SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર-અષ્ટક અગાઉ પૂર્વભૂમિકારૂપે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલ વિશાળ સાહિત્યમાંથી દાર્શનિક દૃષ્ટિએ ઉત્કૃષ્ટ ગણી શકાય તેવી કેટલીક સાહિત્યકૃતિઓનો પ્રારંભિક પરિચય મેળવ્યો. “જ્ઞાનસારઅષ્ટક” પણ તેમની એવી જ એક ઉત્કૃષ્ટ કૃતિ છે. ઉપાધ્યાયજી મહારાજે વિપુલ સાહિત્યની રચના કરીને જૈન ધર્મ અને દર્શન અંગે જે વિચારસરણી રજૂ કરી છે તેની ઝાંખી “જ્ઞાનસાર-અષ્ટક'માં પણ થાય છે. બાહ્ય સ્વરૂપ બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ વિચાર કરીએ તો “જ્ઞાનમાર-અષ્ટક' એ નામ સૂચવે છે તે પ્રમાણે “અષ્ટક' પ્રકારનો ગ્રંથ છે. શ્લોકોની સંખ્યાને આધારે અમુક રચના સ્વરૂપો ઓળખાવવાની પરંપરા ભારતીય સાહિત્યમાં જૂની છે. દા.ત. “શતકમાં એક સો શ્લોકો, “પંચાશક'માં પચાસ શ્લોકો, તેમ “બત્રીસી', ‘વિંશિકા', “ષોડશક' વગેરે રચના સ્વરૂપો શ્લોકની સંખ્યાને આધારે ઓળખી શકાય છે. તે રીતે “અષ્ટક'માં આઠ શ્લોકો હોય છે. આ બધાં રચના સ્વરૂપોમાં નિશ્ચિત શ્લોકોમાં જે તે વિષયને પૂરો કરવામાં આવે છે. ભારતમાં જૈન તેમ જ અજૈન બંને પરંપરાઓના સાહિત્યમાં “અષ્ટક'નું ખેડાણ થયેલું જોઈ શકાય છે. દા.ત. “મધુરાષ્ટક', “નર્મદાષ્ટક', “સરસ્વતીઅષ્ટક', “ગણેશાષ્ટક', 47 Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy