SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કવિઓનાં ચરિતો તેમના શિષ્યોએ રચ્યાં છે, તો કેટલીક વખત કાવ્યપ્રશસ્તિ, પ્રતિમાલેખ, પટ્ટાવલિ વગેરેમાંથી પણ આવી વિગતો મળે છે. પરંતુ દુર્ભાગ્યે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનની વિગતો અત્યંત અલ્પ પ્રાપ્ત થાય છે; ક્યારેક તો આ વિગતોમાં કાલ્પનિક કથાઓ પણ જોડાયેલી જણાય છે. તેમના સમકાલીન વિદ્વાનો કે શિષ્યોએ તેમના જીવનનું વ્યવસ્થિત નિરૂપણ કરેલું જણાતું નથી અને તેમણે પોતે પણ પોતાની કૃતિઓમાં પોતાનો પરિચય સાવ નહિવત્ આપ્યો છે. વળી તેમની કેટલીક કૃતિઓ કાળની ગર્તામાં નાશ પામેલી મનાય છે. આવી અપ્રાપ્ય કૃતિઓમાં કદાચ તેમણે પોતાનો વધુ પરિચય આપ્યો હોય તો પણ અત્યારે આપણને તે પ્રાપ્ય નથી. આ સંજોગોમાં થોડોક સંતોષ લઈ શકાય તેવી બાબત એ છે કે તેમના સમયમાં થઈ ગયેલ મનાતા શ્રીકાંતિવિજયજીએ શ્રી યશોવિજયજીના જીવનની કેટલીક ઘટનાઓને “સુજસવેલીભાસ' નામની કૃતિમાં રજૂ કરી છે, તો કેટલીક મુખ્ય ઘટનાઓનાં સાલ-સંવત તેમાં નોંધાયાં નથી તે આશ્ચર્યજનક લાગે છે. આ વળી તેમાં રજૂ થયેલ વિગતોમાં શંકા પેદા થાય તેવી માહિતી બીજેથી મળી આવે ત્યારે પણ આ શંકાઓનું પૂરેપૂરું સંતોષકારક સમાધાન ક્યારેક આપણને થતું નથી. છતાં બીજે ક્યાંયથી તેમના જીવન અંગે નોંધપાત્ર સામગ્રી મળતી ન હોય ત્યારે, ક્યાંક ક્યાંક શંકાસ્પદ હોય તેવી આટલી પણ સામગ્રી “સુજસવેલીભાસ'માંથી આપણને પ્રાપ્ત થાય છે ત્યારે તે તેમના વ્યક્તિત્વની રૂપરેખા સમજવામાં કંઈક અંશે સહાયક નીવડે છે. મુખ્યત્વે “સુજસવેલીભાસના આધારે તથા અન્ય પ્રાપ્ય સામગ્રીના આધારે તેમના જીવનની હકીકતોને તારવીને રજૂ કરવાનો પ્રયત્ન અહીં કર્યો છે. જન્મ-બાળપણ-દીક્ષા-અવધાન સુજસવેલી'માં નોંધ્યા પ્રમાણે શ્રી યશોવિજયજીનું સંસારી નામ “જસવંત' હતું. તેમના માતાનું નામ સોભાગદે અને પિતાનું નામ નારાયણ શેઠ હતું. તેમના નાના ભાઈનું નામ પદ્મસિંહ હતું. તેમનો જન્મ પાટણ પાસે આવેલા કનોડા ગામમાં થયો હતો. પણ પૂ. પુણ્યવિજયજી મહારાજ અનુમાન કરે છે એ પ્રમાણે એ પણ સંભવિત હોય કે જસવંતના પિતાશ્રી વ્યાપારાદિ નિમિત્તે કનોડામાં આવીને વસ્યા હોય અને તેમનું જન્મસ્થળ કદાચ બીજું પણ હોય. છતાં એક વાત તો નિર્વિવાદ છે કે જસવંતનું બાળપણ તો કનોડામાં જ વીત્યું હશે. “સુજસવેલીમાં જન્મસંવતનો ઉલ્લેખ થયેલો નથી. યશોવિજયજી : જીવન અને વાડ્મય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy