज्ञानसारस्य लिख्यते लोकभाषया ।।” આ અંગે શ્રી જયંતભાઈ કોઠારી લખે છે : ૨. ‘જ્ઞાનસાર' પણ સિદ્ધપુરમાં દિવાળી દિને પૂરો થયો હતો ને એમાં પણ સંવત નથી, પરંતુ એ વિજયદેવસૂરિના રાજ્યમાં રચાયેલો હોય એમ જણાય છે. ને એમાં યશોવિજયજી પોતાને ‘ન્યાયવિશારદ' તરીકે ઓળખાવે છે. એટલે સં. ૧૭૧૧ના સિદ્ધપુરના ચાતુર્માસમાં રચાયો હોવાની વાત સંગત બને. જોકે ‘જ્ઞાનસાર’ના ‘બાલાવબોધ'ની પ્રશસ્તિમાં યશોવિજયજી પોતાને ‘વાચક' તરીકે ઓળખાવે છે એટલે એ (બાલાવબોધ) સં. ૧૭૧૮ની કે તે પછી રચાયેલો ગણાય.” - ‘સ્વાધ્યાયગ્રંથ', પૃ. ૨૭૩-૨૭૪ વધુમાં જુઓ : એજન, પૃ. ૨૫૬ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 60 Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩. “નૂરનીતનવરાત્તિસહૃારવનોતી ત: | आत्मबोधधृतविभ्रमः श्रीयशोविजयवाचकैरयम् ।।" - જ્ઞા, ઉપસંહાર, બાલાવબોધનો છેલ્લો શ્લોક ૪. દા.ત. જુઓ : જ્ઞા. પીર થી ૬, ૧૨/૧, ૧૩/૫, ઉપસંહાર૧પ-૧૬ વગેરે. ૫. દા.ત. જુઓ : જ્ઞા.૩/૧, ૨, ૧૮/૭. ૬. દા.ત. જુઓ : જ્ઞા.૧૨/૮, ૧૩/૬ વગેરે. ૭. દા.ત. જુઓ : “જ્ઞાનસારના પહેલા “પૂર્ણતા-અષ્ટક', સાતમા “ઇન્દ્રિયજય અષ્ટક', બારમા “નિઃસ્પૃહ-અષ્ટક', સત્તરમા “નિર્ભય-અષ્ટક', વિસમાં સર્વસમૃદ્ધિ-અષ્ટક' વગેરે અષ્ટકોનો શ્લોક પહેલો અને આઠમો. ૮. દા.ત. જુઓ : જ્ઞા, ઉપસંહાર ૧૧, ૯૩,૮, ૧૧૭,૮, ૧૩/૩, ૨૦/૩, ૩૨, ૭ વગેરે. ૯. ઉપાધ્યાયજીને પરમ તત્ત્વની અનુભૂતિ થઈ હશે તેનો ખ્યાલ આવે તેવા ઉલ્લેખો જોઈએ : દા.ત. (ક) શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ નોંધે છે તે પ્રમાણે : “આ પરથી ચોખું પ્રતીત થાય છે કે યશોવિજયે કરેલા મેળાપથી આધ્યાત્મિક લાભ હૃદયને સંતોષ આપે તેવો પોતાને થયો હતો ને તેનો આનંદ જીવનપર્યંત રહ્યો હતો, તેથી આનંદઘનની સ્મૃતિમાં આનંદઘન, આનંદ, ચિદાનંદ, ચિદાનંદઘન, પરમાનંદ, સહજાનંદ, ચિદ્રપાનંદ– એવા શબ્દો પોતાની કૃતિઓમાં ખૂબ વાપર્યા છે.” - “મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય', પૃ. ૨૦૯ (ખ) શ્રી જયંતિભાઈ કોઠારી નોંધે છે તે પ્રમાણે, “યશોવિજયજીની કેટલીક રચનાઓમાં એક જુદી જ ભાવદશાનું આવિષ્કરણ છે. એ છે અધ્યાત્મયોગીની મસ્તમનોદશા, આત્મરમણતાનો આનંદ. સમતા – સમ્યકત્વ અને સુબુદ્ધિ – અનુભવજ્ઞાન એનાં મુખ્ય લક્ષણો છે.” - મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય', પૃ. ૨૦૯ (ગ) “શ્રીપાળ રાજાનો રાસમાં ઉપાધ્યાય યશોવિજયજી આત્મનિવેદન કરતા હોય તે રીતે જણાવે છે : “માહરે તો ગુરુચરણપસાર્યું, અનુભવ દિલમાં પેઠો. ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટ માંહિ, આતમ-રતિ હુઈ બેઠો.” - “શ્રીપાલ રાજાનો રાસ', ખંડ ૪, ઢાળ ૧૩, ગાથા ૧૦ જ્ઞાનસાર-અષ્ટક 61 Page #79 -------------------------------------------------------------------------- ________________ (घ) शानसा२'मा १८/५मां विधानधन', २१/८i यिहानंह', 3२./ ८मा ५२मानंह' शो १५२।या छे. १०. "'पूर्णो 'मग्नः स्थीरोऽ'मोहो 'ज्ञानी शान्तो "जितेन्द्रियः । 'त्यागी 'क्रियापर" स्तृप्तो "निर्लेपो "निःस्पृहो "मुनिः ।।१।। १ विद्या विवेक संपन्नो मध्यस्थो १७भयवर्जितः । “अनात्मशंसक"स्तत्त्वदृष्टिः "सर्वसमृद्धिमान् ।।२।। ध्याता "कर्मविपाकानामुद्विग्नो भववारिधे। २२लोकसंज्ञाविनिर्मुक्तः २४शास्त्रदृग"निष्परिग्रहः ।।३।। २६शुद्धानुभववान् २"योगी “नियागप्रतिपत्तिमान् । "भावार्चा ध्यान"तपसां भूमिः ३२सर्वनयाश्रितः ।।४।।" - ., ७५संडार, al. १ थी ४ ૧૧. આ જ ભાવવાળાં સુભાષિતો જોઈએ : (5) “गच्छन् पिपीलिको याति योजनानाम् तान्यपि । अगच्छन् वैनतेयोऽपि पदमेकं न गच्छति ।।" અર્થાત્ “ચાલતી એવી કીડી સેંકડો યોજનો દૂર પહોંચી જાય છે, જ્યારે નહીં ચાલતો ગરુડ એક ડગલું પણ પહોંચતો નથી.” "उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः । न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।” અર્થાત્ “કાર્યો ઉદ્યમથી સિદ્ધ થાય છે, મનોરથોથી નહીં; સૂતેલા સિંહના મુખમાં હરણાંઓ પ્રવેશતા નથી.” જ્ઞાનસારનું તત્ત્વદર્શન 62 Page #80 -------------------------------------------------------------------------- ________________ નવ તત્વ તીર્થંકર જિન એટલે રાગ-દ્વેષના વિજેતા. આવા રાગ-દ્વેષના વિજેતા જિનોએ જે ધર્મનું આચરણ કર્યું અને જે ધર્મનો ઉપદેશ કર્યો તે જૈન ધર્મ. જૈન ધર્મ કોઈ એક વ્યક્તિ દ્વારા પ્રવર્તિત થયો અથવા તો તેમાં કોઈ એક જ વ્યક્તિને ઇષ્ટદેવ તરીકે સ્થાન છે એમ નથી; કારણ કે જૈનોએ જેમનામાં રાગ-દ્વેષનો વિજય જોયો તેમને પોતાના ઇષ્ટદેવ તરીકે સ્વીકાર્યા અને એવી વિશિષ્ટ વિભૂતિઓને તીર્થંકર નામ આપીને એવા અનેક તીર્થંકરોને પોતાના ઇષ્ટદેવ તરીકે સ્થાન આપ્યું. જૈન ધર્મના દેવ તરીકે પૂજનીય બનેલ તીર્થંકરની વિશેષતા એ છે કે તીર્થંકરો પણ મનુષ્યરૂપે જ વિકાસ પામતાં પામતાં તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. તે કેવી રીતે ? તેઓ સામાન્ય મનુષ્યરૂપે જ જન્મ લે છે, પણ પછી કંઈક અંશે પૂર્વ સંસ્કારોને કારણે અને કંઈક વિશેષ પ્રકારની સાધનાના કારણે તેઓ મનુષ્યભવમાં જ તીર્થંક૨પદ પામે છે. તેમનું ઉન્નત જીવન આપણને એ સંદેશો આપે છે કે કોઈ પણ મનુષ્ય તેમની જેમ પ્રયત્ન કરે તો તે તીર્થંકરપદને પામી શકે. ૧ 63 Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન કે જૈન ધર્મમાં તીર્થકરો દેવ તરીકે પૂજનીય જરૂર છે, પણ જગત-સર્જન માટે અથવા તો જગતના સંચાલન માટે કોઈ ઇશ્વરતત્ત્વ જરૂરી છે એવું તેમાં માનવામાં આવતું નથી. જૈન દર્શનના મતે આ સંસારચક્ર ઈશ્વર દ્વારા સંચાલિત નથી, પણ કર્મ દ્વારા સંચાલિત છે. જીવોના કર્મને કારણે જ સંસારચક્ર ગતિમાન પણ છે અને કર્મને કારણે જ સંસારચક્રમાં વ્યવસ્થા પણ છે. અન્ય દર્શનોમાં સ્વીકારાયેલ જગતસર્જક, જગતકર્તા ઈશ્વરના ખ્યાલના સ્થાને જૈન દર્શનમાં કર્મના ખ્યાલને સ્વીકારવામાં આવે છે. મનુષ્યમાંથી દેવ કે તીર્થંકર બનવા માટે આ કર્મના બળને ઘટાડીને આત્મબળ વધારીએ તે જરૂરી હોવાથી જૈન ધર્મમાં આત્મબળ વધારવાની પ્રક્રિયાઓ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. અન્ય દર્શનોની જેમ આત્મબળ વધારવા માટે અથવા તો પ્રગતિ કરવા માટે આત્મા-અનાત્માનો વિવેક અર્થાતુ ભેદાનુભવ કરવો જોઈએ અને રાગ-દ્વેષનો ત્યાગ કરવો જોઈએ એ વાત તો જૈન દર્શને પણ સ્વીકારી સાથેસાથે જૈન દર્શને અહિંસા ઉપર વિશેષ ભાર મૂક્યો, તેથી જ પ્રગતિમાર્ગે આગળ વધતી વખતે નાનાં-મોટાં કોઈ પણ પ્રકારનાં જીવની હિંસા ન થાય તે માટે જૈન ધર્મના આચારોમાં, નિયમોમાં સવિશેષ કાળજી રખાયેલી જોઈ શકાય છે. અહિંસાતત્ત્વનો સ્વીકાર તો અન્ય દર્શનો અને ધર્મોમાં પણ થયો છે, પરંતુ જૈન દર્શન અને ધર્મમાં અહિંસા અંગે જે સૂક્ષ્મતાથી વિચાર થયો છે તે તેનું આગવું પ્રદાન છે.' આચારપ્રધાન જૈન ધર્મના પાયામાં જૈન દર્શનના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પડેલા છે. મનુષ્યમાંથી તીર્થકર બની શકાય એવી જે સાધના છે તેને સમજવા માટે જૈન દર્શનના આ પાયાના સિદ્ધાંતોથી માહિતગાર થવું જરૂરી છે. જૈન દર્શનના મત પ્રમાણે જીવ અને અજીવ આ બે દ્રવ્યોનું બનેલું જગત સત્ છે. આમાં જીવ ચેતન દ્રવ્ય છે અને અજીવ અચેતન દ્રવ્ય છે. જીવ આત્મા કે જીવાત્માના નામે પણ ઓળખાય છે. જે અજીવ દ્રવ્ય છે તેના પાંચ પ્રકાર છે : પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આ પાંચમાં પણ જીવનો સંબંધ મુખ્યત્વે તો પુદ્ગલ સાથે છે, જ્યારે બાકીના ચાર અજીવ દ્રવ્યો (ધર્મ, અધર્મ, આકાશ અને કાળ) સહકારી કે સહાયક દ્રવ્યો છે. વાસ્તવવાદી, વૈતવાદી, અનેકાત્મવાદી દર્શન જૈન દર્શનમાં આત્મા-અનાત્મા કે જીવ-અજીવ વચ્ચેના ભેદનો સ્વીકાર જ્ઞાનસારનું તત્ત્વદર્શન 64 Page #82 -------------------------------------------------------------------------- ________________ કરીને તેમનું વિવેકજ્ઞાન જરૂરી મનાયું છે. જીવ-અજીવ બંનેના વાસ્તવિક અસ્તિત્વનો સ્વીકાર થયો હોવાથી જૈન દર્શન વાસ્તવવાદી તેમ જ દૈતવાદી દર્શન ગણાય છે. વળી પુદગલ કે દેહ(શરીર)થી ભિન્ન આત્માના અસ્તિત્વનો સ્વીકાર થયો હોવાથી તે આત્મવાદી દર્શન પણ મનાય છે. આત્માની સંખ્યા ઘણી છે તેમ જણાવીને પ્રત્યેક શરીરના જુદા જુદા આત્માનો સ્વીકાર થયો હોવાથી જૈન દર્શન અનેકાત્મવાદી દર્શન પણ છે. પદ્રવ્યો તાત્ત્વિક રીતે જૈન દર્શનને સમજવું હોય તો જીવ અને અજીવ એ બંનેનું સ્વરૂપ સમજવું જરૂરી થઈ પડે. અજીવના પાંચ પ્રકારોને લક્ષમાં લેતાં જીવ અને અજીવ મળીને કુલ છ દ્રવ્યોને – પદ્રવ્યોને – સમજવાં પડે. નવ તત્વો જોતાં જીવનને જો ધાર્મિક કે નૈતિક દૃષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીએ તો જૈન દર્શનમાં રજૂ થયેલા નવ તત્ત્વોના ખ્યાલને સમજવો જરૂરી થઈ પડે. આ નવ તત્વોમાં પહેલાં બે તત્ત્વો તો છે જીવ અને અજીવ. એટલે નવ તત્ત્વમાં આ બે તત્ત્વો રૂપે તો પદ્રવ્યોનો સમાવેશ થઈ જ જાય છે. બાકીના તત્ત્વો ક્યા છે ? તે છે : પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આમાં કેટલાક જૈન ચિંતકો પુણ્ય અને પાપનો સમાવેશ અનુક્રમે આસવ અને બંધમાં કરીને સાત તત્ત્વો સ્વીકારે છે. તત્ત્વો સાત માનો કે નવ તે ગૌણ છે, પરંતુ આ તત્ત્વો જીવની બંધન-અવસ્થા અને તેનાં કારણો સાથે તેમ જ જીવની મોક્ષ-અવસ્થા અને તેના ઉપાયો સાથે સંબંધિત છે. બંધનમાંથી છુટકારો મેળવવા માટેના માર્ગને લગતી આચારવિષયક અને સાધનાવિષયક બાબતોનો સમાવેશ પણ આ નીચે વર્ણવેલાં નવ તત્ત્વોમાં થઈ જાય છે. ૧. જીવ “જીવ ચૈતન્યમય દ્રવ્ય છે અને “ઉપયોગનો ગુણ ધરાવે છે. એમ જણાવીને જીવોનાં વિવિધલક્ષી સ્કૂલ-સૂક્ષ્મ વર્ગીકરણ જૈન દર્શનમાં રજૂ થયાં છે. “ઉપયોગ” એટલે બોધરૂપ વ્યાપાર, અને આ બોધનું કારણ છે જીવમાં રહેલી ચેતનાશક્તિ. જૈન દર્શનમાં આ જીવોનાં જે વર્ગીકરણો કરવામાં આવે છે તેનો આછો ખ્યાલ મેળવીએ. નવ તત્વ 65 Page #83 -------------------------------------------------------------------------- ________________ જે જીવો કર્મબંધનમાં ફસાયેલા હોય તે “સંસારી' જીવ કહેવાય છે અને જ્યારે તે જીવ કર્મબંધનમાંથી મુક્ત થઈને પોતાના શુદ્ધતમ સ્વરૂપને પ્રાપ્ત કરે છે ત્યારે તે જીવ “સિદ્ધ' અથવા તો મુક્ત જીવ કે શુદ્ધાત્મા કહેવાય છે. સંસારી જીવના જુદી જુદી દૃષ્ટિએ આ પ્રમાણે પ્રકારો પડે છે : (ક) ગતિશક્તિના આધારે સંસારી જીવના ત્રસ અને સ્થાવર (ચર અને અચર) એ બે પ્રકાર પાડવામાં આવે છે. (ખ) લિંગને આધારે સ્ત્રી, પુરુષ અને નપુંસક આ ત્રણ પ્રકાર પડે છે. (ગ) જીવની અવસ્થાના આધારે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચાર પ્રકાર પડે છે. (ઘ) ઇંદ્રિયની સંખ્યાના આધારે એકેન્દ્રિય, દ્વિઇન્દ્રિય, ત્રિ-ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ પાંચ પ્રકાર પડે છે. (ચ) સ્વરૂપ અને બંધારણની દૃષ્ટિએ પૃથ્વીકાય, અપુકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આ છ પ્રકાર પડે છે. ૨. અજીવ અજીવ એ અચેતન દ્રવ્ય છે. એના પાંચ પ્રકાર આમ છે : (ક) પુદ્ગલ' તે રૂપ, રસ, ગંધ, સ્પર્શના ગુણથી યુક્ત રૂપી દ્રવ્ય છે અને તેને ઇંદ્રિયો દ્વારા અનુભવી શકાય છે. પરમાણુ અને સ્કંધ એ તેના બે પ્રકારો છે. પુદ્ગલમાં બે શબ્દો છે : “પુત્’ અને ‘ગલ'. “પુદુ’ એટલે પૂરણ-વૃદ્ધિ-સંયોજન અને “ગલ” એટલે ગલન-હૃાસ-વિયોજન. આમ પુદ્ગલ એટલે વૃદ્ધિ-હાસ દ્વારા કે સંયોજન-વિયોજન દ્વારા પરિવર્તન પામતું દ્રવ્ય. (ખ-ગ) “ધર્મ' એ જીવોને ગતિમાં સહાયક દ્રવ્ય છે અને “અધર્મ' એ સ્થિતિમાં સહાયક દ્રવ્ય છે. આ બંને દ્રવ્યો ઇંદ્રિયગ્રાહ્ય ન હોવા છતાં તેમના કાર્ય દ્વારા તેમનું અનુમાન કરી શકાય છે. આકાશ' એ નિત્ય, વ્યાપક સૂક્ષ્મ દ્રવ્ય છે અને તે બીજા પદાર્થોને અવકાશ આપે છે. લોકાકાશ અને અલોકાકાશ એ બે તેના પ્રકારો છે. આપણું સમગ્ર વિશ્વ લોકાકાશમાં આવી જાય છે, જ્યારે તેની ઉપર આવેલ અલોકાકાશમાં સજીવ-નિર્જીવ કોઈ પદાર્થ હોતો નથી. (૨) “કાળ' એ નિત્ય, અનંત રૂપરહિત અજીવ દ્રવ્ય છે. તે અવિભાજ્ય અને જ્ઞાનસારનું તત્ત્વદર્શન 66. Page #84 -------------------------------------------------------------------------- ________________ અનસ્તિકાય દ્રવ્ય છે. કાળ એ પદાર્થોના પરિવર્તનનું માધ્યમ છે, સહાયક કારણ છે. ૩-૪. પુણ્ય અને પાપ જૈન દર્શન કર્મને સૂક્ષ્મ દ્રવ્ય માને છે. જીવનમાં જે શુભ કર્મો છે તે પુણ્ય અને અશુભ કર્મો છે તે પાપ કહેવાય છે. શુભ કર્મ કે પુણ્યના ફળસ્વરૂપે જીવને માનસિક શાંતિ, સુખ પ્રાપ્ત થાય છે. તો અશુભ કર્મ કે પાપના ફળસ્વરૂપે જીવને માનસિક અશાંતિ, દુઃખ પ્રાપ્ત થાય છે. “પરંતુ અંતે તો આ બંને પ્રકારનાં કર્મો (પુણ્ય અને પાપ) જીવના કર્મબંધનના કારણરૂપ છે. જૈન દર્શનના મત અનુસાર કર્મ પુદ્ગલનું જ એક સ્વરૂપ છે. અણુરૂપ (સૂક્ષ્મ), નિર્જીવ અને નિષ્ક્રિય એવા આ કર્મ-પુગલો એક પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાતા નથી, કોઈ પણ યંત્ર દ્વારા જોઈ શકાતા નથી, છતાં, વાતાવરણ તથા અવકાશમાં ચારે બાજુ કર્મ વ્યાપ્ત છે, અને કર્મનાં પરિણામોના આવિર્ભાવોમાંથી જ સૃષ્ટિની ઘટનાઓ બન્યા કરે છે. તેથી તો જૈન દર્શનમાં જગન્નિયંતા તરીકે પણ ઈશ્વરની જરૂર મનાઈ નથી. સંસારી જીવો જે કર્મોના બંધનમાં ફસાય છે તે કર્મના મુખ્ય બે પ્રકાર છે : ઘાતી કર્મ અને અઘાતી કર્મ. જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મ અને મોહનીયકર્મ – આ ચાર પ્રકારનાં કર્મો જીવના અનંત ચતુષ્ટય (અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય) ગુણોને ઝાંખા પાડી દે છે તેથી તે કર્મો “ઘાતકર્મ' તરીકે ઓળખાય છે. આયુષ્કર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મ – આ ચાર પ્રકારનાં કર્મો જીવના ગુણોનો નાશ કરતા નથી, પણ તેના સાંસારિક અસ્તિત્વ સાથે સંબંધિત છે તેથી તે “અઘાતકર્મ' તરીકે ઓળખાય છે. 'ચાર પ્રકારના ઘાતકર્મ અને ચાર પ્રકારના અઘાતી કર્મ– એમ કર્મબંધનના આ આઠ પ્રકારોના પેટાપ્રકારો અનેક છે. પ-૭. આસવ અને બંધ કર્મનો ચાલ્યો આવતો પ્રવાહ તે “આસવ' છે. જીવને કર્મબંધન કેવી રીતે થાય છે તે વાત એક દષ્ટાંતથી સ્પષ્ટ થાય છે. જેમ શરીર ઉપર તેલ લગાડ્યું નવ તત્વ 67 Page #85 -------------------------------------------------------------------------- ________________ હોય ત્યારે તેના પર ધૂળના બારીક રજકણ આવીને એલરૂપે ચોંટે છે તેમ આત્મા જ્યારે રાગ-દ્વેષથી ખરડાઈને ક્રિયા કરે છે ત્યારે શુભ અને અશુભ કર્મના સૂક્ષ્મ કણો બંધનરૂપે તેને ચોંટે છે. “મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ (મન-વચન-કાયાની ક્રિયા તે યોગ)ને કારણે જીવને કર્મબંધન થાય છે.૧૦ આમાં પણ ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયો મુખ્ય કારણ છે. કર્મબંધનનો સમય પૂરો થાય ત્યારે આત્મા મુક્તાવસ્થા કે મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રશ્ન થાય કે આ કર્મબંધનનો સમય કોણ નકકી કરે ? વેશ્યા તેનો સમય નક્કી કરે છે. દીવાલ પર ચોંટાડેલ ચિત્ર કેટલો સમય ચોંટેલું રહેશે તેનો આધાર તેમાં વપરાયેલ ગુંદર જેવા પદાર્થની જાત ઉપર આધાર રાખે છે તેમ આત્માને ચોંટેલા કર્મપુદ્ગલો કેટલો સમય ચોંટેલા રહેશે તેનો સમય લેશ્યા નક્કી કરે છે.૧૧ જીવ અનાદિકાળથી કર્મબંધનમાં ફસાયેલ હોવા છતાં પ્રયત્ન દ્વારા બંધમાંથી મુક્તિ મેળવી શકે છે. મુક્તિ કેવી રીતે શક્ય બને તે સમજવા માટે “સંવર' અને નિર્જરાનો ખ્યાલ જાણવો જોઈએ. ૭-૮. સંવર અને નિર્જરા આસવ એ કર્મનો ચાલ્યો આવતો એવો પ્રવાહ છે કે જેને અટકાવીએ તો જ મુક્તિ મળે. આ પ્રવાહને કેવી રીતે રોકી શકાય તે સમજીએ. કોઈ જગ્યાએ સતત ગંદા પાણીનો પ્રવાહ ભેગો થતો હોય તો પ્રથમ તો તે પાણીના પ્રવાહને પ્રવેશસ્થાન પરથી જ રોકી દેવો પડે જેથી નવું ગંદું પાણી ત્યાં આવે નહીં. પછી જે પાણી ત્યાં આવી ગયું છે તેના નિકાલની પ્રક્રિયા જરૂરી થઈ પડે, જેથી ત્યાં ગંદું પાણી રહેવા ન પામે. તો આ પ્રવાહને રોકવાની ક્રિયા તે “સંવર' અને સંચિત પાણીનો નિકાલ કરવાની, તેને ખાલી કરવાની ક્રિયા તે નિર્જરા”. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય, ચારિત્ર વગેરે દ્વારા જીવમાં નવાં કર્મોના પ્રવેશને આવતાં રોકીએ તે “સંવર' કહેવાય છે અને જે કર્મો જીવમાં પ્રવેશી ચૂક્યાં છે તે કર્મોનો તપ, ધ્યાન વગેરે દ્વારા ક્ષય કરવામાં આવે તે નિર્જરા' કહેવાય છે. જેમ કેટલાંક ફળ પાકી જતાં આપોઆપ વૃક્ષ ઉપરથી ખરી પડે છે તેમ કેટલાંક કર્મો પણ તેની અવધિ પૂરી થતાં પાકી જઈને, ભોગવાઈને ખરી પડે છે. કર્મબંધનના વહેતા પ્રવાહરૂપ આમ્રવને સંવરથી રોકીએ અને નિર્જરાથી તેનો નિકાલ કરીએ ત્યારે મોક્ષાવસ્થાની પ્રાપ્તિ શક્ય બને છે. જ્ઞાનસારનું તત્ત્વદર્શન 68 Page #86 -------------------------------------------------------------------------- ________________ ૯. મોક્ષ સર્વ કર્મોનો સંપૂર્ણ ક્ષય થતાં જીવ સંસારચક્રમાંથી મુક્ત થાય તે સ્થિતિ તે મોક્ષ છે. જેમ વાદળાં ખસી જતાં સંપૂર્ણ સૂર્ય પ્રકાશમાન થાય છે, તેમ કર્મનાં આવરણો ખસી જતાં આત્માના બધા ગુણો પ્રકાશમાન થાય છે. એક તુંબડી ઉપર માટીનો લેપ કરીએ અને તેને પાણીમાં નાખીએ તો માટીના લેપના કારણે ભારે બની જવાથી પહેલાં તો તે પાણીમાં ડૂબી જાય છે. પરંતુ જેમ જેમ પાણીમાં પલળી પલળીને તેની માટી દૂર થતી જાય તેમ તેમ તુંબડી હલકી બનતી જાય છે. આ રીતે જ્યારે મોટી સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યારે તે હલકી બનવાથી પાણીમાં તરવા માંડે છે. આ જ રીતે કર્મરૂપ મેલથી આત્મા ભારે બની જાય છે, પણ જેમ જેમ આ મેલ દૂર થતો જાય છે તેમ તેમ આત્મા ઊર્ધ્વગતિ પામે છે. આ પ્રક્રિયા દરમ્યાન જ્યારે કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે આત્મા સર્વોચ્ચ અવસ્થારૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. માનવદેહ દ્વારા સ્વપ્રયત્ન અને પુરુષાર્થથી મોક્ષ શક્ય બને છે. જે જે સંસારી જીવો બંધનમાંથી મુક્તિ ઇચ્છે છે, તેને મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ નવ તત્ત્વોનું જ્ઞાન હોવું આવશ્યક છે. આ જ્ઞાનના પ્રકાશમાં વ્યક્તિ પોતાનાં દોષોને દૂર કરીને ઉત્તરોત્તર પ્રગતિના માર્ગે આગળ વધી શકે છે અને ક્રમશઃ જીવનના અંતિમ ધ્યેય મોક્ષ સુધી પહોંચી શકે છે. આ માટે તેણે પોતે જ પ્રયત્ન કરવાનો છે. કોઈની કૃપામાત્રથી નહીં, પણ પુરુષાર્થથી જીવ પોતાના શુદ્ધતમ સ્વરૂપ સુધી પહોંચવા શક્તિમાન બને છે. જૈન દર્શનમાં સ્વીકારાયેલા આ પદ્રવ્ય અને નવ તત્ત્વના સિદ્ધાંતો “જ્ઞાનસાર' દ્વારા લોકો સમક્ષ રજૂ કરવાનો કોઈ સીધો આશય તો ઉપાધ્યાયજી મહારાજનો નથી, કારણ કે આ ગ્રંથ એ માત્ર તાત્ત્વિક ચર્ચાનો ગ્રંથ નથી. છતાં પણ જૈન દર્શનના આ સિદ્ધાંતોમાં ગર્ભિત રીતે રહેલા ગુણોનો પરિચય લોકોને થાય તેવી રજૂઆત “જ્ઞાનસારમાં આપણને દૃષ્ટિગોચર થાય છે. સરળ લૌકિક દૃષ્ટાંતો આપીને સામાન્ય પ્રજા ગહન તત્ત્વો કે સિદ્ધાંતો પણ સરળતાથી સમજે તેવી તેમની કુશળતામાં તેમની લોકાનુગ્રાહકતાનાં દર્શન આપણને થાય છે. નવ તત્વ 69 Page #87 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ ૧. વિશેષ સ્પષ્ટતા માટે જુઓ : ‘જૈનધર્મચિંતન', પૃ. ૩૫-૩૬. ૨. આ અંગે ડૉ. દાસગુપ્તા જણાવે છે : "The principle of extreme carefulness not to destroy any living being has been in monastic life carried out to its very last consequences, and has shaped the conduct of the laity in a great measure. No layman will intentionally kill any living being, not even an insect, however troublesome. He will remove it carefully without hurting it. The principle of not hurting any living being thus bars them from many professions such as agriculture etc. and has thrust them into commerce." ‘A History of Indian Philosophy', p. 173 ૩. (ક) “Jainism is a System of Realism, Dualism and Pluralism." 'Traverses on less trodden path of Indian Philosophy and Religion,', p. 17 (ખ) જૈનદર્શન આત્મવાદી છે પણ એકાત્મવાદી-બ્રહ્મવાદી નહીં, અનેકાત્મવાદી છે, જગતને એ સત્ય માને છે.” - ‘ચિત્તવિચારસંવાદ’, પૃ. ૩૯ ૪.દા.ત. (ક) ‘પ્રશમતિ'માં નવ તત્ત્વો આ રીતે રજૂ થયાં છે. " जीवाजीवाः पुण्यं पापास्रवसंवराः सनिर्जरणाः । बन्धो मोक्षश्चैते सम्यक् चिन्त्या नव पदार्थाः । ।” (ખ) ‘તત્ત્વાર્થસૂત્ર'માં સાત તત્ત્વો આ રીતે રજૂ થયાં છે. “जीवाजीवास्रवबंधसंवरनिर्जरामोक्षास्तत्त्वम् । ” ૫. (ક) ‘‘૩પયોનો તાળું, ચેતનાતક્ષો નીવ।” ‘પ્રશમરતિ’, શ્લો. ૧૮૯ - ‘તત્ત્વાર્થસૂત્ર’, અધ્યાય ૧, સૂત્ર ૪ - ‘ષડૂદર્શનસમુચ્ચય’ ટીકા, પૃ. ૨૩૧ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 70 Page #88 -------------------------------------------------------------------------- ________________ . (५) "उपयोगो लक्षणम् ।" - तत्वार्थसूत्र', अध्याय २, सूत्र ८ ૬. (ક) “પ્રશમરતિમાં જીવોનાં વિવિધલક્ષી વર્ગીકરણ રજૂ કરતાં કહેવાયું છે : "जीवा मुक्ताः संसारिणश्च संसारिणस्त्वनेकविधाः । लक्षणतो विज्ञेया द्वित्रिचतुष्पञ्जषड्भेदाः ।। द्विविधाश्चराचराख्यास्त्रिविधाः स्त्रीपुंनपुंसका ज्ञेयाः । नारकतिर्यग्मानुषदेवाश्च चतुर्विधाः प्रोक्ताः ।। पग्चविधास्त्वेकद्वित्रिचतुष्पश्चन्द्रियास्तु निर्दिष्टाः क्षित्यम्बुवह्मिपवनतरवस्त्रसाश्चेति षड्भेदाः ।।" - प्रशभरति', दो. १८०-१८२ (4) हुमो : 'तत्वार्थसूत्र', अध्याय २, उसने ४. (1) हुमो : हैनशन' (तुर), पृ. ७३-७८. (घ) मो : 'छैन शन' (881), पृ. ५१-५८. ७. “धर्माधर्माकाशानि पुद्गलाः काल एव चाजीवाः ।।" ___- 'प्रशमति', eो. २०७ (24) "पुद्गलकर्म शुभं यत् तत्पुण्यमिति जिनशासने दृष्टम् । यद्शुभमथ तत्पापमिति भवति सर्वज्ञनिर्दिष्टम् ।। योगः शुद्धः पुण्यास्रवस्तु पापस्य तद्विपर्यय: ।” - 'प्रशभति', eो. २१८-२२० (4) “शुभः पुण्यस्य । अशुभ: पापस्य ।" - तत्त्वार्थसूत्र', 1.5, सूत्र 3, ४ ८. "स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । रागद्वेषक्लिन्नस्य कर्मबन्धो भवत्येवम् ।।" - 'प्रशमति', दो. ५५ १०. (5) “मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः ।।" ___- 'तत्वार्थसूत्र', स. ८, सूत्र १ (५) “मिथ्यादृष्टयविरमणप्रमादयोगास्तयोर्बलं दृष्टम् । तदुपगृहीतावष्टविधकर्मबन्धस्य हेतू तौ ।।" ___ - 'प्रशमति', al. 33 नवतत्व 71 Page #89 -------------------------------------------------------------------------- ________________ ११. “प्रकृतिरियमनेकविधा स्थित्यनुभावप्रदेशतस्तस्याः । तीब्रो मन्दो मध्य इति भवति बन्धोदयविशेषः ।। तत्र प्रदेशबन्धो योगात् तदनुभवनं कषायवशात् । स्थितिपाकविशेषस्तस्य भवति लेश्याविशेषेण ।। ताः कृष्णनीलकापोततैजसीपद्मशुक्लनामानः । श्लेष इव वर्णबन्धस्य कर्मबन्धस्थितिविधात्र्यः ।।" __- 'प्रशरभात', el. 35-3८ १२. (3) "वाक्कायमनोगुप्तिनिरास्रवः संवरस्तूक्तः ।। संवृततपउपधानात्तु निर्जरा कर्मसन्ततिर्बन्धः ।" - 'प्रशभति', सो. २२०-२२१ (५) “आस्रवनिरोधः संवरः ।। स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः ।। तपसा निर्जरा च ।। - 'तत्त्वार्थसूत्र', म.., सूत्र १-3 १३. “कृत्स्नकर्मक्षयो मोक्षः ।" - 'तत्त्वार्थसूत्र', म. १०, सू. 3 જ્ઞાનસારનું તત્ત્વદર્શન 72 Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨ “જ્ઞાનસાર” - વિશ્લેષણ અને મૂલ્યાંકન tr Page #91 -------------------------------------------------------------------------- ________________ Page #92 -------------------------------------------------------------------------- ________________ તત્વવિભાવના જે ન દર્શનના મત અનુસાર જગત “જીવ” અને “અજીવ' આ બે દ્રવ્યોનું બનેલું છે. જગતનાં ઘટકરૂપ આ બે દ્રવ્યોમાં જીવ ચેતન દ્રવ્ય છે અને અજીવ અચેતન દ્રવ્ય છે. “જ્ઞાનસાર' એ મુખ્યત્વે આચાર અને સાધના સાથે સંકળાયેલ ગ્રંથ હોઈ તેમાં જગત, જીવ, અજીવ વગેરેને લગતી તાત્ત્વિક ચર્ચાઓ રજૂ ન થઈ હોય તે સ્વાભાવિક છે. છતાં “જ્ઞાનસાર'ના શ્લોકોમાંથી જગત' અંગે તથા તેના ઘટકરૂપ બંને દ્રવ્યો “જીવ' અને “અજીવ' અંગે જે બાબતો તારવી શકાય તેમ છે તે જોઈએ. જગત સાધક કે મુનિ કે યોગીને લગતી “જ્ઞાનસાર'ની વિચારણામાં ક્યાંક ક્યાંક જગતનો ઉલ્લેખ થયેલો છે. જેમકે : (ક) ચરાચર જગત આત્માથી અભિન્ન યોગી વ્યક્તિ જગતને કેવી રીતે જુએ છે ? “યોગી કર્મકત ભેદને ગૌણ કરીને બ્રહ્મના અંશરૂપ સમગ્ર ચરાચર જગતને આત્માથી અભિન્ન જુએ છે.” (૬)૨) અહીંયાં સમગ્ર ચરાચર જગતની જે વાત 75 Page #93 -------------------------------------------------------------------------- ________________ કરી છે તે ખાસ ધ્યાન ખેંચે તેવી છે. જગતના ચર એટલે જંગમ, ત્રણ કે ચલ તત્ત્વો અને અચર એટલે સ્થાવર કે સ્થિર તત્ત્વો. તે બધાને યોગી વ્યક્તિ બ્રહ્મસ્વરૂપ જ જુએ છે. કર્મને કારણે જે ભેદો પેદા થાય છે તેને, એટલે કે પર્યાયાસ્તિક નયને ગૌણ કરીને અને બ્રહ્મના અંશરૂપ મૂળ સ્વરૂપને, એટલે કે દ્રવ્યાસ્તિક નયને મુખ્ય ગણીને યોગી વ્યક્તિ ચરાચર જગતને આત્માથી અભિન્ન જુએ છે. (ખ) સમતાવાન મુનિ ચરાચરમાં અતુલનીય ચરાચર જગતનો ઉલ્લેખ બીજી રીતે પણ જોઈ શકાય છે. “જે મુનિનો સમતારસ સતત વૃદ્ધિ પામ્યા કરે છે તેની સાથે સરખામણી કરી શકાય તેવો કોઈ પદાર્થ ચરાચરમાં, એટલે કે જગતમાં નથી.” (૩/૬) ચરાચર જગતમાં એવી કોઈ વસ્તુ, એવો કોઈ પદાર્થ નથી, જેની સરખામણી એવા મુનિ સાથે કરી શકાય કે જેનો સમતારસ એટલે કે ઉપશમભાવ સતત વધ્યા કરે છે. અહીં સમતારસનું મહત્ત્વ સંક્ષેપમાં પણ ખૂબ સૂચક રીતે દર્શાવ્યું છે. (ગ) જગતના તત્ત્વને જાણે તે મુનિ જે જગતના તત્ત્વને જાણે તે મુનિ – એમ તીર્થંકર ગણધરોએ કહેલ છે.” (૧૩/૧) અર્થાત્ જગતનાં તત્ત્વનું જ્ઞાન હોવું એ “મુનિપદની વ્યુત્પત્તિના નિમિત્તરૂપ છે. જે મુનિ છે તેને જગતના મૂળ તત્ત્વનું જ્ઞાન તો હોય જ, તે અપેક્ષિત છે. (૧) સ્યાદ્વાદથી જગતને જાણનારમાં સાક્ષીભાવ જે સાધક છે તેનામાં કર્તાપણું નહીં પણ સાક્ષીપણું હોય છે. “પોતાના સ્વાભાવિક આનંદમાં (સહજાનંદમાં) મગ્ન થયેલા અને જગતના તત્ત્વનું એટલે કે જગતના શુદ્ધ સ્વરૂપનું સ્યાદ્વાદ વડે પરીક્ષણ કરીને અવલોકન કરનાર આત્માને અન્ય ભાવોનું એટલે કે આત્માથી ભિન્ન બીજા પદાર્થોનું કર્તાપણું નથી, પણ સાક્ષીપણું બાકી રહે છે.” (૨/૩) સહજાનંદમાં મગ્ન સાધક વ્યક્તિ જગતના મૂળ સ્વરૂપને સ્યાદ્વાદ દ્વારા જાણીને સાક્ષીભાવે મસ્ત રહે છે. આત્માથી અભિન્ન અને બ્રહ્મસ્વરૂપ એવા ચરાચર જગતના તત્ત્વને સ્યાદ્વાદ વડે જાણીને સહજાનંદમાં મગ્ન મુનિ સાક્ષીભાવે જ રહે છે – આ સાધક માટેની આવશ્યક કહી શકાય એવી બાબતોનો ઉલ્લેખ જગત અંગેના આ શ્લોકોમાં થયેલો જોઈ શકાય છે. જગત અંગેની બીજી કોઈ તાત્ત્વિક ચર્ચા કે કોઈ ઉલ્લેખ “જ્ઞાનસાર”માં થયેલ નથી. જ્ઞાનસારનું તત્ત્વદર્શન 16. Page #94 -------------------------------------------------------------------------- ________________ જગતનાં ઘટકરૂપ બે દ્રવ્યોમાંના એક ચેતનસ્વરૂપ જીવના જુદા જુદા પ્રકારોમાંથી જીવના એક પ્રકારરૂપ શુદ્ધાત્માના સ્વરૂપનો ખ્યાલ આવે તેવી વિચારણા જ ‘જ્ઞાનસાર'માં મુખ્ય છે. સંસારી જીવના જે જુદા જુદા પ્રકારો છે તેનો ઉલ્લેખ લગભગ ક્યાંય થયેલો નથી. જીવ શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે ? અથવા તો શુદ્ધાત્મામાં કયા કયા ગુણો રહેલા છે ? એ પ્રશ્નના જવાબરૂપે નીચેના ગુણો તા૨વી શકાય તેમ છે : - (ક) જ્ઞાનસ્વરૂપ શુદ્ધ આત્મા જ્ઞાનસ્વરૂપ છે એ વાત ઘણી જગ્યાએ, જુદી જુદી રીતે સ્પષ્ટ થઈ છે. દા.ત. (૧) “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું અને શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે એમ વિચારવું તે મોહને હણવાનું આકરું શસ્ત્ર છે.”(૪/૨) અહીંયાં શુદ્ધ જ્ઞાન એટલે કેવળજ્ઞાન તે અર્થ ટબામાં સ્પષ્ટ કર્યો છે. ‘મારો' એટલે આત્માનો એમ અર્થ લેતાં આત્મા તેના શુદ્ધ સ્વરૂપે જ્ઞાનમય છે તેમ અહીં જણાવાયું છે. (૨) “જેમ દીવાની ઊંચે અને નીચે ગમન કરવારૂપ બધી જ ક્રિયા પ્રકાશમય હોય છે, તેમ અન્ય સ્વભાવે (એટલે પુદ્ગલભાવે) નહીં પરિણામ પામેલા આત્માની આહાર-વ્યવહારાદિક સઘળી ક્રિયા જ્ઞાનમય છે.” (૧૩૮) જીવાત્મા જેમ જેમ પોતાના શુદ્ધતમ સ્વરૂપની નજીક જાય છે તેમ તેમ તેની સર્વ ક્રિયા જ્ઞાનમય બનતી જાય છે. (૩) “જેમ ડુક્કર વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હંસ માનસરોવરમાં મગ્ન થાય છે તેમ જ્ઞાની જ્ઞાનમાં મગ્ન થાય છે.” (૫૧) જેમ જેમ જીવાત્માની પ્રગતિ થાય છે તેમ તેમ તે જ્ઞાનની નજીક પહોંચે છે અને જ્ઞાનમય વાતાવરણમાં મગ્ન બને છે. અહીં શુદ્ધાત્માનું જ્ઞાનસ્વરૂપ સૂચવાયું છે. (૪) જે સાધક છે તેણે પોતાનું મન શેમાં સ્થિર કરવાનું છે ? “ઇન્દ્રિયોને સંકોરીને, પોતાના મનને આત્મ-દ્રવ્યમાં એકાગ્ર કરીને ચિન્માત્ર એટલે જ્ઞાનમાત્રને વિષે સ્થિરતા ધારણ કરતો આત્મા મગ્ન કહેવાય છે.”(૨/૧) સાધક આત્મદ્રવ્યમાં એકાગ્રતા રાખીને ‘જ્ઞાન’માં સ્થિરતા ધારણ કરે તે જરૂરી છે. તત્ત્વવિભાવના 77 Page #95 -------------------------------------------------------------------------- ________________ (૫) “જ્ઞાનીને પોતાના જ્ઞાનાદિ ગુણો વડે અવિનશ્વર તૃપ્તિ મળે છે. જ્યારે વિષયો વડે થોડા કાળની તૃપ્તિ મળે છે.” (૧૦/૨) અહીં વિષયો એટલે ઇન્દ્રિયના વિષયો દ્વારા મળતી તૃપ્તિ ક્ષણિક હોય છે તેમ જણાવીને જ્ઞાનાદિ ગુણો એટલે દર્શન, જ્ઞાન, ચારિત્રના ગુણો દ્વારા અવિનશ્વર તૃપ્તિ મળે છે તેમ દર્શાવીને દર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણ ગુણોનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું છે. આત્માની અંતિમ અવસ્થા જ્ઞાનસ્વરૂપ છે તે બાબત એક યા બીજી રીતે અહીં સૂચવાઈ છે. (ખ) પૂર્ણાનંદસ્વરૂપ શુદ્ધ આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે તે બાબત પહેલા પૂર્ણતા-અષ્ટકના શ્લોકોમાં ભારપૂર્વક જણાવી છે, તેમ જ અન્યત્ર પણ તે વાત સમજાવી છે, જેમ કે: (૧) “સતુ” (સત્તા), ચિત્ (જ્ઞાન) અને આનંદ (સુખ)થી પરિપૂર્ણ જ્ઞાનીને સર્વ જગત દર્શન, જ્ઞાન, ચારિત્રથી પૂર્ણ દેખાય છે.” (૧૧) સુખી વ્યક્તિને જેમ જગત સુખી જણાય છે તેમ સચ્ચિદાનંદથી પૂર્ણ જ્ઞાનીને જગત પણ પૂર્ણ જણાય છે. જ્ઞાની પુરુષ સચ્ચિદાનંદમય હોય છે. (૨) “આ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન એટલે કે શુદ્ધ સ્વભાવવાળો આત્મા સ્થિર-નિશ્ચલ સમુદ્ર જેવો છે.” (૧/૩) તે કેવી રીતે ? જેમ તરંગો કે મોજાંઓથી લાગતી સમુદ્રની પૂર્ણતા કલ્પિત પૂર્ણતા છે, તેમ “હું ધનવાન છું, હું રૂપવાન છું, હું પુત્ર-સ્ત્રીવાળો છું” વગેરે સંકલ્પ, વિકલ્પોથી કે અવસ્તુથી ઉદ્ભવેલી પૂર્ણતા કલ્પિત કે જૂઠી પૂર્ણતા હોય છે. જ્યારે પૂર્ણાનંદરૂપ આત્મા, શુદ્ધ સ્વભાવવાળો આત્મા તો સ્થિર સમુદ્રના જેવો પ્રશાંત હોય છે, તે જ્ઞાનાદિ રત્નો વડે પૂર્ણ હોય છે. આ પૂર્ણતા પરની અર્થાત્ અન્યની ઉપાધીથી માની લીધેલી પૂર્ણતા નથી, પણ જાતવંત રત્નની જેમ સ્વભાવસિદ્ધ પૂર્ણતા છે. (૧૨) . (૩) “આ પૂર્ણાનંદરૂપ શુદ્ધ આત્માનો સ્વભાવ જગતને આશ્ચર્ય કરનાર છે, કારણ કે તેવો શુદ્ધ આત્મા ધનધાન્યાદિ પુદ્ગલથી અપૂર્ણ હોવા છતાં તે આત્મિક ગુણોથી પૂર્ણ હોય છે.” (૧/૬). (૪) “ઇન્દ્રિયને અગોચર અને માત્ર અનુભવગમ્ય એવી જે તૃપ્તિ પોતાના નિર્ભેળ શાંતરસના અનુભવથી થાય છે તે તૃપ્તિ જિહુવેન્દ્રિય દ્વારા પરસના ચાખવાથી પણ થતી નથી.”(૧૦૩) અહીં જે શાંતરસની વાત કરી છે તે આનંદસ્વરૂપ આત્મામાં જ શક્ય બને છે. જે પૂર્ણાનંદસ્વરૂપ આત્મા છે, તે શાંતરસથી અતીન્દ્રિય તૃપ્તિનો અનુભવ કરી શકે છે. જ્ઞાનસારનું તત્ત્વદર્શન 78. Page #96 -------------------------------------------------------------------------- ________________ (૫) “જ્ઞાનમાં મગ્ન થયેલા આત્માને જે સુખ છે તે વર્ણવી શકાય તેવું નથી, તે સ્ત્રીના આલિંગનના સુખ સાથે કે બાવનાચંદનના વિલેપનની સાથે પણ સરખાવવા યોગ્ય નથી. અને આ સિવાય તો આ સુખ માટે સંસારમાં બીજી કોઈ ઉપમા નથી.” (૨/૬) જ્ઞાનમાં મગ્ન થયેલાને જે સુખ, જે આનંદનો અનુભવ થાય છે તે અનુપમ છે. આત્મા જ્યારે સર્વોચ્ચ અવસ્થાએ પહોંચે છે, ત્યારે જ્ઞાનમગ્ન અવસ્થામાં મળતું સુખ તો જે અનુભવે તે જ જાણે, અર્થાત્ તે અવસ્થા અનંત આનંદમય છે. (ગ) નિત્યતા શુદ્ધ આત્મામાં નિત્યતાનો ગુણ પણ હોય છે. “જે આત્માને નિત્ય અર્થાત્ સદા અવિચલિત સ્વરૂપવાળો જાણે છે અને પરસંયોગને અનિત્ય (અસ્થિર, વિનશ્વર) દેખે છે તેનું છલ (છિદ્ર) મેળવવાને મોહરૂપ ચોર પણ સમર્થ થતો નથી.” (૧૪૨) પરસંયોગમાત્ર અનિત્ય છે, વિનશ્વર છે, નાશવંત છે; જ્યારે આત્મા નિત્ય છે, અવિનાશી છે, સદા અવિચલિત સ્વરૂપવાળો છે તેવી સ્પષ્ટ સમજણ જેને હોય છે તે પ્રગતિ કરી શકે છે. () નિર્મળતા “આત્માનું સહજ (સ્વભાવસિદ્ધ) સ્વરૂપ સ્ફટિકના જેવું નિર્મળ છે, પરંતુ જડ વ્યક્તિ તેમાં ઉપાધિનો સંબંધ સ્થાપીને મૂંઝાય છે, મોહ પામે છે.” (૪૬) સ્ફટિક પોતે તદ્દન નિર્મળ છે, પારદર્શક છે; પરંતુ કાળા અને રાતા ફૂલના યોગથી તે કાળો અને રાતો કહેવાય છે. તેનો અર્થ એ નથી કે કાળા હોવું અને રાતા હોવું એ સ્ફટિકનો મૂળ સ્વભાવ છે. તે જ રીતે ઘણા જડ, અવિવેકી જીવો પરવસ્તુમાં આત્મભાવને આરોપીને સુખ માને તો તે મિથ્યા સુખ છે, કે પછી શુદ્ધ આત્મદ્રવ્યને ઉપાધિના સંબંધથી એકેન્દ્રિય આદિ જાણે તે અવિવેક છે. શુદ્ધ આત્માનો મૂળ સ્વભાવ તો સ્ફટિક જેવો તદ્દન નિર્મળ છે, પારદર્શક છે. તેની સામે જે વસ્તુ આવે તેનું સ્વચ્છ પ્રતિબિંબ તેનામાં પડે છે. આ જ વાત બીજી રીતે પણ નિરૂપાઈ છે. “જેનું જ્ઞાનયુક્ત અનુષ્ઠાન (આચરણ) દોષરૂપ કાદવથી લેપાયેલું નથી એવા શુદ્ધ (નિર્મલ), બુદ્ધ (ટંકોત્કીર્ણ) જ્ઞાનમય સ્વભાવવાળા ભગવંતને નમસ્કાર હો.”(૧૧|૮) ભગવંત કેવા છે ? તત્ત્વવિભાવના 79 Page #97 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ-બુદ્ધ-જ્ઞાનમય સ્વભાવવાળા છે. ભગવંત એટલે શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચેલો આત્મા. તેની સઘળી ક્રિયાની પાછળ જ્ઞાન રહેલું હોય છે, તેથી દોષરૂપ કાદવ તેને લાગતો નથી અર્થાત્ તે નિર્મળ હોય છે. આમ આત્માના સ્વરૂપમાં નિર્મળતાનો ગુણ પણ હોય છે. (૨) સમાનતા પ્રત્યેક આત્મા મૂળભૂત રીતે તો સમાન જ હોય છે. “શુદ્ધ નયથી વિચારીએ તો શુદ્ધ (સહજ) પર્યાયો પ્રત્યેક આત્મામાં તુલ્યપણે (સમાનપણે) છે તેથી, અને અશુદ્ધ (વિભાવ) પર્યાયો તુચ્છ હોવાથી જેની સર્વ નયમાં મધ્યસ્થ પરિણતિ છે તેવા મહામુનિને તે અભિમાનના કારણરૂપ થતા નથી.” (૧૮/૬) નાના કે મોટા કોઈપણ જીવનો આત્મા, મૂળભૂત રીતે શુદ્ધ નયથી વિચારીએ તો સમાન જ છે, એ હકીકત જેને શાત છે તે મહામુનિ જીવમાત્રના અશુદ્ધ પર્યાયોને તુચ્છ ગણે છે અને જીવમાત્રને સમાન જ ગણે છે. પ્રત્યેક આત્મામાં શુદ્ધ પર્યાયો સમાન છે અને તે જ સ્વભાવભૂત છે તે બાબત પર અહીં ભાર મુકાયો છે. (છ) રૂપરહિતતા આત્મા તેના શુદ્ધ સ્વરૂપે રૂપરહિત પણ છે. તે કેવી રીતે ? બાહ્ય રૂપને જોનારી રૂપવતી એવી પૌદ્ગલિક દૃષ્ટિ અને આંતરિક સ્વરૂપને જોનારી રૂપરહિત એવી તત્ત્વદૃષ્ટિના ભેદ દ્વારા શુદ્ધાત્માની રૂપરહિતતાનો ખ્યાલ આવે છે. “રૂપવાળી (રૂપાસક્ત) પૌદ્ગલિક દૃષ્ટિ રૂપને દેખીને તેમાં મોહ પામે છે અને રૂપરહિત એવી તત્ત્વદૃષ્ટિ તો રૂપરહિત આત્મામાં મગ્ન થાય છે.” (૧૯/૧) તત્ત્વદૃષ્ટિ રૂપરહિત છે, કારણ કે વસ્તુના મૂળ સ્વરૂપને જાણવા માટે તેને બાહ્ય રૂપને ભેદીને અંદર પ્રવેશવું પડે છે, અને ત્યાં બાહ્ય રૂપને જાણવા માટે જે ઇન્દ્રિયોની શક્તિઓ ખપ લાગે છે તે ઇન્દ્રિયોની શક્તિની મર્યાદા આવી જાય છે. આત્મા તેના મૂળભૂત સ્વરૂપે રૂપરહિત છે એટલે તે ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે; તેને જાણવા માટે રૂપરહિત એવી તત્ત્વદૃષ્ટિ જ શક્તિમાન છે. જૈન દર્શનમાં ચેતનસ્વરૂપ આત્માને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય આ અનંત ચતુષ્ટયથી યુક્ત માનવામાં આવે છે. સંસારી જીવો કર્મના આવરણથી ઢંકાયેલા હોવાથી આ અનંત ચતુષ્ટયનો અનુભવ તેમને થતો નથી, પરંતુ આ આવરણ જેમ જેમ દૂર થતાં જાય તેમ તેમ તેના શુદ્ધ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 80 Page #98 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપમાં આ અનંત ચતુષ્ટયનો પ્રાદુર્ભાવ થતો જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આત્મા જ્યારે તેનું શુદ્ધતમ સ્વરૂપ પ્રાપ્ત કરે ત્યારે તેનામાં આ અનંત ચતુષ્ટય પૂર્ણ સ્વરૂપે જોવા મળે છે. શુદ્ધ આત્માના આ જે સ્વીકૃત ગુણો છે તેનાથી જુદી રીતે શુદ્ધાત્માના ગુણો અહીં રજૂ થયા છે. શુદ્ધાત્માના જ્ઞાનસ્વરૂપ અને પૂર્ણાનંદસ્વરૂપમાં તો અનંત જ્ઞાન અને અનંત સુખનો સમાવેશ થઈ જાય છે. અનંત દર્શન અને અનંત વીર્યનો ઉલ્લેખ ભલે ન થયો હોય પણ આ સિવાયના નિત્યતા, નિર્મળતા, સમાનતા, રૂપરહિતતાના ગુણોનો ઉલ્લેખ મૌલિક રીતે થયો છે. બીજાઓ કરતાં જુદી રીતે શુદ્ધાત્માના ગુણો અહીં રજૂ થયા છે. અજીવ અજીવના પાંચ પ્રકારોમાંથી ‘ધર્મ’, ‘અધર્મ’, ‘આકાશ’ અને ‘કાળ’ – આ ચારને લગતી તાત્ત્વિક ચર્ચા ‘જ્ઞાનસાર’માં ક્યાંય નથી, ‘પુદ્ગલ' વિષે પણ જે રજૂઆત થઈ છે તેમાં પણ ‘પુગલ’ અને ‘જીવ’નો જે ભેદ છે તેની ૫૨ જ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, ‘પુદ્ગલ’ના સ્વરૂપની, પ્રકારોની કોઈ વાત રજૂ થઈ નથી. (ક) દેહ, ઘર, ધન વગેરે પુદ્ગલોમાં મમત્વ ‘આ દેહ મારો છે’, ‘આ ઘર મારું છે’, ‘આ ધન મારું છે' એમ કહીને, જ્યારે દેહ, ઘર, ધન જેવી આત્માથી ભિન્ન વસ્તુઓમાં એટલે કે પુદ્ગલમાં મમત્વભાવ ધારણ કરવામાં આવે છે ત્યારે તે બંધન પેદા કરે છે. સામાન્ય રીતે એમ બને છે કે જે વ્યક્તિ કોઈના પર ગાળિયો નાખે છે ત્યારે નાખનાર વ્યક્તિ મુક્ત રહે છે અને જેના ૫૨ તે ગાળિયો નાખે તે વ્યક્તિ, પશુ, પક્ષી કે વસ્તુ બંધનમાં આવી જાય છે. પણ જ્યારે આપણે એમ કહીએ કે ‘આ દેહ, ઘર, ધન વગેરે મારાં છે' ત્યારે તેનાથી દેહ વગેરે તો બંધાતા નથી, પણ ગાળિયો (પાશ) નાખનાર આત્મા પોતે બંધનમાં આવી પડે છે. (૧૪/૬) દેહાદિ પુદ્ગલમાં મમત્વ રાખવું તે જીવાત્માના બંધનના કારણરૂપ બને છે. (ખ) પુદ્ગલ અનિત્ય, અશુચિ, અનાત્મરૂપ “આત્માથી ભિન્ન જે પરસંયોગ છે તે અનિત્ય છે, તે પરસંયોગરૂપ જે પુદ્ગલ છે તેને નિત્ય માનવા તે અવિઘા છે, તે જ રીતે જે શરીરરૂપી પુદ્ગલનાં તત્ત્વવિભાવના 81 cain Education International Page #99 -------------------------------------------------------------------------- ________________ નવ દ્વારોથી મળ નીકળ્યા કરે છે તે શરીર અશુચિ (અપવિત્ર) હોવા છતાં તેને પવિત્ર માનવું તે પણ અવિદ્યા છે. વળી આત્માથી ભિન્ન પુદ્ગલો અનાત્મસ્વરૂપ હોવા છતાં તે પુદ્ગલોને આત્મસ્વરૂપ માનવા તે પણ અવિઘા છે.” (૧૪|૧) શુદ્ધ આત્મદ્રવ્યને નિત્ય, શુચિ અને આત્મસ્વરૂપ માનવું તે વિદ્યા છે જ્યારે શરીર વગેરે પુદ્ગલોને નિત્યતા, શુચિતા, આત્માના ગુણયુક્ત માનવા તે અવિદ્યા છે, પુદ્ગલને અનિત્ય, અશુચિવાન અને અનાત્મસ્વરૂપ માનવા તે વિદ્યા છે. (ગ) જીવ-પુદ્ગલની ભિન્નતા વિદ્વાનને જ્ઞાત “જીવ અને પુદ્ગલ (આત્મા અને અનાત્મા) પરસ્પર એવા મળી ગયા છે કે તે બંનેનાં લક્ષણોની અને સ્વરૂપની ભિન્નતાને જાણવા માટે સામાન્ય માણસ તો અશક્તિમાન જ છે. માત્ર વિદ્વાન વ્યક્તિ જ જીવ-પુદ્ગલની ભિન્નતાને જાણવા માટે શક્તિમાન છે. ”(૧૪/૭) બીજી રીતે આ જ વાતને સમજીએ તો “સંસારમાં હંમેશાં શરીર અને આત્મા વચ્ચેનો અવિવેક (તેનો અભેદ કે ભેદજ્ઞાનનો અભાવ) સુલભ છે, પરંતુ શરીર-આત્મા વગેરેનું ભેદજ્ઞાન કોટી જન્મે પણ દુર્લભ છે.” (૧૫/૨) શરીર અને આત્મા એકસાથે જોયા હોવાથી તે બંને વચ્ચે ભેદ હોય તે જ્ઞાન અતિ દુર્લભ બની જાય છે, વિદ્વાન કે પ્રતિભાશાળી વ્યક્તિ જ તે ભેદજ્ઞાન મેળવવા માટે શક્તિમાન બને છે. (ઘ) પુદ્ગલદષ્ટિ બાહ્ય સ્વરૂપ જાણે સંસારમાં કેટલાંક જીવો પુદ્ગલષ્ટિ ધરાવે છે, તો કેટલાક જીવો તત્ત્વદૃષ્ટિ ધરાવે છે. પુદ્ગલ સાથે જ સંકળાયેલી પુદ્ગલષ્ટિ વસ્તુના બાહ્ય રૂપને ઓળખીને તેના પર મુગ્ધ થાય છે. વસ્તુના બાહ્ય રૂપને ગૌણ કરીને તેના આંતરિક રૂપને અર્થાત્ તત્ત્વને જાણવું તે તત્ત્વદષ્ટિ. ગામ, ઉદ્યાન, સુંદર સ્ત્રી, હાથી-ઘોડાયુક્ત રાજમંદિર, મહાત્મા વગેરે દૃષ્ટાંતો દ્વારા ‘તત્ત્વદૃષ્ટિ-અષ્ટક'માં આ બે દૃષ્ટિ વચ્ચે રહેલો ભેદ સ્પષ્ટ કર્યો છે, (૧૯/૩થી૭) આ બે દૃષ્ટિની ઓળખ શી ? પુદ્ગલદૃષ્ટિ રૂપવતી દૃષ્ટિ છે. તે પુદ્ગલમાં અર્થાત્ ઇન્દ્રિયગ્રાહ્ય બાહ્ય વિષયમાં મગ્ન થાય છે તેથી તે પૌદ્ગલિક નજર તરીકે પણ ઓળખાય છે. રૂપરહિત અર્થાત્ રૂપને વીંધીને જોનારી તત્ત્વદૃષ્ટિ રૂપરહિત આત્મામાં મગ્ન થાય છે, (૧૯૦૧) વસ્તુના આંતરિક સ્વરૂપને સમજી શકે છે. પદાર્થના બાહ્ય સ્વરૂપ કે પુદ્ગલમાં મગ્ન થનાર વ્યક્તિમાં અવિવેકરૂપ તાવની વિષમતા આવી જાય છે, અર્થાત્ તે વિવેકપૂર્વક વિચારી શકતો નથી; જ્યારે સાધક વ્યક્તિ જગતને તત્ત્વદૃષ્ટિએ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 82 Page #100 -------------------------------------------------------------------------- ________________ જુએ છે તેથી તે પુગલમાં નહીં પણ આત્મામાં, વસ્તુના આંતરિક મૂળ સ્વરૂપમાં મગ્ન હોય છે. (૧૫) (ચ) પુલદષ્ટિ બંધનયુક્ત વ્યક્તિ માત્ર બાહ્યદૃષ્ટિ-પુદ્ગલદૃષ્ટિથી જ વિચારીને પોતાનું જીવન વ્યતીત કરે તો આ પુદ્ગલદૃષ્ટિથી તેના જીવનમાં નવાં નવાં કર્મબંધનો પેદા થાય છે. વ્યક્તિ સજાગ બને, પુત્ર-સ્ત્રી વગેરે સર્વ બંધનોનો ત્યાગ કરે, મૂછથી મુક્ત બને, માત્ર જ્ઞાનમાં જ આસક્ત બને, તત્ત્વદૃષ્ટિવાન બને ત્યારે તેને પુદ્ગલદૃષ્ટિથી ઉદ્ભવતું બંધન થતું નથી. (૨૫/૬) (છ) પુગલભોજનથી અતૃપ્તિ પુદ્ગલભોજન અને જ્ઞાનામૃતભોજન વચ્ચે ઘણો મોટો તફાવત છે. પુદ્ગલભોજન એટલે આપણે જે ભોજન લઈએ છીએ તે, જે જમીએ છીએ તે. જો આ ભોજન સહેજ વધારે લેવાઈ જાય તો અપચો થાય, અજીર્ણ થાય, વિકૃત વાયુના ઓડકાર આવે. પરંતુ જે યોગી પુદ્ગલને ત્યજીને ધ્યાનમાં લીન બને છે તેને જ્ઞાનરૂપી અમૃતના ભોજનથી જે તૃપ્તિ મળે છે તેનાથી તેને ધ્યાનરૂપ અમૃતના વિશુદ્ધ ઓડકાર આવે છે. (૧૦૭) પુદ્ગલ ભોજનથી અતૃપ્તને (પૂરો સંતોષ ન પામેલાને) ખરાબ ઓડકાર આવ્યા કરે છે, જ્યારે જ્ઞાનામૃતના ભોજનથી તૃપ્ત થયેલાને ધ્યાનામૃતના ઓડકાર આવે છે. (જ) પુદ્ગલથી પુદ્ગલ જ તૃપ્ત થાય પુદ્ગલથી કોણ તૃપ્ત થાય? પુદ્ગલથી પુદ્ગલ જ તૃપ્ત થાય છે. તે જ રીતે આત્માથી આત્મા તૃપ્ત થાય છે. પુદ્ગલથી કદી આત્મા તૃપ્ત થાય નહીં, સમ્યગુ જ્ઞાની વ્યક્તિ એક દ્રવ્યનો ધર્મ બીજા દ્રવ્યમાં આરોપે નહીં એટલે કે પુદ્ગલનો ધર્મ આત્મામાં અને આત્માનો ધર્મ પુદ્ગલમાં આરોપે નહીં. (૧૦/૫). (૪) પુદ્ગલથી પુગલ લેપાય બીજી રીતે વિચારીએ તો પુલ વડે પુદ્ગલોનો સ્કન્ધ જ લેપાય છે, હું એટલે કે આત્મા લપાતો નથી. આકાશમાં ગમે તેટલું ચિતરામણ હોય તો પણ આકાશ પોતે વિવિધ વર્ણવાળા તે ચિતરામણથી ખરડાતું નથી, તે જ રીતે પુદ્ગલથી પુદ્ગલ જ લેપાય છે, આત્મા લપાતો નથી. (૧૧૩) આત્માને બંધન લાગતું નથી. તત્વવિભાવના 83 Page #101 -------------------------------------------------------------------------- ________________ પુગલ અનિત્ય છે, અશુચિ છે, અનાત્મરૂપ છે. આવા પુદ્ગલોમાં મમત્વ એ જીવના કર્મબંધનનું કારણ છે. જીવ અને પુદ્ગલ જુદા હોવા છતાં તેમના ભેદનું જ્ઞાન અત્યંત દુર્લભ છે. પુદ્ગલની દૃષ્ટિથી માત્ર વસ્તુના બાહ્ય સ્વરૂપને જ જાણી શકાય. પુદ્ગલથી જે તૃપ્તિ મળે તે માત્ર પુદ્ગલને જ મળે, આત્માને નહીં – વગેરે કથનો છેવટે તો મોક્ષ માટેનો પુરુષાર્થ કરવા તરફ ઇંગિત કરે છે. જૈન દર્શનમાં સ્વીકારાયેલ નવ તત્ત્વોમાંથી બે તત્ત્વો “જીવ' અને “અજીવ” વિષેની “જ્ઞાનસાર'માં વ્યક્ત થયેલ તત્ત્વવિભાવનાઓનો પરિચય મેળવતાં ખ્યાલ આવે છે કે તેમાં જીવ અને પુદ્ગલની ભિન્નતા ઉપર ખાસ ભાર મુકાયેલો જોવા મળે છે. આ નવ તત્ત્વોમાંનાં બાકીનાં સાત તત્ત્વો (પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ) અંગે સીધેસીધી કોઈ તાત્ત્વિક ચર્ચા “જ્ઞાનસારમાં થયેલ નથી, પરંતુ તેના કર્મસંબંધિત શ્લોકોમાં, દોષો કેમ દૂર કરવા તેના ઉપાયોમાં અને સાધનામાર્ગના નિરૂપણમાં આ તત્ત્વો અંગેની રજૂઆત આડકતરી રીતે થયેલી જોઈ શકાય છે, તેનાથી હવે માહિતગાર થઈએ. ટિપ્પણ ૧. જુઓ : “જૈનદર્શન', કોઠારી, પૃ. ૧૩૩ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 84 Page #102 -------------------------------------------------------------------------- ________________ કર્મવિચાર “જ્ઞાનસારમાં જ્યાં જ્યાં કર્મને લગતા વિચારો રજૂ થયા છે ત્યાં ત્યાં કર્મબંધનનાં કારણ કે પ્રકારો જેવી તાત્ત્વિક બાબતોની સીધી રજૂઆત ક્યાંય નથી, પણ જીવની કર્માધીનતાની રજૂઆત અવારનવાર થઈ છે. કર્મવેષમ્ય જેમ ઊંટની પીઠ ક્યાંય એકસરખી હોતી નથી, વાંકીચૂંકી કે વિષમ હોય છે તેમ કર્મની રચના પણ વિષમ હોય છે. પ્રત્યેક જીવ જાતિ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ વગેરે જે કાંઈ પ્રાપ્ત કરે છે તેમાં ઘણી વિષમતા હોય છે. આ વિષમતાને કારણે જ યોગીને કર્મની સૃષ્ટિમાં પ્રીતિ થતી નથી. (૨૧/૪). કર્મની વિષમતા જુદી જુદી રીતે સંસારમાં જોવા મળે છે. જેમ કે જે બળવાન રાજાના ભૂભંગમાત્રથી પર્વતો પણ ભાંગી જતા હોય, તે બળવાન રાજાઓને પણ જ્યારે કર્મની વિષમ દશા પ્રાપ્ત થાય છે, ત્યારે તેઓ ભિક્ષા પણ મેળવી શકતા નથી. (૨૧/૨) તો વળી કોઈ વ્યક્તિ દેખીતી રીતે જાતિથી અને ચતુરાઈથી હીન હોય, પણ તેના • 85 . Page #103 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં અભ્યદય કરનાર શુભ કર્મનો ઉદય થયો હોય તો તે રાંક વ્યક્તિ પણ ક્ષણવારમાં રાજા બની જાય છે. (૨૧/૩) કર્મવિપાક – કાર્યનિષ્પત્તિનું પ્રધાન કારણ જેમ ઝાડ પરનું ફળ પાકે ત્યારે આપોઆપ ખરી પડે છે, તેમ કર્મનો વિપાક થાય ત્યારે તેનું ફળ આપોઆપ આવી મળે છે. ફળ પાકવા માટે જેમ ખાતર, પાણી, હવા, પ્રકાશ, મહેનત વગેરે કારણોની જરૂર છે, તેમ તેના પાકવાનો સમય પસાર થવાની જરૂર પણ છે જ. “ઉતાવળે આંબા ન પાકે” એ ન્યાયે તેના યોગ્ય સમયે જ આમ્રફળ પ્રાપ્ત થાય છે. બીજાં બધાં કારણો હાજર હોય , પણ જ્યાં સુધી કર્મના વિપાકરૂપ સમયનું પરિબળ સિદ્ધ ન થાય ત્યાં સુધી કર્મનું શુભાશુભ ફળ પ્રાપ્ત થતું નથી. બીજી રીતે આ હકીકતને સમજીએ તો એમ કહી શકાય કે બીજાં બધાં કારણો કે સામગ્રી હાજર થઈ ગયાં હોય, પરંતુ જ્યાં સુધી કર્મનો વિપાક થવારૂપ કારણ હાજર ન થાય ત્યાં સુધી બીજાં બધાં કારણો થાકેલાની જેમ ઊભાં રહે છે, કર્મનો વિપાક કાર્યના છેડા સુધી દોડે છે. (૨૧/૬) કર્મવિપાક એ કાર્યનિષ્પતિ માટેનું છેલ્લું કારણ પણ છે અને પ્રધાન કારણ પણ છે, કેમ કે જ્યાં સુધી તે કારણ હાજર થતું નથી, ત્યાં સુધી કર્મફળરૂપી કાર્ય નિષ્પન્ન થતું નથી. કર્મવિપાકથી સભાન મુનિ સમભાવી અને જ્ઞાનાનંદમાં મસ્ત જ્ઞાનસારનાં અષ્ટકોમાં “કર્મવિપાકચિંતન-અષ્ટક” નામનું એકવીસમું અષ્ટક તેના શીર્ષક પ્રમાણે કર્મનું તથા કર્મના વિપાકનું ચિંતન રજૂ કરે છે, જે મુજબ જગત કર્મના શુભ અને અશુભ પરિણામને વશ થયેલ છે. આ પરિસ્થિતિથી સભાન મુનિ કે સાધક પોતાના જીવનમાં દુઃખ આવે ત્યારે દીન બનતો નથી અને સુખ આવે ત્યારે વિસ્મય પામતો નથી, કારણ તેને ખબર છે કે જીવનમાં સુખ અને દુઃખ એ તો કર્મના શુભાશુભ પરિણામને કારણે આવે છે. (૨૧/૧) કર્મના વિપાકને હૃદયમાં ધારણ કરીને સમભાવ ધારણ કરનાર સાધક જ્ઞાનાનંદરૂપ પરાગને ભોગવનાર ભ્રમર થાય છે, (૨૧|૮) અર્થાત્ તે જ્ઞાનાનંદમાં મસ્ત રહે છે. આવા મુનિ કે યોગીની જ્ઞાનાનંદની મસ્તીની પાછળ કર્મવિપાકની સમજ અને સમભાવ રહેલાં છે. મધ્યસ્થીને કર્માધીન જગત પ્રત્યે રાગ-દ્વેષ ન હોય જગતમાં જીવમાત્ર કર્મને આધીન છે એ હકીકતથી સભાન મધ્યસ્થ વ્યક્તિ કોઈ પણ પ્રકારના જીવ પ્રત્યે રાગ પણ ધરાવતી નથી કે દ્વેષ પણ ધરાવતી નથી. જેને સાધનામાર્ગમાં આગળ વધવું છે, તે મધ્યસ્થ વ્યક્તિ પ્રત્યેક જ્ઞાનસારનું તત્ત્વદર્શન 86 Page #104 -------------------------------------------------------------------------- ________________ જીવ કર્મને પરવશ છે' તેમ જાણીને સર્વ જીવો પ્રત્યે સમભાવ ધરાવે છે. ( ૧૪) મધ્યસ્થ વ્યક્તિમાં રાગ અને દ્વેષનો અભાવ હોવાથી તેને નવાં કર્મબંધનો પણ ખૂબ ઓછાં લાગે છે. કર્મ અને જીવ જુદાં આપણા રોજ-બ-રોજના જીવનમાં કર્મપુદગલ અને જીવ એકબીજામાં ભળીને તદ્દન એકરૂપ ભાસે છે, તેથી તેને આપણે જુદાં પાડી શકતા નથી. જેવી રીતે દૂધ અને પાણી એકમેકમાં ભળી જાય તેવી રીતે કર્મ અને જીવ ભળી જાય છે. પરંતુ જેમ રાજહંસ દૂધ અને પાણીને જુદા પાડી શકવા સમર્થ છે તેમ વિવેકવાન વ્યક્તિ કે મુનિરૂપ હંસ કર્મ અને જીવને તેનાં લક્ષણોને આધારે જુદાં પાડી શકવા સમર્થ છે. (૧૫/૧) અવિવેકને કારણે કર્મદ્રવ્યનું આરોપણ જીવાત્મામાં કેવી રીતે થાય છે ? રણભૂમિમાં યુદ્ધ યોદ્ધાઓ કે સેવકો કરે છે, પણ યુદ્ધમાં જ્યારે જય મળે કે પરાજય મળે ત્યારે તે સેવકોનો જય કે પરાજય ઉપચારથી સ્વામીનો કે રાજાનો જય કે પરાજય ગણાય છે. તે જ રીતે અવિવેકથી કરેલાં આચરણોથી પ્રાપ્ત થયેલાં કર્મપુદ્ગલનાં જે પુણ્યરૂપ કે અપુણ્યરૂપ ફળ આપણને મળે છે તેનો ઉપચાર (આરોપ) શુદ્ધ આત્મામાં આપણે કરીએ છીએ. (૧૫૪) ખરી રીતે જોતાં, શુદ્ધ આત્મા કર્મપુદ્ગલના પુણ્યાપુણ્યફળથી અલિપ્ત છે. આપણે ઉપચાર કે લૌકિક પરંપરાથી આત્મા પર જે આરોપણ કરીએ છીએ તે યોગ્ય નથી. કર્મબંધન ક્યારે ન લાગે? એવી કોઈ પરિસ્થિતિ છે જ્યારે જીવાત્માને કર્મબંધન ન લાગે ? અથવા એવા કોઈ નિયમો છે કે જેનું પાલન કરવાથી કર્મબંધનથી બચી શકાય ? હા, સમભાવ ધરાવનાર કેટલાક આત્માઓને એ સમજ સ્પષ્ટ હોય છે કે હું (અર્થાત્ આત્મા) પૌદ્ગલિક ભાવોનો કરનાર પણ નથી, કરાવનાર પણ નથી, તેનું અનુમોદન કરનાર પણ નથી. (૧૧/૨) આવી સમજ સાથે કર્તાભાવથી નહીં, પણ સાક્ષીભાવથી જે જીવે છે તે આત્મા કે જ્ઞાની વ્યક્તિ કર્મથી લેવાતી નથી, તેને કર્મબંધન લાગવાની શક્યતા ઓછી રહે છે. આ સંસારમાં રહેતી કેટલીક જ્ઞાનસિદ્ધ વ્યક્તિઓ પણ કર્મથી લેવાતી નથી, તે કેવી રીતે ? સંસાર કાજળના બનેલા ઘર જેવો છે. તમે ગમે તેટલું ધ્યાન રાખો તો પણ ક્યાંથી કાળો ડાઘો પડી જાય તે ખબર જ ન પડે. સંસારમાં કર્મવિચાર 87 Page #105 -------------------------------------------------------------------------- ________________ મોટાભાગના લોકો તો સ્વાર્થનિમગ્ન હોય છે, એટલે કે તેમની મોટાભાગની પ્રવૃત્તિઓ સ્વાર્થથી પ્રેરાયેલ હોય છે. આવો સ્વાર્થી સમસ્ત લોક તો કર્મથી લેપાય છે. આ સમસ્ત લોકમાં અપવાદરૂપ છે જ્ઞાનસિદ્ધ આત્મા. તે સ્વાર્થથી પ્રેરાઈને નહીં પણ સાચી સમજપૂર્વક કર્મ કરે છે તેથી તે કર્મથી લપાતો નથી. (૧૧૧) આત્માના અંગ-પ્રત્યંગને જ્ઞાનરસાયણથી રસી દેવામાં આવે પછી કર્મોનું કાજળ તેવા જ્ઞાનસિદ્ધ આત્માને સ્પર્શી શકતું નથી. જેમ આકાશ કાદવ વડે લેપાતું નથી. તેમ જે વ્યક્તિ પોતાને લાગેલા ઔદયિક વગેરે પાંચ પ્રકારના ભાવોમાં મું. તી નથી તે વ્યક્તિ પણ પાપ વડે લેવાતી નથી. (૪૩) વધુ સ્પષ્ટ રીતે આ , ૧ મeઇએ તો કામભોગ આદિના નિમિત્ત માત્રથી કર્મબંધ થતો નથી, પણ . . . નાદિમાં જ્યારે મોહ આવે ત્યારે કર્મબંધ થાય છે. આકાશને મલિન કરવા ગમે તેટલો કાદવ ઉછાળો તોપણ આકાશ મલિન થતું નથી, તે જ રીતે કામભોગાદિ પ્રવૃત્તિ કરવા છતાં પણ જે આત્મા રાગ-દ્વેષ કરતો નથી, મોહ ધરાવતો નથી તેને તે પ્રવૃત્તિનો સ્પર્શ થતો નથી, તેવો આત્મા પાપથી લપાતો નથી કે તેને કર્મબંધ લાગતો નથી. આકાશની ઉપમાનો ઉપયોગ કરીને બીજી રીતે આવી જ વાત સમજાવી છે. જુદા જુદા રંગો વડે અવારનવાર રંગાવા છતાં વાસ્તવિક રીતે આકાશ રંગાતું નથી. તે જ રીતે પુદ્ગલના સહયોગથી અવારનવાર આત્મા પર અવનવા રંગો ચઢે છે, પણ આત્મા તેનાથી લપાતો નથી. (૧૧/૩) પુદ્ગલ અને આત્માનો ઉપાધિથી થયેલો સંયોગસંબંધ ક્ષણિક છે અને પુદ્ગલના સંયોગથી શુદ્ધ આત્માને કર્મબંધન લાગતું નથી. નિશ્ચયનય અને વ્યવહારનયની દૃષ્ટિએ વિચારીએ તો નિશ્ચયનયથી આત્મા લેપાયેલો નથી, તે કર્મબંધનયુક્ત નથી, જ્યારે વ્યવહારનયથી આત્મા લેપાયેલો છે, કર્મથી બંધાયેલો છે. (૧૧/૬) નિશ્ચયનયે તો આત્મા શુદ્ધ સ્વરૂપ ધરાવે છે, અનંતગુણચતુટ્યયુક્ત છે, એટલે તેને કર્મબંધનનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. વ્યવહારનયે જીવે હજી પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું નથી, તે કર્મમેલ ધરાવે છે એટલે તે કર્મથી બંધાયેલ છે. જ્ઞાનયોગી અને ક્રિયાયોગી કઈ રીતે વિચારે તો શુદ્ધ થઈ શકે ? જ્ઞાનયોગી શુદ્ધ ધ્યાનની કક્ષાથી વિચારે છે, નિશ્ચયનયે વિચારે છે, કે આત્મા અલિપ્ત જ છે, અને તે રીતે તે શુદ્ધતાની નજીક પહોંચી શકે છે. જ્યારે ક્રિયાયોગી વ્યવહારનયથી વિચારે છે અને આત્માને લાગેલા કર્મબંધનને દૂર કરવા અભ્યાસનું આલંબન જ્ઞાનસારનું તત્ત્વદર્શન 88 Page #106 -------------------------------------------------------------------------- ________________ લે છે, ક્રિયા કરે છે, અને આ રીતે તે શુદ્ધતા પ્રતિ ગતિ કરવા શક્તિમાન બને ક્યારેક એવું બને છે કે વ્યક્તિ તપ, શ્રત વગેરેના મદ અભિમાન સાથે ક્રિયા કરે છે, ત્યારે તે કર્મોથી લેપાય છે, અને ક્યારેક ભાવનાજ્ઞાનતત્ત્વજ્ઞાનથી યુક્ત હોય છે પણ તપ વગેરે ક્રિયારહિત હોય છે, ત્યારે તે લપાતો નથી. અભિમાન આવે ત્યાં તો કર્મબંધન આવે જ છે. (૧૧/૫) કર્મપરિણામ રાજા કર્મપરિણામને રાજાની ઉપમા આપી છે. કર્મપરિણામરૂપી રાજા અનાદિ અને અનંત છે. તેની રાજધાનીનું નામ ભવચક્રનગર છે. જીવમાત્ર જે ચોર્યાશી લાખ યોનિમાં ફેરા ફરે છે, તે આ ભવચક્રનગરની પોળો છે. ભવચક્રનગરની પોળે પોળે પરદ્રવ્ય કે પુદ્ગલદ્રવ્યનું જન્મ, જરા, મૃત્યરૂપ નાટક ચાલે છે. ક્રમશઃ પ્રત્યેક યોનિમાં જન્મ, જરા, મરણ આવ્યા જ કરે છે. જે આત્મા મોહરહિત થઈને જન્મ, જરા, મરણની આ વિવિધ અવસ્થાઓને જોયા કરે છે, કર્તાભાવે નહીં પણ સાક્ષીભાવે જીવે છે તે આત્મા ક્યારેય ખેદ પામતો નથી, તેને ક્યારેય દુઃખી થવાનો વખત આવતો નથી. (૪૪) સંસારમાં જાતિ, આયુષ્ય વગેરે અનેક બાબતોમાં જુદા જુદા જીવોમાં જે વિષમતા જોવા મળે છે, તે કર્મની વિષમતાને આભારી છે. કર્મનો વિપાક એ કાર્યનિષ્પત્તિનું અગત્યનું કારણ છે. કર્મવિપાક થતાં જેવું કર્મ હોય તેવું તેનું ફળ મળે છે. જગત અને તેમાં બનતી ઘટનાઓ વગેરે કર્મના શુભાશુભ પરિણામને વશ થયેલ છે. આ બધી બાબતોથી સભાન જ્ઞાનવાન વ્યક્તિ કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ ધરાવતી નથી; દરેક પ્રત્યે સમભાવ જ ધરાવે છે. આ જ્ઞાનવાન વ્યક્તિ કર્મ અને જીવને લક્ષણોથી ભિન્ન જાણી તેમને જુદા પાડી શકે છે, તેથી તે કાર્પણ પુદ્ગલોનું આરોપણ આત્મામાં કરતી નથી, વળી તે સંસારમાં સાક્ષીભાવે રહે છે, મોહરહિત ભાવે જીવે છે, તેથી તેને નવાં કર્મોનાં બંધન લાગવાની શક્યતા નહિવતું રહે છે. કર્મ અંગે આવી મહત્ત્વની બાબતોનો ખ્યાલ આપણને “જ્ઞાનસારના કર્મવિષયક શ્લોકોના આધારે આવી શકે છે. કર્મના આવરણને લીધે જીવ તેના શુદ્ધ સ્વરૂપથી ઘણો દૂર ચાલ્યો જાય છે. આ જીવાત્મા અર્થાત્ સંસારમાં વસતા જીવાત્માની વર્તમાન દશા કેવી છે તે જાણવું જરૂરી છે. કર્મવિચાર 89. Page #107 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ ૧. ઔદિયક વગેરે પાંચ પ્રકારના ભાવો ‘પ્રશમતિમાં શ્લોક ૧૯૬માં આ રીતે રજૂ થયા છે : " भावा भवन्ति जीवस्यौदयिकः पारिणामिकश्चैव । औपशमिकः क्षयोत्थः क्षयोपशमजश्च पञ्चति ।। " અર્થાત્ જીવને અનેક પ્રકારના ભાવો થાય છે. તેના અનુક્રમે પાંચ પ્રકાર પડે છે ઃ ૧. ઔદિયક ભાવ, ૨. પારિણામિક ભાવ, ૩. ઔપમિક ભાવ, ૪. ક્ષાયિક ભાવ અને ૫. ક્ષાયોપશમિક ભાવ. જુદી જુદી સ્થિતિમાં વર્તવું તે ભાવ. ૧. ઉદયથી પેદા થાય તે ઔયિક ભાવ. દા. ત. મેલ ભળે તેથી પાણી ડહોળું દેખાય તે. ૨. કોઈ પણ દ્રવ્યનું જે સ્વાભાવિક સ્વરૂપપરિણમન છે તે પારિણામિક ભાવ. દા.ત. પાણીની સ્વચ્છતા. ૩. કર્મના ઉપશમથી પેદા થાય તે ઔપમિક ભાવ. દા.ત. મેલ નીચે બેસી જવાથી પાણીમાં આવતી સ્વચ્છતા. ૪. કર્મના ક્ષયથી પેદા થાય તે ક્ષાયિક ભાવ. દા.ત. કચરો કાઢી નાખવાથી પાણીમાં જે સ્વચ્છતા આવે તે. ૫. ક્ષય અને ઉપશમથી પેદા થાય તે ક્ષાયોપશમિક ભાવ. આ પાંચેય ભાવોના અનુક્રમે ૨૧, ૩, ૨, ૯ અને ૧૮ ભેદ દર્શાવીને આ પાંચેય ભાવોનો સંયોગ થાય તે છઠ્ઠા સાન્નિપાતિક ભાવના ૧૫ પ્રકારો ‘પ્રશમરતિ’ના ૧૯૭મા શ્લોકમાં દર્શાવ્યા છે. જ્ઞાનસારનું તત્ત્વદર્શન 90 Page #108 -------------------------------------------------------------------------- ________________ સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ કાર્મણ પુદ્ગલોને લીધે કર્મબંધનમાં ઘેરાયેલ જીવાત્મા જે સંસારમાં જીવે છે, જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે તે સંસારને સમુદ્રની ઉપમા આપીને તેનું સ્વરૂપ ભવોઢેગ-અષ્ટકમાં સમજાવ્યું સંસારનું સ્વરૂપ સંસારરૂપી સમુદ્રનું તળિયું અજ્ઞાનરૂપ વજનું બનેલું છે, જેને ભેદવું બહુ દુષ્કર છે. સંકટરૂપ પર્વતોના સમૂહથી ઘેરાયેલા તેના માર્ગો દુર્ગમ છે. ક્રોધ, માન, માયા, લોભ – આ ચાર કષાયોરૂપી પાતાળકળશો ચિત્તના સંકલ્પરૂપ વેલાની વૃદ્ધિ કરે છે. સંસારસમુદ્રના મધ્ય ભાગમાં સ્નેહ કે રાગરૂપ ઇંધણથી કામરૂપ વડવાનલ સદાય બળ્યા કરે છે અને તેમાં રોગ, શોકરૂપ માછલા અને કાચબા ભરપૂર છે. દુબુદ્ધિ, મત્સર અને દ્રોહરૂપ વીજળી, વાવાઝોડા અને ગર્જનાને કારણે વહાણવટીઓ-મુસાફરો તોફાનરૂપ સંકટમાં સપડાય છે. જ્ઞાની વ્યક્તિ આ ભયંકર સંસારસમુદ્રથી ભયભીત થઈને તેને તરી જવાનો ઉપાય ઝંખે છે. (૨૨/૧ થી ૫) 91 : Page #109 -------------------------------------------------------------------------- ________________ આ વર્ણનમાં જીવની વર્તમાન દશા વિશે કેટલીક મહત્ત્વની બાબતોનું આલેખન કરવામાં આવ્યું છે. જે અજ્ઞાનને કારણે જીવના સ્વરૂપની આડે આવરણો આવી જાય છે તે અજ્ઞાનને દૂર કરવું બહુ દુષ્કર છે. કષાયો અને રાગને કારણે જીવ રોગ, શોક, સંકટ વગેરેમાં ફસાય છે. દુર્બદ્ધિ, મત્સર, દ્રોહ જેવા મનોભાવોને લીધે તેની મુશ્કેલીમાં વધારો થાય છે. સાધકની વર્તમાન દશા જ્ઞાની વ્યક્તિ આવા દારુણ સંસાર સમુદ્રને તરવા તો ઇચ્છે છે, પણ આ કામ કાંઈ સહેલું નથી. માત્ર ઇચ્છા રાખવાથી તો ધ્યેયની સિદ્ધિ હાંસલ થતી નથી. માનવમનના અચ્છા જાણકાર ઉપાધ્યાયજી સાધકની વર્તમાન દશાથી બરોબર પરિચિત છે. સાધક જે મનોદશામાંથી પસાર થાય છે તેમાં ક્યારેક પરિસ્થિતિ એવી સર્જાય છે કે સાધક પોતાને જે કરવું જોઈએ તે કરી શકતો નથી અને જે ન કરવું જોઈએ તેનાથી તે બચી શકતો નથી. દુર્યોધનની મૂંઝવણ જે શબ્દો દ્વારા વ્યક્ત થઈ છે તે શબ્દો સાધકની વર્તમાન દશાને લાગુ પડે છે. દુર્યોધન જણાવે છે, “ધર્મ શું છે તે જાણવા છતાં તેમાં મારી પ્રવૃત્તિ થતી નથી અને અધર્મ શું છે તે જાણવા છતાં તેમાંથી મારી નિવૃત્તિ થતી નથી. જિંદગીના માર્ગમાં સાધક પણ વારંવાર આવી મથામણ અનુભવે છે અને મનોદૌર્બલ્યની પરિસ્થિતિમાંથી પસાર થાય છે. દોષ જાણવા છતાં તેને ત્યજી શકતો નથી.' લોકોની વિવિધ પ્રકારની મનઃસ્થિતિ પોતપોતાની આગવી વિચારસરણીને કારણે સંસારમાં લોકોની જાતજાતની મનઃસ્થિતિ જોવા મળે છે. આ વિવિધ મનઃસ્થિતિ દ્વારા પણ સાધકની વર્તમાન દશાનો વાસ્તવિક ખ્યાલ આવે છે. લોકોના મનની જુદી જુદી પરિસ્થિતિનું ચિત્રણ “જ્ઞાનસાર'માં કંઈક આ રીતે જોવા મળે છે : કેટલાક લોકોનું મન વિષયરૂપ તાવથી પીડિત હોય છે, કેટલાક લોકોનું મન કુતર્કથી મૂચ્છિત થયેલું હોવાથી વિષના આવેગયુક્ત હોય છે, વળી કેટલાક લોકોનું મન ખોટા વૈરાગ્યને કારણે હડકવા થયો હોય તેવું થઈ ગયું હોય છે. હડકવા થયો હોય એવી વ્યક્તિની જેમ તે વ્યક્તિને કાલાંતરે માઠો વિપાક થાય છે. કેટલાક લોકોનું ચિત્ત અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું હોય છે, જેમાંથી કંઈ પ્રાપ્તિ થતી નથી. આ બધામાં થોડાક લોકોનું મન જ વિકારના ભારથી રહિત એવા જ્ઞાનસારથી રક્ષાયેલું હોય છે. (ઉપ./૧૪). જ્ઞાનસારનું તત્ત્વદર્શન 92 Page #110 -------------------------------------------------------------------------- ________________ આમ મોટાભાગના લોકો કુતર્ક, અજ્ઞાન, ખોટા વૈરાગ્ય વગેરેથી પીડિત છે. આ બધામાંથી રસ્તો કેમ કાઢવો ? આ મૂંઝવણ, આ વિકારસહિત મનઃસ્થિતિમાંથી બહાર નીકળવાનો ઉપાય શો? તેનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખ્યાલ આવે છે, કે ખરેખર તો ઉપાધ્યાય યશોવિજયજી જે ખુમારીથી પોતાનું જીવન જીવી ગયા તે ખુમારી તેઓ સાધકને માટે પણ જરૂરી માને છે. જીવનમાં પ્રશ્નોની વણઝાર તો સતત ચાલુ જ રહે છે. આ પ્રશ્નોનો સામનો કરતાં કરતાં વીર યોદ્ધાની જેમ ક્યારેય ડરવું નહીં, ભિક્ષુકની જેમ ક્યારેય દીનતા પણ દાખવવી નહીં, ખોટી યાચના પણ કરવી નહીં અને કાયરની જેમ પલાયન પણ થવું નહીં. દુઃખ આવી પડે તો ક્યારેય દીન થઈને આંસુ સારવાં નહીં કે સુખ આવે તો વિસ્મય પામીને છકી જવું નહીં અને ચંચળ બનીને ભમી ભમીને ખેદ પણ પામવો નહીં. આમ ક્યારેક મીઠી શિખામણ આપીને, ક્યારેક હળવા સૂચનો આપીને સાધકને તેઓ હિંમત બંધાવતા રહે છે.' સાધક વ્યક્તિ પોતે અત્યારે વર્તમાનમાં જે અવસ્થાએ છે તેનાથી આગળ વધવા ઇચ્છે છે, પોતાની દોષિત મનઃસ્થિતિમાંથી બહાર નીકળવા ઝંખે છે. તેના આ પ્રયત્નમાં કરોળિયો જાળું બનાવતાં બનાવતાં અનેક વખત પડે અને પાછો ઊભો થઈ જાળું બનાવવા માટે પુરુષાર્થ કરે તેવી રીતે વારે વારે પડવાનો, ખોટે રસ્તે ચઢી જવાનો અનુભવ સાધકને થાય છે. તેને પોતાને ખબર પણ ન પડે તે રીતે પોતાની ગાડી પાટા પરથી ઊતરી જાય છે. આવે વખતે ઠોકર ખાઈ ખાઈને આગળ વધતા સાધકની ટીકા કરવાને બદલે પ્રેમપૂર્વક તેનો હાથ પકડીને ઊભો કરવાનો, તેને મદદરૂપ થવાનો પ્રયત્ન જરૂરી છે. સાધકજીવનમાં કયા ક્યા પ્રકારના દોષો આવે છે અને આ બધા દોષોને કેવી કેવી રીતે દૂર કરી શકાય છે તે અનેક જગ્યાએ બતાવીને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાધકને વ્યાવહારિક રીતે ઉપયોગી સૂચનો કરે છે તેમાં સાધક પ્રત્યેના તેમના પ્રેમ અને કરુણાની ઝાંખી આપણને થાય છે. દોષો અને તેના ઉપાયો સાધકજીવનમાં આવતા દોષો અને આ દોષોને નિવારવાના ઉપાયો નીચે પ્રમાણે છે. સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ 93 Page #111 -------------------------------------------------------------------------- ________________ (ક) મોહ તથા મૂચ્છ મોહને કારણે વ્યક્તિ ઘણી વખત ખોટા રસ્તે ચઢી જાય છે. સાચા રસ્તે આગળ વધવા માટે મોહને ત્યજવો જરૂરી છે. મોહને ઉપમા દ્વારા સમજીએ. મોહ એ રાજા છે અને ઇન્દ્રિયો તેના ચાકર તરીકે કામ કરે છે. આ ઇન્દ્રિયો મોહરાજાના તાબા નીચે હોય છે ત્યારે તે વ્યક્તિને વિષયરૂપ પાશ વડે, બંધન વડે બાંધે છે. મોહરાજાનો મોટો પુત્ર રાગકેસરી છે, વિષયાભિલાષ તેનો પ્રધાન છે. ઇન્દ્રિયો તેની સંતતિ છે અને તે મોહરાજાના તાબામાં રહીને તેના ચાકરની જેમ વર્તે છે. મોહ વ્યક્તિને સતત વિષયરૂપ પાશમાં બાંધ્યા કરે છે. (૭/૪) મોહનો પાશ કેવો વિશિષ્ટ પ્રકારનો છે તે પણ સમજવા જેવી વાત છે. મોહને કારણે વ્યક્તિ શરીર, ઘર, ધન વગેરે પદાર્થોમાં આત્મપણાની બુદ્ધિ એટલે કે “હું” અને “મારું” એવો અહંભાવ અને મમત્વભાવ દાખવે છે, પરિણામે તે એક લોકોત્તર પાશમાં બંધાય છે. આ પાશ લોકોત્તર કે અલૌકિક એટલા માટે છે કે તે પાશ (કે બંધન કે ગાળિયો) જેના પર નાંખ્યો છે તે દેહાદિકને બાંધવાને બદલે પાશ નાંખનારને પોતાને જ બાંધે છે. (૧૪/૬) મોહ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ઇંદ્રિયોરૂપ જે ક્યારાઓમાં લાલસારૂપ જળ ભરાયેલ હોય તેમાં વૃદ્ધિ પામેલા વિષવૃક્ષો તીવ્ર મૂર્છા કે મોહ ઉત્પન્ન કરે છે. ( ૨) મોહનો ત્યાગ તો કરવો છે પણ કેવી રીતે કરવો ? “મોહત્યાગ-અષ્ટક'માં તેનું નામ સૂચવે છે તે રીતે જ મોતના ત્યાગનો ઉપાય દર્શાવ્યો છે. અમલમાં મૂકી શકો તો વાત નાની, ચોટદાર અને સરળ છે. “અહં' એટલે “હું” અને “મમ' એટલે “મારું” – આ બે મોહરાજાના મંત્રો છે. મોહરાજા જેને વશીભૂત કરવા ધારે છે તેના પર આ બે મંત્રોની ભૂરકી નાંખી દે છે અને તેની અસર નીચે આવેલા જીવો અંધ બનીને મોહવશ અને સ્વાર્થી થઈ જાય છે. “હું” અને “મારું” આ બે મિત્રોના દોરવાયા જીવો શ્રેયનો માર્ગ ક્યારેક ભૂલી બેસે છે. આવા જીવોને સાચા રસ્તે લાવવા માટે “મટું' અને “મમ' આ બે મંત્રોના સ્થાને “ન મÉ' અને ‘ન મમ' આ છે તેના પ્રતિમંત્રો કે વિરોધી મંત્રો લાવવાના છે. વ્યક્તિ હુને ભૂલીને બીજાનો વિચાર કરે અને “મારું” એ ભાવને છોડી દે ત્યારે તેના સ્વાર્થનો ભાવ છૂટી જતાં મોહની પકડ ઓછી થઈ જાય છે. (૪૧) વળી ‘હું શુદ્ધ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 94 Page #112 -------------------------------------------------------------------------- ________________ આત્મદ્રવ્ય છું અને શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે' એમ ધ્યાવવું એ મોહને હણવાનું આકરું શસ્ત્ર છે. (૪/૨) એમ જણાવીને મોહને દૂર કરવાનો ઉપાય સૂચવ્યો છે. ૪ મોહની જેમ મૂર્છા પણ માનવીને ભાન ભુલાવી દે છે. મૂર્છાયુક્ત વ્યક્તિ અને મૂર્હારહિત વ્યક્તિ વચ્ચે શો તફાવત છે ? મૂર્છાથી જેની બુદ્ધિ ઢંકાયેલી છે તે મૂર્છાયુક્ત વ્યક્તિ માટે આખું જગત પરિગ્રહરૂપ છે, જ્યારે મૂર્છારહિત વ્યક્તિને માટે જગત અપરિગ્રહરૂપ છે. (૨૫/૮) મૂÁરહિત વ્યક્તિને જગતની કોઈ વસ્તુની લાલસા નથી, કોઈ વસ્તુનો લોભ નથી. મોહ અને મૂર્ચ્છને જો વ્યક્તિ ત્યજી શકે તો તેના ઘણા કષાયો ઓછા થઈ શકે છે. (ખ) આત્મપ્રશંસા મોહની જેમ આત્મપ્રશંસા પણ વ્યક્તિની પ્રગતિના માર્ગમાં અવરોધક બને છે, તેની પ્રતીતિ ‘અનાત્મશંસા-અષ્ટક'ને આધારે આપણને થાય છે. ખરેખર તો, વ્યક્તિએ આત્મપ્રશંસા કરવાની કોઈ જરૂ૨ જ નથી એ વાત તર્કાપત્તિ દ્વારા સાધકને સમજાવી છે. “જો તું ગુણો વડે પૂર્ણ નથી તો પછી પોતાની પ્રશંસા કરવી વ્યર્થ છે અને જો તું ગુણો વડે પૂર્ણ જ છે તો પોતાની પ્રશંસા ક૨વાની કોઈ જરૂ૨ જ નથી.” (૧૮/૧) વ્યક્તિ ગુણોથી પૂર્ણ હોય કે ન હોય, કોઈ પણ સંજોગોમાં આત્મપ્રશંસા કરવી જરૂરી નથી, યોગ્ય નથી. ખરેખર તો ‘લાચારઃ બુનમાવ્યાતિ’ એટલે કે ‘આચાર કે આચરણ જ કુળને જણાવે છે.’ એ ન્યાયે ગુણ સ્વયમેવ પ્રગટ થઈ જાય છે. વૃક્ષના દૃષ્ટાંત દ્વારા આ જ વાતને બીજી રીતે સમજાવી શકાય. પાણીના વધારે પડતા જોરદાર પ્રવાહથી જમીન ધોવાઈ જાય અને વૃક્ષનાં મૂળિયાં પ્રગટ થઈ જાય તો વૃક્ષનો વિકાસ અટકી જાય છે, કારણ કે વૃક્ષના વિકાસ માટે તેનાં મૂળ ધરતીની નીચે દટાયેલાં રહે તે જરૂરી છે. વૃક્ષનાં મૂળ દેખાવા માંડે તો જમીન સાથેની તેની પકડ ઢીલી થઈ જતાં કાળક્રમે તે વૃક્ષ પડી જવાની બીક પણ રહે છે. માણસ જે કાંઈ શુભ કાર્યો, કલ્યાણકાર્યો કરે છે તે કાર્યોરૂપ વૃક્ષના કારણ તરીકે સુકૃતરૂપ ગુણોનાં મૂળિયાં પડેલાં છે. સાધકનાં આ ગુણોરૂપ મૂળ પોતાના વખાણ(ઉત્કર્ષ)રૂપી પાણીના પ્રવાહથી જો પ્રગટ થઈ જાય તો તે વૃક્ષનાં મૂળ ઢીલાં પડતાં તેને ફળ આવતાં બંધ થઈ જાય છે, વ્યક્તિનાં કલ્યાણકાર્યોમાં રુકાવટ આવે છે. પોતાનાં વખાણ કરવારૂ૫ પાણીના પ્રવાહમાં જો સુકૃત ગુણોનાં સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ 95 Page #113 -------------------------------------------------------------------------- ________________ મૂળ તણાઈ જાય તો સમગ્ર વૃક્ષ જ ધરાશાયી થઈને પડી જાય છે. આનો સાર એ જ છે કે જે ગુપ્ત પુણ્ય છે તે જ ફળદાયક છે. (૧૮/૨) પોતે જે કાંઈ શુભ કાર્યો કર્યાં છે તેનાથી મનમાં સહેજ પણ અભિમાન આવવું ન જોઈએ કે ‘આ કાર્યો મેં કર્યાં છે'. - આત્મપ્રશંસા કેવી રીતે વ્યક્તિને પાડે છે આ વાત બીજી એક રીતે પણ સમજાવી શકાય. પોતાના ગુણોરૂપ દોરડાં જો બીજા ગ્રહણ કરે તો તેમને તે તારે છે, તેમના માટે તે હિતકારક થાય છે. પણ આ ગુણોરૂપ દોરડાં જો વ્યક્તિ પોતે ગ્રહણ કરે તો તે વ્યક્તિને પોતાને પાડે છે. વધારે સ્પષ્ટ રીતે કહીએ તો સાધકના પોતાના ગુણો જો બીજા કહે તો તે સાધકને તારે છે, તેના માટે ગુણકારી નીવડે છે, પણ સાધક પોતે જ જો આત્મસ્તુતિનો દોર ગ્રહણ કરે તો તે સાધકને ડુબાડે છે, તેને માટે તે અહિતકર બને છે. (૧૮/૩) હજી બીજી રીતે પણ આ વાત સમજાવી શકાય. જેવી રીતે પવનથી સમુદ્રનું પાણી ફોરાંરૂપે કે પરપોટારૂપે નાશ પામે છે, તેવી જ રીતે અભિમાનનો પ્રચંડ વાયુ ફૂંકાય ત્યારે આત્મસમુદ્રનાં પાણી પરપોટા બનીને નાશ પામે છે. પોતાના ગુણો પાણીના પરપોટા બનીને નાશ પામે તે જોઈને સાધકે રાજી ન થવું જોઈએ, બેસી ન રહેવું જોઈએ. (૧૮/૭) ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયોમાંથી ‘માન’ની પકડમાંથી છૂટવું સૌથી વધુ દુષ્કર છે. જો વ્યક્તિ આત્મપ્રશંસા છોડી દે, પોતાના ગુણોનો ભાર મનમાંથી કાઢી નાખે અને ફળ આવતાં વૃક્ષો જેમ નમી જાય છે તેમ પોતાના ગુણોથી વધુ ને વધુ નમ્ર બનતો જાય તો જ તે પ્રગતિના માર્ગે આગળ વધી શકે છે. (ગ) સ્પૃહા સ્પૃહા એટલે ઇચ્છા કે તૃષ્ણા. જ્યારે વ્યક્તિની ઇચ્છા ખોટી લાલસાઓવાળી હોય છે ત્યારે તેની તેવી ઇચ્છાઓ કે સ્પૃહાઓથી વ્યક્તિને નુકસાન જ થાય છે. અમુક સ્પૃહા વિષવેલ સમાન હોય છે. અન્ય વનસ્પતિઓની જેમ વિષવેલ મોટી થાય ત્યારે તેને ફળ આવે છે. પણ આ વિષવેલનાં ફળ ખાઈએ તો તેનાથી તૃપ્તિ થવાને બદલે નુકસાન થાય છે. સ્પૃહારૂપ વિષવેલનાં ફળ ખાવાથી મોં સુકાઈ જાય છે, તે ખાવાથી મૂર્છા આવતાં બેભાન થઈ જવાય છે, તેનાથી દીનતા પણ આવે છે. જેનાં ફળ ખાવાથી મુખશોષ થાય, મૂર્છા આવે, દીનતા જ્ઞાનસારનું તત્ત્વદર્શન - 96 Page #114 -------------------------------------------------------------------------- ________________ પેદા થાય તે ફળ જેના પર પેદા થાય છે તે વિષવેલને તો કાપીને દૂર જ કરવી જોઈએ. તેનું નામ જ સૂચવે છે તે પ્રમાણે તે વિષવેલ હોવાથી તેને રાખવાથી કોઈ ફાયદો જ નથી. મૃણારૂપ વિષવેલને કાપવા માટે, મૂળમાંથી કાઢવા માટે જ્ઞાનરૂપ દાતરડું જરૂરી છે. (૧૨/૩) જ્ઞાનથી, વિવેકથી સમજપૂર્વક જેમ જેમ સ્પૃહાનાં મૂળ ખોદતાં જઈશું તેમ તેમ સ્પૃહારૂપ વિષવેલને આપણે દૂર કરી શકીશું. આત્મવિષયક જિજ્ઞાસા અને સ્પૃહા તો ઉપાદેય છે, કારણ કે તે આપણને સાચા માર્ગે આગળ લઈ જાય છે. પરંતુ જે ઇચ્છા અનાત્મરતિરૂપ એટલે કે આત્માથી બાહ્ય પુદ્ગલો કે વિષયોને લગતી હોય છે તે સાચા માર્ગે આગળ વધવામાં અવરોધરૂપ હોય છે. તેથી ડાહ્યા અને વિદ્વાન મનુષ્ય આવી અનાત્મરતિને પોતાના મનમાંથી બહાર જ કાઢી નાખવી જોઈએ. (૧૨૪) ખોટી લાલસાવાળા કે સ્પૃહાવાળા જીવો તણખલાની જેમ કે આકડાના રૂની જેમ હલકા દેખાય છે. આમ તો હલકી વસ્તુઓ પાણીમાં પડે તો તે પાણીમાં ઉપર જ તરે છે. પરંતુ આ સ્પૃહાવાળા જીવોની બાબતમાં આશ્ચર્યની વાત એ છે કે સંસારરૂપી સાગરમાં આવા સ્પૃહાવાળા હલકા દેખાતા જીવો ઉપર રહેવાને બદલે ડૂબી જ જાય છે. (૧૨/૫) આ સ્પૃહાને તૃષ્ણારૂપે પણ સમજી શકાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા સાચા માર્ગે ચઢ્યા ન હોય તેવા સામાન્ય માણસની ભૂલ ક્યાં થાય છે? તૃષ્ણાને કારણે માણસ જ્ઞાનરૂપ અમૃતને છોડીને પાંચ ઇંદ્રિયોના વિષયોરૂપ ઝાંઝવાનાં જળ પાછળ દોડે છે. તૃષ્ણાને કારણે જ્યારે વ્યક્તિ ઇન્દ્રિયોના વિષયોમાં આકર્ષાઈને તેની પાછળ દોડે છે ત્યારે તે મૃગજળ સમાન તૃષ્ણામાંથી કાંઈ સત્ત્વ પ્રાપ્ત થતું નથી. (૭૬). - તૃષ્ણા સાપના ઝેર સમાન પણ છે. સાપનું ઝેર ઉતારવાનો ઉપાય પણ વિચારવો પડે. જેમ ગારુડીના મંત્રથી સાપનું ઝેર ઊતરી જાય છે તેમ જ્ઞાનદૃષ્ટિરૂપ મંત્રથી તૃષ્ણારૂપ સાપનું ઝેર પણ ઊતરી જાય છે. જ્ઞાનદૃષ્ટિથી જો તૃષ્ણારૂપ સાપનું ઝેર ઊતરી જાય તો દીનતારૂપ વીંછીની વેદના તો શી વિસાતમાં ? જ્ઞાનદૃષ્ટિથી તૃષ્ણાની સાથે સાથે દીનતા પણ દૂર થઈ જાય છે. (૧૪) માયા અને લોભમાંથી વ્યક્તિના મનમાં જે ખોટી ઇચ્છાઓ, સ્પૃહાઓ, તૃષ્ણાઓ પેદા થાય છે તે વિષવેલનાં ફળની જેમ, અનાત્મરતિની જેમ, આકડાના રૂ કે તણખલાની જેમ, મૃગજળની જેમ કે સાપના ઝેરની જેમ કોઈપણ જાતનું સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ 97 Page #115 -------------------------------------------------------------------------- ________________ મૂલ્ય ધરાવતી નથી. આવી સ્પૃહા અને તૃષ્ણાની પકડમાંથી વ્યક્તિ છૂટતી જાય તે ઇચ્છનીય છે, જરૂરી છે. (ઘ) સંસારસુખની ઘેલછા સાધક વ્યક્તિ સંસારના સાચા સ્વરૂપને જાણે તો તે સાચું શું અને ખોટું શું તેનો નિર્ણય કરવા સમર્થ બને છે. કોઈ વ્યક્તિને સોજા આવ્યા હોય તો તેનું શરીર હૃષ્ટપુષ્ટ થયેલું લાગવા છતાં તેની આ પુષ્ટતા વિકારરૂપ છે તેમ જાણીને સ્વસ્થ વ્યક્તિ આવી પુષ્ટતા ઇચ્છતી નથી. તે જ રીતે કોઈ પ્રાણીને વધ કરવા માટે લઈ જતા હોય ત્યારે તેને કરેણના ફૂલની માળાથી શણગારવામાં આવે ત્યારે તે પ્રાણી શોભતું હોવા છતાં અંતે તે પ્રાણીનો વધ જ થવાનો હોવાથી આવો શણગાર પણ વિવેકી માણસ ઇચ્છતો નથી. આ જ રીતે સંસારની ઘેલછા પણ અંતે તો અસાર જ છે એમ જાણતા હોવાથી વિવેકી અને સ્વસ્થ સાધક મુનિ તેને ઇચ્છતા નથી અને પોતે પોતાના આત્મામાં જ તૃપ્ત રહે છે. (૧૩/૬) સંસારનું સુખ અને જ્ઞાનનું સુખ બેમાં ઇષ્ટ શું છે ? સંસારના (એટલે પુદ્ગલના) સુખમાં સુખનો આરોપ ક૨વો તે ભ્રાંતિ છે, કારણ કે સંસારનું સુખ તો અનેક ભયરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલ છે; જ્યારે જ્ઞાનસુખ તો સદાય ભયરહિત જ છે; તેથી તે હંમેશાં ઇચ્છનીય છે, હંમેશાં સર્વાધિક છે. (૧૭/૨) જ્ઞાનસુખ ભયરહિત કેવી રીતે છે ? જે સાધક જાણવાયોગ્ય વસ્તુને જ્ઞાનથી જાણે છે તેને તેનું જ્ઞાન અને તેમાંથી મળતું સુખ ક્યાંય છુપાવવાની જરૂર નથી, ક્યાંય રાખી મૂકવા જેવું નથી, ક્યાંય છોડવાયોગ્ય કે દેવાયોગ્ય નથી. તેથી તેવા જ્ઞાની મુનિને ક્યાંય ભય નથી. (૧૭/૩) કેટલીક વખત વ્યક્તિ બોર લઈને તેના બદલામાં ચિંતામણિ રત્ન આપી દે છે, તે જ રીતે ક્યારેક વ્યક્તિ જુદા જુદા પ્રકારનું લોકરંજન કરવામાં જ પોતાનો અમૂલ્ય સમય વિતાવી દે છે અને તેના બદલામાં સદ્ધર્મને ત્યજી દે છે. જેમ બોરના બદલામાં ચિંતામણિ રત્ન આપી દેવું તે મૂર્ખતા છે તેમ છીછરા સંસારસુખની પ્રાપ્તિ કરાવતા લોકરંજનના બદલામાં સદ્ધર્મને ત્યજી દેવો તે મૂઢતા છે. (૨૩/૨) (ચ) કુતર્ક વ્યક્તિ પોતાને મળેલ તર્કશક્તિને, વિચારશક્તિને ઘણી વખત ખોટા જ્ઞાનસારનું તત્ત્વદર્શન 98 Page #116 -------------------------------------------------------------------------- ________________ માર્ગે વાપરીને વેડફી નાંખે છે અને પોતાને મળેલ બુદ્ધિશક્તિનો વ્યય કરે છે. જેમ કે, જેવી રીતે નાનાં બાળકો બેઠાં બેઠાં કાંકરા નાખવા જેવી અર્થહીન પ્રવૃત્તિઓ કર્યા કરે છે, તેવી રીતે ઘણી વ્યક્તિઓ અવારનવાર કુતર્કરૂપ કાંકરા નાખ્યા જ કરે છે. જરૂર ન હોય ત્યાં પણ કુતર્ક અને કુયુક્તિનો ઉપયોગ કર્યા કરે છે. ઠરેલ વ્યક્તિએ કેવી રીતે રહેવું જોઈએ ? તેનો જવાબ એ છે કે કતકરૂપ કાંકરા નાખવાની બાલચપલતાનો ત્યાગ કરીને, અંતરાત્માથી મધ્યસ્થ થઈને ઉપાલંભ ન આવે તે રીતે, એટલે કે અંતરંગ પરિણામથી રાગ-દ્વેષ વગરના થઈને ઠપકો ન આવે તે રીતે રહેવું જોઈએ. (૧૬/૧) " કુતર્ક અને કુયુક્તિની વાત બીજી રીતે પણ સમજવી જરૂરી છે. જેમ વાંદરો ગાયને પૂંછડા વડે ખેંચીને તેને સળી કર્યા કરે છે, તેમ તુચ્છ આગ્રહવાળા પુરુષોનો મનરૂપી વાંદરો બેઠાં બેઠાં યુક્તિરૂપ ગાયને પૂંછડા વડે ખેંચ્યા કરે છે. જે વ્યક્તિ ઠરેલ છે, મધ્યસ્થ છે તે કોઈ દિવસ આવી રીતે વર્તન કરતી નથી. જેમ વાછરડું ગાયની પાછળ દોડે છે તેમ મધ્યસ્થ પુરુષનું મનરૂપી વાછરડું યુક્તિરૂપ ગાયની પાછળ દોડે છે. (૧૨) (છ) ભય સંસારમાં માણસને ક્યારેક ક્યારેક ભયનો અનુભવ થાય છે. વ્યક્તિનો પોતાનો કોઈ સીધો દોષ ન હોય તોપણ ભયને કારણે વ્યક્તિને ઘણું નુકસાન થાય છે. ખરેખર તો, ભય લાગે ત્યારે પલાયન થઈ જવાને બદલે પરિસ્થિતિનો સામનો તો કરવો જ જોઈએ. ભયનો સામનો કેવી રીતે કરી શકાય ? અથવા તો નિર્ભય કેવી રીતે બનાય ? તે જોઈએ. વ્યક્તિ જો પોતે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવીને ઇન્દ્રિયો પર વિજય મેળવે તો તેનો સંસારનો અને ભવભ્રમણનો ભય પણ દૂર થાય જેના પરિણામે મોક્ષપ્રાપ્તિ શક્ય બને. (૭/૧) વિષનું ઔષધ વિષ છે, અગ્નિનું ઔષધ અગ્નિ છે તે વાત સાચી છે, કારણ કે જે સંસારથી ભય પામેલો છે તેને ઉપસર્ગો આવવા છતાં પણ ભય લાગતો નથી, એટલે કે ભયનું ઔષધ પણ ભય જ છે. (૨૨૭) સાધકે નિર્ભય થવું શા માટે જરૂરી છે તે નિર્ભય-અષ્ટકમાં જુદી જુદી રીતે સમજાવ્યું છે. ' સ્વ-ભાવમય બનીને વિહરતા જે સાધકને પરાપેક્ષા નથી તે સાધકની સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ 99. Page #117 -------------------------------------------------------------------------- ________________ ભયભ્રાંતિજન્ય ખેદની પરંપરા પાતળી પડી જાય છે. (૧૭/૧) જો સાધક બીજાની અપેક્ષા વગર રહે તો તેને ભય પેદા થાય તેવા કારણો જ ખૂબ ઓછાં મળે છે અને તેથી તે નિર્ભય બની શકે છે. નિર્ભય રીતે જીવનાર વ્યક્તિ સંસારસુખને બદલે જ્ઞાનસુખને પસંદ કરે છે. (૧૭/૨,૩) સંગ્રામમાં મોખરે રહેનાર શ્રેષ્ઠ હાથીને જેમ ક્યાંયથી ભય નથી તેમ બ્રહ્મજ્ઞાનરૂપ શસ્ત્ર ધારણ કરનાર મુનિને પણ ક્યાંયથી ભય નથી. (૧૭/૪) વધુ એક દૃષ્ટાંત જોઈએ તો, જ્યાં મોર હાજર હોય ત્યાં સાપ ન રહે, તે જ રીતે આત્મજ્ઞાન હાજર હોય ત્યાં ભય પણ ન જ રહે. (૧૭/૫) જીવનસંગ્રામને લડી લેવાની તાકાત સાધકમાં આવે તેવી રજૂઆત પણ નિર્ભય-અષ્ટકમાં કરી છે. યુદ્ધભૂમિમાં જે યોદ્ધાઓ બખ્તર ધારણ કરે તેને ભય પણ ન લાગે અને તેનો પરાજય પણ ન થાય; તે જ રીતે કર્યસંગ્રામરૂપ યુદ્ધમાં જે વ્યક્તિ જ્ઞાનરૂપ બખ્તર ધારણ કરે તેને ભય પણ ન લાગે અને તેનો પરાજય પણ ન થાય. (૧૬) જ્યારે વાયુ કે પવન આવે ત્યારે આકડાનું રૂ હલકું હોવાથી આકાશમાં ભમ્યા કરે છે, તે જ રીતે મૂઢ પુરુષો હલકા હોવાથી ભયરૂપ વાયુથી ચલિત થઈને ભમ્યા જ કરે છે. પણ આ જ પુરુષો જો જ્ઞાન વડે ભારે થઈ જાય તો ભારને કારણે ભયરૂપ વાયુ તેવા પુરુષોનું રૂંવાડું પણ ફરકાવી શકતો નથી. (૧૭/૭) જે સાધુપુરુષ અખંડ જ્ઞાનરૂપ રાજ્ય મેળવે છે તેનું ચારિત્ર એવું પ્રભાવશાળી બને છે કે તે પોતે કોઈથી ભય પામતો નથી. (૧૭.૮) (જ) જ્વર વ્યક્તિને જ્યારે શારીરિક તકલીફ થાય, રોગ થાય ત્યારે તેનો ઉપચાર કરવો પડે છે. આવી એક શારીરિક બીમારી છે તાવ કે જ્વર. આપણને જ્યારે તાવ આવે ત્યારે તે તાવ જે પ્રકારની હોય તેને અનુરૂપ દવા કરીએ તો તે તાવ ઊતરી જાય છે. માનસિક કક્ષાએ લાગુ પડતા જુદા જુદા પ્રકારના તાવને દૂર કરવાના ઉપાયો એક ચિકિત્સકની જેમ ઉપાધ્યાયજીએ “જ્ઞાનસાર'માં દર્શાવ્યા છે. માણસને જ્યારે ઉચ્ચપણાનો દૃષ્ટિદોષ લાગુ પડ્યો હોય છે ત્યારે તેને અહમુરૂપી તાવ આવે છે. આ અહમુરૂપી તાવને દૂર કરવાનો ઉપાય શો? તેનો ઉપાય છે, પૂર્વે થયેલા સિંહ જેવા પ્રભાવી પુરુષોના ગુણોને યાદ કરવા; જેથી આ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 100 Page #118 -------------------------------------------------------------------------- ________________ બધા પ્રભાવી પુરુષોની ગુણસમૃદ્ધિ આગળ પોતે તો સાવ તુચ્છ છે તેનો ખ્યાલ આવે. જ્યારે માણસ પોતાની તુચ્છતાથી સભાન થાય છે ત્યારે તેનો અમરૂપી તાવ ઊતરી જાય છે. (૧૮/૪). અમુક તાવમાં લાંઘણ એટલે ઉપવાસ કરાવવામાં આવે છે. જો વ્યક્તિને સ્વચ્છંદતારૂપ તાવ ચઢી ગયો હોય તો લાંઘણની જેમ શાસ્ત્ર તેમાં ખૂબ ઉપયોગી નીવડે છે. (૨૪૭) શાસ્ત્ર વ્યક્તિને હિત શીખવે છે અને તેનું રક્ષણ પણ કરે છે. (૨૪(૩) તેથી જ્યારે વ્યક્તિ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે ત્યારે તે પોતાના હિત માટે નિયમમાં રહેતા શીખે છે અને તેની સ્વચ્છંદતા ચાલી જાય છે. " તાવ ઊતરી જાય ત્યારે દર્દીને આરામ થાય છે. તે જ રીતે જે વ્યક્તિનો દ્રિોહરૂપ તાવ, મમતારૂપ તાવ અને મત્સરરૂપ તાવ જતો રહે છે તે વ્યક્તિ સુખેથી રહી શકે છે. (૨૩/૮) - જ્યારે તાવ આવ્યો હોય ત્યારે વ્યક્તિ જો પાણીમાં ડૂબકી મારે તો તેને વિશેષ તાવ ચઢે છે. તે જ રીતે જેને અવિવેકરૂપ જ્વર ચઢ્યો હોય તે જડપુદ્ગલોમાં મગ્ન બને તો તેને વરનું વિષમપણું થાય છે. તેનાથી ઊલટું જે વ્યક્તિ આત્મામાં જ આત્માને જાણીને આત્મજ્ઞાનમાં મગ્ન બને છે તેને પુગલમાં મગ્ન થવાથી ઉદ્ભવતો અવિવેકરૂપ જ્વર આવતો નથી, કારણ કે તે પુદ્ગલ અને આત્માનો ભેદ જાણે છે. (૧૫/૭), (ઝ) મર્મપ્રહાર વ્યક્તિને જ્યારે મર્મસ્થાને વાગ્યું હોય ત્યારે તેની વેદનાનો ખ્યાલ તેના મોં પરથી અને તેની શારીરિક સ્થિતિ પરથી જ આવી જાય છે. તે જ રીતે જ્યારે વ્યક્તિ લોકસંજ્ઞાથી હણાય છે ત્યારે તેની “ધીમે ચાલવું અને નીચે જોવું' જેવી પ્રવૃત્તિઓ પણ તેના સત્યવ્રતરૂપ અંગમાં થયેલ મર્મપ્રહારની મહાવેદનાનો ખ્યાલ આપે છે, તેની ધર્મક્રિયાઓ પણ તેની હણાયેલી લોકસંજ્ઞાનું જ સૂચન કરે છે. (૨૩/૬) (2) અસ્થિરતા અમુક બીમારીમાં દવા કામ કરતી નથી. દા.ત. શરીરમાં અંદર કોઈ મોટું શૂળ, શલ્ય કે કાંટો હોય તો જ્યાં સુધી તેને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી બાહ્ય ઔષધ ગુણકારક થતાં નથી. આ પરિસ્થિતિમાં દવા કામ ન કરે, ઔષધ કારગત ન નીવડે તો તેમાં ઔષધનો દોષ નથી, પણ ત્યારે શલ્યને દૂર સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ 10] Page #119 -------------------------------------------------------------------------- ________________ કરવું જરૂરી છે. તે જ રીતે આપણી અંદર અસ્થિરતારૂપ શલ્ય હાજર હોય તો ક્રિયારૂપ ઔષધ ગુણ ન કરે તેમાં ક્રિયારૂપ ઔષધનો દોષ નથી. ત્યાં તો અસ્થિરતારૂપ શલ્યનો જ દોષ છે અને તેથી તેવી પરિસ્થિતિમાં આ અસ્થિરતારૂપ શલ્યને જ દૂર કરવું જરૂરી છે. (૩૪) સાધકની વર્તમાન મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે જૈન તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો, નિયમોની રજૂઆત કરવાને બદલે સામાન્ય માણસને પણ ખ્યાલ આવે તે રીતે કયો દોષ હોય તો શું ઉપાય કરવો એવી જે રજૂઆત થઈ છે તે વધારે વ્યવહારુ જણાય છે. સંવર અને નિર્જરાની પાછળનો જે ભાવ છે તે પકડીને વ્યવહારમાં તેને કેવી રીતે લાગુ પાડી શકાય તેનો વધારે ખ્યાલ આવા દોષનિવારણને લગતા શ્લોકોમાંથી આપણને આવે છે. ટિપ્પણ ૧. “જ્ઞાનમિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિઃ । નાનામ્યધર્મ ન ૨ મે નિવૃત્તિઃ ” ૨. “હ્દોષમપિ તન્નઃ સઃ અત્વનમ્ ।” . ૩. - રઘુવંશ દા.ત. જુઓ : ‘જ્ઞાનસાર', ૧/૪, ૩/૧, ૭/૧, ૧૨/૩, ૧૭/૪,૬, ૨૧/૧ વગેરે. ૪. “મૂર્છા પરિગ્રહઃ ।” જ્ઞાનસારનું તત્ત્વદર્શન 102 - ‘મહાભારત’ - ‘તત્ત્વાર્થસૂત્ર’, અ. ૭, સૂ. ૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ સાધક અને સાધનામાર્ગ પોતાના દોષો જેમ જેમ દૂર થતા જાય તેમ તેમ સાધક ઉત્તરોત્તર ઉચ્ચ દશા પ્રાપ્ત કરતો જાય છે. જ્યારે બાહ્યદષ્ટિની પ્રવૃત્તિ બંધ પડે છે ત્યારે સાધકને પોતાની અંદર આત્મામાં પ્રગટ થયેલી સર્વ સંપત્તિ અનુભવાય છે. (૨૦/૧) જે રીતે કૃષ્ણપક્ષ પૂરો થઈને શુક્લપક્ષ શરૂ થતાં ચંદ્રની કળા દિવસે દિવસે વૃદ્ધિ પામે છે અને પૂર્ણિમાના દિવસે ચંદ્ર ખીલી ઊઠે છે, તે રીતે ઉત્તરોત્તર પૂર્ણત્વની નજીક જતાં સાધકનું ચારિત્ર પણ સોળે કળાએ ખીલી ઊઠે છે. (૧/૮) પોતાનો વિકાસ થતાં સાધક સાધનામાર્ગે જે પ્રગતિ કરે છે તેનો તાદશ ચિતાર “જ્ઞાનસાર'માં આપવામાં આવ્યો છે. મોક્ષપ્રાપ્તિ માટેની લાયકાત - પૂર્ણત્વ કે મોક્ષ એ સાધનામાર્ગે આગળ વધવા ઇચ્છતા સાધકનું ધ્યેય છે. આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સાધકમાં કેટલીક લાયકાત હોવી જોઈએ. (ક) જીવમાત્રની સમાનતા મોક્ષગામી થવા ઇચ્છતો ઉપશમવાળો યોગી બ્રહ્મના અંશરૂપ એક સ્વરૂપવાળા જગતને પોતાના આત્માથી અભિન્ન જુએ છે. 103 Page #121 -------------------------------------------------------------------------- ________________ જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે તે યોગી જગતના સર્વ જીવોને સમાનરૂપે અનુભવે છે, પોતાના આત્માથી અભિન્ન જુએ છે. જીવોમાં જે કર્મકૃત વૈષમ્ય છે, તેને ગૌણ ગણીને તથા દ્રવ્યાસ્તિક નયથી જીવોના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને મુખ્ય કરીને પ્રત્યેક જીવની સમાનતાને પ્રાધાન્ય આપે છે. (૯/૨). (ખ) ઇંદ્રિયજય સાધક સંસારથી ભય પામીને મોક્ષપ્રાપ્તિ ઝંખે તો તે માટે તેણે ઇંદ્રિયજય કરવા પ્રવૃત્તિમાન બનવું જરૂરી છે. (૭/૧) ઈંદ્રિયો પોતપોતાના વિષયમાં આકર્ષાતી હોય ત્યારે ઇંદ્રિયો ઉપર કાબૂ મેળવીને, તેને જીતીને અંતર્મુખ થવું જરૂરી છે. ઇંદ્રિયો બહિર્મુખ હોય ત્યારે મોક્ષ પ્રતિ ગતિ થાય તે શક્ય જ નથી. ઇંદ્રિયજય એટલે શું ? તે કેવી રીતે થાય ? ઇંદ્રિયજય એટલે વર્ણ વગેરે વિષયોમાં ઇષ્ટપણાનું કે અનિષ્ટપણાનું આરોપણ ન થાય, માત્ર વર્ણાદિ વિષયોનું જ્ઞાન થાય તે. ઇંદ્રિયો દ્વારા વર્ણ વગેરેનું જ્ઞાન થાય તે તો સ્વીકાર્ય છે, પરંતુ આ વર્ણાદિ વિષયોમાં ઇષ્ટપણું કે અનિષ્ટપણું આરોપાય તે સ્વીકાર્ય નથી, કારણ કે ઇષ્ટ-અનિષ્ટનો સંબંધ મોહ સાથે છે. વળી ઇંદ્રિયજય કરવો બીજી રીતે પણ જરૂરી છે. હકીકત એ છે કે જેમ હજારો નદીઓથી પણ સમુદ્રનું ઉદર તૃપ્ત થતું નથી તેમ ઇંદ્રિયો પણ વિષયોથી કદી તૃપ્ત થતી નથી. (૭/૩) ઇંદ્રિયોને નહિ ભોગવેલા વિષયોમાં ઇચ્છા થાય છે, ભોગવાતા વિષયોમાં મમતા થાય છે અને પૂર્વે ભોગવેલા વિષયોનું સ્મરણ થાય છે. ઇંદ્રિયોના વિષયોમાં આસક્તને તૃપ્તિ થતી નથી. ઇંદ્રિયોની અભિલાષા શમ અને સંતોષથી જ પૂર્ણ થાય છે. સાધક માટે ઇંદ્રિયજય આવકાર્ય છે. (ગ) શાસ્ત્રજ્ઞાન | મોક્ષપ્રાપ્તિના ધ્યેયને પ્રાપ્ત કરવામાં શાસ્ત્રો પણ ઉપયોગી છે. શાસ્ત્રોક્ત આચારનું પાલન કરનાર, શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રનો ઉપદેશ કરનાર તથા શાસ્ત્રો માટે અદ્વિતીય દષ્ટિ ધરાવનાર મહાન યોગી પરમપદને અર્થાતુ મોક્ષને પામે છે. (૨૪૮) શાસ્ત્રના કહ્યા માર્ગે ચાલવાથી મોક્ષ મળે છે એ અર્થમાં શાસ્ત્રો પથપ્રદર્શક છે, સહાયક અને ઉપયોગી છે. (ઘ) નિર્વિકાર, નિરાબાધ જ્ઞાન અને પર-આશાની નિવૃત્તિ નિર્વિકાર અને નિરાબાધ (પીડારહિત) જ્ઞાનના સારને જેણે મેળવ્યો છે અને જેની પરની અર્થાત્ અન્ય વ્યક્તિ કે વસ્તુની આશા નાશ પામી છે તે વ્યક્તિને આ ભવમાં જ મોક્ષ છે. (ઉપ) કોઈપણ જાતના વિકાર વગરનું અને જ્ઞાનસારનું તત્ત્વદર્શન 104 Page #122 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ જાતની બાધા વગરનું જ્ઞાન મોક્ષ માટે જરૂરી છે. આ મોલ બંધની નિવૃત્તિરૂપ છે, અર્થાત્ મોક્ષ પ્રાપ્ત થતાં કર્મબંધ રહેતો નથી. જેની પરની આશા નાશ પામી છે તે વ્યક્તિ પોતાની પ્રગતિ કે મુક્તિ માટે બીજા ઉપર આધાર રાખતી નથી. કોઈની કૃપા કે આશીર્વાદ નહીં, પણ સ્વપ્રયત્ન કે પુરુષાર્થ મોક્ષપ્રાપ્તિ કે ધ્યેયપ્રાપ્તિ માટે જરૂરી છે. વળી પરની આશા એટલે પોતાના જીવાત્મા સિવાય અન્ય જીવો કે કોઈપણ અજીવ તત્ત્વની આશા નાશ પામે તે પણ જરૂરી છે. મારો મોક્ષ કોઈ બીજું નહીં મેળવી આપે. બીજા બધા માત્ર નિમિત્તકારણ બની શકે. બીજા કોઈ આવે અને મારો મોક્ષ થાય તે શક્ય નથી. મારો મોક્ષ મેળવવા માટે શક્તિમાન તો હું પોતે જ છું. (૨) સિદ્ધયોગ જૈન દર્શનના મત અનુસાર અરિહંત પદવી તે મોક્ષની બાબતમાં સર્વોચ્ચ એવી સિદ્ધ પદવીથી સૌથી નજીકની પદવી છે. જે જીવાત્મા સર્વ કર્મબંધનોને તોડીને પોતાના શુદ્ધતમ સ્વરૂપને પામે છે તે સિદ્ધ થાય છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. અરિહંત અને સિદ્ધમાં ફેર એટલો છે કે અરિહંત તે જીવન્મુક્ત છે અને કર્મબંધને કારણે તેનું શરીર ટકી શકે છે. જ્યારે આ કર્મબંધ તૂટે અને તે શરીર ત્યજે ત્યારે તે સિદ્ધ બને છે, વિદેહમુક્ત બને છે. અરિહંત પદવી દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણ રત્નોથી પવિત્ર છે. અરિહંતને “કેવલી” કહેવાય છે. જે સાધુ સિદ્ધયોગને પામે છે અર્થાત્ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતાના યોગોને જીતીને સિદ્ધિ સુધી પહોંચે છે તે સાધુને યોગમાં કુશળતા પ્રાપ્ત થાય છે અને ત્યારે તેને દર્શન, જ્ઞાન, ચારિત્ર – એ રત્નત્રયીથી પવિત્ર એવી અરિહંત પદવી ગમે ત્યારે મળી શકે છે. (૨૦-૮) સાધક જીવમાત્રની સમાનતાને પ્રાધાન્ય આપે, ઇંદ્રિયજય કરે, શાસ્ત્રોના સંપર્કમાં રહે, પરની આશાને છોડીને નિર્વિકાર અને નિરાબાધ જ્ઞાનને પામે, સિદ્ધયોગને પામે વગેરે લાયકાત કેળવે ત્યારે તેના માટે મોક્ષપ્રાપ્તિ શક્ય બને છે. સાધકના ગુણો મોક્ષ મેળવવા માટે કોણ અધિકારી છે ? તે અંગે વિચારતાં જણાય છે કે ચાર્વાક સિવાયના લગભગ દરેક ભારતીય દર્શનની જેમ જૈન દર્શનમાં પણ મોક્ષ મેળવવા માટે અમુક અધિકાર, યોગ્યતા હોવી જોઈએ તે વાતનો સ્વીકાર થયેલ છે. સાધક અને સાધનામાર્ગ 105 Page #123 -------------------------------------------------------------------------- ________________ અગાઉ જોઈ ગયા તે પ્રમાણે “જ્ઞાનસાર'માં પહેલા “પૂર્ણતા-અષ્ટક'ને ધ્યેય માનીએ તો બાકીનાં એકત્રીસ અષ્ટકો આ ધ્યેય કે સાધ્યને પ્રાપ્ત કરવાનાં સાધન તરીકે અથવા તો સાધકમાં હોવા જોઈતા ગુણો તરીકે જ વર્ણવાયેલાં છે. વળી અધિકારી સાધકમાં હોવા જોઈતા ગુણોની વિશેષ વિચારણા પણ “જ્ઞાનસારમાં કરવામાં આવી છે. (ક) સાક્ષીભાવ, મોહરહિતતા, નિર્લેપતા, નિઃસ્પૃહતા સાધક હોય એવી જ્ઞાની વ્યક્તિ સ્વભાવસુખમાં મગ્ન થયેલી હોવાથી તે કર્તાભાવે નહીં પણ “સાક્ષીભાવે જીવે છે. (૨૩) જ્ઞાની “મોહરહિત હોવાથી સંસારમાં ક્યાંય ખેદ પામતો નથી. (૪૪) આવો મોહરહિત સાધક સાક્ષીભાવે જીવનાર હોવાથી “હું નિર્લેપ છું' એ જ્ઞાનમાં સ્વાભાવિક રીતે જ મગ્ન થાય છે. આવા “નિર્લેપભાવે કરાયેલ તેની સર્વ ક્રિયાઓ “આત્મા કર્મબદ્ધ છે અને કર્મથી લેપાય છે', એ મિથ્યાજ્ઞાનને રોકવા માટે ઉપયોગી બને છે. (૧૧/૪) આ સાધક નિઃસ્પૃહ' પણ હોય જ છે. તેને માટે પર વસ્તુની સ્પૃહા (ઇચ્છા) દુઃખરૂપ છે, નિસ્પૃહતા સુખરૂપ છે. (૧૨૮) આવા જ્ઞાની આત્મા પોતે સંસારરૂપ સમુદ્રને તરેલા છે અને અન્યને તારવાને સમર્થ છે. (૯૧). (ખ) આધ્યાત્મિક ગુણોરૂપ કુટુંબ - સાધકના આધ્યાત્મિક ગુણોનું પણ એક કુટુંબ છે. શુદ્ધ આત્મજ્ઞાનરૂપ પિતા; ધૃતિ (આત્મરતિ)રૂપ માતા; શીલ, સત્ય, શમ, દમ, સંતોષરૂપ ભાઈઓ; સમતારૂપ પ્રિય પત્ની – આ બધાંનો તેના પરિવારમાં સમાવેશ થાય છે. (૮/૧ થી ૩) સાંસારિક માતા, પિતા, ભાઈ, પત્નીના બદલે આ બધા ગુણોરૂપ પરિવારનું આધ્યાત્મિક મૂલ્ય સવિશેષ છે. (ગ) ગુણવાન ધ્યાતાની અખૂટ સમૃદ્ધિ સાધક વ્યક્તિ ધ્યાતા છે. ધ્યાતા એટલે સમાધિવાન પુરુષ. ધ્યાતા જિતેન્દ્રિય, ધીર, પ્રશાંત, સ્થિર, પ્રસન્ન, અપ્રમત્ત, જ્ઞાનાનંદરૂપ અમૃતનો આસ્વાદ લેનાર, વિપક્ષરહિત હોવો જોઈએ. (૩૦૬ થી ૮) આવા ગુણોવાળા ધ્યાતાની સમૃદ્ધિ ઇન્દ્ર, ચક્રવર્તી રાજા, શેષનાગ, શિવ, શ્રીકૃષ્ણ, બ્રહ્મા વગેરેની સમૃદ્ધિ કરતાં પણ ચઢિયાતી છે, કારણ કે તેની પાસે ધ્યાતા-ધ્યાન-ધ્યેયની એક્તારૂપ સમાધિ, ધૈર્ય, સમતા, ક્રિયા, જ્ઞાન, નવ બ્રહ્મચર્યરૂપ વાડ, વિવેક, વિરતિ, જ્ઞતિ વગેરે ગુણોની અખૂટ સમૃદ્ધિ પણ હોય છે. (૨૦૨ થી ૬) જ્ઞાનસારનું તત્ત્વદર્શન 106 Page #124 -------------------------------------------------------------------------- ________________ (૨) નિરપેક્ષ, તટસ્થ સાધક અપેક્ષારહિત હોય છે, દેશ-કાળની મર્યાદાથી રહિત હોય છે, જ્ઞાનમય સ્વરૂપવાળો હોય છે, પોતાની અધિકતા તથા પરની હીનતાની કલ્પનાથી રહિત અર્થાત્ તટસ્થ હોય છે. (૧૮૮) (ચ) પ્રતિસ્ત્રોતગામી સાધક અનુસ્રોતગામી નહીં, પણ પ્રતિસ્ત્રોતગામી હોય છે. નદીના પ્રવાહની દિશામાં તો ઘણાં તણાય, પણ સામા પ્રવાહે તરવાની ક્ષમતા તો રાજહંસ જેવા સામર્થ્યવાન જીવોમાં જ હોય છે. (૨૩૩) સાધક પણ પોતાની પ્રશંસા થાય કે નિંદા, તેની પરવા કર્યા વગર સાચા માર્ગે આગળ વધે છે. નીતિમત્તાના પાલનની બાબતમાં તેઓ પ્રાણીની કે રીત-રિવાજની કક્ષાએ નહીં, પણ અંતરાત્માની કક્ષાએ જીવે છે અને વિરોધીઓની વચ્ચે પણ સત્યનું સ્થાપન કરે છે. સાધકમાં સાક્ષીભાવ, મોહરહિતતા, નિર્લેપતા, નિઃસ્પૃહતા, નિર્ભયતા હોય; આત્મજ્ઞાન, ધૃતિ, શીલ, સત્ય, શમ, દમ વગેરે ગુણોરૂપ કુટુંબમાં તે રમમાણ હોય; તે ધીર, પ્રશાંત, પ્રસન્ન ધ્યાતા હોય; તેનામાં સમાધિ, ધૈર્ય, સમતા, વિવેક વગેરે ગુણોની સમૃદ્ધિ હોય તે અપેક્ષિત છે. જે જીવોમાં સ્વભાવગત રીતે આવા ગુણો હોય છે તેઓ સાધનામાર્ગે આગળ વધવામાં ઓછી મુશ્કેલીનો અનુભવ કરે છે. વળી સાધનામાર્ગે પ્રગતિ કરવા માટે અનુભવ, યોગ, તપ, ધ્યાન વગેરેની જાણકારી ઉપયોગી નીવડે છે. સાધનામાર્ગ ભારતીય દાર્શનિક, આધ્યાત્મિક સાહિત્યમાં સાધનામાર્ગનું આલેખન ઘણી જગ્યાએ થયું છે. “જ્ઞાનસાર'માં પણ સાધનામાર્ગના આધારસ્તંભોનું નિરૂપણ થયું છે. (ક) “અનુભવ'ની આવશ્યકતા પૂર્ણત્વ કે મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે જે અવસ્થાએ સાધક પહોંચે છે તે અવસ્થાએ માત્ર તર્ક, બુદ્ધિ કે શાસ્ત્રજ્ઞાન દ્વારા પહોંચી ન શકાય, તે માટે તો “અનુભવ” જરૂરી છે. “અનુભવ-અષ્ટક'માં “અનુભવ'નું સ્વરૂપ સ્પષ્ટ થયું છે. જેમ દિવસ અને રાતથી સંધ્યા જુદી છે તેમ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી અનુભવ ભિન્ન છે. કેવલજ્ઞાન તે સૂર્યોદય સમાન છે તો અનુભવ એ અરુણોદય સમાન છે. (૨૬/૧) સૂર્યોદય થયા પહેલાં જ્યારે અરુણોદય થાય છે ત્યારે ધીમેધીમે રાત્રીનો પ્રકાશ દૂર થતો જાય છે અને સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે પથરાતો જાય છે. તે જ રીતે “અનુભવ” એ કેવલજ્ઞાનના સૂર્યોદયની પહેલાં સાધક અને સાધનામાર્ગ Page #125 -------------------------------------------------------------------------- ________________ પથરાતા ઉજાસ સમાન છે. ‘કેવલજ્ઞાન' કે ‘કેવલીઅવસ્થા' એટલે જૈન દર્શનના મતે જે મોક્ષાવસ્થા છે તે સર્વોચ્ચ અવસ્થા. ઝળહળતા સૂર્ય સમાન કેવલજ્ઞાનથી પણ ‘અનુભવ’ ભિન્ન છે, શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાનથી પણ ‘અનુભવ’ ભિન્ન છે. શાસ્ત્રજ્ઞાન ‘અનુભવ'ની પ્રાપ્તિમાં સહાયક નીવડે છે. કેવલજ્ઞાન અનુભવના અરુણોદય પછીની ઉચ્ચ અવસ્થા છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે કલ્પના, બુદ્ધિ, શાસ્ત્રો કોઈ સમર્થ નથી; તે માટે તો ‘અનુભવ’ જ જરૂરી છે. અતીન્દ્રિય અને ૫૨માત્મસ્વરૂપ બ્રહ્મને વિશુદ્ધ અનુભવ વગર, શાસ્ત્રની સેંકડો યુક્તિથી પણ જાણી શકાય તેમ નથી. (૨૬/૩) આ નિર્દેન્દ બ્રહ્મને લિપિમયી (પુસ્તકરૂપ) દૃષ્ટિ, વાડ્મયી (વાણીરૂપ) દૃષ્ટિ અને મનોમયી (અર્થના જ્ઞાનરૂપ) દૃષ્ટિ જાણી ન શકે. નિર્દેન્દ્ર બ્રહ્મને જોવા માટે તો નિર્હન્દુ અનુભવ જ જરૂરી છે. (૨૬/૬) ‘અનુભવ’ શું છે તે સમજવા માટે તે શું નથી તે પણ સમજવું પડે. તેમાં કલ્પનારૂપ કારીગરીનો અભાવ હોવાથી તે જાગ્રત-અવસ્થા કે સ્વપ્ન-અવસ્થા નથી. ‘અનુભવ’ એ મોહરહિત, અજ્ઞાનરહિત હોવાથી ગાઢ નિદ્રારૂપ સુષુપ્તિઅવસ્થા પણ નથી. અનુભવ એ તો તુર્ય (ચોથી) અવસ્થા છે. (૨૬/૭) જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો અને મન દ્વારા જ્ઞાન મળે છે, સ્વપ્નાવસ્થામાં મન કાર્યશીલ રહે છે, બાકીની ઇન્દ્રિયો શાંત થઈ જાય છે, પણ આ બંને અવસ્થામાં કલ્પનાશક્તિની કામગીરી ચાલુ જ હોય છે. સુષુપ્તિ ગાઢ નિદ્રારૂપ હોવાથી તેમાં મન પણ શાંત થઈ જાય છે. માત્ર ચૈતન્ય જ હોય છે, પણ જાગીએ ત્યારે પાછા મોહની દશામાં આવી જઈએ છીએ. ગાઢ નિદ્રામાં આનંદ હોવા છતાં તે ક્ષણિક છે. જ્યારે ‘અનુભવ’ એ તો મોહરહિત અવસ્થા છે, અજ્ઞાનરહિત દશા છે. તેમાં જે આનંદ મળે છે તે અવર્ણનીય છે, દીર્ઘકાલીન છે. માત્ર શાસ્ત્રોથી ભલે અનુભવ પ્રાપ્ત ન થાય, પરંતુ શાસ્ત્રજ્ઞાન સાવ નકામું પણ નથી. સાધક કે મુનિ શાસ્ત્રદૃષ્ટિથી સમસ્ત શબ્દબ્રહ્મને જાણીને અનુભવથી સ્વયંપ્રકાશિત પરબ્રહ્મને (પરમાત્માને) જાણે છે. (૨૬૮) કલ્પનારૂપ કડછી શાસ્ત્રરૂપ ખીરમાં પ્રવેશ કરે તોપણ તે કડછીથી ખીરનો આસ્વાદ માણી ન શકાય. ખીરનો આસ્વાદ માણવા માટે તો અનુભવરૂપ જીભ જ શક્તિમાન છે. (૨૭/૫) શાસ્ત્ર ખીરૂપ હોવાથી તેના આસ્વાદ માટે અનુભવરૂપ જીભ આવશ્યક છે. જીવનના અંતિમ ધ્યેયરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે અનુભવ જરૂરી છે જ. સાધક જ્યારે પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિશીલ રહે છે ત્યારે કરાતી તેની પ્રવૃત્તિઓ ‘યોગ’ કહેવાય છે. જ્ઞાનસારનું તત્ત્વદર્શન 108 Page #126 -------------------------------------------------------------------------- ________________ (ખ) યોગ અને તેના પ્રકારો મોક્ષની સાથે આત્માને જોડનારો બધો આચાર યોગ છે.” મોક્ષ પ્રાપ્ત કરવા માટે ઉપયોગી સર્વ પ્રવૃત્તિ કે તેને અનુરૂપ સર્વ આચારને યોગ તરીકે ઓળખી શકાય છે. સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા – આ પાંચ બાબતવિષયક જે આચાર છે તે યોગ કહેવા લાયક છે. (૨૭/૧) ૧. સ્થાન એટલે કાયોત્સર્ગ, પદ્માસન વગેરે આસનો કે જે સાધના માટે ઉપયોગી છે. ૨. વર્ણ એટલે ધર્મક્રિયાઓમાં બોલાતા શબ્દો. ૩. અર્થ એટલે બોલાયેલા શબ્દોના અર્થનું જ્ઞાન. ૪. આલંબન એટલે બાહ્ય પ્રતિમા, મૂર્તિ વગેરે કે જેના પર મનને કેન્દ્રિત કરવામાં આવે છે. ૫. એકાગ્રતા એટલે રૂપી દ્રવ્યના આલંબનથી રહિત નિર્વિકલ્પ સમાધિ – આ પાંચ પ્રકારના યોગમાં પહેલા બે (સ્થાન અને વર્ણ) યોગ એ ક્રિયાયોગ છે, જ્યારે બાકીના ત્રણ (અર્થ, આલંબન અને એકાગ્રતા) યોગ એ જ્ઞાનયોગ છે. (૨૭/૨) - આ પાંચ પ્રકારના યોગના દરેકના ચાર-ચાર પ્રકાર થઈને કુલ વીસ ભેદ થાય છે. આ ચાર પ્રકાર છે : ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ સ્થાનયોગના આ ચાર પ્રકાર આ રીતે સમજી શકાય : કાયોત્સર્ગ વગેરે આસનની ઇચ્છા થાય તે ઇચ્છાયોગ. ઇચ્છા થયા પછી તેમાં પ્રવૃત્તિ થાય તે પ્રવૃત્તિયોગ. આસન વગેરેમાં પ્રવૃત્તિ કરતાં કરતાં સ્થિરતા આવે તે સ્થિરતાયોગ અને તેમાં જ્યારે કુશળતા આવે કે સિદ્ધિ પ્રાપ્ત થાય તે સિદ્ધિયોગ. આ જ રીતે વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગના દરેકના આ ચાર પ્રકાર પડે છે. ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ – આ ચાર ભેદો અનુક્રમે કુપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમને ઉત્પન્ન કરનાર છે. (૨૭/૩) કૃપા એટલે અનુકંપા કે દયા. નિર્વેદ એટલે અસાર સંસારથી મુક્ત થવાની ઇચ્છારૂપ વૈરાગ્ય. સંવેગ એટલે મોક્ષની ઇચ્છા. પ્રશમ એટલે ઉપશમ, શાંતભાવ. - આ જે સ્થાનાદિ વીસ યોગ છે તે બીજા પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન - આ ચાર પ્રકારે પણ હોઈ શકે છે. વીસ યોગના દરેકના ચાર ચાર પ્રકાર એટલે કુલ એંસી પ્રકારના યોગ થાય. (૨૭/૭) પત્નીની જેમ પ્રીતિથી કાર્ય થાય તે પ્રીતિ-અનુષ્ઠાન અને માતાની જેમ ભક્તિથી કાર્ય થાય તે ભક્તિઅનુષ્ઠાન. કુંભાર ચાકડો ફેરવે ત્યારે સૌપ્રથમ દંડ ભરાવીને ફેરવે છે અને પછી દંડના અભાવે પણ ચાકડો ફરે છે. દંડ ભરાવીને ચાકડો ફરે તેમ આગમના સંબંધથી, તેના વચનથી ક્રિયા થાય તે વચન-અનુષ્ઠાન અને પછી દંડના અભાવે સંસ્કારથી ચાકડો ફરે તેમ આગમના સંસ્કારમાત્રથી વચનની અપેક્ષા સિવાય સાધક અને સાધનામાર્ગ 109 Page #127 -------------------------------------------------------------------------- ________________ સહજ ભાવે પ્રવૃત્તિ થાય તે અસંગ-અનુષ્ઠાન. સાધકની કક્ષા જ્યારે ઊંચી હોય ત્યારે કોઈના વચનની અપેક્ષા વગર સહજભાવે, અંતઃસ્કુરણાથી જ તે ઉચિત પ્રવૃત્તિ કરે છે, અનુચિત પ્રવૃત્તિ ત્યજે છે. આલંબનયોગમાં જે આલંબન છે તે પણ રૂપી આલંબન અને અરૂપી આલંબન એમ બે પ્રકારનું હોય છે. જિનમુદ્રા, જિનેશ્વરની મૂર્તિ વગેરે “રૂપી' આલંબન છે. અર્હત્ કે સિદ્ધના સ્વરૂપનું, તેમના જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણોનું આલંબન તે “અરૂપી' આલંબન છે. આ બેમાં અરૂપી આલંબનમાં વધારે સૂક્ષ્મતા છે. આ અરૂપી આલંબન સિદ્ધના સ્વરૂપ સાથે તન્મયપણારૂપ હોવાથી ઉત્કૃષ્ટ અનાલંબન યોગરૂપ છે. (૨૭૬) અરૂપી આલંબન તે આલંબન હોવા છતાં તેમાં આલંબન સાવ ઈષતું અર્થાત્ નહિવત્ હોવાથી તે અનાલંબનરૂપ જ છે. અરૂપી આલંબનમાં સાધક સિદ્ધના સ્વરૂપ સાથે તન્મય બની જતો હોવાથી તે શ્રેષ્ઠ યોગરૂપ છે. શ્રેષ્ઠ હોવા છતાં અરૂપી આલંબનયોગ સુધી બધા સાધકો પહોંચી શકવા સમર્થ હોતા નથી. અને ત્યાં વાત આવે છે સાલંબનયોગની કે રૂપી યોગની. સાધકની જુદી જુદી અવસ્થા પ્રમાણે અમુક કક્ષાએ તેના માટે રૂપી આલંબન પણ જરૂરી છે. જિનેશ્વરની મૂર્તિની પૂજા-અર્ચના કરવી તે આલંબન પણ સાધકને ક્યારેક ઉપયોગી નીવડે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં જે દ્રવ્યોથી મૂર્તિની પૂજા કરવામાં આવે છે તે દ્રવ્યોને અનુરૂપ ભાવથી થતી ભાવપૂજાને “જ્ઞાનસાર'માં આ રીતે સમજાવવામાં આવી છે. (ગ) પૂજા જીવ પ્રયત્ન કરીને જ પોતાના શુદ્ધતમ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. આ રીતે જેઓ પોતે સંસારસાગરને તરી ગયા છે અને બીજાને તારવા માટે પણ જેમનું જીવન શક્તિમાન છે તેવા તીર્થકરોની પ્રતિમા કે મૂર્તિની દ્રવ્યપૂજા જે રીતે કરાય છે તે આખી પ્રક્રિયાને આધ્યાત્મિક દૃષ્ટિએ સમજીએ તો ભાવપૂજાનો ખ્યાલ આવે. દ્રવ્યપૂજા તે પૂજાનો સ્થળ પ્રકાર છે અને વ્યવહારનયવાળા જીવો માટે તે અપનાવી શકાય. પણ નિશ્ચયનયવાળા માટે તો ભાવપૂજા ઇચ્છનીય છે. સૌ પહેલો પ્રશ્ન છે : “પૂજા કોની કરવાની છે ?' જવાબ છે, “શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કરવાની છે.” (૨૯)૨) મંદિરમાં પ્રતિષ્ઠિત બાહ્ય મૂર્તિ તો નિમિત્ત છે, તેને આધારે આપણા દેહમંદિરમાં બિરાજમાન આત્માની, તેના શુદ્ધ સ્વરૂપની પૂજા કરવાની છે. બાહ્ય પ્રતિમાની પૂજા ગમે તેટલી કરો, પણ જો આત્માને ન ઓળખો તો તેનો કોઈ અર્થ નથી. વળી પૂજા કરવા માટે ખરેખર તો જ્ઞાનસારનું તત્ત્વદર્શન 110 . Page #128 -------------------------------------------------------------------------- ________________ બહાર ક્યાંય જવાની પણ જરૂર નથી, કારણ આત્માના શુદ્ધ સ્વરૂપને છોડીને બીજા કોઈ દેવની કે સર્જનહાર ઈશ્વરની આવશ્યકતા પણ જૈન દર્શનમાં નથી. અરિહંત, સિદ્ધ વગેરે સૌ પોતાના સ્વપ્રયત્ન અને પુરુષાર્થથી અશુદ્ધ સંસારી જીવમાંથી શુદ્ધ જીવરૂપ બનેલ શુદ્ધાત્માઓ જ છે. જિનપ્રતિમાની પૂજા કરતાં પહેલાં શુદ્ધ થવું પડે. પાણી વગેરે દ્રવ્યોની સાથે ભાવપૂજા માટે કેટલાક ગુણો જરૂરી છે. દયારૂપ પાણીથી સ્નાન કરવાનું છે. સંતોષરૂપ શુભ વસ્ત્રો ધારણ કરવાનાં છે. વિવેકરૂપ તિલક કરીને ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસર તથા ચંદનના રસથી શુદ્ધ આત્મારૂપ દેવના નવ જાતનાં બ્રહ્મચર્યરૂપ અંગો ઉપર પૂજા કરવાની છે. (૨૯/૧, ૨) ભાવપૂજા માટેના શુદ્ધીકરણનો વિચાર કરીએ તો સાચું સ્નાન કર્યું ક્યારે કહેવાય ? સાધકના હૈયામાં જ્યારે દયાનો ઝરો પ્રગટે ત્યારે સાચું સ્નાન કર્યું કહેવાય. આ દયારૂપ ઝરામાં જેણે સ્નાન કર્યું છે તેનું હૃદય જીવમાત્ર પ્રત્યેની દયાથી છલકાઈ જાય છે. તે સર્વ નયને આશ્રિત થવાથી “મારું તે સાચું એ જક્કી વલણના બદલે “સાચું તે મારું' એ ઉદાર વલણ અપનાવે છે. જીવમાત્ર પ્રત્યે તેના રોમેરોમે દયા અને કરુણા પ્રગટે છે. તે જ રીતે જ્યારે તે સંતોષરૂપ વસ્ત્ર ધારણ કરે ત્યારે તેનામાં લોભ વૃત્તિને અવકાશ રહેતો નથી. વિવેકરૂપ તિલક કરે ત્યારે તેનામાં સારાખોટાના વિવેકનો ઉદય થાય છે. ભક્તિ અને શ્રદ્ધા આવતાં તેનું જીવન સુવાસિત બને છે. આ શુદ્ધ આત્મારૂપ દેવને ક્ષમારૂપ ફૂલની માળા પહેરાવવાની છે, સમ્યગુ વ્યવહાર અને નિશ્ચયરૂપ વસ્ત્રયુગલ અને ધ્યાનરૂપ અલંકાર માનપૂર્વક પહેરાવવાના છે. આત્મદેવની સન્મુખ આઠ મદના ત્યાગરૂપ સ્વસ્તિક આદિ અષ્ટમંગલ કરવાના છે. જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ સંકલ્પરૂપ કૃષ્ણાગુરુનો ધૂપ કરવાનો છે. આ રીતે પૂજા કરવાથી શુદ્ધ ઉપયોગરૂપ, નિર્વિકલ્પ સમાધિરૂપ પૂજા થઈ ગણાય. (૨૯/૩, ૪) નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવું હોય તો ક્ષમા, નિશ્ચય-વ્યવહાર, ધ્યાન, આઠ મદનો ત્યાગ, શુભ સંકલ્પ – આ બધી બાબતો જરૂરી છે. ધર્મસંન્યાસરૂપ અગ્નિથી પૂર્વના ક્ષાયોપથમિક ધર્મરૂપ લવણ ઉતારીને અર્થાતુ તેનો ત્યાગ કરીને સામર્થ્યયોગરૂપ આરતીની વિધિ પૂરી થાય. આત્મારૂપ દેવ પાસે અનુભવરૂપ મંગળદીવાનું સ્થાપન કરવું જરૂરી છે. ગીત, નૃત્ય, વાજિંત્ર – આ ત્રણેની એકતાની જેમ સંયમવાળા થઈને ઉલ્લસિત મને સત્યરૂપ ઘંટ વગાડતાં ભાવપૂજામાં લીન થઈએ તો મોક્ષ હાથવેંતમાં છે. (૨૯/૫ થી ૭) સાધક અને સાધનામાર્ગ Page #129 -------------------------------------------------------------------------- ________________ અનુભવના દીવા વગર તો અંધારું જ છે. જ્યારે અનુભવના દીવાનો પ્રકાશ ઝળહળે છે ત્યારે સત્યનું ગાન જ ગવાય તે સ્વાભાવિક છે. પરમાત્મા સાથેની લીનતામાં ધારણા, ધ્યાન, સમાધિની એકતા આપોઆપ સધાઈ જાય છે. ઉપાધ્યાયજીની સુવિકસિત પ્રજ્ઞાનો ખ્યાલ આ ભાવપૂજાની સમજૂતીમાંથી આપણને આપોઆપ આવી જાય છે. સાધક જીવનના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ગમે તેટલો વિધાયક પ્રયત્ન કરે તો પણ તેના માર્ગમાં ક્યારેક ક્યારેક રુકાવટો આવી જાય છે. કર્મના નિયમ પ્રમાણે તેના અગાઉનાં કરેલાં કર્મો પાકતાં જાય તેમ તેમ તેનાં ફળ તેને ભોગવવાં પડે છે. ભવિષ્ય માટે નવાં પાપકર્મો ન બંધાય તેનું ધ્યાન તો તે કદાચ રાખી શકે, પણ ભૂતકાળમાં કરેલાં કર્મોની બાબતમાં તેનું કશું ચાલતું નથી. આ કરેલાં કર્મોના ફળ તેને ભોગવવા પડે છે. આ કર્મોની નિર્જરા કેમ જલદી કરી શકાય ? તપ દ્વારા કર્મબળને સૂકવી દેવામાં આવે તો નિર્જરા દ્વારા કર્મો જલદીથી ભોગવાઈને નાશ પામે છે. જૈન દર્શન નિર્જરા માટે તપને જરૂરી ગણે છે. (૧) તપ કર્મને તપાવે તે તપ” આ તપની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા છે. જૈન દર્શનમાં તપના મુખ્ય બે પ્રકાર રજૂ થયા છે : બાહ્ય તપ અને આત્યંતર તપ. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા – આ છ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવૃત્ય, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય – આ છ આત્યંતર તપ છે. આ બંને પ્રકારના તપમાં આવ્યંતર તપ ઇષ્ટ છે, અને આ આત્યંતર તપને વધારે તેવું બાહ્ય તપ પણ ઇષ્ટ છે. (૩૧/૧) માત્ર વિધિવત્ રીતે થતા બાહ્ય તપનું મૂલ્ય ઓછું છે. જ્ઞાન સાથેના આચરણનું મૂલ્ય ઘણું વધારે છે. તેથી જ તો જ્ઞાની પુરુષો ઘણી વખત સામા પ્રવાહે ચાલીને પણ જે સાચું અને સારું હોય તેનું જ આચરણ કરે છે. તેમની આ પ્રાતિસ્રોતસિકી વૃત્તિ પણ ઉત્કૃષ્ટ પરૂપ છે. (૩૧/૨). ધનના અર્થીને ટાઢ-તાપ વગેરે કોની પરવા હોતી નથી. તે બધાં કષ્ટો સહન કરીને પણ ધન મેળવવા માટે મહેનત કરે છે. તે જ રીતે સંસારથી વિરક્ત થયેલા તત્ત્વના અર્થી એવા સાધકને પણ તપ દુસ્સહ લાગતું નથી. (૩૧/૩) સાધક આ બધાં કષ્ટોને પણ હસતા મોંએ સહન કરી લે છે, કારણ કે તેની નજર તો આ કષ્ટો પાર કર્યા પછી મળનારી મોક્ષની, પૂર્ણતાની મીઠાશ પર જ છે. (૩૧/૪) જેમ ચકોર પક્ષીઓને ચાંદનીને પીવા માટે થઈને અગ્નિના કણને ખાવામાં પણ તકલીફ પડતી નથી, તેમ યોગીઓને સમાધિમાં પ્રીતિ હોવાથી જ્ઞાનસારનું તત્ત્વદર્શન Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨ અત્યંત આકરી ક્રિયામાં પણ અપ્રીતિ થતી નથી. સાધ્ય પ્રાપ્ત થતાં જે સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થવાની છે તે તરફ લક્ષ્ય હોવાથી સાધનોમાંથી પેદા થતાં કષ્ટો તેને કષ્ટરૂપ લાગતાં નથી. ગમે તેવા આકરા તપથી પણ તેના આંતરિક આનંદમાં સતત વૃદ્ધિ થયા કરે છે. કયું તપ શુદ્ધ કહેવાય ? જ્યાં બ્રહ્મચર્ય હોય, જિનની પૂજા હોય, કષાયોનો ક્ષય હોય, અનુબંધ સહિત જિનની આજ્ઞા પ્રવર્તમાન હોય તે તપ શુદ્ધ કહેવાય. (૩૧/૬) તપ કેટલું કરવું ? જેમાં દુર્ધ્યાન ન થાય, જેનાથી મન-વચન-કાયાના યોગો હાનિ ન પામે, ઇંદ્રિયોનો ક્ષય ન થાય તે જ તપ કરવા યોગ્ય છે. (૩૧/૭) તપ કરવાની આ મર્યાદા સામાન્ય માણસને પણ સમજાઈ જાય તેમ છે. મુનિ શા માટે તપ કરે છે ? મૂળગુણ અને ઉત્તરગુણરૂપ વિશાળ સામ્રાજ્યની સિદ્ધિ માટે સાધક બાહ્ય અને આત્યંતર તપ કરે છે. (૩૧/૮) અહિંસાદિ પાંચ વ્રતો ત્યાગના પ્રથમ પાયારૂપે હોવાથી, મૂળભૂત હોવાથી ‘મૂળગુણ’ કે ‘મૂળવ્રત’ કહેવાય છે અને આ મૂળવ્રતોની રક્ષા, પુષ્ટિ અને શુદ્ધિ માટે ગૃહસ્થ બીજાં જે કેટલાંક વ્રતો સ્વીકારે છે તે ‘ઉત્તરગુણ’ કે ‘ઉત્તરવ્રત’ કહેવાય છે. આ મૂળગુણ અને ઉત્તરગુણના પાલનને પુષ્ટિ મળે તે માટે સાધક બાહ્ય અને આત્યંતર તપ કરે છે. (૨) ધ્યાન બાહ્ય તથા આત્યંતર તપ કરતાં કરતાં સાધક એવી અવસ્થાએ પહોંચે છે જ્યારે તે પોતાની સાધનામાં લીન થઈ જાય છે. આ અવસ્થા તે ધ્યાનાવસ્થા છે. ‘ધ્યાતા' એટલે ધ્યાન કરનાર સાધક, ‘ધ્યેય’ એટલે જે ધ્યાન કરવા યોગ્ય છે તે, અને ધ્યાન' એટલે ધ્યાનની સમગ્ર પ્રક્રિયા. “ધ્યાતા, ધ્યેય, ધ્યાન આ ત્રણેની એકતા જેને પ્રાપ્ત થયેલ છે અને જેનું ચિત્ત અન્યત્ર નથી તેવા મુનિને દુઃખ હોતું નથી.” (૩૦/૧) એમ કહીને ધ્યાનવસ્થા તરફ ઇશારો તો કર્યો જ છે. ધ્યાતા કોણ છે ? ‘અંતરાત્મા’. ધ્યેય કોણ છે ? ‘પરમાત્મા’. ધ્યાન શું છે ? ‘એકાગ્રતાની બુદ્ધિ' તે ધ્યાન છે. આ ત્રણની એકતા તે ‘સમાપત્તિ’ એટલે કે સમાધિની અવસ્થા છે. (૩૦/૨) સમાપત્તિની સ્થિતિને દૃષ્ટાંત દ્વારા સમજીએ. ઉત્તમ મણિ નિર્મળ હોવાથી તેમાં વસ્તુનું ચોખ્ખું પ્રતિબિંબ પડે છે. સતત ધ્યાન કરવાથી અંતરાત્માની મળરૂપ સાધક અને સાધનામાર્ગ 113 Page #131 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિ ક્ષીણ થતાં અંતરાત્મા પણ મણિની જેમ નિર્મળ બને છે. આવા નિર્મળ અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે તે ‘સમાપત્તિ’ છે. (૩૦/૩) સાધનામાર્ગમાં આગળ વધવા માટે, પરમાત્માની નજીક પહોંચવા માટે સાધક શુભ આશયથી પ્રવૃત્તિ કરે છે. તેની જ્ઞાન અને સમજપૂર્વકની સઘળી પ્રવૃત્તિ કે ક્રિયાને યજ્ઞનું સ્વરૂપ આપીને તેને વિશેષ પવિત્ર બનાવી છે ‘નિયાગઅષ્ટક'માં. (છ) નિયાગ જેમ યજ્ઞમાં સમિધ, ઘી વગેરે દ્રવ્યોનો અગ્નિમાં હોમ કરવા પાછળ શુભ હેતુ રહેલો છે તેમ બ્રહ્મરૂપ અગ્નિમાં ધ્યાનરૂપ સમિધનો હોમ કરવા પાછળ પણ પરમાત્માની નજીક પહોંચવાનો, તેમાં એકાકાર થવાનો શુભ હેતુ રહેલો છે. વેદમાં જે જ્યોતિષ્ટોમાદિ કર્મયજ્ઞોની કે ભૂતિની કામનાવાળા સકામ યજ્ઞોની વાત છે તેની પાછળ રહેલી સર્વોચ્ચ ભાવનાને નજર સામે રાખીને ‘નિયાગઅષ્ટક'માં ભાવયજ્ઞની સમજ આપી છે. જે યજ્ઞમાં અગ્નિની અંદર ઘી, પશુ, સમિધ વગેરેનો હોમ કરવામાં આવે તે દ્રવ્યયજ્ઞ કહેવાય છે. આ દ્રવ્યયજ્ઞની પાછળ રહેલી ભાવનાને, સમજણને સ્વીકારીને કરવામાં આવતો ભાવયજ્ઞ તે નિયાગ છે. સાધક માટે આ ભાવયજ્ઞ કે નિયાગ આવશ્યક છે. ‘જેણે પ્રદીપ્ત કરેલા બ્રહ્મરૂપ અગ્નિમાં ધ્યાનરૂપ વેદની ઋચા (મંત્ર) વડે કર્મને હોમ્યાં છે તે મુનિ નિર્ધારિત ભાવરૂપ નિયાગને એટલે કે ભાવયજ્ઞને પ્રાપ્ત થયેલ છે.’ (૨૮/૧) સાધકને સુખની ઇચ્છા દ્વારા મલિન થયેલા અને પાપયુક્ત એવા કર્મયજ્ઞોનું કાંઈ કામ નથી. તેને તો પાપનો નાશ કરનારા તથા કામનારહિત એવા જ્ઞાનયજ્ઞ કે નિયાગની જ આવશ્યકતા છે. (૨૮/૨) સાધક ગૃહસ્થ પણ હોય, સાધુ પણ હોય. સંસારમાં રહેતા ગૃહસ્થ-સાધક માટે ભાવપૂર્વકની પૂજા, સ્મરણ, ચિંતન, મનન, નિદિધ્યાસન, નામસ્મરણ, જપ વગેરે સાવઘાનુષ્ઠાન કર્મ બ્રહ્મયજ્ઞ છે, જ્યારે સંસાર ત્યજીને પરમાત્માના માર્ગે વળેલા સાધુ માટે સર્વ ઉપાધિથી રહિત જ્ઞાનમગ્નતા, પરમાત્મચિંતન કે આત્મગુણોમાં તન્મયતા એ જ બ્રહ્મયજ્ઞ છે. (૨૮/૪) કેવા યજ્ઞ દ્વારા કર્મક્ષય થઈને મોક્ષપ્રાપ્તિ થઈ શકે ? પુત્રપ્રાપ્તિ જેવા લૌકિક ઉદ્દેશથી કરવામાં આવતા યજ્ઞનો ઉદ્દેશ મોક્ષપ્રાપ્તિ કરતાં જુદો હોવાથી સ્વાભાવિક રીતે જ તે કર્મક્ષય કરવા માટે અસમર્થ છે. (૨૮/૫) કર્મનો ક્ષય જ્ઞાનસારનું તત્ત્વદર્શન 114 Page #132 -------------------------------------------------------------------------- ________________ કરવારૂપ મોક્ષપ્રાપ્તિ માટે તો મોક્ષના ઉદ્દેશથી થયેલ ભાવયજ્ઞ જ ઉપયોગી નીવડે. પોતે કરેલું છે' એવા કર્તાપણાના અહંકારને પણ બ્રહ્મરૂપ અગ્નિમાં હોમવાનો છે. પોતાના કર્તાપણાના અભિમાનનો હોમ અર્થાત્ કર્મનું બ્રહ્માર્પણ પણ યુક્ત છે. (૨૮) બ્રહ્મમય બનીને ધ્યાનાવસ્થામાં એકાકાર બનનાર સાધક પાપથી લપાતો નથી. આ બ્રહ્મમય અવસ્થામાં રહેલ સાધકે બ્રહ્મને વિશે જ સર્વસ્વ અર્પણ કર્યું છે. મત્સ્યવેધ વખતે અર્જુનની દૃષ્ટિ માત્ર માછલીની આંખ પર કેન્દ્રિત હતી તેમ બ્રહ્મમય સાધકની દૃષ્ટિ માત્ર બ્રહ્મ પર જ કેન્દ્રિત હોય છે. બ્રહ્મરૂપ જ્ઞાન તેનું સાધન છે. સાધક ઉપયોગરૂપ બ્રહ્મથી આધારરૂપ બ્રહ્મમાં અબ્રહ્મને એટલે અજ્ઞાનને હોમે છે. સાધક બ્રહ્મચર્યની ગુપ્તિયુક્ત છે, બ્રહ્મના અધ્યયનની મર્યાદાવાળો છે, પરબ્રહ્મમાં સમાધિવાન છે. આવો ભાવયજ્ઞ, નિયાગ કે બ્રહ્મયજ્ઞ કરનાર સાધક બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથ – આ ચારમાંથી ગમે તે નામે ઓળખાય છે. (૨૮/૭, ૮). સાધક અને સાધનામાર્ગની વિચારણા કરતાં કરતાં શ્રમણ-પરંપરા અને બ્રાહ્મણ-પરંપરા ખ્યાલ પણ ન આવે તેમ સહજ રીતે એકાકાર થઈ ગઈ છે. ખરેખર તો જૈન શ્રમણ-પરંપરા એ વૈદિક બ્રાહ્મણ-પરંપરાનો વિરોધ કે પ્રતિવાદ કરવાને બદલે તેના પર સંશોધન કરીને તેના સત્યાંશોનો સ્વીકાર કરે છે. ઉત્તરાધ્યયન' જેવા આગમમાં પણ આવા ઉદારમતનાં મૂળ પડેલાં છે.' ઉપાધ્યાયજીની આ કૃતિમાં પણ આ ઉદારમત પૂર્ણપણે ઝિલાયેલો જોઈ શકાય છે. ટિપ્પણ, ૧. “મનશનમૂનોવતા વૃત્ત સંક્ષેપvi રસત્ય | कायक्लेश: संलीनतेति बाह्यं तपः प्रोक्तम् ।।" प्रायश्चित्तध्याने वैयावृत्त्यविनयावथोत्सर्ग: स्वाध्याय इति तपः षट्प्रकारमाभ्यन्तरं भवति ।।" - “પ્રશમરતિ', ગ્લો. ૧૭૫-૭૬ સાધક અને સાધનામાર્ગ 115 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨. “વૈરાગ્યરતિમાં જણાવ્યું છે, “ઃ સમાધાપતિ: ચામુ, नात्यन्ततीव्रास्वपि योगिनां स्यात् । अनाकुला वह्निकणाशनेऽपि, ન વિ સુધાપાનનાદવોરા: T” ૩. દા.ત. : “ઉત્તરાધ્યયનસૂત્ર', સૂ. ૧૨, ગા. ૪૪-૪૬માં જે રજૂઆત થઈ છે તેમાં બ્રાહ્મણો દ્વારા આગળ પુછાયેલા યજ્ઞાંગસંબંધી પ્રશ્નો પ્રત્યે ગા. ૪૪ ઉત્તરરૂપ છે. તેમાં શ્રમણની સાધનાનાં અંગોને યજ્ઞાંગો તરીકે વર્ણવ્યાં છે. ત્યાર પછી ગા. ૪૫ બાકીનાં યજ્ઞાંગો સંબંધી બ્રાહ્મણોના પ્રશ્નરૂપ છે, જેનો ઉત્તર ગા. ૪૬માં છે. આમ ગા. ૪૪ અને ૪૬ મહત્ત્વની છે. ત્રણે ગાથા આમ છે : तवो जोई जीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसंङ्ग। कम्मेहा संजमजोगसन्ती होमं हुणामि इसिणं पसत्थं ॥४४।। के ते हरए के य ते सन्तितित्थे कर्हिसि बहाओ व रयं जहासि । आइक्ख णे संजय जक्खपूझ्या इच्छामो नाउं भवओ सगासे ।।४५।। धम्मे हरए बंभे सन्तितित्थे अणाविले अत्तपसन्नलेसे । जहिंसि बहाओ विमलो विसुद्धो सुसीइभुओ पजहामि दोसं ।।४।। [ અનુવાદ : (મુનિ :) “તપ એ અગ્નિ છે, જીવાત્મા અગ્નિસ્થાન છે, (મન, વચન અને કાયાના) યોગ એ કડછીઓ છે, શરીર એ (તપરૂપી) અગ્નિ સળગાવવા માટેનું સાધન છે, કર્મરૂપી ઇંધણાં છે. એ પ્રમાણે ઋષિઓએ વખાણલો સંયમ, યોગ અને શાંતિરૂપી હોમ હું કરું છું.” (૪૪) (બ્રાહ્મણો :) “તમારા (સ્નાન કરવાનો) ધરો કયો છે ? તમારું શાન્તિતીર્થ કયું છે ? ક્યાં સ્નાન કરી તમે કર્મરનો ત્યાગ કરો છો ? હે યક્ષપૂજિત સંયમી ! આ વસ્તુઓ અમને કહો. તમારી પાસેથી અમે એ જાણવા ઇચ્છીએ છીએ.” (૪૫) (મુનિ :) “ધર્મ મારો ધરો છે. મલરહિત તથા જે વડે આત્માની લેણ્યા શુદ્ધ થાય છે એવું મારું. શાન્તિતીર્થ એ બ્રહ્મચર્ય છે, જેમાં સ્નાન કરીને વિમલ, વિશુદ્ધ અને શીતલ થયેલો હું દોષનો ત્યાગ કરું છું.” (૪૬) ] જ્ઞાનસારનું તત્ત્વદર્શન Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ ઉપાધ્યાય યશોવિજયજી એવા એક વિરલ સાધુ હતા જેને જીવનમાં માત્ર જૈન સાહિત્ય જ નહીં, જૈનેતર સાહિત્યનો પણ તલસ્પર્શી અભ્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પોતાના આ અગાધ જ્ઞાનનો પ્રભાવ તેમના સાહિત્યમાં પણ દૃષ્ટિગોચર થાય છે. તેમની કૃતિઓમાં તેમના આ જૈન તેમજ જૈનેતર સાહિત્યને કારણે જે ઊંડાણ આવ્યું છે, તેને કારણે તેમનું સાહિત્ય વધારે વ્યાપક, સત્ત્વશીલ તથા આધારભૂત બન્યું છે. “મારું એ જ સાચું એમ નહીં, પણ “સાચું એ મારું' એ વિશાળ દૃષ્ટિને કારણે જ્યાંથી પોતાને સત્ય પ્રાપ્ત થયું ત્યાંથી તેમણે કોઈપણ જાતના ખચકાટ વગર લીધું છે. અગાઉ જણાવ્યા પ્રમાણે “જ્ઞાનસારના સંસ્કૃત શ્લોકોનો બાલાવબોધ તેમણે પોતે તત્કાલીન ગુજરાતી ભાષામાં રચ્યો. આ બાલાવબોધમાં ઘણી જગ્યાએ તેઓએ અન્ય પરંપરાના વિચારો નોંધ્યા છે. જૈન ઉપરાંત જૈનેતર ગ્રંથોના આધારો આપ્યા છે. આ આધારો કે અવતરણોને જોઈએ ત્યારે “જ્ઞાનસારની રચના પાછળ તેમના મનમાં ઘોળાતા વિચારોમાં ડોકિયું કરવાનો અવસર આપણને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રનું મહત્ત્વ તો તેઓએ પોતે પણ સ્વીકાર્યું છે, T17 Page #135 -------------------------------------------------------------------------- ________________ અને પોતાની વાત રજૂ કરતી વખતે તેઓ જ્યારે શાસ્ત્રના આધારો ટાંકે છે ત્યારે તેમની વાતનું વજન વધી જાય તે સ્વાભાવિક છે. ઉપનિષદની જેમ “જ્ઞાનસાર'માં અનુભૂતિની વાણી તો છે જ. આ અનુભૂતિની વાતને જ્યારે શાસ્ત્રનો આધાર મળે છે ત્યારે સોનામાં સુગંધ ભળ્યા બરોબર થાય છે. પોતાની અનુભૂતિની વાતનાં મૂળ જ્યાં જ્યાં પડેલાં છે તેનો જ્યારે તેઓ અવતરણ આપીને ઉલ્લેખ કરે છે ત્યારે કોઈ વૈજ્ઞાનિક સાબિતી અને પુરાવા સાથે પોતાના સિદ્ધાંતની વાત મૂકતા હોય તેવી રજૂઆત બની જાય છે. તેઓએ “જ્ઞાનસારમાં જે અવતરણો આપ્યાં છે તેના આધારે તેમના પુરોગામીઓ તેમજ પૂર્વાચાર્યોની તેમના પર પડેલી અસરનો ખ્યાલ આવી શકે તેમ છે. “જ્ઞાનસારમાં તેઓએ જે અવતરણ આપ્યાં છે તેને ૧. આગમ સાહિત્ય, ૨. આગમેતર જૈન સાહિત્ય, ૩. જૈનેતર સાહિત્ય અને ૪. લોકસાહિત્ય - આ ચાર વિભાગોમાં વિભાજિત કરીને તેમના પર પડેલા તેઓના પુરોગામીઓના પ્રભાવનો આછો પરિચય મેળવી શકાય. ૧. આગમ સાહિત્ય પોતાનાં દીક્ષાનાં પ્રારંભનાં વર્ષોમાં ગુરુ પાસે જૈન સાહિત્યનો વિશદ અભ્યાસ કરવાની જે તક મળી તેને કારણે આગમ સાહિત્યના સંસ્કાર તો હતા જ. “જ્ઞાનસાર”નાં અવતરણોમાં તેમણે ક્યાંક આગમોમાંથી સીધો ઉલ્લેખ કર્યો છે, ક્યાંક અપ્રત્યક્ષ રૂપે આગમની વિચારણા રજૂ કરી છે તો ક્યાંક સંસ્કારને કારણે અજાણતાં જ આગમની અસરથી લખ્યું છે. પરબ્રહ્મમાં થતી તૃપ્તિ અવર્ણનીય છે, કામભોગોમાં મોહ આવે ત્યારે કર્મબંધ થાય છે, મૂર્છાથી પરિગ્રહ છે – વગેરે વિચારો પોતે “જ્ઞાનસારમાં રજૂ કર્યા છે તે કાંઈ નવા નથી, માત્ર આગમોના વિચારોને જ નવા સંદર્ભમાં જુદી રીતે રજૂ કરીને દઢ કર્યા છે તેનો ખ્યાલ આ આગમોમાંથી આપેલાં અવતરણોને આધારે આવે છે. (ક) “આચારાંગસૂત્ર' આચારાંગસૂત્રમાં જણાવ્યા પ્રમાણે “જેનું કોઈ પદ (આ કે તે અવસ્થા) નથી તેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ જ નથી” અર્થાત્ “વર્ણાદિ અવસ્થારહિત આત્માના સ્વરૂપનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ જ નથી, કારણ કે તે અવર્ણનીય છે.” એ જ વાતને “જ્ઞાનસાર'માં “પરબ્રહ્મમાં સાધકને થતી તૃપ્તિને વાણી દ્વારા દર્શાવી શકાય તેમ નથી.” તે રીતે ઝીલવામાં આવી છે. પરબ્રહ્મ અને તેના જ્ઞાનસારનું તત્ત્વદર્શન 118 Page #136 -------------------------------------------------------------------------- ________________ અનુભવમાં સાધકને થતી તૃપ્તિ અવર્ણનીય છે – આ વિચારનાં મૂળ આચારાંગસૂત્રમાં રહેલાં છે. સમ્યકત્વ” તે જ મુનિપણું અને મુનિપણું તે જ “સમ્યકત્વની વાત જ્યારે “જ્ઞાનસાર'માં કરી છે ત્યારે ત્યાં “આચારાંગનું અવતરણ ટાંકીને જણાવ્યું છે કે મુનિના મૌન કે સમ્યકત્વનું પાલન ગૃહસ્થ સાધકો સંપૂર્ણપણે કરી શકતા નથી. જ્યારે ત્યાગી સાધકો મૌન કે સમ્યકત્વને ધારણ કરીને કાર્મણ શરીરનો નાશ કરી શકે છે તથા આહાર-વિહારમાં પણ ખૂબ સંયમ રાખી શકે છે. “બ્રાહ્મણ શબ્દની સવિશેષ સમજૂતી આપતાં ઉપાધ્યાયજી મહારાજ “બ્રહ્મના અધ્યયનની નિષ્ઠાવાળો” એમ અર્થ સ્પષ્ટ કરે છે. “બ્રહ્મના અધ્યયનની નિષ્ઠાવાળો” કોણ ? તે ખ્યાલ સ્પષ્ટ કરતાં “આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના બ્રહ્મચર્યને લગતાં નવ અધ્યયનોની નિષ્ઠાવાળો' એમ ચોખ્ખું જણાવ્યું છે. આચારાંગનાં આ નવ અધ્યયનોનો અભ્યાસ પણ બ્રાહ્મણને હોવો જોઈએ, તેમાં નિષ્ઠા પણ હોવી જોઈએ. (ખ) “ઉત્તરાધ્યયનસૂત્ર' “ઉત્તરાધ્યયનસૂત્ર'માં જણાવ્યું છે કે “કામભોગો સમભાવ પણ કરતા નથી, વિકાર પણ કરતા નથી, પણ જે તેનો દ્વેષ કરે છે કે તેમાં પરિગ્રહ (મૂચ્છ) કરે છે તે તેમાં મોહ અર્થાત્ રાગ-દ્વેષ કરવાથી વિકાર પામે છે. તેમાં જે સમપરિણામવાળો છે તે વીતરાગ છે.” આ જ વિચારને “જ્ઞાનસાર'માં કામભોગાદિના નિમિત્ત માત્રથી કર્મબંધ થતો નથી, પણ તેમાં મોહ આવે ત્યારે કર્મબંધ થાય છે.” એમ જણાવીને વ્યક્ત કર્યો છે.' પોતે “જ્ઞાનસારમાં આનુસ્રોતસિકવૃત્તિની જે સમજ આપી છે તેને સ્પષ્ટ કરતાં “ઉત્તરાધ્યયનસૂત્ર'ના શબ્દો ટાંકીને જણાવ્યું છે કે “હું લોકોની સાથે હોઈશ” એમ વિચારીને અજ્ઞાની વ્યક્તિ લોકો કરે તે પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે તે તેની આનુસ્રોતસિકવૃત્તિ સૂચવે છે.* (ગ) “ભગવતીસૂત્ર' જ્ઞાનમાં સંપૂર્ણ મગ્ન સાધકની તેજલેશ્યાની વૃદ્ધિ કેવી હોય છે તેને વિસ્તારથી સમજાવવા માટે ભગવતીસૂત્ર'માંથી લાંબું અવતરણ આપ્યું છે. તેનો સાર એ છે કે જે સાધક પરબ્રહ્મમાં મગ્ન બને છે તે સાધની તેજોલેશ્યાની અર્થાત્ ચિત્તસુખની વૃદ્ધિ ખૂબ ઝડપથી થાય છે. (આ જ વાતને આ. હરિભદ્રસૂરિત ધર્મબિંદુમાંથી પણ સમર્થન આપતાં જણાવ્યું છે કે, “ચારિત્રવાળા સાધુ માસાદિ પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ U9 Page #137 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપર્યાય વધતાં બાર માસના પર્યાય વડે સર્વ દેવો કરતાં ઉત્તમ એવું ઉત્કૃષ્ટ સુખ પામે છે.”) ભગવતી આદિ ગ્રંથોના આધારે પોતે આ વિચાર વ્યક્ત કર્યો છે તે મૂળ શ્લોકમાં પણ જણાવ્યું છે. (ઘ) વિશેષાવશ્યકભાષ્ય' “મૂચ્છથી પરિગ્રહ છે અને અમૂર્છાથી અપરિગ્રહ છે” આ વિશેષાવશ્યકભાષ્ય'ના મૂળ વિચારને “મૂર્છાથી આચ્છાદિત બુદ્ધિવાનને સમગ્ર જગત પરિગ્રહરૂપ છે અને મૂચ્છથી મુક્ત જ્ઞાની પુરુષને સમગ્ર જગત અપરિગ્રહરૂપ છે” એમ કહીને “જ્ઞાનસાર'માં પ્રતિબિંબિત કર્યો છે. ધ્યાન એટલે એકાગ્રતાની બુદ્ધિ” એમ પોતે કહે છે ત્યારે તે વાત એમનેમ નથી જણાવી, પણ તેને “જે સ્થિર અધ્યવસાન અર્થાત્ મન છે તે ધ્યાન છે” તે “વિશેષાવશ્યક'ના વિચારનો ટેકો છે તે સ્પષ્ટ કર્યું છે.” (૨) “અનુયોગદ્વાર' સાધુનું આચરણ કેવું હોય તે સ્પષ્ટ કરતાં “અનુયોગદ્વાર'માં જણાવ્યું છે કે “બધા નયોનું અનેક પ્રકારનું વક્તવ્ય સાંભળીને જે આચરણ બધા નયથી વિશુદ્ધ હોય તે આચરણરૂપી ગુણમાં સાધુ સ્થિર રહે.” આ વિચારણાનો પડઘો “જ્ઞાનસાર”માં “ચારિત્રગુણોમાં લીન મુનિ સર્વ નયોનો આશ્રય કરનાર હોય છે.” એ રજૂઆતમાં પડતો જોઈ શકાય છે. (છ) દશાશ્રુતસ્કંધચૂર્ણિ - “જ્ઞાનસાર'માં જ્યાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષનો ઉલ્લેખ કર્યો છે ત્યાં કૃષ્ણપાક્ષિક સાધક અને શુક્લપાક્ષિક સાધક એમ બે ભેદ અભિપ્રેત છે. આ બેમાંથી શુક્લપાક્ષિક સાધકોની પ્રગતિ ઝડપથી થાય છે તે હકીકતને “દશાશ્રુતસ્કંધચૂર્ણિ'ને આધારે સમર્થન આપ્યું છે. . તેમના પર આગમસાહિત્યની ગાઢ અસર હતી તેનો ખ્યાલ આ અવતરણો ઉપરથી આવે છે. ૨. આગમેતર જૈન સાહિત્ય ઈ.સ.ની ચોથી-પાંચમી સદીથી શરૂ કરીને ઈ.સ.ની સોળમી-સત્તરમી સદી સુધી જે વિશાળ જૈન સાહિત્ય રચાયું તેનાથી પણ ઉપાધ્યાયજી સુપરિચિત હતા જ. “જ્ઞાનસારમાં ક્યાંક ઉમાસ્વાતિકૃત “પ્રશમરતિ'નાં અવતરણો જોવા જ્ઞાનસારનું તત્ત્વદર્શન 120 Page #138 -------------------------------------------------------------------------- ________________ મળે છે તો ક્યાંક સિદ્ધસેન દિવાકરના “સન્મતિતર્કનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ક્યાંક દિગંબર સંપ્રદાયના કુંદકુંદાચાર્યના “સમયસાર” અને “પ્રવચનસારમાંથી આધારો અપાયેલા છે તો ઘણી જગ્યાએ પૂઆ. શ્રી હરિભદ્રસૂરિની “ષોડશક', યોગવિશિકા' વગેરે અનેક કૃતિઓનો ઉલ્લેખ કરેલો છે. હેમચંદ્રાચાર્યકૃત “યોગશાસ્ત્ર' કે “દ્વાત્રિશત્કાત્રિશિકા'ના વિચારોને પણ તેમણે સ્વીકાર્યા છે. આ બધા પૂર્વાચાર્યોમાં સૌથી વધારે જો કોઈના સાહિત્યનો ઉલ્લેખ કર્યો હોય તો તે છે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીનું સાહિત્ય.. (ક) ઉમાસ્વાતિ ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્ર' અને “પ્રશમરતિ' આ બંને ગ્રંથોની અસર તો ઉપાધ્યાયજી ઉપર છે જ. “તત્ત્વાર્થસૂત્ર'માંથી ભલે તેમણે અહીં અવતરણો ન આપ્યાં હોય પણ તેના મૂળગુણ-ઉત્તરગુણ, રત્નત્રય, “કર્મક્ષયે મોક્ષ' જેવા વિચારોની અસર તો છે જ. જ્યારે “પ્રશમરતિ'માંથી તો તેઓ અવારનવાર અવતરણો પણ આપે છે. “સાધુ આત્મિક સંપત્તિની અનંત ઋદ્ધિ પામે તો પણ તેમાં આસક્તિ ધારણ ન કરે” એમ “જ્ઞાનસાર'માં જણાવ્યું છે ત્યારે તે “સાધુ પ્રશમરતિના સુખમાં મગ્ન થવા છતાં તે ઋદ્ધિના સુખમાં આસક્તિ રાખતા નથી અને આવા સાધુની આત્મિક સંપત્તિની તોલે દેવોની ઋદ્ધિ ન આવે” એ “પ્રશમરતિના વિચારને આધારે જણાવ્યું છે તે સ્પષ્ટ કર્યું છે. પોતે જ્યારે જણાવે છે કે, “જ્ઞાનરાજ્યવાળા સાધુને ક્યાંયથી ભય ન હોય” ત્યારે તેના સમર્થનમાં “પ્રશમરતિનો શ્લોક ટાંકે છે કે, “આચારાંગના અધ્યયનોમાં કહેલા અર્થની ભાવના અને ચારિત્રથી સુરક્ષિત હૃદયવાળાનો ક્યાંય પરાજય થતો નથી.”૧૩ “જ્ઞાનસાર'માં કર્મની વિષમતા વર્ણવી ત્યારે તેના પાયામાં પણ “પ્રશમરતિનો ઉલ્લેખ કર્યો છે, કે “જાતિ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ, બળ, ભોગ વગેરેમાં પ્રાપ્ત વિષમપણું કર્મને આધીન છે. વિદ્વાનને તેથી સંસારમાં પ્રીતિ થતી નથી.”૧૪ શાસ્ત્રની સમજૂતી ઉપાધ્યાયજીએ આપી છે તે પણ પ્રશમરતિના આધારે રજૂ થઈ છે, કે “હિતશિક્ષા આપવાના સામર્થ્યથી તથા નિર્દોષનું રક્ષણ કરવાની શક્તિથી યુક્ત હોય તે શાસ્ત્ર છે.”૧૫ પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ 121 Page #139 -------------------------------------------------------------------------- ________________ (ખ) સિદ્ધસેન દિવાકર સિદ્ધસેન દિવાકરકૃત “સન્મતિતર્કના આધારો ઉપાધ્યાયજી એકાદ-બે જગ્યાએ ટાંકે છે. “જીવ અને પુદ્ગલ પરસ્પર એવા મળી ગયા છે કે તે બંને વચ્ચે ભેદ છે તે જ્ઞાન વિદ્વાનને જ અનુભવાય છે.” તે રજૂઆતના મૂળમાં “દૂધ અને પાણીની જેમ ઓતપ્રોત થયેલ જીવ અને પુદ્ગલનો ભેદ કરવો અશક્ય છે.” તે “સન્મતિતર્ક'નો ખ્યાલ પડેલો છે.૧૧ “પ્રત્યેક નય પોતાના વક્તવ્યમાં સાચા છે, બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં ખોટા છે, પણ અનેકાંતનો જ્ઞાતા “આ નય સાચા છે અને આ ખોટા છે' એમ વિભાગ કરતો નથી.” આ સન્મતિતર્કના વિચારની અસર “પોતપોતાના અભિપ્રાયે સાચા અને બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં નિષ્ફળ નયમાં જેનું મન સમસ્વભાવવાળું છે તે મહામુનિ મધ્યસ્થ છે.” એ “જ્ઞાનસાર'ની રજૂઆતમાં જોઈ શકાય છે. (ગ) કુંદકુંદાચાર્ય અન્ય મત પ્રત્યેની સહિષ્ણુતાને કારણે તેઓ દિગંબર વિદ્વાન કુંદકુંદાચાર્યની વિચારણાને પણ યોગ્ય લાગે ત્યાં સ્વીકારે છે. જે શ્રુતજ્ઞાનથી માત્ર શુદ્ધ આત્માને જાણે તેને અભેદનયથી શ્રુતકેવલી કહ્યા છે, તથા જે કેવલ સંપૂર્ણ શ્રુતને જાણે તે ભેદનયથી શ્રુતકેવલી કહેવાય છે.” આ “સમયસારની વિચારણા સ્વીકારીને “જ્ઞાનસાર'માં જ્ઞાન, દર્શન, ચારિત્ર - આ રત્નત્રયમાં આત્માની અભેદપરિણતિ દર્શાવી છે. “ દેહ અને આત્માના અભેદની વાત સાધારણ લોકો અજ્ઞાનથી માને છે, પણ દેહ અને આત્માના ભેદની, પૃથક્વની સમજણ સુલભ નથી. - આ વિચારણાના સમર્થનમાં પણ તેઓ “સમયસારનો ઉલ્લેખ કરે છે. ' “સાધુઓ આગમચક્ષુવાળા છે, પ્રાણીઓ ચર્મચક્ષુવાળા છે, દેવો અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે, સિદ્ધો સર્વતઃ ચક્ષુવાળા છે.” - “સમયસાર'ના આ જ ખ્યાલને “જ્ઞાનસાર'માં યથાતથ સ્વીકાર્યો છે. પ્રવચનસાર'માં જણાવ્યું છે, “જે અરિહંતને દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.” આ જ વાત સહેજ જુદી જ્ઞાનસારનું તત્ત્વદર્શન 122 Page #140 -------------------------------------------------------------------------- ________________ રીતે ‘જ્ઞાનસાર’માં મૂકી છે. “ધ્યાન કરનાર અંતરાત્મા, ધ્યેયરૂપ પરમાત્મામાં એકાગ્રતાની બુદ્ધિ રાખે તે સમાધિ છે.”૨૧ આ બંનેમાં આત્મા અને અરિહંત, ધ્યાતા (અંતરાત્મા) અને ધ્યેય(પરમાત્મા)ની એકતાની વાત રજૂ થઈ છે. (ઘ) હરિભદ્રસૂરિ આચાર્ય હરિભદ્રસૂરિકૃત ‘ષોડશક’, ‘યોગવિંશિકા’, ‘યોગદૃષ્ટિસમુચ્ચય’ વગેરે ગ્રંથોમાંથી ઉપાધ્યાયજીએ અવારનવાર અવતરણો ટાંક્યાં છે. ‘ષોડશક’માં આ. હિરભદ્રસૂરિ જણાવે છે, “તીર્થંકરપ્રણીત આગમ હૃદયમાં હોય ત્યારે પરમાર્થથી તીર્થંકર ભગવાન હૃદયમાં હોય છે, કારણ કે તે તેના સ્વતંત્ર પ્રણેતા છે.” આ જ રીતે શાસ્ત્રનું મહત્ત્વ સમજાવતાં ‘જ્ઞાનસાર’માં જણાવ્યું છે, “શાસ્ત્રને આગળ કરો ત્યારે વીતરાગ ભગવાનને આગળ કર્યા કહેવાય, કારણ કે શાસ્ત્રો વીતરાગકથિત જ છે.” શાસ્ત્રને સમજવા માટે શાસ્ત્રકર્તાને જાણીએ તે ઉપયોગી છે. ૨૩ યોગના અરૂપી આલંબનની વાતના સમર્થનમાં પણ ‘ષોડશક'નો જ આધાર ટાંક્યો છે. યોગનિરોધ એ સર્વોત્તમ યોગ છે અને અનાલંબન યોગ કે જે ઈષતુ-આલંબન કે નિરાલંબન તરીકે પણ ઓળખાય છે તે યોગનિરોધથી નજીકનો જ યોગ છે. અે યોગના પ્રકારોમાં પણ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાનને સમજાવવા માટે ‘ષોડશક’નો જ આશ્રય લીધો છે.૨૪ “અવિશેષિત વચનને એકાંતે પ્રમાણ પણ ન કહેવાય, અપ્રમાણ પણ ન કહેવાય.’’ - ‘જ્ઞાનસાર’માં રજૂ કરેલા આ વિચારને દૃઢ કરવા માટે ‘ષોડશક'નો આધાર આપતાં જણાવ્યું છે, “અન્ય મતનો દ્વેષ કરવાને બદલે બીજા દરેક પક્ષનો ઉપયોગ કરીને તેના વિષયને જાણવો.” (વળી પૂ. ધર્મદાસગણિ ક્ષમાશ્રમણકૃત ‘ઉપદેશમાલા'માંથી પણ આ વિચારને સમર્થન આપ્યું છે. “શ્રુતના રહસ્યને પારખ્યા વગર, અર્થભેદન કર્યા વગર માત્ર સૂત્રના શબ્દોને અનુસરીને કરેલ ક્રિયાનુષ્ઠાન અજ્ઞાનયુક્ત તપ ગણાય છે.”૨૫) ‘જ્ઞાનસાર’ના ‘યોગ-અષ્ટક'માં યોગના જે પ્રકા૨ો રજૂ કર્યા છે તેને પૂ. આ. હરિભદ્રસૂરિકૃત ‘યોગવિંશિકા’ની ગાથા દ્વારા સમર્થન આપ્યું છે.૨૭ ’સૂત્રશાન કોને આપવું અને કોને ન આપવું તે વિચારણા પણ ‘યોગવિંશિકા’ને આધારે વધુ સ્પષ્ટ કરી છે. ૨૭ ૨૮ પૂ. આ. હરિભદ્રસૂરિકૃત ‘યોગદૃષ્ટિસમુચ્ચય'ના આધારે તાત્ત્વિક અને અતાત્ત્વિક ધર્મસંન્યાસનો ખ્યાલ સ્પષ્ટ કર્યો છે. યોગસંન્યાસના ખ્યાલને સમજાવવા પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ 123 Page #141 -------------------------------------------------------------------------- ________________ માટે પણ “યોગદષ્ટિસમુચ્ચય'નું અવતરણ ટાંકતાં જણાવ્યું છે, “આયોજ્યકરણ કર્યા બાદ બીજો યોગસંન્યાસ હોય છે.” ( ક્ષાયોપશમિક ભાવે કરેલા શુભ અનુષ્ઠાન પડી ગયેલાને પણ ક્યારેક ભાવવૃદ્ધિ કરવામાં કારણરૂપ બને છે. અને “કયું તપ કરવા યોગ્ય છે ? વગેરે બાબતોને સમજાવવા માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિકૃત “પંચાશક'ના આધારો રજૂ કર્યા છે. (ચ) હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સાહિત્યના સંદર્ભો પણ “જ્ઞાનસાર માં આપવામાં આવેલ છે. “મોક્ષ અને સંસારમાં બધે ય ઉત્તમ મુનિ નિઃસ્પૃહ હોય છે.” તેને આધાર તરીકે ટાંકીને “જ્ઞાનસારમાં જણાવ્યું છે, “મુનિ નિર્વિકલ્પ સમાધિમાં હોય ત્યારે સંસારનો ભય પણ સમાધિમાં જ મગ્ન અર્થાત્ વિલીન થાય છે."* - “જ્ઞાનસાર'માં “મધ્યસ્થ-અષ્ટકમાં જાણે પોતાની મનઃસ્થિતિ વર્ણવતા હોય તેમ ઉપાધ્યાયજી જણાવે છે, “કેવળ રાગથી અમે પોતાના સિદ્ધાંતનો સ્વીકાર કરતા નથી કે કેવળ દ્વેષથી પરસિદ્ધાંતનો ત્યાગ કરતા નથી. પરંત મધ્યસ્થ દૃષ્ટિથી વિચારીને સ્વસિદ્ધાંતનો આદર અને પરસિદ્ધાંતનો ત્યાગ કરીએ છીએ.” તેના સમર્થનમાં “અયોગવ્યવચ્છેદ-દ્વાત્રિશિકામાંથી પૂ. હેમચંદ્રાચાર્યનું વચન ટાંકે છે : “હે વીરપ્રભુ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી, કે કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી, પરંતુ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે તમારો આશ્રય કરીએ છીએ.” (આ ઉપરાંત પૂ. હરિભદ્રસૂરિની કૃતિ લોકતત્ત્વનિર્ણયનાં આધાર પણ મૂકે છે. “મને શ્રી મહાવીરનો પક્ષપાત નથી, તેમ કપિલાદિ મુનિઓ ઉપર દ્વેષ નથી, પણ જેનું વચન યુક્તિવાળું છે તે અંગીકાર કરવા યોગ્ય છે.) - “અન્યયોગવ્યવચ્છેદ-દ્વાáિશિકા'માં પૂ. હેમચંદ્રાચાર્ય જણાવે છે : “બીજા દાર્શનિક સિદ્ધાંતો એકબીજા પર પક્ષ-પ્રતિપક્ષભાવ આરોપતા હોવાથી જે રીતે મત્સરવાળા (અભિમાનવાળા) છે તે રીતે હે પ્રભુ ! તમારો સિદ્ધાંત બધાં દૃષ્ટિબિંદુઓને ભેદભાવ વગર આવકારતો હોવાથી પક્ષપાતી નથી. તેના અર્થની છાયા રજૂ થઈ હોય તેવો જ “જ્ઞાનસારનો શ્લોક છે : “જુદા જુદા નો વાદ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 124. Page #142 -------------------------------------------------------------------------- ________________ . પ્રતિવાદથી દૂષિત છે, જ્યારે સમભાવના સુખનો આસ્વાદી જ્ઞાની સર્વ નયોનો આશ્રિત હોય છે.”૩૪ આ બધાં અવતરણો ઉપર નજર ફેરવતાં પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ બધા સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ તો તેમણે કર્યો જ છે; આ સિવાય પણ અનેક પ્રાચીન મૂલ્યવાન ગ્રંથોનો પ્રભાવ તેમના પર પડ્યો છે તેમાં સંદેહ નથી. જુદા જુદા જૈન ગ્રંથોના વિચારોને પોતે હૃદયસ્થ કર્યા અને આ વિચારો પોતાના સર્જનમાં જ્યાં જ્યાં વ્યક્ત થયાં ત્યાં ત્યાં તેનો સ્થળનિર્દેશ કર્યો તે તેમની વિદ્વત્તાનું અને સાથે સાથે પ્રામાણિકતા અને નમ્રતાનું સૂચન કરે છે. ૩. જૈનેતર સાહિત્ય ઉપાધ્યાયજીને કાશી તથા આગ્રામાં જૈનેતર સાહિત્યનો અભ્યાસ કરવાની તક મળી હતી, તેથી શરૂઆતથી જ તેઓ આ સાહિત્યના પણ સારા જ્ઞાતા હતા. જ્ઞાનસારમાં જૈનેતર ગ્રંથોનાં અવતરણોમાં “શ્રીમદ્ ભગવદ્ગીતા'નો ઉલ્લેખ થયેલો જોઈ શકાય છે, યોગસૂત્રકાર પતંજલિનો પણ નિર્દેશ થયો છે, તો ઉપનિષદની વિચારણાનો પડઘો પણ ઝિલાયેલો જોઈ શકાય છે. (ક) શ્રીમદ્ ભગવદ્ગીતા' . ખરેખર તો શબ્દશઃ ગીતાનો ઉલ્લેખ થયો ન હોય તોપણ “જ્ઞાનસારના ઘણા શ્લોકોમાં ગીતાની વિચારસરણીની અસર જોવા મળે છે. જેમ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને સંબોધીને ઉપદેશ આપે છે તેમ “જ્ઞાનસાર'માં પણ એક સાધકને નજર સામે રાખીને ઉપાધ્યાયજી પોતાનું ચિંતન રજૂ કરે છે. જેનેતર સાહિત્યનો સવિશેષ અભ્યાસ અને પક્ષપાત વગર સાચો મત સ્વીકારવાના વલણને કારણે તેમની રજૂઆતમાં ઘણું ઉદાર વલણ અભિવ્યક્ત થાય છે. “જ્ઞાનસાર' ઉપર ગીતાની અસર ક્યાં ક્યાં છે તે વિષય તો સ્વતંત્ર અભ્યાસ માગી લે તેમ છે; અહીં માત્ર તેમણે આપેલ બે અવતરણોનો વિચાર કર્યો છે. “જ્ઞાનસાર'માં જણાવ્યું છે, “કર્માધીન જગતમાં પર્યાયાર્થિક નયના ભેદોને ગૌણ ગણીને દ્રવ્યાર્થિકનયે વિચારીને યોગી બધાને સમાન ગણે છે.” તેની સાથે ગીતાની જ આ પ્રકારની વાતનો આધાર ટાંકતાં જણાવ્યું છે : “જ્ઞાની પુરુષ બ્રાહ્મણ, ગાય, કૂતરો, હાથી, ચાંઠાળ આ બધાંમાં સમદષ્ટિવાળા હોય છે અને તેમનો આ સમભાવ જ તેમને સંસારને જીતવામાં મદદ કરે છે.' સાધક પોતાના કર્તાપણાનું અભિમાન બ્રહ્માગ્નિમાં હોમે તો તે યોગ્ય છે.” આની સાથે મૂકી શકાય તેવા ગીતાના વિચારને જોઈએ : “અર્પણ કરવાની પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ 125 Page #143 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા બ્રહ્મ છે. હોમવાની વસ્તુ બ્રહ્મ છે. બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોમનારે હોમેલું પણ બ્રહ્મ છે અને બ્રહ્મરૂપ કર્મ-સમાધિવાળાએ પ્રાપ્ત કરવાયોગ્ય સ્થાન પણ બ્રહ્મ છે. જે કર્મમાં અકર્મને અને અકર્મમાં કર્મને જુએ તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, યોગી છે અને સર્વ કર્મનો કર્તા છે.” આ બંનેમાં કર્તુત્વનો ભાવ છોડવાની વાત મુખ્ય છે. (ખ) પતંજલિ યોગદર્શનના પ્રણેતા પતંજલિને ઉપાધ્યાયજી અવારનવાર ભાવપૂર્વક સંભારે છે : “આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણભૂત જ્ઞાન ઇચ્છવાયોગ્ય છે. આ સિવાય બીજું અધિક ભણવું તે બુદ્ધિનું અંધપણું છે. તે પ્રમાણે મહાત્માએ કહેલ છે.” અહીં મહાત્મા એટલે “પતંજલિ ઋષિ” એ અર્થ બાલાવબોધમાં સ્પષ્ટ કર્યો છે.૩૮ “અનિત્ય, અશુચિ, અનાત્મ પુદ્ગલોમાં નિત્યતા, શુચિતા, આત્મતાની બુદ્ધિ અવિદ્યા છે. અને શુદ્ધ આત્મામાં નિત્યતા, શુચિતા, આત્મતાની બુદ્ધિ વિદ્યા છે – એમ યોગાચાર્યોએ કહ્યું છે.” અહીં યોગાચાર્યો એટલે “યોગદષ્ટિસંપન્ન પતંજલિપ્રમુખ' એ અર્થ બાલાવબોધમાં આપ્યો છે. “જો અંત:કરણથી અસ્થિરતારૂપ પવન ઉત્પન્ન કરીશ તો ધર્મમેઘ સમાધિની શ્રેણિને ઘટાને) વિખેરી નાખીશ.” એમ કહ્યું છે ત્યાં પોતાની ધર્મમેઘ સમાધિની વાતને પાતંજલ યોગશાસ્ત્રમાં રજૂ થયેલ અસંપ્રજ્ઞાત સમાધિની સાથે સરખાવતા ટબામાં જણાવ્યું છે કે, “પાતંજલ યોગશાસ્ત્રમાં ધર્મમેઘ સમાધિને અસંપ્રજ્ઞાત સમાધિ કહી છે. તેની ઘટાનો નાશ કરીશ એટલે આવતા કેવળજ્ઞાનને વિખેરી નાંખીશ.” ઉપાધ્યાયજીએ પાતંજલ યોગસૂત્ર ઉપર સંસ્કૃતમાં વૃત્તિ રચી છે, તેથી પતંજલિના યોગવિષયક સિદ્ધાંતોથી તો તેઓ સુપરિચિત છે જ. આ યોગદર્શનનાં સૂત્રો પર જ્યાં જૈન મત અને સાંખ્ય મત વચ્ચે ભેદ છે તેવાં સૂત્રો પર જ તેમણે આ વૃત્તિ રચી છે અને તેના દ્વારા જૈન દર્શન અને યોગ દર્શનનો વિરોધ છતાં તેના સુમેળનો સુંદર પ્રયત્ન કર્યો છે. “જ્ઞાનસાર'માં પતંજલિના યોગવિષયક વિચારોનો પ્રભાવ હોય તે સ્વાભાવિક છે. (ગ) ઉપનિષદ ઉપનિષદનો સ્પષ્ટ ઉલ્લેખ તો ‘ચતો વેરો નિત્રર્તન્ત બપ્રાપ્ય મનરના સેઢ' એમ જણાવીને એક જ જગ્યાએ કર્યો છે, પણ “જ્ઞાનસાર'ને વાંચતાં તેની વાણી સતત ઉપનિષદની વાણી સમાન જણાય છે. “જ્ઞાનસાર'માં ઠેરઠેર વપરાયેલા જ્ઞાનસારનું તવદર્શન . 126 Page #144 -------------------------------------------------------------------------- ________________ : નિર્ગુણ બ્રહ્મ (૮/૭), નિર્દેન્દ્ર બ્રહ્મ (૨૬/૬), શબ્દ બ્રહ્મ (૨૬/૮), ચિદાનંદઘન (૧૮/૫), ચિદાનંદ (૨૧/૮), પરબ્રહ્મ (૨૩/૮) વગેરે શબ્દો ઉપનિષદના પ્રભાવ નીચે આવેલા શબ્દો છે. “નિર્દેન્દ્ર બ્રહ્મને લિપિમયી, વાડ્મયી, મનોમયી દૃષ્ટિ જાણી ન શકે” એમ દર્શાવે છે ત્યારે તેનાં મૂળ કઠોપનિષદના ‘બુદ્ધિ, મન, વાણી, તર્કથી બ્રહ્મ પર છે, તે કેવળ અનુભવગમ્ય છે' જેવા વિચારમાં જોઈ શકાય છે. ‘નિયાગ-અષ્ટક'ના શ્લોકો વાંચીએ ત્યારે વેદ કે ઉપનિષદની વાણી જ હોય તેવો સતત ભાસ થાય છે. આમ ઉપનિષદના તેમના પર પડેલા સંસ્કારનો સતત ખ્યાલ આપણને ‘જ્ઞાનસાર’માં આવે છે. ૪૩ (ઘ) પૂર્વમીમાંસા પૂર્વમીમાંસામાં કહેલ ઐહિક ઇચ્છાવાળા દ્રવ્યયજ્ઞને છોડવાની વાત તેઓ જ્યારે કરે છે” ત્યારે કે ક્ષેનયાગવાળા હિંસક યજ્ઞને છોડીને જ્ઞાનયજ્ઞને સ્વીકારવાની વાત કરે છે ત્યારે પૂર્વમીમાંસા અંગેના તેમના અભ્યાસનો પણ ખ્યાલ આવે છે. ૪૫ ૪. લોકસાહિત્ય ‘જ્ઞાનસાર’માં ઘણી જગ્યાએ ઉપાધ્યાયજીએ નાની નાની લોકોક્તિઓ દ્વારા પોતાની વાતને કુશળતાપૂર્વક રજૂ કરી છે. દા.ત. “આચાર જ કુળને કહે છે તો પછી આત્મપ્રશંસા શા માટે કરવી ? ૪૬ “આત્મપ્રશંસાથી ધર્મ નાશ પામે છે.” “ઘાંચીનો બળદ ઘરે જ પચાસ કોશ ચાલવા છતાં પ્રગતિ ન કરે, તેમ અનિશ્ચિત પૂર્વપક્ષ અને ઉત્ત૨૫ક્ષ કહેતાં છ માસ સુધી કંઠશોષ કરે તો પણ તત્ત્વનો પાર ન પામે ૪૮ “તૃણથી આકડાનું રૂ હલકું છે અને આકડાના રૂથી યાચક હલકો છે તો પણ ‘મારી પાસેથી માગશે' એવા ભયથી વાયુ તેને ખેંચી જતો નથી.” જેવાં સુભાષિત દ્વારા યાચકની દશાનો ખ્યાલ આપ્યો છે. ૪૯ “શાકાદિ સહિત પણ ગોરસ સિવાયના (દહીં, છાશ, માખણ વગેરે સિવાયના) ભોજનમાં શો રસ છે ?” જેવી પ્રચલિત માન્યતાનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ થયો છે. ૫૦ ‘જ્ઞાનસાર’નાં આ બધાં અવતરણોને માત્ર ઉપલક દૃષ્ટિએ જોઈએ તો પણ તેમની વિશાળ દૃષ્ટિનો ખ્યાલ આપણને આવે જ છે. આ બધાં અવતરણોને વધારે ઊંડાણથી તપાસવા માટે વિશેષ અભ્યાસ જરૂરી છે. પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ 127 Page #145 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ १. () “अपयस्स पयं नत्थि ।' - 'मायारागसूत्र', स. ५, 6.5 (५) u. १०/७ "जं सम्मं ति पासहा तं मोणं ति पासहा, जं मोणं ति पासहा तं सम्म ति पासहा । ण इमं सक्कं सिढिलेहिं अदिज्जमाणेहिं गुणासाएहिं, वंकसामायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं । मुणी मोणं समायाए धुणे कम्मसरीरगं पंतं लूहं च सेवन्ति वीरा सम्मत्तदंसिणो ।" ___ - ‘मायारागसूत्र', अध्य. ५, 6. 3, सू. १५५ (५) . १३/१ ૩. જ્ઞા. ૨૮/૮ અને તેનો બાલાવબોધ ४. (3) "ण कामभोगा समयं उविंति, णया वि भोगा विगइं उविति । जो तप्पओसी अपरिग्गहि अ सो तेसु मोहा विगई उवेइ । समो अ जो तेसु स वीयरागो ।।" ___ - 'उत्तराध्ययन सूत्र', 4. ३२, रा. १०१ (4) शा. ४/3 ५. (3) "जणेण सद्धिं होक्खामि ।" - 'उत्तराध्ययन सूत्र', अ५, .9 (५) AL. 3१/२ 5. (3) 'भगवतीसूत्र', २.१४, 6.१० (५) “उक्तं मासादिपर्यायवृद्धया द्वादशभिः परम् । तेजः प्राप्नोति चारित्री सर्वदेवेभ्य उत्तमम् ।।" - धर्मनिहु', . ऽनो मातम als (1) u. २/५ 9. (5) _ "तम्हा किमत्थि वत्थु गंथोऽगंथो व सव्वहा लोए । गंथाऽगंथो व मओ मुच्छाऽमुच्छाहिं निच्छयओ ।। वत्थाइ तेण जं जं संजमसाहणमरागदोसस्स । तं तमपरिग्गहो च्चिय परिग्गहो जं तदुवधाई ।।" - विशेषावश्यमाष्य', 1. 30७५-७६ (4) शा. २५/८ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 128 Page #146 -------------------------------------------------------------------------- ________________ ૮. (૬) (ખ) ૯. (ક) (ખ) ૧૦. (ક) (ખ) ૧૧. (૬) "जं थिरमज्झवसाणं तं झाणं चलं तयं चित्तं । तं होज्ज भावणा वा अणुप्पेहा वा अहव चिंता ।। " - ‘વિશેષાવશ્યક’, ધ્યાનશતક, ગા. ૨ જ્ઞા. ૩૦/૨ ‘સવ્વેસિપિ નયાનું વિહવત્તવયં સિામિત્તા 1 तं सव्वणयविसुद्धं जं चरणगुणठ्ठिओ साहू ।।” - ‘અનુયોગદ્વા૨’, ૫.૨૬૭ જ્ઞા. ૩૨/૧ ‘સિમવડ્યો પુષ્ણનરિટ્ટો સેસો અ સંસારો '. खलु अवरे पुण कणहपक्खि सुक्कपक्खि || जो जो किरियावाई सो भव्वो णिथमा सुक्कपक्खिआ । अंतोपुग्गलपरिअट्टस्सु सिज्झइ ।। " જ્ઞા. ૧/૮ ‘જ્ઞાનસાર’ના જે શ્લોકોમાં પૂ. આ. હરિભદ્રસૂરિક્ત વિવિધ કૃતિઓમાંથી જે અવતરણો આપવામાં આવ્યાં છે તેની યાદી નીચે પ્રમાણે છે : ‘ષોડશકમાંથી શા. ૨૪/૪, ૨૭/૬, ૭, ૩૨/૩ ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માંથી શા. ૮/૩,૭ ‘પંચાશકમાંથી શા. ૯/૬, ૩૧/૭, ઉપ. ગ્લો. ૫, ‘યોગવિશિકામાંથી જ્ઞા. ૨૭/૧,૨, ૨૭/૮ ધર્મબિંદુમાંથી જ્ઞા. ૨/૫, ‘શ્રાવકધર્મવિશિકા'માંથી જ્ઞા. ૯/૫ ‘લોકતત્ત્વનિર્ણય માંથી જ્ઞા. ૧૬/૭ વગેરે. ૧૨. (ક) “સાદિસેલ્વગુરુ પ્રાદ્ધિવિભૂતિમસુતમામન્યેઃ । सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनिः संगम् ।। या सर्वसुरवरद्धिर्विस्मयनीयाऽपि साऽनगारर्द्ध: । नार्धति सहस्रभागं कोटिशत्सहस्रगुणिताऽपि ।।" (ખ) જ્ઞા.૧૫/૬ - ‘દશાશ્રુતસ્કંધચૂર્ણિ’, અધ્યાય ૬ - ‘પ્રશમરતિ’, શ્લો. ૨૫૬-૫૭ પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ 129 Page #147 -------------------------------------------------------------------------- ________________ १३. (8) “आचाराध्ययनोक्तार्थभावनाचरण गुप्तहृदयस्य । । न तदस्ति कालविवरं यत्र क्वचनाभिभवनं स्यात् ।।" - 'प्रशभति', cो. ११८ ___ (4) AL. १७/८ १४. (६) “जातिकुलदेहविज्ञानायुर्बलभोगभूतियैषम्यम् । दृष्टा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ।।" - 'प्रशभरात', Pell. १०२ (५) Al. २१/४ १५. (8) “शासनसामर्थ्येन च संत्राणबलेन चानवद्येन । युक्तं यत् तत्छास्त्रं तच्चैतत् सर्वविद्वचनम् ।।" -- 'प्रशमति', al. १८८ (५) u. २४/3 ७. (3) "अन्नोन्नाणुगयाणं इमं तं च त्ति विभयणमसक्कं । जह दुद्धपाणियाणं जावंत विसेसपज्जाया ।।" - 'सन्मति ', si3 १, ४७ (५) u. १४/७ १७. (8) "नियनियवयणिज्जसच्चा सव्वनया परवियालणे मोहा । ते पुण ण दिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा ।।" - - 'सन्मतित', i3 १, ॥१॥ २८ (५) शा. १७/3 १८. (5) "जो हि सुएणहिगच्छइ अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुयकेवलिमिसिणो भणंति लोयप्पइवयरा ।। जो सुयणाणं सव्वं जाणइ सुयकेवलिं तमाहु जिणा! . णाणं अप्पा सव्वं जम्हा सुअकेवली तम्हा ।।" - 'समयसार', था ८,१० (५) .. १७/२ १८. (8) "सुदपरिचिदाणुभूया सव्वस्स वि कामभोगबंधकहा । एगत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ।।" - 'समयसार', गाथा ४ જ્ઞાનસારનું તત્ત્વદર્શન ___ 130 Page #148 -------------------------------------------------------------------------- ________________ (ञ) ज्ञा. १५/२ २०. (४) (ज) २१. (५) (4) २२. (3) (ख) २३. (५) (ञ) २४. (५) "आगमचक्खू साहू चम्मचक्खुणि सव्वभूयाणि । देवा य ओहिचक्खू सिद्धा पुणे सव्वदोचक्खु ।।” ज्ञा. २४/१ " जो जाणदि अरिहंते दव्वत्त-गुणत्त- पज्जयत्तेहिं । सो जार्णा अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।। " 'प्रवथनसार', ५.१, गाथा ८० all. 30 " अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनिन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसिद्धयः ।। " 'समयसार', गाथा ज्ञा. २४/४ " तत्राप्रतिष्ठितः खलु यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः । । ” - ' षोडश' २, श्लो. १४ ज्ञा. २७/७ " यत्रादरोऽस्ति परमः प्रितिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ।। गौरवविशेषयोगाद् बुद्धिगतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि सेयं तद्भक्त्यनुष्ठानम् ।। अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयोर्ज्ञातं स्यात् प्रीतिभक्तिगतम् ।। वचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदं चारित्रवतो नियोगेन ।। यच्चभ्यासातिशयात् सात्मीभूतमिव चैष्टते सद्भिः । तदसंगानुष्ठानं भवति त्वेतत् तदावेधात् ।। चक्रभ्रमणं दण्डात् तदभावे चैव पत्परं भवति । वचनासंगानुष्ठानयोस्तु तर्ज्ञापकं ज्ञेयम् ।। अभ्युदयफलेचा निःश्रेयससाधने तथा चरमे । एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये ।। " ‘षोडशç' १७, પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ 131 -' षोडश' १०, श्लो. उ थी ए सो. ए Page #149 -------------------------------------------------------------------------- ________________ (५) .. २७/७ २५. (5) "तत्रापि न च द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्धचनं सर्वं यत् प्रवचनादन्यत् ।।" - 'षोडश' १७, .. १३ (५) “अपरिच्छियसुयनिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स । सव्वुज्जमेण वि कयं अन्नाणतवे बहु पडई ।।" - 6५शमाला', .४१५ (1) . 3२/3 २७. (5) "ठाणुन्नत्थालंबण-रहिओ तंतम्भि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो, तहा तियं नाणजोगो उ ।।२।। देसे सव्वे य तहा, नियमेणेसो चरित्तिणो होइ । इयरस्स बीयमित्तं, इत्तु च्चिय केई इच्छांति ।।३।।" -'योगविशि', 1.२,3 (५) शा. २७/१,२ २७. (8) "तित्थस्सुच्छेयाइ वि, नालंबण जं ससमएमेव । सुत्तकिरियाइ नासो, एसो असमंजसविहाणा ।।१८।। सो एस वंकओ चिय, न य सयमयमारियाणमविसेसो । एयं पि भावियव्यं, इह तित्थुच्छेयभीरूहि ।।१५।।" -योगविशिक्षा', . १४, १५ (५) .. २७/८ २८. (5) "द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् ।।" ___- 'योगहष्टिसभुश्यय' (५) u. ८/3 २४. () “आयोज्यकरणादूर्ध्वं द्वितीय इति तद्विदः ।" - योगहष्टिसमुय्यय' (५) L., ८/७ 30. (8) “खाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्ठाणं । पडिवडियं पि हु जायइ पुणो वि तब्भाववुड्ढिकरं ।” - 'पंयाश', था उ४ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 132 Page #150 -------------------------------------------------------------------------- ________________ (ञ) ज्ञा. ९/७ ३१. (5) (ञ) ३२. (3) (ञ) 33. (s) " सो उ तवो कायव्यो जेण मणा मंगुलं ण चिंतेइ । जेण ण इंदियहाणी जेण य जोगा न हायंति ।। " ३४. (३) ज्ञा. 39/9 "मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः । " (ज) “पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। " (ग) ज्ञा. १५/७ (ख) 39. (5) ज्ञा. २२/८ “न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः ।। " - 'योगव्यवच्छे-द्वात्रिशिअ', गा. २८ - 'सोडतत्त्वनिर्णय', गा. “अन्योन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ।। " - 'अन्ययोगव्यवच्छे६ - द्वात्रिंशिअ ', गा. 30 (ञ) ज्ञा., स. ३२/२ 34. ध.त. दुखो : ज्ञ. 3 / 1,2,3 ; 5/3; ७/१, १८/७, २८/७, ८ वगेरे. ३५. (5) “ विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पंडिता: समदर्शिनः । इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः । निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः । । " - 'पंयाश' ज्ञा. ५/२ "ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ।। कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्म यः । - 'योगशास्त्र' स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ।। " 'श्रीमद्द भगवङ्गीता', अ. ५, श्लो. १८, १९८ પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ 133 - 'श्रीमद्द भगवद्द्गीता', अ. ४, श्लो. २४, १८ Page #151 -------------------------------------------------------------------------- ________________ (ખ) જ્ઞા. ૨૮/૬ ૩૮. જ્ઞા. ૫/૩ અને તેનો બાલાવબોધ. ૩૯. જુઓ : જ્ઞા. ૧૪/૧ અને તેનો બાલાવબોધ. ૪૦. જ્ઞા. ૩/૭ અને તેનો બાલાવબોધ. ૪૧. વિશેષમાં જુઓ : આ જ પુસ્તકના પ્રકરણ નં. બેમાં રજૂ થયેલ યોગસૂત્ર' ઉપરની ઉપાધ્યાયજીની વૃત્તિની વિગત અને ટિપ્પણ . ૬૦. ૪૨. જુઓ : જ્ઞા. ૧૦/ક અને તેનો બાલાવબોધ. ૪૩. (ક) કઠોપનિષદ : “નૈવ વાવો મનસા પ્રાપ્ત શક્યો ન વક્ષ: ” (ખ) જ્ઞા. ૨૬/૬ ૪૪. “મૂતિવામ: પશુમતિ મેર” અર્થાત્ “ભૂતિની કામનાવાળો પશુનો હોમ કરે” તેને છોડીને જ્ઞાનયજ્ઞનું મહત્ત્વ જ્ઞા. ૨૮/રમાં દર્શાવ્યું છે. ૪૫. જ્ઞા. ૨૮|૩ અને તેનો બાલવબોધ. ૪૬. (ક) “કાવાર: કુત્તમારાતિ ” . (ખ) જ્ઞા. ૧૮/૧ ૪૭. (ક) “ઘર્મ ક્ષત્તિ ત્રદીર્તનાત્ ” (ખ) જ્ઞા. ૧૮/૨ ૪૮. (ક) જ્ઞા. ૫/૪ અને તેનો બાલાવબોધ. ૪૯. (ક) “તુર્ત તૃપિ તપુ તૂના હિ ચાવ: | वायना किं न नीतोऽसौ मामयं प्रार्थयिष्यति ।।" (ખ) જ્ઞા. ૧૨/૫ ૫૦. (ક) “મોનને થનનોવેજે રસો જોરસ િ ” (ખ) શા. ૧૦ (નોંધ : અહીંયાં આપવામાં આવેલ અવતરણો મુખ્યત્વે પં. ભગવાનદાસ હરખચંદ દ્વારા સંપાદિત થયેલ “જ્ઞાનસાર'ના આધારે આપવામાં આવેલ છે. બાલાવબોધ સાથેની મૂળ હસ્તપ્રતનાં અવતરણો તે પુસ્તકમાં લગભગ તે રીતે જ અપાયેલ છે.) જ્ઞાનસારનું તત્ત્વદર્શન 134 Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર - - ઋગ્વદમાં જણાવ્યું છે, “ઉત્તમ સુવિચારો, ભાવનાઓ અમારી પાસે સર્વ સ્થળેથી આવો.” (“નો ભદ્રા ઋતવો ચત્ત વિશ્વતઃ I') કેટલીક પ્રતિભાઓ એવી હોય છે કે તેઓ ધર્મના, સંપ્રદાયના, પક્ષાપક્ષીના વાડાઓથી પર ઊઠીને સાચા અને સારા વિચારોને પકડી શકે છે. જેને ઉત્તમ વસ્તુ મેળવવી છે, લોકો સમક્ષ મૂકવી છે તેને તે ઉત્તમતાની શોધ એટલી તીવ્ર હોય છે કે ઉત્તમ સંસ્કાર અને સુવિચારો ગમે ત્યાંથી મળે તેને તેઓ ઝીલી લે છે. વિચાર એ એક એવી વૈશ્વિક બાબત છે કે જેના પર કોઈ એક વ્યક્તિ કે કોઈ ધર્મનો ઇજારો ન જ હોય. તેથી તો ઘણી વખત એકબીજાથી તદ્દન અપરિચિત બે મહાન પ્રતિભાઓના વિચારમાં Great Men think alike.” એ ન્યાયે આશ્ચર્યકારક તથા નૈસર્ગિક સામ્ય પણ જોવા મળે છે. ઉપાધ્યાય યશોવિજયજીની પ્રતિભામાં આપણને આ વિરલ ઉદારતાના દર્શન થાય છે. ઉપાધ્યાયજીને આચાર્ય હરિભદ્રસૂરિ ઉપર વિશેષ પ્રીતિ હતી. 135 Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિની એક સમજણ સ્પષ્ટ હતી કે કોઈપણ સંપ્રદાયના વિદ્વાનની સારી અને સાચી વાત હોય તો તેનો બેધડક સ્વીકાર કરવો. બીજાનું છે, અર્જુનનું છે માટે હેય છે એવો પૂર્વગ્રહ ન રાખવો. તેઓ જણાવે છે : “મને શ્રી મહાવીરનો પક્ષપાત નથી, તેમ કપિલાદિ મુનિઓ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિવાળું લાગે તે અંગીકાર કરવા યોગ્ય છે.” આચાર્ય હરિભદ્રસૂરિએ દોરી આપેલા આ પ્રકારના નકશા ઉપર, આ પદ્ધતિ ઉપર ઉપાધ્યાય યશોવિજયજી ચાલ્યા છે. યશોવિજયજીના સમકાલીન જૈન વિદ્વાનો પૈકી કોઈએ પણ જૈન પરંપરાથી બહા૨ના ગ્રંથોને આટલી તટસ્થ અને તલસ્પર્શી નજ૨થી જોયા નથી. કાં તો તેને અર્હત્-ભાષિત નથી માટે તે મિથ્યા છે એવી નજરે જોઈને તેને નિંઘા છે અથવા તો ઉવેખ્યા છે અને એટલે અંશે એમાં રહેલા સદ્અંશોનો પણ તિરસ્કાર જ થયો છે. જ્યારે ઉપાધ્યાયજીએ તો અન્ય અન્ય દાર્શનિકો દ્વારા લખાયેલા ગ્રંથોમાં છુપાયેલા સદ્અંશોનું ઉદ્ઘાટન કર્યું છે, અને તેઓની અસદૃદૃષ્ટિનું સ્પષ્ટ શબ્દોમાં નિરસન કર્યું છે. આ તેમની સર્વથી ચઢિયાતી વિશેષતા તેમને તેમના સમકાલીનોથી જુદા જ વર્ગમાં મૂકી આપે છે અને ઊંચા સ્તર ઉપર લઈ જાય છે. જેઓની અસદ્ વિચારસરણીની સખત શબ્દોમાં ટીકા કરી છે તેવા અજૈન વિદ્વાનોનો પણ તેઓ આદર મેળવી શક્યા છે તેનું કારણ પણ તેમની આ વિશાળ દૃષ્ટિ જ છે. પોતાના વ્યક્તિગત જીવનમાં પણ જૈનશાસનનો બચાવ કરવાના તેમના પ્રયત્નનો વિરોધ થયો હોવા છતાં પણ તેઓ આ વિશાળદૃષ્ટિ અને તાટસ્થ્યના કારણે જ સત્યપથ ઉપર ટકી રહ્યા હતા. પોતાના જીવનની વિદ્યાર્થી અવસ્થામાં ઉપાધ્યાયજી સમર્થ બૌદ્ધિક હતા, એટલે તે ગાળામાં રચાયેલ તેમની કૃતિઓમાં તાર્કિક પ્રચુરતા જોવા મળે છે અને તેમાં તેમની સમર્થ તાર્કિક પ્રતિભાનાં દર્શન થાય છે. આ અવસ્થાની કૃતિઓમાં બુદ્ધિની આક્રમકતા જોવા મળે છે. આગળ જતાં તેમના જીવનમાં એક ભૂમિકા એવી રચાય છે કે જ્યારે તેઓ બુદ્ધિના સ્તરેથી થતી પ્રખર બૌદ્ધિક દલીલોની વાત કરવાનું છોડીને અનુભવની કક્ષાએ આવી જાય છે. પાણી સમાન લૌકિક જ્ઞાન અને દૂધ સમાન શાસ્ત્રજ્ઞાન કરતાં પણ અમૃત સમાન અનુભવજ્ઞાનનું મહત્ત્વ ત્યાં વધી જાય છે. જ્ઞાનસારનું તત્ત્વદર્શન 136 Page #154 -------------------------------------------------------------------------- ________________ મોટે ભાગે એવું બને છે કે પ્રખર બૌદ્ધિક હોય તે સાધક હોવાની શક્યતા ઓછી હોય છે, અને જે સાધક હોય તેનામાં અનુભૂતિનું પ્રાધાન્ય હોવાના કારણે પ્રખર બોદ્ધિકતાનું તત્ત્વ ગૌણ બની જાય છે. ઉપાધ્યાય યશોવિજયજી જેવી પ્રતિભા ભાગ્યે જ જોવા મળે કે જે પૂર્વાવસ્થામાં પ્રખર બૌદ્ધિક હોય અને ઉત્તરાવસ્થામાં અનુભૂતિના માર્ગના પ્રવાસી હોય. તેમના આ અનુભૂતિના માર્ગના પાયામાં પ્રખર બૌદ્ધિકતા તો પડેલી જ છે એટલે તેમની ઉત્તરાવસ્થામાં અધ્યાત્મરસથી રસાયેલ કૃતિઓના પાયામાં બૌદ્ધિકતા હોવાથી આવી કૃતિઓનું મૂલ્ય ઘણું વધી જાય છે. પ્રખર દાર્શનિક શ્રી શંકરાચાર્યના સાહિત્યમાં પણ તત્ત્વનિષ્ઠા અને તાર્કિકતાની સાથે સાથે ભારોભાર ભક્તિ જોવા મળે છે અને તેથી જ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને અપાયેલ “જૈન સંપ્રદાયના શંકરાચાર્ય' તરીકેનું સ્થાન એકદમ સૂચક બની રહે છે. ઉપાધ્યાયજીની કેટલીક કૃતિઓમાં અન્ય મતોના ખંડનનો અભિગમ છે, અમુક કૃતિઓમાં વિવિધ મતોના સમન્વયની દૃષ્ટિ છે અને થોડીક કૃતિઓમાં સીધા સ્વીકારની જ વાત છે, જેમાં “જ્ઞાનસારનો સમાવેશ થાય છે. “જ્ઞાનસારમાં ખંડનાત્મક અભિગમ પણ નથી, સમન્વયનો પણ પ્રયાસ નથી, માત્ર પોતાને જે વાત સત્ય લાગી તેના સીધા સ્વીકારનું જ વલણ છે. કદાચ “હું શું છું ?' જેવા પ્રશ્નના જવાબની શોધનો પ્રયત્ન કરતાં, વિચારવલોણું કે મંથન કરતાં પોતાનું સહજ સ્વરૂપ મેળવવા માટે જે જે માર્ગો જરૂરી લાગ્યા તેનો માત્ર સ્વીકાર જ અહીંયાં છે, સ્વપરનો કોઈ ભેદ જ નથી. પોતે “સહજને કિનારે આવીને ઊભા અને જે દેખાયું કે અનુભવાયું તેની માત્ર અભિવ્યક્તિ જ અહીંયાં જોવા મળે છે. અનુભવના સાગરમાં ડૂબકી મારીને કરેલી આ રચનામાં માત્ર એક સાધકનો અભિગમ મુખ્ય છે. જે સાધક સાધના કરે છે તેનું જાણે ચિત્રણ કરતા હોય તેવા તેમના આ પ્રયત્નમાં કેફિયતથી કરેલી પોતાની અનુભવમૂલક રજૂઆત છે. જ્ઞાનસાર'માં તેમણે રજૂ કરેલ વિચારણાની વિશેષતાઓ આ પ્રમાણે નોંધી શકાય : સૌથી પહેલી વાત તો એ કે જૈન તત્ત્વજ્ઞાનના કોઈ સૈદ્ધાંતિક પાસાંઓ કે માત્ર તાત્વિક પ્રશ્નોની ચર્ચા વિચારણા, વિવેચન આ કૃતિમાં ક્યાંય ઉપસંહાર 137 Page #155 -------------------------------------------------------------------------- ________________ રજૂ થયાં નથી. સાધના અને અનુભૂતિની વાતો કરતાં કરતાં પ્રસંગોપાત્ત આવા મુદ્દાઓની રજૂઆત થયેલી છે તે જુદી વાત છે. ‘જ્ઞાનસાર ’માં શુદ્ધાત્માના સ્વરૂપ અંગે જે કંઈ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તેમાં જીવના અનંત ગુણચતુષ્ટયની પરંપરાગત રજૂઆતના બદલે શુદ્ધાત્મા જ્ઞાનસ્વરૂપ, પૂર્ણાનંદસ્વરૂપ, નિત્યતા, નિર્મળતા, સમાનતા, રૂપરહિતતા જેવા ગુણો ધરાવે છે તે વાત મૌલિક રીતે રજૂ થઈ છે. જીવ અને પુદ્ગલ વચ્ચે જે ભેદ છે તેનું જ્ઞાન હોવું સાધક માટે ખૂબ જરૂરી મનાયું છે. જીવને કર્મબંધન ન લાગે તે માટે કર્મની વિષમતાથી સભાન બનીને સમભાવપૂર્વક, સાક્ષીભાવે વર્તવું જરૂરી છે. સાધકના પોતાના જીવનમાં અવારનવાર જે અવરોધો આવ્યા કરે છે તે અવરોધો કે દોષો કેવા કેવા હોય છે અને આ અવરોધો કેમ ઓળંગી જવા, દોષોને કેમ દૂર કરવા તેનો વ્યવહારુ ખ્યાલ આવે તેવા શ્લોકો ‘જ્ઞાનસાર'માં ઠેરઠેર જોવા મળે છે. મોહ, આત્મપ્રશંસા, સ્પૃહા, સંસારસુખની ઘેલછા, કુતર્ક, ભય, અસ્થિરતા જેવા દોષો પ્રગતિના માર્ગમાં કેવી રીતે અવરોધક છે અને તે કેમ દૂર કરી શકાય તે રજૂઆતમાં સંવર અને નિર્જરાની જ વ્યવહારુ (practical) રજૂઆત થઈ છે. સાધનામાર્ગે આગળ વધતા સાધકના ગુણો અને સાધનામાર્ગમાં અનુભવ, પૂજા, તપ, ધ્યાન, નિયાગ વગેરેના મહત્ત્વનો ખ્યાલ આપણને ‘જ્ઞાનસારમાંથી પ્રાપ્ત થાય છે, ત્યારે આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે ‘જ્ઞાનસાર’એ ઉપાધ્યાયજીની સાધકો માટેની પરમ ભેટ છે. પોતાની રજૂઆતના સમર્થનમાં ઠેરઠેર તેઓ શાસ્ત્રોનાં અવતરણો આપે છે, ‘કહ્યું છે કે’ જણાવીને આધારો ટાંકે છે ત્યારે માત્ર પોતાની પ્રતીતિને આધારે જ નહીં, પણ ચકાસેલી બાબત, ‘verified truth' ૨જૂ ક૨વાની તેમની શૈલીનો આપણને ખ્યાલ આવે છે. માત્ર પોતાની જ પ્રતીતિને આધારે ૨જૂઆત થઈ હોય તો તે ભ્રાંત હોવાની શક્યતા રહે, પણ જ્યારે પોતાની પ્રતીતિને શાસ્ત્રનો આધાર પ્રાપ્ત થાય ત્યારે ઠોસ ભૂમિકા પરથી આ કૃતિ રચાયેલ છે તે હકીકત નિર્વિવાદ બની જાય છે. શાસ્ત્રના આધારો માટે તેમની દૃષ્ટિ બધેય ફરી વળે છે. પ્રાચીન જૈન આગમો, વિશાળ આગમેતર જૈન સાહિત્ય ઉપરાંત ‘ગીતા’, ‘ઉપનિષદ’ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 138 Page #156 -------------------------------------------------------------------------- ________________ જેવા જૈનેતર સાહિત્યની પણ વિચારણા સ્વીકારની જ તેમની વૃત્તિ સ્પષ્ટ બને છે. જ્યાંથી પણ સત્ય મળે તેના સીધા ‘જ્ઞાનસાર'માં ઉપમાઓની પ્રચુરતા જણાય છે છતાં તેમાંની પ્રત્યેક ઉપમા મર્મ તરફ દોરી જવા માટે ઉપયોગી હોઈને જ સ્થાન પામી છે. કેટલાય શ્લોકોમાં પક્ષીઓ, પ્રાણીઓ, પ્રાકૃતિક વાતાવરણનો ઉલ્લેખ પોતાની વાતને સમજાવવામાં થયેલો જોઈ શકાય છે, તેમાં તેમનું આસપાસનું પર્યાવરણનું સૂક્ષ્મ નિરીક્ષણ પણ જણાઈ આવે છે. એકવીસમા ‘કર્મવિપાકચિંતન-અષ્ટક'માં અને બાવીસમા ‘ભવોગઅષ્ટક'માં તેમની વર્ણનકલા અને સાહિત્યિક છટાનો પરિચય થાય છે, તો ત્રેવીસમા ‘લોકસંજ્ઞાત્યાગ-અષ્ટક'ની વિચારણા તેમની વિશિષ્ટ ૨જૂઆત બની રહે છે. પાંચમા ‘જ્ઞાન-અષ્ટક'માં, છઠ્ઠા ‘શમ-અષ્ટક'માં, આઠમા ‘ત્યાગઅષ્ટક'માં, સત્યાવીસમા ‘યોગ-અષ્ટક'માં, અઠ્યાવીસમા ‘નિયાગ-અષ્ટક’માં, ત્રીસમા ‘ધ્યાન-અષ્ટક'માં સંક્ષેપમાં પણ સચોટ રીતે ખૂબ ગહન વાતો આપણી સમક્ષ રજૂ થઈ છે, તો ઓગણત્રીસમું ‘પૂજા-અષ્ટક' સંપૂર્ણ ભક્તિભાવસભર છે. ઉપસંહારના શ્લોકોમાં આ ગ્રંથની રચનાથી પોતાને જે ઊર્ધ્વગતિ પ્રાપ્ત થઈ તેમાંથી અધઃપાત થવાની કોઈ શક્યતા નથી તે હકીકતની સ્પષ્ટ પ્રતીતિ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથની રચનાથી તથા તેના સેવનથી હૈયામાં પૂર્ણપણે વિવેક પ્રસર્યો છે, જેથી સારાસારનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે. ચારે બાજુ ધવલમંગલ પ્રસરી જવાથી હૃદયમાંથી મેલ નીકળીને ઊજળાપણું આવી ગયું છે. “આ ગ્રંથની રચનાથી પૂર્ણ આનંદઘન આત્માના ભાગ્ય જાગવાથી ચારિત્રરૂપી સ્ત્રી સાથે પાણિગ્રહણનો મહોત્સવ ઊજવાયો છે” એમ જ્યારે દર્શાવ્યું છે ત્યારે આત્મા અને ચારિત્રના મિલનની કબૂલાત કરી છે. ‘જ્ઞાનસાર'ની રચના કરતાં અખૂટ આનંદનો અનુભવ થયો છે, કારણ કે અત્યાર સુધી જે ચારિત્ર બહારનું લાગતું તે હવે આપ્યંતરમાં પણ પરિણમ્યું છે. પોતાના આટલા બધા ગ્રંથોમાં પણ ક્યાંક જ થયેલી અંતરંગ કબૂલાત અહીં સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતે જે અપ્રમત્તનગરમાં પ્રવેશ કર્યો છે ત્યાંથી પાછા ફરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. પોતે જે ઊંડાણને પામ્યા છે તે અનુભૂતિના ઉન્મેષો અહીં ખાસ નોંધપાત્ર છે. ઉપસંહાર 139 Page #157 -------------------------------------------------------------------------- ________________ વચગાળાના અમુક સમય દરમ્યાન તાર્કિક અને દાર્શનિક ગ્રંથોના અભ્યાસના અભાવે ઉપાધ્યાયજીના સાહિત્યનું પઠન-પાઠન વિરલ થઈ ગયું હોવા છતાં હવે તેમની કૃતિઓનો અભ્યાસ થવા પણ લાગ્યો છે. અભ્યાસીઓએ ઉપાધ્યાયજીનું સાહિત્ય અવશ્ય ચિંતન, મનન, નિદિધ્યાસન કરવા જેવું છે અને તેના દ્વારા અન્તસ્તોષ પામવા જેવો છે આટલું તો આ એક કૃતિના મર્યાદિત અભ્યાસને આધારે પણ સ્પષ્ટ જણાઈ આવે છે. જ્ઞાનસારનું તત્ત્વદર્શન 140 Page #158 -------------------------------------------------------------------------- ________________ “જ્ઞાનસાર અષ્ટક' - મૂળ શ્લોકો Page #159 -------------------------------------------------------------------------- ________________ Page #160 -------------------------------------------------------------------------- ________________ ऐन्द्रवृन्दनतं नत्वा, वीरं तत्त्वार्थदेशिनम् । अर्थः श्री ज्ञानसारस्थ, लिखिते लोकभाषया ।। (१) पूर्णाष्टकम् ऐन्द्रश्रीसुखमग्नेन, लीलालग्नमिवाजिलम् । सच्चिदानन्दपूर्णेन, पूर्णं जगदवेक्ष्यते ।।१।। पूर्णता या परोपाधेः, सा याचितकमण्डनम् । या तु स्वाभाविकी सैव, जात्यरत्नविभानिभा ।।२।। अवास्तवी विकल्पैः स्यात्, पूर्णताऽब्धेरिवोर्मिभिः । पूर्णानन्दस्तु भगवांस्तिमितोदधिसन्निभः ।।३।। जागर्ति ज्ञानदृष्टिश्चेत्, तृष्णाकृष्णाहिजाङ्गुली । पूर्णानन्दस्य तत् किं स्याद्, दैन्यवृश्चिकवेदना ।।४।। पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता । पूर्णानन्दसुधास्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ।।५।। अपूर्णः पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते । पूर्णानन्दस्वभावोऽयं, जगदद्भुतदायकः ।।६।। परस्वत्वकृतोन्माथा, भूनाथा न्यूनतेक्षिणः । स्वस्वत्वसुखपूर्णस्य, न्यूनता न हरेरपि ।।७।। कृष्णे पक्षे परिक्षीणे, शुक्ले च समुदञ्चति ।। द्योतन्ते सकलाध्यक्षाः, पूर्णानन्दविधोः कलाः ।।८।। 'नसार अष्ट' - भूण यो 143 Page #161 -------------------------------------------------------------------------- ________________ (२) मग्नाष्टकम् प्रत्याहृत्येन्द्रियव्यूह, समाधाय मनो निजम् । दधच्चिन्मात्रविश्रान्ति, मग्न इत्यभिधीयते ।।१।। यस्य ज्ञानसुधासिन्धौ, परब्रह्मणि मग्नता । विषयान्तरसंचारस्तस्य हालाहलोपमः ।।२।। स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिनः । कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ।।३।। परब्रह्मणि मग्नस्य श्लथा पौद्गलिकी कथा । क्वामी चामीकरोन्मादाः, स्फारा दारादरा: क्व च ।।४।। तेजोलेश्याविवृद्धिर्या, साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ, सेत्थंभूतस्य युज्यते ।।५।। ज्ञानमग्नस्य यच्छम, तद्वक्तुं नैव शक्यते । नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ।।६।। शमशैत्यपुषो यस्य, विप्रुषोऽपि महाकथा: । किं स्तुमो ज्ञानपीयूषे, तत्र सर्वाङ्गमग्नताम् ।।७।। यस्य दृष्टि: कृपावृष्टिगिरः शमसुधाकिरः । तस्मै नमः शुभज्ञान-ध्यानमग्नाय योगिने ।।८।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 144 . Page #162 -------------------------------------------------------------------------- ________________ (३) स्थिरताष्टकम् वत्स किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ।। १ ।। ज्ञानदुग्धं विनश्येत, लोभविक्षोभकूर्चकैः । अम्लद्रव्यादिवास्थैर्यादिति मत्वा स्थिरो भव ||२|| अस्थिरे हृदये चित्रा, वाङ्नेत्राकारगोपना । पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ||३|| अन्तर्गतं महाशल्यमस्थैर्यं यदि नोद्धृतम् । क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ।।४।। स्थिरता वाङ्मनःकायैर्येषामङ्गाङ्गितां गता 1 योगिनः समशीलास्ते, ग्रामेऽरण्ये दिवा निशि । । ५ । । स्थैर्यरत्नप्रदीपश्चेद्, दीप्रः संकल्पदीपजैः I तद्विकल्पैरलं धूमैरलं धूमैस्तथाऽऽस्रवैः ।।६।। उदीरयिष्यसि स्वान्तादस्थैर्यं पवनं यदि 1 समाधेर्धर्ममेघस्य, घटां विघटयिष्यसि 1 चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये । ८ ।। O 'ज्ञानसार अष्टटु' – भूण सोडो - 145 11611 Page #163 -------------------------------------------------------------------------- ________________ अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् । अयमेव हि नञ्पूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।। १ ।। (४) मोहत्यागाष्टकम् शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो गुणो मम I नान्योऽहं न ममान्ये, चेत्यदो मोहास्त्रमुल्बणम् ।।२।। यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु । आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते ||३|| पश्यन्नेव परद्रव्यनाटकं प्रतिपाटकम् भवचक्रपुरस्थोऽपि नामूढः परिखिद्यति विकल्पचषकैरात्मा, पीतमोहासवोह्ययम् भवोच्चतालमुत्तालप्रपञ्चमधितिष्ठति स्फटिकस्येव, सहजं रूपमात्मनः 1 अध्यस्तोपाधिसंबन्धो, जडस्तत्र विमुह्यति निर्मलं अनारोपसुखं मोहत्यागादनुभवन्नपि आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् 146 I ।।४।। I ।।५। I यश्चिद्दर्पणविन्यस्तसमस्ताचारचारूधी: क्व नाम स परद्रव्येऽनुपयोगिनि मुह्यति ॥ ८ ॥ જ્ઞાનસારનું તત્ત્વદર્શન ।।६।। 1 11611 Page #164 -------------------------------------------------------------------------- ________________ विष्टायामिव शूकरः मज्जत्यज्ञः किलाज्ञाने, ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे । । १ । । (५) ज्ञानाष्टकम् 1 निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ।।२।। ज्ञानमिष्यते स्वभावलाभसंस्कारकारणं ध्यान्ध्यमात्रमतस्त्वन्यत्, तथा चोक्तं महात्मना ।।३।। वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ||४|| स्वद्रव्यगुणपर्यायचर्या वर्या पराऽन्यथा I इति दत्तात्मसंतुष्टिर्मुष्टिज्ञानस्थितिर्मुनेः पीयूषमसमुद्रोत्थं, अनन्यापेक्षमैश्वर्यं, अस्ति चेद् ग्रन्थिभिज्ज्ञानं, किं चित्रैस्तन्त्रयन्त्रणैः । प्रदीपाः क्वोपयुज्यन्ते, तमोघ्नी दृष्टिरेव चेत् ||६|| मिथ्यात्वशैलपक्षच्छिद्, ज्ञानदम्भोलिशोभितः । निर्भयः शक्रवद् योगी, नन्दत्यानन्दनन्दने ॥ ७ ॥ ** ।।५।। रसायनमनौषधम् 1 ज्ञानमाहुर्मनीषिणः ‘જ્ઞાનસાર અષ્ટક’ – મૂળ શ્લોકો 147 ||८|| Page #165 -------------------------------------------------------------------------- ________________ (६) शमाष्टकम् विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बन: सदा । ज्ञानस्य परिपाको यः, स शमः परिकीर्तितः ।।१।। अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन य: पश्येदसौ मोक्षं गमी शमी ।।२।। आरुरुक्षुर्मुनिर्योगं, श्रयेद् बाह्यक्रियामपि । योगारूढः शमादेव, शुध्यत्यन्तर्गतक्रियः ।।३।। ध्यानवृष्टेर्दयानद्याः, शमपूरे प्रसर्पति । विकारतीरवृक्षाणां, मूलादुन्मूलनं भवेत् ।।४।। ज्ञानध्यानतप:शीलसम्यक्त्वसहितोऽप्यहो । तं नाप्नोति गुणं साधुर्यमाप्नोति शमान्वितः ।।५।। स्वयंभूरमणस्पर्द्धिवर्धिष्णुसमतारस: मुनिर्येनोपमीयेत कोऽपि नासौ चराचरे ।।६।। शमसूक्तसुधासिक्तं, येषां नक्तंदिनं मनः । कदापि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ।।७।। गर्जज्ज्ञानगजोत्तुङ्गरङ्गद्ध्यानतुरंगमाः जयन्ति मुनिराजस्य शमसाम्राज्यसंपदः ।।८।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન ___ 148 Page #166 -------------------------------------------------------------------------- ________________ (७) इन्द्रियजयाष्टकम् बिभेषि यदि संसाराद्, मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ।।१।। वृद्धास्तृष्णाजलापूर्णैरालवालैः किलेन्द्रियैः 1 मूर्च्छामतुच्छां यच्छन्ति, विकारविषपादपाः ।।२।। सरित्सहस्रदुष्पूरसमुद्रोदरसोदरः I तृप्तिमान् नेन्द्रियग्रामो भव तृप्तोऽन्तरात्मना ||३|| , आत्मानं विषयैः पाशैर्भववासपराङ्मुखम् । इन्द्रियाणि निबध्नन्ति मोहराजस्य किंकराः ||४|| गिरिमृत्स्नां धनं पश्यन्, धावतीन्द्रियमोहितः । अनादिनिधनं ज्ञानधनं पार्श्वे न पश्यति ।।५।। पुरः पुरः स्फुरत्तृष्णा, मृगतृष्णानुकारिषु 1 इन्द्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः ।।६।। पतङ्गभृङ्गमीनेभसारङ्गा यान्ति दुर्दशाम् । एकैकेन्द्रियदोषाच्चेद्, दुष्टैस्तैः किं न पञ्चभिः ।।७।। विवेकद्वीपहर्यक्षैः समाधिधनतस्करै: 1 इन्द्रियैर्यो न जितोऽसौ धीराणां धुरि गण्यते । । ८ । । 'ज्ञानसार अष्टटु' – भूण सोडो 149 Page #167 -------------------------------------------------------------------------- ________________ (८) त्यागाष्टकम् संयतात्मा श्रये शुद्धोपयोगं पितरं निजम् । धृतिमम्बां च पितरौं, तन्मां विसृजतं ध्रुवम् ।।१।। युष्माकं संगमोऽनादिर्बन्धवोऽनियतात्मनाम् । ध्रुवैकरूपान् शीलादिबन्धूनित्यधुना' 'श्रये ।।२।। कान्ता मे समतैवैका, ज्ञातयो मे समक्रिया: । बाह्यवर्गमिति त्यक्त्वा, धर्मसंन्यासवान् भवेत् ।।३।। धर्मास्त्याज्या: सुसंगोत्था:, क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभ, धर्मसंन्यासमुत्तमम् ।।४।। - प्राप्य UTस्स गुरुत्वं स्वस्य नोदेति शिक्षासात्म्येन यावता । आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो' 'गुरुत्तमः ।।५।। " र ज्ञानाचारादयोऽपीष्टा:, शुद्धस्वस्वपदावधि । निर्विकल्पे पुनस्त्यागे, न विकल्पो न वा क्रिया ।।६।। योगसंन्यासतस्त्यागी, योगानप्यनिलांस्त्यजेत् । इत्येवं निर्गुणं ब्रह्म, परोक्तमुपपद्यते ।।७।। वस्तुतस्तु गुणैः पूर्णमनन्तैर्भासते स्वतः । रूपं त्यक्तात्मन: साधोर्निरभ्रस्य विधोरिव ।।८।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન ..., 150 . . Page #168 -------------------------------------------------------------------------- ________________ (९) क्रियाष्टकम् ज्ञानी क्रियापर: शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः, परांस्तारयितुं क्षमः ।।१।। क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् । गतिं विना पथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम् ।।२।। स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । प्रदीप: स्वप्रकाशोऽपि, तैलपूर्त्यादिकं यथा ।।३।। बाह्यभावं पुरस्कृत्य, ये क्रियां व्यवहारतः । वदने कवलक्षेप, विना ते तृप्तिकाक्षिणः ।।४।। गुणवबहुमानादेर्नित्यस्मृत्या च सत्क्रिया । जातं न पातयेद् भावमजातं जनयेदपि ।।५।। क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुन: ।।६।। गुणवृद्ध्यै तत: कुर्यात्, क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं, जिनानामवतिष्ठते ।।७।। वचोऽनुष्ठानतोऽसङ्गक्रियासंगतिमङ्गति । सेयं जानक्रियाऽभेदभूमिरानन्दपिच्छला ।।८।। "शनसार अष्ट' – भूण दोओ Page #169 -------------------------------------------------------------------------- ________________ (१०) तृप्त्यष्टकम् पीत्वा ज्ञानामृतं भुक्त्वा, क्रियासुरलताफलम् । साम्यताम्बूलमास्वाद्य, तृप्तिं यान्ति परां मुनिः ।।१।। स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी । ज्ञानिनो विषयैः किं, तैर्यैर्भवेत्तृप्तिरित्वरी ।।२।। या शान्तैकरसास्वादाद, भवेत् तृप्तिरतीन्द्रिया । सा न जिह्वेन्द्रियद्वारा, षड्रसास्वादनादपि ।।३।। संसारे स्वप्नवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी । तथ्या तु भ्रान्तिशून्यस्य, साऽऽत्मवीर्यविपाककृत् ।।४।। पुद्गलै: पुद्गलास्तृप्तिं, यान्त्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन्न युज्यते ।।५।। मधुराज्यमहाशाकाग्राह्ये बाह्ये च गोरसात् । परब्रह्मणि तृप्तिर्या, जनास्तां जानतेऽपि न ।।६।। विषयोर्मिविषोद्गारः स्यादतृप्तस्य पुद्गलैः ।। ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गारपरम्परा ।।७।। सुखिनो विषयातृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः ।।८।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 152 Page #170 -------------------------------------------------------------------------- ________________ (११) निर्लेपाष्टकम् संसारे निवसन् स्वार्थसज्ज: कज्जलवेश्मनि । लिप्यते निखिलो लोकः, ज्ञानसिद्धो न लिप्यते ।।१।। नाहं पुद्गलभावानां, कर्ता कारयिताऽपि च । नानुमन्ताऽपि चैत्यात्मज्ञानवान् लिप्यते कथम् ।।२।। लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रव्योमाञ्जनेनेव, ध्यायन्निति न लिप्यते ।।३।। लिप्तताज्ञानसंपातप्रतिघाताय केवलम् । निर्लेपज्ञानमग्नस्य, क्रिया सर्वोपयुज्यते ।।४।। तप:श्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । भावनाज्ञानसंपन्नो, निष्क्रियोऽपि न लिप्यते ।।५।। अलिप्तो निश्चयेनात्मा, लिप्तश्च व्यवहारतः । शुद्धयत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तया दृशा ।।६।। ज्ञानक्रियासमावेशः, सहैवोन्मीलने द्वयोः । भूमिकाभेदतस्त्वत्र, भवेदेकैकमुख्यता ।।७।। सज्ञानं यदनुष्ठानं, न लिप्तं दोषपङ्कतः । शुद्धबुद्धस्वभावाय, तस्मै भगवते नमः ।।८।। 'नसार अष्ट' - भूण Paisa 153 Page #171 -------------------------------------------------------------------------- ________________ (१२) निःस्पृहाष्टकम् , स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्यसंपन्नो, निःस्पृहो जायते मुनिः ॥ | १ || संयोजितकरैः के के, प्रार्थ्यन्ते न स्पृहावहैः । अमात्रज्ञानपात्रस्य, निःस्पृहस्य तृणं जगत् ||२|| छिन्दन्ति ज्ञानदात्रेण, स्पृहाविषलतां बुधाः I मुखशोषं च मूर्च्छा च, दैन्यं यच्छति यत्फलम् ।।३।। निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद् बहिः । अनात्मरतिचाण्डालीसंगमङ्गीकरोति या ।।४।। स्पृहावन्तो विलोक्यन्ते लघवस्तृणतूलवत् । महाश्चर्यं तथाप्येते, मज्जन्ति भववारिधौ ||५|| गौरवं पौरवन्द्यत्वात्, प्रकृष्टत्वं प्रतिष्ठया । ख्याति जातिगुणात् स्वस्य, प्रादुष्कुर्यान्न निःस्पृहः ||६|| भूशय्या भैक्षमशनं, जीर्णं वासो गृहं वनम् । तथाऽपि निःस्पृहस्याहो, चक्रिणोऽप्यधिकं सुखम् ॥१७॥ परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ ८ ।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન Page #172 -------------------------------------------------------------------------- ________________ (१३) मौनाष्टकम् मन्यते या जगत्तत्त्व, स मुनिः परिकीर्तितः । सम्यकत्वमेव तन्मौनं, मौनं सम्यकत्वमेव वा ।।१।। आत्माऽऽत्मन्येव यच्छुद्धं, जानात्यात्मानमात्मना । सेयं रत्नत्रये ज्ञप्तिरूच्याचारिकता मुनेः ॥२॥ 1 चारित्रमात्मचरणाद्, ज्ञानं वा दर्शनं मुनेः । शुद्धज्ञाननये साध्यं क्रियालाभात क्रियानये || ३ || यतः प्रवृत्तिर्न मणौ लभ्यते वा न तत्फलम् । अतात्त्विकी मणिज्ञप्तिर्मणिश्रद्धा च सा यथा ||४ || तथा यतो न शुद्धात्मस्वभावाचरणं भवेत् । फलं दोषनिवृत्तिर्वा न तज्ज्ञानं न दर्शनम् ||५|| यथा शोफस्य पुष्टत्वं, यथा वा वध्यमण्डनम् । तथा जानन् भवोन्मादमात्मतृप्तो मुनिर्भवेत् ।।६।। सुलभं वागनुच्चारं, मौनमेकेन्द्रियेष्वपि 1 पुद्गलेष्वप्रवृत्तिस्तु, 'योगांना मौनमुत्तमम् ।।७।। ज्योतिर्मयीव दीपस्य, क्रिया सर्वाऽपि चिन्मयी । यस्यानन्यस्वभावस्य तस्य मौनमनुत्तरम् 1 ‘જ્ઞાનસાર અષ્ટક' – મૂળ શ્લોકો 155 ।।८।। Page #173 -------------------------------------------------------------------------- ________________ (१४) विद्याष्टकम् नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु । अविद्या तत्त्वधीविद्या, योगाचार्यै: प्रकीर्तिता ।।१।। यः पश्येन्नित्यमात्मानमनित्यं परसंगमम् । छलं लब्धुं न शक्नोति, तस्य मोहमलिम्लुच: ।।२।। तरङ्गतरला. लक्ष्मीमायुर्वायुवदस्थिरम् । अदभ्रधीरनुध्यायेदभ्रवद् भगुरं वपुः ।।३।। शुचीन्यप्यशुचीकर्तुं, समर्थेऽशुचिसंभवे ।.. देहे जलादिना शौचभ्रमो मूढस्य दारुण: ।।४।। यः स्नात्वा समताकुण्डे, हित्वा कश्मलजं मलम् । पुनर्न याति मालिन्यं, सोऽन्तरात्मा पर: शुचिः ।।५।। आत्मबोधो नवः पाशो, देहगेहधनादिषु । यः क्षिप्तोऽप्यात्मना तेषु स्वस्य बन्धाय जायते ।।६।। मिथोयुक्तपदार्थानामसंक्रमचमत्क्रिया चिन्मात्रपरिणामेन, विदुषैवानुभूयंते विमाना ।७।। अविद्यातिमिरध्वंसे, दृशा विद्याञ्जनस्पृशा । पश्यन्ति परमात्मानमात्मन्येव हि योगिनः ।।८।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 156 Page #174 -------------------------------------------------------------------------- ________________ (१५) विवेकाष्टकम् कर्म जीवं च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् । विभिन्नीकुरुते योऽसौ, मुनिहंसो विवेकवान् ।।१।। देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभो भवे । भवकोट्याऽपि तद्भेदविवेकस्त्वतिदुर्लभः ।।२।। शुद्धेऽपि व्योम्नि तिमिराद्, रेखाभिर्मिश्रता यथा । विकारैर्मिश्रता भाति, तथाऽत्मन्यविवेकत: ।।३।। यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते । शुद्धात्मन्यविवेकेन, कर्मस्कन्धोर्जितं तथा ।।४।। इष्टकाद्यपि हि स्वर्णं, पीतोन्मत्तो यथेक्षते । आत्माऽभेदभ्रमस्तद्वद्, देहादावविवेकिनः ।।५।। इच्छन् न परमान भावान्, विवेकाने: पतत्यधः । परमं भावमन्विच्छन्, नाविवेके निमज्जति ।।६।। आत्मन्येवात्मन: कुर्यात् य: षट्कारकसंगतिम् । क्वाविवेकज्वरस्यास्य, वैषम्यं जडमज्जनात् ।।७।। संयमास्त्र विवेकेन, शाणेनोत्तेजितं मुनेः । धृतिधारोल्बणं कर्मशत्रुच्छेदक्षमं भवेत् ।।८।। 'धनपर अट' - भूण eisi 157 Page #175 -------------------------------------------------------------------------- ________________ (१६) माध्यस्थ्याष्टकम् स्थीयतामनुपालम्भ, मध्यस्थेनान्तरात्मना ।। कुतर्ककर्करक्षेपैस्त्यज्यतां बालचापलम् ।।१।। मनोवत्सो युक्तिगवीं, मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन, तुच्छाग्रहमन:कपिः ।।२।। नयेषु स्वार्थसत्येषु, मोघेषु परचालने । .. समशीलं मनो यस्य, स मध्यस्थो महामुनिः ।।३।। स्वस्वकर्मकृतावेशाः, स्वस्वकर्मभुजो नराः । न रागं नापि च द्वेष, मध्यस्थस्तेषु गच्छति ।।४।। मनः स्याद् व्यापृतं यावत्, परदोषगुणग्रहे ।। कार्यं व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने ।।५।। विभिन्ना अपि पन्थान:, समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ।।६।। स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् । . न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा ।।७।। मध्यस्थया दृशा सर्वेष्वपुनर्बन्धकादिषु । चारिसंजीविनीचारन्यायादाशास्महे हितम् ।।८।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 158 Page #176 -------------------------------------------------------------------------- ________________ (१७) निर्भयाष्टकम् यस्य नास्ति परापेक्षा, स्वभावाद्वैतगामिनः । । तस्य किं न भयभ्रान्तिक्लान्तिसन्तानतानवम् ।।१।। भवसौख्येन ... किं. भूरिभयज्वलनभस्मना । सदा भयोज्झितज्ञानसुखमेव विशिष्यते ।।२।। न गोप्यं क्वापि नारोप्यं, हेयं देयं च न क्वचित् । क्व भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यत: ।।३।। एकं ब्रह्मास्त्रमादाय, निघ्नन् मोहचमूं मुनिः ।। बिभेति नैव संग्रामशीर्षस्थ इव नागराट् ।।४।। मयूरी ज्ञानदृष्टिश्चेत्, प्रसर्पति मनोवने । वेष्टनं भयसर्पाणां, न तदाऽऽनन्दचन्दने ।।५।। कृतमोहास्त्रवैफल्यं, ज्ञानवर्म बिभर्ति यः ।। क्व भीस्तस्य क्व वा भङ्गः, कर्मसंगरकेलिषु ।।६।। तूलवल्लघवो मूढा, भ्रमन्त्यभ्रे भयानिलैः । नैकं रोमापि तैर्ज्ञानगरिष्ठानां तु कम्पते ।।७।। चित्ते परिणतं यस्य चारित्रमकुतोभयम् । अखण्डज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् ।।८।। 'शानसार अष्ट' - भूग eist 159 Page #177 -------------------------------------------------------------------------- ________________ (१८) अनात्मशंसाष्टकम् गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्मप्रशंसया ।।१।। श्रेयोद्रुमस्य मूलानि, स्वोत्कर्षाम्भ:प्रवाहतः । पुण्यानि प्रकटीकुर्वन्, फलं किं समवाप्स्यसि ? ।।२।। आलम्बिता हिताय, स्युः परैः स्वगुणरश्मयः । अहो स्वयं गृहीतास्तु, पातयन्ति भवोदधौ ।।३।। उच्चत्वदृष्टिदोषोत्थस्वोत्कर्षज्वरशान्तिकम् । पूर्वपुरुषसिंहेभ्यो, भृशं नीचत्वभावनम् ।।४।। शरीररूपलावण्यग्रामारामधनादिभिः उत्कर्षः परपर्यायश्चिदानन्दघनस्य कः ? ।।५।। शुद्धा: प्रत्यात्मसाम्येन, पर्याया: परिभाविता: । अशुद्धाश्चापकृष्टत्वाद्, नोत्कर्षाय महामुनेः ।।६।। क्षोभं गच्छन् समुद्रोऽपि, स्वोत्कर्षपवनेरितः । गुणौघान् बुद्बुदीकृत्य, विनाशयसि किं मुधा ? ।।७।। निरपेक्षानवच्छिन्नानन्तचिन्मात्रमूर्तयः योगिनो गलितोत्कर्षापकर्षानल्पकल्पना: ।।८।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 160 Page #178 -------------------------------------------------------------------------- ________________ (१९) तत्त्वदृष्टि-अष्टकम् रूपे रूपवती दृष्टिदृष्ट्वा रूपं विमुह्यति । मज्जत्यात्मनि नीरूपे, तत्त्वदृष्टिस्त्वरूपिणी ।।१।। भ्रमवाटी बहिर्दृष्टिभ्रमच्छाया तदीक्षणम् । अभ्रान्तस्तत्त्वदृष्टिस्तु, नास्यां शेते सुखाशया ।।२।। ग्रामारामादि मोहाय, यद् दृष्टं बाह्यया दृशा । तत्त्वदृष्ट्या तदेवान्तर्नीतं वैराग्यसंपदे ।।३।। बाह्यदृष्टे: सुधासारघटिता भाति सुन्दरी । तत्त्वदृष्टेस्तु साक्षात् सा, विण्मूत्रपिठरोदरी ।।४।। लावण्यलहरीपुण्यं, वपुः पश्यति बाह्यदृग् । तत्त्वदृष्टि: श्वकाकानां, भक्ष्यं कृमिकुलाकुलम् ।।५।। गजाश्वर्भूपभवनं विस्मयाय बहिर्दशः । तत्राश्वेभवनात् कोऽपि, भेदस्तत्त्वदृशस्तु न ।।६।। भस्मना केशलोचेन, वपु¥तमलेन वा । महान्तं बाह्यदृग् वेत्ति, चित्साम्राज्येन तत्त्ववित् ।।७।। न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः । स्फुरत्कारुण्यपीयूषवृष्टयस्तत्त्वदृष्टयः ।।८।। 'नसार अष्ट' - भूण होओ 161 Page #179 -------------------------------------------------------------------------- ________________ (२०) सर्वसमृद्धयष्टकम् . बाह्यदृष्टिप्रचारेषु, मुद्रितेषु महात्मनः । अन्तरेवावभासन्ते, स्फुटाः सर्वाः समृद्धयः ।।१।। समाधिर्नन्दनं धैर्य, दम्भोलि: समता शची । ज्ञानं महाविमानं च, वासवश्रीरियं मुनेः ।।२।। विस्तारितक्रियाज्ञानचर्मच्छत्रो निवारयन् ।। मोहम्लेच्छमहावृष्टि, चक्रवर्ती न किं मुनि: ? ।।३।। नवब्रह्मसुधाकुण्डनिष्ठाधिष्ठायको मुनिः । नागलोकेशवद् भाति, क्षमां रक्षन् प्रयत्नतः ।।४।। मुनिरध्यात्मकैलाशे, विवेकवृषभस्थितः । शोभते विरतिज्ञप्तिगङ्गागौरीयुतः शिवः ।।५।। ज्ञानदर्शनचन्द्रार्कनेत्रस्य नरकच्छिदः । सुखसागरमग्नस्य, किं न्यूनं योगिनो हरेः ।।६।। या सृष्टिर्बह्मणो बाह्या, बाह्यापेक्षावलम्बिनी । मुनेः परानपेक्षाऽन्तर्गुणसृष्टिः ततोऽधिका ।।७।। रत्नस्त्रिभिः पवित्रा या, स्रोतोभिरिव जाह्नवी । सिद्धयोगस्य साऽप्यर्हत्पदवी न दी ८। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 162 Page #180 -------------------------------------------------------------------------- ________________ (२१) कर्मविपाकचिन्तनाष्टकम् दुखं प्राप्य न दीन: स्यात्, सुखं प्राप्य च विस्मितः । मुनिः कर्मविपाकस्य, जानन परक्शं जयत् ।।१।। येषां भूभङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भूपैभिक्षाऽपि नाप्यते ।।२।। जातिचातुर्यहीनोऽपि, कर्मण्यभ्युदयावहे । क्षणाद् रङ्कोऽपि राजा स्यात्, छत्रछन्नदिगन्तरः ।।३।। विषमा कर्मणः सृष्टिर्दष्टा करभपृष्ठवत् । जात्यादिभूतिवैषम्यात् का रतिस्तत्र योगिनः ।।४।। आरूढाः प्रशमश्रेणिं श्रुतकेवलिनोऽपि च । भ्राम्यन्तेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा ।।५।। अर्वाक् सर्वाऽपि सामग्री, श्रान्तेव परितिष्ठति । विपाकः कर्मण: कार्यपर्यन्तमनुधावति ।।६।। असावचरमावर्ते, धर्म हरति पश्यतः । चरमावर्तिसाधोस्तु, छलमन्विष्य हृष्यति ॥७॥ .. साम्यं बिभर्ति य: कर्मविपाकं हृदि चिन्तयन् । स एव स्याच्चिदानन्दमकरन्दमधुव्रतः ।।८।। 'AHIR अष्ट' – भूण होओ 163 Page #181 -------------------------------------------------------------------------- ________________ (२२) भवोद्वेगाष्टकम् यस्य गम्भीरमध्यस्याज्ञानवज्रमयं तलम् T रुद्धा व्यसनशैलोघैः, पन्थानो यत्र दुर्गमाः । । १ । । पातालकलशा यत्र, भृतास्तृष्णामहानिलैः कषायाद्रित्तसंकल्पवेलावृद्धिं वितन्वते स्मरौर्वाग्निर्ज्वलत्यन्तर्यत्र स्नेहेन्धनः सदा घोररोगशोकादिमत्स्यकच्छपसंकुलः यो 1 ।।२।। दुर्बुद्धिमत्सरद्रोहैर्विद्युदुर्वातगर्जितैः 1 यत्र सांयात्रिका लोकाः, पतन्त्युत्पातसंकटे ||४|| 1 ।।३।। ज्ञानी तस्माद् भवाम्भोधेर्नित्योद्विग्नोऽतिदारुणात् । तस्य संतरणोपायं सर्वयत्नेन काङ्क्षति ।।५।। तैलपात्रधरो यद्वद्, राधावेधोद्यतो यथा I क्रियास्वनन्यचित्तः स्याद्, भवभीतस्तथा मुनिः ।। ६ ।। विषं विषस्य वह्नेश्च वह्निरेव यदौषधम् । , तत् सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भी: ।।७।। स्थैर्यं भवभयादेव, व्यवहारे मुनिर्व्रजेत् । स्वात्मारामसमाधौ तु तदप्यन्तर्निमज्जति ।। ८ ।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 164 Page #182 -------------------------------------------------------------------------- ________________ (२३) लोकसंज्ञात्यागाष्टकम् प्राप्त: षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलङ्घनम् । लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तरस्थिति: ।।१।। यथा चिन्तामणिं दत्ते, बठरो बदरीफलैः । हहा जहाति सद्धर्म, तथैव जनरञ्जनैः ।।२।। लोकसंज्ञामहानद्यामनुस्रोतोऽनुगा न के । . प्रतिस्रोतोऽनुगस्त्वेको, राजहंसो महामुनिः ।।३।। लोकमालम्ब्य कर्तव्यं, कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो, न त्याज्य: स्यात् कदाचन ।।४।। श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे न च । स्तोका हि रत्नवणिज: स्तोकाश्च स्वात्मसाधका: ।।५।। लोकसंज्ञाहता हन्त, नीचैर्गमनदर्शनैः । शंसयन्ति स्वसत्यांगमर्मघातमहाव्यथाम् ।।६।। आत्मसाक्षिकसद्धर्मसिद्धौ किं लोकयात्रया । तत्र प्रसन्नचन्द्रश्च भरतश्च निदर्शने ।।७।। लोकसंज्ञोज्झित: साधुः, परब्रह्मसमाधिमान् । सुखमास्ते गतद्रोहममतामत्सरज्वरः ।।८।। 'नसार अष्ट' - भूण मोडी 165 Page #183 -------------------------------------------------------------------------- ________________ (२४) शास्त्राष्टकम् चर्मचक्षुभृतः सर्वे देवादावधिचक्षुषः । सर्वतद्रक्षुषः सिद्धाः, साधवः शास्त्रचक्षुषः ।।१।। पुर:स्थितानिवोधिस्तिर्यग्लोकविवर्तिनः । सर्वान् भावानवेक्षन्ते, ज्ञानिन: शास्त्रचक्षुषा ।।२।। शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य, तत्तु नान्यस्य कस्यचित् ।।३।। शास्त्रे पुरस्कृते तस्माद्, वीतराग: पुरस्कृत: । पुरस्कृते पुनस्तस्मिन्, नियमात् सर्वसिद्धयः ।।४।। अदृष्टार्थेऽनुधावन्तः, शास्त्रदीपं विना जडाः । प्राप्नुवन्ति परं खेदं, प्रस्खलन्त: पदे पदे ।।५।। शुद्धोछाद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम् । भौतहन्तुर्यथा तस्य, पदस्पर्शनिवारणम् ।।६।। अज्ञानाहिमहामन्त्रं, स्वाच्छन्द्यज्वरलङ्घनम् । धर्मारामसुधाकुल्यां, शास्त्रमाहुर्महर्षयः ।।७।। शास्त्रोक्ताचारकर्ता च, शास्त्रज्ञः शास्त्रदेशकः । शास्त्रैकदृग महायोगी, प्राप्नोति परमं पदम् ।।८।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 166 Page #184 -------------------------------------------------------------------------- ________________ (२५) परिग्रहाष्टकम् न परावर्तते राशेर्वक्रतां जातु नोज्झति । परिग्रहग्रहः कोऽयं, विडम्बितजगत्त्रयः ।।१।। परिग्रहग्रहावेशाद् दुर्भाषितरजःकिराम् । श्रूयन्ते विकृता: किं न, प्रलापा लिङ्गिनामपि ।।२।। यस्त्यक्त्वा तृणवद् बाह्यमान्तरं च परिग्रहम् । उदास्ते तत्पदाम्भोजं, पर्युपास्ते जगत्त्रयी ।।३।। चित्तेऽन्तर्ग्रन्थगहने बहिर्निग्रन्थता वृथा । त्यागात्कञ्चकमात्रस्य, भुजगो न हि निर्विषः ।।४।। त्यक्ते परिग्रहे साधोः, प्रयाति सकलं रजः । पालित्यागे क्षणादेव, सरस: सलिलं यथा ।।५।। त्यक्तपुत्रकलत्रस्य, मूर्छा मुक्तस्य योगिनः । चिन्मात्रप्रतिबद्धस्य, का पुद्गलनियन्त्रणा ।।६।। चिन्मात्रदीपको गच्छेद्, निर्वातस्थानसंनिभैः । निष्परिग्रहतास्थैर्य, धर्मोपकरणैरपि ।।७।। मूछिन्नधियां सर्वं, जगदेव परिग्रहः । मूर्च्छया रहितानां तुं, जगदेवापरिग्रहः ।।८।। 'ura अष्ट' - भूग यो 167 Page #185 -------------------------------------------------------------------------- ________________ (२६) अनुभवाष्टकम् सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् । बुधैरनुभवो दृष्टः, केवलार्कारुणोदयः ।।१।। व्यापार: सर्वशास्त्राणां, दिक्प्रदर्शन एव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ।।२।। अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि, न गम्यं यद् बुधा जगुः ।।३।। ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः । कालेनैतावता प्राज्ञैः, कृत: स्यात् तेषु निश्चयः ।।४।। केषां न कल्पनादर्वी, शास्त्रक्षीरान्नगाहिनी । विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ।।५।। पश्यतु ब्रह्म निर्द्धन्र्द्व, निर्द्वन्द्वानुभवं विना । कथं लिपीमयी दृष्टिर्वाङ्मयी वा मनोमयी ।।६।। न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवो दशा ।।७।। अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः । स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ।।८।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 168 Page #186 -------------------------------------------------------------------------- ________________ (२७) योगाष्टकम् मोक्षेण योजनाद् योग:, सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवार्थालम्बनैकाग्र्यगोचरः ।।१।। कर्मयोगद्वयं तत्र, ज्ञानयोगत्रयं विदुः । विरतेष्वेव नियमाद्, बीजमात्रं परेष्वपि ।।२।। कृपानिर्वेदसंवेगप्रशमोत्पत्तिकारिण: भेदाः प्रत्येकमत्रेच्छाप्रवृत्तिस्थिरसिद्धय: ।।३।। इच्छा तद्वत्कथाप्रीतिः, प्रवृत्तिः पालनं परम् । स्थैर्य बाधकभीहानि:, सिद्धिरन्यार्थसाधनम् ।।४।। अर्थालम्बनयोश्चैत्यवन्दनादौ विभावनम् । श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च ।।५।। आलम्बनमिह ज्ञेयं, द्विविधं रुप्यरूपि च । अरूपिगुणसायुज्ययोगोऽनालम्बनः परः ।।६।। प्रीति-भक्ति-वचो-ऽसंगैः, स्थानाद्यपि चतुर्विधम् । तस्मादयोगयोगाप्तेर्मोक्षयोग: क्रमाद्भवेत् ।।७।। स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि । सूत्रदाने महादोष, इत्याचार्याः प्रचक्षते ।।८।। 'शनसार अष्ट:'.- भूण सोडो 169 Page #187 -------------------------------------------------------------------------- ________________ (२८) नियागाष्टकम् य: कर्म हुतवान् दीप्ते, ब्रह्माग्नौ ध्यानधाय्यया । स निद्रितेन यामेन, नियागप्रतिपत्तिमान् ।।१। पापध्वंसिनि निष्कामे, ज्ञानयजे रतो भव । सावधैः कर्मयज्ञैः किं, भूतिकामनयाऽऽविलैः ।।२।। वेदोक्तत्वान्मन:शुद्ध्या, कर्मयज्ञोऽपि योगिनः । ब्रह्मयज्ञ इतीच्छन्त:, श्येनयागं त्यजन्ति किम् ।।३।। ब्रह्मयज्ञ: परे कर्म, गृहस्थस्थाधिकारिणः । पूजादि वीतरागस्य, ज्ञानमेव तु योगिनः ।।४।। भिन्नोद्देशेन चिहितं, कर्म कर्मक्षयाक्षमम् । क्लुप्तभिन्नाधिकारं च पुढेष्ट्यादिवदिष्यताम् ।।५।। ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम् । ब्रह्माग्नौ कर्मणो युक्तं, स्वकृतत्वस्मये हुते ।।६।। ब्रह्मण्यर्पितसर्वस्वो, ब्रह्मदृग् ब्रह्मसाधनः । ब्रह्मणा जुहृदब्रह्म, ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ।।७।। ब्रह्माध्ययननिष्ठावान, परब्रह्मसमाहितः । ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ।।८।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 17) Page #188 -------------------------------------------------------------------------- ________________ (२९) पूजाष्टकम् दयाम्भसा कृतस्नानः, संतोषशुभवस्त्रभृत् 1 विवेकतिलकाजी, भानापानाशय: भक्तिश्रद्धानघुसणोन्मिश्रपाटीरजद्रवैः नवब्रह्माज्तो देवं शुद्धमात्मानमर्चय क्षमापुष्पस्रजं धर्मयुग्मक्षौमद्वयं तथा ध्यानाभरणसारं च तदङ्गे विनिवेशय 1 मदस्थानभिदात्यागैर्लिखाग्रे चाष्टमङ्गलम् ज्ञानाग्नौ शुभसंकल्पकाकतुण्डं च धूपय ||४|| 118 11 प्राग्धर्मलचणोत्तारं, धर्मसoreafsar कुर्वन् पूरय सामर्थ्यराजनीराजनाविधिम् ||५|| भव उल्लसन्मनसः सत्यघण्टां वादयतस्तव भावपूजारतस्येत्थं करक्रोडे महोदय: 1 ||२|| स्फुरन्मङ्गलदीपं च स्थापयानुभवं पुरः | योगनृत्यपरस्तौर्यत्रिकसंयमचान् I 113 11 'ज्ञानसार अष्टदु' भूल वोडो 771 ।।६।। द्रव्यपूजोचिता भेदोपासना गृहमेधिनाम् । भावपूजा तु साधूनामभेदोपासनात्मिका ॥ 1 11611 Page #189 -------------------------------------------------------------------------- ________________ (३०) ध्यानाष्टकम् ध्याता ध्येयं तथा ध्यानं, त्रयं यस्यैकतां गतम् । मुनेरनन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते ।।१।। ध्याताऽन्तरात्मा ध्येयस्तु परमात्मा प्रकीर्तितः । ध्यानं चैकाग्र्यसंवित्ति: समापत्तिस्तदेकता ।।२।। मणाविव प्रतिच्छाया, समापत्तिः परात्मनः । क्षीणवृत्तौ भवेद् ध्यानादन्तरात्मनि निर्मले ।।३।। आपत्तिद्र ततः पुण्यतीर्थकृत्कर्मबन्धतः । तद्भावाभिमुखत्वेन, संपत्तिश्च क्रमाद् भवेत् ।।४।। इत्थं ध्यानफलाद् युक्तं, विंशतिस्थानकाद्यपि । कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवे ।।५।। जितेन्द्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः । सुखासनस्थस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः ।।६।। रुद्धबाह्यमनोवृत्तेर्धारणाधारया रयात् । प्रसन्नस्याप्रमत्तस्य, चिदानन्दसुधालिह: । ।।७।। साम्राज्यमप्रतिद्वन्द्वमन्तरेव वितन्वतः । ध्यानिनो नोपमा लोके, सदेवमनुजेऽपि हि ।।८।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 172 Page #190 -------------------------------------------------------------------------- ________________ (३१) तपोऽष्टकम् ज्ञानमेव बुधाः प्राहुः, कर्मणां तापनात् तपः । तदाभ्यन्तरमेवेष्टं बाह्यं तदुपबृंहकम् ।।१।। आनुश्रोतसिकी वृत्तिर्बालानां सुखशीलता । प्रातिश्रोतसिकी वृत्तिर्ज्ञानिनां परमं तपः ।।२।। धनार्थिनां यथा नास्ति, शीततापादि दुस्सहम् । तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ।।३।। सदुपायप्रवृत्तानामुपेयमधुरत्वत: ज्ञानिनां नित्यमानन्दवृद्धिरेव तपस्विनाम् ।।४।। इत्थं च दुःखरूपत्वात्, तपो व्यर्थमितीच्छताम् । बौद्धानां निहता बुद्धिबौद्धानन्दापरिक्षयात् ।।५।। यत्र ब्रह्म जिनार्चा च, कषायाणां तथा हतिः । सानुबन्धा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ।।६।। तदेव हि तप: कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ।।७।। मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये । बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्यान्महामुनिः ।।८।। 'IHAR अष्ट४' – भूण Pati 173 Page #191 -------------------------------------------------------------------------- ________________ (३२) सर्वनयाश्रयणाष्टकम् धावन्तोऽपि नया: सर्वे, स्युर्भावे कृतविश्रमाः । चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रित: पृथम्नया: मिथ: पक्षप्रतिपक्षकदर्थिता: समवृत्तिसुखास्वादी, ज्ञानी सर्वनयाश्रित: नाप्रमाणं प्रमाणं वा, सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता ।।१।। लोके सर्वनयज्ञानां ताटस्थ्यं वाऽप्यनुग्रहः । स्यात् पृथग्नयमूढानां स्मयार्तिर्वाऽतिविग्रहः ||४|| 1 ।।२।। श्रेयः सर्वनयज्ञानां विपुलं धर्मवादतः 1 शुष्कवादाद् विवादाच्च परेषां तु विपर्ययः ||५|| अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिता: जयन्ति परमान्दमयाः सर्वनयाश्रयाः प्रकाशितं जनानां पैर्मतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमोनमः ||६|| ।।३।। निश्चये व्यवहारे च त्यक्त्वा ज्ञाने च कर्मणि । एकपाक्षिकचिश्लेषमारूढाः शुद्धभूमिकाम् ॥७।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 174 1 11011 Page #192 -------------------------------------------------------------------------- ________________ पूर्णो मग्नः स्थिरोऽमोहो, ज्ञानी शान्तो जितेन्द्रियः । त्यागी क्रियापरस्तृप्तो निर्लेपो निःस्पृहो मुनिः ||१|| उपसंहार विद्याविवेकसंपन्नो मध्यस्थो भयवर्जितः । अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् ।।२।। ध्याता कर्मविपाकानामुद्विग्नो भववारिधेः लोकसंज्ञाविनिर्मुक्तः, शास्त्रदृग् निष्परिग्रहः ||३|| शुद्धानुभववान् योगी, नियागप्रतिपत्तिमान् । भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रितः || ४ || , स्पष्टं निष्टङ्कितं तत्त्वमष्टकैः प्रतिपन्नवान् । मुनिर्महोदयं ज्ञानसारं समधिगच्छति ।।५।। निर्विकारं निराबाधं ज्ञानसारमुपेयुषाम् । विनिवृत्तपराशानां मोक्षोऽत्रैव महात्मनाम् ||६|| चित्तमाद्रीकृतं ज्ञानसार सार स्वतोर्मिभिः । नाप्नोति तीव्रमोहाग्निप्लोषशोषकदर्थनाम् ||७|| अचिन्त्या काऽपि साधूनां ज्ञानसारगरिष्ठता । गतिर्ययोर्ध्वमेव स्याद्, अधःपातः कदाऽपि न ॥ ८ ।। ઉપસંહાર 175 Page #193 -------------------------------------------------------------------------- ________________ क्लेशक्षयो हि मण्डूकचूर्णतुल्यः क्रियाकृतः । दग्धतच्चूर्णसदृशो, ज्ञानसार कृतः पुनः ।।९।। ज्ञानपूतां परेऽप्याहुः, क्रियां हेमघटोपमाम् । युक्तं तदपि तद्भावं न यद्भग्नाऽपि सोज्झति ।।१०।। क्रियाशून्यं च यज्ज्ञानं, ज्ञानशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ।।११।। चारित्रं विरतिः पूर्णा, ज्ञानस्योत्कर्ष एव हि । ज्ञानाद्वैतनये दृष्टिर्दे या तद्योगसिद्धये ।।१२।। सिद्धि सिद्धपुरे पुरन्दरपुर स्पर्धावहे लब्ध्वांश्चिद्दीपोऽयमुदारसारमहसा दीपोत्सवे पर्वणि । एतद्भावनभावपावनमनश्चञ्चच्चमत्कारिणां, तैस्तैर्दीपशतैः सुनिश्चयमतैर्नित्योऽस्तु दीपोत्सवः ।।१३।। केषांचिद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषावेगोदर्ककुतर्कमूर्च्छितमथान्येषां कुवैराग्यतः । लग्नालर्कमबोधकूपपतितं चास्ते परेषामपि, स्तोकानां तु विकारभाररहितं तज्ज्ञानसाराश्रितम् ।। १४ ।। जातोद्रेकविवेकतोरणततौ धावल्यमातन्वति, हृद्गेहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानन्दघनस्य किं सहजया तद्भाग्यभङ्ग्याऽभव- .. नेतद्ग्रन्थमिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः ।।१५।। જ્ઞાનસારનું તત્ત્વદર્શન 176 . Page #194 -------------------------------------------------------------------------- ________________ भावस्तोमपवित्रगोमयरसैः लिप्तैव भूः सर्वतः, संसिक्ता समतोदकैरथ पथि न्यस्ता विवेकस्रजः । अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेऽत्र शास्त्रे पुरः, पूर्णानन्दघने पुरं प्रविशति स्वीयं कृतं मंगलम् ।।१६।। गच्छे श्रीविजयादिदेवसुगुरोः स्वच्छे गुणानां गणैः, प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयप्राज्ञाः परामैयरूः । तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशोः, श्रीमन्न्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये ।। १७ ।। बालालालापानवद् बालबोधो, न्या(ना)यं किंतु न्यायमालासुधौघः । आस्वाद्येनं(दुरितशमनं) मोहहालाहलाय(लस्य), ज्वालाशान्ते/विशाला भवन्तु ।। आतन्वाना भा-रती भारती न स्तुल्यावेशा संस्कृते प्राकृते वा । शुक्तिसूक्तियुक्तिमुक्ताफलानां भाषाभेदो नैव खेदोन्मुखः स्यात् ।। सूर जीतनयशान्तिदासहन्मोद कारणविनोदतः कृतः । आत्मबोधधृतविश्रमः श्रीयशोविजयवाचकै र यम् ।। ॥ इति ज्ञानसारग्रन्थः संपूर्णः ।। ם ם ם સંદર્ભગ્રંથસૂચિ 177 Page #195 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ ગુજરાતી ૧. “ઉપાધ્યાય યશોવિજયસ્વાધ્યાયગ્રંથ': સંપા. પ્રદ્યુમ્નવિજયજી ગણિવર, જયંત કોઠારી, કાંતિભાઈ બી. શાહ, પ્રકા, શ્રી મહાવીર જેમ વિદ્યાલય, ઈ.સ. ૧૯૯૩ ૨. “ગૂર્જર સાહિત્યસંગ્રહ' પ્રથમ વિભાગ : પ્રકા. શા. બાવચંદ ગોપાલજી, આ. પહેલી, ઈ.સ. ૧૯૩૭ ૩. “ગૂર્જર સાહિત્યસંગ્રહ', ભાગ બીજો : જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, આ. સં. ૧૯૯૪ ચિત્તવિચારસંવાદ' : સંપા. અને પ્રકા. કીર્તિદાબહેન જોશી, આ. પહેલી, ઈ.સ. ૧૯૯૨ જંબુસ્વામી-રાસ” : સંપા. રમણલાલ ચી. શાહ, પ્રકા. જૈન સાહિત્યોદ્ધાર ફંડ, સુરત, આ. પ્રથમ, ઈ.સ. ૧૯૬૧ ૬. “જૈનદર્શન': લે. ટી. કે. તુકોલ, અનુ. ચિત્રા શુક્લ, પ્રકા. સરદાર પટેલ યુનિ., વલ્લભવિદ્યાનગર, આવૃત્તિ પહેલી, ઈ.સ. ૧૯૭૮ ૭. “જૈનદર્શન' : લે. પ્રા. ઝેડ. વી. કોઠારી, પ્રકા. યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, આ. પ્રથમ, ઈ.સ. ૧૯૮૪ જૈન દૃષ્ટિએ યોગ' : લે. શ્રી મોતીચંદ કાપડિયા, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, આવૃત્તિ ત્રીજી, ઈ.સ. ૧૯૭૪ ૯. જૈન ધર્મચિંતન': લે. શ્રી દલસુખભાઈ માલવણિયા, પ્રકા. અશોક કે. કોરા, મુંબઈ, આવૃત્તિ પહેલી, ઈ.સ. ૧૯૬૫ ૧૦. “જ્ઞાનમંજરી' : અનુ. શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજી, પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, આવૃત્તિ દ્વિતીય, ઈ.સ. ૧૯૮૫ ૧૧. “જ્ઞાનસાર' : સંપા. પં. ભગવાનદાસ હરખચંદ, પ્રકા. જૈન પ્રાપ્ય વિદ્યાભવન, અમદાવાદ, આવૃત્તિ બીજી, વિ.સં. ૨૦૦૭ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 178. Page #196 -------------------------------------------------------------------------- ________________ ‘જ્ઞાનસાર’ : સંપા. પૂ. મુનિ શ્રી રાજશેખરવિજયજી, પ્રકા. શ્રી આરાધના ભવન જૈનસંઘ, મુંબઈ, આવૃત્તિ પ્રથમ, વિ.સં. ૨૦૩૦ ૧૩. ‘તત્ત્વાર્થસૂત્ર' : વિવે. પં. સુખલાલજી, પ્રકા. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, આવૃત્તિ ચોથી, ઈ.સ. ૧૯૭૭ ૧૪. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ’ : સંપા. પૂ. મુનિ યશોવિજયજી, પ્રકા. યશોભારતી પ્રકાશન, વડોદરા, આવૃત્તિ પ્રથમ, ઈ.સ. ૧૯૫૭ ૧૫. પ્રશમરતિ' : (વાચક ઉમાસ્વાતિ વિરચિત) વિવે. મોતીચંદ કાપડિયા, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, આ. પ્રથમ, ઈ.સ. ૧૯૮૬. ૧૨. ૧૬. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય' : સંપા. શ્રી જયંત કોઠારી, કાંતિભાઈ શાહ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, આવૃત્તિ પહેલી, ઈ.સ. ૧૯૯૩ ૧૭. ‘યશોગ્રન્થમંગલપ્રશસ્તિસંગ્રહ' : પ્રધાન સંપા. આ. શ્રી યશોદેવસૂરિજી, પ્રકા. શ્રી યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, પાલીતાણા, આ. પ્રથમ, ઈ.સ. ૧૯૯૭ ૧૮. ‘યશોભારતી’ : સંપા. ડૉ. કુમારપાળ દેસાઈ, પ્રકા. શ્રી ચંદ્રોદય ચેરિટેબલ રિલિજીયસ ટ્રસ્ટ, અમદાવાદ, આવૃત્તિ પ્રથમ, વિ.સં. ૨૦૪૮. -- ૧૯. હસ્તલિખિત પ્રત - ‘જ્ઞાનસાર’, લહિયા મુનિ ભાવરત્ન સં. ૧૭૬૨. (લા. દ. સૂચિ. નં. ૩૭૨૫) ૬. હિંદી “સૈન તર્તમાષ” - સંપા. પં. સુપ્રભાતની, નં. મહેન્દ્રનુમાર વૃં નં. વનમુદ્ર માતળિયા, પ્રા. સિંધી તૈન ગ્રંથમાતા, આ. છું.સ. ૧૮ સંદર્ભગ્રંથસૂચિ 179 Page #197 -------------------------------------------------------------------------- ________________ “पातंजल योगदर्शन तथा हारिभद्री योगविंशिका" - संपा. पं. सुखलालजी, प्रका. शारदाबेन चीमनभाई रिसर्च सेंटर, आ. १९९१ "दर्शन और चिंतन" - ले. पं. सुखलालजी, प्रका. पं. सुखलालजी सन्मान समिति, गुजरात विद्यासभा, आ. प्रथम, इ. स. १९५७ 3. અંગ્રેજી “A History of Indian Philosophy" - Vol. I by Surendranath Dasgupta, Cambridge Uni. Press, 1951 “Jaina Ontology” by Dr. K. K. Dixit, L. D. Institute of Indology, Ed. 1971 “Prasamaratiprakarana" by Acharya Umasvati Vacaka, Edited by Dr. Y. S. Shastri, L. D. Institute of Indology, Ed. 1989 “Traverses on less trodden path of Indian Philosophy and Religion" by Dr. Y. S. Shastri, L. D. Institute of Indology, Ed. 1991 જ્ઞાનસારનું તત્ત્વદર્શન 180 Page #198 -------------------------------------------------------------------------- ________________ સ્તુત્ય પ્રયત્ન માલતીબહેન શાહે લખેલ ‘જ્ઞાનસારનું તત્ત્વદર્શન” જોયું. અત્યાર સુધીમાં ઉપાધ્યાય યશોવિજયજી વિષે લખાયેલ લખાણોમાંભાત પાડે તેવું આ પુસ્તક છે. આ પુસ્તકમાં ‘જ્ઞાનસાર’ વિષે જે લખાણ છે તે બહુમુખી પ્રતિભા ધરાવતા ઉપાધ્યાય યશોવિજયજી અંગેના લખાણોમાંજુદું જ તરી આવે છે. ઉપાધ્યાય યશોવિજયજીના જીવન વિષે અને તેમના ગ્રંથો વિષે પણ આમાં જે લખાણ છે તે બહુ મૂલ્યવાન છે. લેખિકાએ જે માહિતી એકત્ર કરી છે તે ખરેખર પ્રશંસનીય છે. આ એક સર્વગ્રાહીલખાણ છે. અમદાવાદ-૩૮૦૦૦૭. - દલસુખમાલવણિયા તા. 17-3-1999 -