________________
(ચ) “મનુસ્મૃતિ'માં ઋષભદેવનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે : “યુગના
પ્રારંભમાં મરુદેવીએ નાભિથી પ્રથમ જિનને જન્મ આપ્યો, જે વીર કાર્યો કરતો હતો, જેને દેવો અને દાનવો નમસ્કાર કરતા હતા અને જે
ત્રણ પ્રકારની નીતિઓનો ઘડનારો હતો.” (છ) ડૉ. રાધાકૃષ્ણન નોંધે છે તે પ્રમાણે, “જૈન પરંપરા પોતાના ધર્મનું મૂળ
ઋષભદેવમાં આરોપે છે. તેઓ ઘણી સદીઓ પૂર્વે થઈ ગયા. ઠેઠ ઈ.પૂ. પહેલા સૈકામાં એવા લોકોને ઉલ્લેખો મળી આવે છે, જેઓ પ્રથમ તીર્થકર ઋષભદેવને ભજતા હતા. વર્ધમાન અને પાર્શ્વનાથ પહેલાં પણ જૈન ધર્મ પ્રવર્તતો હતો તે વાત નિર્વિવાદ છે. યજુર્વેદ ઋષભ, અજિત અને અરિષ્ટનેમિ એ ત્રણ તીર્થકરોનાં નામોનો ઉલ્લેખ ધરાવે છે. ભાગવતપુરાણ ઋષભદેવ જૈન ધર્મના સ્થાપક હતા તે મતને સમર્થન આપે છે.”
વિશેષ ચર્ચા માટે જુઓ : “જૈન દર્શન', ટી. કે. તુકોલ, પૃ. ૯-૧૧ 3. ભગવાન મહાવીરના ઉપદેશનો પ્રચાર કરનાર તેમના પ્રથમ અગિયાર શિષ્યો
ગણધર' કહેવાયા, કે જે દરેકના હાથ નીચે પણ સેંકડો મુનિઓ હતા. આ અગિયાર ગણધરોનાં નામ આ પ્રમાણે છે : (૧) ઇન્દ્રભૂતિ (ગૌતમ), (૨) અગ્નિભૂતિ, (૩) વાયુભૂતિ, (૪) અંકપિત, (૫) વ્યક્ત, (૬) સુધર્મા, (૭) મંડિતપુત્ર, (૮) મૌર્યપુત્ર, (૯) અચલભ્રાતા, (૧૦) મેતાર્ય અને (૧૧) પ્રભાસ. આમાંથી ઇન્દ્રભૂતિ ગૌતમ અને સુધર્માસ્વામી ભગવાન મહાવીરના નિર્વાણ સુધી જીવિત હતા.
- “જૈન દર્શન', ડૉ. કોઠારી, પૃ. ૧૩ ૪. જૈન ધર્મના અનુયાયીઓ ઈ.સ.ની પહેલી કે બીજી સદી દરમ્યાન, સંભવતઃ
ઈ.સ. ૮૦માં, સ્પષ્ટ રીતે બે શાખા કે સંપ્રદાયમાં વહેંચાયા અને શ્વેતાંબર તથા દિગંબર તરીકે ઓળખાયા. આ બંને સંપ્રદાયોના તાત્ત્વિક વિચારોમાં કોઈ મૂળભૂત ભેદ ન હોવા છતાં તેમની વચ્ચેના ગૌણ ભેદો મુખ્યત્વે આ પ્રમાણે
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org