SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મદ્રવ્ય છું અને શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે' એમ ધ્યાવવું એ મોહને હણવાનું આકરું શસ્ત્ર છે. (૪/૨) એમ જણાવીને મોહને દૂર કરવાનો ઉપાય સૂચવ્યો છે. ૪ મોહની જેમ મૂર્છા પણ માનવીને ભાન ભુલાવી દે છે. મૂર્છાયુક્ત વ્યક્તિ અને મૂર્હારહિત વ્યક્તિ વચ્ચે શો તફાવત છે ? મૂર્છાથી જેની બુદ્ધિ ઢંકાયેલી છે તે મૂર્છાયુક્ત વ્યક્તિ માટે આખું જગત પરિગ્રહરૂપ છે, જ્યારે મૂર્છારહિત વ્યક્તિને માટે જગત અપરિગ્રહરૂપ છે. (૨૫/૮) મૂÁરહિત વ્યક્તિને જગતની કોઈ વસ્તુની લાલસા નથી, કોઈ વસ્તુનો લોભ નથી. મોહ અને મૂર્ચ્છને જો વ્યક્તિ ત્યજી શકે તો તેના ઘણા કષાયો ઓછા થઈ શકે છે. (ખ) આત્મપ્રશંસા મોહની જેમ આત્મપ્રશંસા પણ વ્યક્તિની પ્રગતિના માર્ગમાં અવરોધક બને છે, તેની પ્રતીતિ ‘અનાત્મશંસા-અષ્ટક'ને આધારે આપણને થાય છે. ખરેખર તો, વ્યક્તિએ આત્મપ્રશંસા કરવાની કોઈ જરૂ૨ જ નથી એ વાત તર્કાપત્તિ દ્વારા સાધકને સમજાવી છે. “જો તું ગુણો વડે પૂર્ણ નથી તો પછી પોતાની પ્રશંસા કરવી વ્યર્થ છે અને જો તું ગુણો વડે પૂર્ણ જ છે તો પોતાની પ્રશંસા ક૨વાની કોઈ જરૂ૨ જ નથી.” (૧૮/૧) વ્યક્તિ ગુણોથી પૂર્ણ હોય કે ન હોય, કોઈ પણ સંજોગોમાં આત્મપ્રશંસા કરવી જરૂરી નથી, યોગ્ય નથી. ખરેખર તો ‘લાચારઃ બુનમાવ્યાતિ’ એટલે કે ‘આચાર કે આચરણ જ કુળને જણાવે છે.’ એ ન્યાયે ગુણ સ્વયમેવ પ્રગટ થઈ જાય છે. વૃક્ષના દૃષ્ટાંત દ્વારા આ જ વાતને બીજી રીતે સમજાવી શકાય. પાણીના વધારે પડતા જોરદાર પ્રવાહથી જમીન ધોવાઈ જાય અને વૃક્ષનાં મૂળિયાં પ્રગટ થઈ જાય તો વૃક્ષનો વિકાસ અટકી જાય છે, કારણ કે વૃક્ષના વિકાસ માટે તેનાં મૂળ ધરતીની નીચે દટાયેલાં રહે તે જરૂરી છે. વૃક્ષનાં મૂળ દેખાવા માંડે તો જમીન સાથેની તેની પકડ ઢીલી થઈ જતાં કાળક્રમે તે વૃક્ષ પડી જવાની બીક પણ રહે છે. માણસ જે કાંઈ શુભ કાર્યો, કલ્યાણકાર્યો કરે છે તે કાર્યોરૂપ વૃક્ષના કારણ તરીકે સુકૃતરૂપ ગુણોનાં મૂળિયાં પડેલાં છે. સાધકનાં આ ગુણોરૂપ મૂળ પોતાના વખાણ(ઉત્કર્ષ)રૂપી પાણીના પ્રવાહથી જો પ્રગટ થઈ જાય તો તે વૃક્ષનાં મૂળ ઢીલાં પડતાં તેને ફળ આવતાં બંધ થઈ જાય છે, વ્યક્તિનાં કલ્યાણકાર્યોમાં રુકાવટ આવે છે. પોતાનાં વખાણ કરવારૂ૫ પાણીના પ્રવાહમાં જો સુકૃત ગુણોનાં સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ 95 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy